Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/001193/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિરાળ, નૉ ધર્મ ૫.ગજરાજજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શી ...વદના..... -૬-C-5- 9-89-9 ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, ગુજરાતના મહાન જ્યોતિર્ધર, સરસ્વતીલબ્ધપ્રસાદ, સિદ્ધકવિ, ષદર્શનનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છન્દ, તત્ત્વજ્ઞાન, કથા, આચારોપદેશ, અધ્યાત્મ, યોગ આદિ વિભિન્ન વિષય ઉપર સંખ્યાબંધ ગ્રન્થો રચનાર, અદૂભુતવ્યક્તિત્વશાલી પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાના ચરણ કમલમાં વંદના 3 -9- 392 393 3g, - श्रीयशेल - C: જન્મ : કોઠા (ગુજરાત) : છે : સ્વર્ગવાસ : 0 ડભેઈ (જી. વડોદરા) - - - - સ્મૃતિ દિવસ : માગસર સુદ ૧૧ – સૌજન્ય :ઉપા. શ્રી યશોવિજયજી સંસ્કાર સદન-નવસારી ઉપા. શ્રી યશોવિજયજી જૈન સેવા સદન-ડભોઈ ઉપ. શ્રી યશોવિજયજી સંસ્કાર સદન-માલેગામ ઠે. કલાપ્રકાશ, ટીળક રેડ, મુ. માલેગામ Pin : 423203 (મહારાષ્ટ્ર) -દી-- - ---- - - - - - - - - Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉ દ વીસમા શાસનપતિ, ત્રિલેકગુરુ, તીર્થંકર પરમાત્મા મહાવીરદેવ વીતરાગ હતા; સર્વજ્ઞ સર્વદશી હતા; આથી જ સત્યવાદી હતા આ વાતને આજના કહેવાતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકેણથી સચોટ રીતે સમજાવતું, જેમ જેમ વાંચન થતું જાય તેમ તેમ રુવાંટે રુવાંટેથી એ શાસનપતિને વંદના અપાવતું, શિર ઝુકાવતું અને મનમાં અપાર ભક્તિ બહેલાવતું, નાસ્તિકવાદના ભુક્કા બોલાવતું, ભૌતિકવાદની સખ્ત ખબર લેતું, અંતરમાં પલાંઠી મારીને અંતરની બેજ કરવાની સાધના કરી લેવા માટે પ્રબળ પ્રેરણા આપતું પુસ્તક... -દ8-08- -05- - - - વિજ્ઞાન અને ધર્મ નર્વ.શ6ૉંર્વિજયજી - - - - - મહા હા પણ - - Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશા પોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોનઃ ૩૫૫૮૨૩, c/o. ૩૫૬૦૩૩ લેખક–પરિચય : સિદ્ધાન્ત મહેદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂજ્યપાદ આ. ભગવાન શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પંશ્રી ચન્દ્રશેખરવિજયજી મૂલ્ય: ૨૬-૦૦ પ્રથમ સંસ્કરણ: નકલ ૧૦૦૦ દ્વિતીય સંસ્કરણ: નલ ૧૫૦ તૃતીય સંસ્કરણ નકલ ૧૨૫૦ ચતુર્થ સંસ્કરણ: નકલ ૨૦૦૦ પંચમ સંસ્કરણ: નકલ ૧૦૦૦ છક સંસ્કરણ: નકલ ૨૦૦૦ વિ. સં. ૨૦૪૭ તા. ૧–૧૦–૧૯૮૧ સુદ્રક: ભગવતી મુદ્રણાલય ભીખાલાલ એસ. પટેલ ૧૯, અજય એસ્ટેટ, યુનિયન બેંકની બાજુમાં, દૂધેશ્વર રોડ, અમદાવાદ–૪. Page #6 -------------------------------------------------------------------------- ________________ અ નું ક્રમ ણિકા ૪૫ ૫૦ પ૭ ૮ ૨ ૧૧૨ ખંડ ૧ : અપૂર્ણ વિજ્ઞાન અને પૂર્ણ તત્વજ્ઞાન (૧) અગણિત વંદન, જિનાગમોને (૨) સત્યવાદી ભગવાન જિનેશ્વર (૩) વિજ્ઞાનનાં ફરતાં વિધાન ખંડ ૨ : આમવિજ્ઞાન વિભાગ ૧ : આમા અને પુનઃજન્મ (૪) જૈન દષ્ટિએ આત્મા : ષટ્રસ્થાનવિચાર (૫) વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આત્મા (૬) વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ (૭) જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ (૮) વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ વિભાગ ૨ : પરલોકસિદ્ધિ (૯) ખેતલેકમાંથી આવેલા આત્માઓની વાતો (૧૦) પ્રેતાત્મા સાથે વાતચીત (૧૧) મિડિયમમાંથી પ્રેતાત્મા–સંપર્ક (૧૨) નારકલોકવિચાર વિભાગ ૩ ઈશ્વર (૧૩) ઈશ્વર અને જગત્કર્તુત્વ વિભાગ ૪ : અન્ય જીવસૃષ્ટિ (૧૪) વનસ્પતિ છે અને સંજ્ઞાઓ (૧૫) પૃથ્વી : પાણ: અગ્નિ: વાયુમાં ચૈતન્ય (૧૬) બે : ત્રણ: ચાર ઈન્દ્રિયવાળા જ ખંડ ૩ : જડવિજ્ઞાન વિભાગ ૧ : ત્રણ અસ્તિકાય (૧૭) ધર્માસ્તિકાય (૧૮) અધમસ્તિકાય : આકાશાસ્તિકાય વિભાગ ૨ : પુદગલાસ્તિકાય (૧૯) પરમાણુવાદ (૨૦) સોળ : મહાવર્ગનું (૨૧) શબ્દ-અંધકાર–છાયા ૧૨૨ ૧૩૫ ૧૫૭ ૧૬૨ ૧૬૭ ૧૮૮ ૧૯૭ ૧૯૯ ૨૦૨ ૨૧૩ ૨૧૭ ૨૩૪ ૨૪૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ (૨૨) પરમાણુવાદને ઉપસંહાર ૨૪૯ વિભાગ ૩ : બે અને (૨૩) સર્વાએ અણુ આદિના સિદ્ધાંતો જ કેમ બતાડવા? ૨૫૩ (૨૪) અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિકે ૨૬૪ ખંડ ૪ : પ્રકીર્ણક (૨૫) (૧) પાણીનું મૂળ કારણ વાયુ ૨૬૯ (૨) છઠ્ઠો આરો ૨૬૯ (૨૬) સ્યાદ્વાદ: સાપેક્ષવાદ ૨૭૬ (૨૭ પૃથ્વી અને તેનું પરિભ્રમણ ૨૯૦ (૨૮) વિર્ભાગજ્ઞાન અને પિટર હરકેસ ૨૯૮ (૨૯) જેની ડિકસન ૩૧૮ પરિશિષ્ટ-૧ ભવિષ્યવાણી પરિશિષ્ટ -૨ અવકાશજથી આત્મખોજ સુધી ૩૫૯ પરિશિષ્ટ-૩ વિજ્ઞાને સજેલી ભૂતાવળ ૩૬૨ પરિશિષ્ટ-૪ સમસ્ત માનવજાતિને પ્રશ્ન : વળાંક લઈ શકાશે ? ૩૬૫ પરિશિષ્ટ-૫ ત્રીજુ વિશ્વયુદ્ધ તો પૂરું થયું હવે ચોથા વિશ્વયુદ્ધમાં હારવું ન જોઈએ. પરિશિષ્ટ-૬ વનસ્પતિનું રહસ્યમય જીવન ૩૭૧ પરિશિ–૭ પૃથ્વીમાં જીવ છે.” જૈન દર્શનની માન્યતાને સગેટ પુરાવે. ૩૮૧ પરિશિષ્ટ-૮ “પારથેનીયમ” કૃષિ અને માનવી માટે ખતરનાક ઘાસ. ૩૮૪ પરિશિષ્ટ-૯ ઓ, વિજ્ઞાન! તારા પાપે પ્રદૂષણથી મરી રહેલ હજાર ગાયે, લાખો મરઘાં બતકાં અને કરોડો માછલાં! ૪૦. Page #8 -------------------------------------------------------------------------- ________________ દર્શન; જગતનું અને જગત્પતિનું “ શા માટે “વિજ્ઞાન અને ધર્મ” નામનું પુસ્તક મેં તૈયાર કર્યું ?” એમ પૂછે છે? આ રહ્યો ઉત્તર; આગ, ઉકળાટ, કકળાટ, વ્યથા અને કડવાં સાથી ખીચોખીચ ભરેલે– પળ જતી જાય છે અને હૈયું વધુ ને વધુ બેબાકળું બનતું જાય છે, કોણ જાણે શાને ગભરાટ છે એના ઊંડાણમાં ? શી વેદના ધણધણી છે એના તારે તારના ઝુમખામાં? એક વાત વારંવાર ચિત્તમાંથી ઉપર તરી આવે છે કે, “ખરેખર આવી ઊતરનારા; ભયાનક રીતે ખાબકી જનારા; ચારે પગે ત્રાટકનારા; સધળું ય હતપ્રત કરી દેનારા ભયાનક વાવ ટાળની હજી ઘણુંખરાને કપના પણ આવી નથી. એ ! આ ધર્યું આવે છે..અરે ! એકદમ નજીક આવી ચૂક્યું છે; રાક્ષસી વિંટેળનું એક કાજળકાળું વાદળ ! ચેતે...દેડો...સાબદા બને.” એવાં મારાં સંવેદનોને જે જાહેરમાં મૂકીશ તો કદાચ બધા ય હસી પડશે અને મને કહેશે, “પાગલ છે. કેવું નિરભ્ર સ્વચ્છ આકાશ છે અને આ કહે છે વટળનું કાજલકાળું વાદળ ધસી આવતું દેખાય છે!” ભલે.... દુનિયા શું કહે છે તે મારે સાંભળવું નથી. મારી વાત સામે એ હસે છે કે ગંભીર બને છે તેની મને ઝાઝી ફિકર નથી. મારે તો એક કડવું સત્ય રજૂ કરી જ દેવું છે હા...ઘણું જ કડવું સત્ય. હવે એને છુપાવી રાખે મહાવિનાશ વહેલે થનારો દેખાય છે. નથી ભવું: એક પળ પણ ભવું નથી. આ રહી એક કડવી વાત, અણગમતી અને સણસણતી સ્પષ્ટ વાત કે– ભાગ્યે જ કેકે વર્તમાન જગત નું અને જગત્પતિનું સાચું દર્શન Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્યું હશે, શિક્ષિત, વિદ્વાને, પ્રોફેસરેઃ અને સ્કલરથી ઊભરાયેલા આ જગતમાં ભાગ્યે જ કોઈએ હિન્દુસ્તાની પ્રજાને ખતમ કરી નાંખવા માટે ગોઠવાઈ ગયેલી અત્યંત ભેદી સુરંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. ને, નિશાળામાં એ જ્ઞાન અપાતું નથી, કોલેજોમાં એ જ્ઞાન આપવાના પિરિયડ જ નથી. સ્કાલરોને એની ગંધ પણ નથી, રાજકારણીઓ પણ એ વાત જાણતા નથી. એક આર્ય દેશ જ એવો છે. જેની ધરતી ઉપર પથરાયેલી રેતીના કણ જેટલા સંતો પ્રગટક્યા હોય. આવા સંતાએ આર્યોને આર્ય શીખવ્યું; સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની માનવતા શીખવી; બીજાનું આંચકી લેવાની વૃત્તિને “મહાપાપ” કહીને ત્યજાવી, આર્યપ્રજાએ એ સંતવાણીને વધાવી લીધી અને સૌની સાથે પ્રેમથી રહીને હજારો-લાખે-કરોડો. વર્ષોથી એણે આ ધરતી ઉપર પિતાનું પ્રકાશમય અસ્તિત્વ દીપાવ્યું. એ જ પ્રકાશના રેલા ચોમેર રેલાયા. આથી જ ઈસુ ખ્રિસ્ત વગેરે માનવતાવાદી માનવો જન્મ્યા અને એમણે પણ એકબીજા સાથે પ્રેમથી રહેવાને સંદેશ આં. પણ પશ્ચિમની ધરતીના લેકે આ સંદેશાને ઝીલી શક્યા નહિ. અનાદિકાલીન દુષ્ટ વૃત્તિઓના એ લેકે ભગ બન્યા. છેલ્લાં પાંચ વર્ષથી એમના અંતરમાં ધર્માભ્યતા અને સ્વાર્થોધતાનાં બે મહાપાપની આગ પ્રજવળી ઊઠી છે. આથી જ સમગ્ર વિશ્વ ઉપર પોતાનો ખ્રિસ્તી ધર્મ ફેલાવી દેવાના અને સંપૂર્ણ વિશ્વમાં પોતાની ગોરી પ્રજાનું એક જ અસ્તિત્વ કાયમ કરી દેવાના સંકલ્પ સાથે એ પ્રજા ક્રૂરતાની પરાકાષ્ટાએ પહોંચી છે. આ બે સંક૯પોને બર લાવવા માટે જ એ ક્યાંક રાજ કરે છે; ક્યાંક રાજ છેડીને ચાલી જવાને ય દેખાવ કરે છે; ક્યાંક મૈત્રીના દાવે હાજર થઈને લડતા બેની વચમાં પડે છે અને જાણે સમાધાન કરાવીને ચાલી જાય છે, પરંતુ લડતા પેલા બે ય જણ પેલાની ઘાતકી મૈત્રીના નહેરથી લોહીલુહાણ થઈને પોતાની જ ધરતી ઉપર લેહીનાં છાંટણું કરે છે. જૂના સમયમાં શત્રુ બનીને સહુ ઉઘાડા લડતા, હવે આ લેકએ મિત્ર બનીને ગુપ્ત લડાઈઓના, અને ખૂનખાર કાપાકાપીઓના કાર્યમાં જમ્બર સફળતા પ્રાપ્ત કરી છે. અત્યંત શક્તિશાળી બે મિત્રો જ એકબીજાના શત્રુ તરીકે દેખાવ કરીને જગત સામે ખડા થાય છે. બાવરા બનેલા જગતના બે દુશ્મની પડખે પેલા બે ય ગોઠવાયા કરે છે. મિત્ર બનીને બધા ય સંચા એ બાવરા રાજ્યોના ઢીલા કરી નાખે છે; અંતે બેયને શસ્ત્રોથી સજજ કરીને, લડાઈની પ્રેરણા કરીને, લડાવી મારે Page #10 -------------------------------------------------------------------------- ________________ છે. પોતે બને ય ખસી જાય છે. પેલા બે ય સાફ થાય છે. આમાં મૈત્રીના દેખાવ સાથેના ઘાતકી યુદ્ધમાં કરોડો માનવો આ જ સુધીમાં કપાઈ મર્યા છે. કેડીબંધ દેશોની પ્રાચીન પ્રજાનું નામનિશાન રહ્યું નથી. માનવવિહેણું એ દેશની ધરતીને, શત્રના દેખાવથી રહેલા પિલા બે મહામુત્સદ્દી મિત્રોએ વહેચી લીધી છે. આવું જ કાંઈક હિન્દુસ્તાનની ધરતી ઉપર બની રહ્યું છે. હિન્દુઓની અત્યન્ત બલિષ્ઠ પ્રજાનું નિકંદન કાઢી નાંખવા માટે જ તદ્દન જૂઠા એવા કેમવાદને ઊભો કરવામાં આવ્યો છે. મુસ્લિમો સાથે યુદ્ધનાં નગારાં વગાડાયાં છે, ખૂનખાર કાપાકાપીઓ ચાલી રહી છે. - દુનિયામાં પરસ્પરના શત્રુ તરીકે દેખાડતા રશિયા અને અમેરિકાના ધુરંધરેએ હિંદુ અને મુસ્લિમ બે ય પ્રજાને શસ્ત્રસજજ કર્યો જ રાખી છે. બસ...કાયમ સળગતું રહે અર્થતંત્ર; શત્રુતાને જિવાડતી રહે બે ય. પ્રજાઃ કપાતાં રહે ધડ અને માથાં અને જોતાં રહે પેલાં બે દિલેજાન દોસ્ત તેમનો તમાશે! અને અહીં કરોડોનું નિકંદન ! સરહદના સીમાડે જ હિન્દુ પ્રજાના નાશનાં યુદ્ધો ચાલે છે એવા ભ્રમમાં રખે કઈ રહી જતા ! અરે ! આ વિનાશનું તો ઘરઘરમાં, વર્તન-વ્યવહારમાં, કપડાંલત્તામાં; બાલવા-ચાલવામાં સર્વત્ર છાઈ ગયું છે. સીમાડાના ઉઘાડા સુહમાં તો લાખ, દશ લાખ હિન્દુઓ મરી જાય પણ આ છૂપા–સદા સળગતા મુદ્ધમાં તો કરોડો કચ્ચરઘાણ વળી જાય તેવું છે. એમાં ખૂબીની વાત તો એ છે કે શત્રુને એક બીચે ન મરે; શત્રુને યુદ્ધના મેદાનમાં ઊતરવું ય ન પડે અને આ યુદ્ધ ખેલાઈ જાય. આપસમાં જ લોહિયાળ જંગ ખેલાય...અરે! ભૂલ્ય. લોહી નીકળ્યા વગર જ સર્વનાશ. થઈ જાય. સેંકડો વર્ષો સુધી જેણે હિસ્તાનની ધરતી ઉપર ડેરા-તંબુ નાખ્યા એ લેકે આ દેશની કયી બાબતથી અજાણ હોય ભલા ! એણે એ વાત બરોબર જાણે લીધી છે કે આ પ્રજાને ખતમ કરી દેવી હોય તે એની મહાબલિષ્ઠ સંસ્કૃતિને જ ખતમ કરી દેવી જોઈએ. જયાં સુધી સંસ્કૃતિને પ્રાણ ધબકતો હશે ત્યાં સુધી આ દેશની ધરતી ઉપર આપણને કાયથી રાજય કરવા દે એવી નિર્માલ્ય પ્રજા નથી. બસ... વિનાશનું મૂળ પકડી લીધું અને કારવાહી શરૂ કરી. વર્ણવ્યવસ્થાનાં મૂળિયાં હલબલાવી દેવા માટે અસ્પૃશ્યતાનું-નિવારણ લાવી મૂકયું, ઉદ્ધારના નામે નાશની તલવાર ચલાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્રોનાં આંતરજ્ઞાતીય આંતરજાતીય લગ્નોની હિમાયત જોરદાર રીતે કરીને બળવાન એવા આર્યબીજને Page #11 -------------------------------------------------------------------------- ________________ બગાડવું; દેહાવ્યું; બાળ્યું. લેક્શાસન લાવીને સંતશાસન દૂર હડસેલ્યું બહુમતીવાદનું એકઠું ગોઠવીને શાસ્ત્રમતીના વિચારને દેશવટો દેવડા -નારીની ગુલામીની વાતો કરીને ઉઘાડે છોગ, ઊભી બજારે અને બે દહાડે નારીનાં શીલ તૂટતા લાખો દુઃશાસને પકવી દીધા. નિરાધ, ગર્ભપાત, છૂટાછેડા, સિનેમા, સહશિક્ષણ, બ્લ–બુક, ખુફિલમ, રેડિયે, ટેલિવિઝન, મેગેઝીને, કલબ, જીમખાનાંઓ, હોટલે અને પરિસંવાદની જનાઓના વિવિધ સાણસામાં ખમીરવંતી અને પવિત્રતાના પંજ સમી હિન્દુ પ્રજાને આબાદ જકડી લીધી. બસ...હવે એનાં પરિણામો જાહેર થતાં જ રહ્યાં છે. શ્વેત પ્રજાને પણ કલ્પનાતીત–એવા ઝડપી વેગથી પરિણામો આવી રહ્યાં છે. નારીનું શીલ લૂંટાયું છે. યુવાનનું મીઠું વેરાઈ ચૂકયું છે, ક્ષત્રિયોનું ક્ષાત્રવટ રહે સાઈ–પિસાઈ ચૂક્યું છે. વેપારીઓનું તેજ સ્થાયું છે, સંતોનું બળ તૂટયું છે, ધર્મોનું અસ્તિત્વ પૂર્ણ પણે જોખમાયું છે, જોર વધ્યું છે ગુંડાશાહીનું, તકવાદીઓનું, અનાચાર અને અનીતિનું, આંધી અને અંધાધૂધીનું, અસ્થિરતા અને અરાજકતાનું, કામના ઉન્માદ અને અર્થની મલિનતાનું. હજી એ યુદ્ધ નવાં નવાં શસ્ત્રો સાથે આગળ વધી જ રહ્યું છે. બધાયને ભારતીય બનાવી દઈને-સહુને જૈન, બ્રાહ્મણ, વૈષ્ણવ, બૌદ્ધ તરીકે મીટાવી દેવા માટે “ભારતીયકરણનું ભયાનક શસ્ત્ર કયારનું ફેકાઈ ચૂક્યું છે. સંતોની સંતશાહીના બળને હતપ્રત કરી નાખવા માટે હિપીઓનાં ટોળાં છુટી ગયાં છે. ગામડે ગામડે તેઓ ફેલાઈ જશે. અફલાતુન ધ્યાન ધરશે અને માળાના મણકે મણકે ભારતીય ધર્મપ્રણેતાઓનાં મનગમતાં નામ જ પશે. હરેકૃષ્ણની ધૂન મચાવતી મંડળીઓએ મુંબઈમાં પ્રવેશ કરી દીધો છે. દરેક ધર્મના પુણ્યશાલી ગણાતા સંતેમાંના એકાદ બેને ઉચ્ચ કક્ષાનું માન આપીને ભેળવી દઈને, તેમની પાસે અનેક ગેરાઓ સમૂહમાં -દીક્ષા લે અને એ સાધુસંસ્થામાં પ્રવેશ કરી પગ પહોળા કરે એવી અનેક તબક્કાઓ સાથેની એજના ખૂબ જ ટૂંકા સમયમાં અમલી બનશે. આમાંને પહેલે તબક્કો પૂર્ણ થયો હોવાથી દરેક ધર્મના આગેવાનોમાં એક, બે કે પાંચ અમીચંદે તૈયાર પણ થઈ ચૂક્યા છે. કામચલાઉ દીક્ષા, ફાવે તેને દીક્ષા, સબ ભૂમિ ગોપાલકી, સબ સમાનતાનો વાદ, વગેરે વગેરે શસ્ત્રો અત્યંત ઘાતકી પુરવાર થવાનાં છે. હિંદુ પ્રજા સાથે હજારો વર્ષોથી અવિભક્ત રહેલા જૈનધર્મ પાળતા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૯ હિંદુઓને હવે હિંદુ તરીકે મટાડી દેવાયા છે. વસતિપત્રકમાં ધર્મનું જ ખાનું મૂકીને, અને પ્રજાનું ખાનું ઉડાડી મૂકીને એક ભયાનક શસ્ત્ર ફૂંકાઈ ગયું છે. આથી હિન્દુ એ પ્રશ્ન હતી એને બદલે હિન્દુ એ ધ બનશે, આમ વિશ્વની અત્યંત ખળવાન હિંદુ' નામની પ્રજા શાબ્દિક ફેરફાર માત્રથી નાબૂદ થશે. અને જૈન એ ધર્મ હતા તે હવે સમાજ ગણાશે, વિશ્વના તખ્ત ઉપરથી ‘ જૈન ’નામના ધર્મ નાબૂદ થઈ જશે.. " કેટલી ભયાનક મુત્સદ્દીગીરી ! આવાં હારેરા શસ્રા સાથે હિન્દુ સસ્કૃતિના નાશ દ્વારા હિંદુ પ્રશ્નનો નાશ કરવાનું ખૂનખાર યુદ્ધ આ પળે પણ ચાલી રહ્યું છે. હિંદુ પ્રજાજન પાતે જ પેાતાને આ શસ્ત્રથી મારી રહ્યો છે. કહે!, આવું જગત દર્શન કેટલાયે કયુ છે? જો આટલી હદ સુધી વણસી ગયેલી સ્થિતિના ખ્યાલ આવી જાય તેા કાઈ પણ. હિંદુપ્રજાજનને ખાવું પણ ભાવે ખરું? ગળેથી કાળિયા ઊતરતાં ડચૂરા ન. થાય શું? રે નીંદ હરામ ન થઈ જાય શું ? એક બાજુએ આ બધાં શસ્ત્રોથી સંસ્કૃતિ અને પ્રાજાને ખાતમા મેલાવાઈ રહ્યો છે તેા ખીજી બાજુએ આ દેશની ધરતીને સમૃદ્ધ બનાવાઈ રહી છે. એ જ ગારી પ્રજા ત્રાની ભેટ કરે છે, પેાતાના. ઇજનેરાની મફત સેવા આપીને પણ ઉદ્યોગા અને ઉદ્યોગનગરા બાંધી આપે છે. અઢળક નાણું આપે છે, વ્યાજ વગેરે બાબતેામાં વિપુલ સવલતા આપે છે. આ બધી સગવડા મળવાને કારણે દેશની ધરતી અવશ્ય આબાદ. અનતી જતી જોવા પણ મળે છે, કેટલાય હારા માઈલેાના આસ્ફાલ્ટ રાડ બંધાયા, હારી એકર જમીન ઉપર ઉદ્યોગા ધમધમી ઊઠવા, લાખા એકર જમીન ખેતીલાયક બની ગઈ, અઢળક પાણીથી ડેમ છલકાયા અને બારમાસી ખેતીની પેદાશ ચાલુ થઈ ગઈ. અર્ધદગ્ધવિચારક, એકલે સ્કાલર કે યુનિવર્સિટીનું ભણાવેલું જ ભણી ગયેલા માણસ આ બધાયમાં આબાદીનાં જ દર્શીત કરવાના...હું પણ એમાં આખાદીના જ દન કરું છું. માત્ર ફરક એટલા જ પડે છે કે પેલા હિન્દુપ્રજાની આબાદી જુએ છે જ્યારે હું ગેારી પ્રજાની આબાદી જોઉં છું. આમાં મારું દન સાચું છે એમ કહેવા માટે મારી પૂર્વે રજૂ કરેલાં પૂરતાં કારણેા છે. આપણી સંસ્કૃતિ અને પ્રજાના જો વિનાશ જ મેાલાવાઈ રહ્યો હાય તા આબાદ બનતી આ દેશની ધરતી, એ ગારી પ્રજાની આબાદી માટે જ ગણવી ને ? આપણા સંપૂર્ણ વિનાશ થયા બાદ એ લેાકાનાં ધાડાં અહીં ઊતરી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પડશે અને તૈયાર એવા ભાણા ઉપર જમવા બેસી જશે. જે આના હૈયામાં આ વાત બરાબર ઠસી ગઈ હશે કે દેશ કરતાં પ્રજા મહાન છે, સૌંસ્કૃતિની રક્ષા કાજે પ્રજાએ પેાતાનુ બલિદાન દેવું ધર્ટ અને પ્રજાની રક્ષા કાજે દેશને ખાઈ નાખવામાં કશું અજૂગતું ન ગણાય,' તે આ, અવળા વહેતી ગ ંગાનુ" દર્શીત કરતાં જ દિલ્ મૂઢ થઈ જશે. દેશને જીવતા રાખવા માટે પ્રજાના નાશ માટે સસ્કૃતિના વિનાશ! જેના લેાહીમાં આયત્વના થાડા પણુ ધબકાર હશે, જેને આ દેશમાં જન્મ પામ્યાની ખુમારી હશે, એ આ આ બધી વાતા જણ્યાસાંભળ્યા પછી નખ-શિખ સળગી ઊઠે તેમાં લેશ પણ નવાઈ પામવા જેવું નથી. એનુ લેાહી ઉકળી જાય કે એના અંતરમાં કાઈ ભાવાવેષભર્યાં ઉકળાટ વ્યાપી જાય તેમાં કશું ય આશ્ચય નથી. હા...જે સ્થિતિ મારી છે, એવી જ કદાચ એની પણ થાય. આ તા આપણે જગદ્-દન કર્યું. હવે જગત્પતિની ઓળખની વાત કરું. . વેં. શુ. ૧૦ મના દિવસે જેમની સાડા બાર વર્ષની ઘેાર સાધના પૂર્ણ થઈ, એ દિવસે જ પરમકૃપાલુએ વિશ્વહિતકર શાસનની સ્થાપના કરી, આ સંસ્થાને સુંદર રીતે ચલાવવા માટેના કાયદા-કાનૂન સ્વરૂપ વિધિ, નિષેધાત્મક શાસ્ત્ર! જેમણે શ્રી ગણધરભગવ તાના આત્મામાં ત્રિપદી પ્રદાન દ્વારા પ્રગટ કર્યાં, એ શાસન નામની સંસ્થાના કાર્ય વાહકો રૂપે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધની જેમણે સ્થાપના કરી, સસ્થાના યાગક્ષેમ માટે જરૂરી સાત ક્ષેત્ર સૌંપત્તિની વ્યવસ્થા પણ જેમણે કરી આપી અને સ` જીવાને આ સંસ્થા દ્વારા મેક્ષ પામવાના ધમ પણ જેમણે બતાડચો એ ત્રિલેાકનાથ, તીથ કર પરમાત્મા મહાવીર પરમાત્માને હજી આપણે સહુ ઠીક ઠીક રીતે આળખી શકા છીએ ખરા? મને તેા શંકા છે. આ પરમાત્માનુ” લેાકેાત્તરઐશ્વર્યાં, એમનું સર્વોચ્ચ વિભૂતિ, એમની વિરાટ શક્તિઓનું, એમનુ વીતરાગત્વ અને સત્તત્વ, એમની સાહજિક વિશ્વકલ્યાણકારિતા વગેરે જો ખૂબ સારી રીતે સમજાઈ જાય, જો એમણે સ્થાપેલા શાસનનુ મૂલ્ય અંતરમાં ઠેસી જાય, પરમાત્માએ પ્રકાશેલાં શાસ્ત્રાના સુસૂક્ષ્મ પદાર્થોના જો સુંદર ખેાધ થઈ જાય, એમના લેાકેાત્તર માગની કઠાર આરાધના કરતાં શ્રમણવર્ગના જીવનની સથા સુંદર સધળી બાજુઓનુ દર્શન થઈ જાય, પરમાત્માએ દાખવેલી મેક્ષ મા` સાધક પ્રત્યેક ક્રિયાએ પ્રત્યે જો ગૌરવ ઉત્પન્ન થઈ ય તેા તે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જય પળે અહેાભાવથી શિર ઝૂકી જાય, જિનેશ્વરાને, જિતના શાસનને અને એ સહિતકર શાસનનાં સર્વ અગેાને. અંતર પાકારી ઊઠે, આના જેવી મૂલ્યવાન વસ્તુ જગતમાં કાઈ નથી. જો આ શાસનપતિ અને તેમનુ શાસન મને ન મળ્યાં હાત તા નર્યા અંધકાર એકતી દુઃખ અને પાપની અમાવાસ્યાની રાત્રિ સમી આ ધરતીએ હું સદા અથડાતા–ટિચાતા હૈાત ! ' એક જ ઇચ્છા છે, સહુ શાસનપતિને ઓળખી લે, શાસનને સમજી લે, દ્વાદશાંગીના સૂક્ષ્મ તત્ત્વાનાં રહસ્યાને હસ્તસાત કરી લે. બસ...પછી મારે કાંઈ જ કહેવું નથી, કહેવું પડશે પણ નહિ. એ શાસનપ્રેમી પોતે જ, શાસન ઉપર આવતાં ઉપરાસ્ત આક્રમણેાની સામે એકલવીર, બનીને લડશે. વિરાટ સેનાનું સર્જન કરશે. એ સત્ર ફરશે, ધરતીના કણ-કણને ખૂંદી વળશે, ઘટઘટમાં શાસનની સ્થાપના કરશે. શાસનપતિના નામના જય જયકાર મચાવશે. વિજ્ઞાનના તકવાદી અને કુતર્ક વાદી યુગમાં શાસ્ત્રોનાં સૂમ તત્ત્વને ન્યાયની તાર્કિક ભાષામાં સમજાવવાનું કામ ઘણું કપરું છે. એટલે જ જ મનમાં વિચાર ઝબકી ગયા કે તેા પછી એ સૂક્ષ્મ તત્ત્વાના પ્રકાશક શાસનપતિની સત્યવાદિતાને જ સાખિત કરી આપું. તે ? વૈજ્ઞાનિકા ઉપર તે! ઘણાને કૂણી મમતા છે જ ને? એનેા જ લાભ કેમ ન ઉઠાવવા ? વિજ્ઞાનની વાતાથી જ કેટલાંક તત્ત્વોને સિદ્ધ કરી આપીને જગત્પતિનું સત્યવાદિત્ય સ્થિર કરી દઉં તેા જગત્પતિ ઉપર કેવા અપાર વિશ્વાસ સહુને બેસી જાય ? એમના પ્રકાશેલા શાસ્ત્રના પ્રત્યેક અક્ષર ઉપર કેવી નિષ્ઠા જામી જાય ? નાસ્તિકતાના હિમપર્વત કેવા ઝપાટાબ ધ ઓગળવા લાગી જાય ? ડૉક્ટર ઉપર વિશ્વાસ જામી ગયા ખાદ કી કાઈ માણસ એ ડાકટરે સૂચવેલી ઔષધી માટે તર્ક વિતક કરે છે ખરા? એ દવાની ખાટલી ઉપર ‘Poison' લખ્યું હેાય તેાય ? તેા હું પણ શા માટે ૫૦૦, ૧૦૦૦ સિદ્ધાંતાની સચાટ સત્યતા પુરવાર કરી આપીને એના પ્રકાશક શાસનપતિ તીર્થંકર ઉપર પરિપૂર્ણ વિશ્વાસનું પ્રદાન કેમ ન કરાવી દઉં ? પછી એ પરમકૃપાળુનાં પ્રકાશેલાં સત્યેાને સમજવા માટે ત કરવાની અને બુદ્ધિ લડાવવાની જરૂર જ નહિ જણાય. જો સમ્યગ્દર્શન આવી જાય તે। સભ્યજ્ઞાન આપમેળે જ આવી જાય ને? ચાખા બરાબર ચડવા છે કે નહિ તે નક્કી કરવા માટે ગૃહિણી ચાર જ દાણા ચાંપીને આખી તપેલીના નિચ કરી લે છે ને ? આ ન્યાય અહીં કેમ લગાડવા ? Page #15 -------------------------------------------------------------------------- ________________ - ૧૨ શાસનપતિ પરમાત્મા ઉપર અફાટ ભક્તિ ઉત્પન્ન કરવાની જેમ આ જ | સરળ માર્ગ છે, તેમ શ્રેષ્ઠ માર્ગ પણ હાલના તબકકે આ જ છે. • સહના અંતરમાં શાસનપતિ પરમાત્માની મંગલ પધરામણું થઈ જાય, સહને એમના શાસન પ્રત્યે અપાર પ્રીતિ જાગી જાય પછી આપણે સૌ વર્તમાન ભીષણ યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને કેટલાંક મંતવ્ય નિશ્ચિત કરીએ કે – ૦ સહુસહુના આર્યધર્મમાં સ્થિર બની રહે. ૦ પાશ્ચાત્ય જીવનપદ્ધતિને સહુ દફનાવો. ૦ પાશ્ચાત્ય વિચારસરણીને સહુ દૂર કરો. ૦ વર્ણવ્યવસ્થાને ધિક્કારવાની વાતમાં કઈ સામેલ ન થાઓ. ૦ સંતશાહીનાં ઉત્તમોત્તમ મૂલ્યોને સીધી કે આડકરી રીતે તોડી પાડતી કોઈ પણ પ્રવૃત્તિને જરા પણ સાથ ન આપો. 9 પ્રાચીન ગૌરવવંતી પરંપરાઓના સહુ ચુસ્ત હિમાયતી બની રહે. ૦ જૈનત્વની ખુમારી ઘટઘટમાં સ્થાપ. રત્નત્રયીને અને તત્વત્રયીને સદા શિર ઝુકા. ૦ જમાનાવાદનાં જૂઠાણુઓને સખ્ત રદિયો આપો. એકતાને બદલે એકસંપીની વાતને જ સાથ આપે. ૦ મુગ, પ્રગતિના જુઠથી સદા છેટા રહે. ઘાતકી સુરંગેની જાળને છેદી–ભેદી નાખવા માટે આપણે આટલું જરૂર કરીએ. ત્યાર બાદ ત્રિલોકનાથ જગત્પતિ તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી આજ્ઞાથી પ્રતિબદ્ધ જીવન જીવવાનો દઢ સંકલ્પ કરીએ અને શકય એટલું પાલન કરીએ. આજ્ઞાપ્રેમી બનીએ, અને કોને આજ્ઞાપ્રેમી બનાવીએ. સુવિશુદ્ધ આજ્ઞાપાલનમાં જ પેલાં ભેદી અને ભયાનક આક્રમણોનો વિનાશ કરવાની પ્રચંડ શક્તિ પડેલી છે એ વાત આપણે કદી ન વીસરીએ. આ સુવિશુદ્ધ આજ્ઞાપાલન પણ આજ્ઞા પ્રત્યેના ભારોભારના બહુમાનથી જ આવે અને આજ્ઞા પ્રત્યે એવું બહુમાન ઉત્પન્ન કરવા દેવા માટે જ આ પુસ્તક છે. ચાલો ત્યારે શરૂ કરે એનું વાંચન...ઉત્પન્ન કરે આજ્ઞા બહુમાન...અને પાલન કરવા લાગી જાઓ સુવિશુદ્ધ આજ્ઞાઓનું. એથી નિષ્ફળ બનશે ભેદી આક્રમણે અને સફળ બનશે મેઘેરું માનવજીવન. સમગ્ર વિશ્વના સર્વ જીવોઃ એકબીજાના મિત્ર બનીને જીવો અને અન્યને જીવવા દે. પ્રાચીન - આર્યપરંપરાનાં ગૌરવોને પોતાના સ્વાર્થ ખાતર કોઈ હાનિ ન પહોંચાડો. સર્વ ત્રિલોકગુરુ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવનું શાસન અબાધિતપણે પ્રવર્તે. ૨૦૨૬, ધનતેરસો. ધ્રાંગધ્રા મુનિ ચન્દ્રશેખરવિજય Page #16 -------------------------------------------------------------------------- ________________ 聽歌默默默默默默默默 1 : 1 架平平平平平泰太太香太泰泰太太太太太 器平平平平平平平平平平平平平平平平平平平 અપૂણુ વિજ્ઞાન અને પૂણું તત્વજ્ઞાન 器XXXXXXXXXXX Page #17 -------------------------------------------------------------------------- ________________ અગણિત વંદન, જિનાગને મહામંગળકારી પરમ પવિત્ર શાસ્ત્રગ્રન્થનું અધ્યયન એક મુનિવર કરી રહ્યા છે. એમના મુખ ઉપર થોડી થોડી વારે કેઈ અપૂર્વ "આનંદની લહરી ફરી વળે છે. કોઈ વાર એ મુખાકૃતિ ગંભીર બને છે, તે ક્યારેક વળી કેક ઊંડા ચિંતનમાં ગરકાવ થઈ જતા આત્માનું શૈર્ય પિતાનામાં દર્શાવે છે. - આનંદઘનની મસ્તીમાં મુનિવર ગળાડૂબ ડૂબેલા જણાય છે. જ્ઞાનગંગાની રસલ્ટમાં ઓતપ્રેત જણાય છે. શેડી વાર થઈ. આનંદ અને ગામ્ભીર્યના મિશ્રભાવ સાથે મુનિરાજ એકદમ મોટેથી બોલી ઊઠ્યા, “અરે! અરે ! આવા ભયંકર કળિકાળમાં અમારા જેવાની શી મજાલ હતી કે કાળના એ મલિન પ્રભાવથી અમે જરાય ન ખરડાઈએ! સ્થિતપ્રજ્ઞ બની રહીએ! જજે....આ જિનેશ્વરદેવના આગમનું જ્ઞાન અમને ન મળ્યું હતું તે હું કલ્પના પણ કરી શકતું નથી કે મારા જેવા અનાથનું જીવન કેટલી હદ સુધી રફેદફે થઈ ગયું હોત !' ૨ ઃ રથ સારા પાળ દૂનિફોરવૂતિ हा अणाहा कह हुंता जइ ण हुँतो जिणागमो॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ અગણિત વંદન જિનાગોને ભગવાન મહાવીર સ્વામીજીના નિર્વાણ પછીના દસમા સૈકાની આ વાત છે. ઉપરના શબ્દ સ્વગત બેલનાર પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી છે. એક વખતના બ્રાહ્મણ પુરોહિત. જૈન ધર્મના કટ્ટર વી. એટલે સુધી આગળ વધીને પિતાને એ છેષભાવ વ્યક્ત કરતા કહેતા કે, “ગાંડોતુર બનીને કોક હાથી રાજમાર્ગ ઉપર દેડ્યો જતે હોય, લેકે નાસભાગ કરતા હોય તે વખતે પ્રાણ બચાવવા માટે પણ જિનમંદિરમાં તે ન જ જવું. બહેતર છે કે તેના કરતાં તે હાથીના પગ તળે ચગદાઈ જવું.” રાજમાન્ય પુરોહિત હરિભદ્રને જિનધર્મ પ્રત્યે આટલે દ્વેષ હતા. એક વાર અચાનક પોતાને જિનમંદિરમાં જવાનું થયું. બન્યું હશે કેઈ નિમિત્ત. અને ત્યાં જોઈ ભગવાન જિનની મૂર્તિ. પુરહિત હરિભદ્રને એ મૂર્તિમાં વીતરાગતા, પ્રસન્નતા વગેરે કાંઈ જેવા ન મળ્યું. એણે તે જોઈ જિનના દેહની હુષ્ટપુષ્ટતા! અને ખડખડાટ - હસી પડતાં એ બોલ્યા, વાહ રે ! તારી વીતરાગતા ! રે ! આ હષ્ટપુષ્ટ તારે દેહ તે સૂચવે છે કે તું અવશ્ય પદ્દાનેનાં ભજન ‘હાવતે હવે જોઈએ. ખરેખર તું તપસ્વી હોય તે તારે દેહ આવે અલમસ્ત હોઈ શકે જ નહિ. જે વૃક્ષને કેટરમાં અગ્નિ મૂક્યો હોય તે વૃક્ષ કદાપિ લીલુંછમ રહી શકે ખરું?” જે દ્વેષ હતે હરિભદ્રને જિનધર્મ ઉપર, તેવું જ અભિમાન હતું પિતાને પાંડિત્યનું. માટે તે પેટે પાટા બાંધીને એ ફરતે અને કેઈ તેનું કારણ પૂછે તે કહે કે, જ્ઞાન એટલું બધું વધી ગયું છે કે હવે પેટ ફાડીને તે ક્યાંક બહાર નીકળી ન જાય એ ભયથી પેટે પાટા બાંધે છે” બેશક, હરિભદ્ર ચૌદ વિદ્યાને પારગામી પુરેહિત હતે. એની २ : हस्तिना ताडयमानोऽपि न गच्छेज्जिनमंदिरम् । ३ : वपुरिदं तवाऽऽचष्टे स्फुट मिष्टान्नभोजनम् । न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्बलः ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ, કક્ષામાં ઊભે રહી શકે એ એક પણ બ્રાહ્મણ વિદ્વાન એ સમય. ન હતું. પણ હરિભદ્રને એના પાંડિત્યનું અજીર્ણ તે જરૂર થયું હતું. ગમે તેમ હોય, પણ એ પાંડિત્યને ગ” જ એને મગજમાં એક વાત દઢતા સાથે બેસી ગઈ હતી કે જગતમાં એવું કોઈ શાસ્ત્ર નથી, એ કઈ શબ્દ નથી જેને ભાવ એ ન સમજી શકતે. હોય. આથી જ એણે પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈ તેવું એકાદ પણ શાસ્ત્રવચન મારી બુદ્ધિથી અણઊકલ્યું જોવા મળશે તે તેને અર્થ ઉકેલી આપનારને હું આજીવન દાસ બની જઈશ. આ પ્રતિજ્ઞાએ જ પુરેડિત હરિભદ્રને, મુનિ હરિભદ્ર બનવવામાં માટે ફાળે આપે; એણે જ એને જિનધર્મના કરવી. મટાડીને જિનધર્મના ઝંડાધારી બનાવ્યા; સ્વનું કારમું અહિત કરતા અટકાવીને, અગણિત આત્માઓને મુક્તિપંથના મહાયાત્રી બનાવ્યા. - એક વખતની વાત છે. દિવસનો સમય હતે. સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં એક સાધ્વીજી ક્ષેત્રસમાસ નામના ગ્રન્થને મુખપાઠ કરતાં હતાં. એમાં એક લેક વારંવાર બેલતાં તેમને હરિભ સાંભળ્યાં. અરે ! આ શું બેલે છે? શું આને અર્થ? ઘણું મહેનત કરી, પણ ન જ સમજાયું. ઉપાશ્રયમાં ગયા. સાધ્વીજીને હાથ ડી એ લૅકને અર્થ સમજાવવાની વિનંતિ કરી. સાધ્વીજીએ તરત કહ્યું, “એ કામ મારું નહિ. જાઓ, અમારા આચાર્ય ભગવંતની પાસે. તે જ તમને સુંદર રીતે આ કલેકને અર્થ સમજાવશે.” અર્થધ ન થાય ત્યાં સુધી વિદ્યાવ્યાસંગી હરિભદ્રને હવે ચેન પડે તેમ ન હતું. હરિભદ્ર આચાર્યશ્રીની પાસે ગયા. પવિત્રતાના મૂર્તિમાન પુંજશા આચાર્યશ્રીને જોઈને જ હરિભદ્ર થીજી ગયા! એજસનું સરવરિયું છલકાયું હતું મુખ ઉપર; સર્વધર્મ માધ્યસ્થભાવ રેમરોમમાં પરગમી ગયેલે દેખાતું હતું, જિનધર્મનાં શુદ્ધ સત્યને પામ્યાનું ગૌરવ તે સમગ્ર અંગને જાણે Page #20 -------------------------------------------------------------------------- ________________ અગણિત વંદન, જિનાગામોને આલિંગી રહેલું જણાતું હતું. પ્રસન્નતાને તે સાગર એમનાં જ નયનમાં ઊમટ્યો હતે. એ ભીમ પણ જણાતા હતા તે બીજી બાજુથી કાન પણ દેખાતા હતા; એમની બહુમુખી પ્રતિભાને જોઈને - હરિભદ્ર દંગ થઈ ગયા! અભયની સાક્ષાતમૂર્તિને એ મને મન નમી ગયા! પાવિત્ર્યની એ અખંડિત પ્રતિમાને જોતાં જ એમનું શિર ઝૂકી ગયા વિના ન રહી શકયું. પ્રસન્નસ્મિતના ઓઘ વેરતા આચાર્યશ્રીએ કલ્યાણકારિણી આશિષ આપી. વિનીતભાવે બેસીને હરિભદ્રે પેલા લેકનો અર્થ જણાવવા વિનંતિ કરી. પરાર્થમૂતિ આચાર્યશ્રીએ અપૂર્વ વાત્સલ્ય દાખવીને એ લેકનો અર્થ સમજાવ્યું. બ્રાહ્મણ પુહિતને એ વખતે તે એમ જ લાગી ગયું કે પોતે સાચે જ આજે એક વાત્સલ્યમયી માતાની હૂંફ પામી રહ્યો છે. કદાચ આવી હૂફ ક્યારેય ન મળી હોય. અને નાનકડા બાળની અદાથી હરિભદ્રે એ અર્થ સાંભળે. આજે એને અહં ચૂર ચૂર થઈ ગયા હતા. એ સાવ જ બાળ બની ગયું હતું અને તેથી જ લેટી ગયે વાત્સલ્યમયી ગુરુમાતાની ગેદમાં....એના ચરણેમાં! એણે કહ્યું, “ભગવન, મને દીક્ષા આપ આપના શિષ્યત્વની. મને સ્વીકારો આપના બાળ તરીકે! મારી પ્રતિજ્ઞા છે, મને ન સમજાયાને જે બેધ આપે તેને શિષ્ય થાઉં !' અને...કરુણાની ખળ ખળ વહી જતી ગોત્રી સમી વાણીના ગંભીરનાદે કરુણામૂતિ આચાર્યશ્રીએ ભવરાનમાં ભાન ભૂલ્યા એક આત્માને ઉદ્ધાર કર્યો ! અહંની એક મૂતિને ખંડિત કરી નમ્ર તાની નમણી પ્રતિમાનું સર્જન કર્યું. હરિભદ્ર બ્રાહ્મણ પુરોહિત મટીને મુનિવર હરિભદ્ર બન્યા. - આચાર્યશ્રી પાસે શિક્ષા પામીને આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. ભગવાન જિનના પરમભક્ત બન્યા. એમના તત્વજ્ઞાનને પીને પચાવી Page #21 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ જ હતા. ન હલબલી જર્મના કર. થાત ? ચૂકેલા અવધૂત જ્ઞાનગી બન્યા. એમની આજ્ઞાને અખંડિત રીતે જીવનમાં ઉતારીને કર્મઠ બન્યા. આચાર્ય હરિભદ્રસૂરિ ભક્તિગ, જ્ઞાનયેગ અને કર્મયોગના ત્રિવેણી સંગમનું તીર્થધામ બન્યા. એમને એક વાર આ વિચાર , જે આ જિનાગમ. અમને પ્રાપ્ત ન થયું હોત તે અમે અનાથ હતા. નિરાધાર હતા. હાય! હડહડતા આ કળિયુગમાં અમારું શું થાત ?' એક વખતના જિનધર્મના કટ્ટરષીના અંતરમાં એવું તે કયું તત્વજ્ઞાન હલબલી ગયું, જેણે આ પુકાર કરાવ્યો ! એ મસ્તિષ્કમાં એવી તે કઈ અણપ્રીછી શક્તિને પ્રાદુર્ભાવ. થ, જેણે જિનાગમ તરફ અભૂતપૂર્વ આદરભાવ જન્માવી દીધું ! એ આંખેએ જિનાગમમાં એવું તે શું વાંચ્યું કે જેથી આચાર્ય હરિભદ્રસૂરિજીને એના વિરહમાં પિતાની અનાથતાનું ભાન. થઈ ગયું! પશ્ચાત્તાપના પાવક મહાનલને જન્મ દેતી એવી તે કયી ચિનગારી જિનાગમમાં પડી હશે? અહંની શિલાને ચૂર ચૂર કરી નાખતું એવું તે કયું શસ્ત્ર કે અસ્ત્ર ત્યાં પડ્યું હશે? કટ્ટર દ્વેષની આગોને ઠારી દેતી એવી તે કયી આકાશગંગા ત્યાં ઊતરી પડી હશે? આ આશ્ચર્યજનક પ્રશ્નો છે. આને જવાબ શો ? ઉકેલ છે? સમાધાન શું? આચાર્ય હરિભદ્રસૂરિજીને ચૌદ વિદ્યામાં પારગામી બન્યા પછી પણ જે જોવા-સમજવા ન મળ્યું તે બધું ય જિનાગમમાં મળી ગયું! શું બ્રાહ્મણ વિદ્યાના પારગામી બન્યા પછી પણ અનાથતા! એટલું જ્ઞાન મેળવ્યા પછી પણ નિરાધાર દશાની કલ્પના! અને Page #22 -------------------------------------------------------------------------- ________________ અગણિત વંદન, જિનાગને જિનાગમને પામ્યા પછી જ નાથ મળ્યાનું–આધાર મળ્યાનું સંવેદન એવું તે શું હશે જિનાગમમાં ! એવું તે શું છે જિનાગમમાં! –કે જેણે એના કટ્ટર હેપીને નમાવી દીધે! રડાવી દીધા અનાથતાનું ભાન કરાવીને સનાથ બનાવી દીધે! વિચાર કરતાં એમ સમજાય છે કે જિનાગમનું અધ્યયનમનન કરતા આચાર્ય હરિભદ્રસૂરિજીને એની પરમશુદ્ધ-સત્યતાનું ભાન થઈ ગયું હોવું જોઈએ. ક્યાં ય પણ વિરોધ નહિ, ક્યાં ય પણ પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા નહિ. સર્વત્ર સ્વ-પરના હિતની જ વાત સર્વત્ર અભયની જ સાધનાનું નિરૂપણ સર્વત્ર પવિત્ર—તાની રક્ષા ઉપરને જ ભાર. આ બધું ય એમના દિલને જરૂર પશી ગયું હોવું જોઈએ. જે બીજે ક્યાં ય એમને જોવા ન મળ્યું તે બધું ય જિનાગમમાં મળ્યું. પ્રત્યક્ષ અને પક્ષ પદાર્થો અંગેનું અત્યંત યુક્તિયુક્ત વચન એમના દિમાગને હલાવી ગયું. ચતુર્દશ વિદ્યાનું પાપગામિત્વ પણ એમને અધૂરું જણાયું. એ બધું તે ઠીક, પણ વધુમાં વધુ તે જિનાગમનું તર્કબદ્ધ અને સત્યપ્રતિષ્ઠ નિરૂપણું જ તેમના ચિત્તને ચમકાવી ગયું હોવું જોઈએ. અને તેથી જ તેમને એમ લાગ્યું તેવું જોઈએ કે જે આ મૌલિક તની સૂઝ ન થઈ હેત તે પેલી અવળી સૂઝે તે અમારા જીવનનાવને દુર્ગતિના ખડકોએ અથડાવી મૂકયું હેત. પૃથ્વી આદિમાં જીવની માન્યતા જ જ્યાં નથી ત્યાં તેની હિંસા શું અને અહિંસા શું ? એ અજ્ઞાન તે કેટલાય જીને કચ્ચરઘાણ બોલાવી દે! Page #23 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ લીલકૂલ સેવાળમાં અનંત જી હોવા છતાં જેને જીવવિહીન જડ માનીને, કહેવાતા ઉપાવાસેની તપશ્ચર્યાને પારણે નિશક રીતે મેજથી ખાવામાં આવે ત્યાં અનંત જીવેનાં જીવનની કેવી કરુણ જ્યાફત ઉડે! યજ્ઞયાગમાં પશુધને પણ ધર્મ માને ત્યાં અધમ જેવું નામ કેને અપાય? એ જિનાગમે જ પૃથ્વી આદિમાં પણ જીવસૃષ્ટિ જણાવીને એને પણ અભય આપીને સ્વયં અભય બનવાની આરાધના બતાડી. પશુઓને પણ જિવાડીને એમની દુઆ લઈને જીવનને સુખી બનાવવાની ચાવી આપી. માટે જ એ બેલી ઊડ્યા, “એ પરમ સત્યસ્વરૂપ જિનાગમને અનંત નમસ્કાર હે! જિનાગમ વિના અમે ખરેખર અનાથ હતા" આ જ હશે, અથવા આવું જ હશે આચાર્ય હરિભદ્રસૂરિ જીનું મને મંથન. આ મંથને જ પોતાને જિનાગમ વિહેણું જીવનને અનાથ કહેવડાવ્યું હશે. એણે જ જિનાગમની પ્રાપ્તિમાં પિતાને સનાથ સમજાવીને જગતની તમામ ભૌતિક ઐશ્વર્યવિહાણ દશામાં પણ એ એશ્વર્યોને ય શૂ કરવાની લેકેત્તર તાકાત બક્ષી હશે. હવે પ્રશ્ન થાય છે કે જિનાગમના જાણકારોને એવું કંઈ સંવેદન ક્યારે પણ થયું છે ખરું ? એના વિનાનું જીવન એ અનાથતાનું દીન-હીન જીવન હોય એવી સભાનતા આપણા ચિત્તમાં સતત જળવાઈ રહી છે ખરી? જેને જિનાગમ મળ્યું છે, એને જગતનું સર્વસ્વ મળ્યું છે; અપૂર્વ નિધાન મળ્યું છે, એ ભાસ ક્યારે પણ થયું છે? અને તેથી ક્યારેક કશુંક ન મળે ત્યારે દીન બનવાને બદલે જિનાગમ મળ્યાની સનાથલાનું ગૌરવ લીધું છે ખરું? કશુંક વધુ મળી જાય ત્યારે તેમાં પાગલ થવાને બદલે તેને ય ઘૂ કરવા જેવી તાકાત મેળવી લીધી છે ખરી? થયું એની સભાનતા કર્યું છે, એને Page #24 -------------------------------------------------------------------------- ________________ અગણિત વંદન, જિનાગમેાને [૯ જો હા, તે ખૂબ આનંદની વાત. જો ના, તે તે ખૂબ જ દુઃખની ના ગણાય. જિનાગમ મળવા માત્રથી સનાથતાનું ભાન થતું નથી. એને તે મેળવીને પચાવી જાણુવુ. જોઈએ. એમાં ખીચાખીચ ધરાચેલાં અગણિત સત્યાને સ્પર્શીવાં જોઈએ. એનામાં સત્ર હાઈ ગયેલી પરધમ સહિષ્ણુતાની ભાવનાને આંખે આંખ નિહાળવી જોઇએ, એનામાં રહેલી સંવાદિતાને નિહાળવી જોઈએ. અક્સાસની વાત તે એ છે કે આધુનિક યુગમાં અર્થ અને કામની પ્રાપ્તિ પાછળ માનવ એવા ઘેલા બન્યા છે કે એની ખાતર એણે પાતાનું તન નીચાવી નાંખ્યુ છે. મીઠું વેરી દીધુ છે, મગજ ધાઈ નાખ્યુ છે, જીવન બરબાદ કર્યું છે, અમૂલ્ય સમય વેડફી નાખ્યા છે. આટલું બધું કર્યા પછી પણ ભયાનક રાગેાએ એને પીછા પકડયો છે. શું હજી રાગાને એ નિવારી શકાયા નથી? ઘડપણ એની પાછળ જ દોડી આવ્યુ છે. હજી એને ટાળી શકયો નથી ? માત એના માથે લટકી રહ્યું છે, હજી એ ભય દૂર ભગાવી શકયો નથી ? એટલે આ ત્રણેય--રાગ, જરા અને મરણ ધસી આવીને એના જીવનના બધા દાવ નિષ્ફળ કરી રહ્યા છે. માનવની આ તે કેવી કરુણતા કે એણે આ બધુ મેળવ્યું છે છતાં એ બધું ય—રાગૈા ( Disease ), જરા (Deacy ) અને મૃત્યુ (Death )ના સપાટા વીઝતાં જ નકામુ ખની જાય ! એના એક જ ઝપાટે એકાએક બધું મૂકી દેવું પડે ! જેની ખાતર જીવનની ખેતી કરી નાખી એ બધુ ય અંતે મૂકી દઈને કચાંક ચાલ્યા જવાનું; જ્યાં કોઈ સ્વજન નથી, કઈ મકાન નથી, કેાઈ સ્થાન નથી ! Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦] વિજ્ઞાન અને ધર્મ એક તે આ મેટી બરબાદી! અને બીજુ જીવનની એ અમૂલ્ય સંપત્તિ, એ અમૂલ્ય સમય, અને એ બહુમૂલ શારીરિક શક્તિબધાયને–જે સત્ય મેળવવા પાછળ ઉપયોગ કરી નાખવાને હવે તેમાંનું કાંઈ જ ન કર્યું! માનવજીવન શું વસ્તુ છે? જીવનનું કર્તવ્ય શું હેઈ શકે ? અહીંથી ક્યાં જવાનું છે? સુખ શામાં છે? શાન્તિ ક્યાં છે? વગેરે આ જીવનના પ્રાણપ્રશ્નોને એણે બુદ્ધિથી જરાય મૂલવ્યા પણ નહિ ? આ જ તે એના જીવનનાં આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે ને ? જુવાનજોધ કરે એકાએક હાર્ટ ફેઈલર થાય છે જે આ જગતનું આશ્ચર્ય ગણતું હેય તે એની પાછળ કામ કરતાં અને એ વખતે પણ નજરમાં લાવવાની લાચારી બતાડવી એ તે આશ્ચર્યોનું પણ આશ્ચર્ય કહેવું પડશે. એકાએક એક જ રાતમાં એક ભિખારી જે માણસ લક્ષાધિપતિ બની જાય છે જે આશ્ચર્યની બીના ગણાતી હોય તે તેની પાછળ કામ કરતાં પરિબળની વિચારણા માટે માનવનું મસ્તિષ્ક લાપરવા બને અને આશ્ચર્યોનું પણ આશ્ચર્ય ગણવું પડશે. માનવ આજે લાપરવા બને છે; પિતાના અંતરાત્માથી પિતાના ઘરથી. એ પરદેશમાં જઈને વસ્યા છે. કાલે આકાશમાં જઈને મથકે બાંધશે, પણ ગગનમાં વસવાટ કરતે માણસ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયો છે–તદ્દન નિર્વાસિત બની ગયા છે. કેણ રેશે આ કરુણતા ઉપર! આંસુનાં બે બુંદ પણ કણ પાડશે એની આ બેવકૂફી ઉપર ! અહીં તે એટલું જ જણાવવું છે કે આ બધી પ્રક્રિયાઓએ માનવના જીવન ઉપર એવા વિષાણુઓ ફેલાવ્યા છે કે માનવે સત્યને જોવાની દષ્ટિ ગુમાવી છે, લાગણીને પામવાનું અંતર ખેડયું છે જીવનની શાન્તિને સ્પર્શવાની ચામડી સળગાવી નાખી છે. આથી જ માનવ લાચાર બને છે, સત્યને સમજાવતાં શાનું અવગાહન Page #26 -------------------------------------------------------------------------- ________________ અગણિત વંદન, ખિનાગમોને કરવા એ કાયર બને છે, સત્યના પ્રયોગ કરવા એ ઉદાસ બન્ય છે; સત્યને પચાવવાની આરાધના કરતા સાધકને સત્સંગ કરવાથી, છતાં આશાનું એક કિરણ દૂરસુદૂરના અંતરિક્ષમાં લિસોટો પાડતું દેખાય છે કે આ આ પણ છે તે માનવને? જડ તે નથી જ ને? તે ચાલે, ચાલે એક પ્રયત્ન કરીએ એને સમજાવવાને. મહાઅભિમાની હરિભદ્રનાં અરમાનને પણ જેણે ચૂર ચૂર કરી નાંખ્યાં તે આજના માનવની મલિનતાને જિનાગમનાં એ સત્યે નહિ પખાળી. શકે શું? વિષયવાસનાઓની એની આગને બુઝાવવાનું નાનકડું કામ. નહિ કરી શકે શું? જે આજના માનવને સત્ય જ ગમે છેઃ ખોટી કટ્ટરતા અણુ-- ગમતી બની છે તે જિનાગમના સત્યની મહોબ્બત કરાવવાનું કામ ઘણું સહેલું બની જાય છે. જે આજના માનવને વિજ્ઞાન જ ગમે છે તે જિનાગમની સત્યતા એ વિજ્ઞાનના જ આધારે પ્રગટ કરી દઈને એના અંતરમાં ઠસાવી દેવાનું કામ રમત વાત બની જાય છે. જે આધુનિક માનવ આજના પ્રગતિવાદમાં આંધળી દોટ મૂકીને. હવે કાંઈક થાક્યો જણાય છે તે આ મંગળ તકે એના અંતરમાં જિનાગમનાં સત્ય ઠસાવવાનું કામ જ બહુ શેડી મિનિટો માંગે છે. જિનાગમના અણપ્રીછક્યા મને જેણે ભેડાઘણુ પણ સ્પર્ધો છે એ માનવ તે આજના યુગને પ્રેમથી સાદ દેતે કહેશે કે, આ સહ, અહીં આવે. થાક્યા પાક્યા બધા અહીં આવે, સત્યના પ્રેમીઓ, તમે સહું અહીં આવે. જીવન શું છે? જગત શું છે? આત્મા શું છે? જડ શું છે? તે બધું હું તમને. સમજાવીશ. તમારે અણુ-પરમાણુ અંગે વાત કરવી હશે તે તેની પણ વાત કરીશ. આ લોકેના સુખની વાત કરવામાં તમારી દિલચસ્પી. હશે તે તે પણ કરીશ. વૈજ્ઞાનિકની શેહેની પણ વાત કરીશ. અને આજનાં વ્યસનેએ સજેલી હોનારતની પણ વાત કરીશ. તમે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨] વિજ્ઞાન અને ધર્મ એક વાર મારી પાસે આવા જિનાગમને જાણા, એમાં બધુ' જ છે, કથાઓ છે, યન્ત્રાનાં રહસ્યા છે, યુદ્ધ અને શાન્તિનાં દુઃખદ—સુખદ ચિંતને પણ છે. પ્રસ્તુત પુસ્તકમાં તે જિનાગમની પરમ શુદ્ધ સત્યતાને જ વિચારવી છે. આચાય. હરિભદ્રસૂરિજીને એ સત્ય સ્પર્શાઈ ગયું. ના, એમણે સર્વાંગે એ સત્યને અલિગ્યું. એમના જેવી શાન્તિ આજના માનવ લે તે એ પણ એ જ રીતે એ સત્યને સર્વાંગે આશ્લેષ આપે તેમાં કશી જ નવાઈ નથી. ખેર એવી શાન્તિ ન પામી શકે તે ય થોડી શાન્તિ મેળવીને પ્રસ્તુત પુસ્તકનું વાચનમનન કરતા રહે તે તે પણ એક વાર તા જરૂર એવારી જશે જિનાગમનાં સત્યા ઉપર; એક વાર તે જરૂર અંતરથી ઝૂકી જશે સત્યના પુરસ્કર્તા ભગવાન જિનેશ્વરાને. Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨] સત્યવાદી ભગવાન જિનેશ્વરા કઈ વચનની સત્યતાને સાષિત કરવાના પ્રયત્ન કરવા કરતાં તે વચનના કહેનાર સત્યવાદી હતા એ વાત સાબિત કરવી જોઈએ. જિનાગમના પ્રત્યેક વચનની સત્યતા તે આજના અસ`ગ જીવા સાબિત કરી શકે તેમ નથી, કેમકે તેટલુ વિરાટ તેમનું જ્ઞાન નથી. બહુ બહુ તા આજે ઉપલબ્ધ થતાં સાધના, આજના વિજ્ઞાન વગેરેના બળે એમાંનાં ૫–૫૦ સત્યાને તાગ પામી શકાય. એટલે પ્રથમ તો સમગ્ર જિનાગમને કહેનાર કોણ હતા ? તેમાં સત્યવાદિતા સંભવી શકે છે કે નહિ ? તે જ અહી વિચારી લેવાનું જરૂરી લાગે છે. જે કોઈ વ્યક્તિ સત્યવાદી હેાય તે અવશ્ય રાગદ્વેષથી પર હાય. જ્યાં રાગ કે રોષ છે ત્યાં અવશ્ય અસત્યને સ્થાન છે. ખીજુ, જે સત્યવાદી હોય તે જે વિષયમાં સત્યનું પ્રતિપાદન કરે તે વિષયની તમામ માનુ તેને જ્ઞાન હોવું જ જોઈ એ. જેને અમેરિકાનું જ્ઞાન જ નથી તે માણસ અમેરિકા વિષે ખેલવા લાગે તા શું તેમાં સત્ય જ હોય તેવું બને ? આઈન્સ્ટાઈનના જટિલ એવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪] વિજ્ઞાન અને ધર્મ પણ સાપેક્ષવાદનું તલસ્પર્શી જ્ઞાન જેણે મેળવ્યું છે તે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ ઉપર સુંદર સમજણ જરૂર આપી શકે એટલે સત્યના પુરસ્કર્તામાં બે વસ્તુ લેવી જરૂરી છે, રાગરેષ-રહિતતા અને વિષયનું જ્ઞાન. અહીં પણ એ વાત સમજી રાખવી કે રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બને તે જ સર્વજ્ઞ બને છે, અને તેથી તે જ સર્વજ્ઞાત્વના પ્રકાશ વડે વસ્તુમાત્રનું સત્ય સ્વરૂપ બતાડી શકે છે. શ્રીજિન જ્યાં સુધી સર્વજ્ઞ બન્યા ન હતા ત્યાં સુધી (આ જ કારણે) મૌન રહ્યા હતા. અલ્પજ્ઞાનથી કેઈ પણ નિગૂઢ રહસ્યમય પદાર્થનું સત્ય બતાડવા જતાં અસત્ય પણ નિરૂપાઈ જવાને ભય હતે માટે સર્વજ્ઞ–સર્વ પદાર્થના જ્ઞાતા-બન્યા વિના સત્ય શું છે? તે કેઈને જણાવ્યું ન હતું. સંપૂર્ણ જગતને પ્રત્યક્ષ કરી દેતા સર્વજ્ઞત્વને પામવા માટે કાંઈ ચેટી બાંધીને ધૂણવાનું ગેખવાનું નથી હોતું કે એકાંતમાં જઈને ગ્રંથે ભણવાના નથી હોતા. આત્માના જ્ઞાનને એ અનંત પ્રકાશ રાગરજનાં જે આવરથી ઢંકાઈ ગયે છે તે કલુષિત આવરણને હટાવવાને જ ભીષણ પુરુષાર્થ ત્યાં સાધવાને હેય છે. જેમ જેમ વસ્તુ પ્રત્યે રાગ-રેષના ભાવે દૂર થતા જાય છે તેમ તેમ અંતરમાં જ્ઞાનને પ્રકાશ પથરાતે જાય છે. એટલે સર્વજ્ઞ બનવા માટે પણ જ્ઞાની થવાનું આવશ્યક નથી કિન્તુ રાગ-દ્વેષના ભાવેથી સર્વથા પર જવાનું જરૂરી છે. જિન શબ્દ પણ આ જ વાત સૂચવે છે કે તેઓ રાગ-દ્વેષને જીતનારા છે. જેઓ ત્યાગ-તપની પ્રચંડ પુરુષાર્થની ભઠ્ઠીમાં રાગ-રોષનાં ઇંધનેને નાખીને ભસ્મસાત કરે છે. તેઓ એક વાર વીતરાગ બને છે, એ પછી તે આંખના પલકારા જેવા ટૂંક સમયમાં જ તેઓ સર્વજ્ઞ બની જાય છે, અને ત્યાર પછી તરત તેઓ વિશ્વના જીને ધર્મને-સત્યને બધા આપે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સત્યવાદી ભગવાન જિનેશ્વર [૧૫ સાધનામાંથી સિદ્ધિને પામતી આ યૌગિક પ્રકિયા ઉપરથી સમજાય છે કે પૂરા સત્યવાદી બનવા માટે સર્વજ્ઞ બનવું જોઈએ અને સર્વજ્ઞ બનવા માટે સર્વથા રાગ-રેષથી રહિત બની જવું જોઈ એ. જે કઈ આત્મા આ રીતે વીતરાગ બને છે તે જિન કહે વાય છે. તે તરત જ સર્વજ્ઞ બને છે, અને તે અવશ્ય સત્યવાદી હિય છે. જિન જે ક્ષીણરાગી હોય તે તે અવશ્ય સર્વજ્ઞ હોય અને સત્યવાદી હોય એ વાત નિશ્ચિત થાય છે. હવે એ વાત શી રીતે નક્કી કરવી કે તે ભગવાન જિનેશ્વરે અવશ્ય રાગ-દ્વેષને જીતનાર વીતરાગ હતા જ? આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહી શકાય કે કઈ પણ વ્યક્તિના ગુણનું દર્શન કરવું હોય તે તેનું જીવન, તેનું સ્વરૂપ અને તેની આકૃતિ દર્શાવતું ચિત્ર કે મૂતિર્ યા બાવલું તપાસવું જોઈએ. જવાહરલાલ નહેરુમાં રાષ્ટ્રપ્રેમ હતો કે નહિ? તે વાત સમજવા માટે નહેરુના જીવન ઉપર દષ્ટિપાત નાખ જેઈ એ. નહેરનું પિતાનું સ્વરૂપ જાણવું જોઈએ. ત્રણેયમાં જે રાષ્ટ્રપ્રેમ ઊભરાતે જેવા મળે તે કબૂલવું જોઈએ કે નહેરુ બેશક રાષ્ટ્રપ્રેમી હતા. આ જ રીતે શ્રીજિનના જીવનમાં, સ્વરૂપમાં અને મૂર્તિમાં વિતરાગતા જ નીતરતી જણાતી હોય તે તેમને વીતરાગ માનવા જ જોઈએ. હવે જિનેશ્વર ભગવાન મહાવીર દેવનું દષ્ટાંત લઈએ. તેમના જીવન વગેરે ત્રણેયમાં વીતરાગતા જોવા મળે છે કે નહિ તે જોઈએ. ભગવાન મહાવીરના જીવનમાં ડોકિયું કરો. જ્યારે તેઓ ગૃહસ્થ જીવનમાં હતા ત્યારે યોગ્ય વય થતાં તેમનાં માતા ત્રિશલા. યશોદા સાથે વિવાહ કરવાનું કહે છે તે વખતે તેઓ કેટલા ઉદાસ થઈ ગયા હતા? તેમણે માતાજીને વિરાગ-નીતરતી વાણીમાં જે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬] વિજ્ઞાન અને ધર્મ વાત કરી તે બધું સાંભળતાં જ એમ થાય છે કે હજી જેઓ જિન બની ચૂક્યા નથી, હજી તે ગૃહસ્થ જીવનમાં છે ત્યાં પણ કેટલા વિરાગી છે ! - ત્યાર બાદ મેટાભાઈ નંદિવર્ધનના આગ્રહથી વધુ બે વર્ષ સંસારમાં રહ્યા તે પણ કેવા ઉત્કૃષ્ટ વિરાગભાવથી રહ્યા હતા તે વાતે શામાંથી સાંભળવા મળે છે. - ત્યાર બાદ મુનિજીવનમાં રાગની અને રેષ કરવાના અગણિત પ્રસંગો આવ્યા. શૂલપાણિ, ચણ્ડકૌશિક, સંગમ વગેરેએ ભયાનક કહી શકાય તે જુલમ ગુજાર્યો છતાં પિતે લેશ પણ રોષ ન કર્યો. જિન બન્યા પછી દેવ-દેવીઓએ અસાધારણ કહી શકાય તેવી સેવા કરી છતાં સર્વથા રાગભાવરહિત-અલિપ્ત રહ્યા. આમ તેમનું ગૃહસ્થજીવન શું કે સાધનાનું જીવન શું કે જિનની અવસ્થાનું જીવન શું ? સર્વત્ર તેઓ રાગ વિનાના અને રેષ વિનાના જ જોવા મળે છે. એમના જીવનમાં રાગપ્રેરિત કોઈ લીલા જોવા મળતી નથી. રેષપ્રેર્યા કઈ તાંડ કે સંહારે સાંભળવા મળતાં નથી, એટલે તેમનું લગભગ સમગ્ર જીવન જાણે નરી વીતરાગતાથી છલકાયેલું જ જોવા મળે છે. આવું જ તેમના સ્વરૂપમાં સાંભળવા મળે છે. જિન તેને જ કહેવાય છે, જેઓ વીતરાગતામય હોય; સર્વથા રેષમુક્ત હોય; હાસ્યાદિથી પર હેય. જિન શબ્દનો અર્થ પણ તે જ છે કે જેમણે રાગરેષને જીત્યા હોય તે જિન. તેમની મૂતિ તપાસવામાં આવે તે ત્યાં પણ પ્રશમરસમન્નતા દેખાય છે, નથી હાથમાં કઈ શસ્ત્ર કે જે રેષભાવને સૂચવતું હોય, નથી ખળામાં કે બાજુમાં કોઈ સ્ત્રી કે જે તેમના રાગભાવને સૂચવતી હોય. શસ્ત્રરહિત અને સ્ત્રીરહિત એમની મૂતિમાં જે પ્રસન્નતા માધ્યચ્ય ભાવ વગેરેનું હૂબહૂ દર્શન થાય છે તે બધું ય તેમની વીતરાગતાને જ પુકારી પુકારી જાહેર કરે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સત્યવાદી ભગવાન્ જિનેશ્વરા [૧૭ આમ જિનના જીવનમાં, સ્વરૂપમાં અને મૂર્તિમાં સત્ર સદા અને સČથા વીતરાગતા દેખાય છે માટે માનવું જોઈએ કે જિન રાગ-રાષથી રહિત જ હતા. હવે જ્યારે જિન રાગાથિી મુક્ત સિદ્ધ થાય છે; ત્યારે આપેાઆપ તેએ સ`જ્ઞ અને સત્યવાદી સિદ્ધ થઈ જાય છે કેમકે વીતરાગતાનું જ કા" સર્વાંત્વનું છે અને સ`સત્યનું કા" સત્યવાદિત્ય છે. ભગવાન્ જિનેશ્વરાએ આત્મા, ક, પરલેાક, મેાક્ષ વગેરે ચક્ષુથી અગમ્ય એવાં તત્ત્વાના સંબંધમાં પણ સદેશીય વિધાના કર્યો છે માટે તેમનું તે વિષયમાં જ્ઞાન પણ હાવુ જ જોઇ એ. એટલે કે તેમને આ બધા વિષયનું જ્ઞાન પણ હાવુ જ જોઈ એ. એથી જ તેઓ આપણા જેવા અલ્પવિષયના જ્ઞાન માટે સર્વ પ્રકારના રાગાદિથી મુક્તિ મેળવવી જ રહી એટલે સન એવા તેએ સથા રાગાદિથી રહિત પણ છે. ટૂંકમાં, જિન વીતરાગ હતા એ વાત સિદ્ધ થઈ જાય છે. માટે જ તે સર્વજ્ઞ હતા અને સત્યવાદી હતા એ બે વાત પણ સિદ્ધ થઈ જાય છે. જેને કાઈ રાગ-દ્વેષ નથી, મત કે મમત નથી, પક્ષ કે વિપક્ષ નથી એવા રાગ–રાષથી સથા પર આત્માને અસત્ય ખેલવાનું પ્રયાજન હોઈ શકતું નથી. વળી પાછું તેમની પાસે આત્મા, કર્મ, મેાક્ષ, પુનર્જન્મ વગેરે કઈ પણ વિષયનું અધૂરું જ્ઞાન પણ નથી તે પછી મત-મમત વિના અને સર એવા તે જિન શા માટે કોઈ પણ વિષયમાં અલ્પાંશે પણ અસત્યનું પ્રતિપાદન કરે ? જીવન, સ્વરૂપ અને મૂર્તિથી જિનની વીતરાગતા જે અંતરમાં ઠેસી જાય તે વીતરાગતામાંથી જ નિષ્પન્ન થતી સજ્ઞતામાં કાઈ વિધ. ર Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮] વિજ્ઞાન અને ધર્મ સંદેહ ન રહે અને એ બેના સહયોગમાંથી જ નિષ્પન્ન થતી તેમની સત્યવાદિતામાં કઈ શંકા ન રહે. જેને આ રીતે તેમના વીતરાગત્વ, સર્વજ્ઞત્વ અને સત્યવાદિત્વમાં અતૂટ વિશ્વાસ બેસી જાય છે તેમને આત્મા, કર્મ, પરલેક, મક્ષ વગેરે ઈન્દ્રિયાતીત વાતમાં પણ કઈ શંકા થતી જ નથી. જિનની કોઈ પણ વાતમાં લેશમાત્ર પણ પ્રશ્ન તેઓ કરતા જ નથી. આમાં કશું આશ્ચર્ય પામવા જેવું પણ નથી. એક ઠેકટર ઉપર જે દરદીને પરિપૂર્ણ શ્રદ્ધા બેસી જાય છે તે કદાપિ ડોકટરની અપાયેલી દવા ઉપર અવિશ્વાસ કરતું નથી. દવાની બાટલી ઉપર પિઈઝન' લખ્યું હોય તે પણ તે દરદી એટલું પૂછવાની કલ્પના પણ કરી શકતા નથી, કે “લાવ, ડોકટરને પૂછું તે ખરો કે એમાં ઝેર છે તે તમારા ખ્યાલમાં તે છે જ ને ? અજાણતાં તે મને આ દવા નથી આપી ને ?' એ તે આંખ મીંચીને એ દવા ગટગટાવી જાય છે. આવું જ અહીં બને છે. ભગવાન જિનેશ્વરે ઉપરને અખૂટ વિશ્વાસ તેમના પ્રત્યેક વચન ઉપર પરિપૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે. પછી એમાં આત્માની, કર્મની કે કદી ન જોયેલા મેક્ષની પણ કઈ વાત હોય તેને તે જ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવે છે, એટલું જ નહિ પણ આગળ વધીને કઠેર જીવન જીવવા માટે પણ એ આત્માઓ સદૈવ સજજન બની રહે છે. એટલે આ રીતે પુરુષના વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થતે તેના વચન ઉપરનો વિશ્વાસ જીવનને બહુ ઝડપથી ધાર્મિક બનાવી શકે છે, ચિત્તને ઝાઝી તકલીફ આપ્યા વિના જ કઠેર માર્ગે કદમ બઢાવવા સમજાવી શકે છે, જગતના લેકેને જે એશ-આરામીમાં જ જીવનનું સ્વર્ગ ભાસે છે તે એશ-આરામીને, જિનના વચનના વિશ્વાસ ઉપર એના અનુયાયીઓ સાપ, કાંચળીને ફગાવી દે તેટલી સહેલાઈથી ફગાવી શકે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સત્યાવાદી ભગવાન જિનેશ્વર [૧૯ - - પ્રેમની પાછળ ઘેલી બનેલી પ્રેમિકાની પ્રીતને, શેઠના ઉપકાર નીચે દબાયેલા ખાનદાન મુનીમની વફાદારીને, યશરેખાવાળા ઠેકટરની ઉપરના દરદીના અવિચળ વિશ્વાસને, વિનીત બાળકની માતા ઉપરની ઊછળતી ભક્તિને ય ટપી જાય એવા ઊમિલ ભાવે પરમેશ્વરની વિતરાગતા ઉપર આક્રીન પુકારી જતાં એના સેવકના અંતરમાં સદા હિલેળે ચડેલા રહે છે. આવા આત્માઓ માટે આ યુક્તિપ્રધાન પુસ્તકની જરૂર નથી એમ કહીએ તે તે કદાચ અસ્થાને નહિ ગણાય. vો SP Page #35 -------------------------------------------------------------------------- ________________ [૩] વિજ્ઞાનનાં ફરતાં વિધાને જેને ભગવાન જિનેશ્વર ઉપર અતૂટ વિશ્વાસ છે, તેને જિનના વચનની સત્યતા સમજવાની કે વિચારવાની રહેતી જ નથી. એ તે વચનેને સત્યમય માને છે. અહીં જે પ્રયત્ન કરવામાં આવ્યું છે તે તે વિજ્ઞાનનાં સંશેધનથી જિન-વચનની સત્યતાને સિદ્ધ કરવાનો પ્રયત્ન છે. અથવા તે એવું પણ વિચારવાને યત્ન છે કે ભગવાન જિનેશ્વર પિતે જેમ વીતરાગ હેવાથી સર્વજ્ઞ હતા એ વાત સિદ્ધ થાય છે તેમ આજનાં વૈજ્ઞાનિક સંશોધનોથી પણ એમની સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ જાય છે. એટલે જેઓ શ્રદ્ધા પક્ષના સાધકે છે તેમને તે ભગવાન જિનેશ્વરોનાં જીવન, સ્વરૂપ અને મૂર્તિમાં છલછલ ઊભરાયેલી વિતરાગતાના દર્શનથી જ એમની સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય છે; પરંતુ જેઓ સામાન્ય રીતે આધુનિક વિજ્ઞાનને અવલંબતા તક અને પ્રગપક્ષના હિમાયતીઓ છે તેમને એ વિજ્ઞાનનાં સંશાધનોથી જિનની સર્વજ્ઞતા સિદ્ધ કરી આપવાનું આવશ્યક જણાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાને [૨૧ વિજ્ઞાને એવી અનેક શેઠે આજે કરી છે જેને નિદેશ જિનાગમની અંદર પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. એવી તે અઢળક વાત જિનાગમાં કહેલી પડી છે, જગને એની ગંધ પણ નથી. આ પુસ્તકમાં એમાંની કેટલીક વાતો અહીં રજૂ કરવી છે જેને વૈજ્ઞાનિકોએ આજે જાહેર કરી, પરંતુ જે જિનાગમમાં તે સેંકડે વર્ષો પહેલાં કહેવાઈ ચૂકી છે. છે અને તે સાબિત થવાની કથા પતાએ માન્યતા આ ચિન્તનના પાયા ઉપરની ઈમારતને ચણવાને આરંભ કરવામાં આવે તે પૂર્વે એક સૂચન કરી દેવાનું મુનાસિબ લાગે છે કે જે વિજ્ઞાનનાં સંશોધનના આધારે જિનાગમની સત્યતા પ્રગટ કરવી છે અને તે માટે જિનાગમના પ્રરૂપક ભગવાન જિન સર્વજ્ઞ જ હતા એ વાત સાબિત કરવી છે તે વિજ્ઞાનનાં સંશાધને પણ અંતિમ સત્ય છે એવું માની લેવાની કશી જરૂર નથી. કેમકે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધતા વૈજ્ઞાનિકની માન્યતાઓ પણ સતત પરિવર્તનશીલ જોવા મળી છે. આમ એક વિષયની માન્યતાઓ સતત પરિવર્તન પામતી હોય ત્યારે પણ એ વિષય અંગે જિનેશ્વરદેએ જિનાગમમાં જે કહ્યું હોય તે વિજ્ઞાન સદૈવ ધ્રુવના તારાની જેમ સ્થિર-અપરિવર્તનશીલ જ રહે છે. અને અંતે એ વૈજ્ઞાનિક પણ સત્યની ખોજ કરવાના (!) તેમના અભિપ્રાયને લીધે તેઓ જિનના વિધાનને લગભગ કે સંપૂર્ણ મળી જાય છે. આવું તે ઘણી ઘણી વાતોમાં બનતું રહ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે જે વિજ્ઞાન સાચે જ સત્યની જ શોધમાં આગેકદમ માંડતું હોય તે એકવાર તમામ વિવાદાસ્પદ સંશોધનના અંતે તે તેને શ્રીજિનાગમના તે વિષય અંગેના વિધાનને સંમત થવું જ પડશે. જે આમ થશે તે આત્મા, કર્મ વગેરે ઘણું ઘણું વાતે કે જેમાં જે વિજ્ઞાન, જિનાગમની ખૂબ જ નજદીક તે આવી ગયું છે તેની સાથે એકરસ થઈને એક જ બની જશે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨] વિજ્ઞાન અને ધમ અહી એવી કેટલીક બાબતે જોઈએ કે જેના વિષયમાં જિનાગમનું વિધાન એક જ અફર રહ્યું હોય અને વિજ્ઞાનનું વિધાન ફરતું ફરતું અંતે જિનાગમના વિધાનની સાથે સાવ જ મળી ગયું હોત. વૈજ્ઞાનિકનાં ફરતાં વિધાને (૧) ઉલકા શ્રીજિનાગોમાં ઉલ્કાને તેજસ્કાય કહેલ છે. એટલે કે ઉલ્કાને આકાશમાં પડતા અગ્નિના કણિયા કે પથ્થરસ્વરૂપ પદાર્થ કહ્યો છે. આ વાતને વૈજ્ઞાનિકોએ ઘણા સમય સુધી માન્ય કરી ન હતી. સૌર-પરિવાર પૃ. ૭૦૫ ઉપર ઉલકા-પ્રકરણ આપ્યું છે. ત્યાં “વૈજ્ઞાનિકને અવિશ્રવાસ એ શીર્ષક હેઠળ લખ્યું છે કે કેવળ લેકે જ અન્ધવિશ્રવાસમાં રાચે છે તેવું નથી હોતું કેટલીક વાર વૈજ્ઞાનિકે પણ અન્ધવિશ્વાસુ બની જાય છે, અને લોકો એગ્ય રસ્તે ચાલતા હોય છે. યુરોપમાં મધ્યકાલીન સમયમાં જેમ જેમ વિજ્ઞાનની ઉન્નતિ થતી ચાલી તેમ તેમ વૈજ્ઞાનિકોને આ વાત ઉપર વિશ્વાસ વધતે ચા કે પથ્થર કોઈ દિવસ આકાશમાંથી પડી શકે જ નહિ. આથી તેમણે એમ માની લીધું કે પહેલાં પણ કઈ દિવસ આકાશમાંથી પથ્થર પડ્યા જ નથી. લેકે જ્યારે એમ કહેવા લાગ્યા કે, “અમે જાતે આકાશમાંથી પથ્થર પડતા જોયા છે.” ત્યારે તે વખતના વૈજ્ઞાનિકે એ તેમની વાતને અંધશ્રદ્ધાથી પ્રેરિત માની લીધી, એટલું જ નહિ પણ તેમની મશ્કરી કરવા લાગ્યા, “વાહ રે મેટા સમજદાર માણસે, આકાશમાંથી પથ્થરો પડયાનું આંખે આંખ જોયાનું કહેતા લાજતાં ય નથી !!!” આ વિષયમાં “આલીબિયર’ નામના વૈજ્ઞાનિકે પોતાના “ઉલ્કાઓ, (Meteors)' નામના પુસ્તકમાં લખ્યું છે કે, “હવે અમે અઢારમી સદીના બીજા ભાગમાં આવીએ છીએ. આની પહેલાંની શતાબ્દીઓમાં કેટલા ય ઉલકા-પ્રસ્તર આકાશમાંથી પડ્યા હતા અને એને Page #38 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાને [૨૩ પડતાં જેનારાઓએ એનું એક અસંદિગ્ધ વર્ણન કર્યું પણ હતું. ઉલ્કાને જેનારાઓએ બીજાં સ્પષ્ટ પ્રમાણે આપ્યાં તે પણ અમારી દુનિયાના એ વખતના વૈજ્ઞાનિકે એ માણસોને મૂર્ખ કહીને હસી નાંખ્યા હતા. આવું કહેનારા વૈજ્ઞાનિકનું પણ એક બળવાન વર્તુળ હતું, જેમાં તેઓને ખૂબ જ બુદ્ધિમાન તરીકે નવાજવામાં આવ્યા હતા એટલું જ નહિ પણ એ વખતના “આધુનિક વૈજ્ઞાનિક તરીકે બિરદાવ્યા હતા.” આટલું કહ્યા પછી આલીબિયર કહે છે કે, “આ દષ્ટાંત ઉપરથી સર્વકાળને તે સર્વ વૈજ્ઞાનિકેએ પિતાનાં સંશાધને અંગેની વાતમાં આ ચેતવણું સમજી લેવી જોઈએ કે વૈજ્ઞાનિકે પોતાના અનુભવમાં ન આવતી વાતને પણ પિતે નિશ્ચિતરૂપે જાણતા હોવાનું દુઃસાહસ કરી દે છે.” કાંસના વૈજ્ઞાનિક “એકેડમી એ “લૂસમાં આ પથ્થરો પડવાની સત્યતા જાણવા માટે એક કમિશન મેકહ્યું હતું !!! આ કમિશનના સભ્યએ તે માણસનાં નિવેદન લીધાં કે જેમણે પિતાની આંખેથી આકાશમાંથી પડતા પથ્થરો જોયા હતા. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે તે પણ એ કમિશને એ બધી તપાસના અંતે નિર્ણય જાહેર કર્યો કે આકાશમાંથી પથ્થર પડ્યા જ નથી. એ તે જે પથ્થર પૃથ્વીના જ હતા અને પૃથ્વી ઉપર જ પડ્યા હતા તેની ઉપર માત્ર વીજળી પડી હતી! આ તે ઠીક. વૈજ્ઞાનિકનું હજી વધુ ખરાબ ઉદાહરણ હવે સાંભળે. ઈ. સ. ૧૭૯૦ની ૨૪મી જુલાઈએ દક્ષિણ અને પશ્ચિમ સંસમાં ફરી પથ્થરે પડ્યા. એ વખતે ખૂબ પથ્થરે પડ્યા, જેમાંના કેટલાક તે પૃથ્વીમાં તિરાડ પાડીને ઘૂસી ગયા. આ પથ્થરે જ્યારે આકાશમાંથી નીચે પડી રહ્યા તે વખતે તેમની ચોમેર જે પ્રકાશ આકાશમાં ફેલાયે હતું તે ઘણા લેકએ જે હતે. અહીં પણ વૈજ્ઞાનિકોનું એક કમિશન આ અંગે તપાસ કરવા આવ્યું. ૩૦૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪] વિજ્ઞાન અને ધર્મ માણસોએ લેખિત લખાણ આપ્યું કે તેમણે પ્રકાશ સામે પથ્થર પડતા જોયા. કેટલાય લેકેએ સોગંદપૂર્વક આ જ વાત કરી. વૈજ્ઞાનિકેન કમિશનને પડેલા પથ્થરના કટકાઓ પણ આપવામાં આવ્યા. ખેર, એ બધું ય પત્રિકાઓમાં છાપ્યું તે ખરું જ, પણ એવી ભાષામાં છાપ્યું કે જેથી આવી બધી વાતને માનનારાઓની લેકમાં હાંસી-મશ્કરી જ થાય. અધૂરામાં પૂરું, કમિશનના આ રિપોર્ટની નીચે ‘બર્થલન” નામને વૈજ્ઞાનિક નેધ કરે છે કે, “આ રિપોર્ટ અંગે અમારે શું ટીકાટિપણું કરવું? જે વાત પ્રત્યક્ષથી જ તદ્દન જૂઠી છે. આકાશમાંથી પથ્થરો પડવાને જ જ્યાં સંપૂર્ણ અસંભવ છે ત્યાં અમારે શું લખવું? ડાહ્યા લેકે ઉપર જ આવી ઘેલી વાતને નિર્ણય કરવાનું અમે છોડી દઈએ છીએ.” પરંતુ વૈજ્ઞાનિકના આ નિર્ણયને કુદરતે જાણે સાંભળ્યો જ ન હોય તેમ ફરી જ્યાં ને ત્યાં એકદમ પથ્થરે પડવા લાગ્યા. એમાં પણ છેવટે ૧૮૦૩ની સાલમાં કાન્સમાં એક ગામ ઉપર તે પુષ્કળ ઉલ્કાઓ પડી. અહીં હવે “એકેડેમીની પૂર્વની શ્રદ્ધા હાલી ગઈ. તેણે બા (Biot) નામના વૈજ્ઞાનિકને તપાસ કરવા ક્રાંસ મેકલ્યું. તેણે પૂરી તપાસના અંતે જાહેર કર્યું કે, “પથ્થરો પડે છે અને તે પણ આકાશમાંથી જ.” આમ અંતે વિજ્ઞાને “ઉલ્કા જેવી આકાશમાંથી પડતી વસ્તુ માની. વૈજ્ઞાનિકોમાં જેમ સત્યાન્વેષિતા એક સારી વસ્તુ છે તેમ સંશોધન કરતાં એમને જે કાંઈ દેખાયું એ સાચું જ છે તેમ એકદમ જાહેર કરી દેવાની અહંકાર-વૃત્તિનું એક અશુભ તત્વ પણ એમનામાં ખીચોખીચ ભરેલું જોવા મળે છે. આથી જ વૈજ્ઞાનિકોનાં સંશોધને હંમેશાં સંદિગ્ધ રહેવાની શક્યતા ઘણું રહે છે. વળી જે વસ્તુ, એમની અનુભૂતિમાં કદી આવી હતી નથી એની બાબતમાં પણ એને અસત્ય કહી દેવાના સાહસથી તેઓ મુક્ત રહી Page #40 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાને [૨૫ શક્તા નથી. ખેર અહીં તે એટલું જ જણાવવું છે કે, ઉલ્કાને જૈન કુળમાં જન્મ પામેલું નાનું બાળક પણ “જીવવિચાર’ નામનું પ્રકરણ ભણીને બેધડક કહી શકતું કે, “ઉલ્કા એ આકાશમાંથી પડતા અગ્નિ-કણે છે,” તેને દસકાઓના દસકા સુધી એક જમાનાના ધુરંધર વૈજ્ઞાનિકે ન માની શક્યા અને છેવટે એમને એ વાત મંજૂર કરવી પડી. એ તે સુંદર વાત છે કે ઉલકાની વાત અંતે તેમણે મંજૂર કરી પરંતુ જ્યાં સુધી એ જૈનધર્મને જ્ઞાનને પામેલે એક ધાર્મિક માણસ ઉલ્કાને આકાશમાંથી પડતા અગ્નિકશું કહી દેત તે બીજા બધાની જેમ તે અને તેને ધર્મ હાંસીપાત્ર જ બનત ને? જગતમાં પણ એની ક્રર મશ્કરી જ થાત ને ? કેમકે દુનિયા તે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકેની પાછળ જ ઘેલી બની છે! આજે પણ આવું બીજી ઘણી બાબતમાં બની જ રહ્યું છે, પણ જેવું ઉલ્કાની બાબતમાં થયું એવું બીજી બધી બાબતોમાં થશે જ. કેમકે જિનાગમ એ સત્યવાદી સર્વજ્ઞભાષિત આગમ છે. * અસ્તુ. વિજ્ઞાનનાં મન્ત કેવાં કેવાં ફરતાં રહે છે તેને બીજે એક દાખલે લઈએ. (ર) ગુરુત્વાકર્ષણઃ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણને એક સિદ્ધાંત શોધ્યું હતું. આ સિદ્ધાંત ઉપર તે વૈજ્ઞાનિક જગતે ખૂબ જ નિષ્ઠા મૂકી દીધી હતી. પૃથ્વીના પરિભ્રમણની માન્યતામાં એવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, જે બધાને ઉકેલ ગુરુત્વાકર્ષણને સિદ્ધાંત સ્વીકારીને વૈજ્ઞાનિકે લાવ્યા હતા. પરંતુ આજે એ બદ્ધભૂલ થઈ ગયેલા સિદ્ધાંતને આઈન્સ્ટાઈને મૂળમાંથી હલાવી નાંખે છે. અદ્યતન વિશ્વમાં ન્યૂટનના એ સિદ્ધાંતનું કોઈ મૂલ્ય એણે રહેવા દીધું નથી. * इंगल जाल मुम्मुर, उक्कासणि वणग विज्जमाइआ । अगणि जिआण भेया नायव्वा निउणबुद्धिए । , (જીવવિચાર પ્રકરણ ગાથા છઠ્ઠી) Page #41 -------------------------------------------------------------------------- ________________ ર૬] વિજ્ઞાન અને ધર્મ જ્યારથી આઈન્સ્ટાઈને સાપેક્ષાવાદના સિદ્ધાંતની શોધ કરી ત્યારથી ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત (Law of gravitation)નું કઈ મૂલ્ય જ રહેવા પામ્યું નથી.* આકાશમાંથી પથ્થર પડે છે, વૃક્ષ ઉપરથી પાંદડું કે ફળ પડે છે તેમાં કારણ તરીકે ન્યૂટને પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ નામનું એક તત્ત્વ જણાવ્યું હતું, પણ આજે એ હકીકત સાપેક્ષ રીતે મિથ્યા ઠરી છે અને પથ્થર કે પાંદડા વગેરેના પતનમાં તે વસ્તુની ગુરુતા જ કારણ છે એવું જણાવવામાં આવ્યું છે. - ન્યૂટન જેવા ધુરંધર વૈજ્ઞાનિકના પણ અભિપ્રાય બદ્ધમૂલ બને, બીજા ભેજાબાજ કહેવાતા વૈજ્ઞાનિકે એને વધાવી લે અને છતાં એ વાત સાવ જ પિકળ સાબિત થાય એ વૈજ્ઞાનિકેની દુનિયાની કેવી જીવલેણ બ્રાન્તિમૂલક અહંતા સૂચવે છે ! - જે વાત હવે વૈજ્ઞાનિકોએ સ્વીકારી તેને ભગવતી સૂત્રની ટીકામાં પહેલેથી જ કહી છે. બહુ સ્પષ્ટ શબ્દમાં ત્યાં કહ્યું છે કે પથ્થરનું ઢેકું નીચે પડે છે તેનું કારણ તે પથ્થરમાં રહેલી ગુરુતા છે, જ્યારે ધુમાડે ઊંચે આકાશમાં જાય છે તેનું કારણ તેનામાં રહેલે લઘુતા ગુણ છે. જ્યારે વાયુમાં ગુરુતા-લઘુતા ઉભય છે. માટે તે ઉપર નીચે ન ચાલ્યું જતાં તીરછ જાય છે. આમ જ્યારે આઈન્સ્ટાઈન કહે છે કે સાપેક્ષ રીતે પૃથ્વીમાં આવી આકર્ષણ જેવી કોઈ વસ્તુ જ નથી ત્યારે જ સમગ્ર સંસારને હલાવી નાખનાર સિદ્ધાંતને મિથ્યા કહેવાનું વિશ્વને માનવ પસંદ કરે છે, ત્યાં સુધી તે ન્યૂટનના એ બ્રાન્તિપૂર્ણ સિદ્ધાન્તમાં જ સંપૂર્ણ નિષ્ઠા જારી રાખે છે? અહીં એ વાત જણાવવાનું પણ સમુચિત લાગે છે કે ૧૯૧૫ની સાલમાં આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાન્તની શોધ થતાં x Cosmology, old & New. P. 197. Page #42 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાન [૨૭ ન્યૂટનના સૂર્યગ્રહણ અંગેના સિદ્ધાંતને પણ ફટકે લાગ્યું હતું પછી તે એને નિર્ણય કરવા ૧૯૧લ્લા મેની રસ્મી તારીખે આફ્રિકામાં ઈંગ્લાંડના પંડિતે બેઠા અને અંતે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને. સત્ય જાહેર કરવામાં આવ્યો. (૩) ઉત્ક્રાંતિવાદ (Theory of Evolution): એક સમય એ હતો કે ડાર્વિનને–વાંદરામાંથી મનુષ્યની ઉત્પત્તિને-ઉત્ક્રાંતિવાદ એટલે બધે વ્યાપી ગયું હતું કે એને ન માનનારો કે એમાં. શંકા કરનાર ગાંડાની હોસ્પિટલને અધિકારી ગણાત. જેન-દર્શનની આ વિષયમાં સ્પષ્ટ માન્યતા હતી કે વાંદરાની જાત પણ જુદી જ છે. બે ય જાતિઓ સ્વતંત્ર છે અને બેય જાતિ અનાદિ કાળથી છે. હવે આજે ડાર્વિનની એ માન્યતા બ્રાતિમૂલક ગણાવા લાગી છે. હવે અનેક વૈજ્ઞાનિકોએ આ શોધની ઠેકડી ઉડાવી છે. ઈટાલીને વિદ્વાન ગણાતે વૈજ્ઞાનિક એનરીકે માર્કોની કહે છે કે, “વાંદરાની પણ પહેલાં મનુષ્ય હતા જ.' (૪) મૂળતઃ સમગ્ર ભૌતિક જગતની ઉત્પત્તિમાં મૂળભૂત ત કેટલાં? એ વિષયમાં તે બેસુમાર વિચારોનાં પરિવર્તને થતાં જ રહ્યા છે. જૈનદર્શન તે આ વિષયમાં ખૂબ જ અસંદિગ્ધ રીતે જણાવે છે કે મૂળતત્વ તે માત્ર પરમાણુ છે. એમાંથી કોઈ વાર પાણી થાય, અને કઈ વાર એ પાણીને સ્કંધ પરમાણુ રૂપે પરિણામ પામી જાય છે તે જ પરમાણુઓમાંથી વાયુ, પૃથ્વી કે અગ્નિ પણ થાય. એવું કાંઈ જ નથી કે અમુક પરમાણુ પાણીના મૂળતત્વ પાણી રૂપે છે (નિત્યજલ) અને અમુક પરમાણુ અગ્નિ, વાયુ, પૃથ્વી આદિ એક જ મૂળસ્વરૂપે છે. વળી વૈજ્ઞાનિકે તથા નૈયાયિક વગેરે દાર્શનિકની અણુ અંગેની જે માન્યતા હતી તેની સામે પણ જૈન દાર્શનિકોનું એ સ્પષ્ટ વિધાન હતું કે એ વસ્તુ. અણુ નથી. અણુ જે અવિભાજ્ય જ ગણાતે હોય, અને તમે પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮] વિજ્ઞાન અને ધમ તેમ જ ગણા છે તે તે અણુ નથી. હજી અનંત ટુકડા થઈ શકે તેમ છે. વૈજ્ઞાનિકાના જગતમાં મૂળતત્ત્વાની અને પરમાણુ અંગેની માન્યતામાં કેટકેટલાં પરિવર્તન આવતાં જ રહ્યાં છે તે હવે જોઈએ. (૫)મૂળતત્ત્વ અને પરમાણુ : વૈજ્ઞાનિકોની એ માન્યતા વિચારવા પૂર્વ ભારતના દાનિક ઋષિઓની માન્યતાને જોઈએ. તેમની એ માન્યતા હતી કે જે પૃથ્વીમાંથી જ ઘણુંખરુ′ ઉત્પન્ન થાય છે તે પૃથ્વી પોતે જલમાંથી ઉત્પન્ન થઈ છે, અને તે જલ, અગ્નિમાંથી; અને અગ્નિ, વાયુમાંથી ઉત્પન્ન થયા છે. કોઇએ જલને પ્રથમ માન્યું, કોઇએ આકાશને આત્મામાંથી ઉત્પન્ન થતું કહ્યું. એ વખતના યુવાન વૈજ્ઞાનિકે (ઇ. સ. પૂર્વે ૬૪૦-૫૫૦) જલને સૃષ્ટિનું મૂળ કારણ કહ્યું હતુ. એના શિષ્ય અનકિસમને ( Anaximens ) (ઈ. સ. પૂર્વે ૧૩૫-૪૨૫) વાયુને મૂળ કારણ કહ્યું હતું; જ્યારે હૈરાકિલ'તુસે અગ્નિને મૂળ કારણ કહ્યું હતું. આમ ઇ. સ. પૂ. ૭ મી−૮મી શતાબ્દીથી લઇ ને ઇ. સ. ની ૧૭મી શતાબ્દી સુધી ૪ કે ૫ મહાભૂતને મૂળતત્ત્વા તરીકે માનવામાં આવ્યા હતાં. પરંતુ જ્યારથી રસાયણક્ષેત્રમાં લેઢાથી કે તાંબાથી સાનુ બનાવવાનું ચાલ્યું ત્યારે સહુ પ્રથમ બેયલ ( Boyle ) (ઈ. સ. ૧૬૬૧) નામના વૈજ્ઞાનિકે ‘સદેહવાદી રસાયણી' નામના પુસ્તકમાં આ વાત લખીને પાંચભૂતની મૂળતત્ત્વની માન્યતામાં સ ંદેહ પ્રગટ કર્યાં. એને વિશ્વાસ હતા કે એ પાંચભૂતા પણ ખીજા' જ કઈ મૂળતત્ત્વનું મિશ્રણ માત્ર છે. એ વખત સુધી વાયુ ભાર વિનાના મનાતા હતેા, પણ બાયલે તેને ભારવાળા સાબિત કર્યાં. આમ કરતાં ૧૯ મી સદી સુધીમાં તે મૂળતત્ત્વની સખ્યા + હતા ચાચર | ૨ |૧| Page #44 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાના [૨૯ પાંચને બદલે ત્રીસ સુધી પહેાંચી ગઈ. અને ત્યાર પછી તે તે સંખ્યા ૯૨ સુધી પહેાંચી અને આજ તે ૧૦૩ મૂળતત્ત્વા છે એવી માન્યતા સ્થિર થઈ છે. આગળ ઉપર પરમાણુવાદના પ્રકરણમાં આપણે આ અંગે વિસ્તારથી જોઇશું કે જૈનદર્શનના મતમાં માત્ર પરમાણુ જ મૂળતત્ત્વ છે. તેમાંથી જ પાણી, અગ્નિ વગેરે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે. એટલે પૃથ્વીના પરમાણુમાંથી પૃથ્વી જ બને છે તેમ નથી. જેમાંથી પૃથ્વી અની તે જ પરમાણુમાંથી કચારેક પાણી, અગ્નિ વગેરે પણ બની શકે છે. એટલે જડસૃષ્ટિમાં જૈનદર્શનના હિસાબે એક જ તત્ત્વ છે. જડપરમાણુ અને ચેતનસૃષ્ટિમાં પણ એક જ તત્ત્વ છે. ચેતન – જડના મૂળતત્ત્વના વિચાર કરવા હોય તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય, એમ પાંચ રૂપે થઇ શકે ખરા. એ દૃષ્ટિથી બધું મળીને છ જ મૂળતત્ત્વ થાય છે. આજનું વિજ્ઞાન જે ૧૦૩ તત્ત્વા કહે છે તે બધાં ય માત્ર પુદ્ગલાસ્તિકાયના જ વિસ્તાર છે, અહીં તે એટલુ જ ોવાનું છે કે મૂળતત્ત્વાની માન્યતામાં પણુ વૈજ્ઞાનિકોની વિચારધારા સતત પરિવર્તનશીલ જ રહી છે. હજી પણ કોણ જાણે એમની છેલ્લી માન્યતામાં પણ કેટકેટલાંક પરિવર્તને આવતાં જશે ? ‘જોસ' અને ‘વિટા’ નામના વૈજ્ઞાનિકો પણ કહે છે કે, “અમને હવે સમજાતું જ નથી કે મૂળતત્ત્વા હકીકતમાં કેટલાં છે ?” (૬) પૃથ્વીનું' સ્થિરત્વ : પૃથ્વી સ્થિર છે કે કુરતી છે એ વિષયમાં પણ વૈજ્ઞાનિકાનાં મંતવ્યે સતત વિરોધી અને પરિવર્તનશીલ જોવા મળે છે. પાશ્ચાત્ય જગતમાં પણ જો ધાર્મિક દૃષ્ટિએ પૃથ્વીના સ્થિરત્વ ઉપર વિચારવામાં આવે તો ખાઈબલમાં તે પૃથ્વીને સ્થિર માનવાનું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦] વિજ્ઞાન અને ધર્મ વિધાન ખૂબજ કટ્ટરતાપૂર્વક કરવામાં આવ્યું છે. પાશ્ચાત્ય જગતમાં સારા સારા જ્યોતિષીઓ અને ગણિતાચાર્યો તરીકે જેમની ગણના થતી હતી તે “અરસ્તુ' અને “ટાલમી” પણ પૃથ્વીને સ્થિર માનવાના જ મતના હતા. ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ હીપારકસ પણ પૃથ્વીને સ્થિર માનતે હતે. પણ ૧૬ મી શતાબ્દીમાં સર્વ પ્રથમ કેપરનિકસે (Copernicus) પૃથ્વીને સ્થિર ન કહેતાં ચર કહી અને સૂર્યને ચર ન કહેતાં સ્થિર કહ્યો. ત્યાર પછી ગેલેલિયેએ “દૂરવીક્ષક-યંત્ર આદિ દ્વારા નિરીક્ષણ કરીને તે જ માન્યતાને પુષ્ટ કરી. આ વિધાન બાઈબલના વિધાનથી પ્રતિકૂળ હતું માટે ગેલેલિયે સામે તે વખતના ધર્મગુરુ પિપે વધે લીધે, અને બાઈબલ જેવા ધર્મગ્રન્થને અ૫લાપ કરવા બદલ ગેલેલિને રાજકીય રીતે ખૂબ ખૂબ વેઠવું પડયું. પણ તેથી કાંઈ પૃથ્વીના પરિભ્રમણની માન્યતા અટકી ન ગઈ. એટલું જ નહિ પણ ભૂતકાળમાં પૃથ્વીને જેઓ સ્થિર માનતા હતા અને ચર માનવામાં જે આપત્તિઓ બતાવતા હતા, જેવી કે–પૃથ્વી જે ફરતી હોય તે આકાશમાં ઊડતાં પક્ષીઓ પાછાં તે જ વૃક્ષ ઉપર કેવી રીતે આવી શકે? પૃથ્વીના ભયંકર વેગવાળા પરિભ્રમણને કારણે એ પ્રચંડ વાયુ ઉત્પન્ન થાય તેનાથી પૃથ્વી ઉપરની બધી વસ્તુઓ વેરણ-છેરણ કેમ થઈ ન જાય? એ વાયુને કારણે ધજાઓ એક જ દિશામાં કેમ ઊડ્યા ન કરે?* વળી તે વેગજન્ય પવનથી તે મહેલે અને પર્વતના શિખરે પણ કેમ તૂટી ન પડે?+ * भूगोलवेगजनितेन समीरणेन केत्वादयोऽप्यपरदिग्गतयः सदा स्युः । –શ્રીપત્તિ + भूगोलवेगजनितेन समीरणेन प्रसादभूधरशिरांस्यपि संपतेयुः । –કીરિઘ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાના [૩૧ આવા અનેક પ્રશ્નોનું સમાધાન પૃથ્વીને ફરતી માનનારાઓએ વાયુમડળની કલ્પના ઊભી કરીને કરી દીધું. તેમણે કહ્યું કે પક્ષી, તીર, વિમાન, વગેરે જે કોઈ પદાર્થ પૃથ્વીની ઉપર જઇને પોતાની એક ગતિ કરે છે એ જ વખતે એ વાયુમ`ડલની અંદર રહેવાથી પૃથ્વીના જેવી જ ખીજી એક ગતિ એ પદાર્થોમાં સહેજ રીતે ઉત્પન્ન થતી રહે છે. આથી જ આકાશમાં ફે'કેલુ તીર પાછું તે જ સ્થાને પૃથ્વી પર આવીને પડે છે; તથા સમુદ્ર, નદી આદિ તરલ પદાર્થો પૃથ્વી ઉપર રહે છે. એ ખધામાં પૃથ્વીની અંદર રહેલુ ગુરુત્વાકર્ષણ કારણ છે. ટૂંકમાં ગુરુત્વાકષ ણુ આદિ કેટલાક સિદ્ધાંતાએ પૃથ્વીને ફરતી માનવામાં નડતી સમસ્યાઓને ઉકેલી નાંખી અને તેથી પૃથ્વીને ચર માનવાની વાત વધુ સ્થિર બની. પરંતુ આ બધું હોવા છતાં ૧૯૪૮ની સાલમાં પ્રગટ થયેલા 2 : ધ સન્ડે ન્યુઝ આફ ઇન્ડિયા” નામના એક પત્રમાં શું જણાવવામાં આવ્યું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. તે પત્રમાં ‘હાઉ રાઉન્ડ ઈઝ આફ્ ધ અર્થ' નામના એક લેખ હેનરી ફોસ્ટર નામના એક વૈજ્ઞાનિકે લખ્યા છે, તેમાં તે જણાવે છે કે પૃથ્વી ચપટી છે ( સ્થિર છે. )' એ માન્યતાને પ્રમાણિત કરવા માટે ઘણા ઘણા માણુસાએ ઘણાં વર્ષો કાઢળ્યાં છે પરંતુ તેમાંના ઘણા થોડા માણસોએ · વિલિયમ એડગલ' જેવા ઉત્સાહ બતાન્યા હશે. એડઇંગલે ૫૦ વર્ષ સુધી લગાતાર આ વિષયમાં સંશોધન કર્યું. તે રાત્રિના સમયમાં આકાશમાં નિરીક્ષણ કર્યા કરતા. તેઓ કયારે પણ પથારીમાં સૂતા ન હતા. ખુરસી ઉપર બેસીને, આકાશ સામે નજર નાખીને તેઓ આખી રાત વિતાવતા. તેમણે પોતાના બગીચામાં લેાઢાની એક નળી રાખી હતી; જે ધ્રુવના તારાની સન્મુખ રહેતી હતી. તેમણે પેાતાના ઉત્સાહપૂર્ણ નિરીક્ષણ પછી એ નિણય જાહેર કર્યાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨] વિજ્ઞાન અને ધર્મ કે પૃથ્વી થાળી જેવી ચપટી છે. (અર્થાત સ્થિર છે.) એની ચારે બાજુ સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ ઘૂમી રહ્યો છે. ઇત્યાદિ એસ્ટ્રાલેાજિકલ મેગેઝીનના ૧૯૪૬ ના જુલાઈ અને આગસ્ટના અંકમાં જે ‘ મેકડોનાલ્ડે’‘શું પૃથ્વી ચપટી છે ? ' એ શીર્ષક હેઠળ લેખ પ્રગટ કર્યાં હતા એ બે હપ્તે પૂર્ણ થયેા હતેા. ‘ પૃથ્વી દડા જેવી ગેાળ છે.' એ સિદ્ધાંતનું એણે ખૂખ સારી રીતે પ્રમાણુ આપીને ખડન કરી નાખ્યું હતું, આજના વિશ્વની સૃષ્ટિના બધા નિયમેાને તેણે પૃથ્વીને થાળી જેવી ગાળ કહીને સંગત કર્યાં હતા. તેણે તે લેખમાં સૂર્યને જ પરિભ્રમણ કરતા કહ્યો છે. તે કહે છે કે, 'સૂની ગાળાકાર અને નિરંતર ગતિ બધી જાતના પ્રયાગે દ્વારા બતાવી શકાય તેમ છે. સૂ જ ગતિ કરે છે છતાં એવા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર કલાકના એક હજાર માઈલની ગતિથી ફરી રહી છે, એ કેટલી હાસ્યાસ્પદ બાબત છે! ! !' + never went * Many people have spent years trying to proev that the earth is flat, but Few have revealed Sueh zeal as the late William Edgell of Mideomer. Norton Somerserset Edgoll strove for over 50 years in order to study the night skies. He to bed but slept in a chair. Also he created still table in his garden Pointing towards. The pole star which was Visible through it. This eccentric man eventually evolved the theory of a flat, basin shaped earth with the sun moving north and south across it. = —the sunday news of India – May 2nd, 1948. + The Concentric and progressive motion of the sun over the earth is in every sense Practically demonstrable. The earth like all other plganets floats in space. The sun moves and is the centre of our ( Known). Page #48 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં કરતાં વિધાના [૩૩ વળી ‘ પી. એલ જ્યોગ્રાફી ' આદિ ગ્રન્થા કે જે ભારતીય વૈજ્ઞાનિકોએ લખ્યા છે તેમાં પણ તેમણે પૃથ્વીને પરિભ્રમણ અંગેની માન્યતા ઉપર ખૂબ જ તાર્કિક વિશ્લેષણ કર્યું છે અને પૃથ્વીને સ્થિર માનવા તરફ પેાતાના આદર બતાડચો છે. અંતમાં આધુનિક વૈજ્ઞાનિકમાં શ્રેષ્ઠ પ્રતિભાસ પન્ન ગણાતા આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ જણાવ્યા અને પૂર્વ જોઇ ગયા તેમ એ સાપેક્ષવાદના સિદ્ધાન્ત ન્યૂટનના ગુરુત્વાકર્ષણુના નિયમને છિન્નભિન્ન કરી નાખ્યા. આથી પૃથ્વીને ચર માનવામાં જે સમસ્યાએ ઊભી કરવામાં આવી હતી તે બધી સમસ્યાઓનું સમાધાન ગુરુત્વા કણના સિદ્ધાન્તના આધારે થયું હતું અને હવે તે ગુરુત્વાકર્ષણનેા સિદ્ધાન્ત પોતે જ છિન્ન-ભિન્ન થાય છે ત્યારે તે સમસ્યાઓ ફ્રી ઊભી જ રહે છે એટલે આડકતરી રીતે તે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પૃથ્વીને સ્થિર માનવા તરફ ઝૂકે છે એમ જ કહી શકાય. સાપેક્ષ રીતે તે આઈન્સ્ટાઈન પાતે સ્પષ્ટ શબ્દોમાં પૃથ્વીને સ્થિર માનવાનું વિધાન કરે છે. આમ ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષથી માંડીને આજ સુધીમાં પૃથ્વીના સ્થિરત્નચરત્વની માન્યતામાં પણ વૈજ્ઞાનિક એકમત થઈ શકયા નથી એ વાત ઉપરાક્તવિધાનાથી સાબિત થાય છે. આમ વૈજ્ઞાનિકોની વાતા અનેક વિરાધેાથી ભરપૂર છે, સદા પરિવર્તનશીલ છે એ વાત બહુ સારી રીતે સમજી શકાય છે. આજે પણ કેટલાક કહે છે કે ચંદ્ર ઉપર જે ડાઘા દેખાય છે તે સમુદ્રો છે, બીજા કેટલાક તેને ઊંચા પર્વતે કહે છે, કોઈ વળી જ્વાળામુખી કહે છે તેા કાર્ય વળી પાણીની ગરમી કહે છે. universe. The idea that the earth the rate of 100g miles an hour is ridiculous. વિ. ધ. ૩ moves on its axis at -Estrological Magazine, 1946. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪] વિજ્ઞાન અને ધર્મ અમેરિકાના શોધકે કહે છે કે આટલાંટિક મહાસાગર આ પૃથ્વીને એક દેશ હતું, પણ ધૂમકેતુ સાથે અથડાવાથી નાશ પામ્યું છે. જ્યારે ડે. કાઉન્ટસને ભૂતપ્રમાણથી એ મત છે કે આટલાંટિક એક સ્વતંત્ર ગ્રહ હતો અને પૃથ્વી સાથે અથડાવાથી નાશ પામે છે. વળી તે ગ્રહના માનવ મંગળના ગ્રહમાં જઈ વસ્યા છે. ન્યૂટન અને લીવનીઝની વચ્ચે ચલન-કલનની માન્યતામાં વિવાદ હતો. ન્યૂટન કહે છે કે સૂર્યમંડળમાં બુધ સિવાય બીજે ગ્રહ જ નથી. જ્યારે અન્ય વિદ્વાને કહે છે કે સૂર્ય અને બુધની વચમાં વલ્કન નામને ગ્રહ છે. બીજા કેટલાક વળી કહે છે કે અહીં વકન દેખાતે જ નથી. - સાપેક્ષવાદની ઉત્પત્તિ પછી ગેલેલિયે, ન્યૂટન અને ઉકલેદસ વગેરે વૈજ્ઞાનિકના સિદ્ધાંતે અસત્યમૂલક તથા ભ્રમાત્મક સિદ્ધ થયા છે. આ બધી વાતે ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે કે બધી બાબતમાં વિજ્ઞાનનું સંશોધન એ અંતિમ સત્ય નથી. એનું વિધાન સતત પરિવર્તનશીલ રહે છે. આ વાત વર્તમાન જગતના દરેક વિજ્ઞાન-પ્રેમીએ સમજી લેવી પડશે. જ્યારે ને ત્યારે વિજ્ઞાનના સંશોધનને અણીશુદ્ધ સત્ય તરીકે જ મૂલવવાની એક પ્રકારની ઘેલછા સત્યની નજદીક લઈ જવાને બદલે સત્યથી હંમેશા દૂર રાખનારી બની રહે છે. જ્યારે વૈજ્ઞાનિકો પોતે જ પોતાનાં મન્તવ્યને અંતિમ સત્ય તરીકે કલ્પી ન લેવા માટે જોરશોરથી સ્પષ્ટ શબ્દોમાં વિજ્ઞાન પ્રેમીએને જણાવે છે તે વખતે પણ તેનાં વિધાનને પરમ સત્ય તરીકે સ્વીકારી લેવા અને સર્વજ્ઞભાષિત સત્યેની અવગણના કરી નાખવી એ તે ખૂબ જ નાદાનિયતભરી ચેષ્ટા કહેવાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાને [૩૫ અહીં વૈજ્ઞાનિકોનાં પોતાનાં જ મન્તવ્ય રજૂ કરવામાં આવે છે એ ઉપરથી બહુ સ્પષ્ટ રીતે સમજાશે કે વિજ્ઞાનમાં દરેક વિધાનને આંખ મીંચીને અપનાવી લેવું, સત્ય કહી દેવું, એ નર્યું દુઃસાસ છે. વૈજ્ઞાનિક અભિપ્રાય (૧) એક પુસ્તકમાં વૈજ્ઞાનિકો કહે છે કે, “હવે અમે ખૂબ સારી રીતે અને મક્કમતાપૂર્વક એ વાત સમજવા લાગ્યા છીએ કે અમારા અજ્ઞાનને પ્રદેશ કેટલે બધો વિરાટ છે!” . (૨) “ધ મિસ્ટિરીયસ યુનિવર્સ' નામના પુસ્તકમાં સર જેમ્સ જીન્સ કહે છે, “હવે તે એ જ સારું લાગે છે કે વિજ્ઞાન નિત્ય નવી ઘોષણા કરવાનું બંધ કરી દે. કેમકે જ્ઞાનની નદી ઘણી વાર પિતાના મૂળ સંગમસ્થાને પાછી ફરી છે.” ૨ (૩) બીજી એક જગાએ તેઓ લખે છે કે “૨૦ મી સદીને મહાનમાં મહાન આવિષ્કાર “સાપેક્ષવાદ” કે “કન્ટમને સિદ્ધાંત નથી. અને પરમાણુનું વિભાજન થયું તે પણ નથી. આ સદીને મહાન આવિષ્કાર તે એ ચિંતન છે કે વસ્તુ તેવી નથી, જેવી તે દેખાય છે. આની સાથે સાથે સર્વસામાન્ય વાત તે એ છે કે અમે આજ સુધી હજી પરમ વાસ્તવિકતાની પાસે પહોંચ્યા જ નથી.” જ 37. We are begining to appreciate better and more thoroughly how great is the range of our igncrance. --Ibid P. 60. 7. Science should leave off meking Pronounement, the river of knowledge has too often turned back on itself. - Tee mysterious Universe. P. 138. F. The cutstanding achievement of twenteth century physics, is not the theorgy of relativity with its welding together of space and time, or the theory of quantum with Page #51 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ (૪) આઈન્સ્ટાઈન કહે છે કે “અમે તે વસ્તુનું સાપેક્ષ (આંશિક) સત્ય જ જાણી શકીએ છીએ, પૂર્ણ સત્ય છે કેઈ સર્વસ જ સમજી શકે.” ૩ (૫) એક વૈજ્ઞાનિક કહે છે કે, “આજે હવે અમે કાંઈ જ કહી શકતા નથી. કેમકે કેને ખબર કે આ જ્ઞાનની સરિતા હજી પણ આગળ વધીને કેવા અને કેટલા વળાંક લેતી રહેશે ? એટલે અમે હવે એમ કહીશું કે અત્યાર સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે, લખ્યું છે કે વિશેષરૂપથી રેખાંકિત કર્યું છે તે બધું જ ઊડતી. કલ્પનાઓ જેવું અને સાવ જ અનિશ્ચિત છે.* (૫) સર જેમ્સ જીન્સ પિતાના “દશન અને પદાર્થ વિજ્ઞાન નામના એક પુસ્તકમાં ઉપસંહારમાં લખે છે કે ૧૯ મી શતાબ્દી its present apparent nagation of the laws of causatoin of the dissection of the atom with the resultant discovery that things are not what they seem. It is the general recognition thet we are not yet in contact with ultinate reality. -- The Mysterious Universe, P. 3.. 5. We can only know the relative truth; but absolute truth is known only to the universal observer. * So at least we are temnhted to conjecture today, and yet who knows, how many more times the stream of knowledge may turn on itself ! Want might have been interwined into every paragraph that everything that hasbeen sida and every conclusoin that has been tentatively but forwoard is quite frankly speculative and uncertein. -Mysterious Universe, P. 138. Page #52 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં કરતાં વિધાન [૩૭ સુધીના વિજ્ઞાનના ઘણા સારા ગણાતા નિણ્યા આજે આગળની જતા (બરફના) ઘડા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. + આવાં તે અનેકાનેક વિધાના વૈજ્ઞાનિકોએ કર્યા છે, જેમાં તેમણે પોતાના જ્ઞાનની સીમિતતા, શ્રમપૂર્ણતા વગેરેને સ્પષ્ટ રીતે રજૂ કરી છે. એટલું જ નહિ પણ આ વૈજ્ઞાનિકો હવે જેને ધિક્કારતા હતા, જેને વહેમ અને તિંગ કહેતા હતા તે ધર્મની પણ નજદીક તેઓ આવી રહ્યા હેાવાનાં વિધાને કરે છે. તે હવે એમ માને છે કે દર્શન અને વિજ્ઞાન દિવસે દિવસે નજદીક આવતાં જાય છે. એ જ સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ ‘દર્શીન અને પદાર્થવિજ્ઞાન ' નામક પેાતાના પુસ્તકમાં કહે છે કે (૭) “દન અને વિજ્ઞાનની સીમારેખા કે જે એક રીતે સાવ જ નકામી–અર્થહીન બની ચૂકી હતી. તે હવે વૈચારિક પદાર્થ વિજ્ઞાન (થીઓરેટિકલફિઝિકસ)ના ચેલા અદ્યતન વિકાસને કારણે મહત્ત્વપૂર્ણ અને આકર્ષક બની ગઈ છે.” * અરે ! હવે તે વૈજ્ઞાનિકો ધર્મને લાચાર બન્યા છે પરન્તુ ધર્મ અંગેના રેસને દૂર કરવા સજ્જ થવા લાગ્યા છે, સાયન્સ એન્ડ રિલિજિયન ’ 6 કહ્યું છે કે (૮) · કેટલાક લોકોની નામના પુસ્તકમાં એક વૈજ્ઞાનિકે એવી માન્યતા છે, કે ધર્મ એ તે માત્ર ભાવાવેશ છે, ધમ એક પુરાણા ભ્રમ કહેવા તા લેાકેાના હાનિકારક વિચા + Many of the formes conclusions of nineteenth century science, are once again in the melting point! ~Physics & philosophy, P. 217. * Border-Iand teritory between physics and philosophy which used to seem so dull, bnt suddenly became so interesting and important through recent developments of theoretical physics. —Physics & Philosophy-preface. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮] વિજ્ઞાન અને ધર્મ જરીપુરાણે ભ્રમ છે. પણ અમે તે કહીશું કે ધર્મના વિષયમાં પ્રચલિત થયેલા આવા કુવિચારેની પોલ આજના વિજ્ઞાને ઉઘાડી પાડી દીધી છે. માનવ-મસ્તિષ્કના ધર્મની ભ્રામકતા અંગેના હાનિકારક વિચારોને નિમૂળ કરી નાખવાની આજે ખૂબ જરૂર છે.* આ વિધાન ઉપરથી સમજી શકાશે કે વિજ્ઞાન પણ હવે ધર્મ તરફ આદરની દષ્ટિથી જોવા લાગ્યું છે. (૯) એટલું જ નહિ પણ તેઓ તે એમ પણ કહે છે કે છેડા સમય પૂર્વે તે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નાસ્તિક કહેવડાવવું એ તે અમુક મર્યાદા સુધી એક ફેશનની વાત ગણાતી. પણ આજે તે માણસ સારે ગણવામાં આવતું નથી. એવું કહેવાથી એ માણસની કેઈ મેટાઈ થતી નથી. નાસ્તિતા એ એક ફેશનની વસ્તુ છે એ જૂના જમાનાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હતું, જે આજે રહ્યા નથી. * આ બધી વાત ઉપરથી બે વાત આપણે તારવી શકીએ છીએ. (૧) વિજ્ઞાનનાં વિધાન બ્રમપૂર્ણ હોય છે તેથી સતત પરિવર્તનશીલ હોય છે. (૨) વિજ્ઞાન સત્યાન્વેષી જણાય છે [કે હતું? અને તેથી જ તે કેટલીક બાબતોમાં સત્યની વધુ ને વધુ નજદીક આવતું જાય છે. કેટલીક બાબતમાં તે તે સત્યને આંબી જઈને સત્યમાં સર્વાગ વિલીન થઈ જાય છે. જો કે હવે વિજ્ઞાનમાં * The suggestion was assiduously conveyed that religion was an outworn superstition, a morbid senti. ment, as a phase of hysteria, all of which had been exposed by modern science. These misleading and harmful impressions need to be dispelled. - Science & Religion, P. 45 * Not very long ago, it was to some exetent fashio nable in scientific circles to be an Agnostic. But to-day a man who takes pride in his ignorance is blamed and. lionised. The attitude is quite out of fashion. Page #54 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં કરતાં વિધાના [૩૯ પણ રાજકારણે પ્રવેશ કરીને એની સત્યાન્વેષતાને ગળે ટૂંપો દીધા જણાય છે. આ ઉપરથી જણાવવાનું એટલુ જ છે કે ભગવાન જિન સર્વજ્ઞ હતા એ વાતની સિદ્ધિ કરવા માટે એમનાં વચનાની સત્યતાને વિજ્ઞાનની કેટલીક સિદ્ધિઓ દ્વારા સાખિત કરવી છે, છતાં એનું અર્થઘટન એવું કાઈ ન કરી લે કે એનાથી તા વિજ્ઞાનનું મૂલ્ય વધી જાય છે. ના નહિ જ. આવા ભ્રમ ન થાય તે માટે જ વિજ્ઞાનનાં વિધાના કેટલાં બધાં પરિવર્તનશીલ છે એ વાત જણાવવાના અહી` પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેનાં વિધાને વધે વષે સાવ જૂઠાં સાબિત થતાં રહે તેવા વિજ્ઞાનને ગૌરવ આપવાની કોઈ કલ્પના સુદ્ધાં પણુ નથી, પણુ છતાં આવા ચ'ચળ વિજ્ઞાનને પણ ઘણુા માટે માનવસમૂહ ભારે આદરથી જુએ છે તેથી જ એ વિજ્ઞાનની સત્યાન્વેષિતાના (!) ગુણેાથી વિજ્ઞાનને જે કાઈ સ સ્પર્યાં. તે અહીં પ્રગટ કરીને-આવાં આજે શેાધાયેલાં સત્યને તે ભગવાન જિને વાત વાતમાં પ્રકાશ્યાં હતાં—એ વાત અહીં રજૂ કરવી છે અને તે ઉપરથી એમ સમજાવવું છે કે તેથી જ તે ભગવાન જિન અવશ્ય સર્વજ્ઞ હતા. આમ વિજ્ઞાનનાં સંશોધિત સત્યાથી ભગવાન જિનના તત્ત્વજ્ઞાનની સહજ સત્યમયતા પ્રકાશમાં લાવીને એ તત્ત્વજ્ઞાનના પ્રરૂપક ભગવાન જિનની સજ્ઞતા સિદ્ધ કરવી છે. બેશક, વિજ્ઞાનથી સર્વવિજ્ઞાનમય એવા તત્ત્વજ્ઞાનની સત્યતા સાબિત કરવાના પ્રયત્ન હાસ્યાસ્પદ તા લાગે જ છે. વિજ્ઞાન એ ફૂટપટ્ટી છે, તત્ત્વજ્ઞાન તા સ્વયંભૂરમણુના સાગર છે. ફૂટપટ્ટીથી કઢી સાગર મપાશે ખરે ! દરદીના શરીરનું ઉષ્ણતામાન જણાવતું થર્મોમીટર જમશેદપુરની લેાખડ ગાળતી ભઠ્ઠીની ઉષ્ણુતા માપી આપશે? કે સૂર્યની ગરમીનું માપ જણાવી શકશે ? Page #55 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધમ ગમે તેમ હોય, પણ જગતને એક ન્યાય છે કે સોના જેવી બહુમૂલ્ય ચીજ પણુ તુચ્છ એવી ચણાઠીથી તેાલાય છે. એક તાલા સેનામાં લાખા ચણાઠી ખરીદી શકાય તેમ હોવા છતાં સેનાના વજનના તેાલ તા એ ચણાઠી જ કરે છે. ગૌરવવંતુ તત્ત્વજ્ઞાન છેઃ સો ટચનું સોનું. ચણાઠી સમુ` છે: આજનું વિજ્ઞાન. જગતના આ ન્યાય લક્ષમાં લઈને જ અહીં વિજ્ઞાનથી તત્ત્વજ્ઞાનને તાલવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે. આ ન્યાયને કોઈ નવીસરે. વિજ્ઞાન એ માત્ર ચણેાઠી છે, તત્ત્વજ્ઞાન એ સુવર્ણ છે એ વાત પણ કોઈ ન ભૂલે. નહિ તે અનર્થ થઈ જવાના પૂ સંભવ છે. ૪૦] આજના બુદ્ધિવાદી માનવની એક મોટામાં મેોટી માનસિક નબળાઈ છે કે તેનું માં તે હુમેશ પશ્ચિમ તરફ જ રાખે છે. તેને બધું ય પશ્ચિમનું જ ગમે છે. ભલે પછી ત્યાં બારે માસ ઠંડી પડતી હાય અને તેથી લાકો ગરમ કપડાં પહેરતા હેાય; તાય ભારતીય જન એનું અંધ અનુકરણ કરવા સુધી તૈયાર-રહેવાના અને તેમાં પાછા ગૌરવ લેવાને. પશ્ચિમના દેશો તરફના આવા અંધ અનુકરણે તે ભારતની પ્રજા પાયમાલ થઈ રહી છે. છતાં હજી આંખ ઊઘડતી નથી એ જ એની કમનસીબી છે. સાંભળ્યું છે કે રવીન્દ્રનાથ ટાગોરે ભગવદ્ગીતા ઉપર ગીતાંજિલ નામક એક પુસ્તક લખ્યું હતું. ભારતમાં એ પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂકયુ ત્યાં સુધી તા ભારતના લોકોએ કદર ન કરી. પરંતુ જ્યારે એ પુસ્તક પરદેશેામાં ગયું અને ત્યાં તે પુસ્તક ઉપર તે વનું નેબેલ પારિતોષિક ગીતાંજલિને મળ્યું ત્યારે ભારતીય વિદ્વાને એ એની મુક્તક પ્રશંસા કરી. જ્યારે આ પારિતાષિક Page #56 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાનો ૪૧ જાહેર થયું ત્યારે રવીન્દ્રનાથ નો બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. બંગાળાના સમર્થ વિદ્વાનો અને શ્રીમંતોનું એક ડેપ્યુટેશન રવીન્દ્રનાથને અભિનંદન આપવા આવ્યું. જ્યારે ટાગોર સ્નાન કરીને બહાર નીકળ્યા કે તરત બધાએ તેમને અભિનંદન આપ્યા. ટાગોર આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે, “પણ છે શું? શાનાં અભિનંદન! અને શાના ફૂલહાર !” ત્યારે જ તેમને જાણવા મળ્યું કે તેમને ગીતાંજલિ ઉપર નેબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એ જાણીને આશ્ચર્ય થશે કે આટલું જાણ્યા પછી ટાગેર આનંદિત થવાને બદલે ઉદાસ થઈ ગયા! ખિન્નવદને તેઓ બોલ્યા, મને માફ કરે જે, તમારા અભિનંદન અને ફૂલહાર સ્વીકારી શકતા નથી. તમારી પાસે આ ગીતાંજલિ આવી ત્યારે તમે તેની કદર કરી ન શક્યા અને હવે જ્યારે અંગ્રેજો એ પુસ્તકની કદર કરે છે ત્યારે જ તમને એમ લાગ્યું કે આ પુસ્તક કદરપાત્ર છે? અને તેથી જ હવે તમે મને અભિનંદન આપવા દોડી આવ્યા છે ને ! જે તમારામાં કદર કરવાજોગી પણ સ્વતંત્ર બુદ્ધિમત્તા ન હોય, જે તમે આ રીતે અંગ્રેજોની સામે જ સદા જઈને બેસી રહેતા હોવ તે મારે એવી ભાડૂતી કદરની કશી જરૂર નથી !!! અંગ્રેજોની કદરથી મારા પુસ્તકની તમે કદર કરો એ સ્થિતિ મને નાપસંદ છે !!!!” જેવું આ પ્રસંગમાં બન્યું તેવું જ પ્રસ્તુત પુસ્તકનાં લેખનના વિષયમાં પણ બની શકે. કોઈ એવી પણ કલ્પના કરી શકે કે જે તત્ત્વજ્ઞાનનું સત્ય સ્વયમ્ભ છે, સ્વતઃસિદ્ધ છે એ તત્વજ્ઞાનની સત્યતા વળી વિજ્ઞાનની શેઠેથી કરાતી હશે? અને જે આ રીતે વિજ્ઞાન દ્વારા તત્ત્વજ્ઞાનની મહાનતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેમાં તત્ત્વજ્ઞાનની સાથે સાથે વિજ્ઞાનનું પણ વિશિષ્ટ મૂલ્યાંકન થઈ જતું નથી ? આ બધા પ્રશ્નો કે વિચારની સામે એક જ જવાબ છે કે વિજ્ઞાનવાદનું આજે જગતને ખૂબ જ આકર્ષણ છે માટે જ તેના Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨] વિજ્ઞાન અને ધ દ્વારા તત્ત્વજ્ઞાનની સત્યતાને સિદ્ધ કરવાના વિનમ્ર પ્રયત્ન કરવામાં આવ્યેા છે, આજનુ લેાકમાનસ જ એવા પ્રકારનું છે કે તે સીધી રીતે શ્રદ્ધાના બળથી તત્ત્વજ્ઞાનને હૃદયથી ચાહી શકતું નથી. એટલે તત્ત્વજ્ઞાન તરફ તેની નજરને પાછી સ્થિર કરવા માટે તત્ત્વજ્ઞાન સાથે તેના જીવનને સુભગ મેળ બેસાડવા માટે જ વિજ્ઞાનથી તત્ત્વજ્ઞાનનાં સત્યે સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. શ્રીજી વાત એ છે કે વિજ્ઞાનનુ ખંડન કરીને તેાષ લેવા કરતાં શા માટે પ્રાપ્ત થતી સમન્વય-ષ્ટિ અપનાવીને તેનાં સુ'દર સત્યાને નજરમાં લાવીને તત્ત્વજ્ઞાનનું મૂલ્ય વધુ સારી રીતે જગતમાં ન સ્થાપવું ?આ રીતે પણ એક વાર જે જીવાત્મા તત્ત્વજ્ઞાન તરફ આકર્ષાશે, ભગવાન જિતની સર્વજ્ઞાતા ઉપર વિશ્વાસ કરવા લાગશે, એ સર્વજ્ઞતાના મૂળમાં રહેલી એમની વીતરાગતાને વધાવશે તે શુ' એ આત્મા કલ્યાણપંથના પથિક નહિ અને શું ? આ બધી મંગળમયી કામનાઓને અંતરમાં ભરીને વિજ્ઞાન તત્ત્વજ્ઞાનને નજરમાં રાખવામાં આવ્યાં છે અને એમને કલમમાં ઉતારીને તત્ત્વજ્ઞાનની વિજયપતાકા ગગનમાં લહેરાવવાને અને ભગવાન જિનને સિદ્ધ કરવાના મગળ સંકલ્પ કરવામાં આવ્યે છે. પ્રસ્તુત ગ્રન્થમાં તે સર્વજ્ઞ ભગવાન જિનના તત્ત્વજ્ઞાનનાં કેટલાં સત્યેા રજૂ કરી શકાય? વિજ્ઞાનને હજી ઘણાં બધાં સત્યા પ્રાપ્ત કર્યા. પણ નથી સ્તા—એટલે વાતે મગજમાં પણ ન બેસે તેવી વાતાને ભારે જહેમત ઉઠાવીને, અનેક જીવન અપીને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી તેમાંની ૩૦-૪૦ વાત કે જે મારા ખ્યાલમાં છે--તત્ત્વજ્ઞાનની અંદર તેા તુજારો વર્ષ પહેલાં કહેવાઈ ગયેલી છે; જિનાગમાના ગ્રન્થામાં કણ્ડારાયેલી પડી જ છે. આવું જ ખતાડી દેવામાં આવે તે તત્ત્વજ્ઞાનનાં બાકીનાં બધાં સત્યા ઉપર અપૂ વિશ્વાસ ન બેસી જાય શું? ભાત ચડયો છે કે નહિ તે જોવા તપેલીના બધા દાણા દાખીને જોવાના ન હેાય. એ તે ચાર દાણા ઉપરથી જ અધાના Page #58 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનનાં ફરતાં વિધાના [૪૩ નિર્ણય થઈ જાય. આવુ' જ પ્રસ્તુતમાં સમજી લેવુ. જોઈએ કે જે ખૂબ જ ગહન કહી શકાય તેવી ૩૦-૪૦ બાબતાનાં શુદ્ધ સત્યે તત્ત્વજ્ઞાનમાં પડયાં જ છે તે તે તત્ત્વજ્ઞાનનાં બીજા તમામ વિધાનાની સત્યતામાં શકા કરવાની રહેતી જ નથી. જેની ૩૦-૪૦ અગમ અગેાચાર વાતે સત્ય સિદ્ધ થઈ જાય તે આખું ય તત્ત્વજ્ઞાન સત્યમય સાબિત થઈ જ જાય. પછી તા, તે તત્ત્વજ્ઞાનના કહેનારા જે કાર્ય હાય તે અવશ્ય સર્વજ્ઞ હાવા જોઇએ એવું પુકાર કરીને કહી દીધા વિના રહી શકાય નહિ. ચાલા ત્યારે, હવે એક પછી એક એવી અનેક બાબતને જોઇએ જેને; વૈજ્ઞાનિકે તે આજે જ મેલ્યા; તે ય ભારે જહેમતે અને અનેક જીવનેાના ભાગ આપ્યા પછી. જેને ભગવાન જિન તેા કશા ય પરિશ્રમ વિના; વાત કરતાં કરતાં જ કહી ગયા હતા. ચાલા, ચાલા હવે એ વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનનનાં વિધાના તપાસીએ. અને સુજ્ઞ ભગવંતને પુનઃ પુનઃ વંદના અતા જઈ એ, Page #59 -------------------------------------------------------------------------- ________________ # " I C - - - - - - - - - - - D-6- ખંડ: ૨ - - [ ચાર વિભાગમાં ] - - - - આત્મવિજ્ઞાન - - - - - - વિભાગ પહેલે - આત્મા અને પુનર્જન્મ - * 22 23 24 25 Page #60 -------------------------------------------------------------------------- ________________ [૪] જૈન દષ્ટિએ આત્મા = જસ્થાન વિચાર જગતમાં બે તત્વ છે. જડ અને ચેતન. આ બે ય ત અંગે વિજ્ઞાન અને તત્વજ્ઞાનનું મન્તવ્ય . કેટલે સમન્વય પ્રાપ્ત કરે છે તેને આપણે વિચાર કરીશું. પ્રથમ તે આત્મા અંગે વિચાર કરીશું. વર્તમાન વિજ્ઞાન, આત્માનું અસ્તિત્વ સ્વીકારતું જાય છે એ વાત હવે ઘણું વિજ્ઞાનપ્રેમીઓ જાણે છે. પ્રથમ તે જિનાગમની દષ્ટિએ આત્માનું શું સ્વરૂપ છે તે જોઈએ. જૈન આગમોમાં આત્માની શાશ્વતતા અંગે જેટલું સ્પષ્ટ વિધાન મળે છે એટલું બીજે ક્યાં ય મળતું નથી. જેન દષ્ટિએ આત્મા નિત્ય છે અને દેહથી ભિન્ન છે. આત્મા પિતાના સ્વરૂપથી નિત્ય હોવા સાથે જુદા જુદા મનુષ્યાદિ સ્વરૂપે તે અનિત્ય પણ છે જ. એટલે કે પિતે નિત્ય હોવા છતાં મનુષ્ય, સ્ત્રી, પશુ, દેવ વગેરે સ્વરૂપે તેનાં જુદાં જુદાં પરિણમે તે થતાં જ રહે છે, આમ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬] વિજ્ઞાન અને ધર્મ તે તે પરિણામ સ્વરૂપ મનુષ્યાત્મા, સ્ત્રી આત્મા, પશુઆત્મા, દેવાત્મા વગેરે અનિત્ય છે કેમકે મનુષ્ય વગેરે સ્વરૂપ આત્માને નાશ થાય છે, છતાં આત્માને પિતાને સ્વરૂપથી તે નાશ થઈ જતું જ નથી. સેનાની ઢીંગલી નાશ પામે અને તેમાંથી પછી સોનાની બંગડી બનાવવામાં આવે ત્યારે ઢગલસ્વરૂપ સેનાને નાશ થવા છતાં સેનું પતે તે કાયમ જ રહ્યું અને તેથી તેમાંથી બંગડી બની. અહીં ઢીંગલી કે બંગડી એ સેનાનાં પરિણમે છે. બધી અવસ્થામાં સેનું પતે કાયમ રહે છે. આવું જ આત્માનું બને છે. મનુષ્યાત્માને નાશ થાય અને દેવાત્મા તરીકે ઉત્પાદન થાય છતાં બને અવસ્થામાં આત્મા તે - કાયમ જ રહે છે એટલે જ પોતાના મૂળ સ્વરૂપની દષ્ટિએ આત્મા નિત્ય છે, પણ એનાં જુદાં જુદાં પરિણામેની દષ્ટિએ આત્મા અનિત્ય છે. પણ આ જ વાતને ટૂંકમાં એમ કહી શકાય કે આત્મા પરિણામી, નિત્ય છે. એટલે આત્મા જેવી દેહથી ભિન્ન એક સ્વતંત્ર વસ્તુ છે અને તે પરિણમી નિત્ય છે એ વાત નક્કી થઈ. આવો આત્મા કમને કર્તા પણ છે, સમગ્ર આકાશમાં સર્વત્ર એવા એક પ્રકારની રજકણે ઠાંસીને ભરેલી છે જેને આત્મા પિતાની ઉપર સતત ચૂંટાડતે હોય છે. આ સંસારમાં વસતે દરેક આત્મા રાગ અને રેષથી યુક્ત જ છે અને તે મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પણ યુક્ત જ છે. આ રાગરેષના ભાવો અને મન વગેરેની પ્રવૃત્તિઓને કારણે જ આત્મા દરેક સમયે પેલી રજકણોને ઝડપતે જ રહે છે. જેમ ચુંબકમાં ચુંબકીયત્વ હોવાથી તે લેહકણેને ખેંચે છે તેમ આત્મામાં રહેલું રાગાદિ ભાવોનું ચુંબકીયત્વ પેલી રજકણને ખેંચતું જ રહે છે. જે આત્મા રાગાદિ ભાવના Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ આત્મા : ષટ્રસ્થાન વિચાર [૪૭ ચુંબકીયત્વ બળ વિનાના બનીને સિદ્ધ પરમાત્મા બને છે તેઓને જ આ ભયાનક રજકણે ચૅટતા નથી. આ રજકણો આત્માને લાગે છે ત્યારે પછી તેને કેમ કહેવાય છે. દરેક રજકણ “ટાઇમ-ઍમ્બ છે. જ્યારે જ્યારે એ ટાઈમ બોમ્બ ફાટે છે ત્યારે તે આત્માને સુખ કે દુઃખ આપે છે, જીવન કે મૃત્યુ આપે છે, પુરુષપણું કે સ્ત્રીપણું, માનવજીવન કે પશુ જીવન, શ્રીમંતાઈ કે ગરીબાઈ આપે છે. જેવા રાગાદિ ભાવથી રજકણે આત્મા ઉપર ચૅટ્યા હોય તેવાં ફળો સમય પાકતાં તે રજકણે, અવશ્ય બતાવે છે. કોઈ એ રેષ કરીને કીડી જેટલા જન્તની હત્યા કરી, કેઈએ ચેરી કરી, કેઈએ મિત્ર સાથે માયા-કપટ કર્યા તે વખતે જે રજકણે આત્માને ચૂંટ્યા, તે રજકણે પિતાને સમય પાતાં જ એ આત્માને દુઃખ આપે, મૃત્યુ આપે, સ્ત્રીપણું આપે, પશુ જીવન વગેરે આપે. એ જ રીતે સારું કામ કરતાં જે રજકણે આત્મા ઉપર ચૂંટે છે તે રજકણે સુખ, જીવન, શ્રીમંતાઈ વગેરે આપે છે. જડ એવા રજકણેને પણ આ સ્વભાવ છે. દરેક જડ વસ્તુને પિતાને આગ સ્વભાવ હોય છે. સ્વભાવ સામે દલીલ કામ કરતી નથી. અગ્નિને સ્વભાવ છે દઝાડવાને, પાણને સ્વભાવ છે ઠારવાને. અહીં એ પ્રશ્ન થઈ શકતું નથી કે પાણીને દઝાડવાનો સ્વભાવ કેમ નહિ? અગ્નિને દઝાડવાને જ સ્વભાવ શા માટે? આ ઉપરથી એ વાત સમજાઈ જશે કે આત્મા કમીને (રજકોને) પિતાની ઉપર ચૂંટાડવાની ક્રિયા કરતે હેવાથી કમને કર્તા છે અને જ્યારે જ્યારે એ રજકણો પિતાનાં ફળે બતાવે છે ત્યારે તેને આત્મા ભગવે પણ છે જ; માટે આત્મા કર્મને ભક્તા પણ છે. આવાં કર્મોથી આત્મા સર્વથા છૂટો થઈ જાય તેનું નામ આત્માને મોક્ષ છે. ભલે અનાદિ કાળથી આત્મા અને કમને સંબંધ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮] વિજ્ઞાન અને ધર્મ હોય છતાં પણ શુદ્ધધર્મના સેવનથી એ સંબંધનો અંત જરૂર આવી શકે છે. સોનું અને માટી ચિરકાળથી સંબદ્ધ હોવા છતાં અગ્નિના પ્રયોગથી શું તે બેને સંબંધ મટી જતો નથી ? શું સોનું શુદ્ધ બની જતું નથી ? આ જ રીતે આત્મા પણ જ્યારે કર્મથી મુક્ત બને છે ત્યારે તે શુદ્ધ બનેલે આત્મા, ઉપર આવેલી સિદ્ધશિલામાં જઈને સદાને માટે સ્થિર થઈ જાય છે. ત્યાં તેની સાથે શરીર વગેરે કશું જ હોતું નથી. જે છે તે માત્ર પોતે જ છે, પિતાના જેવા અગણિત આત્માઓ છે. સદાકાળ માટે તે પિતાના જ આત્મિક શુદ્ધ આનંદને માણ્યા કરે છે. પછી તે કદાપિ આ જગતમાં અવતાર લેતું નથી. જે કઈ જીવ એવા એવા શુદ્ધાત્મા પરમાત્માનું ધ્યાન ધરે છે તો તે પણ કર્મથી મુક્ત થતે શુદ્ધાત્મા પરમાત્મા બની જાય છે. જેમ સઘળાં કર્મથી આત્માને મેક્ષ થાય છે તેમ તે કર્મથી મુક્ત થવાના ઉપાય પણ છે. એવું નથી કે એ મેક્ષ અકસ્માત થઈ જાય છે. જન્મ, જરા, રેગ, શેકાદિનાં ભયંકર દુઃખોથી મુક્ત થવું જ રહ્યું અને તે માટે જે ઉપાયે છે તેને જીવનમાં અપનાવવા જ રહ્યા. એ ઉપાયો છે ભગવાન જિનેશ્વરેએ બતાવેલું સાચું દર્શન, સાચું જ્ઞાન અને ઉત્તમ સદાચાર. આ ત્રણેય અગ્નિની ભઠ્ઠી સમા છે, જેમાં આત્મ-સુવર્ણ, કમના મેલથી છૂટું થઈ જઈને એકદમ શુદ્ધ બની જાય છે. આજે જૈનદર્શનમાં આત્મા અંગે આ છ વાતે બતાવી છે; કે આત્મા છે, તે પરિણામી નિત્ય છે. કમને કર્તા છે, કર્મનો ભક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય પણ છે.* + : શાસ્મારિત જ પરિળામ, વદ્દ સર્મા વિજળ ! મુશ્ચ સ્તચો, હિંસાડડઠૂંસાહિતુ તે પ્રમાણનયતવા. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ આત્મા : ષટસ્થાન વિચાર [૪૯ જૈન દાર્શનિકેએ આત્મા, કર્મ અને મોક્ષના વિષય ઉપર સેકડે ગ્રંથ લખ્યા છે, આત્મા અને કર્મને અનાદિ કાળથી સગ છે માટે એ સંગથી ઉત્પન્ન થયેલે આ સંસાર પણ અનાદિ કાળથી છે. આત્માના આ સંસારને પહેલો ભવ હોઈ શકે નહિ. કૂકડી અને ઈંડું એ બેમાંથી પહેલું કેણ? કદી પહેલા પિતા હોઈ શકે? કે જે કોઈ પણ પિતાના પુત્ર જ ન હોય ? એ પ્રશ્નને જેમ ઉત્તર નથી તેમ આત્માના સંસારને પહેલે ભવ કર્યો? એ પ્રશ્નને પણ ઉત્તર નથી. અસ્તુ. આપણે ખૂબ સંક્ષેપમાં જેનાગમોનું આત્મા અંગેનું તત્વજ્ઞાન જોયું. વિ. ઘ. ૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા હવે આત્મા અંગેનું આધુનિક વિજ્ઞાનનું મન્તવ્ય તપાસીએ. એક સમય તે એ હતું કે લગભગ બધા વૈજ્ઞાનિકે આત્મા જેવી દેહથી અતિરિક્ત કઈ ચેતના માનવા તૈયાર જ ન હતા. વૈજ્ઞાનિક સંશોધને માત્ર પરમાણુ વગેરે જડ પદાર્મોને અનુલક્ષીને જ રહેતાં અને તેથી જટના આવિષ્કારની બાબતમાં વિજ્ઞાને સાચે જ આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું ખેડાણ કરી નાંખ્યું છે. પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકે આત્મા અંગે પણ કંઈક ચિંતન કરવા લાગ્યા છે અને તેઓ દેહથી ભિન્ન, દેહમાં રહેનારી એવી કઈ ચેતનાની કલ્પના તે જરૂર કરે છે. પાશ્ચાત્ય જગતને પ્રથમ દાર્શનિક પ્લેટ કહે છે કે સંસારના તમામ પદાર્થો દ્રુદ્ધાત્મક છે. એટલે જીવનની પછી મૃત્યુ અને મૃત્યુની પછી જીવન અનિવાર્ય છે. (જુઓ પાશ્ચાત્ય દર્શનેને ઈતિહાસ) આ જ રીતે “સુરત” “અરન્તુ આદિ દાર્શનિક વિદ્વાનેની નિષ્ઠા પણ પુનર્જન્મના સિદ્ધાંતમાં રહેલી જાણવા મળે છે. આ તે દાર્શનિની દુનિયાની વાત થઈ. હવે વૈજ્ઞાનિકેની દુનિયામાં નજર નાખીએ. Page #66 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક દષ્ટિએ આત્મા [૫૧ (૧) આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે, “હું જાણું છું કે સમગ્ર પ્રકૃતિમાં ચેતના-તત્ત્વ કામ કરી રહ્યું છે.' × (૨) સર એ. એસ. એર્ડિંગ્ટન કહે છે કે, કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે તે શું છે? હું ચૈતન્યને મુખ્ય માનું છું. અને ભૌતિક પદાર્થને ગૌણ માનું છું. જરીપુરાણા નાસ્તિકવાદ હવે ચાલ્યા ગયા છે. ધર્મ એ આત્મા અને મનના વિષય છે અને તે કોઈ પણ પ્રકારે દૂર કરી શકાય તેમ નથી.” * (૪) “ મિસ્ટિરિયસ યુનિવર્સ` '' નામના પુસ્તકમાં સર જેમ્સ જીન્સ કહે છે કે આજકાલ એ વાત સ્વીકારવાના વિસ્તૃત માપદંડ પ્રસ્તુત થયા છે કે, “વે જ્ઞાનની સરિતા અયાન્ત્રિક વાસ્તવિકતાની તરફ વહેવા લાગી ગઈ છે. યંત્ર કરતાં વિચારની અધિક સમીપમાં આજનું વિશ્વ જણાય છે. મને હવે એવી કોઈ ચીજ નથી જણાતી જે જડની દુનિયામાં કયાંકથી અકસ્માત્ ટપકી પડી હોય.” + × : I believe that intelligence is manifested throughout all nature -The Modern Review of Colcutta, July, 1936. * : Something_unknown is doing we do not know what? I regard_consciousness as fundamental, I regard matter as derivative from consciouness. The old atheism is gone. Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken. --The Modern Review of Calcutta, July, 1936. + : Today there is a wide measure of agreement that the stream of knowledge is heading towards a non-mechanical reality. The Universe begins to look more like a great thought then like a great machine. Mind no longer appears as an acidental itntruder into the realam of mother. ~Mvsterions Universe, P. 137 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૨] વિજ્ઞાન અને ધર્મ (૪) હર્બર્ટ સ્પેન્સર કહે છે કે “ગુરુ યા ધર્મગુરુ, ખૂબ જ સારા પ્રાચીન કે અર્વાચીન દાર્શનિક, પશ્ચિમના હોય કે પૂર્વનાબધાએ એ અનુભવ કર્યો છે કે તે અજ્ઞાત અથવા અરેય તત્વ પિતે જ છે.” * (૫) ધ ગ્રેટ ડિઝાઈન” નામના પુસ્તકમાં સર. જે. એમ. શઅસન કહે છે કે “સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં એવી એક પ્રક્રિયા થઈ રહી છે કે જે મન સાથે કોઈ સંબંધ રાખે છે. નાનામાં નાના અમીબાથી લઈને એક આન્તરિક અને વૈજ્ઞાનિક જીવનનું ઝરણું વહી રહ્યું છે. ક્યાંક એ સ્ત્રોત પાતળે છે તે ક્યાંક બળવાન. ભાવના, કલ્પના અને હેતુ એ બધી પ્રવૃત્તિઓ એની અન્તર્ગત છે, અરે ! બેભાન અવસ્થા પણ એની અન્તર્ગત છે.”+ (૬) જે. બી. એસ. હેલ્ડન કહે છે કે, “સત્ય હકીકત તે એ છે કે વિશ્વનું મૌલિક તત્વ જડ (Matter) નથી, બળ (Force) નથી, અથવા ભૌતિક પદાર્થ (Physical substance) નથી પરંતુ મન અને *: The teachers and founders of the religion have all taught and many philosophers ancient and modern, western and easrern have perceived that this unknown and unknoable is our very self, -First Principles, 1900 +: Through our the world of animal life, there are experessions of something akin to the mind in our. selves. There is from Amoeba upwards a stream of inner and subjective life. It may be only a slender rill, but somes it is a strong current. It includes feeling, imagining. Purposing. it includes unconscious. - The Great Design. Page #68 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા ચેતના જ છે.” * (૭) આર્થર એચ. કેપ્ટન તા આત્માની નિત્યતા અંગે મહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે, “એક નિર્ણય કે જે એમ દેખાડે છે કે મૃત્યુ પછી પણ આત્મા જેવી વસ્તુ ઊભી રહે છે. જ્વાળા એ કાથી ભિન્ન છે. કાષ્ટ તે થોડા સમય માટે એને પ્રગટ કરવા માટે ઇન્જનનું કામ કરે છે.” × (૮) સર એલિવર લેાજ કહે છે કે, “એક એવા સમય અવશ્ય આવશે જ્યારે વિજ્ઞાન દ્વારા અજ્ઞાત વિષયનું અન્વેષણ થશે. આપણે જેવું માનીએ છીએ તેના કરતાં ઘણું અધિક તે વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્વ છે. વસ્તુસ્થિતિ તે એ છે કે આપણે તે આધ્યાત્મિક જગતની મધ્યમાં છીએ; જે ભૌતિક જગતથી પર છે. " + (૯) વળી તેઓ એક જગાએ કહે છે કે “ જેમ મનુષ્ય એ દિવસની વચ્ચે રહેલી રાત્રિમાં સ્વપ્ન જુએ છે તે જ રીતે મનુષ્યને : * [૫૩ +: The truth is that, not motter, not forces, not any physical thing but mind, personality is central fact of the Universe. tne —The Modern Review of Calcutta, July, 1936 consciousness after x: A conclusion which suggests... the possibility of death... the flame is distinct from the log of wood which serves it temporaxily as fuel, The time will assuredly come when the avenuse use into unknown regiory will be explored by science. The Universe is a more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. -Sir Oliver Lodge. Page #69 -------------------------------------------------------------------------- ________________ પણ જવું એ સમયમાં ૫૪] વિજ્ઞાન અને ધર્મ આત્મા મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચે વિશ્વમાં અહીંતહીં વિહરે છે.” * આ વિધાન આત્માના અવિનાશી અસ્તિત્વની કેટલી મહત્વની વાત રજૂ કરે છે? વૈજ્ઞાનિકે પણ આ રીતે પુનર્જન્મ માનતા થયા. અને આત્મા જેવું એક નિત્ય તત્વ સ્વીકારવા લાગ્યા કે જે એક સમયમાં તદ્દન અસંભવિત બાબત હતી, જેને બાઈબલ જેવા તેમના ધર્મગ્રન્થમાં પણ સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યું છે! જિનાગમની અંદર આત્માના અવિનાશી સ્વરૂપની વાત ખૂબ જ સ્પષ્ટ રીતે પહેલેથી કહેવાઈ ચૂકી છે. એ જ હકીકત તેના પ્રરૂપકેની સર્વજ્ઞતાને અકાય રીતે સિદ્ધ કરી આપે છે. (૧૦) “ધ ગ્રેટ ડિઝાઈન” નામનું એક પુસ્તક છે, જેમાં દુનિયાના મહત્વના ગણાતા વૈજ્ઞાનિકોએ પિતાના સામૂહિક અભિપ્રા. આપ્યા છે. આ પુસ્તકમાં સ્પષ્ટરૂપે એ વિચાર રજૂ કરવામાં આવ્યું છે કે, આ વિશ્વ એમ ને એમ કાંઈ બની ગયું નથી. એની પાછળ કેઈ ચેતનાશક્તિ કામ કરી રહી છે.” એક પુસ્તકમાં તે સ્પષ્ટ લખ્યું છે કે, “આજે એ વાતનું મજબૂત પ્રમાણ મળે છે એવી પણ ઘટનાઓ આ વિશ્વમાં બને છે કે જે વિજ્ઞાનના નિયમોથી સમજી શકાતી નથી. ઘટનાઓ. એક કઠિન શબ્દ દ્વારા સમજાવી શકાય છે. એ શબ્દ છે. “સાઈકિકલ (psychical ), આ શબ્દને વિકાસ એક ગ્રીક શબ્દમાંથી થયે છે, જેને અર્થ છે આત્મા. આ ઘટનાઓને સંબંધ આત્માની સાથે કલ્પી શકાય તેમ હતું, શરીરથી નહિ.”+ *: The soul of man paeses between death and rebirtn in this world, as he passes through dreems in the night between day and day. - Sir Oliver Lodge + : But to-day unanswersble proof exists tnat thiogs do happen which appear to be out side all known physical class. Such happenings are called by the Page #70 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા [૫૫ (૧૧) પી, ગેસ્ડેસ કહે છે કે, “કેટલાક એવા વિદ્વાના છે કે તેમણે પોતાની માનવતા મીટીયેારાઇટ વેહીકલ થિયરી છે. તેમણે એવું સૂચવ્યું છે કે જીવન એટલું જ પુરાણુ જય.' આવા તા ખીજા અનેક વૈજ્ઞાનિકાના વિચારો અહી રજૂ કરી શકાય તેમ છે. 'માં જણાવી છે જેટલું આ બધાં પ્રમાણેા ઉપરથી એ વાત હવે નિ:સદેહ રીતે કહી શકાય છે કે કયાંક વિજ્ઞાન પેાતાના વિકાસની સાથે સાથે આત્માવાદી થતું જાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આત્માના વિચારના જે પાયા ઉપર આજ સુધી તત્ત્વજ્ઞાન ઊભું રહેલું હતું, તે જ પાયા ઉપર હવે વિજ્ઞાન રહેવા લાગ્યું છે અને વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના આત્માના વિષયમાં આ રીતે સુમેળ સધાતા જાય એ સાચે જ ખૂબ આનંદની બીના છે. વિજ્ઞાન પ્રતિ જનસમાજના આદર વધતા જાય છે અને આ તત્ત્વજ્ઞાન પ્રત્યે વધુ ને વધુ ઔદાસીન્ય આવતું જાય છે; પણ જો આ રીતે વિજ્ઞાન સ્વય જનસમાજને વશ કરીને તત્ત્વજ્ઞાનના જ ક્ષેત્રમાં તાણી જાય તેા જનસમાજમાં ફ્રી કદાચ ધર્મના પાયા ઉપર આર્યસંસ્કૃતિનું નવનિર્માણ થવાની શકયતા વધતી જાય. (બેશક આ તરંગી કલ્પના છે. વસ્તુતઃ કાઈ પણુ રીતે એને બિરદાવી શકાય તેમ નથી.) rather difficult name of psychical which come from Greak word meaning the soul. Because such things were formerly supposed to have to do with the soul and not with the body. *: Some authorities who have found satisfaction in the Meteorite Vehicle Theory have also suggested that life is as old as matter. —Evolution P, 70 Page #71 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ આ રીતે વિજ્ઞાને આત્માનું જે અસ્તિત્વ અંતે સ્વીકાર્યું તેને જૈન દર્શનકારોએ તે પરિપૂર્ણ સત્ય સ્વરૂપમાં પહેલેથી જ સ્વીકાર્યું છે. આ વાત જાણુને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે જેને વૈજ્ઞાનિક ઘણા પ્રયને પામે છે તેને જેનાગમમાં ઠેર ઠેર રજૂ કરવામાં આવે છે. શું!!! સાચે જ એવાં વિજ્ઞાને કરનાર ભગવાન જિન સર્વજ્ઞ જ હતા. કઈ પણ પ્રગ વિના, કેઈ પણ સંશોધન વિના કઈ રવિક્ષક યંત્ર વગેરે રાખ્યા વિના જેઓ આજના વૈજ્ઞાનિકની વાતને અગણિત વર્ષોથી એક અવાજે એકસરખી રીતે કહેતા આવ્યા તે બધાયને એવું કઈ વિશિષ્ટ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થયું હોવું જોઈએ જેના બળે જ આવા અતીન્દ્રિય પદાર્થ સંબંધમાં સ્પષ્ટ સત્ય જણાવી શક્યા હતા. આત્મા જેવી કોઈ ચેતાત્મક વસ્તુ છે તે વાત વૈજ્ઞાનિક પણ માને છે એટલું હજી તે જાણ્યું; પરંતુ વશીકરણવિદ્યાથી, જાતિ સ્મરણથી, પ્રેતેના આગમનથી, પ્લાન્ચેટ વગેરે સાધનથી પણ આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ અને પૂર્વજન્મ વગેરે સિદ્ધ થઈ ચૂક્યા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ [૬] વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ જૈનદર્શનમાં આત્માના અસ્તિત્વ અંગે શંકાને કોઈ સ્થાન જોવા મળતું નથી. સમગ્ર સચરાચર જગતની સમ-વિષમ તમામ અવસ્થાઓ ત્યારે જ ઘટમાન બની શકે, જ્યારે આત્મા જેવી એક વસ્તુ માનવામાં આવે, તેને નિત્ય માનવામાં આવે, કર્મને કર્તા અને લેતા માનવામાં આવે, એ કર્મને સંપૂર્ણ વિનાશ માનવામાં આવે, અને સર્વ કર્મમુક્ત બનવા માટેના ઉપાયેનું અસ્તિત્વ પણ માનવામાં આવે. શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતેએ પિતાના જ્ઞાનમાં આત્માનું આવું બે બાજુઓવાળું સ્વરૂપ જોયું અને જગતની સમક્ષ એ સ્વરૂપ જણાવ્યું. આમ જ્યારે આત્મા નિત્ય છે, ત્યારે પૂર્વજન્મ અને પુનજન્મની વાતે પણ જૈનદર્શનમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે જ. અને તેથી જ વર્તમાન જન્મમાં સુંદર એવું ધર્માચરણ પણ જરૂરી બની જ જાય. કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પિતે સુખદ જીવનનું એવર્ય પામી શકે નહિ. આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈનદર્શનમાં જોવા મળે છે તેથી જ દરેક જૈન આ વિષયમાં કઈ શંકા કરતું નથી અને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] વિજ્ઞાન અને ધર્મ શકય એટલું જ સદાચારપરાયણુ જીવન જીવવાની કેશિશ પણ કરતા રહે છે. પણ આ હકીકત જગતના ઘણા મોટા વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાત જાતની શંકા-કુશકાઓ કરતા રહે છે. એક નાનકડા વૈજ્ઞાનિક વર્ગ એના અંગે તરેહ તરેહના ઊહાપાડુ કરે છે; વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનું અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલે છે. ફીનિકસ (એરીઝોના)ની એક ખાણના માલિક જેમ્સ કીડની કે જેઓ ૧૯૫૧માં મૃત્યુ પામ્યા છે, તેમણે પેાતાના મૃત્યુ પૂર્વ એક વીલ કર્યુ'' તેમાં તેમણે જણાવ્યુ` છે કે, “મૃત્યુ સમયે માનવશરીરમાંથી આત્મા નીકળી જાય છે એ વાતના આત્માના સ્વતંત્ર અસ્તિત્વની વાતના—જે કઈ વૈજ્ઞાનિક પુરાવા આપે તેને બે લાખ ડાલર ઇનામ આપવું.” અમેરિકાની આઠ સંસ્થાઓએ આ ઇનામ માટે પેાતાની ઉમેદવારી નોંધાવી છે. એરીઝાના રાજ્યની સર્વોચ કોર્ટમાં ૧૯૬૭ના મા માસની છઠ્ઠી તારીખથી ૧૮ દિવસની સુનાવણી થનાર છે તે વખતે આઠ સંસ્થાએ આત્માના સ્વતંત્ર અસ્તિત્વ સંબધમાં પેાતાન પુરાવાઓ રજૂ કરશે અને તે ઇનામ માટેના પાતાના હક્ક દાખલ કરશે. આ વીલના રક્ષક વકીલેાનું કહેવું છે કે જો કોઈ સાચે વૈજ્ઞાનિક પુરાવા રજૂ નહિ કરાય તેા માનવીના આત્માનું અસ્તિત્વ પુરવાર કરવાને ઈરાદેા ધરાવતી કોઈ પણ સશેાધન–સ સ્થાને તે રકમ આપી દેવામાં આવશે. ભારતમાં ડૉ. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫૦૦ કિસ્સાઓ તેમણે ભેગા કર્યાં છે. દિવસે દિવસે તેઓ પૂર્વજન્મના અસ્તિત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૫૯ આવું આવું તે ઘણું આજે સંશોધન થઈ રહ્યું છે. કેવી નવાઈની વાત છે કે જૈન-દર્શનને પામેલા સંસ્કારી માતપિતાના એક બાળકની ગળથૂથીમાં જે વાત વણાઈ ગયેલી છે એને પામવા માટે આજના બુદ્ધિમાન માનવેને ભેજાં કસવાં પડે છે. ખેર....અંતે પણ તેઓ આત્માને સ્વીકારે છે જે એની અવિનાશિતાને કબૂલે છે એ જ મોટા આનંદની બીના છે. આજે જુદા જુદા ઘણા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આત્માનાં સત્ય હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકે એ નિત્યાત્માનું અસ્તિત્વ કબૂલ્યું છે. આપણે અહીં એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારશું. આ ભાઈએ વશીકરણ (Hypnotism)ના પ્રાગે દ્વારા પૂર્વજન્મની સિદ્ધિ કરી છે. એણે ૧૩૮૩ પ્રગો કર્યા છે, અને છેલ્લામાં છેલ્લા ગણતા છઠ્ઠા નંબરના સૌથી ઊંડા વશીકરણથી (deepest hypnotism) એ આત્માઓ પાસે તેમના પિતાના પૂર્વજન્મોની સ્મૃતિ કરાવી છે. એમનું નામ છે એલેકઝાન્ડર કેનન. એમણે “ધ પાવર વિધીન” નામનું અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના સોળમા પ્રકરણમાં પુનર્જન્મની વશીકરણવિદ્યાથી સિદ્ધિ કરતી માહિતી આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, એક સમય એ હતું, જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મને સિદ્ધાંત. મારા માટે એક ભયંકર સ્વપ્ન સમે હતું. તે વખતે હું આ સિદ્ધાંતને તેડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે. હું તે વશીકરણવિદ્યાને નિષ્ણાત (hypnotist) હતું એટલે અવારનવાર અનેક વ્યક્તિઓ ઉપર વશીકરણવિદ્યાના પ્રયોગો કરતે અને તેઓને ઘણી ઘણી વાતે પૂછતે. જ્યારે જ્યારે પણ તેમાંનું કેઈ પણ મને પુનર્જન્મના અસ્તિત્વની વાત કરતું ત્યારે હું સખત રીતે તેમની વાતને વખેડી નાંખતે;પણ અફસ! જ્યારે ઘણુ બધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું ત્યારે તે માટે પણ માનવું જ પડયું કે પુનર્જન્મ જેવી કઈ વસ્તુ Page #75 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ જરૂર અસ્તિત્વ ધરાવે છે. * વશીકરણને પ્રવેગ કરવા દ્વારા એક આત્મા (subject) પોતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાઓને વર્તમાનકાળમાં અનુભવ હોય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે એ બધું આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું જરૂર છે; પરંતુ આ તે વૈજ્ઞાનિકની દુનિયાની વાત છે. આજનું બાળક આધુનિક જગતને એક યુવાન કોલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે બંડ પુકારવા સરા લાચાર હોય છે. કેમકે એને આજના વૈજ્ઞાનિકના જાત-પ્રગો ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહીં આત્માના પૂર્વજન્મની વાતને વશીકરણવિદ્યાના પ્રયોગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે તે જ હકિકત આપણે વિચારીશું. જેમણે આ પ્રયોગ કર્યા છે તેઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે વર્તમાનકાળમાં જીવન જીવતે કઈ પણ માનવ પિતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુઃખનો અનુભવ કરે છે તેનાં કારણે હકીકતમાં તે તેના પૂર્વજન્મમાં જ પડેલાં હોય છે. વશીકરણ– વિદ્યાસાધકે કહે છે કે, “પૂર્વના દેશના ચિંતકે કર્મ જેવી વસ્તુને માનીને જન્માંતરનાં કારણે અને વર્તમાન જન્મનાં સુખદુઃખાદિ કાર્યો વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે. ઘણા માણસે પોતાના જીવનમાં * : For years the theory of reincarnation was a night mare to me and I did my best to disprove itand even argued with my trance subjects to the effect that they were talking nonsence, and yet the years went by, one subjects after another told me the same story in spite of different and varied conscious beliefs, in effect until now well oyer a thousand cases hove been so investigated and I have to admit there is such a thing as reincarnation. Page #76 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૬૧ ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી; પરંતુ પૂજન્મના સિદ્ધાંત એ કારણેા શેાધી આપે છે. શું સુખ કે શુ દુ:ખ -બે ય કાચનાં કારણેા અવશ્ય છે આ જન્મમાં નહિ તે જન્માંતરમાં.” * વશીકરણવાથી તેા સામાન્યતઃ વમાન જીવનના જ ભૂતકાળની સ્મૃતિએ તાજી કરવાનેા પ્રયત્ન આજ સુધી કરવામાં આવતા હતા; પરંતુ હવે તેા ગર્ભાવસ્થાના અનુભવા અને એની પૂર્વના જન્મોના અનુભવેાનું પણ સ્મરણ કરાવવમાં આવે છે. વર્તમાન જીવનના જન્મના જેટલાં વર્ષોં પૂર્વની વાત પૂછવામાં આવે, બરાબર તેટલાં વર્ષોં પૂર્વની અનુભૂતિને તે વ્યક્તિ બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. આમ સે ખસે કે ત્રણસો વર્ષ પૂર્વેની વાત કે હજાર વર્ષ પૂર્વની વાત પણ પૂછવામાં આવે તે તે પણ બહુ સ્પષ્ટ ભાષામાં જાણે કે તે વખતે તે જીવનની જ અનુભૂતિ થઈ રહી હોય તેવી રીતે રજૂઆત કરી શકે છે. આ વિદ્યાના નિષ્ણાતા એમ માને છે કે આ રીતે પૂર્વજન્મ જેવી વાત સિદ્ધ થાય છે માટે તા વમાન જીવનના અનેક ગૂ`ચવણભર્યા પ્રશ્નોને ઉકેલ લાવી શકાય છે. એવા અનેક માનવેા છે, જેઓ જાતજાતના ભયેાથી સદા પીડાતા હોય છે. આવા માણસે * : This study explains the scales af justice in a very broad way showing how e perton appears to suffer in this life as a result of something he has douc in a past life, through this law of action and reaction known in the East as 'Karma.' Many a person cannot see why he, suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocitiers committed by him in lives gone by. May it not be the reward for services rendered in lives gone by ? —The power within, P. 171 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨] વિજ્ઞાન અને ધર્મ એ ભય વગેરેની ગ્રન્થિની પીડાનાં કારણે ઉકેલી શક્તા નથી કેમકે તેમને તેમના વર્તમાન જીવનમાં તેનાં કારણે મળતાં જ નથી, પણ જે વશીકરણવિદ્યાને આશ્રય લેવામાં આવે અને છઠ્ઠા નંબરનું સૌથી વધુ ઊંડું વશીકરણ તેમની ઉપર થાય તે તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ ખડી થાય અને તેમાંથી વર્તમાનકાળની ભય-ગ્રન્થિની પીડાનાં કારણે પકડી શકાય. આજને બુદ્ધિવાદી માનવ માને કે ન માને પણ આ સિદ્ધાંત ઉપર એ લેકેએ અનેક માનવેને ભયાદિની ગ્રન્થિથી મુક્ત કર્યા છે અને એમને સુખી કર્યા છે. અહીં તે આપણે બે જ દાખલા વિચારશું: એક માણસ હતે. તે કઈ દિવસ “લિફટમાં ઊતરતે નહિ, કેમકે તેને પડી જવાને ખૂબ ભય હતે. એક વખત એક હીને ટિસ્ટની પાસે ગયે. પિતાની સઘળી વાત કરી. તપાસ કરતાં આ જીવનમાં તે તેવા ભયનું કોઈ કારણ ન જણાયું, તરત તેને સુવડાવી દેવામાં આવ્યું. અને ઊંડું વશીકરણ (deepest hypnotism) કરવામાં આવ્યું. અને તે વખતે માણસે પોતાને “ચાઈનીઝ જનરલ તરીકે ઓળખાવ્યું અને તેણે કહ્યું “હું ખૂબ ઊંચા મકાન ઉપરથી અકસ્માત પડી ગયે અને મારી ખેપરી ફાટી ગઈ. મારું મૃત્યુ થયું. ત્યાર બાદ તેને ટેબલ ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યું, અને હીગ્નેટિસ્ટે તેને બધી વાત જણાવતાં કહ્યું કે, “જે અકસ્માત થયે તે વખતે તમારા મગજમાં ઉપરથી નીચે પડવાના ભયની લાગણીઓ સર્વત્ર પ્રસરી ગઈ. એ સંસ્કારે આજે પણ “લિફટ'માં નીચે ઊતરવા જાગૃત થઈ જાય છે. આ જ એક બીજે કિસ્સે બન્યું છે. એક બાઈ હતી. તે પાણીથી ખૂબ ગભરાતી હતી. કદી પણ નદી, તળાવ, સમુદ્ર વગેરે પાસે જતી નહિ. આ બાઈ પણ એક હીગ્નેટિટની પાસે ગઈ. પિતાની ભયગ્રન્થિની વાત કરી. વર્તમાન જીવનમાં આવા ભયનું કોઈ કારણ ન મળતાં તેની ઉપર પણ પૂર્વજોની સ્મૃતિ તાજી કરતું ઊંડું Page #78 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ હીનેટિઝમ લાગુ કરવામાં આવ્યું. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે એ પ્રગથી એને એક એ પૂર્વજન્મ પકડાયે. જેમાં તે સ્ત્રીને આત્મા રમ દેશમાં પુરુષ ગુલામ તરીકે હતે. (આ ઉપરથી જૈનદર્શનની એ વાત સિદ્ધ થાય છે કે પુરુષ મરીને સ્ત્રી થઈ શકે છે, સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે, ત્યાં તેના કેઈ અપરાધને કારણે તેને પગે સાંકળે બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારી નાંખવામાં આવ્યું હતું. આ ઉપરથી હીટિસ્ટે એવું તારણ કાઢ્યું કે એ ગૂંગળામણ વખતે પાણીના ભયના જે સંસ્કાર આત્મામાં જામ થઈ ગયા હતા તે અત્યારના તેના સ્ત્રી જીવનમાં જાગૃત થઈને તેને પાણીથી ડર પેદા કરાવી રહ્યા છે. - આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું કામ આજના હીટિસ્ટ-વેજ્ઞાનિકે કરી રહ્યા છે. ખેર...આ ઉપરથી પૂર્વજન્મ અને પુનર્જન્મની અકાય સિદ્ધિ થઈ જાય છે એ જ નિત્યાત્મવાદી જેન દાર્શનિકે માટે ખૂબ જ ગૌરવભરી બીના છે. જે વાત જેનદાર્શનિકેએ ઠેર ઠેર કહી છે એ પૂર્વજન્માદિની વાત ઉપર આજ સુધી કદી પણ ઊહાપોહ થયે નથી તે ઊહાપોહ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથું મારવા તત્પર બને છે. આત્મા છે કે નહિ? આ જીવન પછી બીજુ છે કે નહિ? અહીં જ સર્વથા વિનાશ થઈ જાય છે? જો તેમ ન થતું હોય તે મૃત્યુ પછી શું થાય છે.” + વગેરે વગેરે પ્રશ્નો આજે તે ચારે બાજુ જોરશોરથી ઊઠી રહ્યા છે, અને એ તે અપૂર્વ આનંદની બીના છે કે આ પ્રશ્નોને જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈન દાર્શનિકનાં +: To turn for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct? What happens after death? These are great questioris, and to-day they are engaging the attention of men as never before in the history of world. Page #79 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ વિધાનને લગભગ સંપૂર્ણ મળતું આવે છે. એ વખતે અંતર પુકાર કરી ઊઠે છે કે કઈ પણ જાતના પ્રગો વિના એ ભગવતેએ આત્માની પૂર્વજન્મ વગેરે વાતેને શી રીતે કહી હશે ? જરૂર તેઓ સર્વજ્ઞ જ હેવા જોઈએ. સિવાય તો આ ગૂઢાતિગૂઢ રહસ્યમયી વાતને વાર્તાની જેમ સહજભાવે તે કહી શકે જ નહિ. અસ્તુ. - જેમની જેમની ઉપર ઊંડાં વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એમણે બધાએ બહુ સાફ શબ્દમાં એ વાત કહી છે કે, “અમે મરતા જ નથી, અમે તે શાશ્વતકાળ સુધી રહીએ છીએ. તમારી મેટી દુનિયાને શબ્દોથી એ ઘણું મહાન સાચી વાત અમે કહેવા માંગીએ છીએ કે આત્મા અમર છે.* તમે અમને પૂછશે છે કે આ અમરત્વ એ શું વસ્તુ છે? તે અને તમને કહીશું કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનું અમરત્વ છે. ટૂંકમાં અમારે એ જ કહેવું છે કે આત્માના મૃત્યુ જેવી કઈ વસ્તુ જ નથી.* વશીકૃત તથા અગણિત આત્માઓએ આમાની અમરતાનાં આવાં ગાન ગાયાં છે. યાદ રાખજો કે આ છે આજના વૈજ્ઞાનિકનાં સંશોધનેથી નિષ્પન્ન થયેલાં વિધાને. આજનું જગત એની સામે બળ ઉઠાવી શકતું નથી. એથી જ શાસ્ત્રોક્ત એ વાતને અહીં રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની વાતે રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે. x: We do not die ! We live on through the ages into eternity. The voice is the instrument where by, we, the Greater Words, can make known unto you the great truths of Eternity in language form. P. 174 +: What is Eternity ? Immediately the answer comes : Eternity means the cessation of limitation. –The P. M. P. 174 Page #80 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૬૫ આ ક્ષેત્રમાં આગળ વધેલા સમર્થ હીગ્નેટિસ્ટોનાં જે વિધાને વાંચવા મળે છે એ જાણે કે હૂબહૂ શાસ્ત્રવચન હોય એવાં જ જણાતાં હોય છે. એથી જ એ વિધાને નજરે ચડતાં અંતર ઝૂકી જાય છે એ વીતરાગ સર્વજ્ઞ ભગવંતને! એમની અપ્રતિહત સર્વજ્ઞત્વની અખંડિત પ્રતિમાને ! જૈનદર્શન એમ માને છે પ્રાણીમાત્રે કઈ પણ અશુભ વિચાર ન કરવો જોઈએ અને સદા શુભ વિચારમાં રમમાણ બનવું જોઈએ. એની પાછળને હેતુ જણાવતાં તેઓ કહે છે કે, “કેઈ પણ વિચાર અંતે તે આત્માને સંસ્કાર બને છે. અને જો એ અશુભ સંસ્કાર છે તે તે પુનઃ પુનઃ જાગૃત થત રહીને આત્મામાં અઢળક વિકારો ઉત્પન્ન કરતો, પ્રકાશપુંજ આત્મામાં અનંત અંધકાર ફેલાવી મૂકે છે. આથી ઊલટું જ, શુભ વિચારના સુંદર સંસ્કારમાં બને છે, એટલે જ મનુષ્ય વિચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અશુભ વિચાર જે ભયંકર ગણાતું હોય તે તેનાથી નિષ્પન્ન થતી અશુભ સંસ્કારોથી વિરાટ પરંપરાને કારણે જ (આ હકીકતને અનુલક્ષીને) વિચારથી થતાં કર્મોનાં બંધ કરતાં સંસ્કારોના અનુબંધનું મહત્વ વધુ આંકવામાં આવ્યું છે અને તેથી જ માનવ જીવનના પરમ કર્તવ્ય તરીકે જન્માંતરમાં નિષ્પન્ન કરેલાં અશુભ કર્મોનાં અનુબંધને તેડી નાંખવાનું શ્રીઉપદેશપદમાં જણાવવામાં આવ્યું છે. આ જ વાતને આધુનિક વિજ્ઞાનના પુસ્તકર્તાઓ હીટિઝમની વિદ્યા દ્વારા પુષ્ટિ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે તે માણસનાં બે મન મહત્ત્વનાં છેઃ જાગ્રત (Conscious) મન અને આંતર (sub_conscious) – મન. જાગ્રત મનમાં જે કંઈ વિચાર આવે છે તે થોડો સમય ત્યાં રહીને પછી આંતર મનમાં ચાલ્યા જાય છે. આ વિચાર ત્યાં જઈને સર્વવ્યાપી બની જાય છે. પછી જ્યારે જ્યારે તેને તક મળે છે ત્યારે ત્યારે તે વ્યાપી ગયેલે વિચાર વિ છે. ૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ , જાગ્રત મનમાં આવી જાય છે અને પિતાનું કાર્ય કરતે રહે છે. આ વસ્તુ સ્થિતિ છે માટે માનવે કોઈ પણ અશુભ વિચાર ન થઈ જાય તેની ખૂબ કાળજી કરવી જોઈએ. હા, જાગ્રત મનને ઉત્તેજિત વિચાર હજી ભયાનક નથી, પરંતુ પછી આંતર મનમાં એ સર્વ વ્યાપી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે, અને તેથી ફરી ફરી તેનાં માઠાં ફળ જેવાનું દુર્ભાગ્ય અવસર સાંપડ્યા કરે છે એ બધું તે ખૂબ જ દુઃખદ છે. આ જ વાતને તેઓ એક ખુબ સુંદર દષ્ટાંત આપીને સમજાવે છે. એક કાચને ગ્લાસ લે. તેને પિણે ભાગ પાણીથી ભરી દે. પછી તેમાં ખિસ્સાને એક રૂમાલ એવી રીતે નાંખે કે અડધે રૂમાલ ગ્લાસના પાણીમાં પડીને ભીંજાઈ જાય, અને બાકીને અડધે રૂમાલ પાણીની બહારના ગ્લાસની ધાર ઉપર રહે. હવે એ પાણીની બહાર રહેલા સૂકા રૂમાલ ઉપર સાકરને એક ગાંગડો મૂકે, શું આ સાકરને કટકે ઓગળશે ખરો? ના, નહિ જ. સારું. હવે એ સૂકે રૂમાલ પેલા સાકરના કટકા સાથે જ ગ્લાસના પાણીમાં સરકાવી દો. થેડી વારમાં જ આપણને જોવા મળશે કે પેલે સાકરને કટકે ઓગળી ગયે છે, અને એની મીઠાશ પાણીના પ્રત્યેક ટીપા સુધી અને રૂમાલના દરેક તંતુ સુધી વ્યાપી ગઈ છે.” હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં જે સૂકે રૂમાલ છે તે જાગ્રત મન છે, અને જે ભીને થયેલે રૂમાલ છે તે અર્ધજાગ્રત મન છે. જે સાકરને કટકે છે તે વિચાર છે. જ્યાં સુધી વિચાર જાગ્રત મનમાં છે ત્યાં સુધી તે પેલા સાકરના કટકા જે છે કે જે ઓગળીને ક્યાં ય ફેલાતું નથી. પણ જ્યારે એ વિચાર રૂપી સાકરને કટકે આંતરમનમાં ચાલી ગયો ત્યારે ત્યાં એ સર્વત્ર વ્યાપી ગયે. એટલે વિચાર ક્યારે ય મરી જ નથી પણ ઊલટો છે તે આંતરમનમાં સર્વત્ર વ્યાપીને લાંબું જીવન જીવતે હોય છે. જે આ જ વસ્તુસ્થિતિ છે તે કઈ પણ પ્રાણી ક્યારે ય મરી શકતું નથી. ઊલટું, પેલા વ્યાપ્ત વિચાર (કે જેને Page #82 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [१७ જૈન–પરિભાષામાં સંસ્કાર કહેવામાં આવે છે તે તેને પિતાની સાથે રાખીને એ ક્યાંક આગળ વધે છે, માટે અદ્યતન જગતના બુદ્ધિવાદી માનવીએ મૃત્યુ જેવી કે વસ્તુ માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેશે જોઈએ કેમકે આત્મા અમર છે. અઢળક સંસ્કારને એ ખજાને છે....* “ધ પાવર વિધીન નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન, કે જેઓ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણાને અડી આવ્યા છે તેઓ આ પુસ્તક લખતાં કહે છે કે, “મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તે એટલે જ છે કે, આત્માનું મૃત્યુ હઈ શકતું જ નથી.” અહે! આ વાત જે જગત સમજી જાય તે સમગ્ર વિશ્વ ઉપર ચમત્કારિક પરિવર્તન આવી જાય. લેખક કહે છે કે, “પછી તે કઈ કોઈનું ખૂન નહિ કરે, દુઃખને માર્યો કઈ જીવ આત્મહત્યા નહિ કરે ” + કેમકે આત્મહત્યા કરવા ઈચ્છતે માણસ પછી સમજી શકે કે, આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખે અંત આવશે તેનાથી ઘણું વધુ દુઃખનાં ધાડાં ફરી તૂટી પડશે કેમકે હું અમર છું! મારે અહીંથી પણ ક્યાંક જવાનું છે.” " લેખક કહે છે કે, “આજનાં ન્યાયાલયે શું ખરેખર ન્યાય કરે છે? ના. એક ખૂનીના ખૂનના બદલામાં ન્યાયાધીશ વધુમાં વધુ તે ફાંસીની સજા ફટકારશે ને ? પણ તેથી શું થયું? ખૂની માણસના x You will never be able to say again that a man can die. Indeej there is not and cannot be, any room in the Universe for such an idea as death. - The P. W. 176 + : There is no death! That is supreme message which this chapter has for you! What a profound change would come over. the whole world if that lesson were well and truely learned ? Suicide and murder would cease, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮] વિજ્ઞાન અને ધર્મ ખૂનને જે વિચાર ખૂન કરાવી ગયો તે વિચારને આત્મામાં સંસ્કાર રૂપે વ્યાપી જતે કઇ રોકી શકયું? એ સંસ્કારને કેઈએ દૂર કરી દીધા ? જે એ સંસ્કાર દૂર ન થાય તે ખૂનીને આત્મા તે મૃત્યુ પામતે જ નથી એટલે પુનઃ એ સંસ્કારો એની પાસે અનેક વ્યક્તિઓના ખૂન કરાવતા જ રહેશે ! તે પછી આ ન્યાયાધીશે તે ન્યાય કર્યો કે અન્યાય ? ફરી ફરીને ખૂન કરતા રહેવાની તકને જીવતી રાખીને ખૂનીને ફાંસીના માંચડે ચડાવી દે અને તેથી અનેક બીજા ખૂન થવા દેવાં એ માનવજાત સામે ભયંકર અન્યાય નથી શું? હવે તે એવાં ન્યાયાલયેની જરૂર છે કે જ્યાં ખૂનીને ફાંસીએ ચડાવવાને બદલે એના આંતરમનમાં વ્યાપી ગયેલા સંસ્કારને ફાંસી દેવામાં આવે. આ કામ તે ધર્મગુરુઓ-માનસશાસ્ત્રીઓ જ કરી શકશે."* x What a leason the would-be suicide can learn from the fact that we do, not, cannot die ! He would then know that suicide, so far from ending his miseries, would plunge him into a dilemma ten thosand times worse than the one from which he seeks to escape -a dilemma from which escape be ten thousand times harder than before. The murderer too, pays for his crime a million times more fully than any capital punishment could ever hope to make him do In fact, so far from punishing the murderer, soceity is really punishing itself when it resort to capital punishment since, the loss of physical body, by hanging as by any other method, merely plunges the murderer's mind into the unconscious where his murderous ideas like the lump of sugar in our previous analoy are able to spread into the mantal etsmosphere of the world. In this way Page #84 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૬૯ આ વૈજ્ઞાનિકોએ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ કરી આમાનું અમરત્વ જાહેર કર્યું અને વિચારે તથા સંસ્કારોના બળનું કાર્યક્ષેત્ર આપણુ સમક્ષ રજૂ કર્યું. જે વાતે સૈદ્ધાંતિક સ્વરૂપમાં આપણું માટે બે અને ચાર જેટલી જ સાદી અને સીધી જણાઈ છે તે વાતે આજના વિશ્વ માટે “વહેમ, “જૂઠ “ધર્માધતા” વગેરે નામથી ખતવાતી હતી. આજે પણ હજી તેવું ઘણું ઘણું જેવા-સાંભળવા મળે છે, પણ હવે એ દુનિયાની સાહસિક વિચારસરણીમાં જમ્બર કડાકે થયેલ છે. જે આ રીતે સાચે જ વિજ્ઞાનની દુનિયામાં સત્યની ખેજ ચાલુ જ રહે તે એમ કહી દેવામાં સાહસ નહિ ગણાય કે એક વખત સત્યમય જેનદર્શનને તમામ વૈજ્ઞાનિકો અંતરથી ઝૂકી પડશે; અને હાથ ઊંચા કરીને જોરશોરથી પુકાર કરશે કે, આ જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞ હતા, સર્વજ્ઞ જ હતા, નિઃસંદેહ સર્વજ્ઞ હતા !” એક જ વિષયના મૂળ સુધી પહોંચી જવાને નિષ્પક્ષ પ્રયત્ન શું કામ કરે છે તે આજે આપણને અનેક ઠેકાણે જોવા મળે છે, વશીકરણવિવાથી પૂર્વજન્મની સ્મૃતિઓને તાજી કરાવવી અને એ વિષયમાં અનેક શંકા-કુશંકાઓ કરીને તેનાં સમાધાન મેળવવા અને અંતે જાહેર કરવું કે પૂર્વજન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. આ બધાં અન્વેષણની પાછળ કેટકેટલાક વૈજ્ઞાનિક જીવન અર્પતા હશે? માત્ર એલેકઝાન્ડર કેનને આ વિષયના ૧૩૮૩ કેસ તપાસી નાખ્યા છે અને તે જાત–તપાસના પૂર્વજન્મની માન્યતાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. એલેકઝાન્ડર કેનને જે પ્રયાગ આ વિષયમાં કર્યા છે તેમાંને એક ખૂબ જ રસપ્રદ પ્રવેગ આપણે સંક્ષેપમાં જોઈએ. the dead, murderer can take possesion of other peo. ple's bodies during the sleep state, or during beriods of dissociation and can thus cause more murders and sudicide, –The P. M. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦] વિજ્ઞાન અને ધર્મ મધ્યમવયની એક સ્ત્રી ઉપર ઊંડુ-છઠ્ઠી-છેલ્લામાં છેલ્લી કક્ષાનું–વશીકરણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ તે બાઈને ટેબલ ઉપર સુવડાવી દેવામાં આવી. અને તેને પુનઃ પુનઃ જણાવવામાં આયું કે, “હમણું તમે આજથી બરોબર ૧૦ વર્ષ પૂર્વના-૧૯૨૪ની સાલની ૪થી ઓગસ્ટના દિવસમાં વર્તમાન છે. તમે હમણાં શું કરી રહ્યાં છે ? ઈત્યાદિ અનેક પ્રશ્નો એ દિવસ અંગે પૂછ્યા. ખૂબ જ સંતોષકારક જવાબ મેળવ્યા બાદ વધુ ૧૦ વર્ષ પૂર્વના-૧૯૧૪ની સાલની ૪ થી ઓગસ્ટના દિવસ ઉપર એને લઈ જવામાં આવી; અને એ દિવસની તમામ વાત જાણે કે પિતે હમણું જ અનુભવતી હોય એ રીતે બેલી ગઈ. તેણે કહ્યું કે, “હમણું બ્રિટન ઉપર બપોરને સમય છે; જેના ગગનમાં પહેલા “વિશ્વયુદ્ધનાં વાદળે ઘેરાઈ ગયાં છે. ત્યાર પછી ફરી વધુ ૧૦ વર્ષની સ્મૃતિ તાજી કરાવી. ત્યાર પછી એક એક વર્ષ પાછળ જતાં જતાં તેના જન્મ સમય પછીના એક જ કલાકની અવસ્થામાં તેને મૂકી. તેણે તે વખતના પિતાના સ્નાનનું વર્ણન કર્યું અને તે વખતે પડતી શ્વાસની ગૂંગળામણ કહી. ત્યાર પછી તેને જન્મ સમયની પૂર્વના અડધા કલાકના સમયમાં મૂકી. તે વખતે તે સ્ત્રી એકદમ ચીસો પાડતી. બેલી ઊઠી : “એહ ! મને ખૂબ જે અંધારું લાગે છે. અને મને આજુબાજુ વહી જતા દ્રવને અવાજ આવે છે.” (સંભવ છે કે તે માતાની નસમાંથી વહેતું લેહીનું પરિભ્રમણ હેય). આ વર્ણનમાં જ્યાં અડધા કલાક પૂર્ણ થયો કે તરત જ તે બેલી ઊઠી, “એહ. ! હવે તે હું બહાર નીકળી ગઈ છું. ” ત્યાર પછી તે સ્ત્રીએ તે એરડાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન પણ તે સ્ત્રીએ તે વખતની પિતાની બાલ્યવય વખતના અવાજથી જ કરેલું. જાણે કે એ બાળકી જ બોલી રહી હોય તેમ લાગે! - ત્યાર પછી તેને વધુ કેટલાંક વર્ષ પૂર્વે લઈ જવામાં આવી. તે વખતે તે બોલી, “અત્યારે હું શુક્રના ગ્રહમાં છું !!!” ત્યારે સમય પૂછતાં તેણે કહ્યું, “અમારે ત્યાં સમય જેવું કશું નથી પણ તમારી Page #86 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાયી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ પૃથ્વીના ઘડિયાળના હિસાબે હું સમય કહી શકું છે ત્યાર બાદ તે સ્ત્રીએ શુક્રના ગ્રહ ઉપરના પિતાના જીવનની કેટલીક ખૂબ જ રસપ્રદ વાત કરી. તેણે કહ્યું કે “પૃથ્વીની પ્રાણીસૃષ્ટિની જેમ અમે (વેપારવગેર) કાર્યો કરતાં નથી. અમારે ત્યાં એટલે બધે પ્રચંડ પ્રકાશ છે કે અમારી દષ્ટિએ તો પૃથ્વી તે અંધકારને જ પ્રદેશ કહેવાય. પછી ભલે ને ત્યાં ભરબપેરને પૂર્ણ પ્રકાશ કાં ન હોય!” ત્યાર બાદ તેણે ત્યાંનાં વૃક્ષોનું વર્ણન કરતાં કહ્યું કે, “એ વૃક્ષે ચમકતી પિલિશ કરેલી ધાતુની જેવા ચમકારા મારી રહ્યાં છે.” * આની સામે જ્યારે હીનેટિસ્ટે વધે લીધે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “તમે અમારી ગ્રહની દુનિયાની વાત ન સમજી શકે એવી ચમત્કારભરી છે. એક બાઈ ઉપરના વશીકરણથી એલેકઝાન્ડર કેનન એના શુક્રના ગ્રહ ઉપરના જીવનમાં લઈ જાય અને ત્યાંની જે વાત કરે એ બધી વાતે શું જૈનદર્શનમાં વર્ણવેલા દેવલેકની જ વાત નથી ? જૈનદર્શનની દષ્ટિએ ફક્ત અઢીદ્વિપમાં જ કાળ છે. દેવલેકમાં કાળ જેવું કશું નથી, ત્યાંનાં દીર્ઘ આયુષ્યને જે કાળથી વર્ણવવામાં આવ્યાં છે તે અહીંના જ કાળથી કહ્યાં છે એવું સ્પષ્ટ કથન જૈનદર્શનમાં મળે છે. વળી દેવલેકમાં રત્નના પ્રકાશની વાતે, અદ્ભુત વૈક્રિય વૃક્ષોની વાતે પણ શું ઉપરની વાતેથી સિદ્ધ થઈ જતી નથી? આગળ વધતાં એલેક્ઝાન્ડર કેનન કહે છે કે, “મારી તપાસમાં જેઓ પિતાના પૂર્વજન્મમાં ગ્રહ ઉપરનું જીવન પણ જીવતા સાંભળ્યા તે બધાએ પિતાનું આયુષ્ય સો વર્ષથી વધુ કહ્યું છે અને ૪-૪ હજાર વર્ષનાં આયુષ્ય પણ કહ્યાં છે.” આ વાત પણ જૈનદર્શનમાં કહેલા દેવેના સુદીર્ઘ આયુની ખૂબ જ નજદીકમાં ન કહી શકાય શું? * જિનાગમોમાં કેટલાક વૃક્ષોને ઉદ્યોત નામનું નામકર્મ કહ્યું છે. તેનાથી તે વૃક્ષે ખૂબ ચમકતાં દેખાય છે. આવા જ કોઈ વૃક્ષનું આ બાઈ વર્ણન કરતી લાગે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધમ ત્યાર પછી એ ખાઈને શુક્રના ગ્રહની પણ પૂર્વના જન્મની અવસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં તેણે કહ્યું કે, · અત્યારે હું રામ દેશમાં કોઈને ત્યાં ગુલામડી તરીકે છું.' ૭૨] મારા ગુલામ તરીકેના જીવનના આ અંત સમય છે. આટલું એલીને જ એ સ્ત્રીનું માં એકદમ ફીકુ પડી ગયું. તે ભયથી કંપવા લાગી અને પછી એલી કે, ‘મને અત્યારે પગમાં લાખંડની બેડીઓ સાથે પાણીમાં ઉતારી દીધી છે અને ભયંકર જળચર પશુ મારી ચામેર ફરી વળ્યાં છે, એહ! હમણાં જ મને ફાડી ખાશે.’ લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાઓ સાચે જ અસહ્ય જણાતી હતી. એ પછી એને થોડા વર્ષોં પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જ્યાં તેણે પેાતાના કારાવાસની કરુણ અવસ્થાનું વર્ણન કર્યું. તેણે રામ દેશના અનેક એવા રીતરિવાજો જણાવ્યા, જેના લેખકને પણ ખ્યાલ ન હતા. જેમકે તેણે કહ્યું કે, “ અમારે ત્યાં પુરુષાના જાહેર કાર્યક્રમા સંધ્યાના સમયે ચૈાજાય છે, જ્યારે સ્ત્રીઓની સભાએ વગેરે અપેારના સમયે જ ચેાજવાના રિવાજ છે. અમે લાકે સ્નાન કરતા નથી, માત્ર તેલનો માલિશ કરાવીએ છીએ, ઇત્યાદિ.” વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાત, દેવલેાકની વાતા, સંસ્કાર શું કામ કરે છે? એનું કેટલું પ્રચણ્ડ સામર્થ્ય છે વગેરે વાતા વૈજ્ઞાનિક રીતે આજના પ્રત્યેાજકા જે જણાવે છે તેનાથી હેરત પામવાને બદલે જૈનદનનાં સસ્ચેાટ વિધાના પ્રત્યે ચિત્ત આક્રીન પુકારી જાય છે. એલેકઝાંડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયોગ કર્યાં તેમાંના લગભગ બધાએ એ વાતે તે એકસરખી રીતે જણાવી છે કે (૧) અમે એક જીવન કરતાં વધુ જીવના જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહેા ઉપર જીવન જીવીએ છીએ, (૩) વર્તમાન જીવનની અને ભૂતપૂર્વ જીવનાની અગણિત સ્મૃતિએ અમને થાય છે. લેખક કહે છે કે એમના પ્રયાગામાં ઘણા બધા આત્માએ Page #88 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાયી આત્મસિદ્ધેિ પુનજ મવાદ ૭૩] બુધના અને શુક્રના ગ્રહેા ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણશ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની રજૂઆત કરે એ ખૂબ જ આનંદના ખેર, પૂર્વજન્મમાં જરાય વિદ્યાથી એ વિષયમાં પૂર્ણ સમક્ષ એ વાતની જોરશેારથી વિષય છે. બીજા પણ મારી અન સ્ટેઈન નામના એક હીપ્નોટિસ્ટે એલેકઝાંડર કેનનની વશીકરણવદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતા પ્રયાગ વાંચ્યા અને તેણે પણ કોઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તે તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવું ઊંડું વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં તેણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલ જાતિસ્મરણ જ્ઞાનની વાતા જાણી એટલે એણે પણ આ વિષયમાં કંઇક જાણવાના નિર્ણય કર્યાં. ટૂંકા જ સમયમાં રૂથ સાયમન્સ ( Ruth Simmons) નામથી એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાના પ્રયાગ કર્યાં. ૨૯ મી નવેમ્બર, ૧૯૫૨ના દિવસે આ પ્રયાગ શરૂ કર્યાં. અને પાંચ વખત આવી બેઠકે મળી. પાંચે ય બેઠકો (Sitting) દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનું ટેઈપરેકોર્ડિંગ કરવામાં આવ્યું. અતિ અદ્ભુત વાત જાણવા મળી. આ ખાઈના જન્મ ૧૯૨૩માં અમેરિકાના આયાવા રાજ્યમાં થયા હતા. પ્રયાગ વખતે તે વીમા એજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વેનું આયલેન્ડનું જીવન પ્રૂમ વિસ્તારથી સમજાવ્યું. [જે સ્ત્રી વર્તમાન જીવનમાં ‘ રૂથ સાયમન્સ ’ તરીકે હતી તેને બ્રાઈડે મી તરીકે જોવી અને સાંભળવી. ] સંમેાડુનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું કે, “એનું નામ, શ્રાઈડે મફી હતું. તેએ બેરિસ્ટર હતા, એ સ્ત્રી મિસ સ્ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ થ્રિયન મેકાથી હતું. એ બેરિસ્ટરના પુત્ર હતા તેમ જ પોતે પણ બેરિસ્ટર હતા. એ સેટ ટેરેસાન દેવળમાં જતી. ત્યાંના પાદરીનું નામ ફાધર જોન હતું, એ પોતે પ્રોટેસ્ટન્ટ હતી, પણ એને પતિ કેથલિક હતા. ૬૬ વર્ષોંની વયે દાદર પરથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. તે દિવસે રવિવાર હતા. એણે એમ પણ જણાવ્યું કે ફાધર જોનના કહેવા પ્રમાણે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪] વિજ્ઞાન અને ધર્મ એને આત્મા કઈ વિશુદ્ધ સ્થળે જવાનું હતું, પણ હકીકતમાં તેમ બન્યું ન હતું. છેવટે ઈ. સ. ૧૮૩માં આવામાં તેને જન્મ થયે. આ સ્ત્રી આયરિશ ભાષાનું લેશ પણ જ્ઞાન ધરાવતી ન હોવા છતાં તેણે સંમેહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી. લોકેએ એ વખતે આશંકા પણ કરી હતી કે કદાચ “બ્રાઈડે. મફી' નામનું કઈ પુસ્તક લખાયું હશે; જે આ રૂથ સાયમન્સ વાંચ્યું હોય અને તેથી તેવી બધી વાત કરતી હોય પરંતુ તપાસ કરતાં જણાયું કે એવું કે ઈ પુસ્તક લખાયું જ ન હતું, વળી તે બાઈ કદી આયલેન્ડ ગઈ ન હતી છતાં તેણે, કેટલા ઓરડા? રસોડું ક્યાં? ઘર સામે વૃક્ષો ક્યાં? વગેરે પુસ્તકમાં પણ ન સંભવે તેવી ઝીણવટભરી વાત પણ કરી હતી. બ્રિટિશ ઇન્ફર્મેશન સમિતિએ પણ આ વાતને પુષ્ટિ આપી. સ્ત્રીના આ નામ ઉપરથી જ મેરી બર્નસ્ટેઈને પિતાના એ. વિષયના પુસ્તકનું નામ “ધ સર્ચ ફેર બ્રાઈડે મફી” રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચે ય ટેઈપ–રેડિ"ગનું અવતરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી લેખકે એ પાંચે ય રેકેડે સારા સારા બુદ્ધિશાળી માણસને, વૈજ્ઞાનિકો વગેરેને સંભળાવી હતી અને તેમના અંગત અભિપ્રાય માંગ્યા હતા. એ બધી વાત લેખકે પિતાના તે પુસ્તકમાં જણાવી છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચે જ પશ્ચિમના વિદ્વાને માટે આઘાતજનક બાબત છે, કેમકે બાઈબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદ્દ્ર સહજ છે કે આવી કોઈ સિદ્ધિ થાય તે તેની સામે બહુ મોટે ઊહાહિ થાય; ભારે માટે વિરોધ પણ જાગે. શ્રી મેરી બર્નસ્ટેઈનને, બધી પરિસ્થિતિને સામને કરે પડ્યો હતો. તેમની સામે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તે તેમને પૂછ્યું હતું કે Page #90 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ [૭૫ જે આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તો બીજા ઘણા બધા એ વિદ્યાના નિષ્ણાતે છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતા નથી? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે પુસ્તકમાં મારી બનટેઈન કહે છે કે, “આ વિષયમાં હું કાંઈ એકલે અટૂલે નથી. મારી સાથે એલેકઝાંડર કેનન છે, જેમાં એક વખત આ વાતને સ્વપ્નની વાત માનતા હતા. એટલું નહિ બીજા પણ કેટલાક વૈજ્ઞાનિકોએ પણ પિતાનાં અન્વેષણથી પૂર્વજન્મના અસ્તિત્વની બાબતમાં વિધેયાત્મક નિર્ણય લીધો છે અને તેમણે પોતાની વાતને પ્રકાશમાં મૂકી પણ છે, પરંતુ તેને જોઈએ તેટલે બહોળો પ્રચાર જ થયે જ નથી.” * મેરી બર્નસ્ટેઈન આગળ વધતાં કહે છે કે, “એક વ્યક્તિએ પૂર્વજન્મની માન્યતાની તરફેણમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી, છતાં તે તેણે વિષયમાં કશી જાહેરાત ન કરતાં મૌન રહેવાનું જ પસંદ કર્યું તેને જ્યારે તેના મૌનનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “આ બધા અનુભવને હું મારા ખૂબ જ અંગત અનુભવ તરીકે છુપાવી રાખું છું કેમકે મને ખ્યાલ છે કે આવી વાત ઉપર વિશ્વના માનવે શું ટીક–ટિપણે કરશે?” x * : Nor dose this man stand alone, There are indede a number of scientists whose experiments have led them to same conelusion. The first Part of the answer then, is that some specialists do know about this, their dimension and have been publicising their findings. For some reason however, their reports have never been circulated as extensively as they might have been. –P. 211 * : One young person explaining her silence after she discovered evidence of rebirth, summarized her Pasition with these word : All this experience I Page #91 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ પશ્ચિમના દેશોમાં આત્માની અમરતાનાં ગીત ગાવાનું કેટલું બધું મુશ્કેલ છે? આમ હોવા છતાં એને અંગેને ઊહાપોહ કરીને જાહેરમાં માથું ઊંચકનારાઓ પણ છે. કેવી હિંમત ધરવતા હશે તેઓ? કિપલિંગ નામના વૈજ્ઞાનિકે તે મારી બેન સ્ટેઈનને કહ્યું હતું કે, “મને તે ખૂબ દિલગીરી થાય છે કે સમાજ તમારા આ વિચારને જુદી રીતે રજૂ કરશે કે તેમાં કાપકૂપ કરી નાખશે? જેઓ વિરોધી છે તેઓ તે આ બધી વાતને ઊંધી ચીતરીને જ રજૂ કરશે. કેમકે છેવટે તે પશ્ચિમના લેકો આશાસ્પદ જીવન કરતાં ભયાનક મૃત્યુને જ વધુ વિચારે છે અને એને વળગી રહે છે. એટલે આ લેકે આવી વાતને તે કદાચ વહેમ કહીને હસી પણ નાખે.” * અહીં એક એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જે આ રીતે દરેક જીવને પૂર્વજન્મ હેય જ અને ત્યાં તેણે ઘણું ઘણું અનુભવ્યું. પણ હોય તે દરેક જીવને શા માટે પોતાના ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ નથી થઈ આવતી? આ પ્રશ્નોના સમાધાનમાં જૈન દાર્શનિકે તે કહે છે કે એવી જાતનું મતિજ્ઞાનાવરણીય નામનું કર્મ છે, જેની રજકણો આત્મા ઉપર વધુ પ્રમાણમાં એંટી ગયેલ હોય ત્યારે ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ થઈ શકે નહિ. એવું કેઈ નિમિત્ત kept to myself as a profound secret, for young as was, I realised what judgement the world would pass upon the narrator of such a story. –P. 211 x: Kipling too had given some thonght to this same Probləm : I saw With sorrow that men would muti late and garble the story, that rival creeds would turn it upside down till. at last the western world Which clings to the dread of death more closely then the hope of life, would set it aside as an interesting superstition. – Finest story in the World. Page #92 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૭૭ દન વગેરે થાય તે। જ આ કાર્મિક અણુએ ઊખડી જાય અને આત્માને ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ થાય. વળી પૂર્વજન્મસ્મૃતિની તા શી વાત કરવી ? આપણી વિસ્મરણશક્તિ એટલી બધી તીવ્ર છે કે, આ જન્મના પશુ ખાલ્યકાળના અનુભવા ઘણાને થતા નથી ! આમ સમાધાન મેળવ્યું પણ અર્વાચીન જગતને એક વિદ્યાથી તા કહે છે કે કદાચ આપણે આપણા ભૂતકાળ જરૂર જાણી શકીએ, પરંતુ ખાસ કરીને પશ્ચિમના આપણા દેશેાની અધ્યયન પદ્ધતિ અને ઘડતર જ એવાં છે કે એણે આપણા મગજને ઈ જ નાખ્યાં છે. અને આપણી વિશિષ્ટ સ્મરણશક્તિને વિનાશ કરી નાખ્યા છે!” બેશક, કોઈને ભૂતપૂર્વ જન્મનું સ્મરણ થઈ શકતું નથી એમ તે ન જ કહી શકાય. હવે તે શાન્તિદેવી, નેકાટી વગેરેના જાતિસ્મરણની વાતા ચેામેરે ફેલાઇ ગઇ છે, અને જેમને આવાં જાતિસ્મરણા વગેરે નથી થયાં અને તેથી ભૂતપૂર્વ જન્મની સ્મૃતિ નથી થઈ તે પણ પોતાના જીવનમાં જે કોઇ લાગણી ધરાવે છે, તેમનામાં કયારેક કયારેક કેટલાક ભાવાવેશ આવી જાય છે, તેમનામાં જે શક્તિએ કામ કરી રહી છે, જે સુરુચિ અને અરુચિ જુદા જુદા વિષયમાં તે ધરાવે છે એ બધાયની પાછળ આંતરમનમાં પડેલા ભૂતપૂર્વ જન્માના સંસ્કાર જ કામ કરે છે ને? એટલે બીજી રીતે તેા દરેક આત્મા પોતાના વર્તમાન જીવનની સાથે ભૂતપૂર્વ જીવનાની કડી લગાડીને જીવે છે એમ માનવું જોઈશે, અને તેથી જ સારા માણસે ભૂતપૂર્વ ભૂલાની પુનરાવૃત્તિ કરતાં અટકે છે, જ્યારે દુના એવી ભૂલાને પુનઃ પુનઃ કરતા જોવા મળે છે. આ બધાની પાછળ પૂર્વજન્મના સંબંધ કામ * To the theorty of another student who contends that Perhaps we might remember something of our Past, But that our training and conditioning, Particular in the western world, has ‘washed' pour brains,' obliterating these memories. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭] વિજ્ઞાન અને ધર્મ કરતા હોવાનું માન્યા વિના છૂટકો નથી. * પૂર્વજન્મની વાતા કહેતા માણસા પોતાની તરફેણમાં કહે છે કે માતાપિતાના સંસ્કારા જ બાળકના વારસામાં આવે છે એ વાત કયારેક વજૂદ વિનાની બની જાય છે. એવું જ લગભગ સર્વત્ર જોવા મળે છે કે જે મા-માબાપમાં નથી હોતું તે બાળકમાં હેાય છે. ખાપ ક્રોધી હાય અને બાળક ક્ષમાશીલ હોય; બાપ ઉદાર હાય અને બાળક કૃપણ હોય. હવે જો બાળકના સંસ્કાર વારસામાંથી નથી મળ્યા તા આવ્યા કયાંથી ? આના ઉત્તર પૂર્વજન્મની માન્યતાથી જ મળી શકે છે. જન્માંતરના સંસ્કારાને લઈને બાળકના આત્મા અહી આવેલ છે માટે જ આમ અને છે. પણ આ વિધાન સામે એક પ્રશ્ન થઈ શકે છે કે ભલે તેમ હાય પણ જ્યાં પિતાપુત્રના સંસ્કાર તદ્ન સમાન છે ત્યાં તે પુનર્જન્મની વાતને સમર્થન નથી જ મળતું ને? કેમકે ત્યાં સ્પષ્ટ રીતે કહી શકાય છે કે પિતાના જ લાહીના સંસ્કાર બાળકમાં ઊતરી ગયા છે? આ વાતનું સમાધાન આપતાં ડૉ. જહેાન મેક ડેગા, પોતાના હ્યુમન ઈમમેલિટી એન્ડ પ્રી-એકઝીસ્ટન્સ’ નામના પુસ્તકમાં કહે છે કે “ આ વાત પણ ખરાખર નથી. જે બાળકના આત્મા પેાતાના ભાવી પિતાના સ`સ્કાર જેવા સ'સ્કાર ધરાવતા હેાય તે આત્મા તે જ પિતાને ત્યાં જન્મ પામે છે ત્યારે આવું બને છે. એટલે હવે તેમ તે ન કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યાં ! આગળ વધતાં લેખક એક સુંદર દૃષ્ટાંત આપીને સમજાવતાં કહે છે કે માથા Although we do not remamber specific incidents of Previous, life episodes, We still carry over impressi ous, tendencies, capaeities and dispositions-subco ncious checks and balances-which restrain us from repeating past mistakes and guide us in the eternal Process of evolution. .The search for Briday Murphy. P. 213. Page #94 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૯ ઉપર પ્લેટ બરાબર ફીટ બેસી ગઈ, તેથી તેમ નથી કહેવાતું કે તે માથાની જે ગાળાઈ હતી તે ડેટમાં ઊતરી ગઈ. માટે માથામાં ડેટ ફીટ બેસી ગઈ. અલકે અહી એમ જ કહેવાય છે કે જેવી ગાળાઈ માથાની હતી તેવી જ ગેાળાઈ જે હેટની હતી તે એય એક સ્થાને ભેગાં થઇ ગયાં.” + આ જ વાતને न्यू ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે જે લેાહીમાંસમાંથી બને છે તે લોહીમાંસ છે, જે આત્મામાંથી આવે છે, તે આત્મા જ છે. બ્રાઇડે મફીના પુનર્જન્મની પાંચ ટેઇપ-રેકોર્ડ્ઝ સાંભળનારામાંથી ઘણાએએ પ્રશ્ન કર્યાં છે કે શું એ રીતે અમારા પૂજન્માની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરી? આના ઉત્તર આપતા શ્રી મેારી મન સ્ટેઈન કહે છે કે “ના, આજે તેા નહિ. કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનુ મનેાખળ અસા-ધારણ રીતે મજબૂત હોવાનું જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દૃઢ મનેાખળ બહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે.” વશીકરણથી પૂજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રસગમાં જૈનદનને માન્ય એવું એક સશેાધન કરવામાં આવ્યુ` છે કે એક + : The man whose nature has certain characteristic when he was about to bo rebron, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the faet that he was reborn in that Particular body rather than in another. The shape of she head dose not determine the shape of the hat, but it dose determine the selection of this particular hat for this Particular head. -Human immortality and Pre-existance ~Dr. John Mc Taggart Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦] વિજ્ઞાન અને ધર્મ જ આત્માની-સ્ત્રી કે પુરુષ વગેરે તરીકેની જાતિ સદા અવસ્થિત રહેતી નથી પરંતુ બદલાઈ પણ જાય છે આ પ્રયોગના બધા જાણકારોએ સમર્થન આપ્યું છે. શ્રી એડગર કૈસીએ પણ આ જ વાત કહી છે.” વશીકરણવિદ્યાના પ્રયોગથી આત્માનું અમરત્વ પૂર્વજન્મ અને પુનર્જન્મ, દેવલેક સંસ્કારનું પ્રચંડ બળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક બાબતે સિદ્ધ થઈ જાય છે. આ વિષયમાં ઊહાપોહ કરતા ઘણુ ગ્રન્થ લખાયા છે. જેવા કે ડો. આર. સી. હેન્સનનું ધ ઈમ્પ્રીઝન્ડ પ્લેન્ડર હાફ શીલેનું પ્રેબ્લેમ ઓફ રી બર્થ ” છના સરમીનારાનું મેની મેન્શન્સ, થેમસ સુગરનું, ”ધેર ઈઝ એ રીવર, ઈવા માટીનનું “રીંગ ઓફ રિટર્ન'. વગેરે.... રૂથ સાયમન્સના આયર્લેન્ડના ભૂતપૂર્વ જીવનની વાત સાંભળીને એક પત્રકારે મેરી બર્ન સ્ટેઈનને સલાહ આપી કે તેમણે આયર્લેન્ડમાં તપાસ કરવી. એ વાત જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જ્યારે એ તપાસ કરવામાં આવી ત્યારે ઘણું પ્રયત્ન બાદ ઘણું ઘણી વાતને સંવાદ પ્રાપ્ત થયે. આ અંગે જેણે વિસ્તારથી જાણવું હોય તેણે તે લેખકનું “ધ સર્ચ ફેર બ્રાઈડે મફી' પુસ્તક જોઈ લેવું. આપણે તે અહીં આટલું જ જણાવવું છે કે પાશ્ચાત્ય સંસ્કારોને ગળથુથીમાં જ પામેલા કેટલાક માણસો આ રીતે આત્મા અને તેના પુનર્જન્મની માન્યતાની વાતેના પ્રચંડ ઊંડાણ સુધી પહોંચી જાય અને પછી જે પરિશ્રમ વેઠીને મેટાં વેલ્યુમ પ્રગટ કરે અને તેમાં જૈનદર્શનને ખૂબ જ અનુકૂળ વાતે જોવા મળે ત્યારે હૈયું આનંદથી છલકાઈ જાય અને આંખ હર્ષનાં આંસુથી ઊભરાઈ જાય! *: These findings incidentally, are supported by the readings of Edgar Cayce, who maintained that race, nationlity or sex mignt alter from one life experience to the next. Page #96 -------------------------------------------------------------------------- ________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૮૧ - કમાલ કરી છે વીતરાગ ભગવંતેએ! સાચે જ તેઓ સર્વજ્ઞ હતા. નહિ તે કોઈ પણ પ્રગશાળા કે નાનકડા પણ પ્રગ વિના અગમનિગમની વાત એ શી રીતે કરી ગયા? વશીકરણવિદ્યાના પ્રયોગથી જે આત્માનું અમરત્વ સિદ્ધ થતું હોય તે હવે એ અમર આત્માની જ ભાવી ચિંતા કરવાનું ઉચિત નથી શું? જે વર્તમાન જીવનને સુખદુઃખના મૂળમાં જન્માંતરના સંસ્કારે કર્મ દ્વારા કામ કરતા સિદ્ધ થતા હોય તે ભાવી જન્મના સૌન્દર્ય માટે વર્તમાન જીવનને સુંદર સંસ્કારોથી સભર બનાવવાનું અનિવાર્ય નથી શું? અને છેલ્લી વાત અગમનિગમની. આવી વાત કહી જનારા સર્વજ્ઞભગવંતની તમામ વાતમાં અપ્રતિહત શ્રદ્ધા આંખ મીચીને મૂકી દેવામાં હવે આપણે પળભરને ય વિલંબ કરીશું ખરા? એ શ્રદ્ધાને અનુરૂપ જીવન બનાવવામાં લેશ પણ ઉદાસીનતા દાખવશું ખરા? તે ચાલે....આજથી જ.....ના, આ પળથી જ સર્વસેના શાસનની આણને શિર ઉપર ઝીલીએ અને મરતાં પહેલાં ભૂતપૂર્વ જીવનમાં આત્મા ઉપર જામ થઈ ચૂકેલા અશુભ અનુબંધના બંધમાં કડાકા બેલાવીએ. શુભાનુબંધને વાતાનું પ્રદાન કરીએ. પછી..મૃત્યુ આવવા છતાં મૃત્યુંજય બનશું. જન્મ પામીને અજન્મા બનશું. કર્મ ધારણ કરીને અકર્મા બનશું. વિ. ધ. ૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ [૭] જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જમવાદ સારી સ્મરણશક્તિ એ તે માનવીની મહામૂલી મૂડી છે. પરંતુ જ્યારે આ સ્મરણશક્તિ પરભવની પુરાણ વાતને પણ મગજમાં ભરી રાખતી જોવા મળતી હોય ત્યારે તે આત્માને ન માનનારાઓને માથું ખંજવાળવું પડે છે. એ વખતે એક પ્રશ્ન તેમના લમણે જોરથી વાગે છે કે શું આત્મા જેવી કઈ વસ્તુ છે ખરી કે જે દેહથી ભિન્ન હોય અને દેહમાં રહેતી હોય? ક્યાંકથી આવતી હોય અને ક્યાંક જવાની હોય! દેહનું મૃત્યુ થવા છતાં એનું તે કદાપિ મૃત્યુ ન થતું હોય? આ પૂર્વજન્મ અને પુનર્જન્મ શું? એની સ્મૃતિ શું? કેને સ્મૃતિ થાય? જે અનુભવે તેને જ ને? તે ત્યાં તેણે અનુભવ્યું? શું તે અનુભવ કરનાર જ અહીં આ દેહમાં આવ્યું છે? હા, તેમ તે માનવું જ પડે. નહિ તે અનુભવ કરનાર ન હોય એવાને એ સમયના અનુભવની સ્મૃતિ થાય જ નહિ. જે અનુભવે તે જ સ્મરણ કરે એ નિયમ તે વિશ્વવ્યાપી છે. રમેશ કેરીના રસને અનુભવ કરે અને અશ્વિનને એ જ કેરીના રસની સ્મૃતિ થાય એવું બને જ નહિ. Page #98 -------------------------------------------------------------------------- ________________ [૮૩ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ તે શું પૂર્વજન્મની સ્મૃતિની જે વાત સાંભળવા મળે છે. તેનાથી પૂર્વજન્મના દેહમાં રહીને અનુભવ કરનાર કઈ એ આત્મા છે કે જે ત્યાંના દેહમાંથી નીકળીને આ નવે જન્મ ધારણ કરે છે? અને તેને પિતાના ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ થાય છે? પરસ્ય ધર્મોમાંના ચાર્વાક જેવા કેક દર્શનને બાદ કરતાં બાકીના બધા ધર્મો ઉપરક્ત વાતમાં કેઈ આશ્ચર્ય દર્શાવતા નથી. એમણે તે આત્મા જે એક સ્વતન્ત્ર નિત્ય પદાર્થ મા જ છે. એથી જ એમના મતે ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ થવામાં કશું જ નવાઈ ભર્યું ગણાતું નથી. જેનદર્શનના કથાનુયેગમાં હજારોની સંખ્યામાં જે ચરિત્રકથાઓ છે તેમાં આવી જાતિસ્મરણની વાત તે જ્યાં ને ત્યાં વેરાયેલી જોવા મળે છે. કેટલાકને કેઈ મુનિનાં દર્શન થયા અને એવાં દર્શન પૂર્વે ક્યાંક કશાકનું સ્મરણ થઈ આવ્યું અને તરત જ ભૂતપૂર્વ પ્રસંગવાળે જન્મારે પોતાની સ્મૃતિમાં ખડે થઈ ગયે, કેટલાકને વળી ભૂતપૂર્વ જીવનમાં દાટેલા ધનનું કઈ કારણસર સ્મરણ થઈ આવ્યું અને એ ધન મેળવવા એના વર્તમાન જન્મમાં લેહી રેડડ્યાં! આમ સારી અને ખરાબ–બે ય પ્રકારની સ્મૃતિઓ થવાના પ્રસંગે જૈન કથાનુગમાં વણાયેલા છે. જૈનદર્શને ઈશ્વરને જગત્કર્તા તરીકે માનતું નથી, પણ અત્યંત ઉપાસ્ય તત્વ તરીકે જરૂર માને છે એટલે આવી સઘળી બાબતેની પાછળ “કમનું તત્વજ્ઞાન રજૂ કરીને એવા ખુલાસા આપે છે. અહીં પણ કહેવું છે કે મતિજ્ઞાન નામનું (પાંચ પ્રકારના જ્ઞાન પૈકી) એક જ્ઞાન છે, જેની ઉપર કર્મના રજકણોનું પ્રગાઢ આવરણ આવી જતાં ભૂતપૂર્વ સ્મૃતિ વગેરે થઈ શકતાં નથી. પરંતુ જે આત્માને કોઈ નિમિત્ત વગેરેને પામીને એ કાર્મણ રજકણોને અમુક જરૂરી પ્રમાણમાં હાસ થઈ જાય છે ત્યારે આત્માને ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ અવશ્ય થાય છે. ટૂંકમાં, કહેવાનું એટલું જ છે કે પૌરમ્ય દશને અને તેમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮] વિજ્ઞાન અને ધમ પણ જૈનદર્શન માટે ભૂતપૂર્વ જન્મ વગેરેની સ્મૃતિની વાત જરા ય આશ્ચર્યજનક નથી. પરંતુ આધુનિક વૈજ્ઞાનિક માનસ આ વાતને સાંભળતાં જ ચમકી ઊઠે છે. ‘અસંભવ' કહી દેવા ઉતાવળું થઈ જાય છે, કેમકે વિજ્ઞાન એ ઘણું કરીને જડનું વિજ્ઞાન છે. એણે જડ પરમાણુ વગેરેના સંબંધમાં કેટલુંક સંશાધન કરીને એ વિષયમાં જ કેટલીક કહેવાતી પ્રગતિ સાધી છે. વિજ્ઞાન એ તત્ત્વજ્ઞાન નથી, વિજ્ઞાન તા માત્ર જડતુ એક વિષયનુ –વિસ્તૃત કહી શકાય તેવું જ્ઞાન છે. તત્ત્વજ્ઞાનનાં જડ અને ચેતનતત્ત્વનાં તમામ પાસાંઓને સાંભળતાં જ આજના વૈજ્ઞાનિક મૂઝાઈ જાય તે તદ્ન સહજ છે. આવી મૂ‘ઝવણમાંથી જ કેમ જાણે; આજના વૈજ્ઞાનિકોએ આ વિષયમાં પણ સંશાધન-કાર્ય આરંભ્યું છે. કેવી નવાઈની વાત છે કે જે વસ્તુસ્થિતિને ભારતીય જૈન સંસ્કૃતિને પામેલું એક નાનકડું આઠ વર્ષનું ખાળક તદ્દન સારી રીતે સમજી શકયુ' છે, વાતવાતમાં એ હકીકતાને જણાવતું રહ્યું છે તે હકીકતને કબૂલતાં વિજ્ઞાનને માથુ ખંજવાળવું પડયું છે. શું તે બાળકની વાતા ભ્રાન્તિપૂર્ણ હતી માટે ?....ના....ના. હવે તા વિજ્ઞાન પણ એ સંશોધનેાના ભરિયે આવતાં જ ખેલી ઊઠયુ છે કે, “જરૂર જરૂર ભૂતપૂર્વ જન્મ વગેરેની સ્મૃતિની વાતામાં તથ્ય છે, આત્મા અવિનાશી છે.” ખેર, હજી તે અંતિમ નિર્ણય પામી આઝે સમય નથી. વિજ્ઞાન ઘેાડા જ સમયમાં જ્ઞાનને અંતરથી પ્રણામ કરશે જ કરશે. શકયુ નથી પરંતુ હવે જૈનાગમના એ તત્ત્વ આ વિષયમાં પદ્ધતિસરનુ` સંશાધન કરવા માટે ભારત સરકારે પણ આ પ્રયત્ન આદર્યા છે. એવા પ્રયત્નના એક ફળરૂપે જયપુરમાં આવેલી રાજસ્થાન યુનિવર્સિટીમાં પેરા—સાયકોલેાજી વિભાગ ખાલવામાં આવ્યા છે. તે વિભાગમાં પુનર્જન્મની માહિતીનુ સંશેાધન કરવા માટે Page #100 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૮૫ ઠે. એચ. એન. બેનરજીને રોકવામાં આવ્યા છે. ઘણું વર્ષોથી ડે. બેનરજ પુનર્જન્મની માન્યતાની સત્યતા અંગે ભારે જહેરત ઉઠાવી રહ્યા છે. તેમણે આજ સુધીમાં પુનર્જન્મની સ્મૃતિ થઈ હોય તેવી લગભગ ૫૦૦ જેટલી વ્યક્તિએ તપાસી છે. જ્યાં ક્યાંય પણ કઈને પુનર્જન્મની સ્મૃતિ થયાની વાત તેમને જાણવા મળી જાય કે તરત જ તેઓ ત્યાં દોડી જાય છે. વિશ્વના ખૂણેખૂણામાં ફરી વળીને આ માન્યતાનું સત્ય પામવા તેઓ સાબદા બન્યા છે. જો કે હજી સુધી ડૉ. બેનરજીને કશેયે અંતિમ ઉત્તર પ્રાપ્ત થયે નથી. છેલ્લાં બાર બાર વર્ષની સાધના પછી પણ તેઓ હજી આ પ્રશ્ન અંગે મથામણ જ અનુભવી રહ્યા છે. પરંતુ તેમ છતાં તેઓએ એવો નિર્ણય તે નથી લીધું કે હવે, “માનવી એ કેવળ જડયંત્ર છે કે પછી આધ્યાત્મિક શક્તિઓ ધરાવતે ઉચ્ચ આત્મા છે,” એવા જુગજુના વિવાદ અંગેનું સત્યાન્વેષિત્વ ત્યાગી જ દેવું! ના, હજી તેમનું મંથન અને મથામણ બે ય ચાલુ જ છે. તેમની સામે ઘણું તેફાને પણ ઊભાં થાય છે; પરંતુ હજી સુધી તેઓ જાણે કે એક કર્મયોગીની અદાથી કામ કરી જ રહ્યા છે. રાજસ્થાનના આ મનેજ્ઞાનિક સમક્ષ જે સમસ્યા આવી ઊભી છે તે એ છે કે કોઈ ઉચ્ચકક્ષાના સ્મૃતિકેની કાર્યવાહીની કે મસ્તિષ્કની કોઈ અચેતન પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજૂતી શી રીતે આપવી? અને આ સમજૂતી પૂર્વાનુમાનની ઉપેક્ષા કર્યા વગર કેમ રજૂ કરવી? જેમનામાં પક્ષ દર્શન કરવાની શક્તિની કે વિચારસંક્રમણ (Telapathy) કરવાની શક્તિ સાંભળવા મળી કે તરત જ બેતાલીસ વર્ષના આ પ્રાધ્યાપક એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવા ઊપડી જ ગયા હોય. કેટલાક તે એવા પણ કિસ્સા તેમણે સાંભળ્યા હતા કે જે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬] વિજ્ઞાન અને ધર્મ. સાંભળવા માત્રથી માની જ ન શકાય; પરંતુ જ્યારે તેની જાતતપાસ કરી ત્યારે તેઓ ભારે વિમાસણમાં મુકાઈ ગયા હતા. કેમકે એવી જાતિસ્મૃતિ જેમને થઈ હતી તેમણે ભૂતપૂર્વ જીવનના પ્રસંગોને બહુ ચાકસાઈથી રજૂ કર્યો હતા. વિદ્યાભૂષણુ શ્રીરશ્મિ પોતે આ વિષયમાં શું કહે છે તે જોઇએ. તેઓ કહે છે કે, “મૃત્યુ આપણું શરણુ શેાધે છે. તમે કદાચ આ વાતને સાવ નકારી દઈને કહેશેા કે એવું તે શી રીતે બને? મૃત્યુ કાં આપણું શરણુ શેાધે છે? પણ હું વિનમ્રભાવે કહીશ કે તમે અહીં જરાક ભૂલ્યા છે. કેમકે ખરી રીતે મૃત્યુ જ તમારી પાસે આશ્રય માગે છે, અસંખ્ય વષૅથી સતત પ્રયત્નશીલ રહેવા છતાં એ તેમને–તમારા આત્માને હણી શકયુ નથી. સમયના આટલા લાંબા ગાળામાં પણ એ એક આત્માના નાશ કરવામાં સફળ થઈ શક્યું નથી. તેા પરાજય કાના? તમારો કે મૃત્યુના ? પહેલાં પાશ્ચાત્ય જગત માનતું હતું કે મૃત્યુની સાથે જ જીવનના અંત આવી જાય છે. જીવન ઉપર મૃત્યુના વિજય થાય છે – પણ હવે એ કહેવા લાગ્યું છે. કે, ‘જીવન અપરાજેય છે. મૃત્યુ પછી પણ જીવન હયાત રહે છે –એ કચારે ય મરતું નથી.” એ વાત કદાચ તમારી જાણ બહાર પણ હાઈ શકે છે કે ખ્રિસ્તી લોકોને માન્ય ખાઈબલમાં પુનર્જન્મની વાતાને નકારી નાખવામાં આવી છે. આમ છતાં અદ્યતન ખ્રિસ્તી જગતના વિખ્યાત ધર્મપ્રચારક, નાર્મેન વિન્સેન્ટ પીલનું કહેવું છે કે, પચાસ વર્ષ દરમિયાન જીવન– મરણની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્ન કરતાં મને જે અનુભવા થયા છે તેના આધારે હું કહી શકું છું કે, મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી પરંતુ વધુ મોટા વિસ્તારની ઉપલબ્ધિ છે; મૃત્યુ તે માત્ર એ જીવન વચ્ચેની સીમારેખા જ છે.'' જાણીતા માનસશાસ્ત્રી ડો. કેનેથ વાકર કહે છે કે, “પ્રાણી ક્રી ફરી જન્મે છે. પુનમના અસ્વીકાર નહિ કરી શકાય, પણ મૃત્યુ. Page #102 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૮૭ અને પુનર્જન્મ વચ્ચે જે તૂટેલી કડી છે તેનું રહસ્ય જયાં સુધી વૈજ્ઞાનિકો નહીં પામી શકે ત્યાં સુધી પુનર્જન્મનાં બધાં પાસાં સ્પષ્ટ નહિ થાય. "" ' એક પ્રશ્ન પૂર્વે કરવામાં આવ્યા હતા કે વશીકરણથી બધાના પુનઃ ન્માની સ્મૃતિ તાજી કરાવી શકાય કે નહિ ? એવા જ પ્રકારના અહીં પણ પ્રશ્ન થઈ શકે કે જો માણસ ફરી ફરીને જન્મે છે તે એ દરેક માણુસને પેાતાનું પાછલું જીવન કેમ યાદ આવતું નથી ? આ પ્રશ્નનું તર્કશુદ્ધ સમાધાન તા જૈનાગમામાં આપેલુ જ છે, પણ તેના નિર્દેશ કરવા પૂર્વે અર્વાચીન સમયમાં સર્વોત્તમ ! માનસશાસ્ત્રી ગણાતા ક્રોઈડ શું કહે છે તે જોઇએ. તેઓ કહે છે કે, સમયની વ્યથા અને યત્રણા એટલી બધી તીવ્ર હોય છે કે એને કારણે માનસપટ હંમેશને માટે શૂન્ય થઈ જાય છે. જન્મવેળાની આ વેદના માનસશાસ્ત્રીય વિશ્લેષણમાં ઘણીવાર ઉપર આવે છે. આ જ રીતે યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થામાં થતા પ્રવેશ પણ અતિ કપરો હાય છે. કેટલાક એવા આઘાત-પ્રત્યાધાતા આવે છે, જેના કારણે પહેલાંની ઘણી વાતા સ્મૃતિમાંથી સરી પડે છે.'' જન્મ ડો. ફ્રોઇડનું કહેવું છે કે જન્મવેળાએ બાળકનું મગજ કીડાપરંતગિયા જેવું હાય છે. એ વખતે બાળક માત્ર શારિરીક કાર્યો જ કરી શકે છે. દા. ત., શ્વાસ લેવે, ગળી જવું, ચૂસવું વગેરે. વિચાર અને સ્મૃતિએ તા ત્યારે એની શક્તિની બહાર જ હાય છે.” પરંતુ ડો. વાર તા, ક્રોઈડના આ વિધાનને સંમત થતા નથી. તેમનું કહેવું છે કે, “ચયન કરવું એ પ્રકૃતિના સનાતન ગુણુ છે. એટલે એ માત્ર આવશ્યક એટલી જ અનુભૂતિએ અને સાધનસામગ્રીને રહેવા દઈને બાકીનાના નાશ (તિરાભાવ) કરે છે.” આમ એ પરસ્પર વિરોધી વિધાના આ માનસશાસ્ત્રીએ કરે છે, ગમે તેમ હાય, પણ આ વિધાનામાંથી એટલું તા જરૂર નિશ્ચિત થાય છે કે શરીરની સાથે સાથે આત્મા નાશ પામતા નથી. એ અમર છે અને પેાતાનું શરીર બદલતા રહે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ જૈન-દાનિકો આ વિષયમાં મુખ્યત્વે પૂર્વે કહ્યા મુજબ ભૂતપૂર્વ સ્મૃતિસ્વરૂપ મતિજ્ઞાનને ઢાંકતું કર્માંના રજકણાનું પડળ કારણ કહે છે. કોઈ પણ કારણે જેનું એ આવરણુ ખસે તેને ભૂતપૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય છે, ખીજાને થતી નથી. આ મુખ્ય કારણની સાથે ગૌણુરૂપ ભૂતપૂર્વ સમયની અને વર્તમાન જન્મ સમયની વેદના, વગેરે પણુ કારણરૂપ બનતાં હોય તે તે સંભવિત છે. ૮] વળી પાતંજલ યોગદનમાં તે કહ્યું છે કે જીવને જે લાભદશા છે એ જ એને ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ થવામાં બાધક અને છે, સાપેક્ષ રીતે વિચાર કરતાં આ વાત મગજમાં ખરાખર એસી જાય છે. સામાન્ય રીતે ખાવાની, ભયની કે ભાગની વાસના કરતાં પણ ઘણા વધુ પ્રમાણમાં જીવને ભેગું કરવાની મૂર્છા હોય છે. આ મૂર્છાનું આત્મા ઉપર એવું પ્રગાઢ થર જામેલું હોય છે કે તેથી પણ તેને વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. વિશ્વમાં પણ એવું જેવા મળે છે કે જેએ આત્માના સબંધમાં વિશિષ્ટ ચિંતક બન્યા અને આધ્યાત્મિક–જ્ઞાનના અણુમેાલ વારસો વિશ્વને આપ્યા તે આત્માઓની ખાવાની, ભયની, ભાગની કે ધનાતિની મૂર્છાની લાગણીઓ ખૂબ જ મંદ પ્રમાણમાં–નહિવત્–હતી. આથી જ તેમની શક્તિએ એ તુચ્છ લાગણીઓ પાછળ ખરખાદ ન થઈ અને તેમણે આત્મસન્મુખ પ્રાપ્ત કરીને નવા વળાંક પાસીને નિગૂઢજ્ઞાનની પ્રાપ્તિ કરી. આ જ કારણ જૈનદાનિકો રાગાદિની અલ્પતામાં જ્ઞાનની વાસ્તવિકતા કહે છે, રાગાદિની અધિકતામાં કહેવાતા પ્રાપ્તજ્ઞાનને મારક જણાવે છે. × ટૂંકમાં, ધનાદિની મૂર્છાના ભાવ પણ આત્માને ભૂતપૂર્વસ્મૃતિજ્ઞાન થવા દેતું નથી, એ હકીકતમાં ઠાંસીને સાપેક્ષ સત્ય ભર્યું છે. આમ માત્ર જેનાગમેામાં નહિ કિન્તુ લગભગ બધા જ દેશે અને યુગોમાં ધાર્મિક પુસ્તકામાં આત્માની અમરતાને સમર્થન આપ× : લઘ્ધિપ્રતિષ્ઠાયાં પૂર્વનન્મથન્તામળમ્ પાતંજલ યોગદર્શન. Page #104 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ [૮૯ વામાં આવ્યું છે. પુનર્જન્મ તે ઘણું ધર્મોને પાયાને સિદ્ધાન્ત બન્યા છે. કેમકે પુનર્જન્મ છે માટે જ વર્તમાન ટૂંકા જીવનનાં ક્ષણિક ભૌતિક સુખેની ચિંતા પડતી મૂકીને જ્યાં જવાનું છે તેવી આત્માની અનંત યાત્રાના અગણિત જીવનના સુખની કાળજી કરવાનું દરેક ધર્મના પાયામાં તત્ત્વ પડેલું છે. બેશક, વિજ્ઞાન હજી આ તત્વને તાગ પામી શકયું નથી, છતાં એટલી તે જરૂર આનંદની બીના છે કે એ વિજ્ઞાન પણ હવે પુનર્જન્મની અને આત્માની અમરતાની સામે બંડ પુકારવાને બદલે એ વાતને વિચાર કરવામાં ગરકાવ તે બની ગયું છે. અહીં એવી કેટલીક તદ્દન સાચી ઘટનાઓ રજૂ કરવામાં આવે છે કે જે આત્માની અમરતા તથા પુનર્જન્મના સિદ્ધાન્તને વૈજ્ઞાનિક કસોટી પર ચડાવવામાં ઘણું સહાયક નીવડી શકે તેમ છે. આબીદ કે ઈસ્માઈલ? (૧) આ પહેલી ઘટના ઈસ્તંબુલ (તુક)માં બનેલી છે. ત્યાંના આત્મવિદ્યા તથા વૈજ્ઞાનિક સંશોધન પરિષદના અધ્યક્ષે પિતે આ ઘટનામાં ઊંડી તપાસ કરીને કહ્યું કે, “નિશ્ચિત આ આત્માના શરીરનાંતરની (અન્ય શરીરની ઘટના છે.” આ ઘટનાને અહેવાલ અધ્યાત્મકે વિજ્ઞાનવેત્તાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં રજૂ કરવામાં આવનાર હતા. ઈસ્તંબુલમાં એક છોકરો છે. એનું નામ ઈસ્માઈલ આતલિંકલિક. તુકીના મને વૈજ્ઞાનિકોને મત એ છે કે આ છોકરામાં છ વર્ષ પૂર્વે, દક્ષિણ-પૂર્વે તુકના “અદના” નામના ગામમાં માર્યા ગયેલા એક માણસને આત્મા વસે છે. છેલ્લા ઘણા મહિનાઓથી મને વૈજ્ઞાનિકે તથા અધ્યાત્મ-વેત્તાઓ એની તપાસ કરી રહ્યા છે. જે માણસની હત્યા કરવામાં આવી હતી તેનું નામ “આબિદ સુજુલયસ.” તે પિતાની પાછળ ત્રણ બાળકને મૂકી ગયો હતે. ગુલશરા, જેકી અને હિકમત. ચાર વર્ષને ઈસ્માઈલ ક્યારેક ક્યારેક પિતાનાં એ બાળકને જેવા વ્યાકુળ થઈ ઊઠે છે ત્યારે એમનાં નામ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦] વિજ્ઞાન અને ધમ લઇ મેટેથી એમને બોલાવે છે. ઘણીખરી વાર તેા એ સૂતા હોય ને સફાળા બેઠો થાય છે અને બૂમ પાડે છે, ‘ ગુલશરા ! મારી દીકરી ! તું કર્યાં છે?’ એક દિવસ ઇસ્માઇલના પિતા મહમૂદ આતલિંકલિકે એક વિચિત્ર દૃશ્ય જોયું. એમના ઘર આગળથી કોઈક રેકડીવાળે આઈસ્ક્રીમ વેચતા જઈ રહ્યો હતા. નાના ઇસ્માઇલે એને બૂમ પાડીને કહ્યું, “મહમૂદ, આ શું કરે છે? પહેલાં તેા તુ શાકભાજી વેચતા હતા ને? ” એ ઇસ્માઇલના અવાજ અને એના શબ્દો સાંભળીને રેકડીવાળે તા સજ્જડ થઈ ગયા. એનું નામ સાચે જ મહમૂદ હતું. તે બાળકને પૂછવા લાગ્યા. રે તને શી રીતે ખબર પડી કે હું પહેલાં શાકભાજી વેચતા હતા ’ ઇસ્માઇલે કહ્યું, ‘ ભાઇ, હું આબિદ છું. મને ભૂલી ગયા કે ? તું મારી પાસેથી તે શાકભાજી ખરીદતા હતા ને !” રેકડીવાળે તે આ સાંભળીને હેબતાઇ ગયા. જેમ તેમ કરીને પોતાની ઉપર કાબૂ મેળવીને તેણે કહ્યું, “ મને યાદ છે ત્યાં સુધી તે આષિદની હત્યા થયે છ વર્ષ થવા આવ્યાં !” પછી ઈસ્માઈલના પિતાએ પેાતાના ટેકરાની બધી વાત રેકડીવાળાને કહી ત્યારે તેને જરા હાશ આવ્યા. હવે તે રાજ ઈસ્માલઇને આઈસ્ક્રીમની પ્લેટ મફત ખવડાવે છે. આબિદ સુજુલયુસ અદના શહેરમાં રહેતા હતા. એક દિવસ તેને, તેની પત્નીને અને બે બાળકોને એક સાથે મારી નાખવામાં આવ્યાં હતાં. ઈસ્માઈલે એક દિવસ કહ્યું હતું, “મારાં ત્રણ બાળકો ગુલશરા, જેકી અને હિકમત હજી જીવતાં છે અને મારા ઘરમાં રહે છે. મારી પહેલી મેખી હુાતિસ એમની સંભાળ લે છે.” આ વાત સાંભળ્યા પછી એક દિવસ એક અખબારને પ્રતિનિધિ ઈસ્માઈલને અદના લઈ ગયા, ત્યાં આબિદના ઘરમાં પહોંચતાં જ ઈસ્માઈલ અધીરા થઇ ગયા અને બૂમ પાડવા લાગ્યો. ગુલશરાએ Page #106 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૯૧. બારણુ પાસે તેને આવકાર્યો. એને જોતાં જ ઈસ્માઈલ અતિ સ્વાભાવિકતાથી બે, “મારી બેટી ગુલશરા.” પછી રસોડામાં રાંધતી એક વૃદ્ધ સ્ત્રી પાસે તે દેડતે ગયે. અને એના ગાલને ચૂમીને પત્રકાર તરફ ફરીને તે બોલ્યા, “આ મારી પહેલી બીબી છે, હાતિસ!” પત્રકારે પૂછયું કે, “તે હાતિસને તલ્લાક આપીને બીજી બીબી સાથે લગ્ન કેમ કર્યા ?” ત્યારે એણે જરાય અચકાયા વિના ઉત્તર આપે, “શાહિરા વધારે ખૂબસૂરત હતી, ને વળી હાતિસને બાળક થતું ન હતું !” આબિદના ઘરમાં ઈસમાઈલ એવી રીતે ફરતું હતું કે જાણે એ એનું પિતાનું જ ઘર હેય. એને ખબર હતી કે કઈ વસ્તુ પિતે ક્યાં રાખી છે ! તે પ્રતિનિધિને તબેલામાં લઈ ગયા. ત્યાં પહોંચતાં જ એને ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે બતાવ્યું કે કેવી રીતે ૧૯૫૬ ના જાન્યુઆરીની ૩૧ મીએ આ તબેલામાં એને મારી નાખવામાં આવ્યું હતું. એના પિતાના જ શબ્દોમાં સાંભળે : અમારું કુટુંબ ઘણું સુખી હતું. અમે બધાને મદદ કરવા તૈયાર રહેતા. એક દિવસ રમજાન અને મુસ્તફા નામના બે ભાઈ બિલાલ નામના માણસને લઈને મારી પાસે આવ્યા અને કામની માગણી કરવા લાગ્યા. એમણે કહ્યું કે તેઓ કેમિક ગજક નામના શહેરમાંથી આવતા હતા. હું શાકભાજી ઉગાડવાનું કામ કરતો હતો એટલે મેં તેમને કામ ઉપર રાખી લીધા. ૩૧મી જાન્યુઆરીની સવારે રમજાને મને તબેલામાં બોલાવ્યું અને કહ્યું કે, “મારો ઘોડે લંગડાય છે.” હું વાંકે વળીને ઘેડાને પગ જેવા લાગ્યા. અચાનક મારા માથા ઉપર એક જોરદાર પ્રહાર થયો અને નીચે પડી ગયે. ત્યાર પછી રમ-- જાને કોઈ લેઢાની વસ્તુથી મારી ઉપર પ્રહાર કર્યો. Page #107 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ ઈસ્માઈલ આ હત્યાનું જેમ વર્ણન કરતા ગયા, તેમ તેના માથા ઉપર પરસેવા વળવા લાગ્યા. એ વાતને યાદ કરતાં પણ એને મુશ્કેલી પડતી હતી. પછી તે પોતાના કુટુબને લઈ આબિદની કબર પાસે જઈને ખોલ્યું।, મને અહીં દાટવામાં આવ્યા હતા.” ૯૨] ઈસ્માઈલે આબિદની હત્યાનું જે વર્ણન કર્યું હતુ. તે હત્યા વિષે પોલીસે તપાસ કરીને જે અહેવાલ તૈયાર કર્યાં હતા તેને તદ્ન મળતું આવતું હતુ. પોલીસ-અહેવાલ પ્રમાણે રમજાન અને મુસ્તફા નામના બે ભાઈઆએ બિલાલ નામની વ્યક્તિની મદદથી આબિદ, એની પત્ની તથા જિલી અને ઈસ્મત ( ઉં. વ. ૬ અને ૪)ની કુહાડીથી હત્યા કરી હતી. પણ ખૂન કર્યા પછી ભાગી જવાના તેમને પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. તેમને પકડી લેવામાં આવ્યા હતા અને અદાલતે તેમને પ્રાણદંડ કર્યાં હતેા. મુસ્તફા સજા ભોગવતાં પહેલાં જ જેલમાં મરી ગયા અને બાકીના બે ગુનેગારાને ફાંસી મળી. ખૂનના આ મનાવે અદનામાં ભારે તફાન મચાવ્યું હતું. હવે ઈસ્માઈલને એના નામથી જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે તે કહે છે, “મારુ નામ આબિદ છે. એ એક પરચૂરણ દુકાનદારનું નવમું સંતાન છે.” ઈસ્માઈલ અઢાર મહિનાના થયા ત્યારથી જ બોલવા લાગ્યા હતા, પણ આબિદના રૂપમાં વ્યવહાર કરવાનું એણે અઢી વર્ષોંની ઉંમરથી શરૂ કર્યું. એના કાકાએ આવી ચિત્રવિચિત્ર ચેષ્ટાઓ જોઈ પહેલાં તે તેને ખૂબ ધમકાવ્યે, પછી તેા માર્યાં પણ ખરા. એને એમ હતું કે કાં તો છેકરે બદમાશી કરે છે, કાં તો એની અંદર કોઈ ખીજાના આત્માએ પ્રવેશ કર્યાં છે. બાળક ઈસ્માઈલે પેાતાના કાકાના આવા કરવ્યવહારને સહન કર્યો, પછી માટેથી કહ્યું, “થાડા વિસ ખાગમાં કામ કરતા હતા અને મારી સાથે પહેલાં તે શાંતિથી પહેલાં તે તું મારા Page #108 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ “રાકી (તુકને એક શરાબ) પીતું હતું, હવે તું આ કૃતની બની ગયો.” કાકા તે સ્તબ્ધ જ થઈ ગયા. સાચે જ તેમણે તેમ કર્યું હતું. ઈસ્માઈલને જ્યારે પડોશનાં બકરાં રમવા માટે બોલાવે છે ત્યારે તે જવાબ દે છે, “છોકરાં સાથે રમવા જેવડો શું હું માને. છું? ભાગો અહીંથી.” તુકીને નેકાટીઃ (૨) . બેનરજી સમક્ષ આવેલા કિસ્સાઓમાં તુકીને એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. તુકીના એડાના' નામના ગામમાં નેકાટી નામને સર વર્ષને એક છોકરો છે. એનું આખું નામ છે, “નેકાટી ઉલુકાસકરન.” ગરીબ આરબ કુટુંબમાં જન્મેલો આ કિશોર પિતાની આગલા જન્મની વાત કહે છે. આ છેક જન્મે ત્યારે તેના માબાપે તેનું નામ મલીક રાખેલું. છોકરાના જન્મ પછી ત્રીજા દિવસે તેની માતાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં આ નવજાત બાળક, માતાને પિતાનું નામ મલીક રાખવાને બદલે નેસીપ એવું નામ રાખવાની કાકલુદી કરતું જણાયું. પણ આ માબાપે તે નામ બદલીને મલીકને બદલે નેકટ રાખ્યું. કેમકે નેસીપ નામ તેમના નજીકના સગામાં બીજા છોકરાનું હતું. આરબ લોકેમાં એ વહેમ છે કે સગામાં કેઈનું નામ હોય તે જ નામ નવજાત બાળકનું રાખીએ તે તે નામ અપશુકનિયાળ ગણાય. નેકાટી જે બેલતાં શીખે કે તરત જ એણે પિતાના આગલા જન્મની વાત કરવા માંડી. તેણે કહ્યું કે, “આગલા ભવમાં મારું નામ નેસીપ બુડાક હતું. હું મરસીનમાં રહેતું હતું. ત્યાં મારું ખૂન થઈ ગયું હતું.” નેકાટી ઉંમરમાં જરા વધારે થયે એટલે એ આગલા જન્મની, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪] વિજ્ઞાન અને ધર્મ વધુ વિગત આપવા લાગ્યા. તેણે કહ્યું કે, “હું મારા આગલા જન્મમાં પરણેલા હતા અને મારાં ખાળક પણ હતાં. મારી પત્નીનું નામ ઝેહરા હતું. મારા દીકરા નાજાત મને બહુ વહાલા હતા. હું એને મારા ખભા ઉપર બેસાડીને બહાર ફરવા લઈ જતા. મારું ખૂન એહમદ રેન્કલીએ કર્યુ હતું. તેણે મને તેના ઘરમાં ચા તૈયાર કરીને લઈ આવવાનું કહેલું, પણ હું ન લઈ આવ્યે એ કારણે અમારે ઝઘડા થયા, એમાં એણે મારું ખૂન કરી નાખ્યુ.. અહેમદે મને દાતરડુ મારેલું. તેનાથી તેણે મારા માથાની પાછળ, માં ઉપર, આંખ પાસે, છાતીમાં અને પેટ ઉપર ઘા કર્યાં હતા.’ પોતે ખૂનને ભેગ બનેલા નેસીપ ખુડાક છે તેવું જાણ્યા પછી હવે નેકાટીને બધા નેસીપ કહીને જ એલાવે છે. અને જ્યારે એને માર્યા ગયેલા નૈસીપ ખુડાકને ઘેર લઈ જવામાં આવ્યે ત્યારે તેણે તરત જ પોતાની પત્ની ઝેહરાને અને પોતાના બાળકોને એળખી કાઢવાં. તેમનાં સાચાં નામ પણુ કહી આપ્યાં. સૌથી નાની છેકરીનું નામ તે ના કહી શકો કેમ કે તેના જન્મ નેસીપના ખૂન પછી થયા હતા. તેણે ઝેહરા સાથે એક વાર થયેલા ઝઘડાની વાત પણ કરી અને કહ્યું કે, તે વખતે ગુસ્સામાં મારી પત્ની ઝેહરાના પગ ઉપર છરી મારી હતી.' તપાસ કરતાં જણાયુ. કે ઝેહરાના પગ ઉપર • છરીના ઘાનું લાંખું નિશાન હતું. તેણે કહ્યું કે, “જે દહાડે મારું ખૂન થયુ. તે દિવસે ખૂબ વરસાદ વરસતા હતા, નેસીપ મુડાકની વિધવા પત્ની ઝેહરાએ કહ્યું કે, તે વાત તદ્ન સાચી છે.' જાતિસ્મૃતિના કિસ્સાઓ મુસ્લિમ કામમાં અને એ વળી જાતિસ્મૃતિની વાતાની સત્યતાને વધુ સબળ પુરાવેા કહી શકાય, કેમકે મુસ્લિમો પુનર્જન્મના તત્ત્વજ્ઞાનમાં માનતા જ નથી. અને તેવા પ્રદેશમાં મુસ્લિમ બાળકો જાતિસ્મૃતિના દાવા કરે તે એ સાચે જ જાતિસ્મૃતિ માટે ખૂબ મહત્ત્વના પુરાવા કહી શકાય. Page #110 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ [૯૫ બાળક કરીમઉલાહ ? (૩) પુનર્જન્મને આબાદ સિદ્ધ કરી આપતી બીજી પણ એક ઘટના મુસ્લિમ કુટુંબમાં બની છે. ભારતનું વિભાજન થયા પછીની આ વાત છે. ઉત્તર ભારતના બારેલા શહેરની આ ઘટના છે. શ્રી હસમતઅલી અન્સારી નામના એક શિક્ષક ઈકરામઅલી નામના એક જમીનદારને ત્યાં એમના બાળકને ભણાવવા જતા હતા. એક વાર અસમતઅલી પિતાના પાંચ વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા. બાળકનું નામ હતું કરીમઉલ્લાહ. જમીનદારને ઘેર આવતાં જ કરે તે રાજી રાજી થઈ ગયે. એ સીધે જમીનદારના ઘરમાં પેસી ગયે, અને જાણે પિતનું જ મકાન હોય તેવી રીતે ફરવા લાગ્યું. ત્યાં જમીનદારની વિધવા પુત્રી ફાતીમાને જોઈ. તરત જ તે દેડ્યો અને તેણીને હાથ પકડી લઈને બોલ્યા, “અરે, ફાતીમા! તું તે મારી બેબી છે. તું અહીં કેમ ચાલી આવી ?” અજાણ્યા બાળકના મુખેથી પિતાનું નામ સાંભળીને જ ફાતીમાં તે સજજડ થઈ ગઈ. થોડી વારે કરીમઉત્સાહ પૂર્વજન્મની વાતે કરવા લાગે. કેઈને પણ સાથે લીધા વગર બધા ઓરડામાં તે ફરી વ. પૂર્વજન્મની પત્ની ફાતીમાંના ઓરડામાં જઈને પિતાની રોજની બેસવાની ખુરશી ઉપર બેસી ગયા. ફાતીમાના પિતાને “અબ્બાજાને અખજાન” કહી સંબોધવા લાગે. ફાતીમા પાન બનાવવા લાગી ત્યારે તેણે પણ કહ્યું, “મારે પાન ખાવું છે, મારું પાન બનાવતાં તે આવડે જ છે ને ?” ફાતીમા આશ્ચર્ય વદને એ છોકરા સામે જોઈ રહી. એને એ વાતની યાદ હતી કે તેને પતિ ફારુક પાંચ વર્ષ પૂર્વે જ મૃત્યુ પામ્યું હતું, અને આ બાળક પણ પાંચ વર્ષનું હતું. આ વાત જાણતાં જ પાડેશીઓ ભેગા થઈ ગયા. પછી તે છોકરાએ પૂર્વજન્મના સંબંધની અનેક વાત કરી. એમાંની કેટલીક છેકરા આ વાત જાક પણ પાંચ વર્ષમાં એને એ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬] વિજ્ઞાન અને ધર્મ તે એવી પણ વાત હતી, જે માત્ર ફાતીમા અને તેના પતિ ફારક જે જાણતા હોય. તે છોકરાએ બધાને કહ્યું કે, “મેં પાકિસ્તાનમાં વસતા મારા ભાઈને છ હજાર રૂપિયા મોકલ્યા હતા. ત્રણ હજાર રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા. મારા ભાઈ લાહેરમાં વેપાર કરે છે. મારે વિચાર પણ ત્યાં જ જવાનું હતું. એ વિચાર મેં કેઈને જણાવ્યું ન હતું. આજે જ તમને જણાવું છું. મારા ભાઈનું નામ ઉમર આદિલ છે. મારા સસરાને ત્યાં બંદૂકની ચોરી થઈ હતી.” આ બધું સાંભળીને બધા ચકિત થઈ ગયા કેમકે આ બધી વાત તદ્દન સાચી હતી. ફાતીમા કહે છે, “પુનર્જન્મમાં હું માનતી નથી પણ જ્યારે મારી આંખ સામે હું આ બધું જોઈ રહી છું ત્યારે હું હવે તેને ઈન્કાર કરી શકતી નથી.” શેઠ કૃણુગોપાલ (૪) બલીના કાયસ્થ સજજન શ્રી છદામીલાલ સકસેનાને ત્યાં સુનીલ નામને ચાર વર્ષને એમને પુત્ર હતું. ચાર વર્ષે પણ બેલતાં ન શીખે એટલે માતાપિતા તેને બહેરે અને મૂંગે સમજવા લાગ્યાં. - એક વાર પિતાએ સુનીલને કઈ કામ સોંપ્યું. તેણે તરત કહ્યું, “મારા નેકરને બોલાવે, હું કામ નહિ કરું.” સુનીલને એકાએક આ રીતે બોલતે સાંભળીને સહુ આશ્ચર્ય સાથે આનંદ પામી ગયાં, પણ સાથે એ વિશેષ કુતૂહલ પણ થયું કે ઘરમાં એક પણ નેકર ન હોવા છતાં સુનીલે નોકરની શી વાત કરી? - જ્યારે તેને પિતાની વાત કરી ત્યારે પણ તેણે જણાવ્યું કે “હું મારી પિતાની નિશાળમાં જ ભણીશ.” પિતાએ ગુરસામાં કહ્યું, “તારા બાપની નિશાળ ક્યાં છે? હું તે ગરીબ છું અને સાધારણ નોકરી કરું છું.” Page #112 -------------------------------------------------------------------------- ________________ [૯૭ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ સુનીલ તરત બેલ્યો, “તમારી નિશાળ ન હોય તો કાંઈ નહિ, પણ મારી પિતાની નિશાળ બદાયુમાં છે, હું સુનીલ નથી પણ બદાયુના જાણીતા ધનવાન શેઠ શ્રી કૃષ્ણપાલ છું. મારી બે નિશાળે અને શ્રીકૃષ્ણ ઇન્ટર કોલેજ છે, ત્યાં પ્રિન્સિપાલ . પાઠક છે.” આ બધી વાત સાંભળીને તેના પિતા ખૂબ આશ્ચર્ય પામ્યા. તેમણે સ્વજન-સંબંધીઓને બોલાવ્યા. ગામને કેટલેક અધિકારી વર્ગ પણ બોલાવ્યા. તેમની સમક્ષ સુનીલે ફરી બધી વાત કરી. ત્યાર બાદ બે ત્રણ લબ્ધપ્રતિક ગૃહસ્થની સાથે સુનીલને બદાયુ લઈ જવામાં આવ્યું. કોલેજ પાસે આવતાં જ સુનીલ અંદર દોડી ગયું અને પ્રિન્સિપાલની ખુરશી ઉપર પાઠકને બદલે બીજા કેઈને જોતાં જ તે હેબતાઈ ગયે. તેણે કહ્યું, “આ પ્રિન્સિપાલ નથી.” સુનીલના પિતાએ તે ભાઈને પૂછયું કે, “શ્રી પાઠક ક્યાં છે?” ત્યારે તે નવા પ્રિન્સિપાલે કહ્યું કે, હું તે બે વર્ષથી જ અહીં નિયુક્ત થયેલ છું. મારી પહેલાં પ્રિન્સિપાલ પાઠક હતા. તેમણે આ કોલેજમાં ૩૧ વર્ષ સુધી કામ કર્યું હતું. આ કેલેજના સ્થાપક શેઠ શ્રી કૃષ્ણનેપાલ યુવાનીમાં જ હાર્ટ ફેઈલ થયા હતા. તેઓ સંતાનહીન હોવાથી તેમનાં પત્નીએ એક છેકરો દત્તક લીધે છે, જે બધો વહીવટ સંભાળે છે. ત્યાર પછી બાળકને પહેલાંના પ્રિન્સિપાલના ઘેર લઈ જવામાં આવ્યું. પ્રિન્સિપાલને જોતાં જ સુનીલ તેમને વળગી પડ્યો. પછી કેલેજની વ્યવસ્થા અને ફેરબદલીની બાબતમાં કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરી. બાળકના મેઢેથી આ બધી વાત સાંભળીને લેકે દંગ થઈ ગયા. પછી બાળકને તેની પૂર્વજન્મની પત્ની પાસે લઈ જવામાં આવ્યું. ત્યાં બાળકે પત્ની, સગાંઓ અને નેકરેને ઓળખી કાઢયાં. વિધિ. ૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ બે વર્ષ પહેલાં જ મૃત્યુ પામેલા ડ્રાઇવર વફાતની બાબતમાં પણ ઝીણુ પૂછપરછ કરી. (-જનશક્તિ દૈનિક) આવા તે અનેકાનેક પ્રસંગે ભારતમાં અને ભારતની બહાર બની ચૂક્યા છે, કેટલાકની ખેંધ લેવામાં આવી છે, કેટલાક વણને ધ્યા વિસ્મૃતિના ગર્ભમાં ચાલ્યા ગયા છે. શાન્તાદેવી: (૫) વશીકરણથી પૂર્વજન્મની સિદ્ધિના પ્રકરણમાં શાન્તાદેવીના જાતિસ્મરણની વાતને માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એશિયાખંડમાં આ કિસ્સે સૌથી વધુ જાણીતું થયે છે. એમ કહેવામાં આવે છે તે અનુચિત નહિ ગણાય. આ કિસ્સાની સત્યાસત્યતા માટે અનેક ખ્યાતનામ વ્યક્તિઓએ ચકાસણું પણ કરી છે. દિલ્હીના નામાંકિત પંદર માણસોએ આ કિસ્સા પાછળ ભારે શ્રમ વેઠીને તેની પૂરી તપાસ કરી હતી. ત્યાર બાદ તેમાંથી લાલા દેશબંધુ (મેનેજિંગ ડિરેકટર “તેજ') પંડિત નેકીરામજી શર્મા તથા બાબુ તારાચંદજી વકીલ–એમ ત્રણ માણસોની કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીએ એક અહેવાલ તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો હતે. તેમાં જણાવ્યા મુજબ શાન્તાદેવી ચાર વર્ષ સુધી તે લગભગ મૂંગી જ હતી. ત્યાર પછી તે જે કાંઈ બોલતી તેમાં પૂર્વજન્મની ઘટનાઓ જ કહેવા લાગી. જેમકેઃ “આવી મીઠાઈ હું મથુરામાં ખાતી, આવાં કપડાં હું ત્યાં પહેરતી. હું ચલણ હતી. મારા પિતા એક બજાજ હતા. ઈત્યાદિ.” શાન્તાદેવીએ આવી ઘણું વાત કરી. છેવટે તેણે મથુરા જવાની પિતાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું, “મારા પિતાનું નામ કેદારનાથે બે છે.” તેણે તેમના મકાનનું ઠેકાણું બતાવ્યું. એ ઠેકાણે શાન્તાદેવીના કહેવા મુજબ તેના પતિ કેદારનાથને પત્ર લખવામાં આવ્યું. આશ્ચર્યની વાત છે કે ચેડા જ દિવસમાં પં. કેદારનાથનો Page #114 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ ઉત્તર આવ્યો. એમાં જણાવ્યું હતું કે, શાન્તાદેવીની વાત સાચી છે. હાલ તે મારા ભાઈ કાંજીમલ દિલ્હીમાં છે. તેમને શાન્તાદેવીને મેળાપ કરાવે.” ત્યાર બાદ કાંજીમલની સાથે તેને મેળાપ કરાવ્યું. એને જોતાં જ શાન્તાદેવીએ તેમને ઓળખી લીધા. અને કહ્યું કે, “તમે મારા દિયર છે.” ત્યાર પછી કાંમલે કેટલાક પ્રશ્નો પૂછયા, જેના શાન્તાદેવીએ બરોબર જવાબ આપ્યા. પછી તે તેના ભૂતપૂર્વ જન્મના પતિ કેદારનાથ પણ આવ્યા. સાથે તેમને દસ વર્ષનો પુત્ર હતો. દીકરાને શાન્તાદેવી પ્રેમભરી આંખે જોઈ રહી. પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કેદારનાથે પૂછેલા તમામ પ્રશ્નોના સાચા ઉત્તર મળ્યા. અશ્રુભરી આંખે તેમણે કહ્યું કે મારી ખાતરી થઈ છે કે આ મારી પૂર્વજન્મની પત્ની જ છે.” શાન્તાદેવીએ પુત્રને ઝડપથી રમકડાં લાવી આપ્યાં. શાન્તાદેવીએ મથુરા જવાની તીવ્ર ઈચ્છા દર્શાવી. “જે મને મથુરા લઈ જવામાં આવે તે, હું મારા પતિનું મકાન ઓળખી કાઢું.” તેમ તેણે કહ્યું. પછી પિતાના મકાનનું, વિશ્રામઘાટનું, દ્વારકાધીશના મંદિરનું, રસ્તાઓ અને ગલીઓનું, આબાદ વર્ણન કર્યું. જાણે કે તે ત્યાં વસેલી હોય. પિતાના મકાનમાં રૂપિયા દાટેલા છે એમ પણ કહ્યું. શાન્તાદેવી તેનાં માતા-પિતા અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાથે મથુરા જવા રવાના થયાં. ટ્રેનમાં બેઠા પછી શાંતાદેવી અસાધારણ પ્રસન્ન દેખાવા લાગી. મથુરા નજીક આવતાં તેના આનંદનો પાર ન રહ્યો. તે બોલ્યા કે જે ગાડી ૧૧ વાગે મથુરા પહોંચશે તે દ્વારકાધીશના મંદિરના પટ બંધ થઈ જશે.” પટ બંધ થઈ જવા એ મથુરાની ખાસ ભાષા છે. સ્ટેશન આવતાં એના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. ટ્રેન પ્લેટફોર્મ પાસે આવી કે તે બોલી ઊઠી. મથુરા આવ્યું.” પૂર્વજન્મની જેને ખબર છે એવી શાન્તાદેવી મથુરા આવે છે.” એ સાંભળી સ્ટેશન પર ઊતરી અનેક માણસે આવ્યા હતા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] વિજ્ઞાન અને ધર્મ હા જતાં, એ પાછળ પાછળ દ્ધને એ ભીડમાંથી એણે એક વૃદ્ધને ઓળખી કાઢ્યા અને શ્રદ્ધાપૂર્વક તેને ચરણને સ્પર્શ કર્યો. શાંતાદેવીએ કહ્યું કે, “આ મારા જેઠ છે.” એ વૃદ્ધ પૂર્વજન્મને જેઠ જ હતો. ભાડૂતી ટાંગામાં સૌથી આગળ શાંતાદેવી દેશબંધુની સાથે બેઠી. ટાંગાવાળાને કહી દેવામાં આવ્યું કે, “શાંતાદેવી કહે તે રસ્તે ટગે ચલાવો. રસ્તામાં જુદાં જુદાં મકાનો અને રસ્તાઓ અંગે શાંતાદેવીને પૂછવામાં આવતાં તેણે બરાબર જવાબ આપ્યા. કેટલાંક મકાન પહેલાં ન હતાં. હોલીગેટ પહોંચતાં પહેલાં જ તેણે હેલીગેટને નિર્દેશ કરી દીધે. સ્ટેશનને રસ્તે પહેલાં ડામરને ન હતો એમ પણ જણાવ્યું. શાંતાદેવી ટાંગાવાળાને બરાબર રસ્તે બતાવતી રહી. એક ગલ્લીમાં ટાંગો જતાં, ટાંગે ઊભો રખાવીને તે ઊતરી પડી અને ચાલવા માંડયું. સાથેના માણસો પાછળ પાછળ જવા લાગ્યા. અચાનક આશ્ચર્યજનક દશ્ય જોવામાં આવ્યું. તેણે એક વૃદ્ધને દૂરથી ઓળખી કાઢયા અને તે બોલી કે, “આ મારા શ્વસુર છે.” શાંતાદેવીએ એ વૃદ્ધના ચરણેને સ્પર્શ કર્યો. એ બધું નૈસર્ગિક અને અકૃત્રિમ હતું. કાંઈ પણ મુશ્કેલી સિવાય પિતાના મકાનને શેધી કાઢવામાં તે સફળ થઈ. શાંતાદેવીએ મકાન બતાવ્યું. મથુરાના જવાબદાર માણસેએ પૂછયું કે મકાનનું જાજરૂ બતાવી શકશે? શાંતાદેવી તરત નીચે ઊતરી અને એક ક્ષણમાં જાજરૂ બતાવી દીધું! કેમ જાણે ઘરની પરિચિત ન હોય ! સહુ આશ્ચર્ય પામ્યા. શાંતાદેવીએ એક ધર્મશાળામાં પૂર્વજન્મના ૨૫ વર્ષના ભાઈને, કાકાને અને સસરાને ઓળખી કાઢ્યા. તે વારંવાર કહેતી કે મથુરા અને તેનાં મકાનેથી તે પૂર્ણ પરિચિત છે. શાંતાદેવીએ વારંવાર બીજા એક મકાનમાં લઈ જવાને કહ્યું, જેમાં પૂર્વજન્મના કેટલાક રૂપિયા દાટવ્યા હતા. પછી રસ્તો બતાવતી આગળ ચાલી. થોડીવારમાં તેણે જરા પણ મુશ્કેલી વિના મકાન ઓળખી કાઢયું. તેણે કહ્યું કે, “મારા પૂર્વજન્મને મોટો ભાગ એ મકાનમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૦૧ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ વ્યતીત થયે હતે.” તે વાત ખરી હતી. મકાને પહોંચતાં તેણે એવી રીતે પ્રવેશ કર્યો કે કેમ જાણે આજે પણ તેની જ માલિકી હોય. “તું દિલ્હીમાં કૂવા વિષે વાત કરતી હતી, તે ક્યાં છે?” પં. નેકીરામે પૂછયું. તરત શાંતાદેવી આંગણામાં દેડી, પરંતુ જે જગ્યાએ કૂવા હતું, ત્યાં તે ન દેખાતાં જરા મૂંઝવણમાં પડી. તેણે કહ્યું, “આ જગ્યાએ કૂવે હતું. પરંતુ તેને પથ્થરથી બંધ કરી દિી લાગે છે.” પં. કેદારનાથે પથ્થર દૂર કરી કૂવે બતાવ્યું. શાંતાદેવી રાજી થઈ. દાટેલું ગુપ્ત ધન બતાવવા કહ્યું, તરત તે માળ ઉપર ગઈ. એક ઓરડામાં ગઈ, ત્યાં તે રહેતી હતી, એ ઓરડાને તાળું હતું. ખેલીને અંદર જઈને એક ખૂણામાં બેદવા કહ્યું. થોડું ખોદતાં તેમાંથી ગલે તે નીકળે, પરંતુ કેણ જાણે કેમ રૂપિયા ન હતા! પછી યમુના નદી તરફ જતાં રસ્તામાં પૂર્વજન્મનાં માતાપિતાનું ઘર આવતાં તેણે એકદમ ઓળખી કાઢ્યું, એટલું જ નહિ પણ ૫૯-૬૦ માણસમાંથી વૃદ્ધ માતા–પિતાને ઓળખી વળગી પડી. બધાં ખૂબ રડ્યાં. મથુરામાં એક સભા ભરાઈ. તેમાં દસ હજાર માણસે હશે. દિલ્હીમાં સભા મળી, જેમાં લાલા શ્રીરામજી, રાય બહાદુર રામકિશોરજી [વાઈસ ચાન્સેલર, દિલ્હી યુનિવર્સિટી ], રાય બહાદુર એન. કે. સેન, શ્રીયુત્ અને શ્રીમતી અસફઅલી લાલા શંકરલાલ, લાલા દેશબધુ આદિ અગ્રગણ્ય વ્યક્તિઓ હતી. શાન્તાદેવીની અદ્ભુત શક્તિને અભ્યાસ કરવા તેણીને મનોવૈજ્ઞાનિકોની દેખરેખ નીચે રાખવી. પાઈથાગોરાસઃ (૬) પાઈથાગેરાસના સંબંધમાં એમ કહેવાય છે કે તેમને પિતાનાં કેટલાક પૂર્વજન્મની વાત યાદ હતી! તેમણે બતાવ્યું હતું કે ટ્રેયના યુદ્ધમાં તે યુફેબસ નામના ચદ્ધા હતા. તેની હત્યા મેનેલસનને કરી હતી, તે પછી હાર્મોટિમસ નામના એક પ્રસિદ્ધ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] વિજ્ઞાન અને ધર્મ ભવિષ્યવેત્તાના રૂપમાં જન્મ્યા હતા અને તે પછીના બીજા જન્મમાં કૂકડાની યાનિમાં જન્મ્યા હતા ! ! ! આ વાતમાં પૂર્ણ સત્ય છે કે નહિ તેની જાણ નથી પરંતુ પાયથાગારાસ જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિક માટે આવી જ વાતા ગાઠવાઈ છે એથી જ અહીં તે જણાવવાં આવેલ છે. માત્ર ભારતીય દાશ`નિકા જ જન્મસ્મૃતિની વાતામાં શ્રદ્ધા ધરાવે છે તેમ નથી કિન્તુ હવે તા ઘણા અંગ્રેજો પશુ આ વિષયમાં સ્પષ્ટ અનુભવ મેળવીને જાતિસ્મૃતિને માનતા થઈ ગયા છે. ઇંગ્લે ન્ડના નામાંકિત વિદ્વાન ર્ધમરસન કહે છે કે, જીવન એક સીડી છે, ઉપર કોઈ વાર આપણે ચડીએ છીએ અને કોઈ વાર નીચે ઊતરીએ છીએ.” 66 એરિસ્ટોટલે લખ્યું છે કે, નવાં વસ્ત્ર મનાવતા રહે છે.” પેાતાના માટે હમેશ નવાં છે ઈસ્વીસનના આરંભમાં થયેલા અંગ્રેજ વિદ્વાન એરિજીન (Drigin) લખે છે કે, ‘જે આત્માએ શરીર લઈને આ દુનિયામાં આવ્યા પછી જે અપરાયા કરે છે તેનાથી તેમની હવે પછીની જન્મની અવસ્થા બગડે છે. એમની વર્તમાન અવસ્થા પણ તેમનાં પૂર્વકર્માના કારણરૂપ છે. "6 જીવ ૨! રામના પાદરીએ નામિસિઅસ, સાઇમેસિએસ અને હેલેરિ અમ પણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાંતને માનતા હતા. ફિલ્મીગ હાલે લખેલું, 'ધ એલ આક્ એ પીપલ' પુસ્તક ૧૮૯૮ની સાલથી ઇંગ્લેન્ડમાં ઘણું જાણીતું છે. એમાં લેખકે પોતે જોયેલા પૂર્વજન્મના અનેક કિસ્સા એણે ઢાંકવા છે. 6 એમાં એક કિસ્સા જોડિયાં બાળકોના પણ છે. આ બાળક કહેતાં કે, ગયા ભવમાં પોતે પતિ-પત્ની હતાં અને એકબીજા માટે તેને ઘણી મમતા હતી.’ * Reincarnation by Walker, P. 23, 27. Page #118 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૦૩ ' ખો કિસ્સા છે સાત વર્ષની એક બાળાને, જેણે પેાતાના પુનર્જન્મની વાત લેખકને જણાવી હતી. એ કહેતી હતી કે ગયા ભવમાં હું પુરુષ હતી અને મેરિયાનેટ થિયેટર ચલાવતી હતી. મેં ત્રણ વાર લગ્ન કર્યું હતું. ત્રીજી વારની પત્નીએ મને ખભે ખંજર હુલાવી દઈને મારું ખૂન કર્યું હતું.' સૌથી સૂચક વાત તા એ છે કે આ માળા ત્રણ વર્ષની ઉંમરે કોઈ પણ પ્રકારના શિક્ષણ વિના ‘મેરિયાનેટ ’પૂતળીને નચાવી શકતી અને એ વખતે વપરાતા કેટલાક સંવાદા ખેલી પણ જતી. પ્રેા. બેનરજીને સ્વીડનમાં એક સ્વીડીશ ખાઈ મળી હતી. તેણે કહ્યું હતુ કે તે આગલા જન્મમાં બનારસ રહેતી હતી અને એક વૈધની સાથે લગ્ન કર્યું હતુ. તેણે ખીજી ઘણી વાતા પ્રેા. બેનરજીને કહી હતી. એવી જ રીતે તાજેતરમાં જ તેમણે ડેન્માર્કની મુલાકાત લીધી હતી. ત્યાં કોપનહેગનમાં સાત વર્ષની વયની એક ઈટાલિયન છેકરીના તેમને ભેટો થયા. આ છેકરીના પિતા માર્કોની ડૉક્ટર છે. તે દવાની પેઢીમાં કામ કરે છે. તેમની દીકરી લીના ત્રણ વર્ષની થઈ ત્યારે તે પેાતાના આગલા જન્મની વાત કરવા લાગી હતી. તેણે કહ્યું કે તેનું નામ મેરીયા હતુ. અને ફિલિપાઇન્સમાં રહેતી હતી. તેમને ઘરની રેસ્ટોરન્ટ હતી અને તે - હાઈવે ફીફટી ફોર ” ઉપર આવેલા ચર્ચ આફ ક્રાઈસ્ટની નજીકમાં રહેતી હતી. આ બધા પ્રસંગેામાં એ જ જોવા મળે છે કે આત્મા અમર છે અને તેથી જ મૃત્યુ પછી પણ જીવન ચાલુ રહે છે, આ આત્મા એક દેહ મૂકી નવા દેતુ માટે અન્યત્ર જન્મ ધારણ કરે છે અને તે નવા દેહમાં નવું જીવન જીવે છે. આત્માની અમરતા વિષે બીજો પણ એક પ્રકાર વિચારી શકાય તેમ છે. સામાન્યતઃ તે આત્મા એક દેહ મૂકીને બીજો નવા જ દેહ ધારણ કરે છે, પરંતુ ક્વચિત્ તે એવું પણ બની જાય છે કે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] વિજ્ઞાન અને ધર્મ આત્મા એક દેહ મૂકીને બીજા કોઈના જૂના દેહમાં પણ પ્રવેશી જાય છે. ઈ. સ. ૧૮૭૪માં આને એક અત્યંત સરળ પુરાવા મળી આવ્યું હતું. એ વર્ષે રશિયામાં એક અતિ ધનિક યહૂદી માંદો પડી ગયે. અને ૨૨મી સપ્ટેમ્બરે તે એની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે છેલ્લી ઘડી આવી લાગી એમ માનીને લેકેએ પ્રાર્થના વગેરે કરવાનું શરૂ કરી દીધું. પણ પછી થેડી જ વારમાં એ સ્થિતિ સુધરવા લાગી. એણે એક વાર આંખ ખેલી ને પાછો થાક્યો પાક્યો હેય તેમ સૂઈ ગયે. બીજે દિવસે એ જ્યારે ઊંઘીને ઊઠયો ત્યારે એની સ્થિતિ તદ્દન જુદી જ હતી. ત્યારે એ પિતાનાં સગાંસંબંધીને ઓળખતે ન હતા અને એમની ભાષા પણ સમજી શકતું ન હતું. પિતાની માતૃભાષા ઈબ્રાની અને રશિયન ભાષાં કરતાં કેઈક જુદી જ ભાષા એ બોલતો હતે. જ્યારે અરીસામાં પિતાનું મેં જોયું ત્યારે એણે જોરથી ચીસ પાડી અને ઘર મૂકીને ભાગવા લાગ્યો. ડોકટરેએ એને ગાંડ જાહેર કર્યો અને એક ઓરડામાં પૂરી દીધે. સ્વાભાવિક રીતે જ આ અદ્ભુત સમાચાર દાવાનળની જેમ ચારે બાજુ પ્રસરી ગયા. સરકારી ઠેકટર એની તપાસ કરવા આવ્યા. હવે ખબર પડી કે એ અંગ્રેજી ભાષા તે બોલી શક્ત હતું અને લેટિન લિપિમાં લખતે પડ્યું હતું. આ ઉપરથી એની ગાંડા લેવાની માન્યતા ખોટી પુરવાર થઈ એટલે એને સેન્ટ પીટ્સબર્ગના ચિકિત્સા વિશ્વ-વિદ્યાલયમાં લઈ જવામાં આવ્યું. ત્યાં એણે કહ્યું કે, “મારી સાથે આ એક વિચિત્ર રમત રમાઈ છે. હું ઉ. અમેરિકાના બ્રિટિશ કેલશ્મીઆના ન્યૂવેસ્ટ નગરને રહેવાસી છું. મારું નામ ઈબ્રાહીમ ડરહમ છે. નહિ કે ઈબ્રાહીમ ચારક. મારી એક પત્ની છે અને એક દીકરે છે. પહેલાં હું લંગડે હતો. આ શરીર મારું નથી, કેણ જાણે આ બધું શું થયું?” એના આ કથનને આધારે ન્યૂવેસ્ટ નગરમાં તપાસ કરતાં માલુમ પડયું કે ત્યાં પણ બરોબર આ એક જ બનાવ બન્યા હતા. ઈબ્રાહીમ ડરહમ નામને એક વેપારી ગંભીર માંદગીમાં પટકા Page #120 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૦૫ હતા અને એ જ ૨૨મી સપ્ટેમ્બરે ગાંડા થયેા હતેા. એ પેાતાને ઇબ્રાહીમ ચારકા તરીકે આળખાવતા હતા અને ઇબ્રાની તથા રશિયન ભાષા ખોલતા હતા. આ પ્રસંગની વિલક્ષણતાઓને વિચારવાનું ખાજુ પર રાખીએ. અહીં તે એટલું જ જણાવવાનું કે આ પ્રસંગથી એ જુદા ખોળિયામાં પ્રવેશતા આત્મા દેહરૂપ નથી, પણ દેહથી ભિન્ન છે અને નિત્ય છે એ અવશ્ય સિદ્ધિ થાય છે. પૂર્વે એ વાત કહેવાઈ ગઈ છે કે મુસ્લિમા પુનર્જન્મમાં માનતા નથી. પરંતુ આમ હૈાવા છતાં ય શહેનશાહ ઔરંગઝેબ કે જે ખૂબ જ ધર્માંધ હતા તેણે પણ ‘શાહનામા’માં એવું વિધાન કરવાનું કયાંક વાંચવા મળ્યું છે કે, “પુનર્જન્મના કેટલાક અહેવાલાની સત્યતા વિષે તેમણે જાતે ચાકસાઈ કરી છે.” જોઆના અને જેકવેલીન: લંડનના નાનકડા પરગણા હેક ગામના એક શાંત લત્તામાં એ બહેનેા અગિયાર વર્ષોંની જોઆના અને છ વની જેકવેલીન, રિવવારની સવારે હાથમાં હાથ પરોવી દેવળ તરફ જઈ રહી હતી. અચાનક જ ઝડપથી ધસી જતી એક મેટરની હડફેટમાં એ બને આવી ગઈ અને કરુણુ અકસ્માતને ભાગ બની. ઈંગ્લેન્ડના રહેવાસી, આ છોકરીઓના પિતા પિસ્તાળીસ વર્ષીના જોન પુલાક માને છે કે, ‘અમારી બે પુત્રીના મરણુ પછી સત્તર મહિના બાદ, મારી પત્નીએ જ્યારે બે જોડિયા છેકરીઓને જન્મ આપ્યા ત્યારે મને ચાક્કસ લાગ્યું કે એ બન્ને મહેના અમને પાછી મળી છે.' અકસ્માત્ મૃત્યુ પામેલી લડનની બે છોકરીએ એ જ કુટુ. બમાં પુનર્જન્મ પામી છે; અને પૂર્વજન્મની તેમની યાદદાસ્ત એવી જ જળવાઈ રહી છે; એટલું જ નહિ પણ આ બે જોડિયા મહેનેાની ખાસિયતા પણ તેના જેવી જ ધરાવે છે. એવું જાણવા મળતાં એ વિષે ઊંડી તપાસ કરવા માટે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના માનસશાસ્ત્ર વિભાગના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] વિજ્ઞાન અને ધર્મ વડા બેનરજીએ બે વર્ષનું સંશોધનકાર્ય હાથ ધર્યું છે. જયપુરના આ તરવરિયા જુવાન અભ્યાસી પ્રાથમિક તપાસ માટે ઇંગ્લેન્ડ ખાતે આ બંને જોડિયા છોકરીઓ અને તેમના વાલીઓની ઊડતી મુલાકાત લઈ આવ્યા છે. ઠે. બેનરજી બાર વર્ષથી આગલા જન્મની યાદદાસ્ત ભૂંસાઈ ન હોય એવા પુનર્જન્મના કેટલાક વિરલ કિસ્સાઓને અભ્યાસ કરી રહ્યા છે. પૂર્વજન્મની આવી દીધ યાદદાસ્ત અવકાશયાત્રાના આ યુગમાં ઘણું જ ઉપયોગી થઈ પડી છે. ડે. બેનરજી કહે છે કે, “છેલ્લાં બાર વર્ષના સંશોધન દરમ્યાન જેવા-જાણવા મળેલા ૩૦૦ કિસ્સાઓમાંથી લંડનને આ બે છેકરીઓને કિસો રસપ્રદ છે; જેમાં પૂર્વજન્મની સ્મૃતિ આટલી સતેજ હોય.” સાત વર્ષની આ જોડિયા બહેનના પિતા માને છે કે આ બંને છોકરીઓ ૧૯૫૭ના મે માસમાં રસ્તા ઉપર અકસ્માત થતાં મરણ પામેલી તેમની બે પુત્રીઓ જ છે. જે મૃત્યુ પછી સત્તર મહિને જોડિયા બહેનના સ્વરૂપે ફરી પાછી એમના કુટુંબમાં જન્મી છે. ઠે. બેનરજી આ બે છેકરીઓને ગઈ ઈટર વખતે, એપ્રિલની અગિયારમીએ ઈશાન ઈંગ્લેન્ડના તેમના નેઈમ્બરલેન્ડ ખાતેના જેસ્મડ ટેરેસમાં મળ્યા હતા. છ કલાકની આ મુલાકાત વખતે બંને છોકરીઓ અને તેમનાં માતા-પિતાએ કરેલા નિવેદનનું તેમણે ટેપરેડિંગ કરી લીધું હતું. આ પછી પણ ડે, બેનરજીએ આ છોકરીઓને મળીને તેમની પાસેથી વધુ વાત સાંભળી. હવે તેમના માનસિક વિકાસને અભ્યાસ ચાલુ જ રાખીને આ વિષે સતત સંશોધન કરવા વિચારે છે. સેનેરી વાળ અને વાદળી આંખેવાળી આ બંને જોડિયા બહેનેનાં નામ છે જેનીફર અને ગલીઅન. તેમના પિતા જેન પુલેક સેલ્સમેન છે. અકસ્માતમાં મરી ગયેલી તેમની બે પુત્રી જેઓના અને જેકલીનના પુનર્જન્મ વિષે તે કેવી રીતે માનતા થયા Page #122 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૦૭ પણ એ સમજાવતાં શ્રી પુલાક કહે છે કે, “હું રામન સ્થાલિક છું અને અમારે ધર્મ પુનર્જન્મ માનવાની મનાઇ કરે છે, મે અને મારી પત્નીએ આ જોડિયા બહેન પાસેથી જે જોયું અને જાણ્યું. એ પછી અમે અમારા ધમ સાથે સહમત થઈ શકીએ તેમ નથી. ‘જોડિયા પુત્રીઓને મારી પત્નીએ જન્મ આપ્યા તે પહેલાં જ મને થયા કરતું હતું કે મરણ પામેલી અમારી પુત્રીએ અમને જરૂર પાછી મળવાની છે. જોકે મારી પત્ની એ વિષે માનતી ન હતી. C “જેનીફર જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેની વર્તણૂક જેકવેલીનને વધુ ને વધુ મળતી આવતી અમે જોઈ. તેણે પણ લેખનમાં રસ દર્શાવવા માંડયો અને પેન કે પેન્સિલ જમણા હાથની વચ્ચેની બે આંગળીથી પકડી મુઠ્ઠીથી દબાવીને લખવાની તેની આદત પણ બિલકુલ જેકવેલીનને મળતી આવતી હતી. ગીલીઅનની ટેવ જોઆનાને એવી રીતે મળતી આવતી ગઈ કે એમને એ જોઇને આશ્ચર્ય થવા માંડ્યુ. જોઆનાની જેમ તેને પણ નાના બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતા. તે પણ નાની બહેનેાને હાથમાં હાથ પરાવીને મધે લઈ જતી. ગીલીઅનના પાતળા લાંબે ખાંધેા, ચપળ રીતભાત અને ખેલવા-ચાલવાની ઢબુ જોઈને એમ જ થાય કે આ જોઆના જ છે ! ‘ઘણી વખત ગીલીઅન અમને અચ એ પમાડી દેતી. જે વાતની કોઈને જ ખબર નહાતી તે અકસ્માતની વિગત કહેતી હોય એવી રીતે એ જેનીફરનું માતુ. તેના બે હાથ વચ્ચે રાખીને ઝીણવટથી બતાવતી કે મેટર સાથે અથડાયા પછી જેકવેલીનના મેઢા પર કયાં કયાં ઈજા. થઈ હતી તેનું બયાન એ અકસ્માત્ સાથે રજે રજ મળતું આવતું. “એક દિવસ અમે સ્ટોર-રૂમમાં હતાં ત્યારે જોઆના અને જેકવેલીનના મૃત્યુ પછી મેં ત્યાં મૂકી દીધેલી રમકડાંની એક પેટી ગીલીઅનની નજરે ચડી ગઈ. તેમાં પડેલી ઢીગલીનાં કપડાં સૂકવવાની દેરી જોઈને એ ખૂબ આનંદમાં આવીને ખેલી ઊડી; “જુએ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] વિજ્ઞાન અને ધર્મ ડેડી, આ તે મારી દેરી છે.” ખરી રીતે એ દેરી જેઆનાની હતી. જેનીફર પણ ત્યાં હતી, પેટીમાંથી બે ઢગલી મળી હતી તેમાંથી એક જેકલીનની હતી. ઢીંગલી પર નજર પડતાં જ જેનીફરે બૂમ પાડવા માંડી, “આ મારી મેરી મને આપ!” ખૂબીની વાત એ છે કે જેકવેલીને આ ઢીંગલીનું નામ મેરી પાડયું હતું અને જેનીફરે તે એને પહેલી વખત જ જોઈ છતાં તેણે બે ઢીંગલીમાંથી પિતાની ઢીંગલી ઓળખી લીધી અને તેનું નામ સુદ્ધાં તે બોલી ઊઠી. ચકિત કરી દેતા આવા અનેક પ્રસંગોનું વર્ણન કરતાં શ્રી પુલેક કહે છે, “એકવાર ઘરનું રંગકામ કરતી વખતે મેં પત્નીને જૂને સફેદ લીનનને કેટ પહેર્યો. અકસ્માત થયા પછી કેઈ વખત આ કોટ વાપરવામાં આવ્યું ન હતું. જેનીફરે આ કોટ છે કે તરત પૂછ્યું, “અરે ડેડી! મમ્મી જે કેટ, શાળાએ પહેરીને આવતી એ તમે કેમ પહેર્યો?” હું આ સાંભળીને વિચારમાં પડી ગયે, કારણ આ એ જ કેટ હતું, જે મારી પત્ની, જેકવેલનને શાળાએ લેવા જતી ત્યારે પહેરી જતી!” અકસ્માતમાં અમે બે પુત્રી બેઈ છે એમ અમને કદી લાગ્યું ' જ નથી. કદાચ એ વાત તમને માનવામાં નહિ આવે, પણ મારે તે જે હેય તે પ્રામાણિકપણે કહેવું જોઈએ. હું એ હળવી રીતે નથી કહેતે. અમે એ છેકરીઓની કબર પર પણ નથી જતાં કારણ કે અમને નથી લાગતું કે અમારી પુત્રીઓ હવે ત્યાં પોઢેલી છે. અમને એમ લાગે છે કે તે બંને જોડિયા બહેનના સ્વરૂપે અમારી પાસે જ છે. હું ઘણી વખત આ વિષે ઊંડે વિચાર કરવા ધારું છું પણ તમે જે તમારી આંખેની સામે જુએ છે, કાનેથી સાંભળો છે તેને કેવી રીતે નકારી શકે આ જોડિયા બહેનના પુનર્જન્મના અદ્ભુત કિસ્સા વિષે સંશોધન કરનાર ડે. બેનરજી એકલા જ નથી. અમેરિકાની વરછનિયા યુનિવર્સિટીના પ્રેફેસર ડે. ઈયાન સ્ટીવનસન, જેઓ માનસશાસ્ત્ર અને જ્ઞાનતંતુઓના અભ્યાસી છે, તેઓ પણ આ વિષે વધુ સંશોધન Page #124 -------------------------------------------------------------------------- ________________ તિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૦૯ કરવા આ કુટુંબના સતત સંપર્કમાં રહે છે. ત્રણ વર્ષ પહેલાં ડૉ. સ્ટીવનસન પુલાક કુટુંબ સાથે એ દિવસ રહ્યા હતા અને આ જોડિયા બહેનેાની મુલાકાત દ્વારા પુનર્જન્મ વિષે તેમણે ખૂબ જ ઊંડો રસ દાખવ્યા હતા. બંને જોડિયા બહેનેાની મુલાકાત માટે પૂરતી તક આપવા વિષે પુલાક કહે છે કે, “અત્યાર સુધી પુનર્જન્મ વિષે જરા પણ શકા વિના પૂરેપૂરી માન્યતા કોઇ ધરાવતું નથી. આ વિષે મારા વાચન અને અનુભવ દ્વારા આ અને જોડિયા બહેનોના સાથ લઈને પુનર્જન્મની માન્યતા વિષે હુંમેશને માટે એક સર્વમાન્ય સમાધાન કરાવવા મારાથી અનતા બધા જ સહકાર આપવા મારી ઈચ્છા છે. પુનર્જન્મના કોયડા શ્રીજગણિતના અટપટા પ્રશ્ન જેવા છે, જેના ઉકેલ માટે તમે અનેક વખત જુદી જુદી રીતે કોશિશ કરો, છતાં સર્વમાન્ય કહી શકાય એવા નિકાલ ન લાવી શકે. “આ જોડિયા બહેન પણ મોટી થતાં પુનર્જન્મ વિષે આપણને પૂછશે અને ત્યારે સમજપૂર્વકના જવાબ આપવા આપણે તૈયાર રહેવું જોઈ શે ?’’ શ્રીમતી પુલાક કહે છે કે, “આ પુનર્જન્મ વિષે હું જોન જેટલી ઊંડે ઊતરી નથી. શરૂઆતમાં તે એ માટે મને સમય ન હતા, પણ મારી જોડિયા પુત્રીઓએ જે સરખામણું બતાવવા માંડ્યુ. તે જોઈને હું પણુ વિમાસણમાં પડી ગઈ. “ હવે જ્યારે આટલું અધુ મળતાપણુ' જોઈએ છીએ ત્યારે હું એમ માનું કે પુનર્જન્મની માન્યતા વિષે નિષ્ણાતાએ સાથે મળીને એક અથવા બીજી તરફના નિર્ણય કરી બતાવવે જોઈએ. મને એમ લાગે છે કે જોડિયા બહેના જ ખરેખર આ દિશામાં સૂઝ પાડે તેવા વ્યાવહારિક માર્ગ પર પ્રકાશ ફેંકશે.’ (‘ચિત્રલેખા’ માંથી સાભાર) મોટામાં મેટી બહુમતી ધરાવતા વિશ્વના એ ધર્મોના પ્રતિપાદક Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] વિજ્ઞાન અને ધર્મ ગ્ર–કુરાન અને બાઈબલની શ્રદ્ધાને પણ પુનર્જન્મના કિસ્સાઓની પસાર થતી વણઝારે હલબલાવી મૂકી છે તે વખતે ભગવાન જિનેશ્વરોનાં આગમવચને પરિપૂર્ણ સત્યસ્વરૂપમાં બહાર આવે છે. આર્યોની મહાસંસ્કૃતિને ઉથલાવી નાખવા માટે જેમણે કમર કસી છે એ દંભી ધર્મપ્રચારકોને આર્યધર્મના રક્ષકોએ સાફ સાફ શબ્દોમાં સુણાવી દેવું જોઈએ કે, “તમે તમારું ઘર સંભાળીને બેસી રહે. બીજાઓને વિનાશ કરવાના કૃર મનસુબાઓને શાંત પાડે, તમે યોગ્ય રીતે જીવ અને સહુને જીવવા દો.” મોટામાં મેટી કમનસીબીની તે વાત એ છે કે, આપણે જ આપણી જાતને “શકેરું લઈને ભીખ માગવા ગ્ય” માની લીધી છે. જાજરમાન મહાસંસ્કૃતિની શ્રીમંતાઈ વારસામાં મળી હોવા છતાં, મહાસત્યનાં પ્રતિપાદક શાસ્ત્રો આપણું જ પાસે હોવા છતાં, જીવનના પાયાના પ્રશ્નનો જેવા સુખદુઃખનું મૌલિક તત્વજ્ઞાન આપણું જીવનમાં વણાયેલું હોવા છતાં પશ્ચિમના દેશોની અંધભક્તિએ આપણને દીનહીન અને ક્ષીણ બનાવ્યા. અફસ! આપણે દુનિયાને ઓળખી, પણ જાતને જ વીસરી ગયા. ખેર, હજી જાગીએ. મેડું તે થયું જ છે છતાં “ઘણું બધું મડું નથી થયું એમ સમજીને બેઠા થઈ જઈએ. સિંહ સૂતે છે ત્યાં સુધી જ ઉંદરોનું જેર છે. એના સળવળાટમાં જ લાખે ઉંદરો ઊભી પૂંછડીએ નાસભાગ કરે. મઈ છીએ તે મર્દ કેમ ન બનીએ? સત્યવાદી શાસ્ત્રો આપણી પાસે જ છે, તો એ સત્યને શિર કેમ ન ઝુકાવીએ? શા માટે આત્માના એકાન્ત ક્ષણિકત્વની વિચારણા પણ કરીએ? શા માટે પરાયા જ્ઞાનના રવાડે ચડીને મગજને કેહાવી નાખીએ? Page #126 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મતાદ [૧૧૧ ઊછીનું કશું ય લેવા જવું જ શા માટે ? બધુંય આપણુ પાસે છે ત્યાં ! પરાયી પ્રીત કરવી જ શા માટે? અભંગ પ્રીત કરનારાં મહાસત્યે આંગણે જ ઊગ્યાં છે ત્યાં! વંદન કરો, આત્માની અમરતાને. વંદન કરે, પૂર્વજન્મ અને અને પૂર્વજન્મની સત્યતાને રમતવાતમાં સમજાવી દેતાં ભગવાન મહાવીરનાં જિનાગમેને! Page #127 -------------------------------------------------------------------------- ________________ [૮] વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ પુનજમવાદ ઊર્વવિકાસને પંથે જતે માનવ, મહામાનવ અને પૂર્ણ માનવ બનવાનાં સ્વપ્ન સેવતે જ રહે છે. પ્રાચીન સ્પાર્ટાથી માંડીને તે નાઝી જર્મની સુધી “માસ્ટર ઈસનાં સ્વપ્ન પણ સેવાયાં છે. નિસૅ જેવા ચિંતકેએ માનવજાતને મામલે સમાલવા માટે મક્કમ મને બળવાળા પુરુષની કલ્પના પણ કરી છે. આ બધી કલ્પનાઓ અને આવા બધા ખ્યાલોને આપણે ગમે તેટલાં દૂર હડસેલી મૂકીએ કે હસી નાખીએ છતાં ય એ વાત તે નિશ્ચિત છે કે ઊર્ધ્વમુખી દિશાને યાત્રી પોતાના વિકાસના તબક્કાઓમાંથી પસાર થતો પૂર્ણશક્તિની ટોચે અવશ્ય પહેચે છે; પૂર્ણ તત્ત્વજ્ઞાનનું સ્વામિત્વ અવશ્ય પામે છે. માંસલ મહાકાય અને મગરૂર માનસ આ દુનિયામાં કદાચ મળે કે ન મળે એની કઈ મહત્તા નથી, પરંતુ સ્વસ્થ આત્મા તે આ વિશ્વની પ્રાથમિક જરૂરિયાત છે. તેના વિના સુખને રાહ કેઈ Page #128 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૧૩ બતાવી શકે તેમ નથી. આજે તે સ્વસ્થ આત્માનાં દર્શન અલભ્ય થયાં છે કે જે સુખને અફાટ સાગર હોય, જ્ઞાનને અનંત નિધિ હેય, ત્રિકાલદશી હેય. પણ આવા અનંત જ્ઞાનના અસ્તિત્વની આછીપાતળી કલ્પના કરાવી જાય તેવા વિશિષ્ટ જ્ઞાનવાળા બાળમાન ક્યાંક કયાંક જેવા મળી જાય છે ખરા. એ વખતે એમ થઈ આવે છે કે જે જ્ઞાનની કક્ષાએામાં વિધવિધ તારતમ્યા હોય અને જ્ઞાનનાં જળ વધુ ને વધુ વિસ્તાર પામતાં હોય તે એ જ્ઞાનને અનંત સાગર પણ ક્યાંક કઈ અંતરમાં જરૂર હોઈ શકે. આની સાથે સાથે બીજી પણ એક વાત સ્મરણપટે ચડી જાય છે કે જે બાળમાનને એવા જ્ઞાનની કોઈ શિક્ષણશાળામાં કદાપિ મૂકવામાં આવ્યાં નથી, રે! એવી શિક્ષણશાળાનાં જેમણે દર્શન પણ કર્યા નથી તે બાળકમાં આટલી બધી બુદ્ધિમત્તા આવી ક્યાંથી? શું ભણ્યા વિના આવું પાણ્ડિત્ય કદાપિ આવી શકે? જે આવી શકતું હોય તે બધાયને કેમ ન આવે? પ્રયત્ન સિવાય બેધ થઈ શકતે નથી, એવું સર્વત્ર જોવા મળે છે. તે તે અપવાદરૂપ આ બાળમાનનું શું સમજવું? કારણ વિના જ કાર્ય થઈ જાય ખરું ! ના, ના. તે પછી આ બાળમાન ૩-૪ વર્ષની ઉમરમાં સમર્થ – પાણ્ડિત્ય પામ્યા શી રીતે ? સાચે જ આ પ્રશ્નન સામે પાશ્ચાત્ય દાર્શનિક મુઝારો અનુભવશે; પરંતુ પૌરસત્ય દાર્શનિકો તે તરત ઉત્તર આપી દેશે કે વર્તમાન જન્મમાં એ પ્રયત્ન ભલે નથી; પરન્તુ જન્માંતરમાં એવા પ્રયત્ન જરૂર હતા. અહીં પણ પ્રશ્ન થાય કે શું લંડનની ભૂમિમાં બીજ વાવવાથી ભારતમાં એનું વૃક્ષ બને? જન્માંતરને પ્રયત્ન આ જન્મમાં એનું ફળ આપે? અને ઉત્તર બહુ સ્પષ્ટ છે કે બે જીવનના દેહ જુદા હોવા છતાં આત્મા તે બેયમાં એક જ છે. જે આત્મામાં જન્મારના પ્રયત્નનું બીજ પડયું છે એ જ આત્મા વિ. ધ. ૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] વિજ્ઞાન અને ધર્મ વર્તમાન જન્મ પ્રાપ્ત કરીને નવા દેહમાં રહીને એ પ્રયત્નનું ફળ પામે છે. આ બધી વાત ઉપરથી તે એ જ વાત ફલિત થાય છે કે બાળમાનવોની વિશિષ્ટ બુદ્ધિમત્તા જ આત્માને દેહથી ભિન્ન માનવાનું કહે છે. એને પૂર્વજન્મ સ્વીકારવાનું પણ જણાવે છે. ટૂંકમાં, આત્માનું દેહથી ભિન્ન (સ્વતંત્ર) આત્મા તરીકેનું અસ્તિત્વ સિદ્ધ કરી આપે છે. કેટલા હશે જગતમાં એવા વિશિષ્ટ શક્તિમાન બાળમાન? એક ગણતરી મુજબ તે દરેક દેશમાં ૨૦ બાળમાનવે વસે છે. આ બધા બાળમાન એવી એંકાવનારી વાત રજૂ કરે છે કે વિજ્ઞાન તે હજી પણ આને ઉકેલ મેળવવા માટે ચંચુપાત માત્ર કરી શકવા ભાગ્યશાળી નીવડયું લાગે છે. બાળ બુદ્ધિમાન તરીકે જેઓ પંક્યા છે તેમાંનાં લગભગ બધાયે સામાન્ય બાળકની જેમ જ જીવનની શરૂઆત કરી હોય છે. સંશોધનને પરિણામે એવું પણ જાણવા મળ્યું છે કે એમાંનાં કેટલાકને તે ઘણા લાંબા સમય પછી બેલતાં આવડ્યું છે. પેરિસ સ્કૂલ ઓફ એન્થ પેલેજીના પ્રે. રબર્ટ તકત જણાવે છે કે, આ પ્રકારનું બાળક ત્રણ વર્ષની વય સુધી તે સ્વપ્નમાં જ ખોવાયેલું હોય છે. અને પિતાની આસપાસ શું બની રહ્યું છે એને ખ્યાલ સુદ્ધાં હેત નથી. પછી તદ્દન અચાનક રીતે માબાપના ભારે આશ્ચર્ય વચ્ચે આવું બાળક અજબ બુદ્ધિ બતાવવા માંડે છે. અહી એવા કેટલાક બાળ-બુદ્ધિમાન માનના પ્રસંગો જોઈએ. (૧) સરેજબાળા દાહોદમાં લા વર્ષની બાલિકા કુમારી સરોજબાળાએ ત્રણ દિવસમાં જાહેરમાં હજારો માનવેની મેદની સમક્ષ વેદ, પુરાણ, રામાયણ, ગીતા, મહાભારત, ઉપનિષદ, પુરાણ, શ્રુતિ-સ્મૃતિ વગેરેનું કઈ પણ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામચરણ ૧૧-૧૨માં રાજસ્થાન વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૧૫ પુસ્તક સાથે રાખ્યા વિના પારાયણ કરી દેખાડીને લોકોને મત્રમુગ્ધ કરી દીધા હતા. સરોજબાળા પણ અંતે તે બાલિકા જ છે ને ? એટલે જેવી એ વ્યાસપીઠ ઉપરથી ઊતરે કે તરત છોકરા સાથે રમવાનું શરૂ કરી દે છે. તેના પિતા શ્રીશ્યામચરણજી રાજસ્થાનના વતની અને હાલમાં સૂરત રહે છે. સરેજબાળાને જન્મ ૧–૧૧–'પદના થયેલ છે. જ્યારે તે ર વર્ષની હતી ત્યારે તેણે કહ્યું કે, “પૂર્વ જન્મમાં રાજસ્થાનમાં એક આશ્રમમાં બ્રાહ્મણને ત્યાં મારો જન્મ થયો હતે.” તેના પિતાએ તેની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, પણ થોડા જ દિવસ બાદ તે ગાયત્રીના પંદર મંત્ર બોલી! તેના પિતા કહે છે કે મેં તેને ફક્ત બારાખડી શીખવી છે. હજી શાળામાં પણ એકલી નથી. - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદની સાથે કુ. સરોજબાળાનો પરિચય કરાવ્યું તે વખતે કેટલાક પંડિતે હાજર હતા અને બ્લેક બેલી રહ્યા હતા, પણ તેમાં ઉચ્ચારશુદ્ધિ ન હતી એટલે તરત જ સરેજબાળાએ તે ભૂલ સુધારી હતી. - ત્યાર પછી તે જુદા જુદા સ્થળે રામાયણ, ગીતા, મહાભારત, પુરાણ, ઉપનિષદ વગેરે ઉપર અખલિત પ્રવાહધારાની જેમ પ્રવચનો કરે છે. (સંદેશ, તા. ર૭-૭-'૬૬) આ કિસ્સામાં અભુત શક્તિથી તથા સરોજબાળાના પિતાના જ કહેવાથી પૂર્વજન્મની સ્પષ્ટ સાબિતી થઈ જાય છે. (૨) ક૯૫નાઃ બીજે પણ કલ્પના નામની ત્રણ વર્ષની એક બાળાને કિસ્સો જાણવા જેવે છે. મુરાદાબાદના સ્વામી ગોપાલતીર્થના આશ્રમમાં આ બાળાએ પછીથી અભ્યાસ કર્યો હતો. આ બાળાને જન્મ તે ૧૫૩ ના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] વિજ્ઞાન અને ધર્મ જાન્યુઆરી માસમાં થયે હતું. જ્યારે તે ત્રણ વર્ષની હતી તે વખતે તેના ગુરુ જે વેદમન્ચના પાઠ કરતા હતા તેમની પણ તેણે ભૂલે સુધારી હતી. પછી થોડાક માસ બાદ બીજા બે પંડિતેની પણ તેણે ભૂલે સુધારી હતી. આ બાળાએ થોડા વખત પહેલાં રાજસ્થાનના રાજ્યપાલની રૂબરૂમાં પિતાનું વેદજ્ઞાન પ્રગટ કર્યું હતું. આ બાળાને ચારેય વેદ કઠસ્થ છે. વેદમંત્રોના ઉચ્ચાર ઘણું અઘરા છતાં વગર શીખે જ આ બાળ એક પણ ભૂલ કર્યા વિના અખલિત રીતે વેદમંત્ર બોલી શકે છે. જયપુરના પંડિતએ આ બાળાની પરીક્ષા લેવા માટે એવા. કેટલાક મિત્રે ઉલ્લેખ કર્યો, જે સામાન્ય રીતે પ્રચલિત નથી. આ બાળાએ તે અંગે પણ સંભળાવી દીધા. એટલું જ નહિ પણ એ મન્ને પૂરેપૂરા ક્યા કયા વેદમાં છે તે પણ સાથે જણાવી દીધું. સ્વામી ગોપાલતીર્થ અને આશ્રમવાસીઓનું કહેવું છે કે, અમે આ બાળાને વેદ શીખવાડ્યા જ નથી. અરે ! ત્રણ વર્ષની બાળાને વેદ કેવી રીતે શીખવી શકાય! (શ્રીરંગ, (૩) ખેડૂતપુત્ર પરબત: પરબત નામને સાત વર્ષને ખેડૂતપુત્ર કે જેને શાળામાં દાખલ કર્યાને ભાગ્યે જ છ માસ થયા હશે. જેને કકકા બારાખડીનું પણ પૂરું જ્ઞાન નથી; તેવો તે મોટા આંકડીયા ગામને એક ખેડૂત સગીર છેક ગણિત અને લેખોને ભારે જાણકાર નીવડ્યો છે. આ સાત વર્ષના છોકરાના ગણિતથી કેળવણીકારે તથા બીજા મોટા અધિકારીઓ ભારે પ્રભાવિત થયાના સમાચાર મળે છે. - આ છોકરાને ગણિતની પરીક્ષા માટે થોડા વખત પહેલાં અમરેલી જીમખાનાના મેમ્બરો સમક્ષ રજૂ કરવામાં આવેલે, અને Page #132 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૧૭ મોઢેથી સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવતાં, ડૉક્ટરા અને કેળવણીકારા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ આશ્ચય પામ્યા હતા. સેંકડો, હજારા, લાખા, કરેડા અને અબજોના હિસાબેા કરવામાં કેળવણીકારેાને પાટીઓ, કાગળ ઉપર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવા માટે કલાકો જોઈએ તે હિસાબે આ કરી સેકન્ડોમાં કરી આપતા ! (ગુજરાત સમાચાર, ૨૪-૧૦-’૬૨) (૪) નારાયણ ઘેાષ: માલાગાવમાં નારાયણ ઘાષ નામને! છ વર્ષોંના એક ખાળક આવ્યા છે. બાળકની ભાષણ આપવાની છટા-શૈલી અને બુદ્ધિ જોઈને લેાકેા ચકિત થઈ જાય છે. આ બાળક બંગાલી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી ઉપરાંત અરબી કુરાને શરીફના પાઠ કરી શકે છે. તેણે ઉર્દુ, હિન્દી અને બીજી ભાષાઓમાં બે ચાર કાર્યક્રમ રેડિયા પર આપ્યા છે. તેને તમે જે વિષય આપે તેના પર છોકરા સરળતાથી મેલી શકે છે. આસામ સરકારના ભૂતપૂર્વ નાણાંપ્રધાન શ્રી ફકરૂદ્દીન બાળકના મુખેથી શુદ્ધ કુરાનના પાઠ સાંભળી આશ્ચર્યચક્તિ થવા સાથે હર્ષોંવિભાર થઈ ગયા હતા. ઘણા મોટા અધિકારીઓએ આ બાળકની મુલાકાત લીધી છે. તેઓ તેનાં અનેક વિષય પર ભાષણ સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા હતા. માત્ર છ વર્ષીના છેકરાની આવી કુશાગ્રબુદ્ધિ અને તેનું તેજસ્વી શરીર જોઈને લેાકો તેને અવતાર સમજી રહ્યા છે. અંગાલા, આસામ અને બીજા પ્રદેશેામાં પણ આ બાળકની ચર્ચા થઈ રહી છે. (જનશક્તિ, ૨૩–૯–'૬૨) આ તે બધા ભારતના બુદ્ધિમાન બાળમાનવાના પ્રસગા જોયા. આવા ઘણા બુદ્ધિમાન ખાળમાનવા પશ્ચિમના દેશે!માં પણ જન્મ પામ્યા છે. પશ્ચિમના બાળમાનવાના પણ કેટલાક અદ્દભુત બુદ્ધિમળને અહી જોઈએ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] વિજ્ઞાન અને ધર્મ (૫) કીમ ઉગગ? સેલિ(કોરિયામાં ત્રણ વર્ષનું એક બાળક અદ્ભુત શક્તિ ધરાવે છે. આ બાળકનું નામ “કીમ ઉગયેગ' છે. એને જન્મ ૧૯૬૩ ના માર્ચની સાતમી તારીખે થયે હતે. ત્રણ વર્ષની ઉંમરે એની ઊંચાઈ ૩૪ ઈંચની હતી. અને ૩૨ પૌડ વજન હતું. એના પિતા, હેયાંગ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રેફેસર છે અને માતા સેઉલ નેશનલ યુનિવર્સિટીમાં શરીરશાસ્ત્રની શિક્ષિકા છે. આ છોકરો અંગ્રેજી અને જર્મની સારી રીતે બેલી શકે છે. કે એની માતૃભાષા કેરીઅન છે. ગણિતના ગમે તેવા અઘરા સવાલના જવાબો બહુ જ સહેલાઈથી આપી શકે છે. એ કવિતા પણ સુંદર લખી શકે છે. x x ૧૩ માસની ઉંમરે આ બાળકે અંગ્રેજીના ઘણા શબ્દ કસ્થ કરી લીધા હતા. એક માસ પછી તે એણે જર્મન ભાષામાં બોલવાનું શરૂ કરી દીધું. ૧૮ માસની ઉંમરે એ કેનથી ચિત્રો ચીતરતાં શીખી ગયે. બે વર્ષ અને ચાર માસની વયે એણે ડાયરી લખવાની શરૂ કરી, જેનાં હજારો પાનાં બહુ નાની વયમાં જ એણે લખી નાખ્યાં. એણે સેંકડે ચિત્ર દોર્યો છે અને કાવ્યે પણ રહ્યાં છે. માનવશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ એની મેધા ૨૦૦ અંક ઉપરની છે. પણ આ બાળકને પણ કેટલાક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. એની ખ્યાતિ વધતી જાય છે. ગયા માસમાં એક જ દિવસમાં ૭૦૦ મુલાકાતીઓને એણે મુલાકાત આપી હતી. મુલાકાતીઓને આ ધસારે ખૂબ જ કંટાળાજનક બની ગયું હતું. (૬) કુમારી સાકાર બાળબુદ્ધિમાન કુમારી ઓસાકા શાળામાં માત્ર સરવાળા જ શીખેલી અને ૨૬ વર્ષની વય સુધી વાંચતાં પણ નહોતું આવડતું.. આમ છતાં ગણિતના અઘરામાં અઘરા પ્રશ્નના તે ઉત્તર આપી દેતી. Page #134 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૧૯ એક વાર જુદા જુદા સેા આંકડા એની સમક્ષ લખવામાં આવ્યા અને સેકડના એકના હિસાબે એ સભળાવવામાં આવ્યા. એસાકા તરત જ ક્રમસર એ બધા આંકડા મેલી ગઈ ! એક કાળે જે મનેાવિજ્ઞાન-શાસ્ત્રીએ આવી બુદ્ધિશક્તિને અસાધારણ બુદ્ધિશક્તિના માત્ર પુરાવા તરીકે લેખતા હતા તે પણ હવે એમ માનતા થયા છે કે અહીં સ્મરણશક્તિ કરતાં પણ કઇક વધુ ગૂઢ રહસ્ય રહેલું છે. (૭) જેકાવસ ઈ. નાડી : ઈટાલીના જેવિસ છે. નાડી પણ મોટા મોટા હિસાબેા સેક'ડામાં કરી દે છે. આવા બાળબુદ્ધિમાન માટે કેલેન્ડર તેા સાવ રમતની વાત અની જાય છે. (<) ogle ell: વ્હાટ લી નામના એક માળ બુદ્ધિમાન કહે છે કે, “બીજા લોકો જે દાખલા કાગળ લઈને કરતાં પણ કલાકો કાઢી નાંખે તેવા દાખલાને હું માત્ર થોડી મિનિટોમાં પલાખાની જેમ ગણી શકુ છું. હું શાળામાં દાખલ થઈ ભણવા માંડયો કે તરત જ મારી આ કુદરતી બક્ષિસ અદૃશ્ય થઈ ગઈ અને હું ગણિતના વિષયમાં પણ ઠોઠ નિશાળિયા બની ગયા.’ (૯) કાશ્મન' : આવું જ બાળબુદ્ધિમાન જેવા કાલ્પના સંબંધમાં બન્યું હતું તે પણ અત્યંત બુદ્ધિશાળી બાળક હતું. મેટામેટા વૈજ્ઞાનિકોએ તેનું કારણ પૂછ્યું ત્યારે એણે એટલું જ જણાવ્યું કે, “ભગવાને આપેલી આ બક્ષિસ છે. મારી શક્તિ બીજાને આપી શાકાય તેવી નથી ’ પણ ૨૦ વર્ષની વયે કૉલેજમાં ભણુતા હતા ત્યારે એની ગણિત અંગેની વિશિષ્ટ શક્તિ સાવ અદૃશ્ય થઈ ગઈ હતી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] વિજ્ઞાન અને ધર્મ (૧૦) જેડિટીઆટ બેકસટનઃ સૌથી વિચિત્ર વાત તે ઈંગ્લેન્ડના બાળબુદ્ધિમાન જેડિટીઆટ બકસટનની છે. જ્યારે એની સમક્ષ આંકડા લખવામાં આવ્યા ત્યારે એ આંકડા પણ ઓળખી શકતું ન હતું. છતાં ગણિતના અઘરા દાખલાના સાવ સાચા જવાબ આપતે હતે. (૧૧) પોલ લિડેરાઃ ઈંગ્લેંડના ચામડાના માલસામાનના એક વેપારી પિલ લિડોરા પણ આવી જ શક્તિ ધરાવે છે. ૨૦-૨૦ આંકડાના ગુણાકાર કરવા એ તે એને મન રમત જેવું છે. તે કહે છે કે જ્યારે તે ત્રણ વર્ષને હતું અને તેને લખતાં-વાંચતાં આવડતું ન હતું ત્યારે તેને આ બક્ષિસનું ભાન થયું હતું. વર્ષો સુધી ગણતરી કરતાં ન આવડવા છતાં ગણિતના મોટા મોટા દાખલાઓના તદ્દન સાચા ઉત્તર આપી શકતા. આ બધા પ્રસંગોમાંથી એક જ વાતને અણસાર નીકળે છે કે દેહથી ભિન્ન વિશિષ્ટ શક્તિમાન કેઈ સ્વતંત્ર તત્વ માનવું જ જોઈએ. વિજ્ઞાન ભલે આજે એ વાતને સ્વીકાર ન કરે, પરંતુ એની પાસે આજ સુધી આ હકીકતને અસ્વીકાર કરવાની હિંમત હતી તે તે અવશ્ય તૂટી પડી છે. આવતી કાલ જરૂર એવી ઊગશે, જ્યારે વિજ્ઞાન આત્માના તત્ત્વજ્ઞાનની સઘળી વાતને અક્ષરશઃ સ્વીકારી લેશે, જે એની સત્યાષિત જીવતી જાગતી રહે તે. ખેર, વિજ્ઞાનનું મંતવ્ય આજે ગમે તે હોય અને આવતી કાલે ગમે તેટલા ફેરફારે તેમાં થયા કરવાના હોય પરંતુ તત્ત્વજ્ઞાનનું મંતવ્ય હમેશ સ્પષ્ટ રહ્યું છે, સદા વિવાદમુક્ત રહ્યું છે અને સદા સ્થિર રહ્યું છે. વિજ્ઞાન સદા ફરતું રહે છે અને તત્વજ્ઞાન સદા સ્થિર રહ્યું છે એ હકીક્ત જ તત્વજ્ઞાનની શુદ્ધ સત્યતાને જાહેર કરી દે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ 茶歇歇歇歇驗 》 3 WB:? [als (Gelinail] 张平平平平平太府泰隆泰喬帝大的太太太太隆游太恐 આત્મવિજ્ઞાન 梁平平平平平平平平平平平平平平平平平平要 વિભાગ બીજો પરલોકસિદ્ધિ XXXXX Page #137 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધીમાં વશીકરણથી, જાતિસ્મૃતિથી અને વિશિષ્ટ શક્તિમત્તાથી આપણે જોયું કે દેહથી ભિન્ન આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. તેથી જ પૂજન્મ અને પૂર્વજન્મની માન્યતા તદ્ન સાચી છે. [૯] પ્રેતલાકમાંથી આવેલા આત્માઓની વાતા હવે અહી. પ્રશ્ન થાય કે જો આત્મા ખીજે કયાંકથી અહી આવીને જન્મ લે છે અને અહી. મૃત્યુ પામીને કયાંક જાય છે તા એ કયાંથી આવે છે? કયાં જાય છે? શું વર્તમાન મનુષ્ય-જીવનની જેમ તે મનુષ્ય-યાનિમાંથી જ આવે છે અને તે જ યાનિમાં જાય છે ? કે ખીજી પણ કોઈ ચેાનિ છે? આ પ્રશ્નના સમાધાનમાં જૈન-દાનિકા કહે છે કે બધુ મળીને પાંચ ગતિ છે. તેમનાં નામેા છેઃ દેવ, મનુષ્ય, નારક, તિય ચ અને સિદ્ધિગતિ. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાત મનુષ્ય એટલે તે મુખ્યત્વે આપણું જેવા માનવે કહેવાય. દેવ એટલે આપણી પૃથ્વીની નીચે અને પૃથ્વીની ઉપરના સ્થાનમાં જેઓ આપણું કરતાં ઘણું ખરા સુખી ગણાય છે, અતિસુંદર સુખસામગ્રીથી યુક્ત છે, જેમનાં આયુષ્ય ઘણું મેટાં છે, જેમની કાયા અત્યંત દેદીપ્યમાન છે તે એક વર્ગ, મનુષ્ય વગેરે ગતિમાં જાણતાં કે અજાણતાં જે આત્મા સત્કર્મો કરે છે કે કેટલુંક કષ્ટ વેઠે છે તે આત્મા મનુષ્ય વગેરે ગતિમાંથી વિદાય લઈને દેવ ગતિમાં જાય છે. સારા આત્માઓ માટે તે નારકગતિ પણ ખરાબ નથી; જ્યારે મલિન આત્માઓ માટે દેવગતિ પણ ખરાબ બને છે. કેમકે ત્યાં ય ઈર્ષા અને અતૃપ્તિની અગનજવાળાઓ તેમના સુખને બાળીને ખાખ કરી નાંખતી હોય છે. જ્યારે નારકગતિનું એનાથી ઊલટું જ છે. આપણી પૃથ્વીથી નીચેના થરમાં તેનાં સાત સ્થાન આવેલાં છે. એક કરતાં બીજામાં દુઃખ વધતું જાય છે. સુખનું તે જાણે સ્વપ્ન પણ હતું નથી. હાય છે ભયંકર યાતનાઓ, પરસ્પરની પણ મારામારીઓ અને કાપાકાપી. આશ્ચર્યની વાત તો એ છે કે એ ગતિમાં જીવ ગમે તેટલી કાપાકાપી કે મારામારી કરે તે ય તરત મૃત્યુ પામી શક્તા નથી. જ્યારે મૃત્યુને સમય આવે છે ત્યારે તેઓ મૃત્યુ પામે, એ સિવાય તે મરણતોલ ફટકા પણ તેમના મૃત્યુને તાણ લાવવા અસમર્થ છે. દેવગતિ ભૌતિક સુખેથી ભરપૂર જણાય છે તે નારકગતિ કારમાં દુઃખેથી જ ખદબદતી હોય છે. તિર્યંચગતિ નરી પરાધીનતાથી ભરપૂર છે. કૂતરાબિલાડા, ગધેડા, સિંહ, સાપ, પક્ષીઓ, વનસ્પતિઓ વગેરે તિર્યંચગતિના જીવો કહેવાય. મનુષ્યજીવન પામીને જ્યકંર હિંસા, જૂઠ, ચેરી વગેરે કરનારા નારકગતિમાં જાય છે; જ્યારે સત્કર્મ નહિ કરીને, માયા–પ્રયંચ વગેરે કરનારા તિર્યંચગતિમાં જઈને પરવશતાનાં કરુણ દુઃખ વેઠે છે. મનુષ્ય, દેવ, નારક અને તિર્યંચ એમ ચાર ગતિ આપણે અહીં વિચારી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] વિજ્ઞાન અને ધર્મ હવે સિદ્ધિગતિને વિચાર કરીએ. માનવગતિમાં જ વિશિષ્ટ સત્કર્મ થઈ શકે છે. માનવગતિ મેળવીને જેઓ સંત બનીને સ્વ અને પરનું અનુપમ હિત કરે છે તે આત્માએ પિતાની ઉપર ચૂંટેલ કાર્મિક પરમાણુઓના તમામ જથ્થાને ઊખેડી નાંખે છે. આમ થતાં તદ્દન શુદ્ધ બનેલે આત્મા સિદ્ધિગતિમાં ચાલ્યા જાય છે. આપણને જે ઊંચે આકાશ દેખાય છે તે તે અનંત છે, છતાં તેના અમુક ટોચસ્થાને એ શુદ્ધાત્માએ જાય છે અને ત્યાં પિતાના આત્માના સ્વરૂપના અનંત આનંદમાં અનંત કાળ માટે મસ્તાન રહે છે. ત્યાં એમને આપણી જેમ શરીર ધારણ કરીને ખાઈ-પીને, હરીફરીને સુખ ભોગવવાનું હોતું નથી. તેઓ તે શરીર વિના જ પિતાના સ્વરૂપના નિજાનંદનું સ્વચ્છ અવિનાશી અને અપરિમેય સુખ ભોગવે છે. આ થઈ જૈનદર્શનની વાત. એની ઉપરથી એ વાત નકકી થઈ જાય છે કે મનુષ્ય અને તિર્યંચ એ બે દેખાતી ગતિ છે પણ તે સિવાય નહિ દેખાતી દેવ, નારક અને સિદ્ધિગતિ પણ છે જ. જિનાગમની અંદર તે ન દેખાતી એવી ત્રણેય ગતિનાં વર્ણન ઠેર ઠેર આવે છે. એવું કોઈ ચરિત્ર નહિ હોય જ્યાં આ ગતિમાંની એકનું નામ સુદ્ધાં નિર્દોર્યું ન હોય. જગતમાં જે જે સત્કૃત્ય કરે છે તે દેવગતિમાં ગયેલા આત્માને ત્યાંનાં ભૌતિક સુખ એકવાર છેડવાં પડે છે અને તેને મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મ પામ પડે છે. જ્યારે સિદ્ધિગતિમાં ગયેલ માનવાત્મા કદી પણ ત્યાંના આત્મસુખથી વિખૂટો પડતું નથી. એથી એને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકગતિ સ્વરૂપ સંસારમાં આવીને જન્મ-મરણ લેવા પડતા નથી. વૈજ્ઞાનિકનું વિશ્વ મનુષ્યગતિને અને તિર્યંચગતિને હજી માનશે, કેમકે તે પ્રત્યક્ષ છે. પરંતુ દેવ, નારક કે સિદ્ધિગતિ દેખાતી ન હોવાથી તેને માનવા તૈયાર નહિ થાય. જે ગતિની વાતે જિનદર્શનને પામેલું બાળક સહજમાં અને સહજભાવે કરી શકે છે તે વાતને સાંભળતાં આજના ભેજાબાજ વૈજ્ઞાનિકોને પણ તમ્મર આવે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ખેતલાકમાંથી આવેલા આત્માઓની વાતે [૧૨૫ ' પણ શું આ બધી ગતિએ સિદ્ધ થાય ખરી ? ' આને! ઉત્તર એ છે કે ‘હા જરૂર.’પણ આ બધુ... પ્રત્યક્ષથી જ સિદ્ધ થવું જોઇએ અને તે પણ બધાયને જ થવું જોઇએ એવા આગ્રહ રાખવા તે ખોટું છે. જગતમાં પશુ ખધાને બધું જ પ્રત્યક્ષથી સિદ્ધ થતું નથી. છતાં જો કોઈ વિશ્વાસપાત્ર પુરુષને એક વસ્તુ પ્રત્યક્ષથી દેખાય છે તે તેવા પુરુષના વચન ઉપરના વિશ્વાસને લીધે ખીજાએ પણ તે વસ્તુ ન જોવા છતાં અવશ્ય માની લે છે, આ જ તર્ક અહીં પણ લગાવવામાં આવે તા દેવગતિની સિદ્ધિ ખૂબ જ સુલભ છે. દેવલાક (પ્રેતલાક)માંથી આવેલા દેવાત્માઓને ઘણાઓએ જોયા છે, સાંભળ્યા છે. હવે જો એમની વાત ઉપર આપણને વિશ્વાસ બેસી જાય તા આપણે પણ દેવલાકના એ દેવાત્માનું અસ્તિત્વ સ્વીકારી જ લેવું જોઇએ. હવે બાકી રહી એ ગતિ. નારકગતિ અને સિદ્ધિગતિ. આ એ યુ. ગતિને અહીંના કોઈ પણ માનવે બેશક જોઇ નથી; પરંતુ તે એ ય માટે સચાટ અનુમાના તેા છે જ. અનુમાન પણ પ્રત્યક્ષ પ્રમાણ જેવું જ પ્રમાણ છે. પહાડમાંથી ધુમાડા નીકળતા જોઈને ન દેખાતા અગ્નિનું અનુમાન આપણે નથી કરતા શું? શું તે ખોટું કહેવાય છે? નહિ જ. દાદાના દાદા આંખેથી ન દેખાવા છતાં અનુમાનથી જ તેમને સ્વીકારીએ છીએ ને ? કલાકના હજાર માઈલની ગતિએ ધરતીને ફરતી માનનારાઓએ અનુમાન જ કરેલું ને? પ્રસ્તુત પ્રકરણ તા પ્રેતલાકની સિદ્ધિ માટે જ છે; એટલે બીજી વાર્તામાં નહિ ઊતરતાં મૂળ વાત કરીએ. - ખેતલાક કહેા કે દેવલાક કહેઃ – હકીકતમાં બન્ને ય એક જ છે. જૈનષ્ટિએ જે દેવલાકની દુનિયાથી ઊતરની કક્ષાની દુનિયા છે તેને આધુનિક લોકો પ્રેતલાક કહે છે. પ્રેતલાક જેવી કોઈ દુનિયા છે કે નહિ એ વાત ઘણાંના મગજમાં બેસતી નથી; પરંતુ જિનાગમામાં કહેલી આ અંગેની વાતે હવે તે. ખૂબ સારી રીતે સિદ્ધ થઈ રહી છે. જે લોકો પ્રેતેાની એક સ્વતંત્ર દુનિયાને માનવાને સ્પષ્ટ ઈન્કાર કરતા હતા તે લાકો પણ પ્રેતાની Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] વિજ્ઞાન અને ધર્મ દુનિયાને માનવા લાગ્યા છે કેમકે તેમને તેવા પ્રત્યક્ષ અનુભવ થયા છે. - જિનાગોમાં દેવ એટલે આપણું જે જ, છતાં વિશિષ્ટ સુખસામગ્રીવાળે આત્મા જે આપણા જેવી જ – પણ – દેવેની દુનિયામાં વસે છે. અહીં “દેવ' શબ્દથી ભગવાન કે એના જેવું કોઈ ઉપાસ્ય તત્ત્વ સમજવું નહિ, ભગવાન એ દેવ નથી; એ તે દેવાધિદેવ છે; પરમાત્મા છે. આ દેવે બે પ્રકારના હોય છે. હલકી જાતના દેવેને પ્રેત કહેવામાં આવે છે અને ઊંચી જાતના દેવને દેવ કહેવામાં આવે છે. જે હલકી જાતના દેવ હોય છે તેઓ આપણી દુનિયામાં પણ અવારનવાર આવતા જ રહે છે. એમને આ જગતના વસવાટ દરમિયાન કઈ ચીજવસ્તુમાં વાસના રહી ગઈ હોય કે કેઈ વ્યક્તિ ઉપર રાગરોષભાવ હોય તો તે કારણે તેઓનું મન પિતાની દુનિયાના સુંદર સુખ-ભોગો છોડીને પણ આ દુનિયામાં આવવા તરફ ખેંચાયા કરે છે. આવાં હલકી જાતનાં પ્રેતે પ્રાયઃ આપણે પૃથ્વીની નીચે આવેલી ભૂમિમાં તથા આપણી પૃથ્વીનાં કેટલાંક વૃક્ષ, ગટર, પહાડ, કેતરે વગેરે સ્થાનમાં પણ વાસ કરતાં હોય છે. જિનાગમની આ વાત કેટલી સટ છે તે હવે અનેકાનેક પ્રસંગે રજૂ કરીને સાબિત કરવામાં આવશે. એ વાત સાંભળતાં આપણું અંતર એ જિનાગમને અને ભગવાન જિનેશ્વરને ઝૂકી મૂકીને નમશે; જેમણે આ સત્ય પહેલેથી જ પ્રકાર્યું છે. જેમકથાનુગમાં અષાઢાભૂતિ નામના આચાર્યને એક એ પ્રસંગ આવે છે કે તેમને શાસ્ત્રની એ વાતમાં સંદેહ હતું કે, “દેવલોક જેવું કાંઈક છે કે નહિ? આ સંદેહને ટાળવા તેઓ મૃત્યુ પામતાં પિતાના શિષ્ય પાસે નકકી કરાવતા કે તે જે દેવલોકમાં જાય તે તેણે અવશ્ય નીચે આવવું અને જણાવવું કે દેવલેક એ દેવેની સાચી દુનિયા છે. અનેક શિષ્ય મૃત્યુ પામ્યા. દરેકને આ વાત કરી પરંતુ જ્યારે દેવલેકના અસ્તિત્વને કહેવા કેઈ ન આવ્યું ત્યારે અષાઢાભૂતિની દેવકને કહેતા શાસ્ત્ર ઉપરથી અને સાધુજીવન ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ, પણ સદુ Page #142 -------------------------------------------------------------------------- ________________ ખેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો [૧૨૭ ભાગ્યે છેલ્લે મૃત્યુ પામેલો શિષ્ય દેવલેકમાંથી આવી ગયું અને એમને દેવકના અસ્તિત્વની સત્યતાની ખાતરી કરાવીને સાધુધર્મમાં સ્થિર કરી દીધા. અને શાસ્ત્રશ્રદ્ધાને વધુ મજબૂત કરી. આ જ રીતે આ વિશ્વમાં પણ ઘણા લે કે એવી મજબૂત માન્યતા ધરાવતા હોય છે કે મૃત્યુ એ જ સંપૂર્ણ વિષય છે. એની પછી કશું જ નથી. પણ આવા લેકેના કેટલાક નિકટના સાથીઓ પણ એવા હોય છે જેઓ મૃત્યુ પછી પણ પ્રેત વગેરે મેનિનું અસ્તિત્વ છે એમ માને છે. આવી માન્યતાઓ ધરાવનારા ઘણી વાર પિતાના મિત્રે અગર તે નિકટના સગાસંબંધીઓ સાથે પિતાની હયાતી દરમિયાન એ કરાર કરતા હોય છે કે બેમાંથી જેનું પ્રથમ અવસાન થાય એ વ્યક્તિ પલકમાંથી એક વાર આ લેકમાં આવીને પરલેકની માહિતી આપે. તવારીખનાં પાનાં ઉપર કેટલીક રુંવાટાં ખડાં કરી દે તેવી વાત નોંધાયેલી છે. [૧] માર્ગોરિન અને માદામ દ બેકલેરઃ બ્રિટનના રાજા બીજા ચાર્લ્સની અનેક પ્રેમિકાઓ પૈકીની સૌથી વધું સૌન્દર્યવાન ડચેસ ઓફ માર્ગોરિન અને ચાના ભાઈ (પાછ ળથી બીજા જમ્સ)ની પ્રેમિકા માદામ દ’ બેકલેર વચ્ચે અગાધ પ્રેમ હતું. બંને સુંદરીઓ ઘણેખરે સમય સાથે જ રહેતી, અને બને વચ્ચે વાતચીતને મુખ્ય વિષય મેટે ભાગે તે મૃત્યુ પછી આત્માની સ્થિતિ અંગે જ રહે. આ વિષય અંગેની બન્નેની ચિંતા એટલી તીવ્ર બનવા પામેલી કે બન્નેએ ગંભીરપણે એક એવી સમજૂતી કરેલી કે બન્નેમાંથી જે પ્રથમ મરણ પામે એણે પલકમાંથી એકવાર પાછા ફરીને પરલેક કેવા પ્રકાર છે તેનું વર્ણન કરવું. આ બન્નેમાંથી ચેસ ઓફ માર્ગોરિનનું પ્રથમ અવસાન થયેલું હતું. મૃત્યુ પછી જ્યારે લાંબા સમય સુધી ડચેસે દેખા ન દીધી ત્યારે માદામ બેકલેરે માની લીધેલું કે આત્મા અમર નથી અને કરવાની એનામાં શક્તિ નથી, પણ કેટલાંક વર્ષો બાદ માદામ દ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] વિજ્ઞાન અને ધર્મ બેકલેરના અવસાન અગાઉ થોડા જ સમય પહેલાં તેણે પેાતાના નિકટના માણસોને ખાતરીપૂર્વક કહ્યું હતું કે પાતે ડચેસનું ભૂત (પ્રેત) પોતાના શયનખંડમાં આવેલું જોયું છે. મઠ્ઠામ એકલેરે વધુમાં એમ પણ કહ્યું' કે આ દેખાવ એચિંતા અને અણુચિ'તવ્યેા હતેા. ડચેસ જમીન ઉપર ચાલવાને ખલે હવામાં તરતી હેાય એમ લાગતું હતું. (જિનાગમમાં દેવા અદ્ધર ચાલે છે એવું સ્પષ્ટ વિધાન કર્યું છે. ) ડચેસે જતાં જતાં એમ પણ કહેલું કે આજે રાત્રે બાર અને એકની વચ્ચે આપણે પરલેાકમાં મળીશું. અને સાચે જ ડચેસના ભૂતે આગાહી કરી હતી એ મુજબ માદામ એકલેરનું એ જ રાત્રે સાડા બાર વાગે અવસાન નીપજ્યું હતું.. આ આખી વાતને કલેરડનના પુસ્તક · હિસ્ટ્રી આક્ રિએલિયન અને લીખીના પુસ્તક · એબ્ઝર્વેશન ન ધ લાઈફ એન્ડ ડેથ એફ ' કિંગ ચાર્લ્સ ’માં ઉલ્લેખ છે. [૨] વિલિયમ સ્મીલી અને વિલિયમ ગ્રીનલેા : એડિનબગ યુનિ.ના સત્તાવાર અને લિસોફી આફ નેચરલ હિસ્ટ્રીના કર્તા વિલિયમ મીલી, કે જેનું ૧૭૮૫માં અવસાન નીપજેલું, એને વિલિયમ ગ્રીનલે નામના એક યુવાન પાદરી સાથે નિકટની મૈત્રી હતી. આ યુવાન પાદરીને આત્માની અમરતા અંગે શંકા હોવાને કારણે એણે ચ'માંથી રાજીનામું આપી દીધું હતુ. એ બન્ને મિત્રો આત્માના અસ્તિત્વ અંગે ગરમાગરમ ચર્ચા કરતા. ગ્રીનલેા હમેશાં આત્માના અસ્તિત્વના ઇન્કાર કરતા. આખરે બન્નેએ એક લેખિત કરાર કર્યાં અને ખનેએ પોતાના લેહીથી એની ઉપર દસ્તખત કર્યાં. કરારમાં લખ્યુ કે બેમાંથી જેનું પ્રથમ અવસાન નીપજે એણે શકય હેય તા પાછા ફરવું અને ભૂતલેાક અંગેનું બયાન કરવું. પ્રથમ ગ્રીનલોનું ૧૭૭૪ના જૂનની ૨૬ મીએ અવસાન થયું. એણે એક વર્ષ બાદ પોતાની પ્રથમ મૃત્યુતિથિએ દેખાવ કરવાનું વચન આપ્યું હતું. સ્મીલીએ એ વાત બરાબર યાદ રાખીને એ દિવસે Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો [૧ર૯ રાત્રે અને પછીની કેટલીક રાત સુધી અખંડ જાગરણ કર્યું. આખરે કેટલાક સમય બાદ જ્યારે એણે મરનારને બિલકુલ વિચાર નહિ કર્યો ત્યારે અચાનક ગ્રીનલેનું વેત ભૂત દેખાયું અને એણે પિતાના મિત્રને ગંભીરપણે કહ્યું કે, “પૃથ્વી ઉપર પાછા આવતાં ભારે મુકેલી સહવી પડી છે. (જિનાગમમાં પૃથ્વીના માનની વિષ્ટા વગેરેની દુર્ગધ ૪૦૦ જન ઊંચે સુધી વ્યાપે છે અને તેથી દેવે જલદી નીચે આવી શકતા નથી એમ કહ્યું છે.) આ લેક કરતાં પરલેક અનેક ગુણ ભવ્ય છે અને પરલેકના ઘણું વાસીઓ હજી એથી પણ વધુ દિવ્યલેકમાં જવાની આશા સેવી રહ્યા છે.” (ઉજિનાગમાં ઉપર ઉપરના દેવકની સમૃદ્ધિ વગેરે વધુ ને વધુ અદ્ભુત હોવાની જણાવી છે અને એથી જ ભેગભૂખ્યા નીચેના દેવે, ઉપર ઉપરના દેની સમૃદ્ધિની કામી વાસનામાં સતત સબડતા હોવાનું પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.) આટલું કહ્યા પછી ગ્રીનલે જે અચાનક આવ્યું હતું એ જ અચાનક અદશ્ય થઈ ગયે. [3ી જ સિડનહામ અને વિલિયમ હાઈકઃ આવા પ્રકારના કરારને સૌથી વધુ જાણીતે દાખલ ૧૯૫૪થી ૧૯૯૬ સુધી લાગે યુનિ. માં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે રહેલા જ સિકલેરે પિતાના, “સેતાન્સ ઈનવીઝિબલ વર્લ્ડ ડિસ્કવ ? નામના પુસ્તકમાં તેણે બે મિત્રેને એક પ્રસંગ વર્ણવ્યા છે. પ્રા. સિકલેર એક બહેશ શેાધક હતે. કેલસાની ખાણમાં વપરાતું યંત્ર પણ તેણે શોધી કાઢયું હતું. પ્રા. સિકલેરના જણાવ્યા મુજબ મેજર જ સિડનહામ અને કેપ્ટન વિલિયમ ડાઈક નામના બે પિતરાઈ ભાઈઓએ એ કરાર કરેલે કે બેમાંથી જેનું પ્રથમ મરણ નીપજે એણે મરણ પછી ત્રીજા દિવસે અમુક એક મિત્રના બગીચામાં દેખાવ દે. મેજરનું પ્રથમ મરણ નીપજ્યું અને કેપ્ટન ડાઈક ત્રીજા દિવસે વિ ધ. ૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] વિજ્ઞાન અને ધર્મ નક્કી કરેલા સ્થળે જઈ પહોંચે. બગીચાના સમર–હાઉસમાં એ એટ પણ એણે ન કાંઈ જોયું કે ન કાંઈ સાંભળ્યું. છ અઠવાડિયા ખાદ કેપ્ટન ડાઈક જ્યારે પોતાના પુત્રને ઇંટન ખાતે કૉલેજમાં દાખલ કરાવવા ગયેલા ત્યારે ત્યાં એક હોટલમાં એણે મેજરનું ભૂત જોયું અને એની સાથે વાતચીત પણ કરી. મરનાર અફસરનું આ ભૂત કેપ્ટન ડાઇકને વહેલી સવારે દેખાયું હતું. વાયદા પ્રમાણે સમયસર દેખા નહિ દેખાડી શકવા બદલ અસરે માફી માગી અને ખાતરીપૂર્વક જણાવ્યું કે, ‘ પરમાત્માનું અસ્તિત્વ છે. એ ન્યાયી છે અને ભયાનક (!) પણ છે. આ પછી કેપ્ટનને, સન્માગે જીવન વાળવાની સલાહ આપીને એ ભૂત અદૃશ્ય થઈ ગયું. " ત્યાર પછીના જીવનનાં શેષ બે વર્ષ દરમિયાન કેપ્ટન ડાઈકના જીવનમાં ભારે પિરવર્તન આવી ગયું હતું. જિનાગમાની અંદર તેા જીવનને સન્માર્ગે વાળવાનું ખૂબ ભારપૂર્વક વિધાન કર્યું છે, એનું પણ કારણ એ જ છે કે માનવ વગેરેનું જીવન એટલે જન્મથી મૃત્યુ પર્યન્તનું જ જીવન છે એમ નથી કિન્તુ એ ગાળામાં જે કર્મો કરવામાં આવે છે એનાં ફળ ભાગવવા માટે મૃત્યુ પછી ફરી જીવનેાની પરંપરા અવશ્ય છે. એથી જ એ જીવના હલકી કોટિનાં ન મળી જાય. રાગો, ઉપાધિ, ચિંતાએથી ભરપૂર ન મળી જાય તે માટે પ્રાપ્ત થયેલા જીવનમાં સત્કમાં અવશ્ય કરવાં જોઈએ. વર્તમાન જીવનની સુખ-દુઃ ખાની પ્રાપ્તિ મુખ્યત્વે તે ભૂતકાલીન જીવનાનાં સત્ કે અસત્ કર્માંને કારણે જ હાય છે, એટલે હવે એ અફર થઈ ચૂકેલા જીવનના બંધારણ માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પ્રયત્ન તા તે ભાવી જીવન માટે જ કરવાની જરૂર છે કે જીવનાનાં સુખ-દુઃખાને સવાની તાકાત વર્તમાન જીવનમાં છે. જેને સુખ જ પ્રિય છે, દુઃખ અપ્રિય જ છે તેણે વર્તમાન જીવનનાં નિમિત થઈ ચૂકેલાં સુખ-દુઃખની ઝાઝી કાળજી લેવાનું છેોડી Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રિલોકમાંથી આવેલા આત્માઓની વાત [૧૩૧ દઈને ભાવીનાં દીર્ઘકાલીન સુખ કે દીર્ઘકાલીન દુખોને જ નજર સામે રાખીને દુઃખ ન જાગે અને સુખ પ્રાપ્ત થાય તે માટે સતત સત્કર્મશીલ બની રહેવાનું અતિ આવશ્યક કર્તવ્ય બની જાય છે. આથી પણ વધુ મહત્વની વાત છે તે છે કે ભાવી જીવનનાં સુખે પણ દુઃખના ભેળવાળાં અને અંતે તે વિનાશી જ છે, કેમકે એ સુખી જીવન પણ અંતે તે મૃત્યુને કેળિયે બને જ છે. એથી જ જિનાગમાં અવિનાશી સુખ માટે-સિદ્ધિગતિના સ્થળની પ્રાપ્તિ માટે જ-પ્રયત્ન કરવાને ઉપદેશ આપવામાં આવ્યું છે. અસ્તુ. હજી બીજા કેટલાક પરસેવાસી દેવ-ભૂત-પ્રેતના આગમનની વાતે વિરારીએ. [૪] લેડી એલિઝાબેથ અને રેબટ નેલસનઃ લેડી એલિઝાબેથ હેસ્ટિંગ્સ નામની એક પવિત્ર આચારવાળી મહિલાએ અઢારમી સદીના એક વિખ્યાત ધર્મશાસ્ત્રી રોબર્ટ નેલસન સાથે કરાર કર્યા હતા કે બેમાંથી જે પ્રેતલેકમાં જાય તેણે ત્યાંથી અહીં આવીને પ્રેતકના અસ્તિત્વની વાત કરવી. નેલસનનું પ્રથમ અવસાન થયેલું અને થોડા સમય બાદ લેડી એલિઝાબેથ “કેન્સરના રોગથી પિડાવા લાગી. એની યાતના એટલી ઉગ્ર હતી કે એ હરપળે મરણ ઝંખતી હતી. નેલસન સાથે થયેલે લેખિત કરાર પોતાના ભાઈ અલ ઓફ ઇન્ટિગડનને એ બતાવ્યા કરતી. લેડી એલિઝાબેથ અવસાન પામી એ અગાઉ છ દિવસ પહેલાં સવારે ચાર વાગે નેલસનની છાયા દેખાવા લાગી. એલિઝાબેથની સારવાર કરનાર ચાકરડીએ આ જોયું. નેલસનની છાયાને નજીકની ખુરશી ઉપર બેઠેલી ચાકરડીએ જોઈ એટલે તે તરત ગભરાઈને ભાગી છૂટી. લાંબા સમયે હિંમત કરીને જ્યારે એણે ઓરડામાં જોયું ત્યારે ખુરશીમાં કઈ હતું નહીં. આ પછી લેડી હેસ્ટિંગ્સ સૌને કહેલું કે, “છ દિવસમાં મારું મરણ થશે એવું નેલસને કહ્યું છે. બરાબર છઠ્ઠા દિવસે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] વિજ્ઞાન અને ધર્મ એલિઝાબેથનું મરણ થયું. આ વાત વિખ્યાત સાહિત્યકાર એડિસનના સામયિક ટેલરમાં પ્રસિદ્ધ થઈ હતી. [૫] લોર્ડ ટાયરન અને લેડી બ્રેસ, ફર્ડ: અઢારમી સદીની શરૂઆતમાં આયરલેડમાં સાથે ઉછરનાર લેડ ટાયરન અને લેડી બ્રેસ. ફેડ વચ્ચે પણ આવા કરાર થયેલા. અલ ઓફ બ્રેસફર્ડ સાથે લગ્ન થયા પછી થોડાં વર્ષો બાદ એક સવારે એ પિતાના કાંડા ઉપર કાળી રેશમી રીબન બાંધીને મેડા ઉપરથી નીચે ઊતરી, પણ પિતાના પતિને આ માટેનું કારણ આપવાની સાફ ના પાડી. એક કલાક બાદ લોર્ડ ટાયરોનના અવસાનની ખબર આપતે પત્ર આવ્યા. વર્ષો બાદ જ્યારે લેડી બ્રેસ. ફેડ મરણપથારીએ હતી ત્યારે એણે પોતાના પુત્રને કહેલું – “વાયદા પ્રમાણે લેડ ટાયરનના ભૂતે મને દેખાવ દીધો છે અને પરલેકના અસ્તિત્વ અંગે ખાતરી આપી છે.” [૬] લોર્ડ બ્રગહામઃ ઈંગ્લાન્ડના લેર્ડ બ્રગહામે પોતાની ડાયરીમાં યુવાનીમાં પિતાને થયેલે એક વિચિત્ર અનુભવ ને છે. પિતે જારે એડિનબર્ગ યુનિ.માં અભ્યાસ કરતા હતા ત્યારે એક યુવાન સાથે મિત્રાચારી થયેલી અને બંનેએ પિતાના લેહીથી લેખિત કરાર કરેલા. અભ્યાસ બાદ મિત્ર ભારતમાં નોકરી કરતો અને કઈ કઈ વાર એના તરફથી ખબરઅંતર આવતા. ૧૭૯૯ના ડિસેમ્બરની ૧૦મી તારીખે સ્વીડનના પ્રવાસ દરમિયાન પિતે જ્યારે લાંબી મુસાફરી બાદ સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક એમણે “બાથ”ના કાંઠે એક ખુરશીમાં પોતાના મિત્રને બેઠેલો જોઈને ભારે આશ્ચર્ય થયું. - આ પછી ડા સમય બાદ મિત્રના અવસાનને પત્ર આવ્યું. જ દિવસે લેડ બ્રોગહામને મિત્ર દેખાયેલે એ જ દિવસે એનું અવસાન થયેલું. Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો [૭] રેયલ અકાદમીના વિદ્યાથીઓઃ ૧૮૫૬માં પણ “કરાર” મુજબ મરનારે દેખા દીધાને બનાવ બન્યું છે. લંડનમાં રયલ અકાદમીના કેટલાક કલાકાર વિદ્યાર્થીઓ સાંજના સમયે હંમેશાં “મૃત્યુ પછીના જીવન એ વિષય પર રસમય ચર્ચાઓ કરતા. મોટા ભાગના યુવાન કલાકારે મુક્ત ચિંતક હતા અને મૃત્યુ પછી આત્માની અમરતા અંગેની માન્યતાના ખૂબ વિરોધીઓ હતા. પણ કલાકારો પૈકીને એક તે આત્માની અજર-અમરતાને પ્રખર હિમાયતી હતું, અને પિતાના સાથીદારોના ભૌતિક વિચારેથી એને એટલે બધે આઘાત લાગે કે એણે સાથીદારોમાંથી જેનું પ્રથમ મરણ નીપજે એણે પરલેકમાંથી પાછા ફરીને પિતાના મંતવ્યની સચ્ચાઈ પુરવાર કરવી એવી સૂચના કરી. ટૂંક સમયમાં સાથીદારો પૈકી એક માંદગીના કારણે ઘેર ગયે. થોડા દિવસમાં રાત્રે બારેક વિદ્યાર્થીઓ સગડી આગળ બેમીને ગપ્પાં મારતા હતા. એવામાં એક વિદ્યાથી ચકીને બૂમ પાડી ઊઠ્યો. જ્યાં આગળ આ વિદ્યાર્થીની નજર ચેટી રહી હતી ત્યાં જોતાં બધાને એક ધૂંધળી છાયા દેખાવા લાગી. આ છાયા માંદગીના કારણે પિતાને ઘેર ગયેલ પેલા વિદ્યાર્થીની હતી. છાયા થડા સમયમાં વિલીન થઈ ગઈ અને બીજા દિવસે વિદ્યાથીના અવસાનના ખબર આવ્યા. [૮] બેસુલ અને તેને મિત્ર પણ આવા “કરારની સૌથી વધુ રોમાંચક વાત ૧૭૨૬માં “જર્નલ ૬ ટ્રે નાઉસમાં બેગૂલ નામના એક ગૃહસ્થ વર્ણવેલી છે. ૧૫ વર્ષની વયે પિતે જ્યારે કીન ખાતે અભ્યાસ કરતા હતા ત્યારે એને ડેસન ટેનિસ નામના એક વિદ્યાર્થી સાથે આ કરાર થયેલ. ૧૭૯૭ના જુલાઈમાં એક દિવસ બેઝુલ પિતાને એક મિત્રના વાડામાં ઘાસની ગંજી ગોઠવવામાં મદદ કરી રહ્યો હતો ત્યારે પિતાના મિત્રનું ભૂત અચાનક એને દેખાયું. ભૂતે એને હાથ પકડ્યો અને બધાથી દૂર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] વિજ્ઞાન અને ધર્મ એક બાજુ પર એને લઈ ગયા. બન્નેએ લગભગ પણ કલાક સુધી વાત કરી. બીજા મિત્રોએ બેડ્યૂલને એકલે એક વિચિત્ર વાતચીત કરતે જોઈને જરા વધુ પડતે કેફ થઈ ગયું છે એમ માની લીધું. મિત્રના ભૂતે બેઝુલને ખુલાસે કરતાં કહ્યું કે પોતે કીન નદીમાં ડૂબીને મરણ પામે છે. ભૂતે પોતાનાં માતા-પિતા પર સંદેશા પાઠ વેલા પણ “મૃત્યુ પછીના જીવન અંગે કઈ ખુલાસો નહિ કરે. આ મુલાકાત દરમિયાન બેગૂલના અન્ય મિત્રએ એને આવી વાહિયાત વાત નહિ કરવા ઘણું સમજાવેલે, પણ એની ઉપર કશી અસર થઈ નહિ. પાછળથી બેસૂલને મિત્રના અવસાનના સમાચાર મળ્યા હતા અને એને ખાતરી થઈ હતી કે પોતે પરલકવાસી સાથે વાતચીત કરી છે. આ આઠેય પ્રસંગે પ્રેતકના અસ્તિત્વની નક્કર સાક્ષી પૂરે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ [૧૦] પ્રેતાત્મા સાથે વાતચીત છે. આ જ આશ્ચત દવે ની કેટલીક વાર પ્રેતાત્માઓ સાથે લાંબા સમય સુધી વાતચીત થયાના પ્રસંગે પણ સેંધાયા છે. થડા વખત પહેલાં ચિદંબર કુલકર્ણીના પ્રેતાત્મા સાથે ભારતીય સ્વામી કૃષ્ણાનંદજીને ઘણા લાંબા સમય સુધી વાત થઈ હતી. એ આ વાર્તાલાપ ગુજરાત સમાચાર (૪-૯-૬૬)માં પ્રગટ પણ થયે છે. આ કલ્પના નથી, આ સત્ય છે. જિનાગમના અધ્યેતાઓને આવી વાતમાં કશું જ આશ્ચર્ય લાગતું નથી. કેમકે તેઓ તે આપણું માન જેવી જ ભૂતપ્રેત (કે દે)ની સ્વતંત્ર દુનિયા માને જ છે. ત્યાં પણ કેવા વ્યવહારે હેય છે? કેવું એશ્વર્ય કેને કેને કેટલું હોય છે? તેની શક્તિ કેટલી હોય છે? વગેરે વાતે પણ બહુ અસંદિગ્ધ રીતે જિનાગમાં રજૂ કરવામાં આવી છે. સ્વામી કૃષ્ણાનંદજી એ લેખના અંતે લખે છે કે, “પ્રેતાત્મા સાથે થયેલ વાતચીતનું વર્ણન મેં તદ્દન વફાદારીપૂર્વક કર્યું છે. તેમાં જરા મીઠું-મરચું ભભરાવ્યું નથી. મેં તેની બરાબર ચકાસણી કર્યા ધર્મ કોને કોને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] વિજ્ઞાન અને ધર્મ પછી જ શબ્દદેહ આપે છે, તેમાં મારી કઈ પણ પ્રકારની ભ્રમણ રહી ન જાય તેની મેં કાળજી રાખી છે.” પ્રેતાત્મા સાથેના મિલનપ્રસંગમાં સ્વામી કૃષ્ણાનંદે પ્રેતાત્માને ૨૬ પ્રશ્ન પૂછડ્યા હતા. એ બધા ય પ્રશ્નોના પ્રેતાત્માએ જે ઉત્તરે આપ્યા તેની તેમણે નેંધ કરી લીધી હતી. - આ એવી પ્રશ્નોત્તરી છે, જેનાથી પ્રેતલેક અંગેના જિનાગમનાં ઘણાં બધાં વિધાનની પરિપૂર્ણ સત્યતા સિદ્ધ થઈ જાય છે. પ્રેતાત્માએ પ્રેતલેક અંગે જે જે વાત કરી છે તે બધી જ જિનાગમમાં કહેવાઈ ચૂકેલી છે ચાલે ત્યારે ! આપણે પણ એ પ્રશ્નોત્તરીને ભૂમિકા સાથે એકચિત્તો જોઈએ. સ્વામી કૃષ્ણાનંદ જ્યારે મહારાષ્ટ્રમાં પર્યટન કરતા હતા ત્યારે એક વખત લાપુર પાસેના એક ગામડામાં એમને રહેવાનું બન્યું. એક રાતે એમને એક ખેડૂત તેના ખેતરમાં લઈ ગયા. ત્યાં એમને ઉચિત સત્કાર કરવામાં આવ્યું, પણ તે ખેતરમાં મેટરથી ચાલતું શેરડી પીલવાનું યંત્ર ખૂબ અવાજ કરતું હતું એટલે સ્વામી કૃષ્ણાનંદ, યજમાન ખેડૂતની મંજૂરી લઈને અડધે માઈલ દૂર આવેલા બીજા એક ખેતરમાં સૂવા ગયાં. ત્યાં, અનુકૂળ સ્થાને પથારી કરીને સૂઈ ગયા. તેમની ટેવ પ્રમાણે સવારે વહેલા ત્રણ વાગે તેઓ ઊઠી ગયા અને રેજના નિયમ પ્રમાણે ધ્યાનમાં બેસવાની તૈયારી કરતા હતા એટલામાં કોઈ એક વિચિત્ર વસ્તુની હાજરી તેમની આસપાસ વીંટળાઈ રહી હોય તેમ લાગ્યું, તેમને તે હકીકતનું ભાન થતાં ઊંચે જોયું, કાંઈક સ્પષ્ટરૂપે જોયું. આ આકૃતિ તેમનાથી દસ ફૂટ દૂર હતી અને જમીનથી આશરે ત્રણ ફૂટ અદ્ધર હતી, તેને કેઈ આધાર કે ટેકે ન હતાં. સ્વામી કૃષ્ણાનંદજી કહે છે કે, “મારા વિશાળ પર્યટનમાં હું ઘણી વાર આવાં સને મળ્યું હતું, પણ નજરેનજર મળવાને તે આ પહેલે જ પ્રસંગ હતે. સાચું પૂછે તે મને આવો અનુભવ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત થાય તે માટે હું અખતા હતા. આનંદ અને કુતૂહલભરી મુખમુદ્રા સાથે મેં ત્રાંસી નજરે તે આકૃતિ ઉપર દૃષ્ટિ ઠેરવી. તે શું કરે છે તેની રાહ જોતા હું બેઠો. ( અહી એક વાતનું સ્પષ્ટીકરણ ફરી એક વાર કરી દેવાનું ઉચિત લાગે છે કે દેવા ( પ્રેત-ભૂતા વગેરે) જમીનથી અદ્ધર ચાલે છે તેટલું વિધાન જિનાગમામાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. ઓછામાં આછું ચાર આંગળ જેટલું તે તેએ અદ્ધર ચાલે જ છે. આ જ વાત અહીં પણ કહેવામાં આવી છે. પૂર્વે પણ પરલેાકથી આવેલાની વાતમાં કીકત જોવા મળી હતી. )* પ્રેતાત્મા સાથે વાતચીત ' પ્રેતાત્માએ કહ્યું, “મિત્ર, તમને હું સુંદર સવાર ઇચ્છું છું.’” મેં પણ જવાખમાં તેની સુંદર સવાર ઇચ્છી. પછી હું તેની સાથે વાતે વળગ્યા. તે અસ્ખલિત અંગ્રેજીમાં બોલતા હતા. [૧૩૭ C સુપ્રભાતમ્ . " (જિનાગમામાં કહ્યું છે કે જન્માંતરનું ભાષા વગેરેનું જ્ઞાન કેટલાંક પ્રેતને થાય પણ ખરું. આ પ્રેત પણ પોતાના મનુષ્ય તરીકેના જીવનમાં અંગ્રેજી ભાષા જાણતા હેાય તેા તેના જ સંસ્કાર પ્રેત–યેાનિમાં પણ તેને હાઈ શકે છે. પ્રેતલેાકમાં અંગ્રેજી વગેરે ભાષાઓનું નવેસરથી અધ્યયન નિયત હાતું નથી. ) અમારા વાર્તાલાપ દોઢેક કલાક ચાલ્યા. મારા વાચકોને આ ખાખતના તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ હેતથી ચૂંટી કાઢેલા કેટલાક સવાલે અને પ્રેતાત્માના ઉત્તરા હું રજુ કરું છું. [૧] પ્ર. તમે શા હેતુથી પ્રેરાઈને મારી સન્મુખ પ્રગટ થવાની કૃપા કરી ? ઉ. માનવીની સામતના પ્રેમ, x चउर गुलेण भूमिं न छिवति जिणा सुरा बिंति । ——બૃહત્સ ગ્રહિણી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] વિજ્ઞાન અને ધર્મ [૨] પ્ર. તમે મને કહેશે કે તમે પૂર્વજન્મમાં કેણ હતા? અને આ સ્થિતિમાં ક્યાંથી આવી ગયા? ઉ. મારું ભૂતપૂર્વ નામ ચિદંબર કુલકણી”. હું અહીં પાસેના શહેરમાં એક સુંદર હટલ ચલાવતું હતું. જેમને પિતાના ભૂતકાળનું જ્ઞાન હોય છે તેવા નસીબદાર પ્રેતાત્માઓમાંને હું એક છું. કુદરતની યોજના અનુસાર મારું માનવ–શરીર આઠ વર્ષ પૂર્વે નાશ પામ્યું હતું. (જિનાગમમાં કહ્યું છે કે દેવ-નિમાં ઉત્પન્ન થતાં દરેક આત્માને પિતાના કેટલાક ભૂતકાળની જાતિસ્મૃતિ હોય જ છે. આ પ્રેત પણ પિતાની જાતિસ્મૃતિ જણાવે છે. વળી અહીં તે કહે છે કે તેનું માનવીય શરીર આઠ વર્ષ પૂર્વે નાશ પામ્યું હતું. આ વિધાન ઉપરથી આત્મા શરીરથી ભિન્ન છે, અને નિત્ય એ વાત સિદ્ધ થાય છે, માનવીય શરીરમાંથી નીકળીને આત્મા આ પ્રસંગમાં પ્રેતશરીરમાં ગયે છે એમ નકકી છે.) [૩] પ્ર. તમે ચિદંબર કુલકર્ણી તરીકે હતા ત્યારે આ ભૂતકાળનું જ્ઞાન મેળવવાની તમારી શક્તિ હતી? ઉ–ના, મારા એ સ્થૂલ માનવીય શરીરના નાશ પછી જ મારામાં એ શક્તિ પ્રગટ થઈ છે. (આ વાત પણ જિનાગમમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે. દેવ અને નારકમેનિના આત્માએ ભૂતપૂર્વ માનવનું કે તિર્યંચનું શરીર છેડે કે તરત જ તેમનામાં વિશિષ્ટ જ્ઞાનશક્તિ અવશ્ય ઉત્પન્ન થાય તેમ કહ્યું છે. જ્ઞાનબળથી તેમને જાતિસ્મૃતિ થાય તેમ અમુક ક્ષેત્રોમાં આવેલા રૂપી પદાર્થોને સાક્ષાત્કાર પણ થાય. આવું માનવદેહને પ્રાપ્ત કરનારા માટે નિશ્ચિત હેતું નથી. કેટલાક માનવેને આવું જ્ઞાન થઈ શકે ખરું, પરંતુ દેવેની જેમ બધાય માનવ વગેરે જન્મથી જ આ જ્ઞાન હોય તે નિયમ નથી.) [૪] પ્ર. તમે કેટલે દૂર સુધીના ભૂતકાળમાં ડૂબકી મારી શકે છે? ઉ. મારા પાંચ પૂર્વજન્મનું મને વિગતવાર જ્ઞાન છે. (જિનાગમમાં દેવનિના મુખ્યત્વે ચાર પ્રકાર કહ્યા છે. ભવનપતિ–વ્યન્તર– Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૩૯ તિષ્ક અને વૈમાનિક. આ ચારેયમાં અમુક ક્ષેત્રમાં આવેલા રૂપી પદાર્થોને સાક્ષાત્કાર પણ થાય. આવું માનવદેહને પ્રાપ્ત કરનારા માટે નિશ્ચિત હેતું નથી. કેટલાક માનવેને આવું જ્ઞાન થઈ શકે ખરું. અહીં તે આ દેવાત્માને પિતાના ફક્ત પાંચ જ પૂર્વજન્મના જ્ઞાનની, પ્રાપ્તિ થઈ છે.) | [૫] પ્ર. શું તમે બીજાને પણ ભૂતકાળ જાણવાની શક્તિ ધરાવે છે? ઉ. કેટલીક વાર બીજાના ભૂતકાળની વિગતે પણ મારામાં ઝબકી જાય છે. (આ વાત પણ તદ્દન સાચી છે કેમકે “ઝબકી જવું”ને અર્થ જ એ છે કે સહજ રીતે સદા માટે બીજાના ભૂતકાળને જાણવાની શક્તિ એ આત્મામાં નથી, પરંતુ ક્યારેક કેઈના ભૂતકાળને જાણવા માટે એ પ્રયત્ન કરે ત્યારે જરૂર એ શક્તિ ઝબકી જાય છે. (જિનાગમમાં પણ કહ્યું છે કે દેવનિમાં જે જ્ઞાન હોય છે તેને ઉપયોગ મૂકે-અર્થાત્ તે જ્ઞાનથી જાણવાનો પ્રયત્ન કરે–ત્યારે જ તે વ્યક્તિ પિતાના ભૂતકાળને જાણી શકે છે.) [૬] પ્ર. તમે મારી ચક્કસ જન્મ તારીખ અને સમય કહી શકશે? ઉ. હું પ્રયત્ન કરી જોઉં. હા, તમે એક બૌદ્ધ દેશમાં ઈ.સ. ૧૯૨૦ના ઓગસ્ટની છવીસમી તારીખે ૧૨-ક. ૧૮ મિનિટે જમ્યા હતા. (અહીં પણ પ્રયત્ન એટલે કે “ઉપયોગ”ની જેનાગમિક પરિભાષાની વાત આવે જ છે.) [૭] પ્ર.–તમે તમારું કે બીજાનું ભાવિ જાણવાની શક્તિ ધરાવે છે? ઉ. ના, મહારાજ (આ પ્રેત હલકી વ્યન્તરનિને છે માટે તેને આટલું જ્ઞાન ન હોય તે સુસંભવિત છે.) [૮] પ્ર. છેલ્લા મૃત્યુ પછી તમે કયું પરિવર્તન અનુભવ્યું? ઉ. સ્થૂલ શરીરના સંબંધને નાશ અને એને પરિણામે પાર્થિવ વસ્તુઓને ઉપયોગ કરવાની કે ઉપયોગ કરવાની અશક્તિ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] વિજ્ઞાન અને ધર્મ નામના ( આ વાત પણ શ્રી જિનાગમમાં જણાવવામાં આવી છે, પણ માત્ર શબ્દાતરથી. આપણે વસ્તુના ઉપયાગ કરીએ છીએ તે સાત પ્રકારના પરમાણુઓમાંથી પહેલા નંબરના ૯ ઔદ્યારિક ’ પરમાણુમાંથી બનેલી વસ્તુઓના ઉપયોગ કે ઉપભાગ કરીએ છીએ. જ્યારે પ્રેતયેાનિના કે નારયેાનિના જે આત્માએ છે તે તે સાત પ્રકારના પરમાણુમાંથી બીજા નંબરના વૈક્રિય નામના પરમાણુમાંથી અનેલી વસ્તુના ઉપયાગ અને ઉપભાગ કરતા હોય છે. આમ તેઓ આપણી ઔદારિક વસ્તુઓના ઉપયોગ વગેરે કરતા નથી એટલે આ પ્રેતાત્માએ તદ્દન સાચી વાત કહી છે. ) [૯] પ્ર. શું તમે એમ કહેવા માગેા કે મૃત્યુથી તમારી માનસિક શકયતા ઉપર વિપરીત અસર નથી થઈ ? ઉ. ના, એટલું જ નહિ, પણ તેથી ઊલટું, મૃત્યુ પછી મારી માનસિક શકયતાઓમાં ચાક્કસ વધારા થયા છે. (શ્રી જિનાગમામાં પણ આ વાત જણાવવામાં આવી છે. માનવ કરતાં દેવની શક્તિ અવશ્ય વિશેષ હાવાનું અનેક સ્થાને જણુાન્યુ છે. સજ્જન માણસ પણ સત્કર્મ કરી દેવયેાનિમાં જઈ શકે છે તેમ તિર્યંચયેાનિના અળદ, કૂતરા વગેરે પણ ટાઢતડકા વગેરેનાં કષ્ટો વેઠીને દેવયેાનિમાં જઈ શકે છે. ફેર માત્ર દેવયેનની ઊંચી-નીચી કક્ષાના જ હોય છે, બાકી શક્તિ વગેરે તે બન્નેમાં પણ અહીંના માનવ કરતાં તે વિશેષ જ હાય તેમ જણાવ્યુ' છે.) [૧૦] પ્ર. તમે બધાં કયાં રહે છે? ઉ. અમારાં શરીર તમારા શરીર કરતાં સૂક્ષ્મ (જાણે કે) હવામય હોય છે, તેથી અમારે કોઈ અમુક જગ્યાએ રહેવાની જરૂર હાતી નથી, પણ અમારા દરેકના પૂર્વ-વલણ પ્રમાણે અમે વૃક્ષ, મંદિરા, તળાવા, કખા, સ્મશાના, દેવળા, કિલ્લાઓ, ગુફાઓ, ટેકરીઓ, કોલસાની ખાણેા વગેરેની આસપાસ ભમીએ છીએ. કેટલીક વાર અમે માનવીના કે પશુના શરીરમાં પણ પ્રવેશીને રહીએ છીએ. કેટલાક ઊંચી કેટિના પ્રેતાત્માએ સ્વર્ગના અને ઉચ્ચ ગ્રહેાના પ્રદેશમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૪૧ રહે છે, (આ હકીકતે પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં જિનાગમમાં જણાવવામાં આવી છે. દેવનિમાં પહેલા બીજા નંબરની જે યોનિઓ છે ત્યાં ઉત્પન્ન થયેલા દેવેમાંના ઘણા દેવે ઉપરોક્ત કબરે, તળાવે, દેવળ વગેરેમાં કઈને કઈ પૂર્વજન્મની મૂચ્છ વગેરેને કારણે રહે છે. અથવા તે એમને આત્મા ત્યાં જ ભમતે રહે છે. આ આત્માઓ પૂર્વજન્મના નેહવાળી કે દુશ્મનાવટવાળી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરીને સુખ કે દુઃખ પણ આપતા હોય છે.) પણ દેવનિમાં ત્રીજા અને ચોથા નંબરની જે દેવનિઓ છે તે ઊંચા પ્રકારની છે અને તે નિમાં જન્મ પામતા આત્માઓ આ રીતે કબરે વગેરેમાં રહેતા નથી કે ભમતા પણ નથી. એમાં પણ જે ત્રીજા નંબરની દેવનિ છે, જેને જતિષ્ક દેવનિ કહેવાય છે તેઓ આપણે જે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાને જોઈએ છીએ, તેમાં–રહે છે. વસ્તુતઃ આપણને દેખાતા સૂર્યચન્દ્રાદિ એ તે તેમાં રહેતાં દેવનાં વિમાને છે, જે સતત આકાશમાં પરિભ્રમણ કરતાં રહે છે. જ્યારે ચેથા પ્રકારના દે–જેમને વૈમાનિક દેવે કહેવાય છે તેઓ તે તે સૂર્યાદિના વિમાનથી પણ ઉપર આવેલા આકાશમાં આવેલાં વિમાનમાં રહે છે. એ વિમાને આ પૃથ્વી ઉપરથી આપણને દેખાઈ શકે તેમ નથી. - જિનાગમની આ સઘળી હકીકતને પ્રેતાત્માએ કહેલી વાતે સાથે સંપૂર્ણ મેળ બેસી જાય છે.* * રચના હિન્દુવાર જોયાહૂણં વિમુ તે મવા બુ. સંગ્ર. ગા. ૨૫ रयणाए पढमजोयणसहसे हिटुवरि सयसयविहूणे । વંતરિયાળ + મોમ ના વિજ્ઞ | ખૂ. સંગ્ર. ગા. ૩૦ समभूतलाओ अदहिं दसूण जोयणसएहिं आरब्भ। કવર સુત્તરોયામિ વિહેંતિ કોલિયા || ખૂ. સંગ્ર ગા. ૪૮ चुलसीलक्खसत्ताणवइसहस्सा विमाण तेवीस । સવ મુઢઢોઈમિ નિદ્રા વિમલ વસુ ખૂ. સંગ્ર. ગા. ૮૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] વિજ્ઞાન અને ધર્મ [૧૧] પ્ર. તમે માનવીના કે પશુના શરીરમાં કેમ અને કચારે રહેવાનુ પસંદ કરે છે ? જેમની દુન્યવી ઉં. જેમને પૃથ્વી તરફ ખેંચાણુ હોય છે. વાસના ખૂબ પ્રબળ હોય છે અને જે આત્મા તે સુષુપ્ત વાસનાઆને શાંત કરવાની ઇચ્છા રાખે છે તેવા પ્રેતાત્માએ જીવતા માનવીના શરીરમાં કે પશુનાં શરીરમાં ઘૂસી જાય છે. માટે ભાગે જેમને તે ભૂતકાળમાં ચાહતા હતા તેમનામાં પ્રવેશ કરવાનું તે પસંદ કરે છે. અથવા કોઈ શરીર આઘાતથી મૂર્છાવશ થઈ ગયું હોય અથવા વિષની અસરથી બેભાન બની ગયું હોય છે, તેમાં તે પેસી જાય છે. જ્યારે મૂર્છાવશ કે બેભાન બનેલેા માનવી ભાનમાં આવતાં જ પહેલાં કરતાં તદ્ન જુદી જ રીતે વર્તતા હાય છે તે તમારે નક્કી માનવું કે કોઈ પ્રેતાત્માએ તેના શરીરના કબજે લીધે છે અને તેમાં રહેતા તેના જીવને તેણે હાંકી કાઢો છે. (આ વાત પણ ભગવાન જિનેશ્વરદેવે સ્પષ્ટ રીતે જણાવેલ છે. સામાન્ય રીતે આ મનુષ્ય લાકની ભયંકર દુર્ગ ધના ૪૦૦-૫૦૦ ચેાજન સુધીના ઉછાળા વગેરે કારણે દેવા આ પૃથ્વી ઉપર આવતા નથી; પરંતુ જન્માન્તરના કોઈ વ્યક્તિ સાથેના સ્નેહાદિના કારણે આ પૃથ્વી ઉપર આવે છે અને કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશાઢિ પણ કરે છે.)+ [૧૨] પ્ર. તમે પ્રેતાત્માએ માનવીને મદદ કરવાની, સજા કરવાની અથવા તેમને હેરાન કરવાની શક્તિ ધરાવેા છે ? + : पंचसु जिणकल्लाणेसु चैव महरिसी तषाणुभावाओ । जम्म तरनेहेण य आगच्छति सुरा इहय ॥ दिव्यपेमा विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणही मणुथकज्जा नरभवमसुह न इंति सुरा ॥ चत्तारिजोयणसयाई गंधो अ मणुअलोगस्स । उड्ढ वच्चइ जेण न उ देवा तेण आवति ॥ પૃ. સ. ગા. ૧૯૦ છું. સ’. ગા. ૧૯૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૪૩ ઉ. હા, માનવજાતિની શક્યતાઓ પર શાસન ચલાવતા કર્મના કાયદાઓ અમારા પ્રેતજગતને લાગુ પડે છે. ફરક માત્ર એટલે છે કે અમારાં શરીર સૂક્ષમ હવામય હોય છે એટલે અમે શરીરધારી પ્રાણીએનું ભલું કે બૂરું કરવામાં વધારે સ્વતંત્રતા અનુભવીએ છીએ. વળી અમે તે કામ બહુ ઝડપથી અને સુગમતાથી કરી શકીએ છીએ. (આ વાત પણ જિનાગમને અનુસરે છે. જિનાગમમાં જેને દેવ કહેવામાં આવે છે. તે પણ અંતે તે દેવદુનિયાને એક સંસારી આત્મા જ છે. એને પણ મૃત્યુ છે, કર્મની પરાધીનતા છે, તે ક્રોધાદિથી ગ્રસ્ત છે. વિષયવાસનાને એ પણ ગુલામ છે. બેશક માનવ કરતાં આ દેવ વધુ શક્તિશાળી આત્મા ખરે પરંતુ એનો આત્મા એ પરમાત્મા તે નથી જ. અને તેથી જ એ સદૈવ સ્મરણય કે ઉપાસ્ય નથી જ. એનામાં વિશિષ્ટ શક્તિ હોવાને કારણે એ દેવ ધારે તે હજારે માનવીઓને એક સાથે ચપટીમાં રોળી નાખે, એ ધારે તે એક ભિખારીને એક ક્ષણમાં અબજોપતિ બનાવી શકે, એ ધારે તે આંખના એક જ પલકારામાં ૨૦૦ માળની તેતિંગ ઈમારત ઊભી કરી શકે, પણ ગમે તેમ તે ય આ શક્તિને આત્માના વિકાસ સાથે વિશિષ્ટ સંબંધ નથી, માટે જ માનવોના અધિપતિ બનવાની શક્તિવાળે એ આત્મા હોવાથી દેવ ભલે કહેવાય પરંતુ જિનાગમમાં જેને પરમાત્મા કહેવાય છે તે દેવાધિદેવ તે ન જ કહેવાય. તે કરોડ દેવે એ પરમાત્મા દેવાધિદેવના દાસનાં પણ ચરણે ચૂમતા રહે છે. આ તમામ હકીક્ત જિનાગમમાં છે, આ જ વાતને અણસારે અહીં પ્રેતાત્મા પિતે કરે છે.) [૧૩] પ્ર. તમે પૃથ્વી પરના માનવીઓને ભૌતિક પદાર્થો વડે મદદ કરી શકે ખરા? ઉ. અમે પ્રેતાત્માઓ ભૌતિક પદાર્થોનું સર્જન કરી શકતા નથી, તેમજ તેવા પદાર્થો અમારી માલિકીના હતા પણ નથી. તેથી જ્યારે પૃથ્વીના માનવીઓને ભૌતિક પદાર્થો વડે મદદ કરવાની વાત આવે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] વિજ્ઞાન અને ધર્મ છે ત્યારે નીચલી કેટિના પ્રેતાત્માઓ તે પદાર્થો કેઈની દુકાનમાંથી કે મકાનમાંથી ઉપાડી લાવતા હોય છે. હું એવા કેટલાક તોફાની પ્રેતાત્માઓને ઓળખું છું કે જેમાં કેટલાક સમૃદ્ધિશાળી, કપટી, શ્રીમંતની તિજોરીમાંથી દ્રવ્ય ઉપાડી લાવી દક્ષિણના એક જાણીતા હરિજનને પૈસાના ઢગલે ઢગલા આપ્યા કરે છે. એ વ્યક્તિ ચમત્કારપ્રિય માનવસમુદાયને ઈશ્વર અને અવતારોના નામે આકષીને ભરમાવે છે. જોકે એટલું તે કહેવું જ પડશે કે ધર્મ અને ભગવાનમાં નહિ માનનારા એવા કેટલાક આ પ્રેતાત્મક્રિયાને યોગશક્તિ માનીને ધર્મ તરફ આકર્ષાયેલા છે. (શ્રીજિનાગમની જ આ વાત છે. પ્રેતાત્માએ આપેલા આ ઉત્તરમાંથી બે વાત નિષ્પન્ન થાય છે. પહેલી વાત તે એ કે જિનાગમમાં જણાવ્યું છે કે દેવલેકમાં જે વૈકિય પરમાણુમાંથી સ્વાભાવિક કોઈ વસ્તુનું નિર્માણ થાય છે એમ જે કઈ દેવ એ ક્રિય પર માણુમાંથી કઈ વસ્તુ બનાવે છે તે વધુમાં વધુ ૧૫ દિવસ ટકી શકે પછી તે વસ્તુનું વિઘટન થઈ જાય અને ફરી તે પરમાણુના રૂપમાં વેરાઈ જાય. એટલે એ વાત તદ્દન સાચી છે કે જ્યારે મન્ચેલેકના કઈ માનવીને ભૌતિક પદાર્થથી મદદ કરવાની વાત આવે ત્યારે વૈયિ પરમાણુમાંથી તે વસ્તુ બનાવીને તેને મદદ કરી શકાય નહિ એટલે એવી વસ્તુ મત્યેકમાં જ્યાં બીજે ક્યાં ય પડી હોય ત્યાંથી ઉપાડી લાવીને તે માનવને આપવી જ રહી.) વળી આ વાતને સજ્જડ પુરા પણ જિનાગમમાં મળે છે. જ્યારે જ્યારે ભગવાન જિનને આત્મા ગૃહસ્થ ધર્મ છોડીને સાધુધર્મને સ્વીકાર કરે છે ત્યારે તે સાધુધર્મને સ્વીકાર કરવા પૂવે એક વર્ષ સુધી હંમેશ અઢળક સંપત્તિનું દાન કરે છે. બધું મળીને એ દાન ૩૮૮ કરોડ અને ૮૦ લાખનું થાય છે. આ બધું દ્રવ્ય દેવે જ લઈ આવતા હોય છે. જેને કોઈ માલિક ન હોય તેવું જમીન વગેરેમાં જ્યાં જ્યાં ય પણ દટાયેલું દ્રવ્ય હોય તે જ લાવી લાવીને ભગવાન જિનના આત્માના ઘરમાં નાંખે છે. આ વાતને બિલકુલ મળતી આવે Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૪૫ છે પ્રેતાત્માની વાત.* બીજી વાત એ છે કે આજે દુનિયામાં ચમત્કારને નમી જનારા અને ત્યાં ઈશ્વરીય સાક્ષાત્કાર માનનારાઓને તોટો નથી. આ પ્રેતાત્મા અહીં તદ્દન સાચું કહે છે કે, “આવા ચમત્કારે અમારા દેવેની જાતિ જ કરે છે અને તેથી જ લોકે અંજાઈ જાય છે. શ્રી જિનાગમમાં તે પૂર્વે કહ્યા મુજબ દેવ પણ અંતે તે સામાન્યતઃ વિષય-વાસનાદિને ગુલામ આત્મા છે; સાવ સંસારી જીવ છે. એના પ્રત્યક્ષ થવાથી એને જ પરમાત્માને સાક્ષાત્કાર માની લેવાની જીવલેણ ભૂલ જૈનેતર લેકે જ કરી શકે. જિનાગોમાં તે પૂર્વે કહ્યા મુજબ દેવ પણ અંતે તે તમામ વાસનાથી સર્વથા મુક્ત હોઈને જેઓ નિરંજન છે; જેઓ શરીર વિનાના હેવાથી નિરાકાર છે અને જેઓ સચ્ચિદાનંદમય છે તે જ પરમાત્મા છે. તેઓ કદાપિ આ લેકના કેઈ પણ આત્માને પ્રત્યક્ષ દર્શન આપવા માટે સિદ્ધિગતિમાંથી અહીં આવતા જ નથી. તેઓ ત્યાં રહીને પણ કેઈને કશે ચમત્કાર બતાવતા નથી. પરમાત્મા તે રાગી નથી, રેષ કરનારા પણ નથી. માટે તેઓ ભક્તને કે શત્રુને x जप्पभिइ च णं समणे भगवं महाबीरे तंसि नायकुल सि साहरिए तप्पभिई च णं बहवे वेसमणकुंडधारिणो तिरियजभगा देवा सक्कवयणेणं से जाइं इमाइं, पुरापोराणाई महानिहाणाई भवंति, तंजहाપરીણામગાવું, પહલે ાઉં, પણoryત્તirફ, છિન્નતામિમારું, उच्छिन्नसेउआइं, उच्छिन्नगुत्तागाराइं, गामागरनगरखेडकब्बडमडंबदोणमुहपट्टणासमसंवाहसन्निवेसेसु सिंघाडएसु वा, तिएसुवा, चउफ्केसु वा, चच्चरेसु वा, चउम्मुहेसु वा, महापहेसु. वा, गामट्टणेसु वा, नगरदठाणेसु वा, गामणिद्धमणेसु वा, नगरनिद्धामणेसु वा, आवणेसु वा, देवकुलेसु वा, सभासु वा, पवासु वा, आरामेसु वा, उज्जाणेसु वा, वणेसु वा, वणसंडेसु वा, सुसाणसुन्नागारगिरिकंदरसंतिसेलोवठ्ठाणभवणगिहेसु वा, सन्निविखत्तई चिट्ठति ताई सिद्धत्थरायभवणंसि સાહતિ બારસા સૂત્ર-૮૮ વિ. ધ. ૧૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪] વિજ્ઞાન અને ધર્મ કાંઈ જ કરતા નથી. કરવાનું તે તેમને કશું નથી. માત્ર આપણે જ એ વિશુદ્ધાત્માનું ધ્યાન ધરીને એ ધ્યાનાગ્નિમાં કર્યાં અને વાસનાએનાં ઇંધનેાને ભમસાત્ કરવાનાં છે. આવું કરવામાં નિમિત્તભૂત તે પરમાત્મા બન્યા, તેમણે જ આમ કરવાનું તેમની આ લાકસ્થ સદેહાવસ્થામાં આપણને ખબતાડ્યું માટે તેએ આપણા નિઃસીમ ઉપકારી બન્યા. સદૈવ સ્મરણીય અને સદૈવ ઉપાસ્ય બન્યા. આ પ્રેતાત્માએ ચમકારાના નામે ફેલાતાં ધતિંગોની સામે મહુ જ સચાટ ક્રિયા આપીને જિનધર્મની વાતેાના પરિપૂર્ણ સત્યને નમ સ્કાર જ આપ્યા છે એમ કહીએ તેા જરા પણ ખોટું નહિ ગણાય. [૧૪] પ્ર. સ્થૂલ ઇન્દ્રિયાના અભાવે પ્રેતાત્માએ ભૌતિક પદાર્થોની હેરફેર કેવી રીતે કરી શકે છે? ઉ. અમારી પ્રેતાત્માએની પાસે માનવીએ બનાવેલી ભૌતિક વસ્તુએના પરમાણુઓનું વિઘટન કરવાની શક્તિ હેાય છે. આવી રીતે તે વસ્તુને ચારી લાવતા પ્રેતાત્માઓ તે પ્રક્રિયા અખત્યાર કરતા હાય છે. અને જ્યાં તે વસ્તુએ લઈ જવાની હોય છે, ત્યાં તેઓ તે વસ્તુઓના પરમાણુઓનું કરી સંગઠન કરે છે. અર્થાત્ એ અણુપરમાણુઓને એકઠા કરીને ફરી તે વસ્તુએનું નિર્માણ કરે છે. [૧૫] પ્ર. તમે તે વસ્તુના પરમાણુઓનું વિઘટન કેવી રીતે કરે ? એ પદ્ધતિના ચાક્કસ ખ્યાલ આપશે? ઉ. મિત્ર, ના, ગૂઢવસ્તુ જાણવાની તમારી ઇચ્છાને હું વખાણું છું પણ ચૈતન્ય શક્તિની કાર્યપદ્ધતિની વિગતા જાણવા માટે હજી તમે પરિપક્વ થયા નથી, અને મહેરબાની કરીને તે પદ્ધતિના દાનિક પ્રયોગ કરવાનું દબાણુ ન કરશો. કારણ કે તેથી મારી આધ્યાત્મિક શક્તિના વિના કારણુ દુર્વ્યય થશે. [૧૬] પ્ર. અનિષ્ટકારી પ્રેતાત્માએ ગમે તેને નુકસાન પહોંચાડી શકે ખરા? ઉ. ના, અમારી પ્રેતાત્મા-સૃષ્ટિમાં તમે જેને સંરક્ષણસમિતિ કહી છે. એવી સંસ્થા હાય છે. બળવાન સત્ત્વા એનાં સભ્ય હાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૪૭ એમની એક ફરજ હાય છે કે કાર્ય પણ માણુસને અયેાગ્ય ઈજા ન થાય તે તેમણે જેવું (!!!) એમાં એક અપવાદ પણ હાય છે અને તે એ કે ભૂતકાળની કોઈ દ્વેષીલી સંબંધગ્રન્થિઓ હોય અને તેને લઈને વ્યક્તિ તરફ તે પ્રેતાત્મા દ્વેષયુક્ત વર્તાવ કરે. તમારી માનવસૃષ્ટિમાં હેાય છે તેવું જ અમારી ખાખતમાં પણ છે. આવા દ્વેષયુક્ત વર્તાવ તેઓ માનવીએ કે ખીજા પ્રાણીઓ સાથે પણ કરે છે. * [૧૭] શકે ખરા? પ્ર. તમે પ્રેતાત્માએ અલૌકિક ઘટનાઓનું નિર્માણ કરી પ્રસંગે અન્યા છે. હું કેટલાક ઉ. હા જરૂર. એવા તે ઘણા પ્રસંગ અહીં રજૂ કરીશ. (૧) એક માણસ ખૂબ ગરીબ હતા. તે બે દિવસથી અન્ન વગર ભૂખ્યા ટળવળતા હતા. એમને તેની જાણુ થઈ. મારા સાથીદારે દેવીના ચરણકમલમાં પડેલી કેટલીક રૂપિયાની નોટે ઉડાડીને પેલા ભૂખે મરતા ભૂખ્યા ભક્તના હાથમાં પડે તેમ કર્યું, આ જોઈને બધાનાં નેત્ર આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં, પણ અમારા માટે તે આ એક સામાન્ય ઘટના જ હતી. (૨) ખીજા એક પ્રસંગે સુપ્રસિદ્ધ શ્રીનાથજીના વૈષ્ણવ મંદિરમાં ખીજા એક પ્રેતાત્માએ અમુક સમય સુધી અદૃશ્ય રહીને ઘંટ વગાડયા કર્યાં. થોડીવાર પછી શંખાના નિનાદ સંભળાવા લાગ્યા. કઈ માનવીની મદદ સિવાય નગારાં પશુ વાગવા લાગ્યાં. બધા લોકો તેને બ્યિ ચમત્કાર માનવા લાગ્યા. (૩) એક વખત એક સ્ત્રી પ્રેતાત્માએ એક મંદિરના ગર્ભાગારમાં અદૃશ્ય રહીને ત્યાં ઉપસ્થિત થયેલા લોકો આગળ ઘાષણા કરી કે, * આ બાબતની સાક્ષીરૂપ તા જિનાગમાની ચરિત્રકથાઓમાં અઢળક પ્રસંગા આવે છે. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમડ નામના દેવના ૨ જાય તેા તેમાં અતિપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરદેવ ઉપર સંગમકદેવના નિષ્ફળ મુકાબલો વર્ષાવ દેશનામાં સાંભળવા મળે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] વિજ્ઞાન અને ધર્મ “જે તમે બધા સાંજથી સવાર સુધી મંદિરની પ્રદક્ષિણા નહિ કરે તે પ્રભુને કેપ તમારી ઉપર ઊતરશે.” બધાએ તેને દેવવાણી માનીને સાંજથી સવાર સુધી મંદિરની પરિકમ્મા કરી. (આ અને ઉપર વર્ણવેલી ઘટનાઓ ઉપર તમે જોઈ શકશે કે તમારી માનવીની માન્યતાઓ કેટલી બેટી છે અને તમારું અજ્ઞાન કેટલું ગજબનાક છે. તમે બધા તે ઘટનાઓમાં ઈશ્વરી શક્તિના ચમત્યારે જુઓ છો તે તદ્દન ભૂલ ભરેલું છે,) ભારતીય દર્શનમાં જૈન દર્શન સિવાયના બીજા બધા પ્રચલિત ધર્મોને અનુયાયી વર્ગ આ પ્રેતાત્માએ કહ્યું તેવી ભ્રાન્તિમાં આબાદ અટવાઈ ચૂકેલ જોવા મળે છે. જ્યાં ક્યાં ય કોઈ ચમત્કાર જોવા મળે છે ત્યાં તેને ઈશ્વરદત્ત ચમત્કાર તરીકે જ સ્વીકાર લઈને સ્થાનને કે એ વ્યક્તિને ખૂબ જ વધુ પડતે મહિમા વધારી મૂકતા હોય છે. પ્રેતાત્માઓની કુતૂહલભરી તેફાની વૃત્તિમાંથી જ આવી પ્રવૃત્તિઓનું સર્જન થાય છે એ વાતની ગંભીરપણે જે કોઈએ નોંધ લીધી હોય તે માત્ર જૈનદર્શને જ લીધી છે. જેન જગતના કઈ અનુયાયીને આ ચમત્કાર થાય કે જેવા મળે તે પણ તે તેને ઈશ્વરદત્ત કહેવા તે કદી તૈયાર ન થાય પરંતુ દૈવી ચમત્કાર જ કહે. કેમકે એના અંતરમાં ઈશ્વર (પરમાત્મા) અને દેવ (પ્રેત વગેરે) વચ્ચેની મેટી ભેદરેખા બરાબર ઉપસી આવેલી હોય છે.) [૧૮] પ્ર. તમે તમારી અત્યારની અવસ્થાને માનવ-જીવન કરતાં ચડિયાતી માને છે? ઉ. તમને–પૃથ્વી પરના માનવને – પ્રેતાત્મા સૃષ્ટિનું સાચું જ્ઞાન નથી માટે તમે બધા અમને હીન ગણે છે અને અમારાથી ડરે છે...પણ તમને ખબર નથી કે કુદરતી ઉત્ક્રાંતિના વિકાસના ક્રમમાં દરેક જીવને પ્રેતાત્માની સૃષ્ટિની અનુભૂતિમાં પસાર થવું પડે છે. આ વિષયમાં મારું એમ માનવું છે કે જેમ સેનાને અલંકારસ્વરૂપ આપવા પહેલાં વિવિધ કિયાઓથી પસાર થવું પડે છે, તે જ રીતે આધ્યાત્મિક Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૪૯ પરમપદને પામતા પહેલાં દરેક જીવને વિવિધ અનુભૂતિઓમાંથી પસાર થવું પડે છે. (આ વિધાન પણ લગભગ જિનાગમનું જ વિધાન છે. જિના ગમેમાં બહુ સાફ શબ્દમાં એ વાત કરવામાં આવી છે કે દરેક આત્માને દેવ વગેરે તમામ નિમાં અગણિત વખત ઉત્પન્ન થવું પડે છે, કૂતરાં-બિલાડા વગેરેના જીવનમાં પણ જે કાંઈ મારપીટ દ્વારા ટાઢ-તડકા વેઠવા વગેરે દ્વારા સહન કરાય છે તેનાથી અમુક પ્રકારનું શુભ કર્મ તે બાધે છે. એ શુભ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ આત્મા કૂતરા વગેરેનું ળિયું છેડી દઈને દેવાનિમાં ચાલ્યા જાય છે, આમ અનિચ્છાએ પણ જ્યાં ને ત્યાં ખૂબ સહવા દ્વારા દેવનિ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આવું અગણિત વાર બન્યા પછી ક્યારેક ક્યારેક ખૂબ દુર્લભ માનવજીવન પણ પ્રાપ્ત થતું રહે છે ખરું. એમાં એને ક્યારેક સત્સંગ થાય છે અને પછી તેને સાચી સૂઝ પ્રાપ્ત થાય છે. એથી તે સ્વેચ્છાએ ત્યાગ, તપ વગેરે કરીને સહન કરે છે. દાન, શીલ વગેરે ધર્મોને પાળે છે. એટલું જ નહિ પણ સ્વેચ્છાએ જ વિનાશી જગતની વિનાશી મહોબ્બતને ત્યાગ કરીને સંન્યાસ લે છે. સર્વજીને પિતાના તરફથી અભય આપે છે. આવી બધી ઉત્તમ સ્વૈચ્છિક પ્રવૃત્તિથી અશુભ કર્મને નાશ થાય છે, પણ શુભ કર્મને ઠેર ઠેર એ આત્મા ઉપર ખડકાઈ જાય છે. જ્યાં સુધી આવાં શુભ કર્મને પણ નાશ ન થાય ત્યાં સુધી એ આત્મા સંસારમાંથી છૂટીને મેક્ષપદ પામી શકે નહિ. એટલે જ આવાં શુભ કર્મોને ભેગવવાં તે પડે જ. તે માટે ઊંચામાં ઊંચા પ્રકારનું ઐશ્વર્ય હોવું જોઈએ. એવું આશ્વર્ય દેવેનિનાં ત્રીજા અને ચોથા પ્રકારના જતિષ્ક–વૈમાનિક નામના લેકમાં જ સાંપડે છે. એટલે એક્ષપદ પામવા આગળ વધેલા, દૈવી સુખને એશ્વર્યની ઈચ્છા વિનાના આત્માઓને પણ એ દૈવી સુખને ભગવટો કરવા ત્યાં ફરજિયાત જવું પડે છે. ત્યાં અનાસક્ત ભાવે એ ઐશ્વર્ય જોગવીને શુભકર્મને પણ નાશ કરે છે અને પછી માનવ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] વિજ્ઞાન અને ધર્મ ચેનિમાં જન્મ લઈને મેાક્ષમાં ચાલ્યા જાય છે. એટલે આ પ્રેતાત્માએ કહ્યું કે, ઉત્ક્રાંતિના વિકાસના ક્રમમાં દરેક જીવને પ્રેતાત્મા સૃષ્ટિની અનુભૂતિમાંથી પસાર થવું જ પડે એ વાત તદ્ન સાચી છે. વળી તેણે એમ કહ્યું કે, તમે માનવા અમને પ્રેતાત્માને હીન કક્ષાના ગણા છે તે બરાબર નથી. આ વાત પણ એક અપેક્ષાએ સાચી છે; કેમકે માનવ કરતાં પ્રેતની શક્તિ વગેરે વિશેષ હોય છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે માનવના સંકલ્પમળ આગળ, માનવ જે આધ્યાત્મિક વિકાસ સાધી શકે એની તુલનામાં દેવાત્મા બેશક હીન જ છે, અને તેથી જ દેવાત્મા આધ્યાત્મિક વિકાસની ટોચે પહોંચેલા સંતેાના તેા ચરણા જ ચૂમે છે.) [૧૯] પ્ર. તમે મારા વિચારો વાંચી શકે ખરા? સુધી એ જ કરતા રહ્યો છું. ઉ. જરૂર જરૂર. હું અત્યાર જેને તમે મારી પાસેથી ગવડાવવા માગે છે। એવા એક કાવ્યના વિચાર અત્યારે તમારા મનમાં છે. તમે તમારા મનમાં ને મનમાં ગાએ પછી હું ગાઈ બતાવીશ. ( આ વાત પણ જિનાગમમાં જણાવવામાં આવી છે. દરેક દેવને ઓછા કે વધતા પ્રમાણમાં પોતપોતાની શક્તિ મુજબ રૂપી દ્રવ્યનું ત્યાં બેઠાં બેઠાં જ પ્રત્યક્ષ થતું હાય છે. કોઇને ૨૫ માઈલની અંદરની તમામ વસ્તુનું તે કાર્યને વધી વધીને હજારો, લાખા અને અગણિત માઈલામાં આવેલી તમામ વસ્તુ આત્માના ચક્ષુથી દેખાય છે. આવું વિરાટ દર્શીન, દેહને મળેલી આંખોથી થઈ શકતું નથી. આમાં કેટલાક દેવાને એવી વિશિષ્ટ શક્તિ મળે તે તે માનવના મનના ભાવેાને પણ સ્થૂલ રીતે જોઈ શકે અને તે ઉપરથી અનુમાન કરે છે કે આ માણસે આવા વિચાર કર્યાં હાવા જોઈએ. જૈનાગમાની પરિભાષામાં મનના વિચારોને વિશિષ્ટ રીતે જાણવાના જે જ્ઞાનને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે તે દેવાને હોતું નથી. આજની ‘ટેલિપથી”ની પદ્ધતિથી થતું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન કહી શકાય નહિ. [૨૦] પ્ર. તમારી ઇચ્છા મુજબ ગમે તે વ્યક્તિની સમક્ષ તમે Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૫૧ પ્રગટ થઈ શકે ખરા? ઉ. હા, અમારામાંના જે પ્રેતાત્માઓને માનવપ્રાણીઓ માટે સાહજિક પ્રેમ છે, તે સારા સંસ્કાર અને સારા સ્વભાવવાળી વ્યક્તિઓની સબત પસંદ કરે છે. જે અમારાથી ભય પામે છે અને જેમના જીવનમાં ઉચ્ચ મૂલ્ય માટે અભિરુચિ નથી તેમના ઉપર મોટે ભાગે અમે અમારી જાતને લાદતા નથી. અમારામાં કેટલાક પ્રેતાત્માઓ એવા પણ છે કે જેમને બીજા પ્રાણીઓ માટે કુદરતી અણગમો હોય છે. કેટલાક પ્રેતાત્મા માત્ર વનસ્પતિ અથવા પશુએની પેઠે અસ્તિત્વ જ ધારણ કરે છે, તેમને કશામાં રસ હોતે નથી. તુરછ કેટિના પ્રેતાત્માઓને જ તેફાન કરવું બહુ ગમે છે. તે પ્રેતાત્માઓ મનુષ્યોને તથા બીજા પ્રાણીઓને સતાવવામાં જ આનંદ સમજે છે. આ ઉપરથી તમને સમજાશે કે પાર્થિવ ભૂમિકા ઉપર મનુષ્ય જેમ ભિન્ન ભિન્ન પ્રકારના અને સ્વભાવના હોય છે તેવું જ અદશ્ય જગતમાં પણું હોય છે. (આપણે પૂર્વે જ જોયું કે દેવનિમાં પણ ચાર પ્રકાર છે. આમાંના જે પહેલા બે પ્રકાર છે કે તેમનાં નામ ભવનપતિ અને વ્યન્તર છે. તે બે પ્રકારના દેવાને અનુલક્ષીને જ આ પ્રેતાત્માએ અહી બધી વાત કરી છે. જિનાગમની દષ્ટિએ આ બે સ્થાનના દેવે ઘણું કરીને કુતૂહલપ્રિય હોય છે. પાંચ ગતિમાં જે નારકનામની ગતિ છે કે જ્યાં અસત્કર્મો કરવાથી આત્માને જવું પડે છે અને ખૂબ વેઠવું પડે છે, એ નારકગતિમાં પણ ભવનપતિ દેવનિના કેટલાક દેવે જાય છે અને ત્યાં જઈને ત્યાં આવેલા પાપી આત્માઓને ભયંકર ત્રાસ આપે છે. એ વખતે એ આત્માઓ જે ચીસાચીસ કરે છે તે જોઈને પેલા કુતૂહલપ્રિય દેને ખૂબ આનંદ આનંદ થઈ જાય છે! કેવી વાત! પથ્થરમાર કરીને આનંદ! અને પથ્થરને માર ખાતા દેડકાને તે મરણતોલ ત્રાસ! જિનાગમની આ વાતને અનુલક્ષીને જ પ્રેતામાએ આ હલકી કક્ષાના દેવેની રંજાડપ્રિયતાનું સૂચન કર્યું હશે. માત્ર નારનિમાં જ નહિ, માનવ અને પશુનિના જાને રંજાડવાનું પણ એવા કેટલાક હલકા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨] વિજ્ઞાન અને ધર્મ પ્રેતાત્માઓને ખૂબ ગમતું હોય છે. વળી આ પ્રેતાત્માએ જે કહ્યું કે, કેટલાક પ્રેતાત્મા વનસ્પતિ અથવા પશુઓની પેઠે અસ્તિત્વ જ ધારણ કરતા હોય છે. એ વાત પણ તદ્દન સાચી છે. જિનાગમમાં તે આ વિધાન પણ સ્પષ્ટ શબ્દોમાં કર્યું છે. એટલું જ નહિ પણ એવી કેટલીક ચરિત્રકથાએમાં પણ પ્રેતાત્માની હલકી અવસ્થાનું સ્પષ્ટ બયાન કરેલું જેવા મળે છે. પ્રેતાત્માઓ ઐશ્વર્યસમૃદ્ધ દશામાં જવા છતાં કેટલાંક વિષમ પાપકર્મોના કારણે ત્યાં ગયા પછી પણ કેટલાકને સુખ અને શાન્તિ મળતાં નથી. તેમને આત્મા આપણે દુનિયાના કેઈ સ્થાનને કે કઈ ગટરના સ્વામી તરીકેનાં જીવન જીવવાનું પણ આ દેને લલાટે સંકળાયેલાં સાંભળવા મળે છે. આવા દે માત્ર પિતાનું દેવ તરીકેનું અસ્તિત્વ ટકાવવા સિવાય બીજું શું વધુ કરે છે? જેવું આ મર્ચેલેકમાં છે નાના-મોટાપણું, તેવું જ એ દેવેની દુનિયામાં છે. ત્યાં પણ તે દેવના ય નાયકે હોય છે, જેમની આજ્ઞામાં તે સેવક–દેવને રહેવું પડે છે. અરે! ઓ લેકની જેમ ત્યાં પણ ઝાડુ મારનારા દે પણ હોય છે. અને છેલ ખભામાં નાખીને ફરતા દેવે પણ હોય છે! માટે જ જિનાગમમાં એવા દેવેની દુનિયામાં વસવાટ કરવાની કામના રાખવાને નિષેધ કર્યો છે. જીવન તે માત્ર માનવાનું શ્રેષ્ઠ છે, જ્યાં અધ્યાત્મની ટોચ-સીમાને પામી શકાય છે. [૨૧] પ્ર. પ્રેતાત્માઓના આહ્વાન, મિજલસો, પ્રેતાત્માએના ટકરાને અવાજે, પ્રેતાત્માઓના સંદેશા, પ્લેન્ચેટ પૂંઠા ઉપર માણસની આંગળીઓ અમુક શબ્દ પર પ્રેતાત્માએ ખસેડે છે તે ક્રિયા, પ્રેતાત્માઓની દોડધામ, હેરફેર, પ્રેતાત્માઓનાં બૂમરાણે અને ગતિસૂચક બરાડા–આ બધા વિષે તમારે શે અભિપ્રાય છે? ઉ.-એ બધું તે રદ્દી વર્ગને ભૂવાના ખેલની કરામત માત્ર છે. સમાજના અમુક વર્ગને મનરંજન આપવાને તેમને શોખ હોય છે. તેમાંના મોટા ભાગના લેકે તે આવી કરામત અને યુક્તિઓ ઉપર Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૫૩ પ્રભુત્વ મેળવી પોતાનામાં મહાન આધ્યાત્મિક શક્તિ છે એમ કેને મનાવવાની ઈચ્છા હોય છે. તેમને ઈરાદે માત્ર ભેળા અને છેતરી શકાય તેવા લેકેને બનાવવાને જ હોય છે. (આ વિચાર ખૂબ ગંભીર છે. અવસરે આપણે “પ્લેન્ચેટ’ વગેરેથી પ્રેતેની પાસેથી ઉત્તરો મેળવવા સંબંધમાં વિસ્તારથી વિચારણા કરવી છે. આ આધુનિક તરકીબ છે એટલે એને નામ સાથે જિનાગમમાં નિર્દેશ ન મળે એ સ્વાભાવિક છે. પરંતુ જિનાગમના-સિદ્ધાન્ત આ વિષેની સત્યાસત્યતા માટે શું કહી શકે તે આપણે જરૂર વિચારી શકીએ. અહીં એ વાતને ખ્યાલ રાખવો કે આ પ્રેતાત્માઓએ પ્લેન્ચેટ વગેરે બધી બાબતમાં ભૂવા વગેરેની યુક્તિઓ અને છળપ્રપંચની વાત કરી, તથા એ રીતે દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવાનું કહ્યું તે બધું ઘણે અંશે તે બરાબર જ છે; કેમકે આજે આવા ઘણું પ્રપંચે દુનિયામાં ચાલી રહ્યા છે, પરંતુ પ્રેતામાત્માનું આ સંપૂર્ણ સત્ય છે એમ નહિ કહેવાય. કેમકે જેમ ભમતા ભૂવાઓને કુતૂહલ કરવાની અને પ્રભુત્વ જમાવવાની વૃત્તિ હોય છે, તેમ કેટલાક હલકી કોટિના પ્રેતાત્માઓને પણ આવી વૃત્તિ હોય જ છે. એ સિવાય જેમને આ જગતના કેટલાક સંબધમાં હજી આસક્તિ રહી ગઈ હોય તેવા પ્રેતાત્માઓ પણ આ દુનિયામાં આકર્ષાય છે. આમ કેટલીક વાર એવું પણ બની જાય છે કે જે ઘણું અસત્યેની વચ્ચે સત્ય સ્વરૂપે દેખા દઈ દે છે. હવે અહીં સહજ રીતે એક પ્રશ્ન ઊઠશે કે તે શું પ્લેન્ચેટ વગેરેમાં પ્રેતાત્માઓ પ્રવેશ કરે છે? આનું સમાધાન એ છે કે હા, જરૂર. કેટલીક વાર પ્રેતાત્માઓ પ્રવેશ કરીને જ મનુષ્ય દ્વારા જવાબ આપે છે. આ વિષયમાં જેન દાર્શનિકનું એવું મંતવ્ય છે કે કેટલાક કુતૂહલપ્રિય પ્રેતાત્માઓ, કે જેમને આત્મા આ પૃથ્વી ઉપર જ્યાં ત્યાં ભમતે જ રહે છે, તેઓ જ્યારે આવી કઈ પ્લેન્ચેટ વગેરેની ક્રિયા થતી હોય ત્યારે ત્યાં આવી જાય છે. જે તેને તોફાન જ કરવું Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] વિજ્ઞાન અને ધર્મ હોય તે ગમે તેવા ઊંધાચત્તા જવાબ આપે છે, અને કદાચ તેમ ન કરવું હોય તે પણ પિતાના પરિમિત જ્ઞાન મુજબ તે જવાબ આપે છે, અથવા ત્યાં ન આવતાં બારેબાર ચાલી પણ જાય છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી લેન્ચેટ વગેરેથી મળતા પ્રેતાત્માના પણ જવાબે સે ટકા સાચા જ હોય તેવું કદાપિ માની લેવું જોઈએ નહીં. અને એથી જ એવી પ્રક્રિયાઓમાં ડાહ્યા માણસે વિશ્વાસ મૂકે જોઈએ નહિ. કેટલીક વાર એવું પણ બને છે કે એ સ્થાને ભમતે એક પ્રેતાત્મા એવા કેઈ ખેતવાહક યંત્ર નજદીક કુતૂહલથી આવી જાય અને પછી તેને જે ખબર પડે કે આ લોકોને અમુક પ્રેતવ્યક્તિની જરૂર છે તે, જે તેની શક્તિ પહોંચતી હોય તે તે પ્રેતવ્યક્તિને ક્ષણમાં જઈને સઘળી હકીકત જણાવીને ત્યાં લાવે અને પછી તેના દ્વારા બધા જવાબ અપાય. જ્યારે આ રીતે કઈ ભૂતપૂર્વસ્વજનને પ્રેતાત્મા જ ત્યાં આવે ત્યારે તેના તરફથી સાચા ઉત્તર મળવાની શક્યતા ખરી. ટૂંકમાં એટલું જ કહેવાનું કે સેન્ચેટ વગેરે ક્રિયાઓ સર્વથા સત્ય નથી તેમ સર્વથા અસત્ય પણ નથી. કિન્તુ બહુધા એક પ્રકારનું મનરંજન છે અને બહુ થોડા અંશમાં પ્રેતેના આગમનથી મળતાં વિધાનમાં સત્ય પણ છે. આગળ ઉપર એ આંશિક સત્યને સિદ્ધ કરતી વાતે આપણે વિચારશું ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થઈ જશે. [૨૨] પ્ર. તમે કઈ દિવસ તમારાં ભૂતકાળનાં સગાંવહાલાંને મળે છે? ઉ. મને તેમને મળવાની ઈચ્છા થતી નથી. જે પૈસા કમાવા ખાતર ગમે તેટલાં હીન કૃત્ય કરવા જેટલા હલકટ બની શકે તેવાએની સોબત કરવાનું ગ્ય નથી. વળી મારા જીવતાં, છોકરાં હવે સુધરી જાય તેવી શક્યતા નથી. છતાં હું મારા ત્રીજા પૂર્વજન્મના ફ્રેન્ચ છેકરા સાથે માનસિક સંપર્ક સાધું છું. તે અત્યારે મન્સમાં પેરેસ ગિરેકમાં રહે છે. હવે તે વૃદ્ધ થયું છે, તેને અરવિંદના તત્વજ્ઞાનમાં ઊંડો રસ છે. (આ વાત તદ્દન સાચી છે. દેવાત્મામાં ગરીબ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૫૫ માનવને શ્રીમંત કરી દેવાની તાકાત હોવા છતાં તે કઈ માનવ કેઈ દેવાત્માને જન્માંતરને સ્વજન હોવા છતાં જ્યાં સુધી તે માનવનું તેવું શુભ કર્મ જાગૃત નથી થતું ત્યાં સુધી તે દેવાત્માને તેને મદદ કરવાની ઈચ્છા જ ન થાય. દરેક વસ્તુ અંતે તે પિતપોતાના કર્મ ઉપર જ અવલંબે છે. આ પ્રેતાત્મા પણ પિતાના સ્વજને પ્રત્યે બેદરકાર રહે છે તેનું આ જ કારણ છે એમ શ્રી જિનાગ કહે છે.) [૨૩] પ્ર. તમે તમારા ફ્રેન્ચ દીકરાને મળવા કેમ જતા નથી? ઉ. મારા શરીરનું બંધારણ જ એવું છે કે તેને તેવી લાંબી અવકાશયાત્રા શકય નથી. (વ્યન્તર વગેરે હલકી યેનિના દેવે વધુ દૂર સુધી જઈ શકવાને સામાન્યતઃ અસમર્થ હોય છે. વળી તે તે ક્ષેત્રોના રક્ષક બીજા દે. જે વધુ બળવાન હોય છે તે નિર્બળ દેવેને તેમના ચેકી પહેરામાંથી જવા દેતાં નથી. એટલે પ્રેતાત્માનું આ વિધાન પણ ઠીક જ છે.) [૨૪] પ્ર. તમે કઈ મહાન સંતના સંપર્કમાં છે તે મને તેમનાં નામ કૃપા કરીને જણાવશો? ઉ. હમણાં તે હું કેઈના સંપર્કમાં નથી. રમણમહર્ષિના ઉપદેશમાંથી હું શીખે છું કે જેના પ્રત્યે સ્વયંભૂ પૂજ્યબુદ્ધિ પ્રગટે તેને મહાન સંત સમજ. જેની હાજરીમાં માણસને સઘન અને ઉચ્ચ પ્રકારની શાન્તિને અનુભવ થાય તેને મહાન સમજ. [૨૫] પ્ર-પ્રેતાત્માની સૃષ્ટિમાં તમારે નિકટને મિત્ર કેણ છે? તે પૂર્વજન્મમાં કેણ હતું? ઉ. મારે એક બહુ આગળ વધેલા પ્રેતાત્મા સાથે ગાઢ સંબંધ છે. તે પૂર્વજન્મમાં એક વિખ્યાત વિદેશી ડોકટર હતા. તેમને હિંદી. જીવન સાથે સારો પરિચય છે. તેમને દઢ અભિપ્રાય છે કે અત્યારે ભારતમાં વગર વિચાર્યું મનુષ્ય ઉપર જે સંતતિ-નિયમન લાદવામાં, આવે છે, તેથી ભારતને ખૂબ ખૂબ નુકસાન થશે. [૨૬] પ્ર. આપણે ફરી મળી શકીશું ખરા? ઉ. એ વાતને આપણે સુખદ અકસ્માત ઉપર છોડી દેવી Page #171 -------------------------------------------------------------------------- ________________ સેમત બાદ વિજયભાદરણ સિદ્ધ ૧૫૬] વિજ્ઞાન અને ધર્મ જોઈએ. હવે મારે જવું જોઈએ. તમે મને આટલે સમય તમારી સેબતને લાભ આપ્યું તે માટે હું તમારો આભારી છું.” ત્યાર બાદ ચિદંબર કુલકર્ણને પ્રેતાત્મા અદશ્ય થઈ ગયે. પ્રેતાત્મા સાથે થયેલા ભાદરણના સ્વામી કૃષ્ણનંદના સમગ્ર વાર્તાલાપમાંથી જિનાગમની અનેકાનેક વાતો સિદ્ધ થઈ જાય છે. પ્રેતલેક જેવી અતીન્દ્રિય વસ્તુના વિષયમાં જિનાગમાં જે સચોટ સત્ય રજૂ કરવામાં આવ્યું છે એ જ તેના કથક ભગવાન જિનના સર્વજ્ઞત્વની અકાત્ય સાબિતી છે. એ વાતની પણ અહીં નોંધ લેવી જોઈએ કે સ્વામી કૃષ્ણાનંદ એ જિનાગના મર્મજ્ઞ નથી કે જેથી તેમના અંતરમાં જિનાગને ઘણું જ બેસતા આવે તેવા ઉત્તરેના સંસ્કાર રમતા હોઈને તે જ રીતે બધું લખાણ તેમણે કર્યું હોય. જે જિનાગમના અભ્યાસી નથી એ સ્વામી કૃષ્ણાનંદ જાણે કે જિનાગમની જ ભાષામાં સઘળું જણાવી રહ્યા હોય એ વિશેષ આનંદની બીના છે. ખેર, નિખાલસતાથી પુછાયેલા પ્રશ્નોના એક પ્રેતાત્માએ જે ઉત્તર આપ્યા તે બધા ય લગભગ ભગવાન જિનેશ્વરોએ એકમતે કહેલાં જ વિધાનના સ્વરૂપે જોવા મળ્યા એથી ભલભલા નાસ્તિકનું પણ અંતર વિચારમાં ચડી જાય તેમ છે. લાગણીશીલ માનવ તે શ્વાસમાં સે સે વાર ભગવાન જિનને વંદના અપે. અફસની વાત છે કે આજને વિજ્ઞાનયુગ એ વધુ પડતી નાસ્તિકતાને યુગ ગણી શકાય એટલે પ્રેતલેકની વાતેનાં નકકર સંવાદી વિધાને મળવા છતાં એ ઝટ માની જાય તેમ તે નથી જ. બીજા ન માને તેટલા માત્રથી વિધાનની અસત્યતા સાબિત થઈ જતી નથી. અહીં તે દેવગતિ જેવી દેવેની એક દુનિયા અસ્તિત્વ ધરાવે છે એ વાતને સાબિત કરવાને નિખાલસ પ્રયત્ન કરવામાં આવ્યું છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ [૧૧] મિડિયમથી પ્રેતાત્મા સપ હજી પણ આ વિષયમાં વિશ્વાસ બેસે તે માટે બીજી પણ થાડી. વિચારણા કરીશું. માત્ર ભારતના લાકો નહિ પરન્તુ આધુનિકતાનેા જેમની ઉપર એપ ચડયો છે તેવા પશ્ચિમના ટેકામાં પણ પ્રેતાની દુનિયામાં અખૂટ વિશ્વાસ છે. બીજાની તેા શી વાત કરવી? બ્રિટનનું શાહી કુટુંબ પોતે જ આ વિષયમાં ખૂબ જ રસ ધરાવે છે. આ કુટુંબ ગૂઢવાદ, રહસ્યવાદ, પ્રેત–વાહનવાદ વગેરેમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. એમ કહીએ તેા તે જરાય ખાટું નહિ ગણાય. રાણી વિકટોરિયાથી માંડીને રાજા છઠ્ઠા જ્યા સુધીના બ્રિટનના શાસકોએ એવી ગૂઢ વાર્તામાં શ્રદ્ધા સેવી છે. ( ૧૯૪૨ના વિમાની અકસ્માતમાં ડ્યુક ઓફ કેન્ટનું કરુણ અવસાન થયા થયા બાદ તરત જ · સાઈકીક ન્યુઝ ’ના તન્ત્રી આચ`રની હાજરીવાળી એક સભામાં શાહી વિમાનીના નામે પ્રેતસ દેશેા મળ્યે હતા. મરનાર ડ્યુકને પ્રેત-વાહનવાદમાં ભારે રસ હતા, અને મરણ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] વિજ્ઞાન અને ધમ પહેલાં થોડા સમય અગાઉ જ એમણે એક પ્રેતવાહન સભામાં હાજરી પણ આપી હતી. ટુકના આ સભામાં જે સંદેશ મળ્યા હતા એ રાજા પાંચમા જ્યેની મોટી બહેન પ્રિન્સેસ લુઇસને પહોંચાડવામાં આવ્યા હતેા, પ્રિન્સેસ લુઇસે પરલેાકમાંથી આવેલા આ સદેશેા સે ટકા સાચા માન્યા હતા. શાહી કુટુ ંબના અન્ય સભ્યાએ પણ સંદેશા સાચા જ ગણ્યા હતા. આથી ડ્યુકની વિધવાને ભારે આશ્વાસન મળ્યું હતું. પ્રિન્સેસ મેરીના પ્રેત-વાહનવાદની એ અભ્યાસિની હતી, અને પ્રેતના સીધા સંદેશા મેળવતી ઘણી સભામાં હાજરી આપતી. બ્રિટનના ઘણા એછા લોકોને જાણ છે કે શાહી કુટુ એ એક સૈકાથી મિડિયમે ” દ્વારા પ્રેતવાહનવાદ સાથે સપર્કમાં છે અને ટુજી આજે પણ આ સંપર્ક ચાલુ છે. રાજા છઠ્ઠા જ્યેાજની એક ખુરશી લડનની વિખ્યાત મિડિયમ · લિલિયન એઈલી 'ના નિવાસસ્થાનમાં માનવંતુ સ્થાન પામી છે. જ્યારે પણ પ્રેતવાહન સભા મળે છે ત્યારે એ આ ખુરશીમાં બેસે છે, આ શાહી ખુરશી ત્યાં કેવી રીતે પહોંચી એની પાછળ પણુ એક રસમય વાત છે. તેાતડાપણાના રોગની સારવારના નિષ્ણાત ‘ લાયેનલ લાંગ' કે જેમણે સારવાર કરીને રાજા છઠ્ઠા જ્યેાનું તાતડાપણું મટાડયુ હતું, તે પણ એક પ્રખર પ્રેત-વાહનવાદી હતા. રાજા છઠ્ઠા જ્યેાજે મિ. લાંગને કહેલું કે પાતે પણ પ્રેત-વાહનવાદથી સારી રીતે જાણકાર છે. બન્ને વચ્ચેના સંબંધા દરરમિયાન મિ. લાંગે પેાતાના શાહી દર્દીને ઘણી વાર પ્રેતના સંદેશા પહેાંચાડચા હતા. રાજાએ બિક’ગહામ પેલેસમાંથી પેાતાની એ ખુરશી મિ. લાંગના કન્સલ્ટિંગ રૂમમાં પહાંચાડી હતી; કારણ કે આ ખુરશી વગર રાજા નિરાંતથી માકળા થઈને બેસી શકતા ન હતા. જ્યારે રાજાનું અવસાન થયું ત્યારે ખુરશી ત્યાં જ રહેલી અને રાજાના એ ખુરશી સાથેના સંબંધને કારણે મિડિયમ શ્રીમતી ‘ બેઇલી 'ને આપવાનું ઉચિત માન્યું હતું. બ્રિટનમાં હાલનાં રાણી એલિઝાબેથની માતાને લગ્ન પહેલાં પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ મિડિયમથી પ્રેતાત્મા સંપર્ક [૧૫૯ પ્રેત-વાહનવિદ્યા અંગેનું જ્ઞાન હતું. કેમકે એમના નાના ભાઈ “એન ડેવિડ કાઉસ લિયેને” અતીન્દ્રિય દર્શન થતું. અલ ઓફ સ્ટેમેરના એતિહાસિક નિવાસસ્થાન “ગ્લેમિસ કેસલ” કે જ્યાં રાણીના ભાઈ મેટા થયા હતા એ ભૂતિયું ભવન હોવાની વાત જાણીતી છે. ડેવિડે નાનપણમાં ત્યાં ઘણું ભૂત જોયાં હતાં. આ ભૂતને એ “ધ ગ્રે પિપલ” કહેતે અને દરેક ભૂતના પિષકનું વિગતવાર વર્ણન કરતો. ગ્લેમિસ કેસલ’ના વાસીઓ રાણુના આ મામાની અતીન્દ્રિય દર્શનશક્તિની પહેલા વિશ્વયુદ્ધ વખતની એક વાત હજુ આજે પણ રસપૂર્વક કહે છે. ડેવિડના મોટા ભાઈ “માયકલ યુદ્ધમાં માર્યા ગયાના સમાચાર આવેલા પણ ડેવિડે મક્કમપણે આ સમાચાર બેટા હેવાનું કહ્યું હતું અને શેકનાં કપડાં પહેરવાની સાફ ના પાડી હતી. એણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “બે વાર મને માયકલનાં દર્શન થયેલાં. એ બીમાર છે. એના માથે પાટા બાંધેલા છે, મેર વૃક્ષે વચ્ચેના એક મકાનમાં એને રાખવામાં આવે છે.” છેડા માસ બાદ સમાચાર મળ્યા કે માયકલ માથામાં ઘાયલ થયો છે અને જર્મનીમાં યુદ્ધકેદી તરીકે રાખવામાં આવેલ છે. રાણી એલિઝાબેથના દાદા રાજા પાંચમા જે મક્કમપણે માનતા હતા કે પિતાની માતા પ્રેતાત્મા સાથે સંપૂર્ણપણે સંપર્કમાં છે. બન્ને વચ્ચે અસાધારણ નિકટના પ્રેમનું અસ્તિત્વ હતું. આ સ્થિતિમાં જ્યારે સાઈકીક ન્યૂઝના એક વાચકને રાણી એલેકઝાંડ્રાને પ્રેતાત્મા તરફને પુત્ર પરને સંદેશ મળે, ત્યારે એ સંદેશ રાજાને પહોંચાડવામાં આવ્યું હતું. ૧૯૫૩ના ફેબ્રુ.ની ૧૬મી તારીખે આ સંદેશે બકિંગહામ રાજમહેલમાંથી રાજા પાંચમા જે પિતાના હસ્તાક્ષરમાં જે જવાબ વાળ્યું હતું તેમાં જણાવેલું છે કે, “મારી વહાલી માતા તરફ આવે પ્રેરણાદાથી સંદેશે મને મોકલી આપવા બદલ હું તમારો આભારી છું. તમારી મારફત મને જે સલાહ આપવાનું યંગ્ય લાગ્યું છે તેનું હાર્દ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] વિજ્ઞાન અને ધર્મ હું સપૂર્ણપણે સમજી શકું છું. આ સાથે સાઈકીક ન્યૂઝ મેાકલવા માટે પણ હું આભારી છું. હું નિરાંતથી જરૂર એ જોઈ જઇશ. મારી માતા સતત મારી સાથે જ છે. મારી અંગત ખાખતા ઉપર નજર રાખીને મને એ દારવણી આપી રહી છે. મહેલ ઉપર પડતી શ્યામ વાદળની છાયા અને શાશ્વત સૂર્યપ્રકાશના પ્રદેશમાં પુનર્મિલન અંગેના એમના સંદેશાની હું પ્રેમપૂર્વક કાર કરું છું.' રાજા પાંચમા જ્ગ્યાના આ પત્ર સ્પષ્ટપણે બતાવી આપે છે કે જીવાત્મા અને ભૂતાત્મા વચ્ચે કડી તરીકે પ્રેત-વાહનવાદમાં તેઓ મક્કમપણે માનતા હતા. શ્યામ વાદળ અને સુખદ પુનઃ મિલન એ અન્ને બાબતે પંચમ જયાના એક વમાં થયેલા અવસાનથી પુરવાર થઈ હતી. * 6 રાણી વિકટારિયા ‘ આઈલ એક્ વેઈટ' ખાતેના નિવાસસ્થાન આસ્મા હાઉસ ખાતે પ્રેતવાહન સભાએ ભરતાં એ જાણીતી વાત છે. આ અંગેની સામિતી સોનાના એક ઘડિયાળના રૂપમાં અસ્તિત્વમાં છે. આ ઘડિયાળ ઉપર કોતરવામાં આવ્યું છે, ૧૮૪૬ની ૧૫મી જુલાઈએ એસ્બાન" હાઉસ ખાતે અતીન્દ્રિય દર્શીનના અસાધારણ પ્રયાગે! રજૂ કરવા માટે મિસ જ્યોર્જિયાના ઇંગલને રાણી તરફથી ભેટ.’ આ ઘડિયાળ જ્યેાર્જિયાને ભેટ આપવામાં આવે તે પૂર્વે તેનું મૃત્યુ થયું હતું. પાછળથી આ ઘડિયાળ અમેરિકન વે ઇસ મિડિયમ છૂટા રીડને આપવામાં આવ્યુ' હતું. આ સબંધમાં ડચેસ એક્ હેમિલટને સાઈકીક ન્યૂઝના તંત્રી ફ્રેંડ આચરને કહ્યું હતું કે ઈટા રીડે પોતાના અવસાન પૂર્વે એવા નિર્ણય કર્યો હતા કે રાણીની આ ભેટ પાછી બ્રિટન મેાકથી દેવી. " કેનેડાના એ વખતના વડાપ્રધાન મિ. મેકેન્સી કિંગ કે જે ઈંટા સાથે ઘણીવાર પ્રેતવાહનસભામાં બેસતા, એમણે ઘડિયાળ ડચેસ એફ હેમિલટનને પહેાંચાડેલ. ડચેસે એ ઘડિયાળ લ*ડન સ્પિરીચ્યુઆલિસ્ટ એલાયન્સ (હવે કૉલેજ ઓફ સાઈકીક સાયન્સ)ને ભેટ આપેલું. જે આજે પણ ત્યાં મેાજૂદ છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ મિડિયમથી પ્રેતાત્મા સાથે સંપર્ક [૧૧ મરણ પામેલા આત્માઓ પાસેથી સંદેશાઓ પ્રાપ્ત કરવાની અનેક રીતે હોય છે. જેમાં ત્રણ પાયાની મેજ ઢાળવાની રીત, પ્લેન્ચેટ પદ્ધતિ અને ઉંજાબેર્ડની રીત મુખ્ય છે. આ વિષયમાં શંકા કરનારને આ પદ્ધતિઓના જાણકારો પૂછે છે કે, જે આ બધું બેટું જ હોય તે) પ્રગ કરવા બેઠેલામાં એક પણ માણસ જે ભાષા બિલકુલ ન જાણતા હોય તેવી ફ્રેન્ચ વગેરે ભાષામાં પણ સંદેશાઓ પ્રાપ્ત થાય છે તેનું શું રહસ્ય છે તે કહો? અસ્તુ. આપણે આ વિષયના વધુ ઊંડાણમાં જવું નથી. માત્ર પૂર્વ કહ્યા મુજબ એટલું જ સમજી રાખવું કે આવા પ્રયોગ ચાલતા હેય તેવા સ્થાને–આકાશ વગેરેમાં-ભમતા પ્રેતાત્માએ કયારેક કુતૂ હલથી આવી જાય અને પિતાના જ્ઞાન મુજબ સાચાખોટા જવાબ આપે તે તેમાં કશું નવાઈભર્યું નથી. આપણે તે અહીં એટલી જ વાત સ્થિર કરવી છે કે આવા કેટલાક બાહ્ય અનુભવે ઉપરથી દેવલેક જેવી એક દેવની દુનિયા સિદ્ધ થાય છે. વિ ધ. ૧૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૨] નારકલોક-વિચાર જેમ સત્કર્માદિ દ્વારા આત્મા દેવલેકમાં જાય છે તેમ અસત્કર્મો કરનાર આત્મા નારકલેકમાં જાય છે. એને ત્યાં જવું જ પડે છે. બેશક, જેનાગ ઈશ્વરને માને છે પણ એને જગતના કર્તા તરીકે માનતા નથી એટલે કે ઈ ઈશ્વર, આત્માને તેના કર્મ મુજબ દેવની કે નારકની દુનિયામાં મેકલે છે તેવું નથી. કર્મ પતે જ જડ છતાં ઘણું બળવાન છે કે જેને ફેટ (વિપાક) થતાં જ જીવાત્મા ઉપર તે તે જાતની સારી-માઠી અસર થાય જ છે. અસ્તુ. એ વિષય ઉપર વિસ્તારથી આગળ વિચારશું. અહીં કોઈ પૂછી શકે છે કે દેવેની દુનિયાના દેવની જેમ નારકની દુનિયાના પણ કેઈ આત્માનું કેઈને પ્રત્યક્ષ ખરું કે નહિ? હા, ત્રિકાળદશી પરમાત્માઓને જરૂર તે આત્માઓનું પ્રત્યક્ષ થાય. પરન્તુ આપણુ જેવા સંસારી આત્મામાંથી કોઈને પણ એ દુનિયાના નારકામાનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. તેનું કારણ એ છે કે જેમ દેવામા આ દુનિયામાં આવી શકે તેમ નારકામાં આવી શકતું નથી. દેવાત્મા Page #178 -------------------------------------------------------------------------- ________________ નારકલેાક-વિચાર [૧૯૩ ગમે તેમ તે ય સુખદ જીવનના સ્વામિત્વનું પ્રતીક છે, જ્યારે નારકાત્મા ભયાનક દુઃખાના સ્વામિત્વનુ પ્રતિક છે. જેએ માનવ કે પશુ થઈને ઘેાર હિંસા વગેરે પાપકમાં કરે છે તે પાપાત્માએ જ આ નારકલાકમાં જાય છે. એવાં ક્રૂર હિંસાદિનાં પાપ કરતાં એવા કાર્મિક પરમાણુએ આત્માને ચાંટી જાય છે કે જ્યારે એના સ્ફોટ (ઉદય) થાય ત્યારે એ માનવાત્મા કે પશુના આત્મા પેાતાનું ખોળિયુ છોડી દઈને સીધે નારકલેકમાં ચાલ્યા જાય છે—એને ચાલ્યા જવું જ પડે છે. ત્યાં હજારા વર્ષ સુધી એને અવશ્ય રહેવું પડે છે. એ બધા જ સમય એને અપાર વેદનાઓ–પેલા ભવનપતિ દેવલાકના કુતૂડલપ્રિય દેવાત્માઓ ત્યાં આવીને–એમનામાં ઉત્પન્ન કરે છે. ત્યાંની ભૂમિ, ત્યાંનું વાતાવરણુ, ત્યાંની સઘળી પરિસ્થિતિ જ એવી હોય છે, જે અધામાંથી યાતના સિવાય કશું જ ટપકતું હાતું નથી. કેટલીક નારકોમાં પરસ્પરની મારપીટ જ હોય છે. આવી ઘાર મારપીટ વગેરેની યાતના ભોગવતા નારકાત્માએ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર્યાં પૂર્વે બહાર નીકળી શકતા જ નથી; એટલે આ દુનિયાના કોઈ પણ માનવાત્માને તેમનાં દન થતાં જ નથી. હુજારા, અખજો કે અગણિત વર્ષોનાં તે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે આત્મા તે ખોળિયુ ોડીને પેાતાના કર્માનુસાર માનવ, પશુ કે વનસ્પતિ વગેરેના જીવનમાં જાય છે. વર્તમાન જગત વધું પડતુ. બુદ્ધિજીવી બનતું ચાલ્યુ છે. જીવનનાં ઘણાં ક્ષેત્રમાં શ્રદ્ધા વિના જરા પણ ચાલતું નહિ હાવા છતાં ધર્મના વિષયમાં શ્રદ્ધા મૂકવાનુ બુદ્ધિજીવી માનવ માટે લગભગ અશકય બનતું ચાલ્યું છે. તેનુ કારણ એ છે કે ધર્મોની શ્રદ્ધા તેને ભાગાથી છેડાવે છે; જે તેને માટે ભારે મુશ્કેલીની મામત છે. ધ શ્રદ્ધા તેને અનીતિથી, મેાજશોખથી મુકાવીને દીન પ્રત્યે યાત્રુ, હીન પ્રત્યે કૃપાલુ બનાવવા પ્રેરે છે. આ મામત પણ ભાગરસિક બુદ્ધિજીવી માનવને પરવડતી નથી એટલે જ એણેતેા ધર્માંના વિષયમાં બધું જ હુંખગ ' કહીને નિરાંતના શ્વાસ ખેંચી કાઢયો છે; પરન્તુ ધર્મોના વિષયમાં વસ્તુતઃ ‘હુંખગ' જેવું કશું જ નથી. નારકલાકની દુનિયાને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] વિજ્ઞાન અને ધર્મ પણ બિલકુલ તકથી સિદ્ધ કરી શકાય છે છતાં ય કઈ તકવાદીને એ તર્ક ન કબૂલ હોય તે લાચારી સિવાય શું અનુભવવું? આઈકમેન નામને એક માણસ પોતાના અધ્યક્ષપણું નીચે લાખ યહૂદીની કતલ કરી નાખે અને પછી પકડાયેલા તે માણસને સજા તરીકે આજની કેટે વધુમાં વધુ શું ફટકારી શકે? ફાંસી જ ને? લાખેને રિબાવી રિબાવીને મારનારને એક જ વાર ફાંસીની ક્ષણિક સજા ફટકારનાર ન્યાયાલય શું સાચે ન્યાય તેગે છે? નહિ જ. આવા ઘોર પાપાત્માઓને (૧) એ એવી એક દુનિયામાં મોકલે છે, જ્યાં તેમને મરણતોલ ફટકા પડે તે ય તેઓનું જલદી મૃત્યુ ન જ થાય; બલકે હજાર, લાખે વર્ષો સુધી એ મારપીટ સહવી પડે. (૨) વળી એટલું બધું સહન કરે તે વખતે મારથી બેભાન બની જાય છે તે આત્માને તે મારની વેદના અનુભવવા ન મળે, આવું ન થાય એ માટે તે પાપાત્માને સભાન અવસ્થામાં રાખે છે એટલું જ નહિ પરંતુ પિતાનાં જન્માંતરોની પણ સ્મૃતિ કરાવીને પાપની યાદ આપે છે. (૩) વળી જીવલેણ માર ખાનારનું શરીર માર ખાવા સમર્થ હોવું જોઈએ, નહિ તે લાંબા સમય સુધી મારા પીટ કરી ન શકાય એ દષ્ટિથી જ જાણે કે ત્યાંના આત્માઓને શરીર પણ તેવું જ મળે છે. (૪) અને મારનાર પણ મજબૂત જોઈએ નહિ તે થાકી જાય; એટલે દેવાત્માએ જ ત્યાં આવીને વારાફરતી ફટકા મારે છે અથવા તે તે અપરાધી છ જ આપસઆપસમાં જ ખૂનખાર જંગ ખેલતા રહીને મહાયાતનાનું જીવન જીવતા રહે છે. - આ ચારેય બાબતે જ્યાં છે તે દુનિયાને જ નારકની દુનિયા કહેવાય છે. વર્તમાન જગતમાં પરમાત્માઓને યોગ્ય શિક્ષા કરનારું કઈ ન્યાયાલય નથી, એવું કેઈ સ્થાન નથી, એવી કઈ આપત્તિ નથી કે જે તમામ પાપોને ચગ્ય બદલે વાળી શકે. એ બધું ય છે આપણું પૃથ્વીની નીચેના નારકલેકમાં. ત્યાં અહીંના કેઈ પણ જાતના ઉત્કટ દુઃખ કરતાં ય અનંત Page #180 -------------------------------------------------------------------------- ________________ નારકલાક-વિચાર [૧૯૫ ગુણુ દુ:ખ છે. અહીંના ઉત્કટમાં ઉકટ ટાઢ, તૃષા, ગરમી, ખૂજલી વગેરે રોગો કરતાં અનંતગુણુ ટાઢ વગેરે છે. ભયંકર હિંસા કરનારા, જૂઠાણાં ચલાવનારા, ચારીઓ અને લૂંટફાટ કરનારા, ભયાનક દુરાચાર સેવનારા, અત્યંત લાભી આત્માએ એવી નારકની દુનિયામાં જન્મ લે છે. આ કોઈ ધર્મે ઊભા કરેલા ભયા નથી. આ છે માત્ર સત્ય. સત્યનું વિધાન; કોઈ પણ વાઘાવસ્ત્ર વિનાનું. ખીચાખીચ સત્યથી ઊભરાયેલું; અસત્યથી સર્વથા વેગળું એવુ શાસ્ત્રીય વિધાન. જગતને નારકની રોચક વાતો કરીને કે દેવલેાકની દુનિયાની રાચક વાતા કરીને જ અધર્મનિવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિ કરવાના જિનદનના માર્ગ નથી. કોઈ એને ન માને એટલા માત્રથી એ નહિ માનવા યાગ્ય બની જતું નથી. કોઈ એને માને એટલા માત્રથી એ માનવા ચેાગ્ય પણ ખની જતું નથી. એ સત્ય છે માટે જ બહુમાન્ય છે. આથી વધુ એને માટે કાંઈ જ કહી શકાય નહિ. આમ મનુષ્ય તિર્યંચલાકની આપણા પ્રત્યક્ષથી, દેવલાકની ખીજાના પ્રત્યક્ષથી અને નારકલેાકની અનુમાનથી સિદ્ધિ થઈ જાય છે. આ ચારે ય લાકથી પર મેાક્ષગતિ છે. તેના અંગે આગળ ઉપર વિચાર કરીશું. ટૂંકમાં ઉક્ત ચાર ગતિમાં ભમતા આત્મા દેહથી ભિન્ન એવુ સ્વતંત્ર તત્ત્વ છે એ વાત હવે એકદમ સ્થિર થઈ જાય છે. > Page #181 -------------------------------------------------------------------------- ________________ 太大降餘添添添添添節器 : T OOOOOOOOO 3W3:? SweeWeb [ale [sell i] 梁平平平平平等的泰泰泰發密帝希希 આત્મવિજ્ઞાન 张平平平平平平平平平平平平梁平平平平平平 વિભાગ ત્રીજો ઈશ્વર 张大大參K癌器 Page #182 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ઈશ્વર અને જગત્કતૃત્વ વિશ્વમાં જે માન્યતા ઘણું ખરાં દર્શનેમાં દઢતાપૂર્વક વ્યાપી ગઈ છે એ ઈશ્વર વવાદને હવે આપણે બે રીતે વિચારીશું : (૧) જૈનાગમ દષ્ટિકણથી અને (૨) વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી. જેઓ ઈશ્વરને જગકર્તા માને છે તે બધા દાર્શનિકેનું લગભગ એવા પ્રકારનું મન્તવ્ય છે કે જગમાં કાંઈ બની રહ્યું છે તેની પાછળ ઈશ્વરનું જ મુખ્ય કર્તા તત્વ હોય છે. ઘડે બનાવતે કુંભાર લેકદષ્ટિએ ભલે ઘડાને કર્તા કહેવાતું હોય પણ એ ઘડો બનાવવાની કુંભારને પ્રેરણ કરનાર તે ઈશ્વર જ છે, માટે વસ્તુતઃ તે ઈશ્વર જ ઘડાને કર્તા કહેવાય. ટૂંકમાં મનુષ્યની કઈ પણ નાની કે મેટી પ્રવૃત્તિ, રોગ, શેક, ઘડપણ કે મૃત્યુ... એ બધાયમાં ઈશ્વરી પ્રેરણા જ કામ કરે છે. બાળક માતાના ગર્ભમાં જન્મ પામે અને ત્યાં જ મૃત્યુ પામે છે તે બેયમાં ઈશ્વરનું જ કર્તુત્વ કામ કરે છે. ઈશ્વર જ બાળકને જન્મ આપે છે, અને ઈશ્વર જ એ બાળકને મૃત્યુ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮) વિજ્ઞાન અને ધર્મ બક્ષે છે. નવેઢા સ્ત્રીને પતિને ભરયુવાનીમાં અકસ્માત્ કરાવનાર ઈશ્વર, હોસ્પિટલમાં જવાની પ્રેરણ કરનાર પણ ઈશ્વર, વેદના ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર, અને મૃત્યુ આપનાર પણ ઈશ્વર. એ રીતે નઢાના જીવનને પતિના સુખથી વંચિત કરનાર ઈશ્વર, એ સ્ત્રી પરપુરુષના સંગે ખેંચાય તે તેમાં પણ પ્રેરક ઈશ્વર અને પરપુરુષના સંગદેષથી એની આબરૂને જે આઘાત લાગે અને પરલેકમાં હીન સ્થાને માં જન્મ મળે છે તેમાં પણ ઈશ્વરનું જ પ્રેરક કર્તુત્વ હોય છે. સૂર્ય-ચન્દ્રને આકાશમાં પકડી રાખનાર, એમને ગતિ આપનાર પણ ઈશ્વર છે. સમુદ્રને મર્યાદામાં રાખનાર પણ એ જ છે. જગતની કોઈ પણ હિલચાલમાં, જગતના કેઈ પણ કાર્યમાં ઈશ્વર જ પ્રેરક બને છે. ભલે પછી સાક્ષાત્ રીતે તેને કર્તા માનવ કે કઈ પશુ વગેરે કહેવાતે હેય. કેટલાંક દર્શનનું આ મંતવ્ય છે. પરન્તુ જેનદાર્શનિકે આ મંતવ્યને સચેટ યુક્તિઓ સાથે નકારી નાખે છે. આ વિષયમાં ઢગલાબંધ સાહિત્ય લખાયું છે. જડની અચિત્યશક્તિનું નિરૂપણ કરીને એમણે ઈશ્વરકતૃત્વવાદ અંગે અપૂર્વ ચિંતન રજૂ કર્યું છે. હવે તે વૈજ્ઞાનિકે પણ જગતની કઈ પણ પ્રવૃત્તિની પાછળ વૈજ્ઞાનિક કારણ આપે છે. એમની દ્રષ્ટિમાં જડની બાબતમાં કશું જ અગમ્ય–અશક્ય જેવું રહ્યું નથી કે જેને કરવા માટે ઈશ્વરના કર્તે ત્વને માનવાની જરૂર પડે. વળી જગતના ઘડા વગેરેના કર્તા કુંભાર વગેરે છે જ. તેમનું પ્રત્યક્ષ કર્તુત્વ ન માનીને એની પાછળ અપ્રત્યક્ષ-ઈશ્વરતું કર્તુત્વ માનવાની વાત તે બિલકુલ યુક્તિબાહ્ય લાગે છે, એટલે ત્યાં પણ ઈશ્વરકતૃત્વવાદ ઊભે રહી શક્તા નથી. હવે આપણે પ્રથમ તે જૈનદષ્ટિએ કર્તુત્વવાદનું ખંડન વિચારીએ. શ્રી વીતરાગસ્તેત્રમાં પૂ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ઈશ્વરકર્તા ત્વવાદ અંગે જે તકબદ્ધ ચિંતન મૂક્યું છે તે અહીં સંક્ષેપમાં જોઈએ. Page #184 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગતકતૃત્વ [૧૬૯ એ વાત ચોક્કસ છે કે ઈશ્વર જે જગતનું નિર્માણ કરતા હેય તે તેવું નિર્માણ કરવા માટે તેમને શરીર તે હેવું જ જોઈએ. અને શરીર પુણ્યકર્મ વિના તે સંભવે જ નહિ એટલે શરીરવાળા ઈશ્વરમાં કર્મ પણ સ્વીકારવાં જોઈએ. વસ્તુતઃ ઈશ્વર કતૃત્વવાદીઓ ઈશ્વરને કર્મમુક્ત અને શરીરમુક્ત માને છે. જે એમ જ હેય તે શરીર વિનાના ઈશ્વર આ સૃષ્ટિનું નિર્માણ કરી શકે નહિ. * કદાચ ઈશ્વરકતૃત્વવાદી કહે કે, જગકર્તાને જગતનું નિર્માણ કરવા માટે શરીરની જરૂર જ નથી. જગત બનાવવાની એમની ઈચ્છા જ જગતનું નિર્માણ કરી દેવા સમર્થ છે; તે આની સામે કહી શકાય કે ઈચ્છા તે અભિલાષારૂપ છે. અને એ અભિલાષ તે શરીરવાળા આત્માને જ ઘટી શકે. જ્યારે સકળ અભિલાષાઓનો નાશ થાય છે ત્યારે જ તે અશરીરપણું પ્રાપ્ત થાય છે એટલે અશરીરને ઈચ્છા સંભવી શકતી નથી. માટે ઈચ્છામાત્રથી જગત નિર્માણની વાત પણ ઉચિત નથી. અને જે જગનિર્માણ કરવામાં કઈ પ્રયજન હોય તે એ પ્રશ્ન થઈ શકે છે કે બુદ્ધિમાન માનવની જે કઈ પ્રવૃત્તિ હેય તે ઈષ્ટને પ્રાપ્ત કરવા માટે હેય, કાં અનિષ્ટને દૂર કરવા માટે હોય. આ બેમાંથી ગમે એક કારણે પ્રવૃત્તિ હેય. જેમને હવે કે ઈ ઈચ્છા જ નથી એવા ઈશ્વરને ઈષ્ટ મેળવવાની ઈચ્છા કે અનિષ્ટ દૂર કરવાની ઇચ્છા પણ શી રીતે ઘટે? એટલે કે જગતનું નિર્માણ કરવાની પ્રવૃત્તિમાં કઈ પ્રજન પણ સંભવતું નથી. પ્ર-ના, જગકર્તાને સૃષ્ટિનિર્માણ કરવાનું કે પ્રજન જ નથી. એ તે માત્ર પિતાની સ્વતંત્રતાથી જ જગતનું નિર્માણ અને જગતને સંહાર કરવામાં પ્રવૃત્ત થાય છે. એક બસ, એ તે એમને એવી ઈચ્છા થઈ, “લાવ, જગતનું નિર્માણ કરવાની રમત કરું અથવા ૪ : પ્રવૃત્તિને નોજિતા વી. સ્તોત્ર * : न च प्रयोजनं किञ्चित्स्वातन्त्र्यान्न पराजया । क्रीडया चेत्प्रवर्तेत रागवान्स्यात्कुमारवत् । Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] વિજ્ઞાન અને ધર્મ તે જગતને વિનાશ કરવાની રમત કરું” કે તરત તેવી કીડાથી તેઓ જગતને ઉત્પાદ કે નાશ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. * ઉ–રે! કીડા એ તે રાગજનિત પ્રવૃત્તિ છે. જેઓ રાગમુક્ત છે તેનામાં કીડા હોઈ શકે જ કેમ? પ્રસારું. તે એમ કહી શકાય ને કે સૃષ્ટિનિર્માણ કરવામાં ઈશ્વરની કૃપા (કરુણા) જ કારણ છે. ઉ–એ પણ બરાબર નથી. કેમકે જે જગત્ને જીની કરુણતાથી જ જગતનું નિર્માણ કરવામાં ઈશ્વર પ્રવૃત્ત થતા હોય તો પછી એ કરુણા તે બધાને સુખી જ બનાવે ને? એકને પણ દીન, ગરીબ, રાગી વગેરે બનાવે જ શા માટે ? ઈશ્વર સર્વશક્તિમાન હોય અને વળી જીવ પ્રત્યેના દયાલુભાવથી જ જગતનું નિર્માણ કરતા હોય તે એક પણ જીવને દુઃખી બનાવવાનું કોઈ કારણ જ રહેતું નથી. * પ્ર.–ઈશ્વર દયાલુભાવથી જગતનું નિર્માણ કરે છે, છતાં એ જગતમાં અનેક દુઃખી આત્માઓ હોય છે તેનું કારણ ઈશ્વર નથી પરંતુ તે આત્માઓનાં અશુભ કર્મો છે. ઈવર પણ અંતે તે જીવનાં કર્મને પરાધીન છે. જેવું જીવનું કર્મ એને દેખાય એ રીતે જ એને સુખી કે દુઃખી બનાવે. એટલે એમાં કૃપાલુ ઈવરને કઈ દોષ નથી. + ઉ–રે! આ રીતે જે દયાલુ ઈવર પણ જીવેનાં કર્મને પરાધીન છે, કર્મના અનુસારે જ તે જીવોને સુખ દુઃખની સામગ્રી આપી શકે છે, પિતે પૂર્ણ દયાળુ હોવા છતાં જે પરાધીનતા તેનામાં હોય તે આપણામાં અને તેનામાં ફેર છે? આપણે પણ કર્મપરાધીન! એ પણ કર્મપરાધીન ! પરાધીનમાં ઈશ્વરપણું કેમ સંભવે? ૪ : પાથ વૃત્તીર્ણ મુરચે સારું કૃત / જય : : યદુનિક મહિલાવિત્રમ્ जनं तुं सृजतस्तस्स्य कृपालोः का कृपालुता ॥४॥ + : कर्मापेक्षः स चेतहि न स्वतन्त्रोऽस्मदादिवत् । Page #186 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગત્કર્તૃત્વ [૧૭૧ અને જો આ રીતે આખું ય ચિત્રવિચિત્ર જગત ક`જનિત જ હેાય તે પછી એ ઇશ્વરને જગત્કર્તા માનવાની શી જરૂર છે ? જીવાનાં કર્મ જ જીવાને સુખદુ:ખ આપી દેશે. એ માટે ઇશ્વરને વચ્ચે લાવવાની શી જરૂર નથી. પ્ર.-કમ તા જડ છે એ શી રીતે જીવને સુખદુ:ખ આપી શકે ? કર્માનુસાર સુખ-દુઃખ આપનાર તે કોઈ ચૈતન્યવ્યક્તિ માનવી જ પડે ને? તે જ ઈશ્વર છે. .-નહિ. ક જડ છતાં એનામાં અખૂટ શક્તિ છે. જડમાં કેવી ગજખનાયક શક્તિએ સંભવી શકે છે તે આગળ જણાવવામાં આવશે. એટલે જડ કપાતે જ જીવને સુખાદિ આપી શકે છે તે માટે ઇશ્વરને માનવાની કશી જરૂર નથી. પ્ર.--સારું. મધી વાત જવા દે, જગત્કર્તા ઈશ્વર સામે કોઈ પ્રશ્ન થઈ શકે જ નહિ. કેમકે અમારું મંતવ્ય છે કે ઇશ્વરને એવા સ્વભાવ જ છે કે તે જગતનું નિર્માણ વગેરે કરે છે. સ્વભાવની સામે કેઈ પ્રશ્ન થઈ શકે નહિ. ઉ.–વાહ રે વાડુ ! આ તા કેવી વાત. સ્વભાવની વાત કરીને તે તમે તમારી અપકીતિ જ વડારી. કેમકે એને અર્થ જ એ થયા કે હુવે કાઈ ઈશ્વરના જગતૃત્વ વિધાનની પરીક્ષા કરી શકે જ નહિ. આ તે વીટા પાવર' વાપરવા જેવુ' કર્યું. સારું, જગમાં સુવર્ણ જેવી વસ્તુની પણ પરીક્ષા કષ—છંદ અને તાપાથિી કરવામાં આવે છે અને ઈશ્વરના જગકર્તૃત્વ અંગે તમે સ્વભાવપદ સ્વીકારી લઈને પરીક્ષાના માર્ગ જ બંધ કરી દીધા. તમને જ મુખારક હા આવી વાતે. અમે તે આવી દૃષ્ટાંત અને યુક્તિરહિત વાતાને આ વિષયમાં માન્ય કરતા નથી. × આમ જ્યારે ઇશ્વરમાં જગકર્તૃત્વ ઘટી શકતું નથી ત્યારે જ X अथ स्वभावतो वृत्तिरवित महेशितुः । परीक्षकाणां तर्येष परीक्षाक्षेप डिण्डिमः || ३|| Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] વિજ્ઞાન અને ધમ અમે ઈશ્વરને જગતના બનાવનાર ન કહેતાં જગતને બતાવનાર કહીએ છીએ. ઈશ્વર સર્વજ્ઞ જ હોય અને તેથી જ સમગ્ર જગતનું સ્વરૂપ કેવું છે. તે આપણને બતાવે છે, ઇશ્વરનાં બે સ્વરૂપની વિચારણા આગળ કરીશું. હવે આ રીતે જૈન દૃષ્ટિએ ઈશ્વર જગત્કર્તા સિદ્ધ થતા નથી. જૈનાગમે તેા પરમાણુથી માંડીને તમામ વસ્તુને દ્રવ્યમય અને પર્યાયમય માને છે. દ્રશ્યમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા એમ ત્રણ પર્યાય છે. માટીમાંથી ઘડાના ઉત્પાદ થાય, ઢેફાના વિનાશ થાય બધી અવસ્થામાં માટીની ધ્રુવતા રહે તેમાં કશુંય ઈશ્વરના પ્રયત્નથી થાય છે તેમ જૈનદાનિકે માનતા નથી, જો બધા જ વિનાશ ઈશ્વરાધીન હેાત તે બધા જ ઉત્પાદ અને બધા જ વિનાશ ઈશ્વરપ્રયત્નજનિત જ હોત પરન્તુ હકીકતમાં તેમ નથી. કુદરતમાં કેટલાંક વાદળ, મેઘધનુષ વગેરે એવાં તત્ત્વા પણ પડેલાં છે. જેના ઉત્પાદ-વિનાશ મનુષ્ય વગેરે કોઈ પણ વ્યક્તિના પ્રયત્ન વિના જ થતા હોય છે. જો એવા ઉત્પાદ-વિનાશમાં પણ ઇશ્વરકતૃત્વ સિદ્ધ થતું નથી, તેા કુભાર વગેરેના પ્રયત્નથી થયેલા માટીમાંથી ઘાટ વગેરેના ઉત્પાદનમાં અને ઢેફાં વગેરેના વિનાશમાં કુંભારના જ પ્રયત્ન કેમ ન માનવા? શા માટે ત્યાં દૂરસ્થ ઇશ્વરના પ્રયત્ન માનવા જોઈએ ? આમ સ્વાભાવિક અને પ્રયત્નજનિત એ ય પ્રકારના ઉત્પાદ—વિનાશમાં ઇશ્વરકત્તા સિદ્ધ થતી નથી. કાચની બનાવટ રેતીમાંથી થાય છે, પરંતુ રેતી એ પણ એ વખતે એ રેતીના કણામાં રહેલા જીવેાના શરીર જ છે. એ રેતીસ્વરૂપ શરીરની ઉત્પત્તિ પણ એમાં એક વખત રહેલા જીવાના પ્રયત્નથી જ બની છે. રેતી કાંઈ એમ ને એમ બની ગઈ નથી. પછી જ્યારે શરીરમાંથી એ જીવા ચાલ્યા જાય છે ત્યારે એ શરીરને રેતીનું નામ અપાય છે. પછી મનુષ્યનેા પ્રયત્ન આગળ આવે છે. મનુષ્ય એ રેતીના પર્યાયના નાશ કરીને એમાંથી કાચ બનાવે છે. પછી એ કાચને બાળકે તેડી નાંખે છે. ત્યારે કાચમાંથી કાચના કટકાઓ બને છે. આમ જીવાએ પેાતાના પ્રયત્નથી શરીર બનાવ્યું; Page #188 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગતકર્તી ત્વ [૧૭૩ મનુષ્યે પેાતાના પ્રયત્નથી રેતીમાંથી કાચ બનાવ્યા; અને માળકે પેાતાના પ્રયત્નથી એના કટકા બનાવ્યા, અહીં ઇશ્વરની બનાવટ કાં માનવી? ઇશ્વરકતૃત્વવાદને માનનારાં કેટલાંક દશ નેાની માન્યતા એટલી તે જરૂર છે કે સ`સારી જીવેાની બાહ્ય અને આંતરિક ભિન્ન ભિન્ન અવસ્થારૂપ પર્યાનાની ઉત્પત્તિ અને એમના વિનાશ ક`જન્ય જ છે અને કર્મીની ઉત્પત્તિ પ્રાણીજન્ય હોવાથી કર્માંજન્ય સુખાદિના સયેાગવાળી વિવિધ અવસ્થાએની પ્રાપ્તિ જીવના પેાતાના પ્રયત્નને આભારી છે. પરન્તુ સાથે સાથે તેએ એવી માન્યતા પણ ધરાવે છે કે કર્મ તેા જડ છે એટલે એ કર્મોથી જે સુખાર્ત્તિ મળવાં જોઇએ તે એમ ને એમ મળી ન જાય. ત્યાં કોઈ ચેતન-તત્ત્વની પ્રેરણા માનવી જ જોઇએ અને તે ચેતન-તત્ત્વ એ જ ઈશ્વર અહીં જૈન દાર્શનિકોનું કહેવું છે કે કર્મ એ પુદ્ગલ છે. જ્યાં સુધી ચેતનની સાથેના સંબંધમાં એ આવતાં નથી ત્યાં સુધી જીવને સુખ કે દુઃખ આપવાની તેનામાં તાકાત હાતી નથી. જેમ બ્રાંડી કે દારૂ ખાટલીમાં જ પડ્યાં રહે છે ત્યાં સુધી તેનાથી બુદ્ધિબળની કે નશાની વૃદ્ધિ થતી નથી; પરન્તુ શરીરમાં ગયા પછી જ તેમ થાય છે. વળી તે પણ તરત ન થતાં જેમ કાલાન્તરે થાય છે તેમ કર્મ પુદ્ગલ પણ આત્મા સાથે સબંધમાં આવ્યા પછી તરત જ પોતાની સુખ-દુઃખ આપવાની શક્તિ બતાડી શકતાં નથી; પરંતુ અમુક સમય ગયા પછી જ તેમ કરી શકે છે. ટૂંકમાં, દરેક કર્માણુ એ · ટાઈમ-એમ્મ ' છે, જે પોતાના સમય થતાં જ ફાટે છે અને આત્માને સુખ-દુઃખ બતાવી દે છે. એટલે કના સંબંધથી જીવના કોઈ પણ ઉત્પાદ યા વિનાશ પામતા પર્યાયમાં કૃતકૃત્ય ઇશ્વરને હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હાઈ શકતી જ નથી. વળી અમુક એક જ વ્યક્તિ અનાદિકાળથી ઈશ્વર બની રહે અને ખીજા કોઈ ઈશ્વર બની જ ન શકે તેવું જૈષ્ટિમાં માન્ય નથી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] વિજ્ઞાન અને ધર્મ જૈનષ્ટિએ તા જગતના તમામ જીવેા ત્રણ વિભાગમાં વહેં'ચાયેલા છે. જેએ વધુ પડતા જગતના રંગરાગમાં આસક્ત છે એવા જગતના જીવા બહિરાત્મા કહેવાય છે. બીજા નબરના જીવા તે છે કે જેઓ જગતમાં રહેવા છતાં જગતના એ રગરાગામાં વધુ પડતી આસક્તિ ધરાવતા નથી; એમને અન્તરાત્મા કહેવાય છે; જ્યારે ત્રીજા પ્રકારના જીવા જગતના તમામ રંગરાગથી સર્વથા મુક્ત થઈ ગયેલા હાય છે, આ ત્રીજા પ્રકારના જીવા એ જ પરમાત્મા કહેવાય છે અને એ પરમાત્મા તે જ ઈશ્વર છે. આજ સુધીમાં અણિત સંખ્યાના આત્માએ સદાને માટે અહિરાત્મદશામાં જ રહ્યા છે અને કદાચ અગણિત કાળ સુધી એ દશામાં જ રહેશે; કેટલાક વળી એવા અહિરાત્મભાવથી મુક્ત થઈને અન્તરાત્મા પણ બન્યા છે; જ્યારે કેટલાક એવા અન્તરાત્મભાવમાંથી પરમાત્મભાવ પણ પામ્યા છે અને બીજા ઘણા ય એ પરમાત્મભાવ પામશે. આમ ઈશ્વર એક નથી. જે કાર્ય આપણા જેવા બહિરામા કે અન્તરાત્મા, પરમાત્મભાવને પ્રગટાવે તે બધા ય ઈશ્વરસ્વરૂપ છે એવું જૈન દાનકાનું સ્પષ્ટ મંતવ્ય છે. પરમાત્મભાવ પામ્યા પછી જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થતું નથી ત્યાં સુધી સદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ કહેવાય છે; અને આયુષ્ય પૂર્ણ થયા બાદ વિદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ કહેવાય છે. આવા વિદેહમુક્ત ઇશ્વરા મોક્ષપદ પામેલા કહેવાય છે. આમ એક જ જીવદ્રવ્ય હિરાત્મદશાને, અન્તરાત્મદશાને અને છેવટે પરમાત્મદશાના પર્યાય પ્રાપ્ત કરી શકે છે. આમાં મુખ્યત્વે જીવના પોતાના જ પુરુષાર્થ કારણ બને છે. ઇશ્વર જેવું કોઇ સ્વતંત્ર તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી, જે પેાતાની ઇચ્છાથી જીવનાં આ રૂપાંતરા કરતું હોય. જીવની જે કે સર્વકર્મથી મુક્ત સર્વજ્ઞ અને છે, રાગદ્વેષ વિનાના પરમાત્મદશા છે તે કર્મમુક્તદશા છે. ઘાતીકર્મથી વિતરાગ અને Page #190 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગતક ત્વ [૧૫૫ છે. આ અવસ્થાથી ઊંચું બીજું એવું કોઈ ઈશ્વરી સ્વરૂપ સંભવી શકતું નથી. જો તેવું કોઈ સ્વરૂપ સંભવતું હેાય તે તેની વિશેષતાએ પણ ગણાવવી જોઈએ. અહિરાત્મદશા કે અન્તરાત્મદશાના જીવાત્માની વર્તમાન અવસ્થા અને એની ભાવીમાં સંભવિત બનનારી પરમાત્મા અવસ્થા એ એમાં જો કેાઈ ભેદ પાડનાર વસ્તુ હોય તે તે માત્ર કર્મ છે. કર્મ પુદ્ગલના જીવ ઉપરના અસ્તિત્વને કારણે જ જીવાત્મા પોતે અહિરાત્મ કે અંતરાત્મ અવસ્થામાં રહે છે. જ્યારે એવી સ્થિતિને જાળવી રાખનાર કર્મપુદ્દગલ હટી જાય છે ત્યારે જ એ જીવાત્મા સદેહમુક્ત પરમાત્મા બને છે અને જ્યારે આયુષ્ય ટકાવનારાં કર્મ વગેરે પણ આત્મા ઉપરથી ખસી જાય છે ત્યારે એ સહેમુક્ત પરમાત્મા જ વિદેહમુક્ત પરમાત્મા બની શકે છે. પરમાત્મપદ પામવાની લાયકાતવાળા તમામ જીવેા પરમાત્મા બની શકે છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચેય કારણેા મળતાં જેમ કાર્ય કાર્ય નિષ્પન્ન થાય છે તેમ પરમાત્મભાવને પામવાનું કાર્ય પણ આ પાંચે ય કારણેા ભેગાં મળતાં અવશ્ય નિષ્પન્ન થાય છે. ટૂંકમાં, અહીં એ જ કહેવાનું છે કે જીવાત્માની તમામ અવસ્થાઓ, એનાં વિવિધ સ્વરૂપે, એની વિધિવિધ ક્રિયાઓ-બધું જ એના પેાતાના પ્રયત્નથી જન્ય છે, કર્મ વગેરેથી જન્ય છે. એમાં કાં ય પણ કોઈ ઈશ્વરીય પ્રેરણા માનવાની જરૂર નથી. એટલે જવના મનુષ્ય તરીકે પર્યાય થવા, ગર્ભમાંથી જન્મ પામવાનેા પર્યાય થવા, મોટા થવાના પર્યાય થવા, વકીલ, બેરિસ્ટર કે ડોક્ટર થવાના પર્યાય થવા, કાઈ સ્ત્રીના પતિ થવાના કે ચાર બાળકૈાના પિતા થવાના પર્યાય થવા એ બધાયમાં જીવ-દ્રવ્ય કાયમ જ રહે છે અને જે પર્યંચા થતા જાય છે તે બદલાતા રહે છે, આમાં કચાય ઈશ્વરીય કત્વ માનવાની લેશ પણ જરૂર નથી કે જેના વિના આમાંનું કોઈ પણ કાર્ય અટકી પડતું હોય. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] વિજ્ઞાન અને ધર્મ આ તે જીવ-દ્રવ્યની વાત કરી. હવે જડ-દ્રવ્ય સંબંધમાં પણ જોઈએ. પુદ્ગલદ્રવ્યના પરમાણુઓ અનંતાનંત છે. તેઓ એકબીજાથી છૂટા પણ રહી શકે છે અને બે કે તેથી વધીને અગણિત સંખ્યામાં ભેગા થઈને નાના–મેટા સ્કંધ બનીને પણ રહી શકે છે. એક સ્કંધમાંથી કઈ પરમાણુ જુદો પડીને બીજા સ્કંધમાં ભળી જાય કે બીજા કેઈ સ્કંધને પરમાણુ તે સ્કંધમાં ભળી જાય તેવું પણ બને છે. આમ પુદ્ગલના વિવિધ સ્કમાં પરમાણુઓની ન્યૂનાધિકતા થતી જ રહે છે. આ રીતે એક સ્થળેથી અન્ય સ્થળે મળતા અને વિખરાતા પુદ્ગલ પરમાણુઓ સદા આ જગતમાં રહે છે. પરમાણુ કદાપિ નાશ થત નથી. આમ પરમાણુમાંથી સ્કધ બને છે ત્યારે તે સ્કંધ પર્યાયનો ઉત્પાદ થયે એમ કહેવાય છે, જ્યારે એ કંધને થોડા અંશે કે પૂર્ણ અંશે નાશ થઈ જાય છે ત્યારે પરમાણુના સ્કંધ પર્યાયને વિનાશ થયે એમ કહેવાય છે, પણ આ બે ય સ્થિતિમાં નિત્ય શાશ્વત પરમાણુદ્રવ્યની ધ્રુવતા તે કાયમ જ રહે છે. આ રીતે પરમાણુ પુદ્ગલે પાણીના, અગ્નિના, માટીના વગેરે વગેરે અનંત પર્યાને પામ્યા પણ છે અને એ પર્યાયના વિનાશવાળા પણ બન્યા છે. આવા બધા ઉત્પાદ-વિનાશ પર્યામાં કેટલાક ઘટ-પટ-મકાન વગેરે પર્યાયે મનુષ્ય વગેરેના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે જ્યારે મેઘધનુષ, ગંધર્વનગર વગેરે સ્વરૂપ પર્યાયે મનુષ્ય વગેરેના પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. પથ્થર વગેરે વસ્તુઓથી પર્વતનું બની જવું, પાણીના પ્રવાહો ભેગા થવાથી નદીનું વહેવા લાગવું, વરાળનું પાણરૂપે થઈ જવું, પાણીનું વરસાદરૂપે વરસવું ઈત્યાદિ જે પરિવર્તને આ વિશ્વમાં થાય છે તે બધાં મનુષ્ય વગેરેના પ્રયત્ન વિના જ થાય છે. આવાં પરિવર્તને ઈશ્વરના પ્રયત્નથી થાય છે એમ કહેવું તે તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. વરાળનું પાણીરૂપ થવું વગેરેની પાછળ વૈજ્ઞાનિક કારણે જ રહેલાં છે. બે અંશને હાઈડ્રોજન વાયુ અને એક અંશનો ઓકિસજન વાયુ ભેગા મળે છે તેનું અવશ્ય પાણી થઈ જ જાય Page #192 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગતકર્તુત્વ [૧૭૭ એવા સંજનનું એ જ સ્વાભાવિક પરિણામ છે તેમાં ઈશ્વરના પ્રયત્નને વચ્ચે લાગવાની કશી જરૂર નથી. ધરતીકંપ થવા-લાવારસના પર્વત ફાટવા–વરસાદ પડે વગેરે ઘણી પ્રવૃત્તિની પાછળ વૈજ્ઞાનિક કારણ મળી જ રહે છે. એક સંસારી આત્મા શરીર વગેરે સામગ્રીનું નિર્માણ કરે છે તે કેવા પર્યાયવાળા પુદ્ગલ દ્રવ્યમાંથી, કેવા કર્મસ્વરૂપને પામીને કેવી રીતે કરે છે તેની બહુ સ્પષ્ટ સમજણ જેનદર્શનમાં આપવામાં આવી છે. એટલે કે ઈ પણ બાબતમાં ઈશ્વરીય કર્તા ત્વને વિચારવાની પણ જરૂર પડતી નથી. આવી સમજણને જ્યાં અભાવ છે ત્યાં જ ઈશ્વરકતૃત્વની કલ્પના આકાર પામી શકે. ઈશ્વરકત્વ ઈન્કારતા જૈન-તત્વજ્ઞાનના વિચારમાં મૂળ વાત તે વસ્તુમાત્ર દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ છે. તેમાં, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અવશ્ય હોય છે તે જ છે. તેનું એ દ્રવ્ય છે તે સોનાની વીંટી એ પર્યાય છે. સોનું અને વીંટી બે ય એકબીજાથી જુદાં નથી. આમાં સનું એ નિત્યદ્રવ્ય છે, જ્યારે ઊંટી તે અનિત્યપર્યાય છે. વસ્તુમાત્ર દ્રવ્યમય અને પર્યાયમય છે, તથા વસ્તુમાત્રમાં ઉત્પાદ, ધવ્ય અને વ્યય ભાવ હોય છે. એ વાત પણ વસ્તુતઃ તે એક જ છે. કેમકે ઉત્પાદ અને વ્યય એ વસ્તુને પર્યાય છે, જ્યારે ધ્રૌવ્ય એ વસ્તુનું દ્રવ્યત્વ છે. આ વાત આજ સુધી તે જેન-દાર્શનિકોએ જ કહી હતી. ભગવાન જિનેશ્વરેએ જિનાગમમાં કહી હતી પરંતુ હવે તે વિજ્ઞાન જગતમાં મૂર્ધન્ય ગણાતા આલબર્ટ આઈન્સ્ટાઈન જેવા પણ દ્રવ્ય અને તેની શક્તિ (પર્યાય)ને માનવા લાગ્યા છે અને તે બેયને પણ આજ સુધી સાવ ભિન્ન માનતા હતા તે હવે અભિન્ન પણ માનવા લાગ્યા છે. અંતે તે ધર્મ જ અંતિમ સત્ય છે. વૈજ્ઞાનિકોનું મંતવ્ય એ કાંઈ અંતિમ સત્ય નથી. તેઓ પણ તેમ જ કહે છે એટલે વૈજ્ઞા નિકેને માટે પણ જેનદર્શનનું તત્વજ્ઞાન જ સત્યને ધ્રુવતારો બની વિ. ધ. ૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] વિજ્ઞાન અને ધર્મ રહે છે. પિતાનાં મન્તવ્યમાં ઘણાં પરિવર્તને થતાં રહ્યાં અને અંતે તેઓને એ ધ્રુવસને જ અનેક વખત સ્પર્શવું પડ્યું છે. દ્રવ્ય અને શક્તિના વિષયમાં પણ આમ જ બન્યું છે. ખેર, હવે પણ વૈજ્ઞાનિકે સત્યના ધ્રુવતારાની તરફ પોતાની બુદ્ધિનું નાવડું લાવી ચૂક્યા છે અને એ દિશામાં એ નાવડું હંકારી રહ્યા છે એ જ આનંદની બાબત છે. આજ સુધી દ્રવ્યની જેમ શક્તિને પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વતંત્ર તત્વ તરીકે જ માનવામાં આવતી હતી. પરંતુ આઈન્સ્ટાઈને એ વાત હવે તદ્દન સ્પષ્ટ કરી દીધી છે કે દ્રવ્ય (Metter) અને શક્તિ (Energy) એકબીજાથી અત્યંત ભિન્ન નથી. દ્રવ્ય શક્તિમાં અને શક્તિ દ્રવ્યમાં પરાવર્તિત થઈ શકે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં આઈન્સ્ટાઈનનો આ નિર્ણય કાન્તિકારી ગણવામાં આવ્યું છે. ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાને પદાર્થ સ્વભાવસિદ્ધાંત પૂર્વે કહેવાઈ ચૂક્યો છે. એ વાતનો સાર એટલે જ છે કે પદાર્થમાં પ્રતિક્ષણ નવા આકારની ઉત્પત્તિ થાય છે. પ્રાચીન આકારને વિનાશ થાય છે અને પદાર્થની ધ્રુવતા રહે છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતમાં સમ્મત થઈ જાય છે. શક્તિના રૂપમાં પદાર્થ બદલાતું રહે છે પણ પદાર્થને આત્યંતિક વિનાશ થતો નથી. હવે જ્યારે આ જ વસ્તુસ્થિતિ છે અને પદાર્થનાં જે રૂપાન્તરો થયા કરે છે તેમાં માનવ વગેરેને પ્રયત્ન અથવા કુદરતી પરિણામ જ કારણરૂપ બને છે ત્યારે એ પરિવર્તન કરનાર તરીકે ઈશ્વરને માનવાની જરૂર જ રહેતી નથી. આજનું વિજ્ઞાન તે એવી કઈ પણ આશ્ચર્યજનક જણાતી બાબતની પાછળ પણ કારણે આપીને ઈશ્વરના કર્તુત્વને ઉડાડી દે છે. કૃત્રિમ રીતે વરસાદ વરસાવવાની, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ કરવાની, સમુદ્રના પાણીને નાથવાની, સહરા જેવા અફાટ રણમાં વનસ્પતિ ઉગાડવાની, આસ્ફાલ્ટની સડક બનાવવાની, પાણીનું રક્ષણ કરીને વધુ અનાજ ઉગાડવાની, હિમાચ્છાદિત પ્રદેશમાં સ્થાયી Page #194 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગતકતૃત્વ [૧૭૯ નિવાસ કરવાની, બટન દબાવતાં પ્રકાશ કરી દેવાની, હજારો માઈલ દૂરનાં દશ્ય પરદા ઉપર જોવાની, ત્યાં રહેલા માણસ સાથે વાતે કરવાની વગેરે વગેરે એવી અઢળક શે વિજ્ઞાન કરી ચૂક્યું છે, જેને ગસાધનાથી જ શક્ય માનવામાં આવતી; જેને આશ્ચર્ય ગણવામાં આવતું. વિજ્ઞાને શું કર્યું તેની સાથે આપણને નિસ્બત નથી પરંતુ એની હેતભરી શેધાએ વસ્તુમાત્રની પાછળ કામ કરતાં કારણોની તપાસ કરીને ઈશ્વરીય-ક ત્વની ઉપર ફેરવિચાર કરવાનું જણાવી દીધું છે એ તે સુનિશ્ચિત હકીકત છે. અહીં એક પ્રશ્ન થાય કે જે જૈનદાર્શનિકે ઈશ્વરકર્તુત્વવાદને માનતા નથી તે શું તેઓ અનીશ્વરવાદી છે? આ પ્રશ્ન જાને ત્યાં પૂછવામાં આવે છે એટલું જ નહિ પણ જૈનદર્શનને અનીશ્વરવાદી દર્શન તરીકે ગ્રંથમાં લખી દેવા સુધીનું દુઃસાહસ પણ વ્યાપકરૂપમાં કરવામાં આવ્યું છે. આ જ કારણે જેનેને નાસ્તિક કહેવા સુધીનું સાહસ પણ કેટલાક લોકોએ કર્યું છે. જ્યારે વસ્તુસ્થિતિ સાવ જ જુદી છે. જૈનદાર્શનિકે ઈશ્વરને જ નથી માનતા એમ નથી. તેઓ ઈશ્વરને જરૂર માને છે પણ તેને જગતના ર્તા તરીકે માનતા નથી. કિન્તુ જગતના દર્શક તરીકે માને છે. ઈશ્વર દેણ થાય છે અને કેવી રીતે થાય છે તે વાત પૂર્વે જણાવી છે. એટલે ઈશ્વર તે છે જ, આપણુમાને કોઈ પણ આત્મા રાગ-રષ અને અજ્ઞાનથી સર્વથા મુક્ત થવાની સાધના કરે અને અંતે વીતરાગ સર્વજ્ઞ બને તે તે ઈશ્વર જ બને છે. ઈશ્વર એટલે કોઈ પણ પ્રકારના રાગદ્વેષના સંપૂર્ણ અભાવવાળા પરમાત્મા. એમનામાં સ્ત્રી આદિ પ્રત્યેના રાગની ચેષ્ટા પણ ન હોય, અસુર વગેરેના સંહારનું તાંડવ પણ ન હોય એવાં કારણોસર એમને અવતારે પણ લેવાના ન હોય. ઈશ્વર એટલે આત્માનું સુવિશુદ્ધ પ્રગટ સ્વરૂપ, ઈશ્વર એટલે આ લેકના અંત ભાગમાં સદાના માટે સ્થિર થઈ ચૂકેલા અગણિત વિશુદ્ધ આત્મા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] વિજ્ઞાન અને ધર્મ ઈશ્વર એક નથી. ઈશ્વર અગણિત છે. આવા ઈશ્વર જ્યારે સદેહમુક્ત અવસ્થામાં હોય છે ત્યારે ભેગરસિક આત્માઓને સુખને. સાચે રસ્તો-ઉપદેશ આપવા દ્વારા બતાડે છે. અનેક જીવાત્માઓ એ સુખના રસ્તે પ્રણાય કરે છે અને સાધના કરીને કર્મથી, રાગ-રાથી, અજ્ઞાનથી મુક્ત થાય છે. આવા વિશુદ્ધ આત્માઓ સદેહમુક્ત પરમાત્મા કહેવાય છે. જ્યારે તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે ત્યારે તેઓ વિદેહમુક્ત પરમાત્મા બને છે. ત્યાં તેઓ સદા સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમમાણ રહે છે. એ ત્યાંથી કદી ઉપદેશ વગેરે આપતા નથી કેમકે તેમને મુખ–શરીર વગેરે હતાં નથી, કદી તેઓ અવતાર લેતા નથી. કેમકે તે માટે જરૂરી કર્મ વગેરેથી તેઓ સદા માટે મુક્ત થઈ ગયા છે. તેઓ જ્યાં જ રહે છે, ત્યાં જ સ્વરૂપમાં રમે છે; એ આત્મા આત્માથી આત્માના જ મસ્ત સુખમાં મસ્તાન રહે છે; સદા માટે. પ્ર–તે એવા ઈવર આપણા શા ઉપગમાં આવે? એ આપણું શું ભલું કરે ? આપણું ભક્તિથી જે તેઓ આપણી ઉપર પ્રસન્નતા દર્શાવવા દ્વારા રાગ ન દાખવતા હોય તો પછી એમની ભક્તિને. પણ શું અર્થ? મહેતે મારે પણ નહિ ભણાવે પણ નહિ! ઉના, તેમ નથી. ઈશ્વરના પિતાના સ્વરૂપમાં બે વિભાગ પડે છે. સદેહમુક્તતા અને વિદેહમુક્તતા. એમાં જે સદેહમુક્ત અવસ્થાનું ઈવરત્વ છે તે તે આપણું માટે બહુ સીધી રીતે ઉપયોગી બને છે. એ વિશુદ્ધ આત્મા શરીરસહિત હોય છે કેમકે હજી તેમનું આયુષ્ય પૂર્ણ થયું નથી. એટલે તેઓ સુખને સાચે રસ્તે આપણને સહજ રીતે બતાડે છે. એઓને એવી ઈચ્છા પણ કરવી પડતી નથી કે મારે જગતના અજ્ઞાનજીને જ્ઞાન આપવું છે. ખૂબ જ સહજ રીતે તેઓ સમાગદર્શન કરાવતા હોય છે, એટલે આ રીતે સદેહમુક્ત ઈવરો તે આપણું ઉપર ભારે ઉપકાર કરે જ છે. જે તેઓ પિતાને પ્રાપ્ત થયેલે જ્ઞાનપ્રકાશ આપણું હિતમાં ન લઈ જત તે આપણું અજ્ઞાનના અનંત અંધિયારાને કણ દૂર કરત? Page #196 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગત્યત્વ [૧૮૧ સુખને સાચે રસ્તે ત્યાગમાં છે ભેગમાં નથી!” એ ખૂબ જ મહત્ત્વની વાત કેણ સમજાવત? એ સમજણ વિના ભેગમાં જ સાચું સુખ માની લઈને એની પાછળ શક્તિ, સમય, જીવનને વ્યય કરી નાખીને અશુભ કર્મોના રજકણેને આત્મા ઉપર ચૂંટાડીને મરણ બાદ કેવા ભયંકર દુઃખમાં પટકાઈ પડત? આ બધી દુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેનારા એ સદેહમુક્ત ઈવરો છે. હવે રહી વિદેહમુક્ત ઈકવરની વાત. એઓ પણ ત્યાં રહ્યા રહ્યા અસીમ ઉપકાર કરી રહ્યા છે. ભીમભયંકર સંસારમાં રખડતા આપણામાં એમના જેવી અપૂર્વ સાધનાનું બળ તે નથી જ પરતુ એવી થંડી પળે, થેડી શક્તિ, ડો પ્રયત્ન તે આપણે આ સ્થિતિમાં પણ જરૂર કરી શકીએ છીએ કે જેમાં એ વિદેહમુક્ત ઈશ્વરોને પણ હાથ જોડીને મસ્તકથી ઝૂકી પડીએ, મનથી બોલી દઈએ કે, આપ પરમકૃપાલુ પરમાત્માને હું લાખ લાખ નમસ્કાર કરું છું. આપના દર્શાવેલા માર્ગને જ સત્ય માનું છું. મારા સ્વીકારેલા ઉન્માર્ગથી મારી જ હત્યા કરનારે હું મારી જાતને અસત્ય ભરપૂર માનું છું. આ રીતે એક પણ નમસ્કાર જે અપે છે એની એક જ ક્ષણમાં અશુભ કર્મોના અગણિત રજકણે એક જ ધડાકે આત્માથી જુદા પડીને આકાશમાં વેરાઈ જાય છે, એ રીતે આત્મા વધુ ને વધુ નમસ્કારે અપતે વધુ ને વધુ વિશુદ્ધ બનતે એકવાર પરમાત્મા બની જાય છે. આ સિદ્ધિ પામવામાં એ વિદેહમુક્ત પરમાત્માને જ ઉપકાર નથી? એમણે એવી ઉગ્ર સાધન જ ન કરી હોત તે પરમાત્મા કેણ હોત? પરમાત્મા જ ન હતા તે એ નમસ્કાર કેને હતો? નમસ્કાર ન હોત તો અહંકાર શી રીતે તૂટત? કર્મોનાં જાળાં શી રીતે ફેકાત ? વિશુદ્ધિ શું મળત? બુઝાયેલા દીપમાં ભલે તેલ છે, કેડિયું છે, દિવેલ પણ છે; Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] વિજ્ઞાન અને ધર્મ પરન્તુ તેથી છેડો જ તે પ્રગટી જાય છે? એ માટે એણે પ્રગટી ગયેલા દીપની નજદીક જવું જ રહ્યું. પ્રગટેલા દીપને સ્પર્શ ન થાય ત્યાં સુધી બધું જ નકામું ને? પ્રગટેલે એક દીપ મળી જાય તે એના સ્પર્શમાત્રથી લાખે બુઝાયેલા દીપ પ્રગટી જાય; અને એ દરેક દીપ બીજા લાખેને પ્રગટાવતા જાય. કેવી અપૂર્વ પરાર્થયાત્રા? કેવું સુંદર વિશુદ્ધિકરણ કેવું અદ્દભુત આત્મવિજ્ઞાન! સૂર્ય ઈચ્છતો નથી તે ય સહેજ રીતે અંધકારને દૂર કરે છે. સતત પ્રકાશ રહે છે! અગ્નિ ઈચ્છતું નથી તે ય સહજ રીતે કેટલાયની ઠંડી ઉડાડી મૂકે છે! આવી જ સાહજિક્તા ઈશ્વરમાં છે. એનું સાન્નિધ્ય જે પામે ત્યાં પ્રકાશ પથરાય. ત્યાંથી રાગની ઠંડી ઊભી ને ઊભી ભાગી જાય! આ દષ્ટિએ વિચાર કરીએ તે સુખદુઃખમગ જગતને કર્તા ખરેખર ઈવર જ બની રહે છે. એના બતાવેલા રહે જે ચાલે, એને અંતરથી જે નમે તે સુખી થાય; બીજા બધા દુઃખી થાય. તે શું જગતના જીના સુખદુઃખના સર્જક એ ઈશ્વર જ આ સાપેક્ષવિચારથી ન બને? શું આવી જાતનું ઈવરક્તત્વ જ ખૂબ યુક્તિયુક્ત અને સ્વીકાર્ય નથી? * આ જ તે ઈશ્વરને અનુગ્રહ છે કે તેમણે સંદેહમુક્ત અવસ્થામાં વિધિ–નષેધની આજ્ઞા બતાવી અને ભાવુક જીવે એનું પાલન કરવા લાગ્યા, આ જ એમને અનુગ્રહ છે. રાગ વિનના ઈવરને પિતાની રાગદશારૂપ અનુગ્રહ તે સંભવે જ શી રીતે? * ૪ : શ્વર પરમાર તટુવ્રતસેવનાત ચતો મુરિતરત્તસ્થા શર્તા ચાલ્ગુનમાવતઃ ||–શાસ્ત્રવાર્તાસમુચ્ચય * : आर्थ व्यापारमाश्रित्त्य तदाज्ञापालनात्मकम् । पूज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः દ્વાચિંશદ્દઢાત્રિશિકા Page #198 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગત્ક ત્વ [૧૮ ૩ અથવા તે! ઈશ્વર એટલે પરમ અવયવાળા આત્મા, દરેક સંસારી આત્મા પરમ અવથી યુક્ત જ છે, માટે દરેક આત્મા સ્વરૂપથી તેા ઈશ્વર જ છે અને તે કથી આચ્છાદિત છે એટલું જ. આવા ઈશ્વર—આત્મા સૉંસારનું નિર્માણ કરે છે માટે સૃષ્ટિકર્તા બન્યા અને એવું સ’સાર-નિર્માણ કરવામાં એને પોતાના કની સામે જોવું જ પડે છે, એટલે કની અપેક્ષા રાખીને સુખદુઃખાદિ આપતા જગન્નિર્માતા ઇશ્વર આપણા પોતાના આત્મા જ સિદ્ધ થાય છે. * આ રીતે ઇશ્વરનું જગતૃત્વ જરૂર સિદ્ધ થઈ શકે. પરન્તુ અનાદિ શુદ્ધે જગત્કર્તો ઇશ્વરની સ્વચ્છ કલ્પના કરવાનું તા શકય જ નથી; કેમકે જગતની તમામ ઘટમાળા તેની કલ્પના વિના પણ ઘટી શકે છે. હવે એક જ પ્રશ્ન અહીં કદાચ થઇ શકે કે જો જીવાને સુખાદિ પ્રાપ્ત થવામાં કોઈ સ્વતંત્ર ચેતન-તત્ત્વની પ્રેરણા ન હેાય અને એ સુખાદિ જીવાને કર્યું જ આપી દેતા હોય તા તે કર્યું તેા જડ છે તે શી રીતે જીવને સુખ કે દુઃખ અથવા તેની સામગ્રી આપી શકે? આ પ્રશ્ન બહુ સુંદર છે; અને આનું સમાધાન પણ બહુ સરળ છે; કેમકે આજનું વિજ્ઞાન આ સમાધાન આપવા વહારે ધાયું છે. શું જડમાં કોઈ શક્તિ જ નથી ? એમ માનીને જ આ પ્રશ્ન ઉદ્ભવ્યા હશે ને? પણુ વસ્તુસ્થિતિ તે એ છે કે જડમાં તે અચિન્ત્ય શક્તિએ ભરપૂર પડેલી છે. મરચું જડ છે છતાં જીભ ઉપર મૂકતાં જ આંખમાંથી પાણી નીકળી જાય છે અને આત્મા અકળાઈ જાય છે; ચપ્પુ જડ છે છતાં એને સ્પર્શ થતાં જ આત્મા અરેકારા એલાવી દે છે. હરડે જડ છે છતાં એને રેચ લાગતાં જ આત્મા ઢીલે થઈ જાય છે. + परमैश्वर्य युक्तत्वान्मत आत्मैव वेश्वर; स च कर्तेति निर्दोषः कर्तु वादो व्यवस्थितः શા. વા. સમુ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] વિજ્ઞાન અને ધર્મ બ્રાહ્મીની ગળી જડ છે, છતાં તેના સેવનથી આત્મમાં જ્ઞાન વધે છે. દારૂ જડ છે, છતાં તે આત્મામાં માદકતા ઉત્પન્ન કરે છે. અરે ! ચશ્માં જડ છે છતાં તે પહેરાવાય ત્યારે જ નબળી આંખવાળ આત્મા સારી રીતે વાંચી શકે છે. એટમ બોમ્બ જડ છે, છતાં અનેક આત્માઓને દેહથી ભિન્ન બનાવીને મૃત્યુ અપે છે! કેપ્યુટર જડ છે છતાં ચેતન આત્મા ન કરી શકે તેવા ગુણાકાર કરી શકે છે. ફક્ત ૧૫ સેકંડમાં મોટી રકમના બે બે લાખ ગુણાકાર કરી નાંખવાની રાક્ષસી તાકાત એ ધરાવે છે ! એક કેપ્યુટરને બે ઘડિયાળે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું કે બે ઘડિયાળમાંની એક બગડીને સાવ બંધ પડી ગયેલી છે, જ્યારે બીજી રોજ દસ સેકંડ પાછળ જાય છે તે કયી પાસે રાખવી ? આને જે ઉત્તર એ જડ કેપ્યુટરે આપે એ સાંભળતાં ચેતન જે ચેતન હેરત પામી જાય તેવું છે. એણે કહ્યું કે, “સાવ બગડી ગયેલી ઘડિયાળ પાસે રાખવી કેમ કે તે તે દર બાર કલાકે એકવાર સાચે ટાઈમ બતાવશે જ્યારે બીજી ઘડિયાળ તે ૧૦ સેકંડ રેજ પાછળ જતી જતી ૧૨ વર્ષે એક જ વાર સારો સમય બતાવશે!!! આ છે જડ-શક્તિનું વિજ્ઞાન ! લાખે હિસાબે કરી નાંખે, વર કે કન્યા શોધી આપે, આગાહીઓ કરી આપે, જન્મદિવસ કહી આપે એ કેપ્યુટર સાવ જડ છે. એનામાં ચૈતન્યને કોઈ અંશ નથી. આવી પણ અચિત્ય છે જડની શક્તિ. રશિયાએ એવાં પણ જડ યંત્રે શોધી કાઢયાં છે જે ગ્રંથના ગ્રંથનાં ભાષાંતર કરી નાખે છે, અને અમેરિકાની ગેબેથ કમ્પનીએ તૈયાર કરેલું, બલવાનું વનિક્ષેપક યંત્ર શબ્દો ઝડપીને ટાઇપ પણ કરી દે છે અને સાથે જ ફીટ કરેલા અનુવાદક યંત્રથી માગે તે ભાષામાં અનુવાદ પણ કરી આપે છે. જડની શક્તિની વાતે કરતાં વિજ્ઞાન થાકે નહિ એટલી બધી એણે શું કરી નાખી છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર અને જગત્કતૃત્વ [૧૮૫ હજી એ દિશામાં સ્પષ્ટનિકગતિથી પ્રતિક્ષણ દેડ્યું જાય છે. આવા વિજ્ઞાનના જગતમાં ઈશ્વરકર્તુત્વવાદી જે એ પ્રશ્ન કરે કે કર્મ તે જડ છે, એ જ બધું શી રીતે કરી દે? તે એ પ્રશ્ન જ હાસ્યાસ્પદ બની રહે છે. વિજ્ઞાને શેઠેલાં જડ યંત્રે તે ખૂબ સ્થળ છે. અરે ! અણુપરમાણુ પણ ઘણે સ્થળ છે, છતાં તેનામાં દોડતા ઈલેકટ્રોન પ્રેટ્રોન, ન્યુટ્રોન અને પ્રેજીટેન પણ રાક્ષસી તાકાત ધરાવે છે. તે એ બધાયથી અતિસૂક્ષમ છે કર્મના આણુએ, વસ્તુ જેમ વધુ સૂમ તેમ તે વધુ બળવાન, તે પછી કર્મના રજકણે ખૂબ જ બળવાન હોય તેમાં નવાઈ પામવા જેવું શું છે? દરેક રજકણને આપણે ટાઈમબોમ્બની ઉપમા આપીએ. જ્યારે ફાટે છે ત્યારે જે રજકણમાં જે કાર્ય કરવાની તાકાત હોય છે તે કાર્ય તે જ વખતે તે કરી નાખે છે. ગોષના ભાવથી, મન, વચન, કાયાની પ્રવૃત્તિથી આકાશમાં સર્વત્ર ભરી પડેલા કર્મનાં રજકણે આત્મા ઉપર ચૂંટી જાય છે. અને અમુક સમય જતાં તે એકદમ પિતાનું કાર્ય બતાવી દે છે. જે હિંસા, જૂઠ વગેરેની વૃત્તિ કે પ્રવૃત્તિ કરતાં તે કર્માણુ ચુંટટ્યા હોય તે તેનું કાર્ય નારક કે પશુ જીવન, તથા રંગનાં, ગરીબીનાં, મૃત્યુનાં વગેરે દુઃખે દેવાનું છે. અને દયા, દાન, પ્રેમ વગેરેની વૃત્તિ પ્રવૃત્તિ કરતાં જે કર્માણ ચૂંટટ્યાં તે કર્માણનું કાર્ય શ્રીમંતાઈ, સુંદર રૂપ, સુંદર આરોગ્ય, દેવ કે માનવનું જીવન વગેરે દેવાનું છે. કઈ પણ કર્માણ જ્યારે આત્માની ઉપર ચેટે છે ત્યારે તે જ વખતે એ કર્માણની ચાર વાતે નકકી થઈ જાય છે. (૧) એને સ્વભાવ (સુખ-દુઃખ વગેરે દેવાનો.) એને આત્મા ઉપર રહેવાને સમય (વર્ષ, પાંચ વર્ષ, હજારો વર્ષ,) એની તાકાત (૧ પાવર, ૨ પાવર, ૩ કે ૪ પાવરની.) અને એનું પ્રમાણ (કર્માણુની સંખ્યા) આ ૪ ( Nature, Time, Power, Bulk.) 452 0414 Hol a shie કેટલેક સમય શાન્ત પડ્યા રહે છે અને પછી પિતાનું કાર્ય બજાવી નાખે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] વિજ્ઞાન અને ધર્મ જીવન આપવા આપવાનું હોય તે કર્માણ જ્યાં સુધી એ કર્માણુ શાન્ત અવસ્થામાં પડી રહે છે ત્યાં સુધીના કાળમાં તેમના સ્વભાવમાં, સ્થિતિમાં અને રસ વગેરેમાં ફેરફાર કરી નાખવાનું શક્ય છે, અને તેથી જ અનેક આત્માઓ સંત બનીને સુંદર આચાર, વિચાર અને ઉચ્ચારનું જીવન જીવે છે, એથી જન્માંતરમાં ચોટેલા કર્માણઓ કે જેમનું કાર્ય સ્ત્રી, પશુ, નારક વગેરેનું જીવન આપવાનું હોય છે, અથવા તે જેમનું કાર્ય રેગ, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરે આપવાનું હોય છે. એ બધું પલટાઈ જાય છે અને સુંદર કાર્યો નિપજાવવાની સ્થિતિમાં તે કર્માણુઓ ફેરવાઈ જાય છે. આ હકીકતના કારણે જ જૈનદર્શન પ્રારબ્ધવાદી નથી કિન્તુ પુરુષાર્થવાદી છે. જ્યારે સારા કાર્ય અને માઠાં કાર્ય-બે ય કાર્ય બતાવનારાં કર્મોને વિશુદ્ધ તપની ઉગ્ર સાધનાના અગ્નિમાં બાળી નાંખવામાં આવે છે ત્યારે કર્મમુક્ત બને તે આત્મા પરમાત્મા બને છે. આવી છે જડ એવા કર્મની અચિત્ય શક્તિ. વૈજ્ઞાનિકોની દુનિયામાં તે હવે સૂક્ષ્મ થતા જડની અગાધ શક્તિની વાત કરવી એમાં કશું જ આશ્ચર્યજનક રહ્યું નથી. અને તેથી જ સમગ્ર સંસારનું સંચાલન આ કર્મો જ કરી લે છે એમ માનીને તે તમામ વૈજ્ઞાનિકે એ વાતને જરા ય આશ્ચર્ય વિના વધાવી લે. જ્યારે આ એક વસ્તુસ્થિતિ છે ત્યારે ઈશ્વર જેવા એક જગત્કર્તા તરીકેના સ્વતંત્ર તત્વને માનવાની લેશ પણ જરૂર રહેતી નથી. જે રાગરેષમુક્ત હોય તે વળી કોઈના ઉપર રાગ કરીને રિઝાવે, કેઈન ઉપર રેષ કરી મારપીટ કરે એ બધું શું સંભવિત છે? અને જે એ બધું તે તે જીવના કર્મના અનુસાર તેને કરવું પડતું હોય તે તે તે કર્મ જ અચિત્ય શક્તિસંપન્ન છે. તે જ એ બધું કરી લે છે એમ જ શા માટે ન માનવું? આ ઈશ્વરત્ત્વવાદ આજની વિજ્ઞાની દુનિયામાં તે નિતરાં અસંગત ઠરે છે અને એ રીતે આધુનિક વિજ્ઞાન જેનદાર્શનિકેના એક અદ્વિતીય સત્યને શિર ઝુકાવે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ શાક-દીદીkk «€------- - Ne - - 8 ખંડ: ૨ - ooooooooooo - [ચાર વિભાગમાં ] - -- - - -- - - - - - આત્મવિજ્ઞાન - -&- - - - - - - - - - - - વિભાગ ચોથ - - અન્ય જીવસૃષ્ટિ - - - Page #203 -------------------------------------------------------------------------- ________________ [૧૪] વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ ભગવાન જિનેશ્વરદેવે મુખ્યત્વે બે પ્રકારના છ કહ્યા છે. (૧) પિતાની સાહજિક ગતિથી હાલી–ચાલી ન શકે તેવા અને (૨) તેવી ગતિથી હાલી–ચાલી શકે તેવા. જેમનામાં હલનચલનની શક્તિ હોય તે જીવેને જૈન પરિભાષામાં ત્રસ કહેવાય છે. જ્યારે બાકીના જીને સ્થાવર કહેવામાં આવે છે. ત્રસ જીવેના વળી ચાર પ્રકાર છે, જેનાં નામ આપણે પૂર્વે જાણ્યાં-દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ. આમાં જે તિર્યંચ જીવે છે તેમાં જ કેટલાક ત્રસ છે અને કેટલાક સ્થાવર પણ છે. એ સ્થાવર જીવોના પાંચ પ્રકાર છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. હાલ અહીં તે આપણે “વનસ્પતિ” ની વિચારણું કરીશું. વનસ્પતિમાં પણ જીવ છે એ વાત તે હવે સર જગદીશચન્દ્ર બોઝે સાબિત કરી આપી છે. પણ ભગવાન જિનેશ્વરદેવે તે પહેલેથી જ વનસ્પતિમાં જીવત્વની વાત કરી દીધી છે. જેનદર્શનને પામેલું નાનું બાળક પણ જીવવિચાર નામનું પ્રકરણ ભણીને આ વાત કહી શકે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ [૧૮૯ વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ અહીં એ અંગેની શાસ્ત્રીય યુક્તિઓ આપવાને બદલે આજે જે રીતે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ થઈ છે એ જ વિચાર રજૂ કરે છે. લેકમાનસ આજે વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થયેલું છે તે તેને જ લાભ ઉઠાવીને સહુને તત્વજ્ઞાનના પ્રેમી કેમ ન બનાવી દેવા? વનસ્પતિ-વિજ્ઞાનના વિચારમાં આપણે બે વાત વિચારશું. (૧) વનસ્પતિ જીના ભેદ. (૨) વનસ્પતિ જેમાં સંજ્ઞાઓ. (૧) વનસ્પતિ જીવોના ભેદઃ વનસ્પતિના તમામ પ્રકારના છ એક ઇન્દ્રિયવાળા જ હોય . છે. કયા જીવને કેટલી ઈન્દ્રિય હોય છે તેનું ભગવાન જિનેશ્વરોએ હેરત પમાડે તેવું અદ્ભુત વર્ગીકરણ જણાવ્યું છે એ વાત આપણે આગળ વિચારીશું. અહીં તે એટલે જ વિચાર કરે છે કે જે વનસ્પતિના જીવે છે તે બધાયને તેમણે એક ઈન્દ્રિયવાળા કહ્યા છે. સામાન્યતઃ ઈન્દ્રિયે પાંચ છેઃ કમળ, ખરબચડે વગેરે ૧. | સ્પર્શનેન્દ્રિય કે ચામડી | સ્પર્શ જાણવાની શક્તિ વાળી ઈન્દ્રિય. ૨. | રસનેન્દ્રિય | જીભ | તીખ, મીઠે વગેરે સ્વાદ જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. ૩. | ધ્રાણેન્દ્રિય નાક | સુગંધ, દુર્ગધને જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. ૪. ચક્ષુરિન્દ્રિય| આંખ જેવાની શક્તિ ધરાવતી ઇન્દ્રિય. ૫. | શ્રોત્રેન્દ્રિય | કાન સાંભળવાની શક્તિ ધરાવતી ઇન્દ્રિય. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] વિજ્ઞાન અને ધર્મ આ પાંચમાં જે છે “એક ઈન્દ્રિય’ના વિભાગમાં છે તે બધાને પહેલી, માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે. બીજી કોઈ હેતી નથી. એ રીતે જેઓ “બે ઈન્દ્રિયવાળા હોય તેમને પ્રથમની બે જ ઇન્દ્રિ હોય છે. એ રીતે આપણે જેવા પાંચ ઈન્દ્રિયવાળા જીવેને તમામ -પાંચે ય ઇન્દ્રિય હોય છે. બધા વનસ્પતિ છે એક ઈન્દ્રિયવાળા હોય છે. આ વનસ્પતિ અને વનસ્પતિકાય કહેવામાં આવે છે. વનસ્પતિ એ જ જેમની કાયા (શરીર) છે એવા જીવોને વનસ્પતિકાય કહેવાય છે. આ વનસ્પતિકાય જીના બે પ્રકાર છે. કેટલાક એવા છે, જે અનંતની સંખ્યામાં હોવા છતાં તેમને બધા વચ્ચે એક જ શરીર હોય છે. લીલ, ફૂગ, સેવાળ, બટાટા વગેરે આવી જાતની વનસ્પતિમાં સમાવેશ પામે છે. કદાચ આ વાત ન પણ બેસે કે એક નાનકડા શરીરમાં આટલા બધા જીવ શી રીતે રહે? પણ હવે એને જવાબ વૈજ્ઞાનિકે આપે છે. તેમણે એવી શોધ કરીને કહ્યું છે કે સોયના અગ્ર ભાગ ઉપર નવ કરોડ જતુ રહી શકે છે. એક વાળમાં ૪ હજાર જતુ રહી શકે છે. ટિકિટ ઉપર ફટાલ્યાકટેરિયા નામનાં ૨૫ કરોડ જતુ રહી શકે છે ! એક રતલ લીલી દ્રાક્ષ ઉપર બાવન કરોડ એંસી હજાર જતુ રહી શકે છે. - જ્યારે બીજા પ્રકારના જ એવા છે, જેમને આપણી જેમ એક જીવને એક સ્વતંત્ર શરીર પ્રાપ્ત થયું હોય છે. કેરી, મોસંબી, તુરિયાં, દૂધી, ઘાસ વગેરે વનસ્પતિ આ પ્રકારમાં સમાવેશ પામે છે. જૈન પરિભાષામાં અનંત જીવ વચ્ચે એક જ શરીરવાળી વનસ્પતિને નિગદ-સાધારણ વગેરે નામથી ઓળખાવાય છે, જ્યારે એ સિવાયની એક વગેરે જીવવાળી વનસ્પતિને પ્રત્યેક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વનસ્પતિમાં માત્ર સ્પર્શનશક્તિ છે એટલે તેને ટાઢ, તડકાની અસરે જરૂર છે. આગ લાગે તે તેની ઝાળ લાગતાં જ તે જી અત્યન્ત ત્રાસી ઊઠે છે; કોઈ કુહાડી કે છો મારે ત્યારે પણ Page #206 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના જ્વા અને સના તેએ કારમી વેદના અનુભવે છે. આથી જ ભગવાન જિનેશ્વરાએ જવાને લેશ પણ ત્રાસ ન થાય તે માટે તેના કોઈ પણ પ્રકારના ભૌતિક દૃષ્ટિના ઉપયોગ કરવાને નિષેધ કર્યાં છે. આપણી સામે જે ફળ, ફૂલ, વ્રુક્ષ, ઘાસ, લીલાં ફૂલ, લતા, વેલડી દેખાય છે તે બધાં ય વનસ્પતિ કહેવાય. આ સિવાય પણ આપણે જેને આંખેથી જોઈ ન શકીએ એવી વનસ્પતિના તે ફાઈ સુમાર નથી. અહીં તા આપણે એટલું જ કહેવું છે કે વનસ્પતિના આ બધા ભેઢા જીવવાળા છે એ વાત તુવે સિદ્ધ થવા લાગી છે. સર જગદીશચન્દ્રે એ સિદ્ધિ પાછળ જીવન પસાર કર્યું. અને સહુના આશ્ચર્ય વચ્ચે એમણે વનસ્પતિમાં જીવત્વની જાહેરાત કરી. બેશક, એથી જગતને ખૂબ આશ્ચર્ય થયું; પરંતુ ભગવાન જિનના અનુયાયીને તેમાં આશ્ચર્ય થાય તેવું કશું હતું જ નહિ; કેમકે એ તે પ્રથમથી જ જાણે છે કે વનસ્પતિમાં જીવ છે અને છે જ. આવશ્યક છે કે જે સિદ્ધિ માટે મોટા મોટા સમગ્ર જીવનનું બલિદાન કરવું પડે એ સિદ્ધિ કોઈ ભગવાન જિનેશ્વરે પ્રાપ્ત કરી એની પાછળ કેવું શકાય? અહીં વિચાર કરવા વૈજ્ઞાનિકોને પેાતાના [૧૯૧ માટે જ ભગવાન જિનનિઃશ ક સર્વજ્ઞ હતા. (૨) વનસ્પતિ જીવામાં સ’જ્ઞાઓ : ભગવાન જિનેશ્વરે કહ્યું છે કે, નાનામાં નાના કે મોટામાં મેટા દેહધારી જીવમાં પણ ખાવાની-પીવાની-વૈષયિક વાસનાનું પોષણ કરવાની અને વસ્તુ ઉપરની મૂર્છાની વાસનાઓ રહેલી છે. કીડીમાં પણ આ વાસનાએ છે. હાથીમાં પણ આ વાસનાએ છે, દેવમાં અને માનવમાં પણ આ વાસનાઓ છે. ફળફૂલના જીવમાં અને લીલ, ફુગ કે સેવાળમાં પણુ આ વાસના છે. આજ સુધી પણ પ્રયાગ વિના વિરાટ મળ કલ્પી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] વિજ્ઞાન અને ધર્મ જિનેશ્વર ભગવંતએ કહેલી વાતમાં કઈ શ્રદ્ધા કરે તેમ ન હતું કે પારામાં ભયંકર વિષયવાસના હોય છે, કે લજામણીમાં ભયની સંજ્ઞા હોય છે, કે બકુલને રૂપવતી નવેઢા લાત મારે અને તે ખીલી ઊઠે છે. હવે આવી વાતને સહુ માનવા લાગ્યા છે. કેમકે વૈજ્ઞાનિકેએ આ સત્યને શિર ઝુકાવ્યું છે. અગાધ પરિશ્રમના અંતે, અગણિત પ્રયોગો કરીને પણ એમણે આ સત્ય સ્વીકાર્યું એ જ આપણે મન આનંદની બીના છે. (૧) ફ્રેંચ વૈજ્ઞાનિક કવિ પિતાના ૧૮૨૮ના પ્રાણરાજ્યમાં લખે છે કે વનસ્પતિ પણ આપણું પેઠે સચેતન છે. એવું અમુક સલતનતની વનસ્પતિસૃષ્ટિમાં જોવા મળે છે. તેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, એકિસજન, નાઈટ્રોજન વગેરે પોતપોતાનાં ત લે છે અને રક્તાશય વગરની વનસ્પતિઓ, જેને બીજાં જંતુની પેઠે મેં કે હાજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જતુની પેઠે વિવર દ્વારા આહાર લઈને પિતાના દેહમાં પચાવ છે. (૨) વિખ્યાત સૂક્ષ્મદ્રષ્ટા શેમાન તે ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણને પાયે એક જ છે. આહાર સંજ્ઞા : (૩) ક્યારેબાચે સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિ પણ પિતાના ચૌતન્ય વડે ખનિજ પદાર્થ લઈને, તેને પિતાને લાયક ખનિજ પદાર્થ રૂપે પરિણમાવે છે. (૪) ઈશ્યાલીમ નામની વનસ્પતિ કીડાના શરીરને ખાઈને ઉદરપોષણ કરે છે. (૫) આપણે ખેરાક હાજરીમાં જઈને શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લેહી બને છે, તે જ વનસ્પતિને ખોરાક પત્રમાં શુદ્ધ થઈને પુષ્ટિકારક રસ બને છે. વનસ્પતિનાં મૂળ એવાં શક્તિવાળાં હોય છે કે તે ગમે ત્યાં પાણીના સ્થાને પહોંચી જાય છે. એક બાવળનાં મૂળ પાણી માટે ૬૬ ફૂટ દૂર રહેલા કૂવામાં જઈ પડ્યાં હતાં. Page #208 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના છે અને સંજ્ઞાઓ [૧૯૩ (૬) અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓનાં સેંકડે નામ નોંધાયાં છે. આ બીનાની શોધમાં વનસ્પતિના સ્વભાવનું વર્ણન અમેરિકન ઉભિજવેત્તા કટીસે ઈ. સ. ૧૮૩૪માં કર્યું હતું. ત્યાર બાદ કાનીયે આ કાર્ય કર્યું હતું. ત્યાર પછી૪૦ વર્ષ બાદ-હુકરે તે વાતની પૂતિ કરતું ભાષણ કર્યું હતું, આખરે ડાવિને ૧૫ વર્ષના પ્રયાસ બાદ માંસ ખાનારી વનસ્પતિની નામવાર ઓળખ આપી હતી. એમાંની કેટલીક વનસ્પતિનાં નામે અહીં આપવામાં આવે છે. (૭) સેરાઃ ઈગ્લેંડ, આસામ, બર્મા, છોટાનાગપુર વગેરે દેશમાં આ વનસ્પતિ થાય છે. એનાં પાંદડાં ભૂમિમાં સંલગ્ન રહે છે. આ પાંદડાં ઉપર ચીકાશવાળા સેંકડે નાના ભાગે હોય છે. તે ઉપર મચ્છર, માખી બેસતાં જ ચૂંટી જાય છે. પછી તે વનસ્પતિને જીવ મચ્છર વગેરેને પાંદડામાંના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પિતે જતુ ઉપર ઊંધા થઈ પિતાને રસ તેની ઉપર નાંખે છે. પંદરવીશ મિનિટમાં જ તે જંતુ મરી જાય છે. અંતે ચારથી દસ કલાકે પાંદડાં સંકેચાઈ જાય છે. વળી પંદર વીસ દિવસે એ પાંદડાં ઊઘડે છે, અને ફરી કાંટામાં નવ રસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક કિયા બે વાર થયા બાદ તે પાંદડું ખરી પડે છે. (૮) સૂર્યશિશિરઃ આ વનસ્પતિ કુબી, પનીર, પુષ્પરજ, નખ અને માંસ સદ્ધને પચાવી શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તે ચરબી, તેલ વગેરે પદાર્થોને મૂત્રની પેઠે બહાર પણ કાઢી નાખે છે. (૯) ડાઈવાનિયાનિયા : આ વનસ્પતિ પણ ઉપર પ્રમાણે જ હિંસક છે. તેના વાળને જંતુ અડે કે તરૂ જ પાંદડાં બિડાઈ જાય છે અને જંતુને જોરથી દાબી દઈને મારી નાખે છે. તે પછી ૩૮ કલાકથી માંડીને ૮-૧૦ દિવસમાં ગમે ત્યારે ઊઘડે છે. અમેરિકન પ્રકૃતિતત્ત્વવિદ્ ટ્રિટ કહે છે કે આવી ક્રિયા ત્રણ વાર થયા બાદ આ પાંદડાં થાકી જાવે છે. વિ. ધ. ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] વિજ્ઞાન અને ધર્મ (૧૦) પીંગીકુલાઃ આ વનસ્પતિનાં પાંદડાં ઉપર કેરા ગ્રંથિવાળા કાંટા હોય છે. તેમાં જીવ ચૅટી જતાં પાંદડાં બંધ થઈ જાય છે, અને જતુને પચાવીને પિતાની જાતને પિષણ આપે છે. (૧૧) ભેરી : આ વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે, તેનાં ઘણું પાંદડાં ભેગાં થઈ જવાથી તેને ઢાંકણવાળ દેખાવ બને છે. તેનું ઢાંકણ નિયત કાળે ઊઘડે છે અને બંધ થાય છે. તે ઊઘડતાં કીડી, પતંગિયાં વગેરે, તેમાં રહેલા પાણીને લેભે ત્યાં આવે છે અને તેમાં ફસાતાં મરી જાય છે. (૧૨) માલકઝાઝિઃ બંગાળનાં તળાવમાં આ વનસ્પતિ નજરે પડે છે. કીડીઓ સહેલાઈથી પ્રવેશી શકે તેવી તેના પાંદડામાં નળીઓ હોય છે. પેઠેલી કીડીઓ પાછી નીકળી ન શકવાથી ત્યાં જ મરી જાય છે. (૧૩) એક અમેરિકન ઝાડ પોતાની વડવાઈઓથી પિતાની પાસે અમુક હદમાં આવેલ મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાખે છે. વનસ્પતિમાં પણ કેવી ક્રૂરતા ! (૧૪) અમેરિકન પ્રખ્યાત ડેફટર “હેલી” કે જેણે “ધી ઓરીજીન એફ લાઈફ નામે ગ્રંથ લખે છે. તેમાં તે ડેસીરા વનસ્પતિના છોડ વિષે લખે છે કે તેનાં પાંદડાં ઉપર કઈ પણ જંતુ બેસતાં જ તેના છોડના કાંટા જતને ભીંસમાં લઈ ચૂસી નાંખીને ફેકી દે છે? આ છેડથી વા ઈંચ ઊંચે પણ છે કે માણસ માખીને ટાંગે તે પણ તે વનસ્પતિ જીવ પિતાના પાંદડાના કાંટા ઊંચા કરીને તે માખીને પકડીને ચૂસી નાંખે છે. (સમાલોચક પુ. ૧૯, અંક. ૭, ૧૯૧૪) (૧૫) ભયસંજ્ઞા : લજામણીના છોડને અડતાં જ તે સંકોચાઈ જાય છે એ વાત તેનામાં રહેલી ભયસંજ્ઞાના પુરાવા માટે સચોટ દષ્ટાન્તરૂપ છે લજામણી કાંઈ લાજ પામીને શરમાતી નથી કિન્તુ એ ભય પામીને સંકોચાઈ જાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિના છે અને સંજ્ઞાઓ [૧૯૫ મિથુન સંજ્ઞા (વૈષયિક વાસના) (૧૬) વનસ્પતિમાં બીજા જતુની પેઠે જ મૈથુનસંજ્ઞા છે પરંતુ તે અવ્યક્તપ્રાયઃ હેય છે. કેટલાંક ઝાડ જાણે કે પુરુષરૂપે, કેટલાંક સ્ત્રીરૂપે તથા બને રૂપે છે. સ્ત્રી જાતિના ઝાડને જે ગર્ભ કેસર (ગાંઠવાળતંતુ) હોય છે, જેની નીચે નીજકેશ હોય છે, તે બીજેને ઉત્પન્ન કરે છે. પુરુષ જાતિને પરાગકેસર (ભૂકીવાળ તંતુ) થાય છે. ગર્ભ કેસર સાથેના સંગમાં તેની જનનશક્તિ પ્રગટ થાય છે. કાન્સ અને ઇટાલીના વેલિનેરિયા તથા સ્પાઈરેલિરા રોપાઓને સમાગમ આશ્ચર્ય કરે તે હોય છે. તે રેપા પાણીમાં ઊગે છે, તેના નરકૂલના રેષાઓ અમુક જાતના ઝાડ પર અને જાડી ડાળ પર થાય છે. સ્ત્રી ફૂલના રોપાઓ તેથી જુદા પ્રકાનાં ઝાડ ઉપર ખુની પેઠે ગોળ વીંટાયેલ આંટીવાળા પાતળી અને લાંબી ડાળ ઉપર થાય છે. ફૂલો ખૂબ થતાં નારીફૂલની ડાળને વળ ઊતરી જાય છે. જેથી ફૂલ પાણીની સપાટીએ આવે છે. આ વખતે નરફૂલ પિતાની ડાળીમાંથી તૂટીને પાણીની સપાટી ઉપર આવી નારીફૂલની પાસે જાય છે. નારી ફૂલને અડતાં જ તે ફાટે છે અને તેને પિાલન નારી સ્કૂલમાં પડે છે! વનસ્પતિમાં પણ કેવી કારમી વિષયવાસના ! અને તે શાન્ત કરવા માટે જોરદાર પ્રયત્ન ! (૧૭) વાવીસનેરીયા, સ્પાઈવાલીસ નામની જલવનસ્પતિ કુવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે એટલે તરત પુંજાતના છેડને પરાગ છૂટી કુંવારા સ્ત્રીપુષ્પમાં મળે છે અને પાંદડું બંધ થઈ પાણીમાં ડૂબી જાય છે. (૧૮) તળાવમાં થતી ગાજવનસ્પતિને ફૂલની ઉત્પત્તિ વખતે પુષ્પને મૃણાલ તૂટીને પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રી પુષ્પ તરત ઉપર આવે છે. પુષ્પને પરાગ મેળવવા તે ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે. વનસ્પતિને મૈથુનને આથી વધુ પુરા શે હોઈ શકે? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] વિજ્ઞાન અને ધર્મ જિનાગમમાં તે પહેલેથી જ વનસ્પતિના મૈથુન-વિકારની વાત કહેવાઈ ચૂકી છે. અશોક, બકુલ, ફણસ વગેરે વૃક્ષે અલંકારવાળી નવયૌવના સ્ત્રીના પગના પ્રહારથી, તેના મુખે ચવાયેલા પાનને ગળે નાખવાથી, તેના સસ્નેહ આલિંગનથી સ્પર્શ સુખને ભેગવીને તત્કાળ ફળ આપે છે એમ કહેવામાં આવ્યું છે. આજે તે ઉપરનાં દષ્ટાન્તથી વનસ્પતિની વિષયવાસના સારી રીતે સિદ્ધ થઈ જાય છે. પરિગ્રહ સંજ્ઞા : (૧૯) વેતાર્ક કે આકડો લેભવશ થઈને પિતાના મૂળથી ધનને ઢાંકી રાખે છે. - જિનાગમાં આવા પ્રકારની મૂચ્છના વનસ્પતિ જીવોના અનેક પ્રસંગે આવે છે. આમ જિનાગમમાં કહેલું વનસ્પતિનું જીવત્વનું અને વનસ્પતિમાં આહાર વગેરે સંજ્ઞાઓનું વિધાન સર્વથા સત્ય કરે છે, એમ વૈજ્ઞાનિક દષ્ટિબિંદુથી પણ હવે તે સિદ્ધ થાય છે અને તેથી જ કોઈ પણ જાતની પ્રયોગશાળા વિના કેઈ પણ જાતની સંશોધનવૃત્તિ વિનાના હેવા છતાં જે ભગવાન જિન આવાં પૂર્ણ સત્યને કહી ગયા તે અવશ્ય તેઓ સર્વજ્ઞ હતા એમ માનવું જ પડશે. એમના સર્વજ્ઞત્વની તે શી વાત કરવી? ૧૨ વર્ષ સુધી જેમણે ઘર સાધના જ કરી છે, કઈ પણ જીવને કદી પણ તપાસ્ય નથી છતાં ૧૨ વર્ષની સાધના પૂર્ણ થયા બાદ તેમણે કયા જીવને કેટલી ઈદ્રિય હેય તેનું આખું વર્ગીકરણ રજુ કરી દીધું છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પૃથ્વી : પાણી : અગ્નિ ઃ વાયુમાં ચૈતન્ય પૃથ્વી એક ઇન્દ્રિયવાળા જીવમાં જેમ તેઓએ વનસ્પતિને : ગાણાવી છે તેમ ખીજી ચાર વસ્તુઓ પણ ગણાવી છે. તેમનાં નામ છે પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુ. આ ચારેયમાં તેઓ જીવત્વ માને છે. જ્યારે તેમને શસ્ત્ર વગેરેના આધાત લાગે, અગ્નિ વગેરેને વિશિષ્ટ સયેાગ થાય, ત્યારે જ તેમનામાંથી જીવને નાશ થાય છે. હવે તા એક બંગાળી શેાધકે પૃથ્વીમાં એને પૂર્વોક્ત વનસ્પતિમાં પણ જીવત્વની માન્યતા વ્યક્ત કરી છે. ફેરનેટ નામના મેગેઝીનમાં એક લેખ આવ્યેા છે, જેનું મથાળું Mountain that grows’ છે. તેમાં પણ પૃથ્વી વધે છે એવું સિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જીવત્વ હોય તે જ વધી શકે એવી જિનાગમામાં નિઃશક માન્યતા છે. પાણી : પાણીના પ્રત્યેક બિંદુમાં અસખ્ય જીવા છે એ માન્યતા પણ જિનાગમમાં મહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવામાં આવી છે. પાણીને ‘અકાય' કહેવામાં આવેલ છે. આ શબ્દથી જ પાણીમાં જીવત સિદ્ધ થઈ જાય છે. અપુકાય એટલે પાણી (અપ્=પાણી) જ જેવી કાયા છે તેવા જીવાને અકાય કહેવામાં આવે છે. બિરલા ટેકને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] વિજ્ઞાન અને ધર્મ લેજિકલ એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ એકઝીબિશન, કલકત્તામાં કિસ્કે ગ્રાફ યંત્રની મદદથી પાણીના એક ટીપામાં જે ૩૬,૪૫૦ હાલતા જીવે દેખાડાય છે તે પાણીના જ નથી પરંતુ પાણીમાં રહી શક્તા બે ઈન્દ્રિયવાળા જીવે છે. આથી એ જીને પાણરૂપી શરીરના જીવે ન કહેવાય. અગ્નિઃ એ જ રીતે અગ્નિમાં પણ છવ છે. કેમકે જે જીવ હોય તેને જ ભક્ષ જોઈએ. અગ્નિને ખેરાક લાકડાં વગેરે છે અને પિતાના તે ભક્ષની પ્રાપ્તિથી અગ્નિ વધુ મેટ થાય છે, પુષ્ટ થાય છે. વાયુ વાયુમાં પણ જિનાગ જીવ માને છે. જીવ હેવાથી જ તે કેઈની પ્રેરણા વિના તીરછા પણ જઈ શકે છે. નિર્જીવમાં આ રીતે સ્વયં તીરછા જવાની તાકાત હોતી નથી. • -- Page #214 -------------------------------------------------------------------------- ________________ [૧૬] બે-ત્રણ–ચાર ઇન્દ્રિયવાળા જીવે પાંચ પ્રકારના એક ઈન્દ્રિયવાળા જીની વાત કરી. હવે બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવનું જે અદ્ભુત વિભાગીકરણ કર્યું છે તેને સંક્ષેપમાં જોઈએ. બે ઈન્દ્રિય (૫શ–રસન)વાળા છે ? શંખ, કડા, પેટમાં થતા કૃમિ, જળ (ખરાબ લેહી પીતી), અળસિયાં, લાળિયા જીવ (વાસી અન્નમાં ઉત્પન્ન થતા), મેહરિ (લાકડામાં થતા કીડા), પિરા (પાણીમાં થતા), ચૂડેલ, છીપ વગેરે. ત્રણ ઇન્દ્રિય (સ્પશ–રસન-ધ્રાણુ)વાળા જી : કાનખજુરા, માંકડ, જૂ, કીડી, ઊધઈ, મંડા, ઈયળ, વિમેલ (ખરાબ ઘીમાં થતા કીડા), સવા (વાળના મૂળમાં થતા જી), વિષ્ઠા અને છાણના કીડા, ધનેરા, કુંથુઆ ચાંચડ વગેરે. ચાર ઇન્દ્રિય (પશ–રસન-ધ્રાણુ-ચક્ષુ)વાળા જીઃ વીંછી, બગાઈ, ભમરા, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કળિયે, પતંગિયાં વગેરે. રામ માં થતા ધનેરા, ધાણા , કસારી, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] વિજ્ઞાન અને ધર્મ પાંચ ઇન્દ્રિય (સ્પશ–રસન બ્રાણુ-ચક્ષુ-શ્રોત્ર)વાળા જીવેઃ દેવ, મનુષ્ય, તિર્યંચ (કૂતરાં, બિલાડાં, સાપ વગેરે) અને નારક “માંકડને કેટલી ઇન્દ્રિય છે? લાવ જરા માંકડને પકડી સૂક્ષમદર્શક યંત્રમાં મૂકીને જોઈ લઉં, આવે જેમને વિચાર ન હતા, આવી જેમની કઈ પ્રક્રિયા ન હતી; કશું જ ન હતું, છતાં માંકડને ત્રણે ઈન્દ્રિય, ભમરાને ચાર ઈન્દ્રિય વગેરે વાતે જેમણે કરી તે શી રીતે કરી? અંતર પુકારી ઊઠે છે, કે જરૂર એ સર્વજ્ઞ જ હેવા જોઈએ; આવું સર્વાગીણ સત્ય પુકારનાર ભગવાન જિનને વૈજ્ઞાનિકોનું માથું ફરી એક વાર કેમ મૂકી ન જાય ! Page #216 -------------------------------------------------------------------------- ________________ ઝાકી - - - - - - - - - - - - - - ખ ડ : ૩ Consenso [ ત્રણ વિભાગમાં ] - -- - - - - જડ વિજ્ઞાન - - - - - - વિભાગ પહેલે - ત્રણ અસ્તિકાય અને કાળ - Page #217 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ધર્માસ્તિકાય આત્માનું વિજ્ઞાન અને તત્વજ્ઞાન, એનાં અનેક પાસાંઓથી આપણે વિચાર્યું. જગતમાં મુખ્ય દ્રવ્ય બે જ છે: જડ અને ચેતન. જિનાગમાં જડતત્વના પાંચ પેટભેદ કરીને તેમાં એક ચેતન તત્વ ઉમેરીને જગતને ષ દ્રવ્યાત્મક કહ્યું છે. જગત્ છ દ્રવ્યમય છે. જગતમાં આ છ દ્રવ્ય સિવાયનું કેઈ સાતમું દ્રવ્ય અસ્તિત્વ ધરાવતું જ નથી. આ છ દ્રવ્યનાં નામ છે: ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય. આ છ દ્રવ્યમાં જીવાસ્તિકાય એ ચેતન દ્રવ્ય છે, જયારે બાકીનાં પાંચ એ જડ દ્રવ્ય છે. કાળદ્રવ્ય સિવાયના પાંચે ય અસ્તિકાયસવરૂપ છે, અસ્તિ એટલે વસ્તુથી જુદે ન પડતે એ અવિભાજ્ય (જેના હવે બે કટકા થઈ Page #218 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય [૨૦૩ શકે તેમ નથી તેવા) અંશ. જૈન પરિભાષામાં આવા અવિભક્તનિર્વિભાજ્ય અંશને પ્રદેશ કહેવામાં આવે છે. એટલે અસ્તિના અર્થ પ્રદેશ થાય છે, અને કાય એટલે સમૂહ. " આમ અસ્તિકાયના અર્થ પ્રદેશના સમૂહ થાય. દા. ત., જીવને અસ્તિકાય કહેવાય છે કેમ કે જીવદ્રવ્ય અસંખ્ય પ્રદેશેાના સમૂહરૂપ છે એ જ રીતે ધર્મદ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવેલ છે માટે એને અર્થ પણ એ થયેા કે ધર્મદ્રવ્ય એ અસંખ્ય પ્રદેશના સમૂડ-સ્વરૂપ છે. એ જ રીતે અધર્મ-દ્રવ્ય એ પણુ અસંખ્ય પ્રદેશના સમૂહ સ્વરૂપ છે; આકાશ અને પુદ્ગલ પણ એ જ રીતે પ્રદેશેાના સમૂહ-રૂપ દ્રવ્ય છે; પરંતુ આકાશ એ અનંત પ્રદેશેાના સમૂહરૂપ દ્રવ્ય છે; જ્યારે પુદ્ગલ તે સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશના સમૂહ રૂપ પણ હાય. ધર્મ, અધર્મ, આકાશ એ પ્રત્યેક જગતમાં એક જ છે. અને જીવદ્રવ્ય જગતમાં અનંત છે એમાં ધર્મ, અધર્મ અને જીવદ્રવ્યના અસંખ્ય જ પ્રદેશે! હાય છે; જ્યારે આકાશ દ્રવ્ય એક જ છે અને તે અનંતપ્રદેશાત્મક જ છે, પરંતુ પુદ્ગલદ્રવ્ય તા પરમાણુથી માંડીને અનંતાનંત સંખ્યામાં છે અને તેમાંના કેટલાક સંખ્યાત પ્રદેશાત્મક, કેટલાક અસંખ્યાત પ્રદેશાત્મક તા કેટલાક અનંત પ્રદેશાત્મક પણ હોય છે. ટૂંકમાં, પ્રદેશેાની સંખ્યા ગમે તેટલી હોય પરંતુ ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યે પ્રદેશના સમૂહ-સ્વરૂપ હોવાથી એમને અસ્તિકાય કહેવામાં આવે છે. જ્યારે કાળદ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવતું નથી કેમકે કાળદ્રવ્ય માત્ર વર્તમાન એક સમય–સ્વરૂપ જ છે. એક સમયના પ્રદેશ હાઈ શકે નહિ માટે કાળદ્રવ્ય પ્રદેશેાના સમૂહરૂપ ન હોવાથી તેને અસ્તિકાય કહી શકાય નહિ. જગતમાં મૂળભૂત તત્ત્વા છ જ છે. કોઈ પણ એક તત્ત્વ બીજા તત્ત્વમાં રૂપાંતર પામી શકતું નથી. ચેતન કદી પણ ધર્માસ્તિકાય સ્વરૂપ કે અધર્માસ્તિકાય કે આકાશ કે પુદ્ગલાસ્તિકાયાદિ સ્વરૂપ ન જ બને; તેમ ધમિક પણુ કદી કોઈ પણ અન્ય સ્વરૂપમાં રૂપાન્તર પામી ન શકે. પુદ્દગલદ્રવ્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] વિજ્ઞાન અને ધર્મ પિતાના સજાતીય સ્વરૂપમાં રૂપાન્તર પામી શકે. જલપુદ્ગલ એ પૃથ્વીપુદ્ગલ બની શકે, પરંતુ એ કદી પણ ધર્માસ્તિકાયાદિ સ્વરૂપ તે ન જ બની શકે; આથી જ આ છ તને જગતનાં મૂળ તો કહી શકાય. આ છે તેનું જ સમગ્ર સચરાચર જગત બનેલું છે. જિનાગમમાં આ છ દ્રવ્ય ઉપર ઘણું ચિંતન જોવા મળે છે. એ દ્રવ્યના ભેદો અને પ્રભેદોને વિસ્તારથી વિચાર કરવામાં આવ્યા છે. અહીં તો આપણે વિજ્ઞાન સાથે તુલના કરવા માટે જરૂરી વિચારણ જ કરીશું. છ દ્રવ્યમાંથી છવદ્રવ્યને તે આપણે વિસ્તારથી વિચાર કર્યો છે એટલે હવે બાકીનાં પાંચ દ્રવ્યોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે ક્રમશઃ વિચારીએ. ધર્માસ્તિકાય? ધર્મ એટલે અહીં વિધિનિષેધ રૂપ સદાચારાદિ ધર્મ કોઈએ સમજ નહિ. અહીં “ધમ? એ જિનાગમમાં જ જોવા મળતું પારિભાષિક શબ્દ છે. જિનદર્શન સિવાય કોઈ પણ બીજાં પૂર્વ કે પશ્ચિમનાં કહેવાતાં દર્શનેમાં આ “ધર્મ” તત્વ અંગે નિર્દેશ પણ જોવા મળતું નથી. ધર્મતત્વનું નિરૂપણ માત્ર ભગવાન જિનની જ સ્વતંત્ર સર્વોત્કૃષ્ટ પ્રતિભાનું ફળ છે. જિનાગમમાં ધર્મ દ્રવ્ય એટલે ગતિસહાયક દ્રવ્ય કહ્યું છે. જીવ અને પરમાણુ વગેરે જે ગતિ કરે છે તેમાં સહાયક દ્રવ્ય આ ધર્મ છે. બેશક, ગતિ કરવાની શક્તિ તે જીવ-અજીવમાં જ છે. પરંતુ જ્યારે પણ જીવ-અજવ–ગતિ કરે ત્યારે તેઓ ધર્મદ્રવ્યની સહાય વિના ગતિ કરી શકતા જ નથી. એને અર્થ એ નથી કે ધર્મદ્રવ્ય જીવ-અજીવમાં ગતિ પૂરે છે. ના, નહિ જ. ગતિ તે જીવ-અજીવ પિતે જ કરે છે; પણ ધર્મદ્રવ્યની સહાયથી જ. આ વાત સમજવા માટે અહીં બે દાખલા ટાંકીએ. જેમ માછલીમાં જ તરવા માટેની ગતિ કરવાની તાકાત છે. પાણીમાં તે નહિ જ, છતાં પણ પાણીની સહાય વિના માછલી તરવાની પિતાની તાકાત અજમાવી Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય [૨૦૫. શકતી જ નથી. પાણીની સહાય ન મળે તો માછલી તરી શકતી જ નથી. જ્યારે પણ માછલીને તરવાની ગતિ કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે ઇચ્છાને સફળ બનાવવા માટે પાણે તેને સહાય કરે છે. બીજો એક દાખલે જોઈએ. એન્જિનમાં દેડવાની ગતિ કરવાની શક્તિ છે, છતાં પણ તે પાટાની સહાય વિના તે દોડી શકતું જ નથી, જ્યારે પણ એન્જિન ગતિ કરવા લાગે ત્યારે તેને પાટાની. સહાય તે જોઈએ જ. આ જ રીતે ગતિ કરે છે તે જીવ કે પરમાણુ વગેરે અજીવ જ; પરંતુ તેમની ગતિમાં સહાય કરે છે ધર્મદ્રવ્ય. જેમ માછલીની તરવાની શક્તિ છતાં પાણી વિના તે તરી ન શકે; પાટા વિના જેમ એન્જિન ગતિ કરી ન શકે તેમ જે જગતમાં ધર્મદ્રવ્ય ન હોય તે જીવ કે અજીવમાં ગતિ કરવાની શક્તિ હોવા છતાં તે ગતિ ન જ કરી શકે. એટલે જીવાજીવની ગતિમાં, જીવના જોલવામાં, આ પટપટાવવામાં, મનની પણ ગતિમાં સર્વત્ર આ ધર્મદ્રવ્ય સહાયક બને છે. રે! શરીરના રુધિરાભિસરણની ગતિમાં અને શ્વાસોચ્છવાસ લેવામાં પણ આ ધર્મદ્રવ્યની જ સહાય છે. + જે ધર્મદ્રવ્ય ન હોય તે આમાંની કેઈ પણ ગતિ જગતમાં ન હેત. સર્વજ્ઞ સઘળું સર્વદા સ્થિર જ હેત. આ ધર્મ દ્રવ્ય લેકાકાશમાં (લેકાકાશ એટલે શું? તે આગળ આવતાં આકાશાસ્તિકાય દ્રવ્યના વિવેચનમાં જણાવ્યું છે.) સર્વત્ર વ્યાપ્ત છે. એવું કેઈ સૂફમાતિસૂક્ષ્મ પણ સ્થાન નથી જ્યાં આ ધર્મદ્રવ્યનું અસ્તિત્વ ન હોય, દીવાલની અંદર હિમાલયના પહાડમાં પણ સર્વત્ર + : ધર્મચિહ્યાણ વીવાળું ગામ-મન-માસુખેત. मणजोगा--वयजोगा-कायजोगा । जे यावन्ने तहप्पगास चला भाला सव्वे ते धम्मस्थिकाए पवत्तति ।। ભગ. શ. ૧૩. ઉ. ૪.. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] વિજ્ઞાન અને ધર્મ આ દ્રવ્ય વ્યાપીને રહેલું છે. તે એક જ અખંડ દ્રવ્ય છે. એના બે કટકા કદાપિ થતા નથી. ભૂતકાળમાં સર્વદા આ દ્રવ્ય હતું અને ભવિષ્યકાળમાં સર્વદા આ દ્રવ્ય એ જ રીતે રહેશે; એને વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ કશું જ નથી. માટે એ અરૂપી કહેવાય છે. એને એક જ ગુણ છે જીવ–અજીવને ગતિ કરવામાં સહાયક બનવાનો. + અહીં એક પ્રશ્ન થવા સંભવ છે કે માછલીને પાણીની સહાયકતા પ્રત્યક્ષથી સિદ્ધ છે અને એન્જિનને પાટાની સહાયકતા પણ પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે રીતે જીવ-અજીવની ગતિમાં ધર્મદ્રવ્યની સહાયતા પ્રત્યક્ષથી સિદ્ધ નથી તે તેવા ધમદ્રવ્યની નાહક ક૯૫ના શા માટે કરવી ? આનું સમાધાન એ છે કે પ્રથમ તો જેટલું, પ્રત્યક્ષ હોય તેટલું જ માનવું એ સિદ્ધાન્ત જ બ્રાન્ત છે છતાં તે સિદ્ધાન્ત જડતાપૂર્વક પકડી રાખવામાં આવે તે જીવેલા છતાં આંખ સામે ન દેખાતા વિઘમાન મિત્રને મૃત્યુ પામેલ માનવા પડશે; મરી ગયે હેવાથી ન દેખાતા પિતામહ કે પ્રતિતામહને અસત્ માનવા પડશે. તત્કાળ ન દેખાતાં આંતરડાં વગેરેનું અસ્તિત્વ હસી નાખવું પડશે. પરંતુ જગતમાં “ન દેખાતું પણ માનવું પડે છે. કેમકે પ્રત્યક્ષની + : (१) दव्वओ णं धम्मत्थिकाए एगे दव्वे खेतओ लोगप्पमाणमेत्ते, कालओ न कयावि न आसी, न कयावि नस्थि, जाव णिच्चे; भावओ अवण्णे, अगंधे, अरसे, अफासे; गुणओ गमणगुणे । વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શતક ૨. ઉ. ૧૦ (२) धज्मत्थिकाए णं भन्ते कति वण्णे, कति रसे, कति છે, જતિ સે ? જોગમ? અવળ, જો, શરણે, अफासे, अरुवी, अजीवे, सासए, अबट्टिए लोकदव्वे -ભગ. શ. ૨. ઉ. ૧૦ (३) असंखेज्जा धम्मत्थिकाए पएसा, ते सव्वे कसिणा पडिपुण्ण, निरवसेसा एगागहणेगहिआ! एस णं धम्मत्थिकाएति वत्तव्वं सिया । –ભેગ. . ૨. ઉ. ૧૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય [૨૦૭ જેમ અનુમાન અને આગમ પણ પ્રમાણભૂત ગણાય છે. એટલે “ધમ ' નામનું દ્રવ્ય પણ આગમ પ્રમાણથી મુખ્યત્વે તે માનવું પડશે. પરંતુ તે સાથે તેને માનવામાં યુક્તિ પણ છે જ. સર્વ જેમાં અને પરમાણ વગેરે જડતમાં જ્યારે ક્યારે પણ જે ગતિ જોવા મળે છે તે ગતિઓ પ્રતિ એક સાધારણ બાહ્ય નિમિત્ત તે માનવું જ પડશે કેમકે બધા ય યુગપત્ પણ ગતિમાન દેખાય છે. જેમાં અનેક માછલીએની યુગવત્ ગતિના બાહ્ય સાધારણ નિમિત્ત તરીકે તળાવનું પાણી માનવામાં આવે છે તેમ અહીં પણ તેવું કેઈ ગતિસહાયક દ્રવ્ય માનવું જ પડશે એનું જ નામ “ધર્મ” છે.* વળી જે “ધર્મ” જેવું મર્યાદાવાળું ગતિસૂચક દ્રવ્ય ન હેત તે વિશ્વનું જે સંગઠન જોવા મળે છે તે ન મળત કેમકે પરમાણુઓ સતત ગતિ કરતાં કરતાં ય અનંત આકાશમાં ચાલ્યા જ કરત; સ્ક પણ એ જ રીતે ગતિ કર્યા જ કરત, આમ થતાં પરમાણુ આદિનું જે સંગઠન થાય છે અને તેમાંથી જે વિશ્વ બને છે તે બધું ય ન બનત. એટલે પરિમિત અને સંગઠિત વિશ્વને ઘટમાન બનાવવા માટે જ અમુક મર્યાદામાં રહેનારું એવું “ધર્મ” દ્રવ્ય માનવું જ રહ્યું. જેથી તે મર્યાદાની બહારના આકાશમાં ધર્મદ્રવ્યની સહાયકતા ન મળવાને કારણે પરમાણુ કે જીવ ગતિ કરી શકે જ નહિ. આમ જીવ પુદ્ગલની ગતિના નિયમન માટે પણ આ “ધર્મ'. દ્રવ્યની કલ્પના અનિવાર્ય બની રહે છે. આમ યુક્તિથી પણ ધર્માસ્તિકાય દ્રવ્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકે છે ખરે. પરંતુ હવે તે વૈજ્ઞાનિકો પણ આ દ્રવ્યના જેવા જ–લગભગ આ જ દ્રવ્યને–માનવા લાગ્યા છે. એમણે આ દ્રવ્યને “ઈથર” એવું + : विवादपदापन्नसकलजीवपुद्गलाश्रया असकृद्गतयः, __ साधारण बाह्यनिमित्तापेक्षा, युगपद्भाविगतिमत्वात् । gવાસઃ સક્રિાઝયાનેવામચતિત // -પ્રમેય કમલ માર્તણ્ડ. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] વિજ્ઞાન અને ધર્મ નામ આપ્યું છે. આ ઈથર દ્રવ્ય અંગેની તેમની જૂની માન્યતા અને આજની માન્યતામાં ઘણું બધું અંતર જોવા મળે છે. તેમનું પૂર્વકપિત ઈથર એ જિનાગમમાં જણાવેલા ધમ—દ્રવ્યને જરા ય મળતું ન હતું. પરંતુ તે માન્યતામાં પરિવર્તન આવતાં આવતાં હવે જે વિધાન તેઓ કરે છે તે ધર્મદ્રવ્યને ખૂબ જ મળતું આવે છે. એટલે જ એમ કહીએ તે કદાચ તે ખોટું નહિ કહેવાય કે આધુનિક વૈજ્ઞાનિકનું ઇથર દ્રવ્ય અને જિનાગમનું ધર્મદ્રવ્ય એ બે પ્રાયઃ એક જ હશે. હવે આપણે તેમની માન્યતાઓનાં પરિવર્તન જોઈએ. ઈથરઃ ૧લ્મી સદી પૂર્વે તે વૈજ્ઞાનિકોની દુનિયામાં ઈથર” જેવા તત્વની કઈ કલ્પના પણ ન હતી. પરંતુ એક વાર વૈજ્ઞાનિકના મગજમાં એક પ્રશ્ન જાગે કે સૂર્ય, ગ્રહ, તારા વગેરેની વચ્ચે વિરાટ શન્ય પ્રદેશ પડ્યો છે ત્યાંથી પસાર થતાં પ્રકાશકિરણે એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે શી રીતે ગતિ કરે? અર્થાત્ એમની ગતિનું માધ્યમ શું? આ પ્રશ્નના ઉત્તરરૂપે જ માધ્યમ તરીકે ઈથરની કલ્પના કરવામાં આવી. એ ઈથરને એ વખતે અભૌતિક નહિ પરંતુ ભૌતિતત્ત્વ માનવામાં આવ્યું એટલે કે એમાં ખાસ પ્રકારની ઘનતા પણ માનવામાં આવી અને છતાં એમ કલ્પવામાં આવ્યું કે ઈથરની એ ઘનતા પ્રકાશકિરણની ગતિમાં બાધા પહોંચાડી શકતી નથી. આ હકીકત યુક્તિસંગત ન હોવા છતાં એ વૈજ્ઞાનિક ઈથરને માનવાની લાલચથી મુક્ત તે ન જ રહી શક્યા. એટલું જ નહિ પણ શરીરના એક ભાગની સૂચના મસ્તક વગેરે અન્ય ભાગ સુધી પહોંચી જવામાં પણ તેમણે ઈથરને જ કારણ માન્યું. પણ આ બધાં ઈથર જુદાં જુદાં માન્યાં. પ્રકાશ કિરણેનું ગતિ-સહાયક ઈથર જુદું, અને શરીરમાં સૂચના પહોંચાડવામાં સહાયક ઈથર જુદું. આમ સેંકડે ઈથરોની કલપના કરવામાં આવી. ગમે તેમ હેય પણ ઈથર એ ૧૯મી સદીના વૈજ્ઞાનિકોની જગતને મોટામાં મોટી ભેટ હતી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય [૨૦૯ આવી કલ્પનાઓવાળા ઈથર સાથે જિનાગમમાં કહેલા ધર્મદ્રવ્યને જે કોઈ સામ્ય હતું તે તે માત્ર ગતિ સહાયકતાની દષ્ટિએ જ સામ્ય હતું. તે સિવાય ધર્મદ્રવ્ય એક અને અભૌતિક કલ્પવામાં આવ્યું હતું. જ્યારે ઇથર અનેક અને ભૌતિક કલ્પવામાં આવ્યું હતું. જે અભૌતિક હોય તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઘનતા વગેરે ન હોય તેવું બધું ભૌતિકમાં જ હોય એટલે આમ એ બે વચ્ચે વૈષમ્ય પણ ઘણું હતું. પરંતુ વીસમી સદીમાં “ઈથર' વિષે જે વૈજ્ઞાનિક અન્વેષણો થયાં એણે ઈથરનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. આઈન્સ્ટાઈને અપેક્ષાવાદની દષ્ટિથી ઈથરની અન્તિમ વ્યાખ્યા કરી છે. એના અનુસાર ઈથર અભૌતિક, લેકવ્યાપ્ત, ન દેખી શકાય તેવું અને એક અખંડ દ્રવ્ય છે. ઈથર અંગેની વૈજ્ઞાનિક માન્યતાઓ અંગે “ધ શેટ હિસ્ટરી એફ સાયન્સમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એ બધી માન્યતાઓવાળું ઈથર અને જિનાગમમાં કહેલું ધર્મદ્રવ્ય એ બે તદ્દન જુદાં પડી જતાં હતાં. ઈથર-તત્વને સમજવા માટે વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગ કર્યા છે. જેમાં માઈકલસન મેલેને પ્રયોગ સુપ્રસિદ્ધ છે. આ પ્રયોગ તેણે એક સદી પૂર્વ એડીઓ (Ohio) યુનિ.માં કર્યો હતે. - ત્યાર પછી તે અનેકાનેક પ્રયોગો થયા પરંતુ એમાં તે વૈજ્ઞાનિકની ગતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. ન તે તેઓ તેને અભૌતિક સ્વરૂપમાં માની શક્તા હતા. ને તે તેના અસ્તિત્વની કલ્પના છેડી શકતા હતા. ગમે તેમ હોય પણ વૈજ્ઞાનિકનું ઈથર ધીમે ધીમે જિનાગત ધર્ગદ્રવ્યની વધુ ને વધુ નજદીક આવતું હતું. ભૌતિક વિજ્ઞાનના પ્રમાણભૂત પુસ્તક, ભૌતિક જગતની પ્રકૃતિમાં એ. એસ. એડિટન કહે છે કે, “આનું તાત્પર્ય એ ન સમજવું વિ. ધ. ૧૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] વિજ્ઞાન અને ધર્મ કે ઈથર જેવું કંઈ તત્વ જ નથી. અમારે ઈથરની તે જરૂર છે જ. છેલ્લી શતાબ્દીમાં એ વ્યાપકરૂપમાં માનવામાં આવતું હતું કે ઈથર એક દ્રવ્ય છે જે પિડરૂપ, અને સાધારણ દ્રવ્યની જેમ ગતિમાન છે એ કહેવું મુશ્કેલ થશે કે આ વિચારધારા ક્યારની બંધ પડી ગઈ ? આજકાલ તો હવે એમ મનાય છે કે ઈથર ભૌતિક દ્રવ્ય નથી. અભૌતિક હોવાથી એની પ્રવૃત્તિ તદ્દન જુદી જાતની છે. પિણ્ડત્વ અને ઘનત્વના જે ગુણો ભૌતિક દ્રવ્યમાં મળે છે તેમને સ્વાભાવિક રીતે જ ઈથરમાં અભાવ મળશે પરંતુ તેને પિતાના આગવા નિશ્ચયાત્મક નવા જ ગુણ હશે.ઈથરને અભૌતિક સમુદ્ર!”+ ધર્મદ્રવ્ય અને ઈથર અંગે તુલનાત્મક વિવેચન કરતાં છે. જી. આર. જૈન (એમ. એસ. સી.) નૂતન અને પ્રાચીન સૃષ્ટિવિજ્ઞાન નામના પુસ્તકના ૩૧મા પૃષ્ઠ ઉપર કહે છે કે, “એ વાત હવે પ્રમાણિત થઈ ગઈ છે જેનદર્શનકાર અને આધુનિક વિજ્ઞાનવાદી ત્યાં સુધી તે એ વાતમાં એકમત છે કે ધર્મદ્રવ્ય અથવા તે ઈથર અભૌતિક અપારમાણુવિક, અવિભાજ્ય, અખંડ આકાશ જેવું, વ્યાપ્ત, સરૂપ અને + : This does not mean that the ether is abolished. We need an ether in the last century, it was widely believed that ether was a kind of matter having properties, such as mass, rigidity. motion like ordinary mattet. It would de difficult tr say, when this view died out. Nowadays it is agreed that ether is not a kind of matter, being non-material, its properties are vigeries (quite unique) characters such es mass and rigidity which we meet with in matter will naturally be absent in ether, but the ether willh eve new and definite cheracter of its own...non-material ocean of ether, _The Nature of the physical World. P. 31 Page #226 -------------------------------------------------------------------------- ________________ ગતિને એ અને અને ૨ ધર્માસ્તિકાય [૨૧૧ ગતિનું અનિવાર્ય માધ્યમ તથા પિતાનામાં સ્થિર છે.” * ધર્મદ્રવ્ય અને ઇથર એ બેયને છેવટે પણ કેટલે સુંદર મેળ બેસી ગયે! જૈન સર્વએ અગણિત વર્ષો પહેલાં જે વાત કહી - હતી તે જ વાત ભગવાન મહાવીર સ્વામીએ ૨૫૦૦ વર્ષ પૂર્વે કહી હતી અને તે જ વાતને સર્વજ્ઞભાષિત સત્ય તરીકે આજ સુધી એ જ વિધાન સાથે અબાધિત રીતે સ્વીકારવામાં આવી. જ્યારે બીજી બાજુ એ વાતને કઈ પણ વૈજ્ઞાનિકે કલ્પી પણ ન હતી, ત્યાર પછી ૧૯મી સદીમાં કલ્પના કરી અને તે કલ્પનાનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું, અને અંતે બદલાતું બદલાતું એ સ્વરૂપ ધર્મદ્રવ્યના સ્વરૂપમાં વિલીન થઈ ગયું! એક બાજુ પૂર્ણ તત્ત્વજ્ઞાન છે, બીજી બાજુ અપૂર્ણ વિજ્ઞાન છે. તત્વજ્ઞાન કદી પણ પરિવર્તન પામતું નથી. વિજ્ઞાન સતત પરિવર્તન શીલ બનતું અંતે તત્ત્વજ્ઞાનમાં મળી જાય છે. આજ સુધી એક વિચારધારા ચાલતી આવી છે કે વિજ્ઞાન જ સંપૂર્ણ છે, સર્વ કાંઈ છે. જ્યારે તત્વજ્ઞાન અંધશ્રદ્ધાળુઓનું અવલંબન માત્ર છે. એમાં બધું જ ગપ્પ હોય છે. એમાં પણ વિજ્ઞાનના માવ્યથી વિરુદ્ધ જતું તત્ત્વજ્ઞાનનું મન્તવ્ય તે અવશ્ય તિરસ્કાર્ય છે. આવું વિધાન કરતાં વિજ્ઞાનપ્રેમીઓને આ વાત વિચારવી છે ખરી? જે હજારો વર્ષ પૂર્વે વિજ્ઞાનને કેઈ અંકુર પણ ફૂટ્યો ન હતે તે વખતે જૈન તત્વજ્ઞાન એની પૂરબહારમાં હતું. એ વખતે એ ધર્મદ્રવ્યનાં વિધાન જેવાં અનેક વિધાને થઈ ચૂક્યાં હતાં, વિજ્ઞાન તે ફરતું ફરતું આજે એ વિધાનને પિતાનું શિર ઝુકાવે છે. : Thus it is proved that science and Jain physles agree absolutly so far as they call Dharma (ether) non-material, not-atomic, non-discrete, continuous. Co-extensive with space indivisible and as a necessary medium for motion and which does hot it self move. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] વિજ્ઞાન અને ધર્મ આ વસ્તુસ્થિતિ હોવા છતાં અપૂર્ણ વિજ્ઞાનને પૂર્ણ સમજી લેનારે કેઈ અપૂર્ણ માનવ, પૂર્ણને અપૂર્ણ કહે છે તેને હજી વધુ સમજાવવા કેણ કોશિશ કરે ? બેશક, વિજ્ઞાનની એક વિશિષ્ટતાને જરૂર સન્માનિત કરી શકાય છે અને તે છે તેની સત્યાન્વેષિતા. (પૂર્વે હતી; વર્તમાનમાં તે હવે એમાં ય સંદેહ પડે છે.) અસત્યના રાહે કદમ માંડી દીધા પછી પણ અસત્ય સમજાતાં, અને સત્ય પામતાં જ તે માગેથી પીછેહઠ કરી દેવાની, અસત્યને અસત્ય તરીકે જણાવી દેવાની મોટા મેટા વૈજ્ઞાનિકની પણ હિંમત સાચે જ પ્રશંસા માગી લે તેવી છે. અરે...જીવનાં જીવનેને પ્રયોગોની પાછળ ભેગ આપી દેનારા જે છેવટે શેધે તેને ગસાધનાથી ભગવાન જિન સહજમાં કહી દે એ વાત પણ વીસરી શકાય તેમ નથી. અસત્યવિજ્ઞાન સત્યાન્વેષી ઈને પણ જે પ્રશંસાપાત્ર બનતું હોય તે સત્યમય ભગવાન જિન કેટલી આદરણને પાત્ર બને એની ત્રિરાશી માંડવી જ રહી. Page #228 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] અધર્માસ્તિકાય : આકાશ : પાતાળ અધર્માસ્તિકાય : ધર્માસ્તિકાય પછી બીજું દ્રવ્ય છે. અધર્માસ્તિકાય. જે દ્રવ્ય ધ સ્વરૂપ નથી એટલે કે જીવ–અજીવને ગતિસહાયક બનતું નથી. એટલું જ નહિ પણ એનાથી વિપરીત જે જીવ-અજીવને સ્થિરતામાં સહાયક બને છે તે દ્રવ્યને ‘અધમ' કહેવામાં આવે છે. આ દ્રવ્ય પણુ અસખ્ય પ્રદેશના સમૂહસ્વરૂપ હાવાથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. આ દ્રવ્યનાં બધાં લક્ષણા ધર્માસ્તિકાયનાં લક્ષણા જેવાં જ છે, માત્ર ફેર એટલેા જ કે આ દ્રવ્ય જીવ-અજીવને સ્થિર રહેવામાં સહાયક અને છે. ધામધખતા તાપમાં ચાલ્યા જતા મુસાફરમાં ઊભા રહેવાની શક્તિ હોવા છતાં તે ઊભે રહી શકતા નથી, જ્યારે કાઈ વડલાની છાયા તેને મળે છે ત્યારે જ તે ઊભા રહી જાય છે. એટલે ઊભા રહેવાની તેની ઇચ્છામાં જેમ વડલાની છાયા માત્ર સહાયક અને છે તેમ જીવ–અજીવની સ્થિતિમાં આ અધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] વિજ્ઞાન અને ધ હેજી વૈજ્ઞાનિકે ધર્માસ્તિકાયની જેમ અધર્માસ્તિકાય દ્રવ્ય અંગે કશું વિચારી શકયા નથી. સભવ છે કે આવતી કાલે તેના અગે પણ તે કશુંક વિચારશે. આકાશાસ્તિકાય : લેક : અલાક જિનાગમાની દૃષ્ટિએ આકાશ એક છે અને અનંત છે. અર્થાત્ આકાશના કોઈ અંત જ નથી. છતાં આ આકાશના એ વિભાગ કલ્પવામાં આવ્યા છે: (૧) લેાક-આકાશ. (૨) અલેક- આકાશ. જેટલા આકાશમાં ધર્મ-અધર્માદિ છે તેટલા આકાશને લેાકા કાશ કહેવામાં આવે છે. જૈનપરિભાષામાં ધમ અને અધમ દ્રવ્ય ચૌદ રાજલેાકમાં વ્યાપ્ત છે. એક રાજલેાકના અસખ્ય માઇલ ગણવામાં આવે છે. આપણી પૃથ્વીની નીચે સાત રાજલેાક છે તેમ ઉપર પણ સાત રાલેક છે. આ ચૌદ રાજલેાકમાં સર્વત્ર ધર્મ અને અધર્મ-દ્રવ્ય વ્યાપ્ત છે, માટે જ આ ચૌદ રાજલેાકને લેાકાકાશ કહેવાય છે. ટૂંકમાં, અસખ્ય માઈલેાની લબાઈ, પહેાળાઈ અને ઊંચાઈવાળા લાક છે. આ લોકની ચારે બાજુ વિરાટ અલોક પથરાયેલો છે. ત્યાં ધર્મ-અધ દ્રવ્ય નથી અને એ અનંતાનંત માઇલોને ગણવામાં આવે છે. જેમ ધર્મો અને અધમ લોકાકાશમાં છે તેમ જીવ, પુદ્દગલ અને કાળદ્રવ્ય પણ આ લોકાકાશમાં જ છે. અલોક-આકાશમાં આમાંનું કાંઈ જ નથી. ત્યાં એક પણ જીવ નથી; એક પણ પરમાણુ નથી. કશું જ નથી. લોકને એક બંગડીના ચકરડા જેવા કલ્પવામાં આવે તે તે તેની ચામેર આ સમગ્ર પૃથ્વીના વર્તુળ જેવડા અલોક કલ્પી શકાય છતાં ય અલોકની કલ્પના વામણી લાગે. આ તે જિનાગમની વાતા કરી. પણ આ વાતને પ્રસિદ્ધ ગણિતજ્ઞ પ્રે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ અક્ષરશઃ સ્વીકારે છે. તે કહે છે કે લેાક પરિમિત છે, અલોક અપરિમિત છે. લોકપરિમિત હેાવાને લીધે દ્રવ્ય અને શક્તિ (પર્યાય) લેાકની બહાર જઈ શકતા નથી, Page #230 -------------------------------------------------------------------------- ________________ અધર્માસ્તિકાય : આકાશ : પાતાળ લાકની બહાર તેમને અભાવ છે. નથી માટે જ જડ કે જીવ કોઈ નથી. કેટલું બધુ... સત્યને સ્પર્શેલું આ આવેદન છે. ભગવાન જિનની સજ્ઞતાની સિદ્ધિ માટે બીજા પુરાવાની જરૂર રહે છે ખરી ? કાળદ્રવ્ય આ દ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવતું નથી કેમકે આ દ્રવ્ય માત્ર વમાન એક જ સમય સ્વરૂપ છે તેથી તે પ્રદે શેાના સમૂહરૂપ બની શકતું નથી. સમયથી માંડીને ક્ષણ, મિનિટ, કલાક, દિવસ, માસ વગેરે તેના અનેક વ્યાવહારિક ભેદો પડે છે. ૨૧૫ ધદ્રવ્ય પણ તે લેાકની બહાર પણ દ્રવ્ય ત્યાં ગતિ કરી શકતું કાળનાં વસ્તુત: પાંચ સ્વરૂપે છે. વનાપર્યાંય, (વસ્તુનું વવું તે), પિરણામપર્યાય (વસ્તુનું નવું-જૂનું થવું), ક્રિયાપર્યાંય, (૩ કાળમાં વસ્તુમાં થતી ક્રિયા) અને પરત્વ તથા અપરત્ન પર્યાય. (એકની અપેક્ષાએ બીજાનું દૂ-મોટા વગેરે હાવું, ખીજાની અપેક્ષાએ પહેલાનું નજીક—નાના વગેરે હાવું. કાળ અંગે વૈજ્ઞાનિકાનું કોઈ વિશિષ્ટ સંશાધન ન હેાવાથી આપણે તેની વિગતમાં હું ઊતરીએ. 1 Page #231 -------------------------------------------------------------------------- ________________ 跳跳跳跳跳跳 } :3 [ {delat] 张翠葉翠翠翠帝大帝審審寧寧太審審命太太太太张 能平平平平平平平平平平平平平平平平平平 જડ વિજ્ઞાન o વિભાગ બીજો પુદગલાસ્તિકાય XXXXX 號 Page #232 -------------------------------------------------------------------------- ________________ [૧૯] પરમાણુવાદ છ દ્રવ્યમાં અંતિમ પુદ્ગલદ્રવ્ય છે. આ પુદ્ગલ દ્રવ્ય પરમાણુથી માંડીને અનંતપ્રદેશવાળા સ્કંધસ્વરૂપ હોઈ શકે છે. તેમાં પરમાણુસ્વરૂપ પુદ્ગલ એ અસ્તિકાય ન કહેવાય, કેમકે તે પોતે એક જ પ્રદેશ સ્વરૂપ છે. જ્યારે અગણિત પ્રદેશના સ્કલ્પરૂપ પુગલને અસ્તિકાય કહી શકાય. આ વિષય ઉપર આપણે વિસ્તારથી ચિંતન કરીશું. વિજ્ઞાનું સમગ્ર સંશોધન ક્ષેત્ર આ પુદ્ગલ ઉપર જ આધારિત છે. પુદ્ગલને આધુનિક પરિભાષામાં મેટર અને એનરજી (matter and energy) કહેવાય. પાશ્ચાત્ય દેશોના બુદ્ધિમાન વૈજ્ઞાનિકની એવી માન્યતા છે કે પુદ્ગલ-પરમાણુ સંબંધી પહેલી વાત તે ડેમોક્રેટસ (ઈ. પૂ. ૪૬૦-૩૭૦) નામના વૈજ્ઞાનિકે જ કરી હતી, પરંતુ આ વાત સાચી નથી. ભારતવર્ષમાં તે પરમાણુ-પુગલને વિચાર તે સેંકડે નહિ, હજારે નહિ, કિન્તુ અગણિત વર્ષોથી મળે છે. આ વિચાર પણ જૈનદર્શનમાં જ પદ્ધતિસર નિરૂપાયેલું જોવા મળે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ જૈન આગમાના કથન પ્રમાણે તે જૈન તત્ત્વજ્ઞાન અનાદિકાલીન છેઃ શાશ્વત છે. દરેક ઉત્સર્પિણી અથવા અવસર્પિણીના કાળમાં ચાવીસ તી કર ભગવાન થાય છે. તેએ દરેક સત્યનું પ્રતિપાદન કરે છે. એમના પ્રતિપાદનમાં પરસ્પર કદાપિ વિધ સંભવી શકતા જ નથી. જે કાંઇ ભગવાન આદિનાથે કહ્યું તે જ ભગવાન પાર્શ્વનાથે કહ્યું અને તે જ ભગવાન મહાવીરે કહ્યું. [૧૮ ઐતિહાસિક દૃષ્ટિથી પણ હવે તેા એવું અન્વેષણ કરવામાં આવ્યું છે કે ધર્મ એ વૈશ્વિક અને મૌદ્ધધર્માંથી પણ પ્રાચીન છે.- આજ સુધી ઐતિહાસિક ક્ષેત્રમાં આ કાળના છેલ્લા-૨૪મા જિન મહાવીરસ્વામીનું જ અસ્તિત્વ કબૂલવામાં આવતું હતું, પરન્તુ હવે તે એમની પૂર્વ-૨૫૦ વર્ષ થયેલા ભગવાન પાર્શ્વનાથને પણ કબૂલવામાં આવ્યા છે અને વૈદિક ગ્રન્થામાં તે ભગવાન ઋષભદેવ કે જેઓ ભગવાન મહાવીરથી પણુ અણુત વર્ષો પૂર્વે થયા હતા તેમને પણુ અવતાર તરીકે કબૂલવામાં આવ્યા છે. આમ એથી પણ પ્રાચીન સમયમાં થયેલા તીર્થંકરેાની વાત હમણાં ખાજુ ઉપર રાખીએ તે પણ ભગવાન મહાવીરે પરમાણુ અંગે જે વાતા કરી છે તે જ વાત ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન આદિનાથે કહી છે. પરમાણુનું પ્રતિપાદન કરનાર કોણ ? એ પ્રશ્નનું સમાધાન હવે તરત થઈ જાય છે. ડેમેક્રેટસ તે ઈ.પૂ. ૪૬૦માં થયા; જ્યારે ભગવાન પાર્શ્વનાથ ઈ. પૂ. ૮૪૨ માં થયા. આમ એ બેની વચ્ચે ૪૨૨ વર્ષનું અંતર પડી જાય છે. આમ જ્યારે ડેમે ક્રેટસની પૂર્વે ભગવાન પાર્શ્વનાથ થયા ત્યારે પરમાણુની સત્યકથાઓ પ્રથમ કરનાર ભગવાન પાવનાથ છે. એ વાત નિવિવાદ રીતે સિદ્ધ થઈ જાય છે અને જો ભગવાન આદિનાથના પણ વિચાર કરીએ તે તે ડેમેક્રેટસથી પણુ અગણિત વ પૂર્વે પરમાણુની વાતા ભગવાન + : It is older than Hinduism or Buddhism. ~A History of philosophical system. P, 6. Page #234 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ [૧૯ આદિનાથ કહી ચૂકયા હતા એમ બેધડક કહી શકાય તેમ છે. અહીં તે એટલી જ વાત કરવી છે કે પરમાણુ અંગેના સત્ય વિચાર જૈનાગમમાં જ પ્રથમ રજૂ કરાયે છે. ઇતિહાસવિજ્ઞાએ ડેમે ક્રેટસને પરમાણુના સ્વરૂપના આવિષ્કર્તા કહ્યો છે એ વાત નિતાન્ત અસત્ય છે એ હવે સમજાઈ જશે. આપણે હુમણાં જ જોઈ ગયા કે પુદ્દગલ એટલે આજના વૈજ્ઞાનિકોનુ ( matter and energy), બૌદ્ધોનાં ત્રિપિટકામાં પુદ્ગલ શબ્દ આવે છે ખરા, તે ‘મેટર' અર્થાંમાં નહિ. જે વસ્તુ ખીજી વસ્તુ (દ્રવ્ય કે પર્યાય)થી પુરાય (ભરાતી રહે, અને ગળે (ઘટતી રહે) તે વસ્તુને પુદ્ગલ કહેવાય છે. મોટા સ્કન્ધામાંથી કેટલાક પરમાણુ વગેરે દૂર થાય છે અને કેટલાક નવા જોડાય છે જ્યારે પરમાણુમાં કેટલાક વર્ણાદિ પર્યાયે જાય છે અને કેટલાક આવે છે માટે તમામ કન્ધા અને તમામ પરમાણુ પુદ્ગલ કહે. વાય છે. * જિનાગમામાં છ દ્રવ્યમાં માત્ર પુગલદ્રવ્યને રૂપી જણાવવામાં આપ્યું છે. રૂપી એટલે જે દેખાય તે નહિ, કિન્તુ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શી હાય તે રૂપી. પુગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, એ ગન્ધ અને આઠ સ્પ હાય છે. (૧) પુદ્ગલની સંખ્યા અનંત છે, (૨) તે લેાકાકાશમાં વ્યાસ છે, (૩) સર્વ કાળમાં તેનું અસ્તિત્વ હોય જ છે, (૪) તે વદિવાળું હાય છે અને તેના ગ્રહણુ-ગુણ છે. પુદ્ગલ–દ્રવ્યના ચાર ભેદ છે: (૧) સ્કન્ધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણું. પુદ્ગલ દ્રવ્યના, એ વગેરે પરમાણુના મળેલા કોઈ પણ એક કટકા તે સ્કન્ધ, એવા કોઈ પણ કટકાના બુદ્ધિથી કલ્પેલા એક ભાગ * : પુર્ણાત્ ાજીના ૬ પુત્વા: | Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦] વિજ્ઞાન અને ધ તે દેશ; અને તે સ્કન્ધના કે દેશના એવા એક અંશ જેના હવે એ અંશ ન જ થઈ શકે તેવા તે સ્કન્ધમાં જ રહેàા ભાગ તે પ્રદેશ કહેવાય. અને એ જ પ્રદેશ તે સ્કન્ધથી છૂટા પડી જાય એટલે તેને પરમાણુ કહેવાય. પરમાણુ-પુદ્ગલ અવિભાજ્ય, દેવ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણાતિતીક્ષ્ણ શસ્ત્રોથી પણ તેના એ કટકા થઈ શકતા નથી. અગ્નિથી તે ખળી શકતા નથી. ભય કર -વર્ષોથી પણ તે પલળતા નથી. તેને લંબાઈ, પહેાળાઈ, ઊંડાઈ કે ઊઁચાઈ હોતી નથી, તે પોતે જ આદિ, મધ્ય અને અન્તસ્વરૂપ છે. ઇન્દ્રિયાથી તે જોઈ-જાણી શકાતા નથી. તેમાં પાંચ વર્ણમાંથી એક વર્ણ, પાંચ રસમાંથી કોઈ પણ એક રસ, એ ગધમાંથી કોઈ પણ એક ગધ અને આઠ સ્પર્શીમાંથી કોઈ પણ એક સ્પ હોય છે. તે પણ સ્નિગ્ધ-રુક્ષમાંથી એક અને શીત–ઉષ્ણુમાંથી એક એમ બે સ્પ હાય છે. પરમાણુમાં શબ્દ-ગુણ હાતા નથી. પરમાણુ એ અન્તિમ દ્રવ્ય છે, એનાથી નીચે ખીજુ કોઈ દ્રવ્ય નથી, એટલે તે સ્ક ંધાનું છેલ્લું કારણ બને છે. વળી તે સૂક્ષ્મ છે અને નિત્ય છે. જિનાગમામાં પરમાણુ અંગે કહેલી વાર્તામાં આ ઘણી મહ ત્ત્વની વાતા કહી શકાય. આપણે પૂર્વે જોઈ ગયા તેમ ભૌતિક વિજ્ઞાને મૌલિક પરમાછુના ૧૦૩ પ્રકાર માન્યા છે. તેમનામાં એક બીજાથી ભેદ રહે છે; જ્યારે જિનાગમમાં એકબીજા પરમાણુ વચ્ચે એવી કોઇ ભેદરેખા આંકવામાં આવી નથી. કોઈ પરમાણુ કાલાન્તરે બીજા કોઈ પણ પરમાણુ જેવા બની શકે છે. જલ-પરમાણુએ અગ્નિ-પરમાણુ બની શકે છે. * : પાંચ વર્ષ :—કાળા, લીલો, લાલ, પીળા અને સફેદ. પાંચ રસ :—કડવા, તીખા, તૂરા, ખાટા, મધુર. ખે ગાઁધ :-સુગ્ધ, દુર્ગંધ. આઠે સ્પર્શ —સ્નિગ્ધ-રુક્ષ, શીત-ઉષ્ણુ, ગુરુ-લઘુ, મૃદુ-કક શ. = Page #236 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ [૨૨૧ અને અનિ–પરમાણુ કાલાંતરે પરમાણુ બની શકે છે.* વળી પરમાણુમાં વિવક્ષિત કાળે જે વર્ણ, જે ગંધ,જે રસ અને જે સ્પર્શ હેય તે જ સદા માટે રહેતા નથી, તેમાં પણ ઘણું ફેરફારો થઈ જાય છે. આને કાળે પરમાણુ કાલાન્તરે લાલ પણ હોઈ શકે વળી આજને એક અંશ (ગુણ) કાળે પરમાણુ કાલાન્તરે એક લાખ અંશ (ગુણ) કાળે પરમાણુ પણ બની જઈ શકે. એ જ રીતે ગંધ વગેરેમાં પણ રૂપાન્તર કે ગુણાન્તર થઈ જાય છે. આથી એક જ પર માણુ પણ અનેક પ્રકાર બની જાય છે. એક જ કાળો વર્ણ પણ અનેક પ્રકાર બને છે. પાણીમાં કાળા રંગને એક કણ નાખતાં પાણી કાળું બને, પણ તે કાળાશ સાવ ઓછી હોય છે; પછી બીજે કણ પડતાં તે કાળાશ જરા વધુ ઘેરી બને, ત્રીજા કણે એથી વધુ કાળાશ આવે. એમ “અબજે કણેથી અબજે પ્રકારની કાળાશ જોવા મળે તે તદ્દન સ્વાભાવિક છે. આવું જ ગંધ વગેરેના સંબંધમાં સમજવું. આમ પરમાણુમાં અનંત પ્રકારે પડી શકે છે. કધનિર્માની પ્રક્રિયા : કુંભાર ઘડે બનાવવા માટે જે માટી હાથમાં લે છે એ માટી તે અનંત પરમાણુની કણ-કણ છે, લાકડાના જે માવામાંથી કાગળ બનાવવામાં આવે છે તે માટે તે અગણિત ઔધેને જશે છે. એમ માનવ જ કે દ્રવ્ય બનાવે છે તે દ્રવ્યનું જે ઉપાદાન કારણ છે તે પણ અનંત પરમાણુના સંમિલનથી બનેલું હોય છે. અહીં પ્રશ્ન થાય કે પછી એ માટી કે માવાના પરમાણુઓનું સંજન કેણે કર્યું? ભલે ઘટ કે કાગળ માનવે બનાવ્યું પરંતુ માટી, કે મા બનાવનાર કેશુ? આપણે એ વાત તે પૂર્વે જ જોઈ ગયા છીએ કે કઈ પણ કાર્યમાં ઈશ્વરનું ર્તા – હેતું નથી, એટલે પરમાણુઓના સંયેજનમાં કે ધેના વિઘટનમાં પણ ઈશ્વરકતૃત્વને કોઈ સ્થાન નથી. તે પ્રશ્ન થાય કે કેણ કરે છે એ સંજન અને. x : कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] વિજ્ઞાન અને ધર્મ વિઘટન ? જૈનાગોમાં આ પ્રશ્ન ઉપર સુંદર વિચાર કરવામાં આવે છે. વિજ્ઞાન પણ જેને માન્ય કરે તેને જે વૈજ્ઞાનિક કહેવામાં આવે તે આ વિચારને આપણે વૈજ્ઞાનિક કહીશું. આપણે હમણાં જ જોયું કે દરેક પરમાણુ એક વર્ણ, એક ગંધ, એક રસ, અને સ્નિગ્ધ-રૂક્ષમાંથી એક તથા શીત-ઉષ્ણમાંથી એક, એમ કુલ બે સ્પર્શ હોય છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંગ કરે છે. તેમાં પરમાણમાં રહેલા વર્ણ, ગંધ કે રસને કઈ ઉપગ નથી, તેમ જ જ શીત કે ઉષ્ણ સ્પર્શને પણ ઉપયોગ નથી, કિન્તુ તેમાં જે રિનગ્ધ-કે રુક્ષ સ્પર્શ છે તેને જ ઉપગ છે. તદ્દન સ્વચ્છ આકાશમાં એકાએક વાદળાના સ્કર્ધનું છાઈ જવામાં, તદ્દન શાંત વાતાવરણમાં એકાએક વાવંટોળરૂપે વાયુના સ્કે. ધના વ્યાપી જવામાં અને પછી થોડી જ વારમાં એ બધું વિખારાઈ જવામાં કોઈ મનુષ્ય, કોઈ દેવ કે કોઈ ઈશ્વર કારણ નથી; કિન્તુ પરમાણુના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શેના સ્વાભાવિક રંગો અને વિયોગો જ કારણ છે. જૈન દર્શનકારેએ સ્કધનિર્માણની ખૂબ જ સમુચિત રાસાયણિક વ્યવસ્થા દેખાડી છે. આપણે કાળા વર્ણના અનંત પ્રકારે જેમ જેયા તેમ સ્નિગ્ધતા અને રુક્ષતા પણ એક ગુણથી લગાવીને અનંત ગુણવાળી હોઈ શકે. હવે કયે પરમાણુ કયા પરમાણુ સાથે સંયોગ કરી શકે તેની શરતે જોઈએ. (૧) એવા બે પરમાણુ લે, જે બંનેમાં સ્નિગ્ધતા–ગુણ છે. આ બે પરમાણુઓ સજાતી સ્પેશવાળા છે એટલે તેમની સ્નિગ્ધતા વચ્ચે ઓછામાં ઓછું બે ગુણનું અંતર હોય તે જ તે બે પરમાણુને સંગ થઈને એક આંધ બની શકે. દા. ત., એક પરમાણુમાં બે ગુણ સ્નિગ્ધતા છે તે બીજા પરમાણુમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨) પરમાણુવાદ [રર૩ ઓછામાં ઓછી ચાર ગુણ સ્નિગ્ધતા હોવી જોઈ એ. બીજા એવા બે પરમાણુ લઈએ, જેમાં બંનેયમાં રક્ષતા છે. આ બે પરમાણુઓ પણ સજાતીય સ્પર્શવાળા છે માટે તેમની રક્ષતાના ગુણ વચ્ચે ઓછામાં ઓછું બેનું અંતર પૂર્વવત્ રહેવું જોઈએ. એક પરમાણુમાં બે રુક્ષતા હોય તે તેની સાથે સંગ થવા માટે બીજે પરમાણુમાં ઓછામાં એછી ચાર ગુણ રુક્ષતા હોવી જોઈએ. ટૂંકમાં, સજાતીય ગુણવાળા પરમાણુને સંગ ત્યારે જ થાય, જ્યારે તેમના ગુણમાં ઓછામાં ઓછું બેનું અંતર હોય. (૩) હવે વિજાતીય સ્પર્શવાળા બે પરમાણુના સંગમાં શરત જોઈએ. એક પરમાણુમાં સ્નિધતા છે અને બીજા એક પરમાણુમાં રુક્ષતા છે. આવા બે પરમાણુને સંગ અવશ્ય થાય. ચાહે બેયના સમાન ગુણ હોય કે વિષમ સંખ્યાના ગુણ હોય. બે ગુણ સિનગ્ધતા અને બે ગુણ રક્ષતાવાળા બે પરમાણુને પણ સ્કંધ બને. એક ગુણ રિનગ્ધતા અને બે-ત્રણ કે તેથી વધુ ગુણ રુક્ષતાવાળા બે પરમાણુને પણ સ્કધ બને. (૪) આ શરતમાં એક અપવાદ છે કે એક ગુણ-નિગ્ધતા અને એક ગુણ રુક્ષતાવાળા-જઘન્ય ગુણવાવાળા પરમાણુને કદી સંગ થાય નહિ! જ્યાં શરત લાગુ પડતી હોય ત્યાં તે પરમાણુઓને સ્કંધ બને છે. આમ બે પરમાણુને, ત્રણ પરમાણુને, ચાર પરમાણુને યાવત્ અસંય અને અનંત–પરમાણુઓને પણ એક સ્કંધ બની શકે છે. જ્યાં સુધી પરમાણુના બનેલા સર્કમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના અંશમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે સ્કંધમાં સંયોજિત થયેલે પરમાણુ તે સ્કધમાંથી છૂટો ન જ પડે એ નિયમ નથી. કેમકે સ્કંધમાંથી પરમાણુના છૂટા પડવામાં એ જ માત્ર કારણ નથી, બીજા પણ કેટલાંક કારણે છે. તેમનું જે કઈ કારણ ઉપસ્થિત થાય Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] વિજ્ઞાન અને ધર્મ તે પણ તે પરમાણુ તે સ્કધમાંથી છૂટો પડી શકે છે. તે કારણે આ રહ્યાં: (૧) કોઈ પણ સ્કંધ વધુમાં વધુ અસંખ્યકાળ સુધી જ રહી શકે છે એટલે તેટલે કાળ પૂર્ણ થઈ જાય તે પરમાણુ છૂટા પડી શકે છે. (૨) અન્ય દ્રવ્યને ભેદ થવાથી પણ સકંધનું વિઘટન થાય. (૩) બંધ ગ્ય સિનગ્ધતા-રૂક્ષતાના ગુણેમાં ફેરફાર થઈ જવાથી પણ સ્કંધનું વિઘટન થાય. (૪) સ્કોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ગતિથી પણ એ વિઘટન થાય. સર્વથી વિલક્ષણ-અચિત્ય કહી શકાય તેવી પરમાણુની એક શક્તિ એ છે કે જે આકાશ-પ્રદેશમાં એક પરમાણુ રહી જાય છે એ જ આકાશ-પ્રદેશમાં બીજા પરમાણુ રહી શકે છે અને એ જ આકાશ-પ્રદેશમાં અનંતપ્રદેશવાળે એક સ્કંધ પણ રહી શકે છે. યુગલના ભેદ પ્રભેદ : દરેક સ્કંધમાં પરમાણુ–સમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષમતાની દષ્ટિએ જૈન-દર્શનમાં પુદ્ગલસ્કંધના છ પ્રકાર જણાવવામાં આવ્યા છે. (૧) અતિશૂલ, (૨) સ્થૂલ, (૩) સ્થૂલસૂફમ, (૪) સૂમસ્કૂલ, (૫) સૂમ, (૬) અતિસૂક્રમ. + निद्धस्स निःण दुआहियेण, लुक्खस्स दुआहियेण । निदधस्स लुखेण उवेइ बन्धो, जइन्नषज्जो विसमो समे। वा । ગમ્મસાર, જીવકાષ્ઠ, શ્લોક ૬૧૫. x: zulazųet: Solid સ્થૂલ: Liquid 2442&H: Visible Energy 74842444: Ultra visible but intra Sensual matter 4&H: Ultra Tensual matter અતિસૂક્ષ્મ : Altimate atomlike Page #240 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ [ર૨૫ ૧. અતિસ્થલ : જેમનું છેદન-ભેદન ઇ થશકે, જે ઉપાડી પણ શકાય તેવા પથ્થર વગેરે અતિસ્થૂલ સ્કધ કહેવાય છે. ન ૨. સ્થૂલ : જેમનું છેદન-ભેદ્યન ન થઈ શકે પણ અન્યત્ર વહન થઈ શકે તેવાં ઘી, પાણી, તેલ વગેરે સ્થૂલ કહેવાય. ૩. સ્થૂલસૂક્ષ્મ : જેનું છેદન, ભેદન કે ચક્ષુથી દૃશ્યમાન જ હોય તેવા પુદ્ગલસ્ક ધ સ્થૂલ-સૂક્ષ્મ કહેવાય. વહન પણુ ન થઈ શકે, છાયા-તડકો વગેરે સ્વરૂપ ૪. સૂક્ષ્મસ્થૂલ : નેત્ર સિવાયની ચાર ઇન્દ્રિયેાથી જ જે ગ્રાહ્ય અને છે તેવા વાયુ વગેરે સૂક્ષ્મ-સ્થૂલ પુદ્ગલસ્ક ધ કહેવાય. ૫. સૂક્ષ્મ : આગળ કહેવામાં આવનારી મનેાવર્ગા, ભાષાવર્ગણા, કે કાર્યવર્ગણાના પુદ્ગલસ્કધને સૂમ કહેવાય છે. ૬. અતિસૂક્ષ્મ : એ પરમાણુ વગેરેના અનેલા પુદ્ગલસ્કંધને અતિસૂક્ષ્મ કહેવાય છે. વૈજ્ઞાનિકાએ ટૉસ, તરલ અને બાષ્પ એમ ત્રણ પ્રકારના પુદૂંગલભેદ કર્યા છે. તેએ ઉપરોક્ત પ્રકારમાંથી અનુક્રમે પહેલા, ખીજા અને ચેાથા પ્રકારમાં સમાવેશ પામી શકે. ત્રીજા, પાંચમા અને છઠ્ઠા પ્રકારના પુદ્ગલસ્ક ધને તે હજી વિજ્ઞાનને ખ્યાલ જ નથી આવ્યા એમ કહી શકાય. આથી જ વૈજ્ઞાનિકો જેને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોંધ કહે તે પણ જૈન દાનિકોએ જણાવેલા સૂક્ષ્મ સ્કન્ધ કરતાં અનંતગુણુ માટો જ છે. સ્થૂલ સ્કÀાની પણ સૂક્ષ્મતા કેટલી બધી હોય છે. તે દર્શાવવા પ્રે. અન્ડેડ એવું અનુમાન કરે છે કે એક ઔંસ પાણીમાં એટલા સ્ક" (પરમાણુઓની વાત તે હજી ઘણી દૂર છે) છે કે સંસારના ત્રણેય અમજ માણસા ચાવીસે ય કલાક સુધી ગણતા જ રહે અને દર સેકડે દરેક માણસ ૩૦૦-૩૦૦ રૂધ મહાર કાઢે (દર સેકંડે અખજ ૩૦૦૪૩ અબજ = ૯૦૦ અખજ) તા ચાલીસ વિ. ધ. ૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] વિજ્ઞાન અને ધર્મ લાખ વર્ષ એ એક ઔસ પાણીના બધા સ્કંધ બહાર નીકળે.!!! છે આ બુદ્ધિગમ્ય વાત? ના. છતાં એક વૈજ્ઞાનિકે કહી છે માટે સહુ .. તેને તરત માની લેવાના ! સારુ, જૈનદર્શનમાં તે વિજ્ઞાનના કપેલા સૂમ સ્કન્ધ કરતાં ય અનંતગુણ વધુ સૂકમ સ્કવે છે. હવે જે એક ઔસ પાણીના સ્કલની ઉપરોક્ત વિરાટ ગણતરી પણ મંજૂર હોય તે જૈનદાર્શનિકની અસંખ્ય કે અનંતનું ગણિત હવે નામંજૂર થઈ શકશે ખરું? સ્કંધ અને વૈજ્ઞાનિક મંતવ્ય ધના વિષયમાં વૈજ્ઞાનિકે પણ ઘણી ગંભીર ચર્ચા કરી ચૂક્યા છે. તેમના મંતવ્ય સાથે જિનાગમ કેટલાક અંશમાં મળે છે, તેમ કેટલાક અંશમાં નથી પણ મળતું. વૈજ્ઞાનિકે કહે છે કે સ્કધ તેને જ કહેવાય, જે કટકાના હવે જે બે કટકા કરવામાં આવે છે તે પોતાનું સ્વરૂપ ખઈ નાખે અને બીજા કોઈ સ્વરૂપમાં પરિણત થઈ જાય. દા. ત., પથ્થરના એક મોટા કટકાના બે કટકા કર્યા પછી તે બેના ચાર કર્યા, ચારના આઠ કટકા કર્યા. એમ કરતાં કરતાં કણ-કણમાં એ કટકા રૂપાંતર, પામ્યા. હવે તે છેલ્લા કણના બે કટકા કરવા જતાં જે તે પિતાનું સ્વરૂપ જ બેઈ બેસે તેવી પરિસ્થિતિ હોય તે તે છેલ્લા કણને ધ કહેવાય. આવા સ્કમાંથી જ આપણું ઉપયોગમાં આવે તેવા પદાર્થો બની શકે. આ વિષયમાં જિનાગમે એમ કહે છે કે અલબત્ત, તે છેલ્લે દરેક કણ ઔધ છે જ એટલે એ અંશમાં તે તમે અમારી સાથે એકમત છે. પરંતુ પથ્થરને મેટો કટકે એ પણ સ્કંધ છે, એના બે કટકા થયા તે તે બે કટકા પણ સ્કંધ છે. એમ એક હજાર કટકા થાય તે તે બધા પણ સ્કંધ જ છે. યાં સુધી એક બહુ નાના કટકામાં બે જ પરમાણ રહે ત્યાં સુધીના તમામ કટકા સ્કંધ જ છે. એ બે પરમાણુને કટકે પણ Page #242 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ [૨૨૭ જે તૂટે અને એક પરમાણમાં વેરાઈ જાય ત્યારે જ તે સ્કધ મટી જાય છે. વૈજ્ઞાનિકે એ રેતીને જે નાનામાં નાને કણ સ્કંધ કો તે પણ વસ્તુતઃ તે અનન્ત પરમાણુને જ એક સ્કંધ જ છે. એવા સ્કંધના તે બીજા અગણિત કટકા થઈ શકે અને છતાં તે બધા સ્કંધ જ કહેવાય. ટૂંકમાં, ઔધ એટલે કે કઈ પણ એક કટકે જે ઓછામાં ઓછા બે પરમાણુથી માંડીને વધુમાં વધુ અનંત પરમાણુને બને હોય. ધિ-રૂક્ષત્વ અંગે વિજ્ઞાનિક મંતવ્ય : કોઈ પણ બે પરમાણુને સંગ થવામાં તેમનામાં રહેલી પૂર્વોક્ત શરતવાળી સ્નિગ્ધતા અને રૂક્ષતા જ કારણ છે એ વાતને તે આજના વૈજ્ઞાનિકે સર્વથા સંમત થઈ ગયા છે એમ કહીશું તે તે જરા ય ખોટું નહિ ગણાય. ભગવાન જિન જે વાત કહી ગયા એ જ વાતને આજના વૈજ્ઞાનિકે પેઢી–દર–પેઢી પ્રયોગ કરતાં કરતાં છેવટે કબૂલવા લાગ્યા. આ હકીકત જ શું ભગવાન જિનની સર્વજ્ઞતાને નક્કર પુરા નથી ? પરમાણુમાં સ્નિગ્ધ અને રુક્ષ ગુણ કહ્યો તેમા સજાતીય (સ્નિગ્ધ-સ્નિગ્ધ અથવા રૂક્ષ-રુક્ષ) અને વિજાતીય સ્નિગ્ધ-રુક્ષ અથવા સુક્ષ-સ્નિગ્ધ)ને બંધ થાય તેમ કહ્યું. વૈજ્ઞાનિકે પણ આજ વાત બીજા શબ્દોમાં કહે છે. તેઓ પણ કહે છે વસ્તુ માત્રમાં આ ચીજ હોય છે. તેમણે બે વસ્તુના બંધનમાં ઘનવિદ્યુત્ (Positive Charge) અને ત્રાણુવિદ્યુત Negative Charge)ને કારણ માન્યાં છે. આ વાતને જરા વિસ્તારથી જોઈએ. વૈજ્ઞાનિકનું માનવું એવું છે કે પરમાણુની અંદર ભાગ પિલે હેવાથી તે તેડી શકાય છે. પરમાણુ તેડવાથી તે બે ભાગમાં વહેચાઈ જાય છે. (૧) નાભિ (૨) ત્રણણ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨] વિજ્ઞાન અને ધમ નાભિ એ અતિ ભારે પરમાવિભાગ છે. ઘનિવેદ્યુત આમાં રહે છે. આ નાભિ એ પરમાણુના એક જ કણ નથી પરંતુ તે ય ઘનાણુ અને શૂન્યાણુ (Proton of Nuteron)ના બનેલા છે. (હા, હાઇડ્રોજન પરમાણુની નાભિ છે તે માત્ર એક જ કણની અનેલી છે અને તે કણ નાણુ માત્ર પ્રોટોન છે. આમ પરમાણુના કુલ ૩ વિભાગ થયા. નાભિન! બે ઘનાણુ અને શૂન્યાણુ, તથા બીજો એક ઋણાણુ. ઋણાણુ કરતાં ઘનાણુ ૧૮ ૪૦ ગુણુ ભારે હોય છે. આવા વજનદાર ઘનાણુ એ ઋણાણુને પોતાના તરફ ખેંચી લે છે. એનું કારણ એ છે કે નાભિમાં જે ઘનાણુ છે તેનામાં ધનવિદ્યુત (Positive) હાય છે જ્યારે ઋણાણુમાં ઋણુવિદ્યુત (Negative) હાય છે. આ વિદ્યુત આકષ ણાને કારણે જ ધનાણુ અને ઋણાણુ એક ખીજાને સતત ખેંચતા રહે છે. (૧) પરમાણુમાં ધનાણુની સંખ્યા તે તે પદાર્થને અનુસાર હાય છે. પ્રાણવાયુમાં આઠ ધનાણુ હોય છે. આ બધા ઘનાણુ ઘવિદ્યુતવાળા (Positive) જ હોય છે, અને તેઓ એકબીજાને ખેંચે છે. જેનાગમ અનુસાર આ ધનાણુ (Proton)માં જે ધનવિદ્યુતના છે તે બધી સ્નિગ્ધતા છે. આમ સ્નિગ્ધ સ્નિગ્ધના સજાતીય ખેંચાણુનું આ દૃષ્ટાંત બની ગયું. (૨) હવે જે શુન્યાણુ (Neutron) છે તેને વૈજ્ઞાનિકો ધનાણુ અને ઋણાણુ-એમ બે વિદ્યુતકર્ણેાના બનેલા માને છે. શૂન્યાણુના આ ઘનાણુમાં ઘવિદ્યુત છે જ્યારે તેના ઋણાણુમાં ઋણુવિદ્યુત છે. ઘવિદ્યુત એટલે સ્નિગ્ધતા અને ઋણવિદ્યુત એટલે રુક્ષતા. આમ આ બેના ખે’ચાણુથી બનેલા શૂન્યાણુ એ સ્નિગ્ધ—રુક્ષના વિજાતીય ખેંચાણનું આબેહૂબ ષ્ટાન્ત બની જાય છે. (૩) હુવે જે ઋણાણુ છે તે માત્ર ઋણાણુઓને જ સમુદાય છે એવું વૈજ્ઞાનિકોનું મન્તવ્ય છે. ઋણુાણુઓના પરસ્પર આકષ ણુથી જોડાયેલા આ ઋણાણુ છે. ઋણાણુ એટલે ઋણવિદ્યુત (regative) જૈન પરિભાષામાં તેને રુક્ષતા કહેવાય. આમ આ રુક્ષ−રુક્ષના સજાતીય ખેંચાણનું દૃષ્ટાન્ત બની જાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ [૨૨૯ ~ ~- ~ટૂંકમાં પરમાણુની નાભિના બે અંશ ધનાણું અને શૂન્યાણ તથા પરમાણુનો બીજે ત્રણણ અંશ—એ ત્રણે ય અનુક્રમે સ્નિગ્ધ-સ્નિગ્ધ, સ્નિગ્ધ-રક્ષ અને રક્ષ-રક્ષના બંધપરિણામનાં સાધક દછાત બની જાય છે. વિધતઃ વૈજ્ઞાનિકનું એવું મન્તવ્ય છે કે દરેક વસ્તુ જુદી જુદી જાતના પરમાણુને પરસ્પર મિલનથી બનેલી હોય છે. પરંતુ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાર્થ તરીકે તેઓ ગણતા નથી પરંતુ એને શક્તિ કહે છે કે જે પરમાણુઓના સંઘર્ષથી ઉત્પન્ન થયેલી છે. જૈનાગમમાં આ હકીકત તે અનાદિકાળથી માન્ય થઈ ચૂકેલી છે. વીજળી શું છે? એ વિષયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્નિગ્ધતા અને રુક્ષતાના ગુણોના નિમિત્તે જ વીજળી ઉત્પન્ન થાય છે. * કેટલી આશ્ચર્યજનક બાબત છે? વૈજ્ઞાનિકે જે વાત પ્રયોગો કરીને શોધે છે તેને રોગીએ ગબળથી જ વાતવાતમાં કહી દે છે. ને તેમને કઈ પ્રેગ; ન કેઈ તેમના માટે પ્રયોગશાળા ! ડે. બી. એલ. શેલેએ લંડનથી પ્રકાશિત થયેલા પિઝિટિવ સાયન્સ એફ એન્ટ હિન્દુઝ” નામના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે જેનદાર્શનિ કે તે આ વાતને બહુ સારી રીતે જાણતા હતા કે પિઝિટિવ (સ્નિગ્ધ) અને નેગેટિવ (રુક્ષ) વિદ્યુત કણના મળવાથી વિદ્યુતની ઉત્પત્તિ થાય છે! પદાર્થના ગુણધર્મો જેવી સૂક્ષમ વાતને ભગવાન-જિન શી રીતે કહી શક્યા હશે ! એને એક જ ઉત્તર રહે છે કે તેઓ સર્વજ્ઞ હતા. સર્વજ્ઞ જ હતા. નિઃશંક રીતે સર્વજ્ઞ હતા. x : રિના-રક્ષવ-કુળનિમિત્તો-વિદ્યુત ! Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] વિજ્ઞાન અને ધર્મ પરમાણુની ગતિ અને વૈજ્ઞાનિકે? ' " પરમાણુની ગતિ અંગે જિનાગમમાં નિરુપણ કરવામાં આવ્યું છે તેને વૈજ્ઞાનિકે આબાદ મળી જાય છે. જિનાગમમાં પરમાણુની 'ગતિ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે પરમાણુ એક સમયમાં ઓછામાં ઓછા એક આકાશ-પ્રદેશમાં રહે છે અને વધુમાં વધુ અસંખ્ય આકાશ-પ્રદેશના બનેલા ચૌદ રાજલેકનું પરિભ્રમણ કરી નાખે છે. એટલે કે ઠેઠ નીચે રહેલે પરમાણુ એક જ સમયમાં ઠેઠ ''ઉપર પહોંચી શકે છે. આ બે ગતિની વચ્ચેની બધી ગતિઓ તેનામાં અવશ્ય સંભવી શકે છે. આ વાતને વૈજ્ઞાનિકે એ પણ મંજૂર કરી છે. એમણે એવી વાત કરી છે, જેને કબૂલતાં તે ઘણે વિચાર કરે પડે, છતાં જિનાગમના તત્વજ્ઞાનને સમજેલા આત્માને એ વાતમાં જરા ય નવાઈ ઊપજતી નથી. વૈજ્ઞાનિકે કહે છે કેઃ ' (૧) દરેક ઇલેકટ્રોન પિતાની કક્ષા ઉપર દર સેકંડે ૧૩૦૦ માઈલની ગતિ કરી નાંખે છે. (૨) ગેસ જેવા પદાર્થોમાં રહેલા પરમાણુઓનું કમ્પન એટલું બધું તીવ્ર હોય છે કે તેઓ દર સેકંડમાં છ અબજ વખત પરસ્પર ટકરાઈ જાય છે !!! ટકરાતા બે આણુઓની વચ્ચે જગા કેટલી છે તેની પણ શેધ કરીને તેઓએ કહ્યું છે; એક ઈંચનો ત્રીસ લાખને ભાગ ! ! (૩) પ્રકાશનું એક કિરણ છૂટતાં એક જ સેકંડમાં એક લાખ અને ક્યાસી હજાર માઈલની મુસાફરી કરી નાખે છે! (૪) હીરા જેવા ઠેસ પદાર્થોના અણુઓની પણ ગતિ દર કલાકે ૫૦ માઈલની છે !!! વિજ્ઞાન જે સત્યાન્વેષી જ રહેશે તે જરૂર એમ લાગે છે કે તે ભગવાન જિનના તત્વજ્ઞાનમાં એક વાર સર્વાગે ભળી જશે. વાયુઃ જૈનદર્શનાનુસાર વાયુને પણ એકરૂપી પદાર્થ માનવામાં આવ્યું છે. એક રમ-કૂપમાં સમાઈ જતી હવામાં પણ તેણે અસંખ્ય સ્કન્ધ કહ્યા છે. હવે આ જ વાતને વૈજ્ઞાનિકોએ પણ માન્ય કરી Page #246 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ [૨૩૧ ં છે. તેઓ કહે છે કે એક ઈંચ લાંબી, પહેાળી અને ઊંચી ડબ્બીમાં જેટલી હવા સમાઈ જાય તેટલી હવામાં ૪૪૨૪૦૦૦૦,૦૦૦, ૦૦૦૦,૦૦૦૦૦, (૧૭ મી’ડાં) સ્ક`ધ રહે. જૈનદનના ગણિત અનુસાર તા આ સ્કન્ધ-ગણતરી તા ઘણી જ ઓછી કહેવાય. પરમાણુનાં પ્રાચીન-અર્વાચીન મ·તળ્યા : હવે પરમાણુ અંગે જૈનદર્શનની તથા વૈજ્ઞાનિકોની વિચારણાનું સામ્ય જોઇએ. જૈનદર્શીનમાં પરમાણુના બે પ્રકાર જણાવવામાં આવ્યા છે. પરમાણુ અને વ્યવહાર પરમાણુ. પરમાણુ તેને કહેવાય જે અવિભાજ્ય અંતિમ અશ છે. જ્યારે વ્યવહાર પરમાણુ તે વસ્તુતઃ ' અનંત પરમાણુના છે. છતાં વ્યવહારની દૃષ્ટિ માટે અતિસૂક્ષ્મ અશ હેાવાથી તેને પરમાણુ કહેવાય છે. વૈજ્ઞાનિકે આજ સુધી પોતે શેાધેલા પરમાણુને જ પરમાણુ કહેતા હતા. તેમની દૃષ્ટિમાં ઉપરોક્ત બે પ્રકારો ન હતા, પણ હવે તે તેમને ય એ પ્રકાશ માનવા પડયા છે; કેમકે તેમણે શેાધેલા પરમાણુ અતિસૂક્ષ્મ છતાં તેના ય ટુકડા થઈ ગયા છે. એટલે હવે તેને તેએ અતિસૂક્ષ્મ હાવોથી વ્યવહાર પરમાણુ જ કહી શકે. જેના બે ટુકડા ન જ થાય તેવા પરમ અણુ તે પરમાણુ, એ તા હવે તેમને પણ બીજો જ કોઈ માનવા પડયો છે. વૈજ્ઞાનિકોએ શેાધેલા કહેવાતા પરમાણુ પણ જે ઇલેક્ટ્રોન વગેરે છે તે પણ વસ્તુતઃ તા - વ્યવહાર પરમાણુના પ્રકાર છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં એ વાત નિર્વિવાદતયા માન્ય થઈ છે કે પરમાણુવાદ એ યૂનાનની ભેટ છે. ડેમોક્રેટસ (Democritas) એ જ આ સંસારની પ્રથમ વ્યક્તિ હતી, જેણે એમ કહ્યું કે “આ સંસાર શૂન્ય આકાશ અને અદૃશ્ય, અવિભાજ્ય અને અનંતપરમાણુઓનું જ સ્વરૂપ છે. દૃશ્ય અને અદૃશ્ય તમામ સંગઠના પરમાણુઓના સંયાગ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] વિજ્ઞાન અને ધર્મ અને વિચેાગનાં જ પરિણામે છે.''+ડેમોક્રેટસ ઈ.પૂ. ૪૬૦ માં જન્મ્યા અને ઈ. પૂ. ૩૭૦ સુધી જીવ્યેા. પરમાણુની પરિભાષા કરતાં ભગવાન મહાવીર કહે છે કે પરમાણુ પુદ્ગલ અવિભાજય, અચ્છેદ્ય, અભેદ્ય, અાહ્ય અને અગ્રાહ્ય છે. કોઈ પણ તીક્ષ્ણાતિતીક્ષ્ણ શસ્ત્રોથી પણ તેના બે કટકા થઈ શકતા જ નથી. આમ ડેમોક્રેટસ પરમાણુનું જે સ્વરૂપ બતાવે છે તે જ ભગવાન મહાવીર બતાવી ચૂકયા છે. ભગવાન મહાવીરે પણ તે જ વાતો કહી છે જે ભગવાન પાર્શ્વનાથ કે ભગવાન આદિનાથે કહી છે, અને એ અન્ને ય ડેમોક્રેટસની પૂર્વે થઇ ગયા છે એ વાત પૂર્વે જણાવી દ્વીધી છે. પણ ડેમેક્રેટસે બતાવેલા પરમાણુ તા આજે તૂટી ગયા છે. જૈનદનના પરમાણુ અખણ્ડ હતા, આજે પણ તેમ જ છે. વૈજ્ઞાનિકોના પરમાણુ દૃષ્ટિગોચર થતા હતા, તેની ઉપર પ્રયાગ પણુ કરી શકાતા હતા. જૈન દાનિકો તે એ વાત જોરશેારથી કહી રહ્યા છે કે જે દ્રષ્ટિગાચર થાય, જેની ઉપર પ્રયાગ થાય એ પરમાણુ જ નથી. એ તા અનંતપરમાણુના એક સ્કન્ધમાત્ર છે. જે પરમાણુ હાય તેમાં મનુષ્ય કોઈ ક્રિયા કે ગતિ ઉત્પન્ન કરી શકતા જ નથી. હવે તા જેને પરમાણુ માનીને વૈજ્ઞાનિકા પાછળ પડ્યા હતા તે પરમાણુ જૈનદાનિકોના કહેવા મુજબ એક સ્કન્ધ જ સાબિત થયા છે. કેમકે તે પરમાણુ હવે અચ્છેદ્ય, અભેદ્ય રહ્યો નથી. પહેલાં તા તેમાં ઇલેકટ્રાન, પ્રટેન જણાયા. તેમણે તેને પરમ અણુ માન્યા, પણ તેમાં ય ખોટા પડયા, કેમકે પ્રેટોનમાં પણ એમને ન્યૂટ્રોન અને પ્રેટોન જણાયા. બેશક આજે તેમની દૃષ્ટિમાં અંતિમ ઇલેક્ટ્રોન જણાયા છે; પરન્તુ + : The world consists ef empty space and an infinite number of indivisible invisibly small atoms and that the appearance and disappearance of bodies was due to the union and separation of atoms. —Cosmology, old and new. P. B. Page #248 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદ , [૨૩૩ હવે તેઓ તેને પરમ આણુ કહેવાનું સાહસ તે નહિ જ કરે. જૈન દશનાનુસાર તે એ ઈલેકટ્રેન પણ પરમાણુ નથી પરંતુ એક સ્કન્ધ જ છે કેમકે તેની ઉપર પણ મનુષ્યકૃત કિયા થઈ શકે છે. કદાચ આજે કઈ વૈજ્ઞાનિક ઈલેકટનને પણ પરમાણુ કહી દે તે તેની વાત ઉપર લેશ પણ વિશ્વાસ મૂકી શકાય નહિ. કેમકે ગઈ કાલે જેને પરમાણુ કહ્યો હતો તે આજે તૂટી ગયે છે અને સ્કન્ધ સાબિત થયેલ છે તે ઇલેકટ્રેનમાં પણ તેમ જ કેમ ન બને ? ભલે, આજે તે અંતિમ અણ જેવો દેખાતે હેય પરન્તુ આવતી કાલ જરૂર એવી આવશે, જ્યારે ઈલેકટ્રોન પણ તૂટી ગયે હશે. વૈજ્ઞાનિકે પિતાના પ્રાગ ઉપર કેટલે અંધવિશ્વાસ ધરાવે છે કે તેઓ તરત જ પિતાની સિદ્ધિને પરમશુદ્ધ સત્ય તરીકે નવાજી દે છે. છતાં આવા વૈજ્ઞાનિક ઉપર અંધવિશ્વાસ રાખનારાઓની પણ એક દુનિયા આજે પણ છે, જેમાં વૈજ્ઞાનિકોના ભૂલભરેલા ભૂતકાળને કદાચ જાણે તે પણ જૈનદર્શનનાં સ્થિર પ્રતિપાદને તરફ શિર ઝુકાવી ન દેતાં એ વૈજ્ઞાનિકને જ વધાવતા રહેવાના. શા ઉપરની શ્રદ્ધા અંધવિશ્વાસ કહેવાય છે અને સદાના અજ્ઞાની એવા વૈજ્ઞાનિકે ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી દેનારા નવા ભણતરના બુદ્ધિજીવીને અન્ધવિશ્વાસુ કહીએ તો? હાય! બેટું લાગી જાય છે! . Page #249 -------------------------------------------------------------------------- ________________ [૨૦] સાળ મહાવગણા .. જૈન દનકારાએ પરમાણુ અને સ્કંધ અંગે એટલી અધી સૂક્ષ્મતા સુધી ખેડાણ કરી નાંખ્યું છે કે એ જાણીને આાજના સમર્થ વૈજ્ઞાનિક પણ હેરત પામી જાય. ' જગતમાં જે કાંઈ ષ્ટિમાં, ઉપયેગમાં, વ્યવહારમાં આવે છે તે બધા સ્કંધ જ છે. પરંતુ સ્કા પણ એક જ પ્રકારના હાતા નથી. પરમાણુના અનેલા સ્કન્ધાના સમૂહોના બધું મળીને ૨૬ પ્રકાર થાય છે. અહીં તેા આપણે તેમાંના ૧૬ પ્રકાશના જ વિચાર કરીશું. પરમાણુના કયા પરમાણુ સાથે સબંધ થાય ? તે આપણે સ્નિગ્ધતા-રુક્ષતાના સ્પશવિચારમાં જોયું. ઔદારિક અગ્રહણ પહેલી મહાવણ્ણા : જગતમાં કોઈ પણ પરમાણુ સાથે જેના સબંધ તેવા અકેકા છૂટા-અનંત પરમાણુની પ્રથમ વર્ગા થાય. પરમાણુ આપણને અદૃશ્ય તથા અગ્રાહ્ય હાય છે. થયા નથી આ છૂટા Page #250 -------------------------------------------------------------------------- ________________ સોળ મહાવર્ગનું [૨૩૫ જગતમાં બે બે પરમાણુના બનેલા અનંત સ્કાની બીજી વર્ગણ થાય. એમ ૩-૩ પરમાણુની ત્રીજી, ૪-૪ પરમાણુના અનંત સ્કંધની ચેથી, યાવત્ અનંત પરમાણુને એક સ્કંધ, એવા અનંત સ્કંધની અનન્તમી વગણ થાય. આ અનંત વર્ગણને એક મહાવર્ગણ કહેવાય. આ મહાવર્ગની એક પણ વર્ગણને એક પણ સ્કંધ કેઈ પણ જીવના ઉપયોગમાં આવી શકતું નથી કેમકે જીવને ઉપગમાં લેવા માટે જેટલી સ્કંધ-સૂમતા જરૂરી છે તેના કરતાં આ મહાવર્ગણની કઈ પણ વર્ગણાને કોઈ પણ સ્કંધ વધુ સ્કૂલ પડે છે. એટલે જ આ પહેલી મહાવર્ગણા અગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચોને ખાસ કરીને જે ઉપગમાં આવે છે તે પુદ્ગલેને ઔદારિક કહેવામાં આવે છે માટે આ મહાવર્ગને દારિક અગ્રહણ મહાવર્ગણા કહેવામાં આવે છે. બીજી ઔદારિક ગ્રહણ મહાવગણું ઔદારિક ગ્રહણ મહાવણની છેલ્લી વર્ગણ જેટલા અનંત પરમાણુના સ્કધાની બની હતી તેમાં એક પરમાણું ઉમેરીને જેટલા અનંત પરમાણુ થાય તેટલા અનંત પરમાણુને એક સ્કંધ એવા અનંત સ્કની જે વર્ગણ બને તેને મનુષ્ય-તિર્યંચના જીવો ગ્રહણ કરી શકે છે. અનંત પરમાણુ પણ એક પરમાણુ વધતાં બનેલા અનંત સ્કની જે બીજી વર્ગણ બને છે તેને પણ તે જ ગ્રહણ કરી શકે છે. એમ એકેકે પરમાણુ વધતાં અનંત સ્કની બનેલી ત્રીજી, ચેથી યાવત્ અનંત વર્ગણ થાય એ બધી વર્ગણના સમૂહને ઔદારિક ગ્રહણ મહાવર્ગણા કહેવાય. ત્રીજી વૈકય અગ્રહણ મહાવગણ ત્યાર પછીની વર્ગણામાં અનંત કધોમાંના પ્રત્યેક અનન્ત પરમાણ વધી જાય છે એ પછી એકેક પરમાણુ વધતા વધતા અનંત વર્ગણાઓ થાય. આ બધી વર્ગણુઓના અંધે નથી તે ઔદારિક શરીરવાળા મનુષ્ય-તિર્યંચે ગ્રહણ કરી શકતા કેમકે તેમને તે સૂક્ષ્મ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] વિજ્ઞાન અને ધર્મ પડે છે, અને નથી તે વૈક્રિય શરીરવાળા દેવ–નારકે કે લબ્ધિધર માન વગેરે ગ્રહણ કરી શકતા કેમકે તેમને તે વધુ સ્થૂલ પડી જાય છે. જેમ જેમ સ્કંધમાં પરમાણુ-સંખ્યા વધે તેમ તેમ તે વધુ સૂક્ષમ બને. આથી જ અનંત વણાની બનેલી આ મહાવણને વૈકિય અગ્રહણ મહાવર્ગણ કહેવાય છે. ચેથી વૈક્રિય ગ્રહણ મહાવગણું: વૈક્રિય અગ્રહણ મહાવણની છેલ્લી વર્ગણના સ્કધમાં જેટલા (અનંત) પરમાણુ હોય તેમાં એક વધતાં તે વૈકિય ગ્રહણની પહેલી વર્ગણ બને પછી એક એક પરમાણુ વધતાં જતાં અનંતી વૈકિય ગ્રહણ વર્ગણ બને. એ બધી વણની એક ક્રિય ગ્રહણ મહાવર્ગ બને. આ મહાવર્ગણાના સ્કંધે ઘેક્રિય શરીરધારી દેવનારક તથા લબ્ધિધર માનવેના ઉપયોગમાં આવે છે. પાંચમી આહારક અગ્રહણ મહાવણઃ વૈકિય ગ્રહણ મહાવર્ગણાની છેલ્લી વણના સ્કંધમાં જેટલા પરમાણુ હોય તેનાથી અનંતગુણ પરમાણુના વધારાવાળા સ્કંધની આહારક અગ્રહણ પહેલી વર્ગણ થાય. ત્યાર બાદ એકેક પરમાણુ વધતા અનુક્રમે બીજી, ત્રીજી વગેરે વર્ગણ થાય. એવી અનંતી વર્ગણાની આ એક મહાવર્ગણ બને. આ મહાવર્ગણના સ્કંધે વૈક્રિય પુદ્ગલની રચના માટે વધુ સૂમ પડવાથી વૅક્રિય અને આહારક બંનેય ગ્રહણ કરતા નથી. હવે આ જ રીતે આગળની મહાવર્ગમાં સમજી લેવું. છઠ્ઠી આહારક રહણ મહાવણઃ ચતુર્દશ પૂર્વેને જેમણે અભ્યાસ કર્યો છે એવા મુનિઓ, મનમાં કઈ સંશય પડે ત્યારે તેના નિરાકરણ માટે પિતાની વિશિષ્ટશક્તિથી આહારક શરીરની રચના કરે છે. આ શરીર એક જ હાથનું હોય છે. આંખના પલકારા જેટલા સમયમાં તે શરીર અગણિત Page #252 -------------------------------------------------------------------------- ________________ સોળ મહાવર્ગણા [૨૩૭ માઈલે કાપી નાખીને જ આ પૃથ્વી ઉપર આવેલ મહાવિદેહ નામના ક્ષેત્રમાં રહેલા ભગવાન સીમંધર સ્વામીજી પાસે પહોંચી જાય છે. ત્યાં સંશય પ્રગટ કરે છે. ભગવાન તેને ઉત્તર આપે છે તે લઈને એ શરીર ફરી તે મુનિ પાસે આવી જાય છે. એ શરીરમાં મુનિને જ આત્મા પ્રવેશ પામતે હોય છે. આત્માનો એક છેડે મુનિના પિતાના શરીરમાં અને બીજે છેડે તેણે બનાવેલા આહારક શરીરમાં રહે છે. જેમ જેમ એ શરીર દૂર જતું જાય છે તેમ તેમ આત્મા લંબાતો જાય છે. આવું આહારક શરીર ભગવાનની સમૃદ્ધિ જોવાના કુતૂહલથી પણ એ મુનિઓ બનાવે છે. આ શરીરના માટે જરૂરી સ્કંધ પ્રસ્તુત આહારક ગ્રહણ મહાવર્ગણામાંથી લેવામાં આવે છે. સાતમી તૈજસ અગ્રહણ મહાવગણ? આઠમી તૈજસ ગ્રહણુ મહાવગણું ખાધેલા આહાર વગેરેને પકવવામાં તેજલેશ્યા વગેરે મૂકવામાં કારણભૂત શરીરને તેજસ શરીર કહેવાય છે. જેને આપણે શરીરમાં રહેલે જઠરાગ્નિ કહીએ છીએ તે વસ્તુતઃ આ તેજસ શરીર છે. આ તેજસ શરીર એટલે આત્માની સાથે વળગેલી એક ભઠ્ઠી. આ ભઠ્ઠી જીવે લીધેલા ખેરાકને ખેંચે છે અને ખોરાકથી એ ટકે છે. તમામ સંસારી (કર્મયુક્ત) જીવને આ ભઠ્ઠી સર્વદા સાથે જ હોય છે. મૃત્યુ પામેલા પ્રાણીના બાહ્ય શરીરમાં તેજસ શરીર હોત નથી. કેમકે તે તે દેહને છોડીને ચાલ્યા ગયેલા આત્માની સાથે જ સંબંધ હોવાથી ચાલી ગયું હોય છે. આથી અમુક ભાઈ મૃત્યુ પામ્યા. છે કે નહિ તે જાણવા માટે મસ્તક ઉપર થીજેલું ઘી મૂકીને શરીરમાં ગરમી છે કે નહિ તે તપાસાય છે. જે ઘી પીગળે જ નહિ તે કલ્પી લેવામાં આવે છે કે જીવાત્મા એ દેહ છોડીને ચાલ્યો ગયે છે. જૈનદર્શનમાં તેજસ શરીરની જે વાત કહી છે તે આધુનિક WWW.jainelibrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] વિજ્ઞાન અને ધર્મ વૈજ્ઞાનિકે પણ હવે તે માન્ય કરવા લાગ્યા છે. શરીર વિજ્ઞાનના આ જાણકારે કહે છે કે શરીરમાં “હાઈપેથેમસ” નામનું એક એવું યંત્ર રહે છે, જે ગરમીના પ્રમાણને નિયંત્રિત કરે છે. એ યંત્ર દ્વારા શરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરતું રહે છે. શરીરના તાપમાનનું સંતુલન પણ એ રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિકારે પૂરતા પ્રમાણમાં વધી જાય છે ત્યારે હાઈપોથેલેમસના હાથ બહારની એ વાત બની જાય છે. આવા તેજસ શરીર માટે જરૂરી પુદ્ગલસ્કન્ધ જે વર્ગણામાંથી લેવામાં આવે છે તે તૈજસગ્રહણ મહાવર્ગણ કહેવાય છે. અમુક પ્રકારના વિશિષ્ટ તપથી એવી એક શક્તિ જન્મે છે, જેને તેજલેડ્યા વગેરે કહેવાય છે. એ શકિતથી તે માણસ બીજાને બાળીને ભસ્મ કરી શકે છે. આવી તેજલેશ્યા વગેરેમાં પણ આ તેજસ શરીરે જ નિમિત્ત કારણ બને છે. નવમી ભાષા માટે અગ્રહણુ મહાવણઃ દસમી ભાષા માટે ગ્રહણુ મહાવર્ગણું જૈન દર્શનકાર શબ્દને (ભાષાને) પુદ્ગલ (matter) માને છે, એ વાત આપણે આગળ ચર્ચીશું. શબ્દ-પુદ્ગલ માટે જરૂરી સ્કન્ધા કરતાં વધુ સ્થૂલ પડી જતા સ્કંધની મહાવર્ગણને ભાષાઅગ્રહણ મહાવર્ગનું કહેવાય છે અને શબ્દપુદ્ગલમાં રૂપાંતર કરવા માટે બરાબર અનુકૂળ આવતા જોઈએ તેવા જ) પુગલસ્કન્ધવાળી ભાષાગ્રહણ મહાવર્ગણું કહેવાય છે. અગિયારમી ધામેચ્છવાસ અગ્રહણ મહાવણું ? બારમી શ્વાસોચ્છવાસ ગ્રહણ મહાવગણ? જીવ માત્ર જે શ્વાસોશ્વાસ લે છે તે પણ એક પ્રકારના ખૂબ જ સૂક્ષમ પુદ્ગલસ્ક છે. શ્વાસોચ્છવાસરૂપે બનાવવા માટે જરૂરી પુદ્ગલસ્કન્ધ કરતાં જે વધુ સ્કૂલ છે અને તેથી જ જેમાંથી Page #254 -------------------------------------------------------------------------- ________________ સાળ મહાવ ણુા [૨ ૩૯ શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ બની શકતા નથી તે પુદ્ગલસ્કન્ધાની મહા વર્ગણાને શ્વાસેાશ્ર્વાસ અગ્રહણ મહાગંણા કહેવાય. જેમ એ મહાવણાના પુદ્ગલસ્કન્ધ વધુ સ્થૂલ પડી જવાથી શ્વાસોચ્છ્વાસમાં રૂપાંતર કરવા માટે નકામા થઈ જાય છે તેમ તે મહાવ`ણાના તમામ પુટ્ટુગલસ્કંધા પૂર્વોક્ત ભાષા પુદ્ગલસ્કંધ બનાવવા માટે જરૂરી સૂક્ષ્મતા કરતાં વધુ સૂક્ષ્મ હોવાથી ભાષામાં રૂપાંતર કરવા માટે પણ નકામા થઈ જાય છે. એટલે આ મહાવ`ણા પૂર્વના ભાષાપુગલ માટે પણ (શ્વાસાવાસની જેમ) અગ્રણુ મહાવ`ણા જ કહેવાય, આ રીતે દરેક અગ્રહણુ મહાવ ́ણામાં સમજી લેવું. હવે જેમાંથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલસ્કંધમાં રૂપાંતર થઇ શકે તે શ્વાસોચ્છ્વાસ ગ્રહણુ મહાષણા કહેવાય છે. આ મહાવગણાના પુદ્ગલસ્કા એવા છે કે તેમાંથી શ્વાસોચ્છ્વાસ બનવા માટે જેટલી જરૂરી સ્થૂલતા કે સૂક્ષ્મતા છે તેટલી જ તેમનામાં છે. તેરમી મન અગ્રહણુ મહાવ`ણા : ચૌદમી મન ગ્રહણ મહાવગણા : મનના બે પ્રકાર છેઃ દ્રવ્યમન અને ભાવમન. જૈન દાર્શનિકે એમ માને છે કે મનવાળા આત્મા કોઈ પણ વસ્તુનું જ્યારે ચિંતન કરે છે ત્યારે તે વસ્તુના આકારવાળી જ આકૃતિ તે આત્મા ઉપર બની જાય છે. આ આકૃતિ બનાવવા માટે જરૂરી પુદ્ગલન્કન્ધાને એ આત્મા જેમાંથી લે છે તે મનગ્રહણ મહાવ`ણા છે. દરેક આત્મા આ રીતે જે વસ્તુને વિચાર કરે ત્યારે તે વસ્તુની આકૃતિવાળું આવું દ્રવ્યમન, મનગ્રહણુ-મહાવાના પુદ્ગલસ્કન્ધા લઈને બનાવે છે. આવું દ્રવ્યમન ખનાવવા માટે જરૂરી સ્થૂલતા કરતાં પણ વધુ સ્થૂલતા જે પુદ્ગલસ્કન્ધામાં છે તે પુદ્ગલસ્કન્ધાને મનરૂપે બનાવવા માટે આત્મા ગ્રહણ કરતે ન હેાવાથી તેને મન—અગ્રહણુ મહાવ`ણા કહેવામાં આવે છે. આ રીતે દ્રવ્યમન બનાવ્યા પછી તેનું અવલંમન લઈને આત્મા જે ચિંતન કરે છે તે જ ભાવમન છે. આત્મા અને ભાવમન એક જ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦] વિજ્ઞાન અને ધર્મ પંદરમી કમ અગ્રહણ મહાવગણ સેળમી કમ ગ્રહણુ મહાવણઃ જેના કારણે જીવાત્માનું પોતાનું અનુપમ સ્વરૂપ ઢંકાઈ ગયું છે તે કર્મ કહેવાય છે. કર્મ બે પ્રકારનાં છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મકર્મમહાવર્ગણના પુદ્ગલસ્કન્ધને દ્રવ્યકર્મ કહેવાય છે, જ્યારે આત્મા એ કર્મને પિતાની ઉપર ચૂંટાડવા પૂર્વે જે રાગ-દ્વેષ વગેરે કરે છે તેને ભાવકર્મ કહેવાય છે. જ્યારે જ્યારે આત્મા જીવ કે જડ ઉપર રાગદ્વેષ કરે છે ત્યારે તેની ઉપર કર્મ ગ્રહણ મહાવર્ગણાના પુદ્ગલસ્ક ચૂંટી ગયેલા આ પુદ્ગલસ્કંધને જ (દ્રવ્ય) કર્મ કહેવાય છે. કર્મરૂપે બનવામાં જરૂરી સ્કૂલતાથી કાંઈક અધિક સ્કૂલતા જેમનામાં છે તે પુદ્ગલકંધેની મહાવણાને કર્મ–અગ્રહણ મહાવર્ગણ કહેવાય છે. અથવા તો તેને મન-અગ્રહણ મહાવર્ગનું પણ કહેવાય છે. કેમકે તે મહાવગણના પુદ્ગલસ્કંધમાં મન જેવા પુદ્ગલધ માટે જરૂરી સૂક્ષમતા કરતાં કાંઈક વધુ સૂક્ષમતા છે. જૈન દાર્શનિકેએ આ સોળ મહાવગણ ઉપરાંત હજી વધુ સૂક્ષમ સૂક્ષમતર થતી જતી બીજી દસ મહારગણાઓ કહી છે, પરંતુ અત્રે તે અપ્રસ્તુત હોવાથી આપણે લેતા નથી. આ વિચારણા ઉપરથી સમજી શકાશે કે મનુષ્ય તિર્યંચને ઉપયોગમાં આવતી નાનામાં નાની રજકણું પણ જે પહેલી દારિક મહાવણના પુલેમાંથી રૂપાન્તર પામી છે તે પણ અનન્ત પરમાણુના પુદ્ગલસ્કંધની જ બનેલી છે. એટલે જેની ઉપર કિયા થઈ શકે, જેને માનવ છેદી શકે, જેને યંત્રથી પણ જોઈ શકે તે ઈલેકટ્રેન પણ કાં ન હોય છતાં જૈન દાર્શનિકે તેને પણ અનંત પરમાણુને ઔદારિક મહાવગણને એક સ્કંધ જ માને છે. આ દારિક પુદ્ગલસ્કંધ કરતાં ઉત્તરોત્તરના ભાષા, શ્વાસોશ્વાસ અને મન વગેરે પુદ્ગલસ્કંધે તો ઘણું ઘણું સૂક્ષમ છે એ વાત હવે સ્પષ્ટ થઈ જશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ | [૨૧] શબ્દ-અધકાર–છાયા શબ્દ: સેળ મહાવર્ગનું વિચારતાં આપણે જોઈ ગયા કે ભાષા (શબ્દ) પણ ભાષામહાવર્ગણાના પુદ્ગલ–સ્કંધને જ પરિણામ છે. જૈનદર્શનકારે શબ્દને પૌગલિક (matter) કહે છે. *પરંતુ ભારતના બીજા બધા દાર્શનિકેએ આ વાત માન્ય કરી નથી. કેટલાકે આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ માને છે તે સાંખ્ય જેવા દાર્શનિકે શબ્દમાંથી આકાશની ઉત્પત્તિ માને છે. આકાશ અમૂર્ત હોવાથી એને ગુણ શબ્દ પણ અમૂર્ત જ હોય તેવું વેદાન્તીઓનું મંતવ્ય છે. આ બધાની સાથે જેન દાર્શનિકે એ વિચારણા કરી છે. તેના અંગે મોટા વાદે પણ ગ્રંથસ્થ થયેલા છે. જેને દાર્શનિકનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે વિદ્યમાન અણુઓના ધ્વનિરૂપ પરિણામ એ શબ્દ છે. તે અરૂપી (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાને) નથી તેમ જ અભૌતિક નથી કેમકે તે વેન્દ્રિયને વિષય છે જે કઈ વસ્તુ ઈન્દ્રિયગ્રાહ્ય હોય તે * : બવાઃિ ઊૌ િવ ા પ્રમાણનયતત્ત્વાકાલંકાર. વિ. ધ. ૧૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] વિજ્ઞાન અને ધર્મ અવશ્ય મૂર્ત હોય અને પૌગલિક હેય. પરમાણુ સ્વયં અશબ્દ છે. શબ્દ તે અનેક સ્કર્ધના સંઘર્ષથી ઉત્પન્ન થાય છે એથી જ શબ્દ એ સ્કન્દપ્રભવ કહેવાય છે. દાર્શનિકોએ શબ્દને પૌગલિક ન માન્યું પરંતુ હવે તે વૈજ્ઞાનિકે એ શબ્દને પૌગલિક માટે જ પકડી શકાય તે સિદ્ધ કરી દીધું છે. રેડિયામાં રેકોર્ડમાં, માઈકમાં શબ્દ પકડાય છે એ વાત તે હવે નાનું બાળક પણ જાણે છે. વૈજ્ઞાનિકની આ સિદ્ધિ જેન દાર્શનિકની માન્યતાને સચોટ સમર્થન આપે છે. એટલું જ નહિ પણ શબ્દ અંગેની બીજી પણ એ માન્યતાને આધુનિક વૈજ્ઞાનિકેએ સંપૂર્ણ સમર્થન આપી દીધું છે. જેનાગમમાં કહ્યું છે કે તીવ્ર પ્રયત્નથી નીકળેલ શબ્દ ૩-૪ સેકંડમાં જ વિશ્વમાં વ્યાપ વ્યાપતે વિશ્વના અંતભાગમાં (લેકેના અંતે) પહોંચી જાય છે. આ વાત આજે પણ સિદ્ધ થઈ ચૂકી છે. અમેરિકાથી પ્રસારિત થતા શબ્દો તે જ સેકંડે મુંબઈમાં સંભળાય છે એ વાત આના પુરાવા રૂપે જ છે. વળી હવે તે વૈજ્ઞાનિકે એમ પણ કહે છે કે “અમે કૃષ્ણના કે જિસસ ક્રાઈસ્ટના પિતાના મુખેથી બેલાયેલા શબ્દોને પણ પકડશું.” આવતી કાલે ગમે તે બને, પણ જે સાચે જ કઈ યન્ત્રની મદદથી એ શબ્દો પકડાય તે પણ તેમાં જેનદશનના મર્મોને જાણકાર જરાય નવાઈ પામે તેવું નથી. કેમકે જિનાગમમાં જણાવવામાં આવ્યું છે કે મુખ વગેરેમાંથી નીકળેલા શબ્દના પુદ્ગલ સ્ક આગળ વધતા વધતા આજુબાજુના અનેક સ્કને એ જ શબ્દરૂપે વાસિત કરતા જાય છે. એવા પુદ્ગલસ્કંધે અસંખ્યકાળ સુધી આકાશમાં પડ્યા રહી શકે છે. એટલે જે એ રીતે રહેલા કૃષ્ણ કે કાઈસ્ટના બેલાયેલા શબ્દપુદ્ગલ સ્કૉને વૈજ્ઞાનિક પકડી શકે તો તેમાં જરાય નવાઈ પામવા જેવું તે ન જ કહી શકાય. એક વાત અહીં ખ્યાલમાં રાખવી કે વૈજ્ઞાનિક શબ્દને શક્તિરૂપ માને છે. પરંતુ શક્તિ અને પુદ્ગલ (matter)ને હવે Page #258 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-અંધકાર-છાયા [૨૪૩ તેએ એક સ્વરૂપનાં બે પાસાં માનતા હેાવાથી શબ્દને પણ શક્તિ કહેવા છતાં વસ્તુતઃ તે તે પુગલસ્વરૂપ જ બની રહે છે. અન્ધકાર : * હજી સુધી તૈયાયિકા વગેરે અંધકારને તેજના અભાવસ્વરૂપ જ માને છે. માત્ર જૈનદાનિકો અંધકારને શબ્દની જેમ પૌલિક માનતા આવ્યા છે. તેમના જણાવવા મુજબ અંધકાર એ વસ્તુને જોવામાં બાધા કરનારા અને પ્રકાશના વિરોધી એવા પુદ્ગલના સમૂહાની જ એક અવસ્થા વિશેષ છે. અન્યત્ર પણ કહ્યું છે કે કૃષ્ણ વણુ બહુલ પુદ્ગલના પિરણામ તે જ અધકાર છે, અ ંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે અને વસ્તુની અદૃશ્યતાનું કારણ છે, અ`ધકારમાં વસ્તુઓને દેખી શકાતી નથી તેનું કારણ એ છે કે વસ્તુનું રૂપ તે અંધકારના પરમાણુ સમૂહથી ઢંકાઈ જાય છે. આંખની ઉપર કાળું કપડું' આવી જતાં જેમ આંખ દેખાતી નથી તેમ વસ્તુ ઉપર અંધકારના કાળા પુદ્ગલા છાઈ જતાં તે વસ્તુ દેખાતી નથી. જ્યારે અધકારના એ કાળા પુદ્ગલસ્કા ઉપર સૂર્ય, દીપક વગેરેનાં પ્રકાશ કિરણો ફેલાઈ જાય છે ત્યારે અધકારના તે પુદ્ગલસ્કધાનું વસ્તુને આચ્છાદિત કરવાનું( ન દેખાવા દેવાનું ) સામર્થ્ય હણાઈ જાય છે એટલે તે પુદ્ગલસ્કા વિદ્યમાન હોવા છતાં વસ્તુએ દેખાવા લાગે છે. વળી પાછા જ્યારે પ્રકાશના જવાથી પ્રકાશ કિરણો દૂર થઇ જાય છે ત્યારે પેલા અંધકારના પુદ્ગલકંધે ફરી વસ્તુઓને આચ્છાદિત કરી દે છે. આમ જે પુદ્ગલસ્ક ધા પ્રકાશસ્વરૂપ પર્યાયને પામ્યા હતા તે પાછા અંધકારસ્વરૂપ પર્યાયને પામી જાય છે. અને તેથી જ પ્રાણીઓને વસ્તુએ દેખાડવામાં સહાયક બનતા નથી. છાયા : શબ્દ અને અંધકારની જેમ છાયા-પ્રતિષિ અને પણ જૈનદાનિકોએ પુદ્ગલ પર્યાય કહ્યો છે. પ્રકાશના આવરણને છાયા અથવા પ્રતિબિંબ કહેવાય છે, જેને સ્પર્શી વગેરે હાય તે અવશ્ય * : દĐિપ્રતિવન્ધાળું - પ્રકાશવિધિ । Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] વિજ્ઞાન અને ધર્મ પુદ્ગલ સ્વરૂપ હોય એ નિયમાનુસાર શીત સ્પર્શવાળી છાયા પણ પુદ્ગલસ્વરૂપ સિદ્ધ થાય છે. લીમડા વગેરે વૃક્ષોની છાયા શીત હોય છે તે વાત સહુ કઈ જાણે છે. છાયાના વિષયમાં જૈન દાર્શનિકો કહે છે કે, સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂળ વસ્તુ ચય-અપચય સ્વભાવવાળી હોય છે અને કિરણોવાળી હોય છે. દરેક વસ્તુમાંથી આવાં જે કિરણે છૂટે છે તે જ તે તે સ્થાને પ્રતિબિંબિત થાય છે, જેને છાયા કહેવામાં આવે છે. છાયા-પુદ્ગલનાં કિરણે જે અભાસ્વર (અન્યને પ્રકાશિત નહિ કરનાર) વસ્તુમાં પડેલાં હોય તે તે પોતાના સંબંધના દ્રવ્યથી આકૃતિને ધારણ કરતાં કાંઈક શ્યામરૂપે પરિણામ થાય છે. (દા. ત., દિવસે કે રાત્રે પૃથ્વી ઉપર મનુષ્યાદિની છાયા) અને જે તે છાયા-પુદ્ગલે ભાસ્વર દ્રવ્યના આકારને ધારણ કરે છે તથા સ્વસંબંધી દ્રવ્યના કૃષ્ણ– નીલ-વેત વગેરે વર્ણને પણ ધારણ કરે છે. ટૂંકમાં, ભાસ્વર પદાર્થમાં છાયા પુદગલે સ્વસંબંધિત દ્રવ્યની આકૃતિ અને વર્ણ બેય રૂપે પરિણમે છે. (દા. ત., અરીસામાં મનુષ્યનું છાયા પ્રતિબિંબ) આ ઉપરથી સમજાય છે કે અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે દિવસે કાંઈક કૃષ્ણરૂપે અને રાત્રે કૃષ્ણરૂપે હોય છે. અને ભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે વસ્તુના પિતાના જ વર્ણ જેવી હોય છે. આજે હવે આ વાતે વૈજ્ઞાનિકે સિદ્ધ કરી ચૂક્યા છે. અતિ દૂર અને અન્ય પદાર્થોના અંતરે રહેલ પદાર્થોને પણ તદાકારે અને તે જ વર્ણસ્વરૂપે પંડિત બનાવીને તેની પ્રતિરછાયા જોઈ શકાય એવી શોધ થઈ ચૂકી છે, જેને “ટેલિવિઝન” કહેવાય છે. જેમ રેડિયે યંત્ર દ્વારા શબ્દને ગ્રહણ કરીને વિદ્યુતપ્રવાહથી તેને આગળ વધારીને હજારે માઈલ દૂર સુધી તે શબ્દ પહોંચાડી શકાય છે તે જ રીતે ટેલિવિઝન યંત્ર દ્વારા પણ પ્રસરણશીલ પ્રતિષ્ઠાયાને ગ્રહણ કરીને એને વિશેષ પ્રયત્ન દ્વારા પ્રવાહિત કરીને હજારો માઈલ દૂર મોકલે છે. દરવક્ષણનું આ ખૂબ જટિલ કાર્ય છે. એમાં અભિનેતાનાં Page #260 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-અંધકાર-છાયા [૨૪૫ પ્રતિબિ’બનાં લાખા રૂપકા અને છે, તે આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય પણ છે અને છેવટે અસલી પ્રતિબિંબરૂપે રજૂ થાય છે. એની વચ્ચે તે અનેક સૉંસ્કારોમાંથી પસાર થાય છે. આ રીતે પ્રતિબિંબ એ પુદ્ગલ પરમાણુઓની જ એક અવસ્થા હાવાનું સિદ્ધ થાય છે. કેમેરાની પ્લેટ ઉપર ફોટો ખે ́ચાવનારનુ છાયા–પ્રતિબિબ જ સંગૃહીત અને છે ને ? એક જગાએ બેઠેલે માણસ તે જગાએથી ખસી જાય ત્યાર પછી પણ અડધા કલાક સુધીમાં તે જગાને કૅમેરાનું લક્ષ બનાવીને તે માણસ વિના તેની બેઠેલી મુદ્રાના ફોટો લેવાતા હેાવાનુ સાંભળ્યું છે. આ વસ્તુ પણ એ જ વાત સાબિત કરે છે કે માણસના ઊઠી ગયા પછી પણ તેના શરીરમાંથી છૂટેલા છાયા-પુદ્ગલા ત્યાં જ સૉંગૃહીત થઈને રહ્યા હતા તે જ છાયા-પુદ્ગલેા કેમેરાની ઉપર પ્રતિબિંબિત થયા. જૈનદાનિકો કહે છે કે ખારપરિણામી પુદ્ગલકામાં પ્રતિસમય જળના ફુવારાની માફક આસ્પર્શી પુદ્ગલસ્ક ધાનુ વહન ચાલુ જ રહે છે. તે એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તે પણ તે પુદ્ગલસ્કધના સમુદાય, પ્રકાશ વગેરેના નિમિત્ત દ્વારા, અગર કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિંડિત થઈ જાય છે ત્યારે જ તેને જોઈ શકીએ છીએ; અને તેને છાયા-પ્રતિબિબના નામે આળખીએ છીએ. આ પુદ્ગલસ્કને અંગ્રેજીમાં ‘ મેગ્નેટિક ફલ્યુ ' કહેવાય છે. વિશ્વના સ્થૂલ પરિણામી પદાર્થમાંથી નજરે ન દેખાય તેવું પ્રવાહી જેવું એ સૂક્ષ્મ દ્રવ્ય છે. આયુર્વેદમાં અમુક ચેપી રોગથી દૂર રહેવાનુ' જે કહેવામાં આવ્યું છે તેનુ પશુ આ જ રહસ્ય છે કે રાગીના શરીરમાંથી નીકળતી છાયાના અણુઓ, પાસે બેસેલાની ઉપર અસર કરે છે. મહાપુરુષના ચરણાદિના સ્પર્શ કરવા કે તેની પાસે બેસવા Page #261 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ પાછળ પણ તેમના છાયા-પુદ્ગલેની પવિત્રતાની સ્પશના જ કારણ હશે ને? જે સ્ત્રીને અટકાવ (M. C) આવે છે તેને ભારતની આર્યસંસ્કૃતિ મુજબ ત્રણ દિવસ સુધી બધી પ્રવૃત્તિથી દૂર થઈને કોઈને પણ સ્પર્શ સુદ્ધાં કર્યા વગર એક ખૂણે બેસી રહેવાનું હોય છે એનું પણ આ જ કારણ છે કે તેવી સ્ત્રીમાંથી નીકળતા દ્રવ્યને ગુણ તામસ ભાવ ઉત્પન્ન કરે છે. જે તે લેટ બાંધે તે તેના અંગે માંથી વહેતું દ્રવ્ય લેટને તામસગુણ બનાવે. તે લેટ ખાનાર વ્યક્તિ પણ તામસભાવવાળી બને. એવી સ્ત્રીના પડછાયાથી વડી, પાપડ વગેરેમાં વિકૃતિ આવી ગયાના દાખલાઓ તે ઘણાને પ્રત્યક્ષ થયા છે. પ્રાચીન લેખક “પ્લીની” કહે છે કે માસિક ધર્મવાળી સ્ત્રીની હાજરીથી દારૂ પણ બગડી જતો હત; ઝાડ ઉપરનાં ફળ ખરી પડતાં હતાં. કાચાં ફળ સુકાઈ જતાં હતાં; ઝાડ વાંઝિયાં થઈ જતાં બુઠ્ઠાં થતાં પિત્તળ ઉપર કાટ ચડી જતો. વીએના યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડે. સીકીએ મેડિકલ રિબૂમાં એક નેંધ આપતાં કહ્યું છે કે “રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ જીવંત સૃષ્ટિ ઉપર ખૂબ જ માઠી અસર કરે છે. આત્તર્વદર્શનનું ઝેર રજસ્વલાના શ્વાસોશ્વાસમાં નથી પરંતુ એના પરસેવામાં છે, જે લેહીના લાલ રજકણમાં જોવા મળે છે. પસીને અને રક્તકણો દ્વારા આ ઝેર બહાર આવે છે. એની વિશિષ્ટ સ્થિતિ તે એ છે કે એ ઝેર શરીરમાં ૧૦૦ ડીગ્રીએ ઊકળતા પાણીમાં પણ નાશ પામતું નથી. ગરમીમાં રાખ્યા પછી કે પાણીમાં ઉકાળ્યા પછી પણ એની વનસ્પતિ સૃષ્ટિ ઉપર ઉગ્ર અસર કરવાની તાકાત જેમની તેમ જ જેવા મળે છે. શરીર–સ્વાથ્ય માટે આ ઝેર હાનિકારક છે. તેના સ્પર્શથી જીવનશક્તિને ક્ષય થાય છે.” આ વિધાન પ્રાચીન આર્યસંસ્કારને ભારે બળ આપી જાય છે. સપ્ટેમ્બર ૧૯૬રના નવનીત અંકમાં “મક્કા અને કાળા શીર્ષક હેઠળ એક લેખ આવ્યું હતું. તેમાં લેખકે જણાવ્યું છે કે Page #262 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-અંધકાર–છાયા [૨૪૭ મક્કામાં સંગે–અસવદ નામે પથ્થર, જે મુસલમાનેને પૂજનિક છે તે પૂર્વે સફેદ હતું, પરંતુ એક રજસ્વલા સ્ત્રીના સ્પર્શથી કાળે પડી ગયો હતે. | ગમે તેમ હોય પણ આટલી તે હકીકત છે કે દરેક સ્થળ વસ્તુમાંથી સૂફમાતિસૂક્ષ્મ કિરણ-સમૂહ વહ્યા કરે છે. એની અનુકૂળપ્રતિકૂળ અસરો પણ હોય છે. ભારતમાં એવાં અનેક પવિત્ર તીર્થસ્થાને છે, જ્યાં ગયા પછી મલિન આત્મા પણ અપૂર્વ નિર્મળતા અનુભવતે હોય, પવિત્ર વિચારેને સ્પર્શવા લાગતું હોય તેવું તેને લાગે છે. વાતાવરણની પવિત્રતા, પવિત્ર તેત્રો વગેરે બેલતાં પવિત્ર શરીરમાંથી નીકળતા પવિત્ર કિરણસમૂહને જ આભારી હશે ને? એ પવિત્ર કિરણસમૂહને અપવિત્ર કિરણો ન પ્રવેશી જાય તે હેતુથી જ એ મંદિર વગેરેનું ઊંચા પહાડ વગેરે સ્થાને નિર્માણ કરવામાં આવ્યું હશે ને? જૈનાગમાં બ્રહ્મચર્યના રક્ષણ માટે નવ જાતની કાળજી કરવાનું જણાવ્યું છે તેમાં એક એવી વાત આવે છે કે જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાંથી એ સ્ત્રી ઊઠી જાય ત્યાર બાદ અડતાલીસ મિનિટ સુધી પુરુષે બેસવું નહિ. એ જ રીતે જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીઓ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. સહુ જાણે છે કે પુરુષ કરતાં સ્ત્રીમાં કામવિકાર સામાન્યતઃ વધુ હોય છે, એથી જ પુરુષના સ્થાને વધુ સમય સુધી સ્ત્રીને બેસવાને નિષેધ કર્યો. પુરુષના કે સ્ત્રીના દેહમાંથી નીકળતાં કિરણસમૂહ પણ બીજાને સ્પર્શી જાય તે વિકૃતિને ઉત્પન્ન કરે એ સિદ્ધાન્ત ઉપર જ આ વિધાન કરવામાં આવ્યું છે. આધુનિક વિજ્ઞાન પણ હવે તે “પુરુષ વિનાના સ્થાને એ પુરુષને પિઝ કેમેરામાં ઝડપી શકે છે. એ હકીકતથી આ વાતને તન્દુરસ્ત સમર્થન આપી જાય છે. હજી એક વધુ દાખલો લઈએ. પ્રસિદ્ધ ચિકિત્સક સ્વ. ઠે. ગણનાથસેન એક જગ્યાએ કહે છે કે સાત વર્ષ સુધી પંદર પંદર Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] વિજ્ઞાન અને ધર્મ દિવસ લાગલગાટ કેરીની ઋતુમાં આંબામાં ફૂલે પિતાના હાથની હથેળીમાં ઘસતાં રાખે તો તે હાથમાં સર્પ ઉતારવાની શક્તિ પેદા થઈ જાય છે. આ બાબત પણ શરીરમાંથી કિરણ-સમૂહે સતત નીકળે છે, એ વાતનું સમર્થન કરે છે. હથેળીમાં કિરણ–સમૂહો સતત નીકળતા હેય તે જ તે આંબાનાં ફૂલેના પગલેથી ભાવિત થઈ શકે અને પછી સર્ષ-વિષને ઉતારવાનું સામર્થ્ય પામી શકે. જેમ શબ્દ, અન્ધકાર, છાયા, વગેરે પુદ્ગલસ્ક છે તેમ ઉદ્યોત, આતપ, સૂર્યપ્રકાશ વગેરે પણ યુગલના જ સ્કપે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પરમાણુવાદના ઉપસંહાર આ વિષના ઉપસંહાર કરતાં હવે એટલું જ કહેવાનું કે જૈનદન ખૂબ જ વ્યવસ્થિત વૈજ્ઞાનિક દર્શન છે. એણે માત્ર આત્માની, કર્મની કે ધર્મોની વાતા નથી કરી પરંતુ પદાર્થ માત્રનું સ્વરૂપ ખુલ્લું કરી આપ્યું છે. વસ્તુ માત્રમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય છે એ વાત તા એ તત્ત્વજ્ઞાનના પાયાના વિચારસ્વરૂપ બની છે. આ ત્રણ પદ્મમાંથી જ સમગ્ર તત્ત્વજ્ઞાન જન્મ પામ્યું છે. ભગવાન જિન પણુ પોતાના સાધનાકાળ દરમિયાન પરમાણુ વગેરે પદાર્થ ઉપર દિવસે સુધી ચિંતન કરતા હતા. બેશક, એ સાધનાથી જે જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ થઇ એણે જ પરમાણુ વગેરે તમામ પદાર્થોનું સ્વરૂપ આંખ સામે ખડું કરી દીધું હતું. આજના વૈજ્ઞાનિકો આ વાત જાણતા નથી એટલે જ તેઓ એમ કહેવાનું મિથ્યા સાહસ કરે છે કે, પરમાણુ એ તે ડેમેક્રેટસની જ આવ શેાધ કરે છે.' રે! ડેમોક્રેટસના એ પરમાણુમાં તે સતત Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] વિજ્ઞાન અને ધર્મ ફેરફાર થતા રહ્યા છે, જ્યારે ભગવાન જિનેશ્વરેએ પરમાણુનું જે સ્વરૂપ જણાવ્યું છે તે આજે પણ અવિચલિત રહ્યું છે. આધુનિક વિજ્ઞાન કેટલું બધું પરિવર્તનશીલ છે એ વાત પૂવે જણાવી છે છતાં અહીં ફરી એ વાતને નિર્દેશ કરવાનું સમુચિત લાગે છે. પરમાણુ અને વિશ્વ (Atom and Universe) નામના એક પુસ્તકમાં ૪ પેઈજ ઉપર જણાવવામાં આવ્યું છે કે ઘણું દિવસ સુધી ત્રણ જ તત્ત્વ (ઈલેકટ્ટન, ન્યૂ ટેન અને પ્રોટીન) વિશ્વસંગઠનના મૂળભૂત આધાર મનાયા. પણ આજે તેની સંખ્યા ઓછામાં ઓછા સે સુધી પહોંચી ગઈ છે. મૌલિક આણુઓને આટલે બધે વધારે પૂબ જ અસંતોષને વિષય બન્યું છે. વળી એ પ્રશ્ન સહજ રીતે ઊઠે છે કે મૌલિક તત્વને અમે સાચો અર્થ શું કરી શકીએ? પહેલાં પૃથ્વી, પાણુ, અગ્નિ અને વાયુ એમ ચારને મૌલિક તત્ત્વ કહ્યાં. પછી એમ વિચારવામાં આવ્યું કે રાસાયણિક પદાર્થોનું મૂળતત્ત્વ આણું જ પરમાણુ છે. ત્યાર બાદ પ્રોટોન, ન્યૂ ટ્રેન, ઇલેકટ્રેન આવ્યા. આમ મૂળતત્વની માન્યતા ૨૦ સુધી ગઈ, આ સંખ્યા હજી આગળ વધી શકે છે. શું વાસ્તવમાં જ પદાર્થના આટલા ટુકડા માનવાનું આવશ્યક છે કે પછી મૂળતની સંખ્યાની આ વૃદ્ધિ એ અમારા અજ્ઞાનનું જ સૂચક છે? ખરી વાત એ જ છે કે મૌલિક અણુ શું છે એ સમજ જ પ્રથમ તે પ્રાપ્ત થઈ નથી."* *: We have gone a long way from the simple picture of a universe which required only three elementary particles are known and the existence of as many again is possible...... The great multiplicity at these particles is highly unsatisfactory and raises the question of what we really mean by an elementary particle. Originaly the name was applied to the four elements : fire, earth, air and water. Later it was thought that the Atom of each chemical element Page #266 -------------------------------------------------------------------------- ________________ પરમાણુવાદના ઉપસંહાર [૨૫૧ કેવી આશ્ચયની આ ખીના છે કે આજના સ્પુનિક યુગના વિજ્ઞાન-કાળમાં જે સિદ્ધિ હાંસલ કરવા માટે અઢળક વૈજ્ઞાનિકોએ પોતાનાં જીવનાની કુરબાણી કરી, અનેક વિસ'વાદોને ટાળવા પોતાની પેઢીએ શહાદત પામી અને છેવટે જે સત્યપ્રાયઃ લાગતાં વિધાન જાહેર કર્યાં, તે વિધાનાને કોઈ પણ પ્રયાગ કે પ્રયાગશાળા વિના કોઈ પશુ પ્રયાસ વિના ત્યાગતપની ઘેાર સાધનાના ફળરૂપે પ્રાપ્ત થયેલ વીતરાગતા અને તેના ફળરૂપે પ્રાપ્ત થયેલી સર્વજ્ઞતાના પ્રકાશમાં એક ધડાકે, એકી સાથે તમામ સત્યને જોઈ લીધાં, જાણી લીધાં, જગતની સમક્ષ અનેક સત્ય પ્રકાશિત કર્યાં. પરમાણુની સૂક્ષ્મતા, એના બંધ પાછળ રહેલુ સ્નિગ્ધ રુક્ષ સ્પનું ગણિત, શબ્દ, અંધકાર વગેરે પુર્દૂગલસ્ક ધાતુ નિરૂપણુ વગેરે કેટલુ સ્પષ્ટ રીતે તેઓએ આપણી સમક્ષ મૂકી દીધું છે! અનંતશઃ વંદન કરીએ ભગવાન જિનેશ્વરીને ! એમની વીતરાગતાને ! સર્વજ્ઞતાને ! સત્યવાહિતાને ! was an elementary particle. Then the term was was limited to three only; proton, neutron and electron. It has now been extended to over twenty particles, and still more may yet be discovered. Is there really a need for many units of matter, or is this multiplicity of particles an expression of our total inorance of the trve nature of ultimate structure_of_matter...? At the moment, despite the remarkable progress made in nuclear physics, the riddle of elementary particles still remains unsolved, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૦૫૦ છે ખંડ : ૩ anarcocococo [ ત્રણ વિભાગમાં ] જડ વિજ્ઞાન વિભાગ ત્રીજો બે પ્રશ્નો Jajn Education International Page #268 -------------------------------------------------------------------------- ________________ [૨૩] સર્વાએ અણુ આદિના સિદ્ધાંતે જ કેમ બતાવ્યા? કદાચ કોઈને પ્રશ્ન થાય કે જે ભગવાન જિન પુદ્ગલપરમાણુની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતોને પણ કહી ગયા છે તે તેમણે આજના વૈજ્ઞાનિએ એ પરમાણુ વગેરેમાં જે શોધ કરી તે વાતે પણ કેમ ન કરી? શા માટે રેડિએ, વિમાન, ઇલેક્ટ્રિસિટી, કોમ્યુટર વગેરેની શોધ પણ ન જણાવી? શું આ વિષયમાં ભગવાન જિન અસર્વજ્ઞ હતા? આ પ્રશ્ન બહુ સુંદર છે. એનું સમાધાન એ છે કે ભગવાન જિન સર્વજ્ઞ હતા માટે જ તેમણે અણુપરમાણુની શક્તિનાં રહસ્યને પ્રગટ કર્યા ન હતાં. તેઓ પોતાના સર્વજ્ઞત્વના પ્રકાશનાં એ રહસ્યના પ્રગટીકરણમાં અઘેર સંહાર, કારમી સ્વાર્થધતાથી નિષ્પન્ન થનારે આત્માને અનંત દુઃખમય સંસાર, પાંચ ઈન્દ્રિયેના વૈષયિક આનંદમાં ચૂર બનતા ની સત્વહીનતાનું સર્જન વગેરે ઘણી બાબતે જેતાજાણતા હતા. એથી જ એમણે એ વિષયની વિશિષ્ટ વાતે કરી ન હતી. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] વિજ્ઞાન અને ધર્મ અહીં આપણે એક જ અણુનું દષ્ટાંત લઈશું. અણુની રાક્ષસી શક્તિઓને કાઢીને વૈજ્ઞાનિકે એ એને શે ઉપગ કર્યો? અણુમાંથી બનેલે અણુબોમ્બ કેવી ભયાનક રીતે સંહારક બને? માનવજાત ઉપર પણ એણે કે અઘેર સિતમ ગુજાર્યો ? એ બધી વાત અહીં વિચારશું. સહુ પ્રથમ તે અણુઓની ખાતર કેટકેટલી વ્યવસ્થા કરવામાં આવી છે તે જોઈએ. સેનાને ટેલિફેન : હિરોશીમાં ઉપર જ્યારે પહેલે જ અણુબોમ્બ અમેરિકાએ ફેક્યો ત્યારે તેના પહેલા જ ધડાકે બે લાખ અને ચાલીસ હજાર માનવોના દેહની રાખ થઈ ગઈ હતી. બીજે બેઓ નાગાસાકી ઉપર ફેકવામાં આવ્યું હતું. ધાર્યા કરતાં દૂરની જગાએ આ બોમ્બના પડવાથી ઈકોતેર હજાર માનની હત્યા થઈ ચૂકી હતી. વિશ્વ આજે કેવા ભારેલા અગ્નિ ઉપર જીવી રહ્યું છે તે વાત હવે આપણે જોઈએ. મેસ્કોમાં કોઈ રશિયનને પ્રશ્ન કરવામાં આવે કે, “આ યુદ્ધ થાય તેમ તમે શું કરો ?” રશિયને તેને જવાબ ખૂબ જ શાન્તિપૂર્વક આપતાં કહે કે “કેફીન પહેરીને હું ધીરે ધીરે ચિરશાંતિમાં પિઢી જવાની તૈયારી કરીને સ્મશાનભૂમિ તરફ ડગ માંડું.” રશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કુવે એક વાર કહ્યું હતું કે “જે અણુયુદ્ધ થાય તે તે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામી ગયેલા માન કરતાં જીવતાં રહી જનારા માન વધુ દુઃખી હશે. મોતના વાંકે જ જીવતા હશે. એટલે જીવનાર કરતાં મરનાર જ વધુ ભાગ્યશાળી ગણાશે.” કેઈને જાણે વિશ્વયુદ્ધ જોઈતું નથી; કેઈએ જાણે કે એવું યુદ્ધ કરવાની ચેજના કરી નથી; છતાં વિશ્વસંહારની વ્યવસ્થિત જના તે બે ય મહાસત્તાઓ પાસે તૈયાર થઈ જ ચૂકી છે. વિશ્વ Page #270 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞોએ અણુઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા? [૨૫૫ સંહારક શસ્ત્રોને ઢગલે ખડકાઈ ઊભું થઈ ગયું છે. હવે તે બે ય મહાસત્તાને એ ભય જાગે છે (!) કે આ ખડકલામાંથી કેઈ, એકાદ મ્બ કે હાઈડ્રોજન બોમ્બ અકસ્માતુ-કેઈના ગાંડાપણથી ફાટી નીકળે તે શું થાય એની કલ્પના પણ થઈ શકે તેમ નથી. અમેરિકન સેનેટર હસ્કીએ એક વાર કહ્યું છે કે તંગ બનેલા મામલામાં કઈ કંટાળેલે રશિયન કે અમેરિકન જે બટન દબાવી દે તે પણ વિશ્વયુદ્ધ ફાટી નીકળે અને ક્ષણેમાં જ વિશ્વનો નાશ થઈ જાય. આવી કઈ ભૂલ થઈ ન જાય તે માટે અમેરિકાએ ભારે તકેદારી રાખી છે. વિશ્વના આ આખરી અસ્તિત્વ જેવા જમાનામાં આખરી પ્રલયશસ્ત્રને આખરી પરિસ્થિતિમાં કાબૂમાં રાખવાની અમેરિકન વ્યવસ્થા ગૂંચવણ ભરેલી હોવા છતાં બુદ્ધિપૂર્વકની છે. સદ્ધાનિક રીતે તે અમેરિકન અણુશસ્ત્રના પ્રમુખ જ ઉપગને હુકમ કરી શકે છે, પણ કઈ પ્રકારની એક તંગી માનસિક અવસ્થામાં પ્રમુખ આ હુકમ કરી બેસે તે શું થાય? આ ભય નિવારવા માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ખરેખર તે અમેરિકન–પ્રમુખ પણ અણુશસ્ત્ર વાપરવાના હુકમમાં સમાચેલે સંકેત જાણતા નથી. એટલે જ તે પણ સીધેસીધે હુકમ છેડી શકે તેમ નથી. જ્યારે તેમને આબોમ્બ ફેડવાને હુકમ કરકરવાનું હોય છે ત્યારે તેમણે સેનાના ટેલિફેનને ઉપયોગ કરવાનો હોય છે. જેવું “રિસીવર ઉપાડે કે તરત જ સંરક્ષણસચિવ અને બીજા નિર્ધારિત ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓને ત્યાં ઘંટડીઓ વાગી જાય. પછી એ બધાની સલાહ મળે તે જ પ્રમુખ અણુબોમ્બ ફેડવાને આખરી નિર્ણય લઈ શકે. નિર્ણય લીધા પછી તરત જ નરકમાં આવેલા અમેરિકન અણુયુદ્ધમથક મારફત સોવિયેત રશિયાની નજદીકમાં સતત ભમતી રહેતી પિલારિશ સબમરીનને એ સંદેશો પહોંચાડી દેવામાં આવે છે. યોગને જાક રીતે તે બુદ્ધિ પર્વ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] વિજ્ઞાન અને ધર્મ ત્યાં ભગવાન શંકરના ત્રીજા નેત્ર જે, ભૂખરી આંખવાળે, પ્રૌઢ ઉંમરને, “કર્નલ વિઝમાન” નામને એક માણસ છે. આ યમદૂત એમાહાના ૧૪૦ ફૂટ લાંબા ઓરડામાં નિરંતર રહે છે. તેના બંને ય પડખામાં ઝગમગાટ કરતી બત્તીઓ અને અનેક બટને હોય છે. કર્નલ વિઝમાન કદી એકલે હેત નથી. એક ડઝન સશસ્ત્ર સૈનિકે સદા એને ઘેરી વળેલા હોય છે. યમસ્તસમે વીઝમાન ગાડે થાય તે તેને ગોળીઓથી વીંધી નાંખવાને તેમને હુકમ મળે હોય છે. પરંતુ વીઝમાન પણ એકાએક ચાંપ દબાવી દઈને સર્વસંહાર કરવા સમર્થ નથી. સામેની દીવાલ તરફ આવેલા લાલ દરવાજાની કળ મેળવવાને ગુપ્ત સંકેત તેને પણ મેળવો પડે છે. આ બધું કેમ થઈ શકે એ એક અત્યન્ત ખાનગી બાબત હોય છે. આ બધું છતાં સંકેતસ્થાનમાંથી એની પૂરી વિગત તે મળી શકતી જ નથી. ત્યાંથી તે માત્ર આરંભસંકેત જ મેળવી શકાય છે. બાકીને સંકેત શી રીતે મેળવવું એ અત્યન્ત ગુપ્ત બાબત છે. આ ઉપરાન્ત B 52 સંહારક વિમાનનું કામ પણ આશુબેઓ કે હાઈડ્રોજન ફેક્તા પહેલાં ઘણું જ ગૂંચવણભર્યું બનાવ્યું છે. ભલેને વિમાન શત્રુક્ષેત્રમાં હોય તો પણ બમ્બ ફેકતાં પહેલાં પણ વિમાનીઓની સંમતિ તે લેવી જ જોઈએ. એક સાથે ત્રણે ય વિમાનીએ નક્કી કરે પછી જ પ્રલયકારી બેમ્બ ફેંકી શકાય. અન્યાસ, બ્રહ્માસ્ત્ર વગેરે શસ્ત્રોની વાતે રામાયણ, મહાભારતની કલ્પનાઓ હતી જે આજે વૈજ્ઞાનિકોની ધીકતી ધારા ઉપર ચોમેર દેખા દઈ રહી છે. હાલમાં જ અમેરિકાએ એક અવકાશયાન મારફત એક કરોડ સે પૃથ્વીની આસપાસ ફરતી મૂક્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. આમ કરવાથી રશિયન પ્રતિબળે તૂટશે તેમ તેઓ માને છે. પરંતુ રશિયને ક્યાં કમ છે? તેઓ એવાં લેહચુંબક નહિ છોડે કે જે પિલી સોયને જ ખેંચી લે? અને એ સોજડિત લેહચુંબકબેઓ સીધે શત્રુ પ્રદેશ ઉપર જ ત્રાટકે? (વસ્તુતઃ આ બે ય Page #272 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞોએ અણુઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા? [૨૫૭ પાકા મિત્ર છે.) અણુબોમ્બને ઉપયોગ કરનાર ત્રણે ય વિમાનીએ કદાચ ગાંડા બની જાય અને એકાદ બમ્બ ફેકી દે તે અમેરિકા માફી માગવા પણ તૈયાર છે. કેમકે આ રીતે “દિલગીરી વ્યક્ત કરવી એ સભ્યતાની નિશાની ગણાય છે! રશિયાનું પણ આ વખતે એ જ સૌજન્ય ગણાય કે આવી સ્થિતિમાં પડી ગયેલા અણુબોમ્બની તેણે માફી આપવી. ભલે પછી દસ વીસ લાખ રશિયને મૃત્યુ પામ્યા હોય. રશિયને અને અમેરિકાએ શસ્ત્રોની સ્પર્ધા માંડી છે. નિત્ય નવાં ભયાનક શસ્ત્રો શોધાતાં જ જાય છે. જેની બુદ્ધિમાં જે પ્રલયકારી વિસ્ફોટ થયો તેણે તે શસ્ત્ર બનાવ્યું જ સમજે. પ્રલયકારી શાની સ્પર્ધાના અને શાના થઈ રહેલા ગંજાવર ઉત્પાદનના કારણે લશ્કરી માનસશાસ્ત્રીઓ હવે વિચારમાં પડ્યા છે. મૂઠીભર માનવેના હાથમાં રહેલાં આ શ જગતની સલામતીને જોખમી તે નહિ બનાવે ને એ વિચાર તેમને ભય પમાડી રહ્યો છે. મહિનાઓ સુધી એ અણશની સારસંભાળ અને મરામત કરતે માણસ કઈ દી કંટાળો ન અનુભવે? અને જે મગજની સમતુલા ગુમાવી દે તે તે વખતે શું થાય? આણુવિજ્ઞાનના પિતા કહેવાતા આલબર્ટ આઈન્સ્ટાઈન પણ હવે દુખી થયા છે. હિરોશિમા, નાગાસાકી ઉપર અણુબેખ્ખ પડ્યા અને એમને જે સંહારલીલા સાંભળવા મળી એથી એમનું અંતર રડી ઊઠયું હતું! જગતના વિકાસમાં મદદગાર બનવાની શક્યતાવાળી અણુશક્તિ જગતને વિનાશ કરવા લાગી ! આ વિચારે એમને જીવનભર ખૂબ બેચેન બનાવી દીધા હતા! પિતે જે કર્યું તે ખૂબ જ ખોટું કર્યું એમ તેમને લાગ્યું હતું. ભગવાન જિન તે સર્વજ્ઞ હતા. અણુવિજ્ઞાનના રહસ્યનાં આવિકરણને નતીજે જેના વિકાસમાં નહિ પરિણમતાં વિનાશમાં જ વિ. ધ. ૧૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] વિજ્ઞાન અને ધર્મ પરિણમશે એ વાત એમના જ્ઞાન બહાર હતી જ નહિ. એથી જ એમણે વસ્તુમાત્રનું વિજ્ઞાન બતાવ્યું પણ એનું વ્યાવહારિક સ્વરૂપ ન જણાવ્યું બેશક, વસ્તુમાત્રના બે ય પ્રકારના ઉપગ હોય છે. સારે અને માઠો. એ બધું ય ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર અવલંબે છે. પરંતુ જ્યારે સામાન્ય રીતે પ્રાણીમાત્રની સ્વાર્થ-વૃત્તિ જ ખૂબ જોર કરતી જોવા મળે છે ત્યારે તે જીના હાથમાં આવતી વસ્તુને સહુના હિતમાં સુંદર ઉપયોગ થાય એ આશા નહિવત જ રહે છે. એટલે જ માઠા ઉપગની પણ વધુ શક્યતાવાળી વસ્તુનો ત્યાગ જ વધુ શ્રેયસ્કર માર્ગ છે એમ માનવું જ રહ્યું. હિરોશિમાને ગુનેગારઃ હિરોશિમા ઉપર અણુબોમ્બ ફેકનાર વ્યક્તિ તરીકે જે માણસ જાહેર થયે અને ખબર પડી કે એ ભયંકર સંહારક બમ્બ તો માત્ર અમેરિકન સામ્રાજ્યની સમગ્ર જગત ઉપર ધાક બેસાડવા માટે જ નાંખવામાં આવ્યું હતું. પછી તે એ માણસને જેલના લેખંડી દરવાજાઓને પેલે પાર ધકેલી મૂકવામાં આવ્યું હતું. આ રહી એ અભાગી માનવની વીતક કથા. અમેરિકન હવાઈદળના એક ભૂતપૂર્વ વિમાનચાલક કલેડ એથલીએ ૧૯૪૫ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે હિરોશિમા ઉપર બેમ્બ ફેંક્યાની પ્રસિદ્ધિ મેળવી. આણુમ્બના એ વિસ્ફટથી હજારે માન મૃત્યુ પામ્યા, જે જીવ્યા તેમનાં અંગો વિકૃત થઈ ગયાં. આજે પણ જાપાનીઝ લેકના વંશની ત્રીજી-ચેથી પેઢીમાં પણ એ વિકૃતિ ઊતરી આવેલી જોવા મળે છે. એ અણુવિસ્ફટમાંથી ઉદ્ભવેલ કિરણોત્સર્ગ રજેના ફેલાવાનાં દુષ્પરિણામ આજે પણ જાપાન ભોગવી રહ્યું છે. જ્યારે કલેડ એથલીને એ વાતની ખબર પડી કે અમેરિકન સરકારે એ અણુ-વિસ્ફટ દુનિયા ઉપર પિતાની ધાક બેસાડવાના બદઈરાદાથી જ કર્યો હતો ત્યારે એને અંતરાત્મા અતિશય દ્રવી Page #274 -------------------------------------------------------------------------- ________________ સર્વાએ અણુઆદિના સિદ્ધાંત જ કેમ બતાવ્યા? [૨૫૯ ઊઠો. “આ ભયાનક વિનાશ માટે હું જવાબદાર છું.” એવી ભાવના એના મનમાં દિવસે દિવસે દઢ થતી ગઈ. ૧૮૪૭માં કલેડ એથલીને લશ્કરમાંથી બરતરફ કરવામાં આવ્યો, પણ હિરોશિમા ઉપર બોંબ નાંખવામાં સફળ (!) સાહસ બદલ એને જે ચન્દ્રક મળ્યું હતું તે એના હૃદયમાં કારી ઘા કરી ગયું હતું, જે દૂઝતો જ રહ્યો. પ્રતિપળ એને પેલા નિરપરાધી હજારે લેકેની યાદ આવતી. જેમને એણે ખતમ કરી નાખ્યાં હતાં. અનાથેની હૃદયવિદારક ચીસો અને જીવતાં રહેલાં માબાપના નિસાસાના હાયભર્યા અભિશાપ હરપળ તેના કાનમાં ગુંજતા અને તે ભયંકર ચીસે પાડતે. એક સવારે એથલીની પત્નીએ જોયું કે તેને પતિ લેહીથી ખરડાઈને પથારીમાં પડ્યો હતો. એણે પિતાની રક્તવાહિની કાપી નાંખી હતી. ઠેકટરોએ એને જીવ બચાવી લીધે, પણ પિતાનાં હીન પાપિના ડંખથી તે તે છૂટકારે ન જ મેળવી શક્યો. એથલી પાગલ થઈ ગયે. પછીનાં વર્ષોમાં એણે કેઈનું ઘર ફાડીને ચોરી કરી. એ ઇને હતું કે એ રીતે તેને ભયંકર સજા થાય અને તેના દ્વારા તે પિતાનાં કર પાપનું પ્રાયશ્ચિત્ત કરે. ત્યાર પછી છ વર્ષ સુધી તે લગાતાર માગણી કરતો રહ્યો કે તેને ટેકસાસના પાગલખાનામાં પૂરી દેવામાં આવે. સરકારે તેને પાગલ માનીને તેમ કર્યું પણ ખરું. પરંતુ બે વર્ષ ત્યાં રહ્યા બાદ તે ભાગી છૂટ્યો, અને નાની-મોટી ચેરીઓ કરવા લાગ્યું. ન્યાયાધીશોએ ફરી એને પાગલખાનામાં ધકેલી દીધે. લાંબા સમયના ઈલાજે કર્યા પછી તેને ઘેર મોકલવામાં આવ્યો. ફરી તેણે પાપનાં પ્રાયશ્ચિત્ત કરવા ખાતર મટી ચેરી કરી. ફરી તે પાગલખાનામાં પુરાયે. માનસ-ચિકિત્સકે કહે છે કે હિરોશિમાની દુર્ઘટના માટે હું જ ગુનેગાર છું' એવો અનુભવ થતાં કલેડ એથલીને જબરદસ્ત આંચક લાગે અને તેમાંથી તે કદી સ્વસ્થ થઈ શક્યો નહિ. અણુપરમાણુની શોધેએ જગત ઉપર સુખશાન્તિનાં સર્જન કર્યા કે વિસર્જન! હજી પણ એ મહાસત્તાઓ પોતાના બુદ્ધિબળને કેટલે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] વિજ્ઞાન અને ધર્મ ભયંકર દુરુપયોગ કરે છે? કેવાં નિત્ય નવાં સંહારક શસ્ત્રો શોધે છે તે જોઈએ. બદલાતી ચુદ્રીતિઓ : સમયાનુસાર દરેક વસ્તુ બદલાતી રહે છે. જૂની પરંપરાએ તૂટે છે અને નવી પરંપરાએ સ્થપાય છે. યુદ્ધ પણ કાળના પ્રભાવથી મુક્ત રહ્યું નથી. એની નીતિ-રીતિઓમાં પણ સદા પરિવર્તન થતું જ રહ્યું છે. મલ્લયુદ્ધથી આરભાયેલી યુદ્ધ-પરપરા મિસાઈલ્સ અને હાઈડ્રોજન એમ્ભ સુધી પહોંચી છે. માનવનું યુદ્ધવિજ્ઞાન ઉત્તરેાત્તર વધુ ને વધુ સંહારક બનતું આવ્યું છે. મલ્લયુદ્ધમાં સપૂર્ણ રીતે શારીરિક બળ અજમાવવામાં આવતું હતું. ત્યાર બાદ લાઠી, તરવાર વગેરેના ઉપયેાગ થવા લાગ્યા. પછી બુદ્ધિ વધી અને ઢાલ, ભાલા વગેરે આવ્યાં. પછી આવ્યાં ઇન્દ્રાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે. ગજદળ, અશ્વદળ વગેરે પણ આવ્યાં. સેના ચતુરગણી કહેવાઈ. પછી ઊંટા પણ આવ્યાં. અને હવે હાથીના સ્થાને પેન-શર્મન વગેરે ટેન્કે આવી. હેલિકોપ્ટર અને જેટ, સુપર–સાનિક વિમાના આવ્યાં. ભાલા, તીર, તલવાર વગેરેને સ્થાને મંદૂક, રીકેટ, મિસાઈલ્સ અને ન્યુક્લિઅર શસ્ત્રો આવ્યાં. પ્રાચીન કાળમાં બે પક્ષે સામસામા આવીને લડતા, પછી દગાફૅટકા અને છળકપટનો આશ્રય લેવાવા લાગ્યું, જેમાં આજે ગેરિલાયુદ્ધ માખરે ગણાય છે. , વિજ્ઞાનના વિકાસ સાથે યુદ્ધની નીતિ-રીતિઓમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે લશ્કરનું સ`ખ્યાબળ એક ગૌણ વસ્તુ ખની ગઈ છે. સામા પક્ષના વૈજ્ઞાનિક રણભૂમિથી સેંકડો માઇલ દૂરથી જ ગણિત કરીને આંતરખંડીય મિસાઇલ્સ! છેડીને નિર્ધારિત સ્થળના વિધ્વંસ કરી નાંખવા સમર્થ છે. બધું જ જયાં સ્વયંસંચાલિત હાય ત્યાં પેલે જૂના જમાનાના સિપાઇ અને એની બંદૂકડી બિચારી શું કરી શકે? ટૂંકમાં, Page #276 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞોએ અણઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા? [૨૬૧ પૂર્વે શારીરિક શક્તિ અજમાવવામાં આવતી, જ્યારે હવે વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિશક્તિ અજમાવાય છે. માનવકેન્દ્રિત યુદ્ધો હવે શસ્ત્ર કેન્દ્રિત કે ન્યુક્લિઅર–કેન્દ્રિત બન્યાં છે. આ મ્બ, હાઈડ્રોજનબેબ, પક્ષેપાસ્ત્ર વગેરે ન્યુક્લિઅર શાને કારણે સૈનિકે તથા યુદ્ધસામગ્રી ઉપરાન્ત નાગરિક વસતિને પણ વિનાશ થાય છે, પણ હવે એક નવા જ પ્રકારના યુદ્ધની સંભાવના ઊભી થઈ છે જે કેવળ લશ્કર અને રણક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે. શહેર અને ગ્રામ વિસ્તારને કશું નુકસાન નહિ થાય. હવે મકાને નહિ તૂટી પડે, બધે કે મેટાં મેટાં કારખાનાઓ નહિ ભાંગી જાય. એ બધું તે અકબંધ રહીને શત્રુના હાથમાં જશે. મરી જશે માત્ર માન, રિબાઈ રિબાઈને, કદાચ એ ય જીવતા રહેશે બુદ્ધિભ્રમિત થઈને. કેટલાક પદાર્થો એવા છે, જેમને મને રસાયણ કહેવામાં આવે છે, એ લેતાં જ મનુષ્યની માનસી–સ્થિતિ બદલાઈ જાય છે. એવા એક પદાર્થનું નામ છે એલ. એસ. ડી. (લાઈસજક એસિડ). આની અસરથી માણસ અત્યન્ત ભયની સ્થિતિથી માંડીને જાતજાતની વિલક્ષણ સ્થિતિઓમાં ફસડાઈ પડે છે. બિલાડી ઉપર તેને પ્રયોગ કરતાં જ તે ઉંદરને જોઈને નાસવા લાગી હતી. નાગફણીમાંથી કાઢવામાં આવેલું “મુશ્કેલીન અને બિલાડીના ટોપમાંથી તૈયાર કરવામાં આવેલું ‘સિલેસિન નામનું રસાયણ પણ માણસના મન ઉપર ઊંડી અસરો પાથરી જાય છે. કેટલાંક રસાયણ શત્રુન્યને બેહોશી, ઊંઘ, લકવો, કામચલાઉ અંધતા, માનસિક અસમતુલા, પેટની બીમારી વગેરે રોગોમાં પટકે છે. આવા રાસાયણિક યુદ્ધનો મુખ્ય આધાર જ્ઞાનતંતુ ગેસ (નર્વગેસ) છે. જર્મનીની રાસાયણિક કંપનીના રસાયણશાસ્ત્રી ડો. જેમ્ફાર્ડ શ્રેડરે આ ગેસ શોધી કાઢ્યો હતો. એના પ્રભાવથી માણસ મૃત્યુ પામે છે. રશિયા અને અમેરિકા-બને ય રાસાયણિક ગેસના વિકાસમાં પિતપોતાની રીતે સતત પ્રયત્ન કરે છે. રશિયાને “ટબૂની ઉપર અને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] વિજ્ઞાન અને ધ અમેરિકાને ‘સેબીન’ રસાયણ ઉપર વધુ વિશ્વાસ છે. જેનું સાંકેતિક નામ જી. ખી. છે. આના સૂ'ઘવાથી માસ્ટ`ગેસ કરતાં પણ વધુ ઝેરી અસરો થાય છે. જી. પી. કરતાં ય એરાઈલ કા મેટ દસગણુ ઘાતક હાય છે. જ્ઞાનતંતુ ગેસનાં ઘણાં નવાં પ્રવાહીરૂપનાં સસ્કરણા નીકળ્યાં છે, જેમને વી. એજન્ટ કહેવામાં આવે છે. તેમની ધીમે ધીમે વરાળ થાય છે. આથી તે લાંખા સમય સુધી ઘાતક અસર ઉપજાવી શકે છે, વી. એજન્ટ અને જી. મી. બન્ને રંગહીન છે. ચામડી દ્વારા તે શરીરમાં પ્રવેશીને ફક્ત ત્રીસ મિનિટમાં જ માણસને પ્રાણ હરે છે, જી. ખી,ને સૂધવામાં આવે તે તે સૂધનાર વ્યક્તિ થાડી જ મિનિટમાં મરી જાય છે. જ્યારે માસ્ટર્ડ ગેસના પ્રભાવ જુદા જ હોય છે. એનાથી લોકો એછા મરે છે, પણ અપ'ગ ઘણા થઈ જાય છે. શરીર ઉપર લાંબા કાળે રુઝાય તેવાં છાલાં પડે છે. માણસને અધમૂઆ કરવા માટે સાધારણ રીતે એક ગ્રામના હજારમા ભાગ જેટલા જ્ઞાનતંતુ-ગેસ પૂરતા થઇ પડે. આમ થોડા જ રસાયણથી મોટા વિસ્તારને સાફ કરી નાંખી શકાય છે. જીવ વૈજ્ઞાનિક (ખયાલેાજિકલ) શસ્ત્રાના પ્રભાવ પડતાં ઘણી વાર દિવસે કે અઠવાડિયાં નીકળી જાય છે. કેમકે પરજીવી જંતુએ શરીરમાં પ્રવેશ કરે પછી શરીરમાં નવાં પરજીવીઓની ઉત્પત્તિ શરૂ થવામાં અલગ અલગ રાગેામાં અલગ સમય લાગે છે. રાસાયણિક શસ્ત્રા વધુમાં વધુ દસ ચે. માઈલમાં અસર કરે છે, પણ જીવવૈજ્ઞાનિક-શસ્ત્રા હજારો ચે. માઇલમાં અસર નિપજાવે છે, અમુક થોડાં જ બેક્ટેરીઆ, વિષાણુ વગેરે જીવવૈજ્ઞાનિક-યુદ્ધ માટે ઉપયાગી મનાય છે. નિશ્ચિત વસતિ કે જગા ઉપર તે ખૂબ અસર કરી શકે છે. તે માટેની પહેલી શરત એ છે કે ઘણાં વધારે, ચેપી, દીર્ઘજીવી, માટી સખ્યામાં તેમ જ અલગ અલગ રહેવાને શક્તિમાન તથા કેટલેક અંશે રસાયણા વગેરે તરફ સહિષ્ણુ તે હાવાં જોઇએ. એટલે Page #278 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞોએ અણુઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા? [૨૬૩ કે તેઓ રસાયણ, વાતાવરણ, તુ આદિ તને કારણે જલદી નાશ ન પામતાં શક્તિશાળી રહેવાં જોઈએ, જેથી તેઓ નિર્ધારિત સ્થળે રેગે ફેલાવી શકે. - ન્યૂક્લિઅર બેબના આક્રમણની સાથે જીવ-વૈજ્ઞાનિક આક્રમણ વધારે મોટા પાયા ઉપર ખાનાખરાબી સજે છે. ન્યૂકિલઅર બોમ્બ નાંખ્યા પછી સફાઈ અને આરોગ્યવિષયક પરિસ્થિતિઓમાં ઘણું ગરબડ પેદા થાય છે. વિકિરણને કારણે ચેપ ફેલાવાની શક્યતા વધતાં રોગ વધુ વણસે છે. કેટલાક એવા પ્રાણી છે જે વિષાણુઓ (વાઈરસ). માંથી ઉત્પન્ન થાય છે. જેવા કે રિંડરપેસ્ટ, પગ અને મેની બીમારી, કેલેરા ઈત્યાદિ. યત્રે, ઓજાર તથા અન્ય વિધિઓથી આ રેગચારને કેઈક પણ સ્થાન ઉપર છંટકાવ કરીને ત્યાંના નિવાસીઓને રોગગ્રસ્ત કરી શકાય છે. શસ્ત્રયુદ્ધ અને રસાયણયુદ્ધની આ કેટલી ક્રર રીતે છે? માનવને બુદ્ધિ મળી એટલે તે પોતાને સ્વાર્થ જેવાને એ સામાન્ય નિયમ છે. પિતાના વર્તુળની બહાર જે કઈ આવે તે કીટથી માંડીને માનવમાત્રને વિનાશ કરી દેવામાં પણ તે પિતાને અને પિતાના માનેલા રાષ્ટ્ર વગેરેને વિનાશ સમજવાનો. ગોરી પ્રજાની આ ઘાતકી રીતરસમ સામે શું કહેવું? ભગવાન જિનને તે સર્વ પોતાના હતા. સર્વના એ સરખા અધિકાર માનતા. સર્વને જિવાડવાને એમને સંદેશ છે. એટલે જ અને કેને ઘાત કરી નાંખનારા વિજ્ઞાનને જાણવા છતાં એમણે કદી કહ્યું નહિ એ જ તે એમની સર્વજ્ઞતા હતી ને કે જેથી વિજ્ઞાનની પાછળ સર્જનારી વિઘાતકતાને પણ તેઓએ જોઈ લીધી હતી અને તેથી જ તેવાં તત્ત્વનું પ્રતિપાદન ન કર્યું. Page #279 -------------------------------------------------------------------------- ________________ [૨૪] અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિક અનન્ત-અસ`ખ્યનુ ગણિત અને વૈજ્ઞાનિકો : જૈનદાશ નિકા જણાવે છે કે બટાટામાં અનંત સખ્યાના જીવા હાય છે, લીલ-ફેંગમાં અનંતજીવા હાય છે. ટાંચણીના અગ્રભાગ ઉપર અનંત જીવા સમાઈ શકે છે. આજ સુધીમાં જીવાત્માએ જન્મમરણુ કર્યાં, કાળ અનંત પસાર થઈ ગયા અને હેજી અન’તકાળ પસાર થશે. આકાશ અનંત છે, એના પ્રદેશ અનંત છે. આત્મા અનંત છે. દરેક આત્માના પ્રદેશ અસભ્ય છે. ધર્મોસ્તિકાયાદ્રિના દરેકના પ્રદેશ અસખ્ય છે. દેવાનું વધુમાં વધુ આયુષ્ય અસંખ્ય વર્ષોંનુ હાય છે. કોઈ પણ એક પુદ્ગલસ્ક ધ વધુમાં વધુ અસ`ખ્ય વષ સુધી રહી શકે. દેવા કે નારકો અસખ્યની સખ્યામાં હાય છે. એક રાજલેાકના અસખ્ય પ્રદેશ થાય. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવા હાય છે. અનંત અને અસભ્યના આ ગણિતને જ્યાં ને ત્યાં સાંભળીને કેટલાક લોકો હેબતાઈ જાય છે. રે! ઉપહાસ પણ કરે છે કે જયાં Page #280 -------------------------------------------------------------------------- ________________ અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિક [૨૬૫ કાંઈ ન સૂઝે ત્યાં અનંત કે અસંખ્ય કહી દેતાં લાગે છે ! ભગવાન જિનની સર્વજ્ઞતા અને સત્યવાદિતા સામે આ વચન કુઠારાઘાતસમું છે. પણ હવે વૈજ્ઞાનિકે દેડી આવ્યા છે. એઓ પણ કલ્પનામાં ના આવી શકે, માણસના મગજમાં ન સમાઈ શકે એવા ગણિતની ભાષામાં વાત કરવા લાગ્યા છે. આ રહ્યા તેમની તેવી વાતોના કેટલાક નમૂના. (૧) વિજ્ઞાનને પરમાણુ કેટલે સૂક્ષમ છે એ વાત બતાવતાં વૈજ્ઞા નિકો કહે છે કે પચાસ શંખ (અબજ-ખર્વ મહાપર્વ-શંખ) પરમાણુને જે ભાર કરવામાં આવે તે રમા તેલા થાય. એનો વ્યાસ એક ઈંચના દસ કરોડમા ભાગ જેટલે થાય! કોણ માનશે આ વાતને! છતાં જે યન્ટસહાયથી થયેલા આ સંશોધનને પણ માન્ય કરવું હોય તે સર્વજ્ઞત્વના પ્રકાશથી જે વાત કહેવામાં આવી છે તે કેમ માન્ય કરી શકાય નહિ? (૨) સિગારેટ લપેટવાના એક પાતળા કાગળની અથવા પતંગના કાગળની ધાર ઉપર લાઈનબંધ જે વૈજ્ઞાનિક પરમાણુ ગોઠવાય તે એક લાખ પરમાણુ ત્યાં રહી જાય. (૩) ધૂળના એક જ નાનકડા કણિયામાં દસ પદ્મથી પણ વધુ પરમાણુ હોય છે, (૪) સડાટરને ગ્લાસમાં નાખતાં જ જે નાના નાના બંદ ઉત્પન્ન થાય છે તેમાંના કોઈ પણ એક બુંદમાં રહેલા પરમાણુને ગણવામાં આવે તે સંસારના ત્રણ અબજ માણસ દરેક મિનિટે ૩૦૦-૩૦૦ ગણતા રહે તે ચાર મહિને તમામ પરમાણુ ગણાઈ જાય. (૫) આકાશીય પદાર્થમાં એવી સઘનતા હોય છે કે એના ફક્ત એક કયૂબિક ઈંચના ટુકડાનું ૨૭ મણ વજન થાય છે. (૬) હમણું જ શોધાયેલા સૌથી નાના તારાના એક કયૂબિક ઈંચ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] * ટુકડાનું ૧૬,૭૪૦ મણ વજન થાય છે. (૭) એક ઔંસ પાણીના સ્કંધા (પરમાણુ નહિ) ખાલી કરવા હાય તે પ્રે. અન્ડ્રેડના અનુમાન મુજબ ૩ અમજ માણસા રાત ને દિવસ-પ્રતિ મિનિટે ૩૦૦ સ્કધ કાઢતા જ રહે તે ૪૦ લાખ વર્ષોં બધા સ્કધ ખાલી કરતાં લાગે. + વિજ્ઞાન અને ધ (૮) પૂર્વે જ આપણે જોઈ ગયા કે એક ઇંચ લાંબી, પહેાળી, ઊંચી ડખ્ખીમાં સમાઈ જતી હવામાં ૪૪૨૪,૦૦૦૦,૦૦૦૦, ૦૦૦૦,૦૦૦૦૦ (૧૭ મીડા) સ્કન્ધા છે—એમ વૈજ્ઞાનિકો કહે, છે. (૯) એક આંખે દેખી શકાય તેવા નાનામાં નાના જડ પુદ્ગલમાં પણ અનંત પરમાણુ છે એમ જૈન દાનિકોએ કહ્યું છે. પર માણુની આટલી બધી સૂક્ષ્મતાના સ્વીકારની કાંઈક નજદીકમાં આવેલા વૈજ્ઞાનિકો કહે છે કે સ્કધના એક ઈંચના દસ કરોડમા ભાગમાં ૫૦ શંખ પરમાણુ સમાઇ શકે છે! (૧૦) હવે પ્રકાશવર્ષનું ગણિત જુએ. +એક સેકંડમાં પ્રકાશનું કિરણ ૧ લાખ અને ૮૬ હજાર માઈલ દૂર ચાલી જાય. છે. આ In some of these boelies (small stars) the matter has become so densely packed that a cubic inch weighs a ton, The smallest known star discovered recently is so dense that a cubic inch of its material weighs 620 tons,—Writer Ruby Fa Bois, F. B. A~ Armchair_Science_London, July 1937. + If every man woman and child in the world were turned to counting them and counted fast, say five a second, day and night. It would take about 4 million (4,000000) years to_comblete the Job; The Mechanism of Nature by E, N, Dsc, Ancrade, D. Sc., ph. D., P. 37. + સહુ પ્રથમ આ ણિત ઈ.સ. ૧૯૭૫માં સેમરે શેાધી કાઢેલું. ત્યાર આદ ૧૯૨૫માં માઈકેલસને પ્રકાશની ગાંત ૧૮૬૮૬૪ માઈલની હાવાનું કહેલું. Page #282 -------------------------------------------------------------------------- ________________ અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિક [૨૬૭ રીતે ગતિ કરતું એ પ્રકાશકિરણ એક વર્ષમાં જેટલા માઈલ કાપી નાંખે તેટલા માઈલનું એક વર્ષ પ્રકાશવર્ષ ગણાય. (૫૮૬૫૬૯૬૦૦૦૦૦૦=૧ પ્રકાશવર્ષ) આવાં લાખે પ્રકાશવર્ષોનું આંતરું એક તારાથી બીજા તારા વચ્ચે છે. નિહારિકાના એક તારાના પ્રકાશના કિરણને પૃથ્વી ઉપર આવતાં એક લાખ પ્રકાશવર્ષ થાય. આ લાખ પ્રકાશવર્ષોના આંતરાનું વૈજ્ઞાનિકનું ગણિત અસંખ્ય અને અનંતના જિનાગમના ગણિત તરફ અકાટ્ય શ્રદ્ધા ઉત્પન્ન કરાવી જતું નથી શું? (૧૧) ગેસના બે અણુ વચ્ચે ૧ ઇંચના ૩૦ લાખમા ભાગ જેટલી જગા છે. એ બે અણુ સેકંડમાં ૬ અબજ વાર ટકરાય છે! (૧૨) એક યૂબિક સેન્ટીમિટરમાં ન્યૂયોર્ક શહેરની વસતિ જેટલા જ સમાઈ જાય છે! (૧૩) દૂધના એક ટીપામાં પાંચ મહાપદ્મની સંખ્યા જેટલા જ સમાય છે. વૈજ્ઞાનિકનાં આ બધાં વિધાને કાનમાં કહી જાય છે કે જિનાગમાં આવતું અનંત–અસંખ્યનું ગણિત ખૂબ જ વિશ્વાસ કરવા લાયક છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ 3w3: 张平平平平平太太太太太太太太太太的太陽 પ્રકીર્ણક 器平平平平平平平平平平平平平平平平平平平平张 器XXXXXXX鄉鄉 Page #284 -------------------------------------------------------------------------- ________________ [૨૫] [૧] પાણીનું મૂળ કારણ વાયુ [૨] છઠ્ઠો આરા પાણીનું મૂળ કારણુ વાયુ : નૈયાયિક વગેરે અન્ય દાર્શનિક તથા જ્યાં સુધી હૅન્દ્રીકવેડિન્સ નામના વૈજ્ઞાનિક થયેા ન હતા ત્યાં સુધીના બધા વૈજ્ઞાનિક પણ પાણીને મૂળ દ્રવ્ય તરીકે જ માનતા હતા. નૈયાયિકો વગેરેએ નિત્ય જલ પરમાણુની પેતાની માન્યતાને ખૂબ પુષ્ટિ આપી છે. આ બધાની સામે જૈનદાનિકાએ સૂયગડાંગ સૂત્રમાં કહ્યું હતું કે પાણી એ સ્વતન્ત્ર દ્રશ્ય નથી. એ તે વાયુમાંથી બનનારું એક દ્રવ્ય છે. પણ આ વાતને કોઇએ પણુ ગણકારી ન હતી. . હેન્દ્રીકવેડિન્સે પાણી ઉપર અન્વેષણ કર્યું' અને તેણે જાહેર કર્યું કે હાઈડ્રોજન અને એક્સિસજન નામના એ વાયુના મિશ્રણમાંથી જ પાણી બને છે. હવે તેજ વાતને પહેલેથી જ કહી ચૂકેલા ભગવાન જનને કાનુ... શિર નહિ ઝૂકી જાય? H40 ની ફોર્મ્યુલાને હજારા લાખા વર્ષ પૂર્વે કહી ચૂકેલા એ ભગવાન જિનની વીતરાગ-સર્વજ્ઞતાને અમારાં અનંતશઃ અભિવાદન હા ! Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] છઠ્ઠા આરાની માન્યતાને વૈજ્ઞાનિક સમન ઃ જૈનદાનિકો એમ માને છે કે કાળ એ પ્રકારના છે. અસ ખ્ય વર્ષના (૧૦ ક્રોટઃ કોટિ સાગરોપમને) એક કાળ એવા પસાર થાય છે જેમાં પ્રાણીમાત્રના આયુ, ઊંચાઈ વગેરે વધતાં રહે છે. આવા કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આ કાળ પસાર થાય પછી એટલાં જ વર્ષના બીજે કાળ આવે છે, જેમાં પ્રાણીમાત્રના આયુષ્ય, ઊંચાઈ વગેરે ઘટતાં જાય છે. આવા કાળને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. આ એ ય કાળ વારાફરતી આવ્યા જ કરે છે, એ ય કાળનું એક કાળચક્ર કહેવાય છે. દરેક અવસર્પિણીના અને દરેક ઉત્સર્પિણીના છ વિભાગ પડે છે. અવસિપણી કાળના ૬ વિભાગમાં ૧ લેા વિભાગ ૪ સાગર - પમના, રો ૩ સાગરોપમના, ૩ જો ૨ સાગરોપમના, ૪થા ૪૨ હજાર વર્ષાં ન્યુન એવા ૧ સાગરાપમને, અને પમા તથા ડ્રો દરેક ૨૧-૨૧ હજાર વર્ષના હેાય છે. આનાથી તદ્ન ઊલટો ક્રમ ઉત્સર્પિણી કાળના ૬ વિભાગેાનાં સમજી લેવા. હાલ અવસર્પિણી કાળના પાંચમા ૨૧ હજાર વર્ષના આરે (વિભાગ) ચાલે છે. તેમાંથી અઢી હજાર વર્ષ પસાર થઈ ગયાં છે અને સાડા અઢાર હજાર વર્ષ બાકી છે. એ સાડા અઢાર હજાર વર્ષ પૂર્ણ થયા બાદ છઠ્ઠો આરા (૨૧ હજાર વર્ષના) આવશે. આ અવસર્પિણી કાળ છે એટલે પૂર્વે જણાવ્યા મુજબ મનુષ્ય વગેરેનાં આયુષ્ય, દેહમાન વગેરે અવશ્ય ઘટતાં ઘટતાં છઠ્ઠા આરાના માનવનું આયુષ્ય માત્ર ૨૦ વ તુ રહેશે એવુ* જૈન દાર્શનિકોનું મન્તવ્ય છે. દરેક આરામાં ખારાકના પ્રમાણુ વગેરેની પેાતાની ખાસિયત હાય છે, તે નવા આવતા આરામાં બદલાઈ જાય છે. આ રીતે છઠ્ઠા આરામાં પણ ઘણા ફેરફારો થઈ જશે. તે આરાની સ્થિતિનું જૈનાગમમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ધર્મ એ છઠ્ઠા આરામાં પડનારા દુ:ખથી લાકોમાં હાહાકાર થશે. અત્યન્ત કઠોર સ્પર્શીવાળા, મલિન તથા ધૂળવાળા પવન વાશે. તે Page #286 -------------------------------------------------------------------------- ________________ (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરે [૨૭૧ અત્યન્ત દુસહ અને ભય ઉત્પન્ન કરવાવાળા હશે. વાયુ પણ વર્તલાકારે વાશે જેથી ધૂળ વગેરે એકત્રિત થશે. ફરી ફરી ધૂળના ગોટા ઊડવાથી બધી દિશા રજવાળી થશે. ધૂળથી મલિન અધિકાર સમૂહ થઈ જવાથી પ્રકાશનો આવિર્ભાવ ખૂબ જ કઠિનતાથી થશે. સમયની રક્ષતાને કારણે ચન્દ્ર વધુ ઠંડો હશે અને સૂર્ય પણ વધુ તપશે. એ ક્ષેત્રમાં વારંવાર અરસ-વિરસ વગેરે પ્રકારના વરસાદ વરસશે. એ મુશળધાર વરસાદને લીધે ભરતક્ષેત્રનાં ગામે, નગર વગેરેને વિધવંસ થઈ જશે. વૈતાઢય પર્વત સિવાયના તમામ પર્વતને નાશ થશે. ગંગા અને સિધુ બે જ નદી રહેશે. એ વખતે ભરતક્ષેત્રની ભૂમિ અગ્નિ વગેરે જેવી થશે. પૃથ્વી ઉપર રહેનારા લેકોને ખૂબ કષ્ટ પડશે. એ શરીરથી તદ્દન કુરૂપ હશે; વાણીથી અસભ્ય બનશે, માંસાહારી હશે. એમના શરીરની વધુમાં વધુ ઊંચાઈ ફક્ત એક હાથની હશે. આયુષ્ય વધુમાં વધુ વીસ વર્ષનું હશે. એ મનુષ્ય સૂર્યના ભયંકર તાપને નહી સહી શકવાને કારણે ગંગા, સિધુ નદીનાં કેતરિમાં જ ઘર કરીને રહેશે. સૂર્યોદયથી એક મુહૂર્ત પૂર્વે અને સૂર્યા સ્ત થયા બાદ એક મુહૂર્ત પછી જ તેઓ બિલમાંથી બહાર નીકળશે અને માછલાં વગેરેને ગરમ રેતીમાં પકવીને ખાશે. * આવી સ્થિતિ ૨૧ હજાર વર્ષ સુધી રહેશે. ત્યારે પછી ફરી વાતાવરણ ઉત્તરોત્તર સુધરતું જશે. - હવે આપણે આ વિષયમાં વૈજ્ઞાનિક દષ્ટિબિંદુને વિચાર કરીએ. બેશક, જિનામના સમયના ગણિત જેટલું ચોક્કસ ગણિત વૈજ્ઞાનિકોનાં સંશોધનમાંથી જ મળે; કેમકે એ ભગવાન જિનના બનાવેલા આગમ છે, જ્યારે વૈજ્ઞાનિકો તે હજી ઘણુ અપૂર્ણ છે. છતાં એમનાં વિધાને બીજા કેઈ પણ વિધાન કરતાં જિનાગમનાં વિધાનની ખૂબ જ નજદીકમાં ક્યારેક આવી રહે છે એ હકીકત છે. હમણું જ આપણે કાળનાં જુદાં જુદાં થતાં પરિવર્તનની જે * ભગવતી શતક સૂત્ર ૭, ઉદેશ. ૬ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨] વિજ્ઞાન અને ધર્મ વિચારણું કરી અને તેની સાથે ભવિષ્યમાં ૧૮ હજાર વર્ષ પછી આવનારા દુઃખદ કાળની પણ જે વિચારણા કરી તેનું આજનું વૈજ્ઞાનિક સંશોધન ખૂબ જ મળતું આવે છે. “ટાઈમ” નામના અમેરિકન સાપ્તાહિક (૧૯૬૩)માં “ભૂસ્તર ભૌતિક પદાર્થશાસ્ત્ર” (Geophysics)ના મથાળા નીચે એક લેખ આવ્યું છે. તેનું અવાંતર બીજું મથાળું છે; “પૃથ્વીના પેટાળમાં ચુંબકીય ક્ષેત્રની હિલચાલ” (Flipping the Magnetic Field) છે. એ લેખમાં જે કાંઈ જણાવ્યું છે તેને જરૂરી સાર ભાગ આપણે અહીં જઈ શું. - દરેક પાંચ લાખ વર્ષ અથવા લગભગ તેટલા કાળમાં અજ્ઞાત કારણેથી ચુંબકીય ક્ષેત્રમાં આકસિક હિલચાલ થાય છે. દસ હજાર વર્ષના કાળમાં (જે પૃથ્વી સંબંધી વિજ્ઞાનના કાળના માપમાં કેવળ એક સામાન્ય કાળ મનાય છે) ઉત્તરના અને દક્ષિણના ચુંબકીય ધવ પિતાનું સ્થાન પરસ્પર બદલે છે. વૈજ્ઞાનિકોને ઘણુ કાળ પહેલાંથી આ સંદેહ હતો કે આ રહસ્યપૂર્ણ અલટપલટ પૃથ્વી ઉપરના બાહ્ય દશ્યમાન રૂપમાં ઘણું મોટું પરિવર્તન કરી શકે છે. હવે એવું જણાયું છે કે આ અલટપલટને હવે તે વધુ ગહન પ્રભાવ થઈ શકે છે. કેલમ્બિયા વિશ્વવિલયના વૈજ્ઞાનિકના એક પક્ષે આ વિષયમાં પ્રમાણે એકત્ર કર્યા છે અને એવી સલાહ આપી છે કે આ ક્રિયાશીલ ક્ષેત્ર પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના વિકાશમાં ઘણે મોટો હિસ્સો આપી શકે છે. મેસ્ક વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક હેઝને સમુદ્રવિજ્ઞાન સંબંધિત એક સભામાં એવું પ્રગટ કર્યું કે આ ભૂગર્ભના અવશેના વિશ્લેષણથી એ સ્પષ્ટ થયું છે કે ચુંબકીય ક્ષેત્રમાં હાલની હિલચાલ ૭ લાખ વર્ષ પૂર્વે થઈ હતી. એ અંગેના મળી આવેલા જીવેના અવશેષોએ એમ પણ પ્રગટ કર્યું કે પાણીમાં ઉત્પન્ન થનારા છેડવા કે પાણીની કેટલીક જાત ૨૪ લાખ વર્ષ પહેલાં અકસ્માત ઉત્પન્ન (!) થઈ અને ૭ લાખ વર્ષ સુધી કોઈ વિશેષ પરિવર્તન વિના અસ્તિત્વમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરો [૨૭૩ રહી. પછી થોડા જ સમયમાં તેમાંથી કેટલીક જાત પૂર્ણપણે અદશ્ય થઈ ગઈ. બીજામાં વિશેષ પરિવર્તન થયું અને એક નવા પ્રકારની પ્રાણની જાત થઈ. હેઝનને વિશ્વાસ છે કે આ પ્રત્યેક અલટપલટના ચક્રની મધ્યમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું થડા સમય માટે અદશ્ય થવા છતાં પણ આ પ્રગતિશીલ પરિવર્તન થઈ શકે છે. આ ચુંબકીય ક્ષેત્રના અભાવમાં બ્રહ્માંડ-કિરણોવાળાં તો જે બાહ્ય અંતરિક્ષનાં કેટલાંક ઉચ્ચ શક્તિવાળાં તને નાશ કરી શકે છે, તે વિનાવિકને પૃથ્વી ઉપર વરસ્યાં હતાં. તેમાંથી ઘણાં બ્રહ્માંડ-કિરણયુક્ત તત્ત્વોએ જીવંત પ્રાણીઓના પ્રાણતત્વમાં પરિવર્તન અને હાનિ કરવા માટે વાયુમંડળમાં પ્રવેશ કર્યો, જેથી કેટલાંક પ્રાણીઓની જાતિ નાશ પામી ગઈ. બીજી કેટલીક જાતેમાં પરિવર્તન થયું. * Every half milijon years or so, for unknown rea. sons, the earth's magnetic field suddenly fips, Within a period of 10,000 years a mere instant, on the geolo gical time scale-the north and south magnetic poles exchange places, Scientists have long suspected that the mysterious reversals may produce major changes in the earth's topography. Now it seems that there may be even more for reaching effects. A group of Columble University scientists has collectep evidence suggesting that the fliping field may also play a major role in the evolution of terrestrial life, X X Analysis of the slices, Heezen reported to an oceano graphic Conference at Moscow University showed that the most recent magnetic field reversal occured about 7,00,000 years ago following earlies flips 2,500,000 and 3,500,000 years ago, Fossil remnts in the slices also વિ. ધ. ૧૮ Page #289 -------------------------------------------------------------------------- ________________ 208] વિજ્ઞાન અને ધર્મ મનુષ્ય જાતની ઉત્પત્તિ પૃથ્વી ઉપર અંતિમ હિલચાલ પછી થઈ (1) અને તે મનુષ્ય જાત જ્યારે પણ બ્રહ્માંડ કિરણે વિકી cu (Radiation) Masallal 44419Hİ 24142 rell; uig માનવજાતને ચેડા કાળમાં જ પરીક્ષામાં મૂકવાનું શક્ય છે. હેઝનને (qalize S } admin olsce (Facts) 241 248 ay iş ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે નિર્બળ થતું જાય છે. આ ક્રિયાને આપણે indicated that several naw species of alges and protozoa suddenly appeaed about 2,500,000 years ago and existed without significant change until 7,00,000 years ago Then, within a short time span some of those species completely disappeared, others under went marked chonge, and new species emerged. The evoltuionary changes. Heezen believes may well have been caused by the temporary disappearance of the earth's magnetic field at the mid-point of each reversal cycle, In the absense of the field which normally deflects many of the high energy particles from outer space-cosmic ray particles rained down unhindered. Enough of them Penetrated the atmosphere to alter and camage the cells of existing organisms destroying some species and causing mutations in others, Man appeared on the earth after the last reversal, and he has never been exposed to a singnificant increase in cosmic radiation But he soon may be put the test Current data, Heezen, feels, points to a gradual weake. ning of the magnetic field, a possibie prelude to a reversal in a few hundered to a few thousand yeare. This would mean a sudden increase in cosmic bombardment of the earth's surface, “I don't want to be an alarmist.” he says “but we may be the next." Page #290 -------------------------------------------------------------------------- ________________ (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરો [૨૭૫ કેટલાંક સેકંડો અથવા હજારો વર્ષોમાં થનાર અલટપલટની ભૂમિકા અથવા પ્રારંભિક તૈયારીઓ માની શકીએ છીએ. એને અર્થ એ છે કે, “બ્રહ્માંડકિરણોને પૃથ્વીની સપાટી ઉપર આકસ્મિક પ્રચંડ આપાત થશે. તે કહે છે કે હું એક ગંભીર ચેતવણી આપવાવાળે બનવા ઈચ્છા નથી પણ તેની પછીના સ્થાનવાળા તે આપણે બનવું જ પડશે. બેશક ઉપરોક્ત હકીકતમાં છત્પત્તિ વગેરેની વાતે જિનાગમને મંજૂર નથી, પરંતુ અહીં તે ભાવિમાં આવનારા છઠ્ઠા આરાના કાળની આગાહીને વિચાર જ પ્રસ્તુત છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના નબળા પડવાથી કાળ વગેરેના પરિવર્તનની વાતે વૈજ્ઞાનિકોએ આજે કહી. ભગવાન જિન તે પૂર્વથી જ તેનાં પરિણામે કહી ચૂક્યા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદઃ સાપેક્ષવાદ હવે આપણે જેનદર્શનને સ્યાદ્વાદ આજના વૈજ્ઞાનિકે એ કેવી રીતે પ્રમાણિત કરી દીધું છે તે જોઈએ. અર્વાચીન વિજ્ઞાનના પિતા ગણતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનું જ્યારે પ્રતિપાદન કર્યું ત્યારે સમગ્ર વૈજ્ઞાનિક વિશ્વ હલબલી ગયું હતું. આને અર્વાચીન શેની મૂર્ધન્ય ધ ગણીને વધાવી લેવામાં આવી હતી. એટલા જ કારણે એ વૈજ્ઞાનિકને એ સત્યની ગંધ જ ન હતી કે સ્યાદ્વાદને તે ભગવાન જિને અગણિત વર્ષો પહેલાં કહી દીધા છે. રે! અદ્યતન જગતને જૈનદર્શનની જે કઈ શ્રેષ્ઠ દેન હોય તે એને સ્યાદ્વાદ જ છે. જેનદર્શનની ઈમારતના પ્રત્યેક સિદ્ધાતની ઇંટ સ્યાદ્વાદની જ બનેલી છે. ઈટને પ્રત્યેક પરમાણુ સ્યાદ્વાદ સ્વરૂપ છે. સ્યાદ્વાદમય જિનદર્શન છે. અહિંસા વગેરે તમામ ધર્મો સ્યાદ્વાદના જ પાયા ઉપર ઊભા Page #292 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ: સાપેક્ષવાદ [૨૭૭ છે. જેનાગમનું કોઈ પણ વાક્ય સ્યાદ્વાદની મંગળમાળાથી સુશોભિત છે. સ્યાદ્વાદની સાચી સૂઝ વિના જગત સ્વરૂપનું સાચું દર્શન થતું નથી. એ સમ્યગ્દર્શન વિના જગતના સ્વરૂપનું સાચું જ્ઞાન થઈ શકતું નથી. એવા સમજ્ઞાન વિના ત્યાજ્ય તના ત્યાગરૂપ અને સ્વીકાર્ય તના સ્વીકારરૂપ સાચું ચારિત્ર પ્રાપ્ત થઈ શકતું નથી. એવા સમ્યફચારિત્ર વિના આત્મા આ વિનશ્વર સુખેથી મુક્ત થઈ શકતે નથી; જન્મ, જરા, આધિવ્યાધિનાં દુખેથી સદાએ પિડાતે -રિબાતો જ રહે છે. એટલે જ મુક્તિમાર્ગને ભેમિયો પણ આ સ્યાદ્વાદ છે. ચિત્તની શાન્તિ વિના આત્માને સુખ નથી. સુખનાં અઢળક સાધનોના ખડકલા ઉપર બેઠેલા અબજોપતિ પણ ચિત્ત-શાન્તિના અભાવમાં મસ્ત ફકીરની પણ ઈર્ષ્યા કરે છે, મજૂરથી પણ વધુ દુઃખી રહે છે. શાન્તિ વિને સુખ શેનું ? તે સ્યાદ્વાદ વિના શાતિ કેવી? જીવનમાં સ્યાદ્વાદ પચાવે. પછી કોઈ પણ સારા-માઠા સંયેગમાં શાન્તિ તે હથેળીમાં જ રમતી રહેશે. જૈનદર્શનને આ સ્યાદ્વાદ એ કે વાદ છે એ આપણે વિચારીએ. જેનદર્શનિકે માને છે કે કઈ પણ વસ્તુમાં એક બે નહિ, લાખ-દસ કે પરાર્ધ નહિ, પરંતુ અનંત ધર્મો છે. એક જ માણસ ન્યાયાધીશ છે, ઘરાક છે, દરદી છે, શિક્ષક છે, વક્તા છે, પિતા છે, પતિ છે, કાકા અને શેઠ વગેરે પણ છે. જ્યારે એ ન્યાયાલયમાં બેસીને અપરાધીને ન્યાય કરે છે ત્યારે તે ન્યાયધીશ છે, જ્યારે તે બજારમાં જઈને વેપારી પાસેથી કઈ વસ્તુ ખરીદે છે ત્યારે તે ઘરાક છે; ડોકટરને પિતાનું શરીર બતાવે છે ત્યારે દરદી છે, વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપે છે ત્યારે વક્તા છે, પિતાના પુત્રને તે પિતા છે, પત્નીને પતિ છે, ભત્રીજાને કાકે છે, નેકરને શેઠ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] પણ છે. ખીજુ એક દૃષ્ટાંત લઈએ. એક મકાનમાં પાંચ માણસા બેઠા છે. થોડી વારમાં હાથમાં કમણ્ડલુવાળા, માટી જટાવાળા એક માણુસ ખરણે આવીને ઊભા રહ્યો. તેને જોઇને એક માણસ બોલી ઊઠયો, અહા ! ભિક્ષુક આવ્યા.” બીજો મેલ્યા, અહા મારા શિક્ષક આવ્યા.'' ત્રીજે મેલ્યા, “એ ! મિત્ર તું અહી' કયાંથી ?” ચેાથે બેન્ચે, “અરે ! મારા ભાઈ !’’ ત્યારે પાંચમા માણસ બેલ્યા, “કથા કાર આવી ગયા છે.” વિજ્ઞાન અને ધ અહીં એક જ માણસને જુદાં જુદાં સ્વરૂપે સંબોધવામાં આવ્યા છે. આમાં બધા સાચા છે. તે માણસને વેષ જોઈને પ્રથમ માણસે તેને ભિક્ષુક કહ્યો, વિદ્યાથીએ તેને શિક્ષક કહ્યો, મૈત્રીના દાવે ત્રીજાએ તેને મિત્ર કહ્યો, તેના ભાઈએ તેને ભાઈ કહ્યો અને કથક તરીકે જાણીતા તેને છેલ્લાએ કથાકાર કહ્યો. એ જ વસ્તુમાં ન્યાયધીશપણું, ઘરાકપણુ, દરદીપણું”, શિક્ષકપણ, વક્તાપણું, પિતાપણું વગેરે વગેરે ધર્મો હાઇ શકે છે; એક જ વસ્તુમાં ભિક્ષુકપણું, શિક્ષકપણુ, મિત્રપણું, કથાકારપણુ વગેરે અગણિત ધર્મો પણ હોઈ શકે છે. વસ્તુનું સ્વરૂપ જ આવુ' છે માટે જ વસ્તુસ્વરૂપના દ્રષ્ટા ભગવાન જિન કહે છે કે વસ્તુમાં અનંત ધર્માં છે. હવે એક રમૂજી દૃષ્ટાંત લઈએ. એક નિઃસ્પૃહી બાવાજી હતા. તેમની પાસે એક જ ગાડી હતી. એક વાર તે કઈ મુસાફરખાનામાં સુતા હશે. ગોદડી બાજુમાં જ મૂકી રાખી હતી. આંખો મીંચાઈ ગઈ અને ગોદડી એક પેાલીસ જ ચારી ગયા ! t સવાર પડ્યુ. બાવાજીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે એમની ગાડી ચારાઈ ગઈ છે. ફોજદારે પૂછ્યુ’· · બીજુ કાંર્રા ચારાયું છે?’ ખાવાજીએ કહ્યું, ‘હા, જરૂર. રજાઈ પણ ચારાઇ છે,' એની પણ નોંધ Page #294 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ: સાપેક્ષવાદ [૨૭૯ કરતાં ફરી પ્રશ્ન કર્યો કે, “હવે કાંઈ?” બાવાજી કહે, “હા, જરૂર. છત્રી પણ ચોરાઈ છે.” “વળી કાંઈ?” ફેજદારે પૂછયું. “કેમ નહિ? ઓશીકું અને પિતડી પણ ચારાયાં છે. આટલું કહીને બાવાજી ચાલી ગયા. આ બધી વાત પેલા પોલીસ–રે સાંભળી. એ તે સમસમી ગ. તે મનમાં બબડ્યો, “મેં માત્ર ગંદડી ચેરી છે, તે શા માટે બાવાએ આવી જુઠ્ઠી નેંધ કરાવી ધૂંઆપૂંઆ થઈને એ તે ફેજદાર પાસે હાજર થઈ ગયે. તેણે બધી સાચી વાત કરી દીધી અને જૂઠું બોલવા બદલ બાવાને સખત શિક્ષા કરવાની અરજ કરી. બાવાને બેલાવવામાં આવ્યું. દડી બતાડતાં ફેજદારે પૂછયું કે, “આ જ તેમની ગદડી હતી ને?' બાવાએ હા પાડતાં જ ગોદડી બગલમાં નાખીને ચાલવા માંડયું; એટલે સત્તાવાહી સૂરે ફોજદારે તેને અટકાવ્યું. રે! જૂઠાબેલા બાવા, કેમ ચાલવા લાગ્યો ? તારી બીજી બધી ચીજે તને મળી ગઈ!” બા સ્મિત કરતાં કહે છે. જરૂર મેં કશી ખેટી નેંધ કરાવી જ નથી. મારે બધે માલ મને મળી ગયું છે માટે જ મેં અહીંથી ચાલવા માંડયું. જુઓ, આ વસ્તુ પાથરીને તેની ઉપર હું સૂઈ જઉં ત્યારે તે મારી ગોદડી બને છે. ઠંડીમાં એઢી લઉં છું ત્યારે તે રજાઈ બની જાય છે, ક્યારેક વાળીને માથા નીચે મૂકી દઉં છું ત્યારે તે ઓશીકું બની જાય છે, વરસાદમાં માથે ધરું ત્યારે છત્રી બની જાય છે, અને લંગોટી છેવા કાઢું ત્યારે આને જ અંગ ઉપર વીંટાળી દેવાથી પિતડી બની જાય છે. હવે જ્યારે મને આ વસ્તુ મળી એટલે આ બધું મળી જ ગયું ને? માટે જ મેં ચાલતી પકડી.” બાવાજીની વાત સાંભળીને ફેજદાર સજજડ થઈ ગયે! જોયું ને? એક જ વસ્તુમાં ગદડીપણું, રજાઈપણું, એશીકાપણું વગેરે કેટલા બધા ધર્મો રહી ગયા? એક વાર મહારાણી વિકટોરિયા પિતાનાં કાર્યોથી પરવારીને ખૂબ મોડી રાતે પિતાના મહેલમાં આવ્યાં. બારણું બંધ હતું. જેથી ખખડાવતાં અંદર રહેલા તેમના પતિએ પૂછયું, “કેણ છે? ઉત્તર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] વિજ્ઞાન અને ધર્મ મળે કે “મહારાણી વિકટોરિયા, ફરી એ જ પ્રશ્ન, ફરી એ જ ઉત્તર. વિકટેરિયાના પતિ બારણું ખેલતા જ નથી. મૂંઝાયેલાં મહારાણીને સમજાતું નથી કે એમના પતિ એક જ પ્રશ્ન પૂછે છે પણ બારણું કેમ ખેલતા નથી ? ત્યાં તે એકાએક કશુંક યાદ આવ્યું. અને પતિએ પ્રશ્ન પૂછયો, “કેણ છે? ખૂબ જ પ્રેમાળ સ્વરે વિકટોરિયા બોલ્યાં, “તમારી પ્રિયતમા વિકટોરિયા. અને તરત બારણું ખૂલી ગયું. એક જ સ્ત્રી પાર્લામેન્ટમાં બેસીને કામ કરે ત્યારે તેનામાં મહારાણીપણું ભલે છે પરંતુ એના પતિની સામે તે તેમનામાં પ્રિયતમાપણું જ છે. આ બધાં દષ્ટાંતે આપણને એ જ વાત કહી જાય છે કે કેઈપણ વસ્તુમાં અનંત ધર્મો છે. જુદી જુદી અપેક્ષાએ તે વસ્તુને અમુક ધર્મ આગળ થાય છે અને બાકીના ગૌણ બની જાય છે. એટલે જ જેનદર્શન કહે છે કે સામે રહેલા ઘેડાને જોઈને તમે એમ કહી શકે છે કે તે ઘડે છે. પરંતુ જે કઈ એમ કહે કે તે ઘોડો જ છે તે એ ખોટું છે. કેમકે તે ઘડે છે તેમ તે પશુ પણ છે. “ધેડો જ છે.” એમ કહીને શું તેના બીજા સ્વરૂપને ઈન્કાર કરી દેવાય? નહિ જ. તે ઘડે છે એ વાક્યથી આ વાત અભિપ્રેત છે કે તે ઘોડો છે. બીજું પણ કાંઈક છે કે નહિ તે વાતની તરફ હાલ આંખમીંચામણાં છે. તે વાતને તિરસ્કાર તો નથી જ જ્યારે તે “ઘડો જ છે એવું કહેનાર તેનાં બીજા સ્વરૂપને તિરસ્કારી દે છે માટે તેનું વાક્ય સાચું ન કહેવાય. વસ્તુના એક સ્વરૂપને મુખ્ય કરીને બીજાને ગૌણ રાખવાની વિચારપદ્ધતિને જેનદાર્શનિકે નય કહે છે, જ્યારે બીજાં સ્વરૂપને તિરસ્કારતી વિચારપદ્ધતિને દુનય કહે છે. ટૂંકમાં, જૈનદર્શનની વિચારપદ્ધતિ સમન્વયને આવકારે છે. સામાન્ય રીતે એનામાં કોઈને પણ કોઈ પણ સિદ્ધાંતને તિરસ્કારી - Page #296 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદઃ સાપેક્ષવાદ [૨૮૧ નાખવાની પ્રક્રિયા જ હેતી નથી. એ તિરસ્કારે છે માત્ર કદાગ્રહને. બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે અને વેદાન્તદર્શન આત્માને નિત્ય માને છે. જૈનદર્શન આ બે ય સિદ્ધાંતને જુદી જુદી અપેક્ષાએ મંજૂર કરે છે. આત્માના ભાવે ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. પૂર્વ પૂર્વના ભાવવાળો આત્મા નાશ પામે છે, નવા નવા ભાવવાળે આત્મા જન્મ પામે છે. એટલે આ અપેક્ષાએ આત્મા બેશક ક્ષણિક છે. પરંતુ આ બધા ભાના પલટાઓમાં આત્મા નામનું દ્રવ્ય તે કાયમ રહે જ છે માટે અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે. બેશક ક્ષણિક્તા અને નિત્યતા એ બે વિરોધી વસ્તુઓ છે; પરંતુ એક જ અપેક્ષાએ તે બેય સ્થાને ન રહી શકે. ભત્રીજાની અપેક્ષાએ જે માણસ કાકો છે એ માણસ એ ભત્રીજાની જ અપેક્ષાએ મામે તે ન જ બની શકે, પરંતુ ભાણિયાની અપેક્ષાએ તે એ કાકે મામે પણ બની જ શકે છે. આ જ રીતે બે વિરોધી પણ જુદી જુદી અપેક્ષાએ એક સ્થાને રહી જાય તેમાં જરાય વાંધો ન હોઈ શકે. બૌદ્ધદર્શને આત્માને અનિત્ય જ માને છે. એનામાં નિત્યતા માનવાની વાતને તિરસ્કારી નાખે છે. એ જ રીતે વેદાંતદર્શન આત્મામાં માત્ર નિત્યતા માને છે, અનિત્યતા માનવાની વાતને એ ધિક્કારી નાખે છે. જ્યારે જૈનદર્શન આ બેયની વાતને ભિન્નભિન્ન અપેક્ષાથી મંજૂર કરતાં કહે છે કે આત્મા અપેક્ષાએ અનિત્ય પણ છે અને અપેક્ષાએ નિત્ય પણ છે. આ અપેક્ષાવાદ એ જ સ્યાદ્વાદ છે, એ જ સમન્વય છે, એ જ સર્વોદયવાદ છે. વસ્તુમાં અનંત ધર્મો છે, તે તે બધાયને તે તે અપેક્ષાએ સ્વીકાર કરી જ લે રહ્યો. ત્યાં પછી એક જ ધર્મને પકડી રાખો અને બીજા ધર્મોના અસ્તિત્વની વાત કરનારને તિરસ્કાર એ બિલકુલ એગ્ય નથી. આ વાત સમજવા માટે જૈનદાર્શનિકે સાત આંધળા માણસે અને હાથીનું દષ્ટાંત આપે છે. સાત અંધેએ એક વિરાટકાય પ્રાણી જોયું. તેમણે હાથીની કલપના તે કરી પરંતુ તે હાથીનું સ્વરૂપદર્શન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વિજ્ઞાન અને ધર્મ કરવામાં તેઓ બધા ભૂલા પડ્યા. કેમકે દરેકે હાથીનાં જુદાં જુદાં અંગને સ્પર્શ કર્યો હતે. જેણે પગ પકડ્યો તેણે પગની આકૃતિ ઉપરથી જ કહ્યું કે હાથી થાંભલા જેવું છે, બીજાએ સૂઢ પકડીને જાહેર કર્યું કે હાથી જાડા દેરડા જેવો છે; ત્રીજાએ કાન પકડીને સૂપડા જેવે કહ્યો. આમ દરેકે પોતાની વાત પકડી રાખી અને બીજાની વાત તિરસ્કારીને લડવા લાગ્યા. એટલામાં એક દેખતે ડાહ્યો માણસ આવ્યું. તેણે બધી વાત સાંભળીને બધાને શાંત પાડતાં કહ્યું કે તેમનામાં દરેક સાચે છે. પગની આકૃતિની અપેક્ષાએ હાથી બેશક થાંભલા જેવે છે પરંતુ સૂંઢની અપેક્ષાએ તે દોરડા જે પણ જરૂર છે. કાનની અપેક્ષાએ તે સૂપડા જેવું પણ જરૂર છે. એટલે બધા તે તે અપેક્ષાએ સાચા છે માટે તેઓ પોતાની વાતને પકડી રાખે તે બરાબર છે પરંતુ બીજાની વાતને તિરસ્કારી તે ન જ શકે. આમ જુદાં જુદાં અનેક દષ્ટાંતથી જેનદાર્શનિકોએ સ્યાદ્વાદ, સમજાવે છે. આ તે આપણે સ્યાદ્વાદનું સૈદ્ધાંતિક સ્વરૂપ જોયું. પરંતુ તેનું વ્યાવહારિક સ્વરૂપ શું? વ્યવહારમાં સ્યાદ્વાદની વિચારપદ્ધતિની ઉપલેગિતા શી? એ પણ વિચારવું જોઈએ. ભેગી માણસને એ વાત સારી રીતે સમજાઈ છે કે જીવનમાં પ્રેમનું મૂલ્ય ઘણું છે. પ્રેમ વિના જીવી શકાતું નથી. પરંતુ એ વાત પણ સમજી લેવી જોઈએ કે પ્રેમના મૂલ્ય જેટલું જ મૂલ્ય સ્યાદ્વાદનું છે. આ જ વાતને સરળ રીતે આમ રજૂ કરી શકાય કે હું તમને ચાહું છું” એ વાક્યનું જેટલું મૂલ્ય ગણાતું હશે તેટલું મૂલ્ય, ‘તમે પણ સાચા હોઈ શકે છે એ વાક્યનું છે. સ્યાદ્વાદનું જ આ વ્યાવહારિક સ્વરૂપ છે કે માનવમાત્રે દરેક વાતમાં બીજાના દષ્ટિકોણથી વિચાર કરી લઈને તે માનવ પ્રત્યે તિરરકાર ઉત્પન્ન ન કરતાં મૈત્રી રાખવી અથવા છેવટે ઉદાસીન રહેવું. પર્વતના ટેકરા ઉપર રહેલા માણસને તળેટીના રસ્તે ચાલતા માણસે વહેંતિયા જેવડા જ લાગે. એની વાતને નીચે ઊભેલે માણસ તિરસ્કારે તે નહિ Page #298 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ: સાપેક્ષવાદ [૨૮૩ તને રક્ષણમાં તે બીજી અને મનમાં આપી હતી અશુચિ ચાલે. એક વખત એ પણ જે પર્વત ઉપર ચડી જાય તે એને પણ નીચે રહેલા માન વહેંતિયા જેવડા જ લાગવાના. કેમકે હવે તેનું દર્શન પેલા માણસના દષ્ટિકણથી થયું. આમ દરેકના દષ્ટિકોણથી વિચાર કરવાથી જીવનવ્યવહાર ઘણું સંઘર્ષોમાંથી મુક્ત બની જાય છે. ટૂંકમાં એટલું જ જણાવવાનું કે સ્યાદ્વાદ દરેક વસ્તુની દરેક બાજુના જુદા જુદા દષ્ટિકોણથી (જુદા જુદા એંગલથી) વિચાર કરવાનું કહે છે, દરેક પરિસ્થિતિને જુદી જુદી દષ્ટિથી મૂલવવાનું સમજાવે છે. કઈ પણ વસ્તુ ઉપર વધુ પડતી આસક્તિ થાય અને તેની પ્રગતિમાં કે તેના રક્ષણમાં તે ચિત્તને અશાન્ત કરી મૂકે તે સ્યાદ્વાદ કહે છે કે ‘મિત્ર, એ વસ્તુની બીજી અનેક બાજુઓ છે એને પણ તું વિચાર કરી લે. એ વિનાશી છે, એ બીજાને દાનમાં આપી શકાય તેવી છે. એનું બાહ્ય સ્વરૂપ જ આકર્ષક છે. આંતરસ્વરૂપમાં તે એકલી અશુચિ ભરેલી છે............ વગેરે વગેરે જે જે દષ્ટિકોણથી વિચાર થઈ શકે તેને અજમાવ....પળ બે પળમાં જ તારું ચિત્ત આસક્તિ મુક્ત થઈ જશે. ક્યાંક કોઈ ઉપર રોષ થઈ જતો હોય ત્યારે પણ સ્યાદ્વાદ આગળ આવીને કહે છે કે શા માટે આ તેફાન? શુદ્ધ આત્માનું કોઈ કાંઈ જ બગાડી શકતું નથી. કોઈ કેઈને નથી; કેટલું જીવવું છે? વૈરથી વૈર કોનાં શમ્યાં છે? ક્ષણિક જીવનમાં આ કલેશ શા? શાને જાતે જ અંતરને ક્રોધથી સળગાવવું? વગેરે વગેરે દષ્ટિકોણથી વિચારણાઓ કર. ચિત્ત શાંત થઈ જશે. ટૂંકમાં, રાગ અને રેષના તમામ પ્રસંગોને સ્યાદ્વાદ નિવારે છે. ચિત્તની અશાંતિને ટાળીને તેને સ્વસ્થ બનાવે છે. દુનિયામાં બે પ્રકારના માન હોય છે. કેટલાક લઘુતાગ્રન્થિથી પીડાય છે, બીજા કેટલાક અહંતાગ્રન્થિથી પીડાય છે. સ્યાદ્વાદ બેયને શાંતિ આપવા આગળ આવે છે. પોતાનામાં ઘણું છતાં કાંઈ જ નથી એવું જે માને છે તેને કહે છે, “શા માટે તારી ઉપરની દુનિયા સામે જુએ છે? તારાથી ઉપર ઘણા શ્રીમંતે, બંગલાવાળાઓ, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] વિજ્ઞાન અને ધર્મ સ્વજનાદિન સુખવાળાઓ, નીરોગીઓની દુનિયા જરૂર છે, પરંતુ દુનિયા એટલી જ નથી, તારા પગ નીચે પણ છે. ત્યાં પણ બીજી . એક વિરાટ દુનિયા છે. ત્યાં ઘણું ગરીબ છે, બાગબંગલા વિનાના તે શું પણ એક ટંક પૂરું ખાવાનું પણ ન મળે તેવાએ પણ ત્યાં છે; બાળબચ્ચાંના ભયંકર કલેશથી પિડાતાઓ પણ છે અને રોગિષ્ઠો પણ છે. જરાક ત્યાં નજર નાંખ, તારાં દુઃખ કાંઈ જ વિસાતમાં નથી એમ તને લાગશે. ચિત્તને અપૂર્વ શાંતિ મળશે. તું તારી જાતને ઘણું દુઃખિયારી માનવાને બદલે મહાસુખી માનીશ.” લઘુતાગ્રંથિની કારમી પીડાવાળા માણસોને સ્યાદ્વાદ નીચું જોતાં શિખવાડીને શાન્તિ બક્ષે છે. જ્યારે અહંતાગ્રન્થિથી પિડાતા લેકેને સ્યાદ્વાદ કહે છે. “શાને નીચે જઈને ફુલાય છે? ગર્વ કરે છે? જરા ઉપર જે ...તારાથી પણ વધુ શ્રીમંતાઈમાં મહાલતા લેકે આ દુનિયામાં વસે છે. એમની સમૃદ્ધિ પાસે તે તું ચપટી ધૂળ છે ધૂળ. તારા આરોગ્ય કરતાં ઘણું સુંદર આરોગ્ય ધરાવનારા અખાડબાને જે, તારે ગર્વ મળી જશે. આમ અહંતાગ્રન્થિવાળાને સ્યાદ્વાદ એક તમાચે મારીને ઠેકાણે લાવે છે. ઉપર-નીચેની દુનિયાની જુદી જુદી અપેક્ષાના વિચાર કરવાથી દુઃખની દીનતા અને સુખની લીનતા બે ય દૂર થાય છે. માથું તૂટી પડે છે ? તે સ્યાદ્વાદ કહે છે કે ટ્યુમરના દદીના માથામાંથી ભયંકર પીડા યાદ કરો ! એની પાસે તમારું દુઃખ કશી વિસાતમાં નથી. સખત બફારો થાય છે? પિલાદની આગ ઝરની ભઠી પાસે કામ કરતા એક ગરીબ મજદૂર સામે જુઓ. કેઈએ અપમાન કર્યું છે? સંતને નજર સામે લાવે. એમને થયેલાં અપમાને પાસે તમારું અપમાન બિચારું છે! સ્યાદ્વાદ એટલે જુદી જુદી અપેક્ષાને વિચાર કરતે ચિત્તશાન્તિપ્રસાદ વાદ. એકની એક સ્થિતિમાં માણસ સુખી પણ હોઈ Page #300 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ: સાપેક્ષવાદ [૨૮૫ શકે અને દુઃખી પણ હોઈ શકે છે. સુખ-દુ:ખ છે મનની કલ્પનાઓ જેવી અપેક્ષાને વિચાર તેવું સુખ કે તેવું દુઃખ. પુત્રને એક ડીગ્રીને તાવ માતા-પિતાને દુખદ બને છે, પણ છ ડીગ્રીથી ઊતરતો ઊતરતે એક ડીગ્રી થાય ત્યારે તે જ એક ડિગ્રીને તાવ સુખદ બને છે. કૂતરે ઊંઘ બગાડતે ભસ્યા કરે ત્યારે પથારીમાંથી ઊઠીને આંખ ચોળતા ઊભા થતા સાહેબ બે–ચાર ગાળે સંભળાવી દે છે. પણ જ્યારે એમને ખબર પડે છે કે એ ભસવાના કારણે જ ચેરે નાસી ગયા, ત્યારે એ જ પરિસ્થિતિ સાહેબને પ્રસન્ન કરી મૂકે છે. એ જ નાની લીટી કે ઈ મેટી લીટીની અપેક્ષાએ નાની છે પરંતુ એથી પણ વધુ નાની લીટીની અપેક્ષાએ તે એ મેટી છે. ગામઠી સ્કૂલને માસ્તર ગામડામાં ભલે મહાન કહેવાતું હોય. પરંતુ શહેરની કોલેજના પ્રોફેસરની અપેક્ષાએ તે તે મૂખ જે કહેવાય, અને પ્રોફેસર જ મહાન કહેવાય. પરંતુ લંડનની વિશિષ્ટ પદવીવાળા ત્યાંના કોઈ ચાન્સેલરની અપેક્ષાએ તે પ્રેફેસર મહાન ન ગણાય અને મહાન એ પણ ચાન્સેલર આઈન્સ્ટાઈનની અપે-- ક્ષાએ તો કાંઈ જ ન ગણાય. જુદી જુદી અપેક્ષાએ વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપ જેવા-સમજવા મળે છે. સ્યાદ્વાદ આપણને એ સ્વરૂપદર્શન કરવાનું કહે છે અને, જે અપેક્ષાના વિચારથી ચિત્તશાન્તિ મળે તે અપેક્ષાને પકડી લેવાનું જણાવે છે. એક જ કેરી અડધી સારી છે અને અડધી બગડેલી છે. બગડેલીને વિચાર કરીને અશાન્ત થવું તે કરતાં શા માટે અડધી સારીને વિચાર ન કરે? શ્રી બુદ્ધ અને આનંદ”ના સંવાદમાં સ્યાદ્વાર પદ્ધતિ જ જેવા. મળે છે. બુદ્ધ પિતાના શિષ્ય આનંદને પૂછે છે કે, “જે ગામમાં તે જાય છે એ ગામના લે તને ગાળે દેશે તે?” આનંદ કહે છે, ભલે ગાળે દે, પણ તે મારતા તે નથી ને?” “રે! મારશે તે ?” Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] ભલે, તૈાય મારી તે નાંખતા નથી ને ?” તા?” ાય શું? આત્માનું તો કાંઈ જ તે મારા તે મિત્રો જ છે.” જીવનમાં સ્યાદ્વાદ ઊતરે તે। સઘળી જાતની અશાંતિએ નિમૂળ થાય, જીવન અને વ્યવહાર પવિત્ર અને. નાહકની હૈયાહાળીએ શાંત થઈ જાય. ભગવાન જિને સમગ્ર વિશ્વને કેવા અપૂર્વ સ્યાદ્વાદની ભેટ કરી છે! વિજ્ઞાન અને ધર્મ “અને મારી પણ નાખશે ખગાડતા નથી ને? માટે જૈનદર્શનમાં અનેક દૃષ્ટાંત આપીને સ્યાદ્વાદ સમજાવવામાં આવ્યે છે. વસ્તુમાત્રમાં ઉત્પત્તિ, વ્યય અને સૈન્ય એ ત્રણેય ધ રહે છે. આ ધર્માં પરસ્પર વિરોધી હોવા છતાં શી રીતે એકત્ર રહે છે તે બાબત એક ષ્ટાંત આપવામાં આવ્યું છે. એક સેાની સેાનાના ફલશ તેાડીને સેાનાના મુકુટ બનાવી રહ્યો છે. એ વખતે ત્રણ વ્યક્તિ ત્યાં આવે છે. સેનાની આ ક્રિયા જોતાં એકને હુ થાય છે; બીજાને દુ:ખ થાય છે; ત્રીજો મધ્યસ્થ રહે છે. જેને મુકુટ જ જોઇએ છે તે આનંદ પામે છે, જેને કલશ જોઈતા હતા તે, તેને નાશ પામતે જોઈને દુ:ખિત થાય છે, જ્યારે ત્રીજાને માત્ર સેાનાથી કામ છે એટલે પૂર્વોક્ત ઉત્પાદવિનાશમાં ય સાનું તે કાયમ છે એટલે તેને સુખદુઃખ કશું થતું નથી; તે મધ્યસ્થ રહે છે. એક જ વસ્તુમાં કોઈને ઉત્પાદ, કોઈના વિનાશ અને કોઈની ધ્રુવતા એમ ત્રણે વસ્તુ રહી છે માટે ત્રણ વ્યક્તિને જુદી જુદી અનુભૂતિ થઈને ? માટે જ વસ્તુમાત્રને ત્રિગુણાત્મક કહે છે. * ખીજુ' પણ એક દૃષ્ટાંત આપવામાં આવે છે કે દૂધમાંથી દહીં અનતું જોઈને દૂધની અપેક્ષાવાળાને તેના વિનાશ જોતાં દુઃખ થાય, દહીંની અપેક્ષાવાળાને તેના ઉત્પાદ જોતાં આનંદ થાય; જ્યારે ગારસની અ * : (i) ઉ૫ાચચપ્રૌદ્યુ સત્ । (ii) घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमादमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥ શા. વા. સમુ Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ : સાપેક્ષવાદ [૨૭ અપેક્ષાવાળા એય સ્થિતિમાં ગારસ તા છે જ માટે મધ્યસ્થ રહે છે. આમ જુદી જુદી રીતે સ્યાદ્વાદ સમજાવવામાં આવ્યે છે. સાપેક્ષ વાદની જટિલતા સમજાવવા પ્રેા. મેકસવેાન એક સુંદર દૃષ્ટાંત આપે છે. તેઓ કહે છે, “મારે એક મિત્ર એક વાર પાર્ટીમાં ગયા. એને કોઈ મહિલાએ થોડા શબ્દમાં સાપેક્ષવાદ સમજાવવાનું કહ્યું. તરત મારા મિત્રએ એક વાત શરૂ કરી : એક વાર અમે બે મિત્રા રસ્તે ચાલતા ચાલતા થાકી ગયા, ખૂબ તરસ લાગી. મેં મારા મિત્રને કહ્યું, “આપણે અહીં થોડું દૂધ ખરીદી લઇએ.’’ મારા મિત્રએ મને પૂછ્યું, “ધ શું વસ્તુ છે ?” મેં કહ્યું, “અરે! તમે દૂધ નથી જાણુતા ? જે પાતળું અને કેળું હાય છે તે દૂધ ! મિત્રએ ફરી પૂછ્યું, ધાળું કેવું ?” ઉ.-બતક જેવું. પ્ર.-મતક કેવું હાય ! ઉ.માડદાર ગરદનવાળું. પ્ર.-માડ એટલે ? મેં આ પ્રશ્નના ઉત્તર દેતાં મારા હાથ વાંકા કરીને જણાવ્યું કે માડ આવે વળાંક હાય છે. હવે તમે સમજી ગયા ને કે દૂધ શું વસ્તુ છે? જેને મડદાર ડાક છે તે ખતક છે, ધેાળું છે તે ખતક છે; બતક જેવું જે ધેાછું તે દૂધ છે. અહીં માઢની અપેક્ષા લઈને ખતક એળખાવ્યું. અને એની ધેાળાશની અપેક્ષાએ દૂધ ઓળખાવ્યું. આવી રીતે અપેક્ષા લઈને વસ્તુના વિચાર કરવા એ જ સાપેક્ષવાદ છે. × ઃઃ આલ્બર્ટ આઈન્સટાઈન પોતાની પત્નીને સરળ ભાષામાં સાપેક્ષવાદ સમજાવતાં કહે છે, “જ્યારે એક મનુષ્ય એક કન્યા સાથે વાત કરે છે ત્યારે એક કલાક એક મિનિટ જેટલા લાગે છે અને જ્યારે × : Cosmology old &_new_P. 197, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] વિજ્ઞાન અને ધર્મ એ જ મનુષ્યને અગ્નિના ચૂલા પાસે બેસાડવામાં આવે છે ત્યારે એક મિનિટ એક કલાક જેટલી જાય છે.” - પ્રે. એડિંટન સાપેક્ષવાદને સમજાવતાં દિશાનું દષ્ટાંત આપે છે. તેઓ કહે છે એડિનબર્ગની અપેક્ષાએ કેબ્રિજની અમુક દિશા છે; જ્યારે લંડનની અપેક્ષાએ એ જ કેબ્રિજની બીજી દિશા થઈ જાય છે. • એક વાત સમજી રાખવી કે સ્યાદ્વાદ એ અપેક્ષવાદ છે. વસ્તુના અનંત ધર્મોમાંથી કેઈ એકાદ ધર્મને અગ્રેસર કરીને વાત કરતે વાદ તે સ્યાદ્વાદ. વસ્તુની એક અપેક્ષાએ વિચાર કરે તેને જૈનદાર્શનિક નય કહે છે. જ્યારે વસ્તુની તમામ બાજુને સ્વીકાર કરવાપૂર્વક વિચાર કરે તેને “પ્રમાણ કહેવામાં આવે છે. નય એ આંશિક સત્ય છે જ્યારે પ્રમાણ એ સંપૂર્ણ સત્ય છે. સામે રહેલા ઘડાને જોઈને “આ ઘોડે છે એમ કહેવું તે આંશિક સત્ય સ્વરૂપ નયવાક્ય છે, જ્યારે “આ ઘડો પણ છે. એમ કહેવું તે પૂર્ણ સત્યસ્વરૂપ પ્રમાણુવાકય બને કેમકે “પણ” શબ્દથી ઘડામાં રહેલા અશ્વત્વ સિવાયના પણ તમામ ધર્મોને સ્વીકાર સૂચિત થઈ જાય છે. આપણે જે જીવનવ્યહાર છે તે બધે “નય ની ભાષામાં ચાલે છે, પ્રમાણની ભાષામાં નહિ. ટૂંકમાં આ બે સત્ય વચ્ચે અંતર રહેલું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક એડિગ્ટન પણ આ જ વાત પિતાના શબ્દોમાં કહેતાં લખે છે કે, “પ્રાયિક સત્ય અને વાસ્તવિક સત્યની વચ્ચે આપણે એક રેખા ખેંચીએ છીએ. પદાર્થના કેવળ બાહ્ય, સ્વરૂપ સાથે સંબંધ રાખતું એક વક્તવ્ય સત્ય કહી શકાય, પરંતુ જે વક્તવ્ય તેથી પણ આગળ જઈ ને વસ્તુના તમામ અંશેને +: A more familiar example of a relative quantity is • direction of an object. There is a direction of Cambridge relative to Edinburgh and another direction relative to London and so on. -The Nature of Physical World. P. 25. Page #304 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદઃ સાપેક્ષવાદ [૨૮૯ વ્યક્ત કરે છે વાસ્તવિક સત્ય છે. જે નય પ્રમાણની વાત સાથે વૈજ્ઞાનિકે કેટલા હળીમળી ગયા છે એ વિધાન ઉપરથી સમજી શકાય છે. આથી જ આપણે માનવું પડશે કે સ્યાદ્વાદ એ કે અધૂરો વાદ નથી પરંતુ વસ્તુના પૂર્ણસ્વરૂપને પામવાને યથાર્થ વાદ છે. આથી જ એક આચાર્યે કહ્યું છે કે, “જેના વિના જગતને કઈ વ્યવહાર જરા ય ચાલી શકે તેમ નથી તે ત્રિભુવનગુરુ સ્યાદ્વાદને અમે નમસ્કાર કરીએ છીએ. + છેલ્લે સ્યાદ્વાદની અણસમજથી થતા અન્યાયનું સ્પષ્ટીકરણ કરી લેવાનું જરૂરી લાગે છે. “સ્યાદ્વાદથી એક જ વ્યક્તિ કાકે, મામે, પતિ, પિતા, વગેરે બની શકે છે” એ વાત જાણીને અલ્પજ્ઞ માણસે આક્ષેપ કરે છે કે, “સ્યાદ્વાદ તે ખીચડાવાદ છે. કઈ પણ વસ્તુ કાંઈ પણ બનાવી દે તેનું નામ સ્યાદ્વાદ.” સ્યાદ્વાદની અધૂરી સમજણનું કેવું દુઃખદ વિધાન! સહુએ એ વાત સારી રીતે સમજી લેવી કે સ્યાદ્વાદનાં બે સ્વરૂપ છે? અનેકાન્ત અને એકાન્ત. ભત્રીજાની અપેક્ષાએ જે કાકે છે તે ભાણની અપેક્ષાએ મામો પણ છે. આ થેયે સ્યાદ્વાદને અનેકાન્ત. પરંતુ ભત્રીજાની અપેક્ષાએ જે કાકે છે તે ભત્રીજાની અપેક્ષાએ એકાન્ત કાકે ને એને ભત્રીજાની અપેક્ષાએ તમે કદી મા બનાવી શકે તેમ નથી. આ થયે સ્યાદ્વાદને એકાન્ત. વાસ્વામીજીની અપેક્ષાનું વિમાનગમન જ શાસ્ત્રીય છે. બીજા કેઈની અપેક્ષાએ તે વિમાનગમનને શાસ્ત્રીય ઠરાવવું એટલે પત્નીના પતિને, બહેનને પતિ બનાવવા જેવું બેવફૂફીભર્યું કાર્ય છે. . I think we often draw a distinction between what is true and what is really true, A statement which does not profess to deal with anything except appearances may be true a statement which is not only true but deals with the realities beneath the appearnaces is really true. + : નેળ વિના સ્રોપરૂ વવદા સ ન નિવવર્ણ तस्स भुवणेकगुरुणा णमोऽणेगन्तवायस्स ।। વિ. ધ. ૧૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ [૨૭] પૃથ્વી અને તેનુ પરિભ્રમણ પૃથ્વી ચર કે સ્થિર છે ? થાળી જેવી ગોળ છે કે દડા જેવી ગાળ છે? એ વિચાર આજે ખૂબ વ્યાપક રૂપમાં ચર્ચાના વિષય મનેલ છે, લગભગ તમામ ધર્મો-પૂર્વીના કે પશ્ચિમના–પૃથ્વીને સ્થિર માને છે, જ્યારે તમામ વૈજ્ઞાનિકો પૃથ્વીને ચર માનતા નથી. એમનામાં બે મત પ્રવર્તે છે. કેટલાક પૃથ્વીને સ્થિર માને છે, તે કેટલાક ચર માને છે. પ્રથમ તે આપણે ધર્મોનાં મન્તવ્યો જોઈ એ. સૂર્ય પ્રાપ્તિમાં ભગવાન મહાવીરસ્વામીજીએ ગૌતમગણધરના પ્રશ્નોના ઉત્તરમાં સૂર્યને જ ચર બતાવ્યા છે. સૌથી મહારના મંડલમાંથી અંદરના મડલમાં આવતાં અને અંદરમાંથી બહારના મ`ડલમાં જતાં વધુ મળીને સૂર્ય કેટલેા સમય લે ? એના પ્રશ્નના ઉત્તરમાં ૩૬૬ રાત્રિ-દિવસ જણાવવામાં આવ્યા છે. તેમાં સામાન્ય રીતે ‘૮૪ મ’ડલમાં સૂર્યની ગતિનું અને તેમાં ય ૧૮૨ મડલમાં તેની બે વારની ગતિનું અને પ્રથમના તથા છેલ્લા મ`ડલમાં એક વારની ગતિનું વિધાન કર્યુ છે. + + : ता जया णं ते सूरिए सव्वब्यंतरातो मंडलातो सव्वबाहिर मंडल उवसंकमित्ता चार चरति, सव्वव्बाहिरातो मंडलातो सव्वब्भंतर मंडल' उपसंकमित्ता चार चरति, एस णं अद्ध केवतियं रातिदियग्गेणं आहितेत्ति वदेज्जा ? ता तिण्णि छायट्टे रात्तिदियस रातिं दियग्गेणं आहितेति वदेज्जा | —સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ્રથમ પ્રાભૃત સૂ. ૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી અને તેનું પરિભ્રમણ [૨૯૧ ભગવતી સૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે જેમ જેમ સૂર્ય આગળ વધે છે તેમ પાછળના દેશમાં રાત્રિ થતી જાય છે અને આગળના દેશમાં દિવસ થતું જાય છે. આમ દેશભેદના કારણે ઉદયાને કાળભેદ થાય છે. * શ્રીમડલ પ્રકરણમાં સૂર્યના પરિભ્રમણથી થતાં તે તે દેશના તે તે પ્રહરાદિકાળને વધુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે. વેદ: અથર્વવેદમાં કહ્યું છે કે સૂર્ય આકાશ અને પૃથ્વીની ચારેય બાજુ ઘૂમે છે, તે અન્યત્ર પણ સૂર્યને જ રાત્રિ-દિવસને વિભાજક કહ્યો છે, ત્યાં પૃથ્વો ધ્રુવ છે, કે આકાશ અને પૃથ્વી સ્થિર છે, એમ પણ કહ્યું છે, કાર્વેદમાં પૃથ્વીને સ્થિરપ કહીને સૂર્યને ગમન કરતે પણ કહ્યો છે. યજુર્વેદમાં પણ તેમ જ કહ્યું છે. વેદના આધારે જ રચાયેલ પાતંજલ મહાભાષ્ય, શતપથબ્રાહ્મણ, ગદર્શન આદિ ગ્રંથમાં પણ એ જ વાત કહી છે. x : ता एताए अद्धाए सूरिए कति मंडलाइं चरति ? कति मंडलाइं दुखुत्तो चरति ? कति मंडलाइं एगखुत्तो चरति ? ता चुलसीयं मंडलसतं चरति, बासीति तं मंडलसतं दुक्खुत्तो चरतिः त जहाणिवखामाणे चेव पवेसमाणे चेव, दुवे य खलु मंडलाइं सइ चरति । तं जहा-सव्वभंतर चेव मंडल सव्वबाहिर मंडल । –. પ્ર. પ્ર. પ્રાભૂત સૂ. ૧૦ जह जह समए पुरओ संचरइ भक्खरओ गगणे । तह तह इयोवि नियमा जायइ रयणीइ भावत्था ॥१॥ एवं य सइ नराणं उदयत्थमाणाई होंति नियमाई । सई देशकालभेए कस्सई किंचिवि हीस्सए नियमा ॥२॥ –ભગવતી વૃત્તિ છે. ૫. ઉ. ૧ १. यत्र मे द्यावापृथ्वी सद्यः पर्योति सूर्यः –અથર્વવેદ. २. दिवं च सूर्यः पृथ्वी च देवीमहाराों विभजमाना यदेषि । –અથવ ૧૩-૨-૫ રૂ. પૃથ્વી પૃયા -અથર્વ ૬-૮૯-૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] વિજ્ઞાન અને ધર્મ બાઈબલ, કુરાન આદિમાં પણ પૃથ્વીને સ્થિર કહી છે. ભારતના પ્રાચીન તિષાચાર્યો તથા ગણિતાચાર્યોએ પૃથ્વીના સ્થિરત્વ અંગે વિચાર કરે. તેમાં વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, શ્રીધર, લલ્લ, ભાસ્કરાચાર્ય વગેરે પ્રસિદ્ધ ગણિતએ પૃથ્વીને સ્થિર કહી હતી. એમની વચમાં આર્યભટ્ટ (વિ. સં. ૧૩૩) વગેરે થયા તેમણે પૃથ્વીને ચર કહી. અને બે ય પક્ષે પોતપોતાના મતાનું નિરૂપણ કરીને પ્રતિમતની કડક ટીકા પણ કરી. તત્વાર્થકલેકવાર્તિક ચોથા અધ્યાયમાં પૃથ્વીના પરિભ્રમણ મતની કડક ટીકા કરવામાં આવી છે. હવે પાશ્ચાત્ય જગતનાં મન્ત જોઈ એ. પૂર્વે કહ્યા મુજબ બાઈબલ પૃથ્વીને સ્થિર માને છે. ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષે થયેલે હીપારકસ પૃથ્વીને સ્થિર કહે, “અરરૂં અને ‘ટાલમી જેવા પ્રસિદ્ધ ગણિતનું પણ તે જ મન્તવ્ય હતું, ૧૬ મી સદીમાં સર્વ પ્રથમ કોપરનિકસે (Copernicus) પૃથ્વીને ચર કહી અને સૂર્યને સ્થિર કહ્યો. ગેલિલિઓએ પણ પૃથ્વીને ચર કહી. જેના કારણે તેને ઘણું યાતનાઓ ભોગવવી પડી હતી. પૂર્વે જણાવ્યું હતું તેમ પૃથ્વીને ચર માનવામાં જેટલી સમસ્યા ઊભી થઈ એ બધી ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણના સિદ્ધાને દૂર કરી પરંતુ હવે જ્યારે આઈન્સ્ટાઈને એ સિદ્ધાન્તને જ કુકરાવી દીધું છે ત્યારે ફરી તે સમસ્યાઓ જેમની તેમ ઊભી રહીને પૃથ્વીને ચર માનવાના પક્ષને નબળે બનાવી દે છે. વૈજ્ઞાનિકેનાં વિરોધી મન્ત” વિચારતાં જ આપણે ત્યાં ૪. એને વિષમતે ચૌઢ ભૂમિ તિઋતઃ – અથવ ૧૦–૮–૨ . પૃથ્વી વિતર્થ છે – દ ૧-૭૨–૯ ६. ताभिर्याति स्वयुक्तिमिः –ઋવેદ ૧-૫૦-૯ ૭, (૨) ઇવાં સ્થિર ધરિત્ર | – યજુર્વેદઃ ૧૪–૨૨ ૮. ૨-૨૨૩3. ૬, ૧, ૨-૪. ૨૦. રૂ-૧૨ સૂત્ર. Page #308 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી અને તેનું પરિભ્રમણ [૨૮૩ જોયું હતું કે ૫૦ વર્ષ સુધી લગાતાર પ્રગે કરીને એડગલે પૃથ્વીને સ્થિર જાહેર કરી હતી. એસ્કેલેજિકલ મેગેઝિનના જુલાઈ ઓગસ્ટના અંકમાં આવેલા, “શું પૃથ્વી ચપટી છે?” લેખમાં પણ પૃથ્વીને સ્થિરત્વની માન્યતાનું જોરદાર નિરૂપણ આપણે જોયું હતું પરંતુ પૃથ્વીના સ્થિરત્વની માન્યતામાં હવે તે અર્વાચીન વિજ્ઞાનના પિતા ગણતા ઓબર્ટ આઈન્સ્ટાઈન પણ સાથે પુરાવે છે. તેમનું કહેવું એ છે કે પૃથ્વીની ગતિ માત્ર સાપેક્ષ છે એટલે કે પરનિકસે પૃથ્વીને ચર કહી અને સૂર્યને ચર માનનારે પક્ષ પણ બરાબર છે. છતાં પૃથ્વીને સ્થિર માનીને તેની ચારે બાજુ સૂર્ય-ચન્દ્રને ફરતા માનવામાં આવે તો ગણિત કરવાની ખૂબ જ કઠિનાઈ પડી જાય છે માટે જ ગણિતની અનુકૂળતાની દષ્ટિએ કે પરનિકસને પૃથ્વીને ફરતી માનવાનો મત વધુ અનુકૂળ પડે છે.”+ આ વિધાનનું તે એ જ તાત્પર્ય દેખાય છે કે વસ્તુતઃ તે પૃથ્વી સ્થિર જ છે પરંતુ ગ્રહો વગેરેના ભ્રમણના ગણિતની વધુ અનુકૂળતા પૃથવીને ફરતી માનવામાં રહે છે માટે જ પૃથ્વીને ચર માનવી એ ઉચિત છે. + The relative motion of the members of the solar system may be explained as the older geocentric mode and on the other introduced by Copernieus Both are legitimate and give correct description of the motion but the Copernicus is far the simpler Around a fixed earth the sun and moon describe valmost circular paths but paths of Sun's planets and of their Satelites are complexed curly lines difficult for the mind to grasp and onward to deal with in calcuiation while around a fixe sun the more important paths are almost circular. -Relativity and Commonsense be Denton. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] વિજ્ઞાન અને ધર્મ ટૂંકમાં, કેપરનિકસને મત, પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે એ ગણિત કરવાની દષ્ટિએ વધુ અનુકૂળ છે. જ્યારે વસ્તુતઃ પૃથ્વી ફરતી નથી, કેમકે ગતિમાત્ર એકબીજાને સાપેક્ષ છે. * ગમે તેમ હોય, આપણે તો અહીં એટલું જ જણાવવું છે કે પૃથ્વીના ચરત્વની માન્યતા વૈજ્ઞાનિક જગતમાં પણ એકમતી ધરાવતી નથી. એ સતત બદલાતી રહી છે માટે જૈનાગની પૃથ્વીના સ્થિરત્વની માન્યતાને ભ્રમ પૂર્ણ કહીને ફગાવી દેવાનો બાલિશ પ્રયત્ન કરવા કરતાં એ માન્યતાને પૂર્વગ્રહથી મુક્ત બની ખુલ્લા દિલે વિચારવી જોઈએ. હજી એક વિચાર કરીએ. આ એક વાત નથી પણ એક કિસે છે. બ્રિટનની પાર્લામેન્ટમાં ઉપસ્થિત થયેલે એક પ્રશ્ન છે. એમાં શું સત્ય છે, શું અસત્ય છે એની ચર્ચા કરવા કરતાં “ગુજરાત સમાચાર” નામના દૈનિક પત્રમાં આવેલ આ આ બનાવ અહીં અક્ષરશઃ રજૂ કરીશ. ખોટી વાત, પૃથ્વી ગોળ નથી. સપાટ છે ? “સંસાર- સબરસ વિભાગ” સંપાદક : જયંત પાઠક ૯-૧૧–૧૯૪૯. તાજેતરમાં લંડનના એક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રગટ થઈ હતી કે “પૃથ્વી સપાટ છે એમ જેઓ માનતા હોય તેઓ અમુક ઠેકાણે લખે.” તમને જાણીને આશ્ચર્ય થશે કે, હજુ એવા * Nevertheless, many complications are avoided by imaging that the sun and not the earth is at rest Neither the sun nor the earth is at rest in any absolute sense, and yet it is, in a sense nearer to the truth to say that the earth movas round a fixed sun than to say that the sun moves round a fixed earth, Page #310 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી અને તેનું પરિભ્રમણ [૨૯૫ હજારે બુદ્ધિશાળી માણસે છે કે, જેઓ પૃથ્વીને ગેળ નહિ પરંતુ સપાટ છે એમ મક્કમપણે માને છે. પેરેગ્રાફ (૫) પરંતુ સને ૧૮૫૫માં એક દિવસ બ્રિટનના વડાપ્રધાન લેવું પામર્સ્ટને સિવિલ એન્જિનિયરની સંસ્થાના પ્રમુઅને ઉદ્દેશીને, નીચે મુજબના કડક શબ્દો ઉચ્ચારેલા, “મિ. પ્રેસિડેન્ટ ફિનિનાન્ડ દ. લેસેસ નામના એક ફ્રેન્ચ એન્જિનિયર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે ફક્ત ૧૦૦ માઈલને દરિયાઈ માર્ગ તૈયાર કરવા માટે શા માટે જહેમત ઉઠાવી રહ્યા છે? એ મને સમજાવશે ?' સુએઝથી ઉત્તર બાજુએ નહેર બાંધવાની આ વાત છે. તમે આ યોજના સંબંધમાં સાંભળ્યું હશે !” જરૂર સાહેબ, મેં, અને મારા સાથીદારોએ સાંભળ્યું છે.” “તે પછી બ્રિટિશ ઈજનેરોએ શા સાટે આ કાર્ય ઉપાડી નથી લીધું! ટૂંકમાં, મારે તમને એટલું જ કહેવાનું છે કે, આ તે બ્રિટનની આબરૂને ઝાંખપ લાગી રહી છે.” તમે માને, કે ન માને પણ બ્રિટનના ઈજનેરોની સંસ્થાના પ્રમુખે વડાપ્રધાન સમક્ષ એ ખુલાસે કર્યો કે, “હું અને મારા સાથીદારો એ અભિપ્રાય ધરાવીએ છીએ કે કાન્સના એ ઇજનેરોની જના જરૂર નિષ્ફળ જવાની છે. ૧૦૦ માઈલ જેવા અંતરમાં પૃથ્વીના વાંકથી નહેરના કાંઠાઓ તરડાઈ જવાના. આવા પ્રકારની અવ્યવહારુ યોજના સાથે પિતાનું નામ જોડવાની બ્રિટિશ ઈજનેરોની ઈચ્છા નથી. હવે આપણે જાણીએ છીએ કે, સુએઝ નહેર એક ખૂબ જ વ્યવહારુ પેજના સાબિત થઈ ચૂકી છે. પણ સુએઝ નહેરનું સર્જન પૃથ્વી સપાટ છે એ સિદ્ધાન્ત લક્ષમાં રાખીને થવા પામ્યું છે. સુએઝ નહેરની જન હાથ ધરતાં પહેલાં તેના સર્જક ફ્રેન્ચ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] વિજ્ઞાન અને ધર્મ ઇજનેર દ. લેસેસે પિતાના બે સાથી ઈજનેરે લીનત બે અને સુગલ બે ને સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, “સદ્દગૃહસ્થ પૃથ્વી સપાટ છે એમ માનીને આપણે આ નહેર તૈયાર કરવાની છે.” સને ૧૮૭૭માં બ્રિટનની પાર્લામેન્ટે અગાઉના એક કાયદામાં એક સુધારે પસાર કર્યો. આ સુધારામાં એવું નકકી કરવામાં આવ્યું કે ભવિષ્યમાં રેલવે અને નહેરોના બાંધકામ માટેનાં એવા ઈજનેરેનાં ટેન્ડરે વિચારવામાં આવશે કે, “જેઓ પૃથ્વીના કહેવાતા વળાંક માટે કઈ પણ પ્રકારેને વાંધો લેતા ન હોય.” આ કાયદો હજુ આજે પણ બ્રિટનની ધારથી પર છે. ભૂગોળ અંગેની માન્યતા અહીં રજૂ કરવામાં આવી છે એનું કારણ એટલું જ છે કે, આજે જે માણસે વિજ્ઞાનની વાતેની ઘેરી અસર નીચે આવી ગયા છે તેમને એટલું જ બતાવવું છે કે, વિજ્ઞાન પણ ઘણા મતભેદોથી ભરપૂર છે. એ માત્ર સંશોધનવૃત્તિવાળું જ્ઞાન જ છે. એમાં ઘણું અધૂરું હોઈ શકે. એને પૂર્ણ માની લેવાની ભૂલ કરી લઈને ધર્મના તત્વજ્ઞાનની વાતને એક જ ધડાકે ફગાવી દેવાની ધૃષ્ટતા કરવી જોઈએ નહિ. એ કરતાં એને વિચારવાની તક આપવી જોઈ એ. જૂનાને તિરસ્કારવાની આજે એક ફેશન પડી છે. એનું જ આ પરિણામ છે. માટે હજી પણ એક વાત કહેવાની જરૂરી લાગે છે કે પૃથવીના સ્થિરત્વની વાતને એકદમ અવગણી નાંખવી ન જોઈ એ. કેસ્ટાઈલ એલ કાજે નામના ગણિત પણ પૃથ્વીના ભ્રમણની વાતને માન્ય નથી રાખી. અલિગઢની ભૂર્જ્યોતિષચક્ર વિવેચનસભાએ પૃથ્વીને ફરતી ન માનવાની તરફેણમાં ઘણું સાહિત્ય જગતને પીરસ્યું છે. ધી ફર્ટિયન લે સંસાયટી નામની એક સંસ્થા ન્યૂયોર્કમાં છે, જેના અનેક સભ્યો પૃથ્વીને ફરતી માનતા જ નથી. Page #312 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી અને તેનું પરિભ્રમણ [૨૯૭ અર્થ ઇઝ નેટ એ ગ્લેબ' પુસ્તકના અમેરિકન લેખક પિતાના એ પુસ્તકમાં પૃથ્વીને સ્થિર માનવાની તરફેણમાં ઘણી દલીલે રજૂ ખૂબ જ ચર્ચાદસ્પદ બનેલા આ વિષયને આપણે તટસ્થષ્ટિથી વિચારશું તે એમ ચેકસ લાગે છે કે, એક વખત તત્વજ્ઞાનમાં વિજ્ઞાન જરૂર મળી જશે. Page #313 -------------------------------------------------------------------------- ________________ [૨૮] વિભ’ગજ્ઞાન અને પિટર હરકેસ હમણાં જ જેની વાતા કરવી છે તે પિટર હરકેાસ નામના માણસે સમગ્ર વિશ્વમાં હલબલ મચાવી દીધી છે. એક વખતના રંગારે આજે અમેરિકન સરકારના અંગત નિધિ સમે બની ગયા છે. કહેવાય છે કે એને વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એના ખળથી એ આંખને અપ્રત્યક્ષ એવી ઘણી માહિતીઓ આપે છે. આ વાતના મેળ જૈનદર્શનના સિદ્ધાંત સાથે મળી જાય છે. જૈનદનમાં જ્ઞાનના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમનાં નામા આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યંત્રજ્ઞાન અને કેવળજ્ઞાન. જગતનું સ્વરૂપ જેવું છે તેવું જ માનનારા, યશાશકય છેાડવા જેવાને છેાડનારા અને સ્વીકારવા જેવાને સ્વીકારનારા, વળી કદાચ છોડવા જેવું પણ ન છૂટી શકે, અને સ્વીકારવા જેવું ન સ્વીકારી શકે તેવા આત્માઓ પણ માન્યતામાં તા છેાડવા જેવાને ઘેાડવા જેવું જ સમજે અને સ્વીકારવા જેવાને સ્વીકારવા જેવુ' જ જાણે, તથા Page #314 -------------------------------------------------------------------------- ________________ વિભગજ્ઞાન અને પીટર હરકાશ ૨૯૯ એવુ' કહેનાર વ્યક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે એવા સત્યના કટ્ટર પક્ષપાતી આત્માઓને આ પાંચ જ્ઞાનેા પૈકી એક, એ યાવતુ ચાર જ્ઞાન પણ હાઈ શકે છે. જે વીતરાગ બને છે તેમને જ પાંચમું જ્ઞાન હાય છે. પણ જગતમાં એવા પણ માનવા છે, જેએ હિંસા, જૂઠ વગેરે છેાડવા જેવાને પ્રેમથી ચાહે છે, સત્ય-ક્રયા વગેરેને સ્વીકારવા જેવા છે, તેમને તિરસ્કારે છે. આવા માણસો સ્કૂલના શિક્ષક હોય, કાલેજનાં પ્રેાફેસર હાય, રે! સમર્થ ચિંતકો હાય તા પણ તેમને ઉપરના પાંચ પૈકી એક પણ જ્ઞાન સંભવતું નથી. ઊલટું, તેઓ પાસે જે જ્ઞાન છે તે તેમના રાગ-રાષને વધારનારું હાવાથી તેમને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. જે ચિંતન-મનનથી રાગ વગેરે દાષા ટળે નહીં તે મનન (મતિ) વસ્તુત: અજ્ઞાન છે, જે સાંભળેલુ (શ્રુત) રાગાદિ દેષોની સામે લાલ આંખ કરવા ન દે તે શ્રુત પણ વસ્તુતઃ અજ્ઞાન છે. એ જ રીતે આવા આત્માઓને પણ વિશિષ્ટ મર્યાદાનું જે જ્ઞાન થઈ જાય છે તેને વિભગજ્ઞાન કહેવાય છે. જગતનું સત્યદર્શન કરનારા આત્માના જે જ્ઞાનને અવિધજ્ઞાન કહેવાય છે, તે જ જ્ઞાન અપાત્રે જાય તા વિભાગજ્ઞાન કહેવાય છે. ફરક માત્ર એટલે કે વિલ ગજ્ઞાનવાળા આત્મા સત્યના ક્ટર પક્ષપાતી ન હોય. ટૂંકમાં, અવધિજ્ઞાન અને વિભગજ્ઞાન આમ તે એ ય એક જ છે પરંતુ તેના સ્વામીના ભેદથી તેનામાં કેટલેક ભેદ પડી જાય છે. આ જ્ઞાનને અવધિજ્ઞાન કહેવામાં આવે છે તે તદ્દન યથા છે. કેમકે અહીં જ્ઞાન હાય છે તે અવિધ (limited) વાળું હાય છે. જે આત્માને આ સાન થાય છે તેને પાંચ માઈલ, પચ્ચીસ માઇલ કે હજારો-લાખો માઇલની અવધિ સુધીમાં જેટલા રૂપી પદાર્થો હોય તે બધાનું જ્ઞાન થાય છે. આપણે તે આંખેથી દેખાય તેટલુ જ જાણી શકીએ, જ્યારે આ આત્માએ પામાના જ્ઞાનની અવધમાં Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] વિજ્ઞાન અને ધ આવતા તમામ રૂપી પદાર્થાને-આંખેથી દેખ્યા વિના-આત્માથી જ જાણી લે છે. આ અધિ જ્ઞાનના છ પ્રકારે જણાવવામાં આવ્યા છે. ૧. અનુગામી, ૨. અનનુગામી, ૩. વમાન, ૪. હીયમાન, ૫. પ્રતિપાતિ, ૬. અપ્રતિપાતિ [1] અનુગામી અવધિજ્ઞાન હાથમાં રાખેલી ટા લાઈટ જેવું છે. ટોલાઇટવાળા માણસ જ્યાં જાય ત્યાં તેની આસપાસની અમુક મર્યાદામાં બધે પ્રકાશ પડચા કરે અને તે પ્રકાશમાં દેખાતી તમામ વસ્તુને તે જોઇ શકે. પાછળ તા અંધારુ થતુ જાય એટલે હવે પાછળની વસ્તુને તે જાણી ન શકે. જેને આ પ્રકારના અવધિજ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત થાય તેને આવું જ મને છે. એ જે પ્રદેશમાં ઊભે રહ્યો હાય તે પ્રદેશની ચેામેરથી ૫, ૨૫ કે હજારો માઇલની અવિધનું તેને જ્ઞાન થઈ જાય. [૨] જ્યારે અનનુગામી અવધિજ્ઞાન તે થાંભલાને બાંધેલા (ટી'ગાડેલા) ફાનસ જેવુ' છે. માણસ ગમે ત્યાં જાય તો પણ ફાનસના પ્રકાશ તે તે થાંભલાની પાસે જ પડચા કરે, માણુસ આગળ ચાલ્યા જાય તે ત્યાં તેની ચેામેર અંધારુ જ રહે. અનનુગામી અવિધજ્ઞાન પણ આવું જ છે. જે પ્રદેશમાં આ જ્ઞાન પ્રાપ્ત થયુ' ત્યાંની જ ચામેરની મર્યાદાનું જ્ઞાન તે વ્યક્તિને થાય. વમાન અને હીયમાન નામના ત્રીજા ચેાથા નંબરનું અવિધજ્ઞાન અનુક્રમે તેને કહેવાય છે કે જેએ વધતા જાય કે ધીરે ધીરે ઘટતા જાય. જયારે પાંચમું પ્રતિપાતિ અવધિજ્ઞાન એકાએક-એકદમ ચાલ્યુ જાય છે; અને છઠ્ઠું અપ્રતિપાતિ અવધિજ્ઞાન કયારે ય ચાલ્યું જતું નથી. આ છે પ્રકારના જ્ઞાનમાં આપણને અહીં પહેલા પ્રકારનુ અનુગામીજ્ઞાન જરૂરી છે. કેમકે પિટર હરકોસનું જ્ઞાન આ પહેલા પ્રકારનુ' જણાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ વિભગજ્ઞાન અને પીટર હરકેાશ [૩૦૧. ફરી એક વાત ખ્યાલમાં રાખવી કે સત્યના કટ્ટર પક્ષપાતીનું આવું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે, જ્યારે ખીજાનુ આવુ જ્ઞાન તે વિભગજ્ઞાન કહેવાય છે. જૈન શાસ્ત્રકારા કહે છે કે વર્તમાનમાં ઉપરાક્ત પાંચે ય પ્રકારનાં જ્ઞાન હાઈ શકતાં નથી. ચાથા નંબરનુ મનના ભાવાને જાણી શકતું મન: પવજ્ઞાન અને પાંચમા નબરનું સમગ્ર જગતના સ ભાવાને એક સાથે જાગુતું કેવળજ્ઞાન આજના કાળમાં આ ક્ષેત્રમાં કોઈ પણ આત્માને સંભવી શકતું નથી. માત્ર પહેલા ત્રણની જ સંભા વના છે. આજ સુધી તેા ત્રણ જ્ઞાન પૈકી બે જ જ્ઞાન જોવા મળતાં હતાં, પરંતુ ત્રીજા નંબરનું જ્ઞાન ( અધિ અથવા વિભાઁગ ) કયાં ય જોવા મળતું ન હતું. પણ જૈન દાર્શનિકોએ એના અસ્તિત્વને નિષેધ કર્યાં ન હતા એટલે કયાં ય પણ એ જ્ઞાનનુ અસ્તિત્વ મળી જાય તે તેમાં હેરત પામવા જેવું કશું જ ન હતું. અને હવે આપણી સામે એ વિભગજ્ઞાનના સ્વામી પટર હરકાસ ઉપસ્થિત થાય છે. આ માણુસને સેકડો માઈલા સુધીના પદાર્થોનું જ્ઞાન થાય છે, પણ તેમાં શરત એ છે કે તેને જેના અંગે આતમી મેળવવી હોય તેની કઈ વસ્તુ સામાન્યતઃ તેને આપવી જોઇએ. એ વસ્તુના સ્પર્શી કરતાંની સાથે જ પિટરને બધું દેખાવા લાગે છે, અને જે દેખાય તે જ તે ખેલવા લાગે છે. કેટલીક વાર પીટરને તેવા કોઈ સ્થાનની નજદીક પણ લઈ જવા પડે છે. એટલે એના જ્ઞાનને પહેલા પ્રકારનું ‘ અનુગામી ’ કહી શકાય. આ અનુગામી વગેને જ્ઞાનના પણ અસંખ્ય પ્રકાર પડે છે. એટલે તેમાં એક પ્રકાર એવા પણ હાઈ શકે, જેમાં જેનું જ્ઞાન કરવું હોય તે વ્યક્તિની વસ્તુની હાજરીની પણ જરૂર પડે. પિટર હરસ કાણુ છે? એને કયા સયાગામાં જ્ઞાન થયું? એ શું કહે છે? વગેરે ખાખતા જાણવા માટે ‘ નવીનત” નામના Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] વિજ્ઞાન અને ધર્મ ગુજરાતી માસિકના ૧૯૬૪ના નવેમ્બર માસના અંકમાં આવેલા લેખને કેટલેક જરૂરી ભાગ અહીં મૂકવામાં આવ્યું છે. હું સવદશી બન્ય અચાનક મારી આંખે ઊઘડી ગઈ. જોયું તે હું ઈસ્પિતાલમાં હતે. એવું શાથી બન્યું હશે? મેં નસને હાંક મારી. નર્સ આવી ત્યાં મને એકદમ સાંભરી આવ્યું કે હું પડી ગયે હતે ને માથામાં સખ્ત વાગ્યું હતું. હા, એટલે જ હું ઈસ્પિતાલમાં હોઈશ. ત્રીસ ફૂટની ઊંચાઈ પરથી હું નીચે પછડાયું હતું ને ઇસ્પિતાલમાં ત્રણ દિવસ બેભાન રહ્યો હતે. એ જૂન મહિને હતો. સાલ ૧૯૪૩ની હતી. એક રીતે એ દિવસે મારે પુનર્જન્મ થયે હતું એમ કહી શકાય. અચાનક જ ઈશ્વર તરફથી મને એવું વરદાન મળ્યું કે હું આ બદલાયે. કેટલું વિચિત્ર વરદાન હતું એ ! પહેલાં તે મને કશી સૂઝ ન પડી. પણ પાછળથી ખબર પડી કે મારામાં કોઈક અલ્બ શક્તિએ જન્મ લીધું હતું, જેના વડે હું લેકના ભૂતભવિષ્યના જીવનને જોઈ શકતે હતે. મારી પડખેના ખાટલા ઉપર એક માણસ સૂતું હતું. એને જ કે એનું જીવન મારી સામે સાકાર થઈ ઊડ્યું. મેં કહ્યું, “તું ખરાબ માણસ છે.” “કેમ?” એણે આશ્ચર્યથી પૂછયું. એટલા માટે કે તારા પિતાએ મરતી વેળા તને એક સેનાની કડી આપી હતી. પણ તે એ વેચી મારી.” મારી વાત સાંભળીને તે વિરમયથી સ્તબ્ધ થઈ ગયા. મારી વાત સાચી હતી. મને પિતાને પણ નવાઈ ઊપજી કે એની આ વાતની મને શી રીતે ખબર પડી ગઈ હશે? મારી અંદર કેઈ અંતર્ગોને જન્મ લીધું હતું કે શું? એ વખતે એક નર્સ મારી નાડી જોવા માટે આવી. એનું જીવન પણ મારી સામે ખુલ્લું થઈ ઊભું. મેં કહ્યું, “હું તને ગાડીમાં સફર કરી રહેલી જોઉં છું. તારી પાસે તારા એક મિત્રની સૂટકેશ છે. તને એ ખોવાઈ જવાનો ડર છે.” Page #318 -------------------------------------------------------------------------- ________________ વિર્ભાગજ્ઞાન અને પીટર હરકેશ [૩૦૩ “તમે કેમ કરીને જાણ્યું ?” એણે મૂંઝાઈને કહ્યું, “હું હમણાં જ એસ્ટમથી આવી છું, અને ગાડીમાં મારા મિત્રની સૂટકેશ ભૂલી આવી છું. પણ તમને આ વાતની કેમ કરતાં ખબર પડી ?” કઈ જવાબ ન દઈ શક્યો. નસ ત્યાંથી ચાલી ગઈ. થોડી વાર પછી તે પાછી આવી ત્યારે તેની સાથે એક માનસરોગ તબીબ હતા. તે મારી પરીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછીના દિવસે એક દર્દી મારા ઓરડામાં આવ્યું. ક્યારેક ક્યારેક તે પોતાના ઓરડામાંથી મારા ઓરડામાં ડોકિયું કરતે. એણે મને કહ્યું કે તે ઈસ્પિતાલમાંથી છૂટો થઈ હવે ઘેર જવાનું છે. મેં એની સાથે હાથ મિલાવ્યા. અને તરત મને લાગ્યું કે તે બ્રિટિશ એજન્ટ છે અને થોડા દિવસ પછી કાલ્વર સડક ઉપર જમને એને મારી નાંખશે. એ મારા ખંડમાંથી બહાર ગયે કે તરત મેં નર્સને પૂછ્યું, કેણ હતું એ માણસ એનું નામ તો.......' એને રેકે. એ મરાઈ જશે, એ બ્રિટિશ એજન્ટ છે, અને જમનેને એ વાતની ખબર છે. કાલ્વર સડક પર એનું ખૂન કરી નાખશે એને અટકાવે.” મેં કહ્યું. એ વખતે ડોકટર ત્યાં આવ્યા અને મને શાંત રહેવાનું કહ્યું. એમને એમ કે હું માંદગીમાં નકામે બડબડાટ કરી રહ્યો છું. બે દિવસ પછી ખરેખર એ માણસને જમને એ કાલ્વર સડક પર મારી નાખે. આ ઘટના પરથી લેકને એમ શક આવ્યો કે હું જર્મને સાથે મળેલ હઈશ. એટલે તેં મને પેલા માણસની હત્યા થવાની છે એવી ખબર પડી હશે ને? પણ એ કાંઈ સાચું નહોતું. ઘાયલ થઈને ઈસ્પિતાલમાં આવતાં પહેલાં હું પોતે પણ જર્મને વિરુદ્ધના ભૂગર્ભ આંદોલનમાં મારા દેશબાંધવા સાથે ત્રણ વર્ષથી ભાગ લેતે હતે. આમ ભારે વિચિત્ર સ્થિતિમાં હું ફસાઈ પડ્યું હતું. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] વિજ્ઞાન અને ધર્મ ચેડા જ દિવસમાં મારી આ અલૌકિક શક્તિ વિષે ચર્ચા થવા લાગી. ડોકટરે મારી પરીક્ષા કરવા લાગ્યા. લગભગ ચારેક મહિના હું ઇસ્પિતાલમાં રહ્યો. ઈસ્પિતાલના કેટલા દિવસ સુધી એ લેકેએ મારી તપાસ કર્યા કરી, જેથી મારા રહસ્યનું કેઈક સૂત્ર હાથ લાગી શકે. છેવટે ઈસ્પિતાલમાંથી છૂટ્યો. એક નવું જીવન પામે. હું જે માણસને જેઉં, એનું જીવન મારી સામે ઉઘાડું થઈ જતું. એના જીવનમાં આવેલાં એવાં સ્થાને અને માણસે મને દેખાવા માંડતાં, જેમને મારા પિતાના જીવનમાં તે મેં કદી નહેતાં જોયાં. લેકેના અંગત જીવનમાં આમ નજર નાખવામાં મને ભય લાગતું હતું, પણ એ મારા હાથની વાત ન હતી. મને હૃદયમાં બહુ બેચેની થવા માંડી. જાણે હું કોઈ નવી જ દુનિયામાં વસતે હેઉં? ઘડીભર તે એમ લાગ્યું કે આ અદ્દભુત વરદાન મારે માટે અભિશાપ બની રહ્યું છે. ઈસ્પિતાલમાંથી હું ઘરે આવ્યું. મારા ઘરના લેકેને મારી તરફને વ્યવહાર બદલાઈ ગયું હતું. તેઓ મારા પર છાનાંમાનાં વિચિત્ર દષ્ટિ નાખી લેતાં. આમ તે તેઓ કશું બોલતાં નહિ પણ તેમના મનમાં શું છે તેની મને ખબર હતી. હું કલાક સુધી એક જગ્યાએ બેસી રહે, અને મારી સામે આવતા લોકોની જિંદગી પરથી પડદાને ઊંચકીને નિહાળી રહે. શું ખાઉં છું? ક્યારે સૂઈ જાઉં છું? કશાનું ભાન મને રહેતું નહીં. ઘણી વાર આખી રાત હું મારા ખંડમાં આંટા માર્યા કરતે. એક દિવસ મારી માએ ગુસ્સે થઈને કહ્યું કે, મારે ઘરમાં રહેવું હોય તો સારી રીતે રહેવું જોઈએ, નહિ તે પછી ઘર છોડી જતા રહેવું જોઈએ.” એટલે એક દિવસ હું–પિટર હરસ–વહેલી પરોઢે ઘર છોડી ચાલી નીકળ્યો. પિટર હરકેસ મારું અસલ નામ નથી. ભૂગર્ભ આંદોલનમાં ભાગ લેતી વખતે મેં મારા કુટુંબની સલામતી માટે એ નામ રાખ્યું હતું. Page #320 -------------------------------------------------------------------------- ________________ વિર્ભાગજ્ઞાન અને પીટર હરકેશ [૩૦૫ મારું મૂળ નામ તે છે પિટર ડરહ8. મારે જન્મ ૧૯૧૨માં હોલેન્ડના એક કસબામાં થયું હતું. મેટો થતાં હું રેડિયે એન્જિનિયરિંગનું ભણવા લાગ્યો. પણ આર્થિક મુશ્કેલીઓને કારણે મારે ભણવાનું છોડી દેવું પડયું. ત્યાર પછી મારા પિતા સાથે મેં મકાન રંગવાનું શરૂ કર્યું. ૧૯૪૦માં જર્મનીએ અમારા દેશ પર આક્રમણ કર્યું અને થોડા દિવસમાં એના ઉપર પૂરેપૂરો કબજો જમાવી દીધો. દેશની એક એક વસ્તુ તેમણે લૂંટી લીધી. અમે ભૂખે મરવા લાગ્યા. પરિસ્થિતિ કાંઈક સુધરી ત્યારે હું ફરી મારા પિતા સાથે રંગારા તરીકે જવા લાગ્યું. દરમિયાન ભૂગર્ભ આંદોલનમાં પણ ભાગ લેતે રહ્યો. એ જૂન મહિને હતે. હું એક નિસરણી પર ચઢીને એક બેરેકની બારીઓને રંગ લગાડી રહ્યો હતો. અચાનક મારા પગ ડગમગી ગયા અને ત્રીસ ફૂટની ઊંચાઈથી ધમ કરતે હું નીચે આવી પડ્યો. મને યાદ છે કે નીચે પડતી વખતે મારા દિમાગમાં એક જ વિચાર હતું, “મારે મરવું નથી.” ભરવામાંથી હું બચી ગયે અને એક તદ્દન ન જ માણસ બનીને હું બહાર આવ્યું. ઈસ્પિતાલમાંથી છૂટ્યા પછી ધીમે ધીમે ભૂગર્ભ–દેલનમાં મારા સાથીઓમાં મારી દેશભક્તિ વિષે હું વિશ્વાસ જગાડી શક્યો. તે પણ કેટલાક લેકો અને ડોકટરે સુદ્ધાં એમ કહેતા હતા કે મને પાગલખાનામાં મેકલી આપ જોઈએ અને એ કારણે તે મને ખરેખર એક માનસ-રેગના ડોકટર પાસે મોકલી દીધે. એને મારી કઈ વાતને ભરોસો પડતે નહિ, પણ જ્યારે મેં ખૂદ એના જવ. નની કેટલીયે અંગત વાતે એને કહી તે એ દિંગ થઈ ગયે. ત્યાર પછી એ મારી અલૌકિક શક્તિ પર વિશ્વાસ કરવા લાગ્યું. એ દિવસોમાં જમનેએ અમારા એક સાથીને કેદ પકડી લીધે વિ. ધ. ૨૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬] વિજ્ઞાન અને ધમ હતા. તેઓ એને જ`ની માટી દેવાના હતા. પણ મેં એને છેડાવ્યા ત્યાર પછી મારા રાજકારણના સાથીએ મારા પર વિશ્વાસ કરવા લાગ્યા. મારી આ અદ્ભુત શક્તિ વિષે એક વાત હું તમને કહી દઉં. હું બીજાના જીવનમાં ષ્ટિ નાખી શકું છું, પણ મારા પેાતાના જીવનમાં, મારા ભવિષ્યમાં હું નથી જોઇ શકતા. મારુ ભવિષ્ય મારી સામે અંધકારપૂર્ણ છે. ઘરેથી નીકળ્યા પછી હું મારી આજીવિકા માટે લોકોને એમના જીવનની ઘટના કહેવા લાગ્યા. એના બદલામાં હું ફી લે અને આમ મારું ગાડું ગબડવા માંડ્યું'. આ દરમિયાન મારાં સ્વજના, મિત્રા, પિરિચતેથી હું વધુ ને વધુ દૂર થતા ગયા, અથવા એમ કહું કે એમની ગુપ્ત વાતા મારાથી છાની નહિ રહી શકી. એક વાર મારા સાથીદાર સાથે હું જગલમાં લાકડાં કાપવા ગયા. એ ગેરકાયદેસર કામ હતું. અમને લાકડાંની સખત જરૂર હતી, ત્યાં જનાએ અમને પકડી લીધા. દિવસ-રાત તેઓ મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતા. મારી ઊંધ હરામ કરી દીધી. સૂતાં હજુ માંડ કલાક થયેા હાય, કે તેઓ મને જગાડી દેતા ને પછી અગણિત પ્રશ્ના પૂછતા, પણ મેં મારે કોઈ ભેદ ખાલ્યા નહિ. છેવટે મને એક વેઠ છાવણી (કેાન્સન્ટ્રેશન કેમ્પ)માં મોકલી દેવામાં આવ્યા. આ છાવણીમાં રહેવું એટલે ધીરે ધીરે રિખાતાં મોતને ભેટવું. જર્મનોની આ છાવણીઓ દુનિયાભરમાં પ્રસિદ્ધ હતી. ત્યાંથી કોઈ કેદી જીવતા પાછા ફરતા નહિ. કોઈ આવે તેા હાડકાનું માત્ર માળખુ' શેષ હાય. કેન્રીઓ પર અમાપ સિતમ ગુજારવામાં આવ. હું ત્યાં તેર મહિના રહ્યો. જ્યારે પાછો આવ્યે ત્યારે મારું વજન અડધું થઈ ગયું હતું. કોને ખબર હું શી રીતે જીવતા રહ્યો.! ફરી હું' મારા સાથી સાથે જોડાઈ ગયા. તેઓ એથી રાજી હતા, કારણ કે કયારે બામ્બમારો થશે, એ હુ પહેલેથી જ કહી Page #322 -------------------------------------------------------------------------- ________________ વિભગજ્ઞાન અને પિટર હૅરકાશ [૩૦૭ શકતા હતા, એટલે અમે પહેલેથી જ અમારે બચાવ કરી લેતા. સાથી સેનાએ ફ્રાન્સ પર કયારે હુમલા કરશે તે પણ મને ખબર પડતી. મે' ઘણા દિવસ આગળથી એ માટે ચાથી જૂનની તારીખ અતાડી હતી, પણ હુમલા છઠ્ઠી જૂને (૧૯૪૪) થયેા. જર્મનીથી હાલેન્ડ પાછા ફરીને મારું પહેલું કામ તેા તબિયત સુધારવાનું હતું. બીજો સવાલ કામના હતા, પણ એમાં એક નવી મુસીબત ઊભી થઇ. હવે હું કોઈ પણ કામ ૧૦-૧૫ મિનિટથી વધારે વખત એકચિત્તે કરી શકતા નહિ. હું કોઈ પણ કામ પર ધ્યાન એકાગ્ર કરું કે કામ સાથે સંકળાયેલા લાકો મારી સામે આવતા અને એમનાં જીવન અનાવૃત થવા લાગતાં. હમેશાં આવું બનતું રહેતું એમ નહિ, પણ એ જ્યારે પણ બનતું ત્યારે હું એક નવી દુનિયામાં પહેાંચી જતા. હું કોઈ પણ વસ્તુ ઊંચકતા અથવા એને જોતા કે તરત જ મારી સામે એ વસ્તુ સાથે સંબધિત લેકના ચહેરા તરવરતા લાગતા. એટલે હવે તે આ શક્તિના ઉપયાગ કરીને જીવિકા રળવાના એક જ માર્ગ મારી સામે રહ્યો હતેા. × X એણે પૂછ્યું : ‘ બીજાની વાર્તાની તમને કેમ કરતાં ખખર · પડે છે?’ ‘ટોઇ વસ્તુને અડીને.” મારા માંમાંથી જવાબ નીકળી ગયા. તે મારી કઈ વસ્તુને અડવા ઇચ્છે છે ? છેવટે મારી પત્નીને તા નિહુ જ અડો એમ હું ધારું છું.' બધા લેાકેા હસી પડ્યા, લેા મારી આ ડિયાળને અડીને મારા જીવન વિષે બતાવા,” તેણે કહ્યું, અને ઘડિયાળ આગળ ધરી. × ઘડિયાળને અડકતાં જ મારી સામે એનું જીવન ખુલ્લું થઈ ગયું. મેં કહ્યું, ‘આની અંદર વાળને એક નાના ગુચ્છા છે. પણ તે તમારી પત્નીના નહિ, બીજી કોઇ છોકરીના વાળ છે. આ છોકરીનું નામ ગ્રેટા છે અને અત્યારે આ પ્રેક્ષકાની વચ્ચે બેઠી છે.’ મે જોયું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] વિજ્ઞાન અને ધર્મ તે જાદુગરના ચહેરાને રંગ ઊડી ગયું હતું. એની પત્ની એની સામે વિસ્મયથી તાકી રહી હતી. જાદુગરે વાત ટાળવા ઈચ્છયું, પણ હું તે ઘડિયાળ હાથમાં પકડી પ્રેક્ષકે વચ્ચે ચાલી ગયે હતું ને પેલી છોકરીને શોધતું હતું. છેવટે એની પાસે આવતાં હું અટક્યો ને બે , “આ ગ્રેટ છે!” મે જે કંઈ કહ્યું તે સાચું નીકળ્યું. લેકો મારી ચારે તરફ એકઠાં થઈ ગયા. ત્યારથી મેં પ્રેક્ષકો સામે મારી અદ્દભુત શક્તિનાં પ્રદર્શને જવાનું શરૂ કર્યું. મારે માટે આ સાવ નો ધંધે હતે. મારી વાત એ ટકા સાચી નહતી પડતી, પણ એંશી ટકા તે જરૂર સાચી નીકળતી હતી. | મારી ખ્યાતિ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ ગઈ. એક વખત લિમ્બર્ગના પોલીસ ખાતાએ મને એક કેસ વિષે કેટલીક માહિતી મેળવવા માટે લાવ્યું. કેસમાં એમ હતું, કે વાન ટોસિંગ નામના એક માણસનું કેઈ એ ખૂન કર્યું હતું, પણ ખૂનીને પત્તો મળતું ન હતે. ' મેં કહ્યું કે વાન ટેસિંગનું કઈ વસ્ત્ર મને લાવી આપવામાં આવે, પણ એવું વસ્ત્ર કે જે ધેયેલું ન હોય. કોઈ માણસનું કપડું એકવાર દેવાઈ જાય પછી હું તેને અડું તે તેથી મને કશી ખબર પડતી નહિ. પિોલીસે મને વાન ટોસિંગને કેટ આપે. કેટ હાથમાં પકડતાં જ મેં બતાવ્યું કે વાન ટોસિંગની હત્યા અધિક ઉંમરના એક માણસે કરી છે. એને મૂછ છે અને એને એક પગ કૃત્રિમ છે. આંખે પર ચરમાં પણ પહેરે છે. પિલીસે કહ્યું કે હા, આવા એક માણસ પર અમને શક છે. પછી મેં એ પણ કહ્યું કે જે પિસ્તોલ વડે એણે વાન ટોસિંગનું ખૂન કર્યું છે, તે એના મકાનની છત પર પડી છે. સાચેસાચ પિસ્તોલ ત્યાંથી મળી આવી. એના ઉપર ખૂનની Page #324 -------------------------------------------------------------------------- ________________ કે , વિર્ભાગજ્ઞાન અને પિટર હરેશ | [૩૦૯ આંગળીઓનાં નિશાન પણ હતાં. પુરા મળી ગયે. એને ખ્ય સજા થઈ. આવી જાતના બીજા ગૂંચવણભર્યા ને પિલીસને મૂંઝવતા કેસમાં પણ મેં મદદ કરી. આજે સાત ભાષાઓ બેલી શકું છું. પહેલાં મને માત્ર ત્રણ ભાષાઓ જ આવડતી હતી, આથી બીજા દેશેના લેકે મારી પાસે આવતા ત્યારે મારી પત્ની દુભાષિયણ તરીકે કામ કરતી હતી. તે એ ત્રણે ભાષાઓ ઉપરાંત બીજી પણ ચાર-પાંચ ભાષા જાણે છે. સાત ભાષાએ શીખ્યા પછી હું યુરેપના પ્રવાસે નીકળે. ત્યાં મેં પ્રદર્શન કર્યા. વ્યક્તિગત રીતે લેકના જીવન એમની સામે પ્રગટ કર્યા અને એ દેશોની પોલીસને સહાય કરી. એકવાર મેં પેરિસ કલબમાં પ્રદર્શન કર્યું. પ્રેક્ષકોમાંથી એક માણસે મને ચિઠ્ઠી મોકલાવી કે તે મને મળવા માગે છે. બીજા દિવસે મળવાનું નક્કી થયું. ઠરાવેલા સમયે તે આવ્યું. મને લાગ્યું કે તે અતિશય શ્રીમંત માણસ છે, પણ એટલે સંસ્કારી નથી. આવતાં વેંત તેણે ફ્રેન્ચ ભાષામાં કહ્યું, “મને લાગે છે કે તમે એક મૂરખ માણસ છે.” હું ફ્રેન્ચ નહોતે જાણતે. મારી પત્નીએ એને વાક્યને અનુવાદ કર્યો. આ સાંભળીને હેરાન થઈ ગયે. એ માણસે ફરી કહ્યું, “તમારા જેટલી શક્તિ મારામાં હેત તે કમાવા માટે હું આટલી મહેનત ન કરત, કોઈક સહેલે માર્ગ શોધી કાઢત.” “કે માગ ? મેં પૂછ્યું. એક પ્રદર્શનમાં તમને કેટલા પૈસા મળે છે? તેણે મને પૂછયું. “પહેલાં તમે જે કામ માટે આવ્યા છે, તેની વાત કરે. તમે “તમારા જીવન વિષે કંઈક જાણવા ઈચ્છો છો ને? હા. તે તમારી ઘડિયાળ આપ.” મેં સાફ વાત કરી. એની ઘડિયાળ હાથમાં લઈને મેં બતાવ્યું કે તે વહાણેને Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] વિજ્ઞાન અને ધ 6 વેપારી છે—ઇત્યાદિ. ઉપરાંત એ પણ કહ્યું કે એક મહિના પહેલ એનું એક વહાણ એક ખડક સાથે અથડાઈ ભાંગી ગયું હતું. આ વખતે ફરી વહાણ અથડાશે, પણ તે તૂટશે નહિ, બચી જશે. ખસ હું આ જ જાણવા માગતા હતા.' તેણે કહ્યું. અને પાંચ હજાર ટ્રાન્કની નેટ મારા ટેખલ ઉપર મૂકીને તે ચાલ્યા ગયે. એના ગયા પછી મેં મારી પત્નીને કહ્યું કે, મને આ માણસ કાંઈ બહુ સારા લાગતા નથી. એ ખાટા ધંધા કરે છે, આમ છતાં કયા પ્રકારના ધંધા તે કરે છે એ હું જાણી શકયો નહિ. થાડા દિવસ પછી તે ફરીથી આવ્યા. તેણે કહ્યું કે, ‘તમે જેવું કહ્યું હતું, મરેાખર તેવું જ થયું.' ઘણી ખુશીની વાત છે, મેં કહ્યું. બીજે દિવસે ભારતીય રાજદૂતાવાસના કાર્યાલયમાંથી મને આ પ્રમાણે માહિતી મળી. ચૌદ વર્ષના એક છોકરે એક દિવસ સાંજે ગંગા નટ્ટીમાં નાહવા ગયા હતા. ત્યાંથી પછી તે પાછો આવ્યો જ નહિ. એનું ખમીસ અને એના જોડા નદીને કાંઠે મળી આવેલાં. લેાકેાની ધારણા એમ હતી કે તે નદીમાં તણાઈ ગયા હશે. આ બનાવને ચાર મહિના વીતી ગયા હતા. આ લેાકેાએ છોકરા માટે આશા છોડી દીધી હતી, પણ મા-બાપના મનમાં હજુ એવી ઝાંખી આશા હતી કે વખત છે ને છેાકર જીવતા હોય. એ દિવસેામાં તેમણે મારા વિષે કોઈ છાપામાં વાંચ્યુ હશે, એટલે તેમણે મને પત્ર લખીને તેમને મદદ કરવા વિનંતી કરી. મેં છોકરાના વાળ હાથમાં લીધા તે જણાયું કે છોકરા ડૂમી નહાતા ગયા. મે એને જીવંત સ્થિતિમાં, કોઇક સરકસમાં કામ કરતા જોયા. તેણે મા-બાપને ઘણા પત્ર લખ્યા હતા, પણ એકે પત્ર ટપાલપેટીમાં નાખ્યો નહાતા. એ દિવસેામાં તે મુંબઈ હતા. આ માહિતી ભારતીય રાજદૂતને આપીને હું પાછે પેરિસ ચાલ્યા ગયા. ત્યાર પછી ત્રણ મહિને મને છેકરાના બાપને પત્ર મળ્યા કે દીકરા સાચેસાચ જીવતા હતા ને મુંબઇમાંથી મળી આવ્યા હતા. એ વખતે તે સરકસમાં જ હતા. મને જુદાં જુદાં ઘણાં સ્થળેથી Page #326 -------------------------------------------------------------------------- ________________ વિભ ગજ્ઞાન અને પિટર હૅરાશ [૩૧૧ આમ ત્રણ મળતાં. કારખાનાના માલિકે મને મેલાવતા અને તેમની મુશ્કેલીએ મારી સામે રજૂ કરતા. હું તેમને જે કહેતા તેનાથી તેમને ઘણા ફાયદા થતા. એક કારખાનાના માલિકને ઘણું મોટું નુકસાન વેઠવુ પડતું હતું. કોઇક કામદારે કારખાનાની લગભગ સાત લાખ રૂપિયાના ખર્ચે નાખેલી ભઠ્ઠી તાડી પાડી હતી. ભવિષ્યમાં તે ખીજી કોઈ ભઠ્ઠીના નાશ કરે એવા પણ ડર હતા. એ માણસની ભાળ મળતી ન હતી. માલિકે મારી મદદ માગી. હું ફેક્ટરીમાં ગયા અને મારા મનની આંખ સામે મે તે કામદારને જોયા કે, જેણે ભઠ્ઠી તાડી પાડી હતી. મે એના વિષે કારખાનાના માલિકને જાણ કરી અને કહ્યું કે બે મહિના પછી તે ખીજી એક ભઠ્ઠીના નાશ કરશે. અત્યારે એની સામે દેખીતા પુરાવે ન હતા, એટલે એને પોલીસમાં સોંપી શકાય એમ ન હતું, પણ તેના ઉપર ચાંપતી નજર રાખવામાં આવી, અને તેની પાછળ પોલીસે જાસૂસ પણ મૂકયા. બરાખર બે મહિના પછી તે એક બીજી ભઠ્ઠીને તાડી પાવાની તૈયારી કરી રહ્યો હતા તે જ વખતે તેને પકડી લેવામાં આવ્યેા. તે એક અસંતુષ્ટ કામદાર હતા, અને આ રીતે કારખાનાના માલિક પર વેર વાળવા ઇચ્છતા હતા. આ બનાવ પછી બધી મોટી મોટી વેપારી પેઢીઓમાં મારે વિષે ચર્ચા થવા લાગી, પુષ્કળ લેાકા મારી મદદ માગવા લાગ્યા. એમની વિવિધ પ્રકારની મૂંઝવણેાને ઉકેલવામાં મે' મારાથી બનતી બધી સહાય કરી. આને કારણે તેમના વેપાર વિસ્તર્યાં, ઊપજ વધી, માલિકો અને કર્મચારી એના સંબંધ સુધર્યાં, કામ કરવામાં નવા ઉત્સાહ પેદા થયા, નફ વધ્યા, અને બીજી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ. પહેલાં ચારેક મને હંમેશાં એમ થયા કરતું કે કયાંક મારી આ શક્તિ મારી પાસેથી ચાલી ન જાય. કાઈ પણ પળે તે મારી પાસેથી છિનવાઇ જવાના મને ડર રહેતા હતા. પણ અત્યારે ચૌદ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] વિજ્ઞાન અને ધર્મ વર્ષ વીત્યા પછી પણ એ જેમની તેમ છે, એટલે હવે મને એવી ચિંતા નથી થતી. દુનિયાભરના દેશમાંથી દર મહિને મને લગભગ બારસો જેટલા પત્રે મળે છે, જેમાં લેકે મારી પાસેથી કેઈ ને કોઈ પ્રકારની મદદ ઈચ્છતા હોય છે. એ પત્રમાં એક વાર મને ડૉકટર એન્દ્રજા પુહારિચને પત્ર મળે. તેમણે લખેલું કે તેઓ પોતાની પ્રયોગશાળામાં મારી પર પ્રયોગ કરીને મારી આ શક્તિનું રહસ્ય જાણવા ઈચ્છે છે. એમને પત્ર વાંચીને મેં એ લખાણ પર આંગળીઓ ફેરવી. તરત જ મારા મનમાં એમનું ચિત્ર ઊપસી આવ્યું. એકવડું શરીર અને ચમકતી આંખે. એ મને મિલનસાર માયાળુ માણસ લાગ્યા. મને એમ પણ લાગ્યું કે અમેરિકામાં એમની સાથે હું જે છ મહિના ગાળીશ તે એ ઘણું મઝાના વીતશે. આ પછી એમના લખાણ પર આંગળીઓ ફેરવીને મેં એમનું ઘર જેવાની ઈચ્છા કરી તે ઘર પણ સાકાર બની ગયું. મેં કાગળ પર એને નકશે દર્યો. આ પછી ત્રણ અઠવાડિયે હું મારી પત્ની સાથે અમેરિકા જવા રવાના થયે. બંદર પર ડેકટર પુહારિચ મને લેવા આવ્યા હતા. જોતાંવેંત હું એમને ઓળખી ગયે. બીજે દિવસે હું એમની સાથે પ્રગશાળામાં પહોંચે તે ત્યાંનું દશ્ય જોઈ મને જરા ગભરામણ થઈ આવી. ત્યાં વિચિત્ર પ્રકારને કેટલે ય સામાન પડ્યો હતો, જેને મારા પર તેઓ પ્રગ કરવાના હતા. ઘણ દિવસ સુધી આ પ્રયોગ ચાલ્યા. પ્રગશાળામાં એક કાચની કેબિન હતી, જેમાં જાતજાતના વીજળીના તાર લગાવેલા હતા. મારે એમાં લાંબા સમય સુધી બેસવું પડતું. જોકે એમાં અડધે કલાક બેસતાં જ મને મૂંઝવણ થવા લાગતી, ક્યારેક તે એમ થતું કે આ કૅબિનમાં હું હંમેશ માટે કેદ થઈ જઈશ અને એમાં જ મારે જીવ નીકળી જશે. ખેર, ડેકટર મને હિંમત આપતા રહ્યા. જેમ તેમ કરીને છેવટે છ મહિના પૂરા થયા. ડોક્ટરે કેટલાંક Page #328 -------------------------------------------------------------------------- ________________ વિભગનાન અને પિટર હરકોશ [૩૧૩ તારણ કાઢ્યાં, પણ મારી શક્તિનું રહસ્ય ન જાણી શક્યા. મારું અમેરિકા જવાનું બીજી રીતે ખૂબ સફળ થયું. ૧૯૫૬માં અમે હેલેન્ડ પાછા ફર્યા. હવે ફરી અમેરિકા જવાનું ક્યારે થશે એની મને ખબર ન હતી. મેં કહ્યું કે હું મારું ભવિષ્ય નથી જઈ શક્ત. જે જોઈ શકતે હેત તો કદાચ મારું જીવન વધારે સરળ બનત. અમે હેલેન્ડ પાછા ફરતા હતા તે દરમિયાન જહાજને એક કર્મચારી મારી પાસે આવ્યા. એણે ઉતારુઓ સામે મારી આ અજબ શક્તિનું પ્રદર્શન કરવા માટે વિનંતી કરી. હું સંમત થયે. તે પાછો જતો હતું ત્યાં મને થયું કે એના મનમાં કોઈક વાત છે જે તે મને કહેવા ઈચ્છે છે. શું વાત છે? ભાઈ ! તમે મને કાંઈ કહેવા ઈચો છે ?” મેં પૂછ્યું. મિટર હરકેસ, અમે એક મૂંઝવણમાં ફસાઈ પડ્યા છીએ. તમે અમારા કપ્તાન સાથે એ વિષે વાત કરશે?” હું કપ્તાનને મળે. કપ્તાને કહ્યું, “આ જહાજ પર એક વિચિત્ર ઘટના બની રહી છે. કાં તે બહુ ચાલાક ચેર જહાજ ઉપર છે, અથવા પછી કંઈ ન સમજાવી શકાય તેવું કાંઈક છે. જહાજમાં ખાવા-પીવા માટે ચાંદીનાં વાસણ છે એમાંથી લગભગ સોળહજાર ડેલરનાં વાસણે અત્યાર સુધીમાં ગુમ થયાં છે.” વાત સાંભળીને મને આશ્ચર્ય થયું અને રસ પણ પડશે, પણ આ વાતનું રહસ્ય શોધવા માટે તે મારે જહાજ પરના એકેએક માણસને જે જોઈએ. જહાજ ઉપર લગભગ પાંચસો ઉતારુ હતા. એ બધાને મળવું તે અઘરું હતું. પછી મને વિચાર આવ્યો કે પહેલાં હું મારું પ્રદર્શન યેશું. સંભવ છે કે પ્રદર્શન જેવા લગભગ બધા લેકે હાજર રહે ને એમાંથી વાસણ ચેરનારને પત્તો મળે. Page #329 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪] વિજ્ઞાન અને ધર્મ પ્રેક્ષકેમાં એ નહિ હોય તે પછી જેવા નહિ આવેલા લેકોમાં એ જરૂર છે જ જોઈએ. એવા લેકેને પછી હું જોઈ લઈશ. પણ મેં પ્રેક્ષકોમાંથી જ ચેરને પકડી પાડ્યો.” –નવનીત-ગુજરાતી ડાયજેસ્ટ આ ઘટના મુંબઈ સમાચાર દૈનિકમાં આ પ્રમાણે આવેલી છે? ઈ. સ. ૧૯૪૩માં હેલેન્ડમાં એક સત્ય ઘટના બની. એક ધુમ્મસભર્યા પ્રભાતમાં પિટર હરકેસ નામનો એક રંગારો ૪૦ ફૂટ ઊંચી નિસરણી પર ચઢીને રંગકામ કરી રહ્યો હતો. કામ કરતાં કરતાં એકાએક તેને પગ લપસ્ય અને એક તીણી ચીસ સાથે લાગલે જ એ જમીન પર પટકાયે! માથામાં ઊંડે જખમ પડી જવાથી એ તદ્દન બેભાન બની ગયું હતું. છેક જ બેભાન બનેલા રંગારને તરત જ ઈસ્પિતાલ ભેગો કરવામાં આવ્યા. લેકેએ તે માન્યું કે હવે એ ફરી આંખે ખેલવાને કે બેલવાને નહિ. આમ લેકએ તે એના જીવનની આશા છોડી દીધેલી. પરંતુ એના બેભાન બનેલા દેહમાંથી પ્રાણ સદંતર ઊડી નહેતા ગયા. હા, એ જીવતે હતે ખરે પણ મૂએલા જે જ ! આમ કેટલાંય અઠવાડિયાં સુધી એ જીવન-મરણ વચ્ચે ઝૂલતે રહ્યો પણ એક દહાડે એની મરણમૂચ્છ તૂટી ત્યારે– ભાગ્યનો ઉદય તેણે પિતાને એક અદ્ભુત અને અજ્ઞાત માનસિક શક્તિ ધરાવતા હોવાનું અનુભવ્યું. અર્થાત્ એને ચોક્કસ પ્રતીતિ થઈ કે પિતે એક અદ્ભુત, અસામાન્ય ને અજ્ઞાત માનસિક શક્તિ ધરાવે છે. જીવનની આ અદ્ભુત, અસામાન્ય ક્ષણ એના જીવનમાં જાણે નવા ભાગ્યદયને સંદેશ લઈને આવી હતી. પિતાનું આ પ્રકારે થયેલું વિલક્ષણ પરિવર્તન નિહાળી એ પંડે જ દંગ થઈ ગયે! આવી અસામાન્ય અદ્ભુત માનસિક શક્તિ પિતાને કઈ રીતે પ્રાપ્ત થઈ એ તે એ ખુદ પણ નહેતે સમજી શકત! Page #330 -------------------------------------------------------------------------- ________________ વિભ ગજ્ઞાન અને પિટર હરકાશ [૩૧૫ હા, એટલું તે એ અચૂકપણે અનુભવી રહ્યો હતા કે પ્રત્યક્ષ દેખાતી તેમ જ સંભળાતી વસ્તુઓથી પણ પર એવી દૂર સુદૂરની, ઉપરની, ઊંડાણની – હરકોઈ વસ્તુ પોતે નિહાળી શકે છે, તેમજ સાંભળી શકે છે. પેાતાનું મગજ ‘એકસ-રે' યંત્રની માફક જ કાર્ય કરી રહ્યું છે તેમજ પોતાની કાયાના તમામ અવયવા ‘રડાર' અની ગયા છે! હવે તે એના દ્વારા કરવામાં આવેલાં રેગનાં નિદાને નિહાળી ભલભલા ડોક્ટરે પણ મેાંમાં આંગળાં ઘાલે છે. તદુપરાંત, એની મારફત ઉકેલાતા વિવિધ અપરાધાના કોયડાએ યુરોપભરની પેાલીસ માટે અતિ કીમતી સાબિત થઈ રહ્યા છે. વળી યંત્રનું તે એને નામનું ય જ્ઞાન ન હોવા છતાં જટિલમાં જટિલ યત્રાવાળા કારખાનામાં જઈ યંત્ર તેમ જ યંત્ર-નિષ્ણાતના દોષ એવા તેા જાણી તથા દર્શાવી શકે છે કે જાણે એ કામને તે સર્વોપરિ નિષ્ણાત કેમ ન હોય ? એની આ દક્ષતાના ગુણગ્રાહકોમાંના એક છે, દુનિયાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મિ. ફિલિપ્સ, કે જેએ રેડિયા, ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ તેમજ વીજળીવિષયક વસ્તુએના ભારે મોટા ઉત્પાદક છે. પેાતાની ધંધાદારી અને યાંત્રિક આંટીએ અને મુશ્કેલીઓના ઉકેલ માટે તે હરસને દર વરસે માટી ફી આપે છે! હરકાસની અદ્ભુત શક્તિની એક રોચક ઘટના આ રહી :-- બ્રિટનનાં રાજા-રાણીએ સદીએથી જેના પર બેસીને તાજ ધારણ કરતાં આવ્યાં છે, તે ‘સ્કોન”ના પ્રસિદ્ધ પથ્થર (સ્ટોન એફ સ્કીન) ૧૯૫૧માં ચારાયા હતા. દુનિયાભરમાં પ્રસિદ્ધ પામેલ બ્રિટનના જાસૂસીખાતા-સ્કોટલેંડ યાડૅ આ પથ્થર શેાધી કાઢવા માટે આકાશપાતાળ એક કરેલાં, તે છતાં એને પોતાના પ્રયાસમાં સફળતા નહાતી મળી. અનેક પ્રયત્ના કરવા છતાં ન મળ્યું પથ્થર કે હાથ ન લાગ્યા ચાર ! છેવટે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓને હરકેસનું શરણું શેાધવું પડ્યું. ખાસ વિમાન મોકલી હરકેાસને લંડન તેડાવ્યે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] વિજ્ઞાન અને ધર્મ અને વિમાનમાંથી ઉતારીને સીધે જ તેને વેસ્ટમિનર એબી ખાતે લઈ જવામાં આવ્યું. વેસ્ટમિનસ્ટર એબીમાંની રાજ્યાભિષેકની ખુરશી આગળ જઈ હરકેસ ઘૂંટણિયાભેર બેઠે પછી એ સ્થળને સ્પર્શ કર્યો. અને ત્યાર બાદ તરત જ બલવા લાગ્યુઃ “ચેરીમાં પાંચ માણસોને હાથ છે. કેટલાક અંદર દાખલ થયેલા, કેટલાક બહાર રહેલા. મોટર લઈને આવેલા આ લેકે છે. એની મેટરને નંબર...” આમ કહી નંબર દર્શાવ્યો. પછી આગળ ચલાવ્યું: “લેઅર થેમ્સ સ્ટ્રીટમાં ચેરનું રહેઠાણુ છે, ને એને નકશે આમ છે...” આમ કહી નકશો દોરી બતા. આ પહેલાં કદી તે ઈંગ્લાંડ આવ્યો ન હતો. પરંતુ તેણે પિતાની અદ્દભુત માનસિક શક્તિને આધારે ખરેખર નકશે દોરીને અફસના હાથમાં મૂક્યો.! ચેરેએ જે ચાવી વડે એબીનો દરવાજો ખોલેલે એ ચાવી પોલીસે હરકેસના હાથમાં મૂકી. ચાવીને સ્પર્શ કર્યા બાદ તરત તે પિલીસ અફસર સાથે મોટરમાં બેસીને ઊપડ્યો અને બ્રીક લેઈનમાંના જે લુહારની દુકાને ચોરોએ જરૂરી હથિયાર, ઓજાર ખરીદેલાં તે દુકાનની સામે જ મટર ખડી રખાવી ! મેટરમાં બેઠાં બેઠાં જ તેણે અમલદારને જણાવ્યું, “આ છે, તે દુકાન. અહીંથી સ્ટોન એફ સ્કેન ચેરવાનાં સાધનો ખરીદ્યાં હતાં. સાધનો ખરીદવા બે જણ આવેલ હતા.” પછી પેલા ચેરના રૂપરંગનું, તેના પોશાકનું વર્ણન કર્યું તથા એને લગતી કેટલીક સાચી અને રહસ્યભરી હકીકતે રજૂ કરી. છેવટે, એ પણ દર્શાવ્યું કે, “પથ્થર લંડનમાં સંતાડવામાં આવેલ પરંતુ હાલ લંડનમાં નથી. ગ્લાસગોમાં છે.” આમ તેણે ચોરીનું કોકડું ઉકેલી નાખ્યું. પછી તે પૂછવું જ શું? સ્કોટલેન્ડ યાર્ડનું જાસૂસીખાતું દુનિયાભરમાં નામીચું. પળને પણ વિલંબ વગર પિલીસ કામે લાગી Page #332 -------------------------------------------------------------------------- ________________ વિર્ભાગજ્ઞાન અને પિટર હરદેશ [૩૧૭ ગઈ અને જોતજોતામાં જ ચાર ચેરને પકડી પાડયા. આ ચાર ચાર કેટલેંડના જ હતા. હરકેસે પાંચમે માણસ બતાવેલે તેને પણ પકડ્યો પરંતુ એ બાપડે તે એક નિર્દોષ રાહદારી હતા. વળી પરદેશી હતા. એબી આગળથી પસાર થતા હતા ત્યારે એના દરવાજા પાસે ઊભેલા ચાર સાથે એણે ફક્ત અજાણતાં થોડી વાતચીત કરેલી એટલું જ. અને તે વાતચીતને પણ આ ચેરી સાથે કશું લાગતું વળગતું ન હતું, આથી છેવટે એને છોડી મૂકવામાં આવ્યું અને તે પણ હરકેસની આગ્રહભરી સૂચનાથી જ, Page #333 -------------------------------------------------------------------------- ________________ [૨૯] જેની ડિકસન પિટર હરકેસના જે જ જેની ડિકસન નામની એક બાઈને જીવંત કિસો અહીં રજૂ કરું છું. આ બાઈને પણ જિનેશ્વર દેવેએ જણાવેલા પાંચ જ્ઞાન પૈકીનું ત્રીજા નંબરનું વિર્ભાગજ્ઞાન હોવાની શક્યતા છે. આ જ્ઞાનના અસંખ્ય પ્રકારે કહ્યા છે, એટલે જેની ડિકસનને હાથમાં ગોળો રાખવાથી જ આ જ્ઞાન પ્રગટ થતું હોય તે આવા પ્રકારની સંભાવનાને પણ નકારી ન શકાય. આપણે એની જીવન-ઘટનાઓને જાણીએ. ભવિષ્યમાં બનનારા બનની વર્ષો અગાઉ આગાહી કરવાની ચમત્કારિક શક્તિ ધરાવતી જેની ડિકસન નામની એક અમેરિકન મહિલાએ છેલ્લાં ૨૫ વર્ષ દરમિયાન સમગ્ર દુનિયાને ધ્રુજાવી મૂકે એવા બનાવની જે આગાહી કરી હતી એમાંની મોટા ભાગની આગાહીઓ સંપૂર્ણપણે સાચી ઠરી છે. મહાત્મા ગાંધી અને પ્રમુખ કેનેડીના ખૂનની તેમ જ ૧૯૪૫માં વિન્ટન ચર્ચિલ ચૂંટણીમાં પરાજય પામશે અને રશિયા પહેલે Page #334 -------------------------------------------------------------------------- ________________ જેની ડિકશન [૩૧૯ સ્પકનિક અવકાશમાં મૂકશે એવી જેની ડિકસને અગાઉથી કરેલી આગાહી સો ટકા સાચી ઠરી છે. કેનેડાના ખૂનની આગાહી ? ૧૯૬૦ના નવેમ્બરના એક દિવસે ન્યુયોર્કની એક હોટલમાં જેની ડિકસન બે આગેવાન મહિલાઓ સાથે ખાણું લઈ રહી હતી. દરમિયાન વાતચીત કરતાં અચાનક એ શાંત થઈ ગઈ. સાથે ખાણું લઈ રહેલી મહિલાએ ચિંતાપૂર્વક પૂછતાં ધ્યાન ધરતી હોય એ રીતે જેનીએ આંખ બંધ કરીને કહ્યું, ‘હું ખૂબ ઉશકેરાટ અનુભવી રહી છું. મારા ગળે ખાવાનું નહિ ઊતરે. આજે પ્રમુખ (કેનેડી) પર કેઈક ભયાનક બાબત ગુજરનાર છે.” આ પહેલાં ત્રણ દિવસ અગાઉ પ્રમુખ કેનેડીનું કાંઈક અનિષ્ટ થનાર છે એવી આગાહી જેનીએ કરેલી. જેની અને સાથેની બે મહિલાઓ હજુ હોટલમાં જ હતાં અને ખબર આવી કે પ્રમુખ પર કેઈકે ગોળી છેડી છે.” જેનીએ આ ખબર સાંભળી તરત જ કહ્યું-ળી છેડી છે એટલું જ નહિ પણ પ્રમુખનું અવસાન થઈ ચૂકયું છે.” મેં પ્રમુખને ચેતવણી મેકલવાનો પ્રયાસ કર્યો હતો, પણ મારું કોણ સાંભળે? જેની ડિકસને ત્રણ મહિના અગાઉ છે. કેનેડીનું ખૂન થશે એવી આગાહી કરેલી અને પ્રમુખને દક્ષિણને પ્રવાસ નહિ કરવાની ચેતવણી આપવા માટે પણ પ્રયાસ કરેલ. જેનીના જણાવ્યા મુજબ “ઘણું લાંબા સમયથી હું વ્હાઈટ હાઉસ (પ્રમુખના નિવાસસ્થાન) પર એક શ્યામ વાદળ જોઈ રહી હતી. આ વાદળ મોટું થતું જતું હતું અને પછી નીચે ઊતરતું જતું હતું. આને અર્થ એટલે જ થતું હતું કે પ્રમુખનું ખૂન થશે.” છેક ૧૫રમાં એટલે કે ૧૧ વર્ષ પહેલાં જેની ડિકસને સૌ પ્રથમ ‘હાઈટ હાઉસ પર શ્યામ વાદળનું દર્શન કર્યું હતું. એક ઊંચા, આસમાની આંખો અને જાડા ભૂખરા વાળ ધરાવતા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] વિજ્ઞાન અને ધર્મ યુવાન આદમી પર આફત ઊતરશે.” જેનીના અંતરમાંથી આ વખતે અવાજ નીકળે કે એ યુવાન પેમેક્રેટ' હશે. ૧૯૬૦માં પ્રમુખ તરીકે ચૂંટાશે અને હેદ્દા પર હશે એ દરમિયાન જ એનું ખૂન થશે. ચાર વર્ષ બાદ ૧૯૫૬માં જેનીએ પિતાની આ આગાહીની જાહેરાત છાપાની કટારમાં કરેલી. પત્રકારની મુલાકાત દરમિયાન જેનીએ સ્પષ્ટ કહેલું, “૧૯૬૦માં ચૂંટાનાર આસમાની આંખો ધરાવતા પ્રમુખનું ખૂન થશે.” ૧૫૬ના મની 13 તારીખના “પરેડ સામયિકમાં જેની ડિકસનની આ આગાહી પ્રગટ થયેલી ૧૯૩ના ઉનાળામાં જ્યારે પ્રે. કેનેડીના પુત્ર પેટ્રિક કેનેડીનું જન્મ બાદ થોડા સમયમાં અવસાન. થયું ત્યારે જેનીને પૂછવામાં આવેલું કે “હાઈટ હાઉસ” પર પિલા શ્યામ વાદળ અંગેના અમંગળને ખુલાસે આ બાળકના અવસાનમાંથી તે મળી રહેતું નથીને ?” જેનીએ આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભારપૂર્વક જણાવ્યું કે, “ના બિલકુલ નહિ. હું આજે પણ એક મેટી કફનપેટી વ્હાઈટ હાઉસમાં લઈ જવાતી જઈ રહી છું. પ્રમુખનું બીજા કોઈ સ્થળે અવસાન થશે અને એમનું શબ રાષ્ટ્ર-શોક માટે વ્હાઈટ હાઉસમાં લાવવામાં આવશે.” - ૧૯૬૩ના ઓક્ટોબરમાં પણ જેનીએ જાહેરાત કરેલી, “મને દર્શન' થયું છે. ઉપપ્રમુખની કચેરીના દ્વાર પરનું લિન્ડન જહોન– સનના નામનું પાટિયું બે કાળા હાથે દૂર કરી રહ્યા હોય એમ હું જોઈ રહી .” આ પછીના થેડા અઠવાડિયા દરમ્યાન જેનીએ ખૂબ જ બેચેની અનુભવીને આ વાત ઘણું નામાંકિત માણસને કહેલી કે પ્રમુખનું થોડા જ સમયમાં ખૂન થનાર છે. પ્રે, કેનેડીનાં બહેનને પણ જેનીએ આ વાત કરેલી. અને તા. ૨૨મી નવેમ્બરે તે અમેરિકન નૌકા બેન્ડના નિવૃત્ત આગેવાન ચાર્લ્સ બેટરને તે જેનીએ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહેલું, Page #336 -------------------------------------------------------------------------- ________________ જેની ડિકશન [૩૨૧ આજે આ બનાવ બનશે!” અને ખરેખર જેનીની આગાહી મુજબ પ્રે. કેનેડીને બનાવ એ જ દિવસે બન્ય. અદ્દભુત ભવિષ્યવેત્તા : જેનીને જન્મ સારાસા, કેલિમેનિયામાં થયેલ અને માતાપિતા જર્મનીમાંથી આવીને અમેરિકામાં વસ્યાં છે. જેની નાનપણમાં કાલી કાલી વાણીમાં બેલતી થઈ ત્યારથી જ એની આ ચમત્કારિક શક્તિનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. કુટુંબમાં બનેલા કેટલાક શુભઅશુભ બનાવોની પહેલેથી આગાહી કરેલી. એના પિતા ઘેરથી લગભગ ૧ હજાર માઈલ દૂર હતા ત્યારે તેઓ શું કરી રહ્યા છે એનું હૂબહૂ વર્ણન નાની જેનીએ ઘેર બેઠાં કરેલું અને પાછળથી એ તદ્દન સાચું કરેલું. ભવિષ્ય ભાખવાની અનોખી ને વિવિધ પદ્ધતિઓ : જેનીની ભવિષ્ય ભાખવાની રીત જુદા જુદા પ્રસંગોએ જુદી રીતની હોય છે. કેટલીક વાર તે સામા માણસની આંગળીઓના ટેરવાને સ્પર્શ કરીને તરત જ ભવિષ્ય ભાખે છે, કેટલીક વાર તે પિતે નહિ જોયેલા એવા માણસની ફક્ત જન્મ તારીખ જાણુને એને ભૂતકાળ તથા ભવિષ્ય કહી આપે છે. મોટા ભાગે તે એક કાચને ગેળે જઈને ભવિષ્ય ભાખતી હોય છે, પણ મહત્વના બનાવની અગાઉથી અચાનક એને “ઝાંખી થાય છે. પોતાની આ ચમત્કારિક શક્તિ સંબંધમાં જેની કહે છે-જ્યારે મને ભવિષ્યમાં બનનાર બનાવનું દશન” થવા માંડે છે ત્યારે મારી ચેમેરની હવા સહિત આખા ય વાતાવરણમાં પરિવર્તન થઈ જાય છે. હું ખૂબ ઉચ્ચ સ્થાને એકલી ઊભી રહીને નીચે જોઈ રહી હેઉં અને એ સમયે મને દુનિયાની કોઈ પણ બાબત સ્પર્શ કરતી હતી નથી.” બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે ભવિષ્ય ભાખનાર તરીકે જેનીની ખ્યાતિ પાટનગર શિંગ્ટનમાં ખૂબ ફેલાવા પામેલી. એક દિવસ વિ. ધ. ૨૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] વિજ્ઞાન અને ધ એક ભાજન સમાર'ભમાં અમેરિકાના એ વખતના ઉપપ્રમુખ ડેરી હુમાનની આંગળીએના સ્પર્શ કરતાં જેનીએ તરત ભાખેલું, ‘“તમે પ્રમુખ બનશે.” જ ભવિષ્ય પ્રે. રૂઝવેલ્ટ અંગેની આગાહીએ ઃ ૧૯૪૪ના અંતમાં છે. રૂઝવેલ્ટ ચેાથી વાર પ્રમુખપદે ચૂંટાઈ માઢ થાડા સમયે જેનીને વ્હાઈટ હાઉસ તરફથી આમંત્રણ મળેલું, મે. રૂઝવેલ્ટ જેનીને મળવા ઇચ્છતા હતા. આવ્યા મુલાકાતના નક્કી થયેલા સમયે જેનીને પ્રે. રૂઝવેલ્ટના એરડામાં લઈ જવામાં આવી. રૂઝવેલ્ટે જેનીને જોતાં પોતાની બાજુમાં ખુરશીમાં બેસવાનું કહ્યું અને થ્રેડો સમય બન્ને વચ્ચે હવામાન અંગેની તેમજ ખીજી પરચૂરણ વાતા થઈ. દુનિયાના મહાન્ જવાબદારીઓના બેજા તળે દબાયેલા પ્રે. રૂઝવેલ્ટને જોઇ જેનીએ કહ્યું, “મિ. પ્રેસિડન્ટ ! જ્યારે કોઈક પ્રશ્ન સમજમાં ઘેાળાતા હાય ત્યારે કેટલીક વાર સલાહ લેવામાં ડહાપણુ રહેલુ છે. રૂઝવેલ્ટે આહ ભરતાં કહ્યું-માણસની જિ'ૠગી ચૂકી છે. લાંબુ જીવીએ તેા પણ મારે જે કામે પતાવવાનાં છે એ માટે હવે સમય કેટલો રહ્યો ?’ હું આપની આંગળીઓને સ્પર્શી કરું? જેનીએ પૂછ્યું અને પ્રે. રૂઝવેલ્ટે પોતાના ધિંગા હાથ આગળ ધર્યાં, જેનીએ આંગળીઓને સ્પર્શ કરતાં કપ અનુભળ્યે, જવામ ટાળવા માટે જેનીએ વાતચીતને વિષય બદલવા ઘણી મથામણ કરી, પણ રૂઝવેલ્ટે જ્યારે આગ્રહ જારી રાખ્યા ત્યારે જેનીએ અચકાતી જીભે કહ્યું, 'છ મહિના, કદાચ એથી પણ આા.' એખા આરડામાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. જેની કહે છે, પ્રમુખને પોતાને મૃત્યુ આવી રહ્યાનું અગાઉથી ભાન થઈ ચૂકયુ Page #338 -------------------------------------------------------------------------- ________________ જેની ડિકશન [૩૨૩ હોય એમ મને લાગ્યું. તેઓ માત્ર આ હકીક્તનું સમર્થન મેળવવા જ માગતા હતા.' એ પછી છે. રૂઝવેલ્ટે ઑખા ખાઈ પૂછયું, “રશિયા સાથે આપણા સંબંધ સારા રહેશે ?” જેનીએ માથું ધુણાવી કહ્યું, મને ઝાંખી થાય છે એ મુજબ આપણે ફરી થી રશિયાના મિત્ર બનીશું અને પાછળથી રશિયા અને અમેરિકા બંને સામ્યવાદી ચીન સામે ખડાં થશે. છે. રૂઝવેલ્ટ એકદમ આશ્ચર્ય પામી પૂછ્યું, “સામ્યવાદી ચીન ? ચીન સામ્યવાદી નથી. ચીન સાથે તે આપણે ક્યારે ય મુશ્કેલી ઊભી થાય એમ નથી. પણ મને એમ લાગે છે કે આપણે દુનિયામાંની આપણે પરિસ્થિતિ ટકાવી રાખવા માટે કદાચ રશિયાના મિત્ર બની રહીએ.” પછી જેનીએ પોતાના કાચના ગળામાં દેખાતાં દક્ષે ધ્યાનથી જોઈ કહ્યું, “હું ચીનને સામ્યવાદી દેશમાં ફેરવાતાં અને આપણા માટે મહાન મુશ્કેલીઓ ઊભી કરતો જોઈ રહી છું. આપણા માટે ભવિ. ધ્યમાં આફ્રિકાને મુશ્કેલીઓ ઊભી કરતે જોઈ રહી છું. આપણું માટે ભવિષ્યમાં આફ્રિકા પણ ચિંતાનું એક મોટું કારણ બનશે. છે. રૂઝવેલટે આ આગાહી સાથે સંમત ન થતાં કહ્યું. આફ્રિકા સાથે કઈ મુશ્કેલી ઊભી થાય એમ મને લાગતું નથી. કદાચ રશિયા સાથે ઊભી થાય. રશિયા સાથેની મૈત્રી આપણે ચાલુ રાખીએ એ મહત્વનું છે.” પ્રિ. રૂઝવેલ્ટની બીજી મુલાકાત : ૧૯૪૫ના જાન્યુઆરીની અધવધમાં જેનને હાઈટ હાઉસ તરફથી ફરીથી આમંત્રણ મળ્યું. પ્રે. રૂઝવેલ્ટે જેનીને જોતાં પૂછયું, કેમ કાચનો ગળે લાવ્યાં છે ને?” આ વખતે પ્રે. રૂઝવેલ્ટન શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું. પ્રે. રૂઝવેલ્ટે જેનીને આતુરતાથી પૂછયું, બેલે હવે મારા માટે કેટલે સમય છે? Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] જેનીએ કહ્યું, એ મહિના.’ ઘણા ઘેાડી સમય છે ?' રૂઝવેલ્ટે માથું ધુણાવી કહ્યું. હા, જેનીએ અચકાતાં સંમતિ આપી. વિજ્ઞાન અને ધર્મ આ પછી રૂઝવેલ્ટે પોતાના જમણેા હાથ આગળ ધર્યાં ને પૂછ્યું, મારે થોડા જ સમયમાં કેટલાક મહત્ત્વન નિર્ણા લેવાના છે. એ સખધમાં તમારે શે અભિપ્રાય છે ?” જેનીએ કહ્યું, ‘મારા અભિપ્રાયને આમાં સવાલ નથી. મને જે દેખાય છે, એ જ મારે કહેવાનું છે.' જેનીએ રૂઝવેલ્ટની આંગળીએનાં ટેરવાંને સ્પર્શી કર્યાં અને પછી આંખેા બધ કરી ધ્યાન ધ્યુ. રૂઝવેલ્ટે પૂછ્યું, ‘ભવિષ્યમાં રશિયા આપણા મિત્ર-દેશ બની રહે એવી તમને ચાક્કસ ખાતરી છે?' જેનીએ પાતાની અગાઉની આગાહી કરીથી ભાર પૂર્વક જણાવતાં કહ્યું, ‘આખરમાં સામ્યવાદી ચીનની સામે થવા આપણે રશિયા સાથે જોડાણ કરીશું જ, પણ એ વાત એકાદ પેઢી પછી જ સિદ્ધ થશે.’ તે પછી રશિયા અંગેની મારી ધારણા ખોટી નથી ? અત્યારે જે કાંઈ બની રહ્યું છે અને કહેવાઈ રહ્યું છે એમ છતાં પણ રશિયા આપણી સાથે તે આપણે રશિયા સાથે રહીશું ?' રૂઝવેલ્ટે પૂછ્યું.. હા, અંતે તે આપણે અને રશિયા મિત્ર બની રહીશું. પણ એ સમયે આપણી સરકારમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હશે અને આજની જેમ એ પક્ષાની શાસનપદ્ધતિ કાયમને માટે ન પણ હાય.’ જેનીએ આ પ્રસંગે ભવિષ્યમાં રંગભેદના પ્રશ્ન ખૂબ ઉગ્ર બનવાની અને એ અંગે ખૂનરેજી થવાની આગાહી પણ કરેલી. આ પછી એપ્રિલમાં જેનીની આગાહી મુજબ છે. રૂઝવેલ્ટનું અવસાન થયું. Page #340 -------------------------------------------------------------------------- ________________ જેની ડિકશન [૩૨૫ આ પછી ૧૯૪૬ના ઓકટોબરમાં વેલિંગ્ટન ખાતેના ચાઈ. નીઝ એલચીખાતામાં ચીની એલચી શિંગ્ટન કુએ આપેલા ખાણના મેવાડામાં પણ “સામ્યવાદી ચીન” અંગે જેનીએ કેટલીક આગાહીઓ કરેલી. આ પ્રસંગે બધા સેવિયેટ રશિયાના ઊભા થયેલા ભય અંગે ચર્ચા કરી રહ્યા હતા, પણ જેની વચ્ચે બેલતાં કહ્યું, “મને તે એવું દેખાઈ રહ્યું છે કે અમેરિકા ભવિષ્યમાં લાલ રશિયા સામે નહિ પણ લાલ ચીન સામે લડશે.” આ પ્રસંગે અમેરિકાના એ મુત્સદ્દીની પત્નીએ આશ્ચર્ય પામી પ્રશ્ન પૂછ્યો, “આમ કેમ બને? હજી તે ચીન તે સામ્યવાદી પણ નથી. અને ચીન જેવો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતે દેશ સામ્યવાદી જેવી એક પરદેશી વિચારણાને કેમ ન અપનાવે ?” પણ જેનીએ ભારપૂર્વક કહ્યું, “ચીન સામ્યવાદી બનશે જ.' ૧૯૪૯ના સપ્ટેમ્બરમાં સામ્યવાદી પેકિંગમાં ચીનને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરવામાં આવ્યું. અને ડિસેમ્બરમાં ચાંગ-કાઈશેકે પિતાના લશ્કર સાથે ફેર્મોસામાં આશ્રય લીધે. હિંદ પાકિસ્તાનના ભાગલા : ૧૯૪૫માં જેનીએ એક વિચિત્ર આગાહી કરેલી. જેનીએ ઘણું દેશના રાજદૂત સાથે સંબંધ બાંધેલા અને એ ઘણું ભજન સમારંભેમાં હાજરી પણ આપતી. એકવાર હિંદના એજન્ટ જનરલ સર ગિરજાશંકર બાજપાયીએ ભેજનસમારંભ જેલે. આ સમારંભમાં લશ્કરી એટેચી કર્નલ નવાબજાદા શેરઅલીએ જેનીને પિતાનું ભવિષ્ય ભાખવા કહ્યું. એણે આ પ્રસંગે બે વર્ષમાં હિન્દના ભાગલા પડશે એમ જાહેર કર્યું. કર્નલે આઘાત અનુભવતાં કહ્યું, “ના, ના. હિંદના ભાગલા કદી ન પડે.” આ પ્રસંગે જ ફરીથી એણે કહ્યું, ૧૯૪૭ના જૂનની બીજીએ આ અંગેની જાહેરાત થશે. તમે બીજા પક્ષમાં જોડાવા ભારત છોડશે અને એ પછી ઝડપથી તમારે ઉત્કર્ષ થશે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] વિજ્ઞાન અને ધર્મ અને ખરેખર જેનીની આ આગાહી સાચી પડી. ભાગલા પણ પડ્યા અને કનલ પાકિસ્તાનને સેનાપતિ બન્યું. અને પાછળથી યુગોસ્લાવિયા ખાતેને પાકિસ્તાની એલચી પણ બન્યા. ગાંધીજીની હત્યા થશે! ૧૯૪૭ના ઉનાળાની સાંજે જેનીને પતિ એક મિત્ર સાથે. વાતચીત કરી રહ્યો હતો. એવામાં ચર્ચા દરમિયાન ન્યુ દિલ્હી એ શબ્દ જેનીએ સાંભળે અને એણે કહ્યું, “મહાત્મા ગાંધીજીનું ખૂન થશે.” બંને જણ એની સામે તાકીને જોઈ રહ્યા. જેનીએ ભારપૂર્વક કહ્યું, હા, હું સાચું કહું છું. તમે બંને વાત કરતા હતા એ દરમિયાન જ મને ગાંધીનાં દર્શન થયાં. મેં એમને બંને હાથ ઊંચા કરીને લોકોને સહિષ્ણુ બનાવવાને ઉપદેશ આપતા જોયા. છ મહિનામાં એમનું ખૂન થશે. અને ખરેખર છ મહિનાની અંદર જ તા. ૩૦મી જાન્યુઆરી '૪૮ના રોજ મહાત્મા ગાંધીજીનું ખૂન થયું. છે. ટ્રમેન ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાશે એવી આગાહી જેનીએ ઘણા મહિના પહેલાં કરેલી અને તે સાચી પડેલી. ત્રણ વર્ષ અગાઉથી જેનીએ વિસ્ટન ચર્ચિલને પણ ચૂંટણીમાં પરાજય પામી વડાપ્રધાનના હોદ્દો છેડ પડશે એવી આગાહી કરી હતી. ૧૯૪૯ની શરૂઆતમાં ચર્ચિલે શિંગ્ટનની મુલાકાત લીધેલી. ચર્ચિલના મનમાં લેડ હેલિફેકસે જેલા ભેજન સમારંભમાં જેનીને પણ આમંત્રણ અપાયેલું. જો કે જેની બ્રિટનની રાજકીય પરિસ્થિતિ સંબંધમાં કંઈ જાણતી ન હતી છતાં જ્યારે એણે ચર્ચિલને મેઢામોઢ જ કહ્યું કે, “મિ. પ્રાઈમ મિનિસ્ટર ! ચૂંટણી વહેલી ન કરશો, નહિતર તમે હારી જશે.” રાજકારણને અઠંગ અભ્યાસી ચર્ચિલ આ યુવાન બાઈ સામે જોઈ રહ્યો અને એક પળ રહી ઘૂરક્યો, ઈલેડ મને કદી પરાજય Page #342 -------------------------------------------------------------------------- ________________ જેની ડિકશન [૩૨૭ આપે નહિ. જેનીએ વધુમાં કહ્યું, ગમે તેમ, એક વખત તમે હારશે અને ફરી એકવાર સત્તા પર આવશે.” વર્તમાનકાળની આગાહીઓ : રશિયા સૌ પ્રથમ અવકાશમાં પુટનિક વહેતે મૂકશે એની પણ જેનીએ ચાર વર્ષ પહેલાં આગાહી કરેલી અને તે તદ્દન સાચી પડી એ સર્વવિદિત છે. ૧૯૬૪ના ઓકટોબરમાં રશિયામાં થયેલા અચાનક ફેરફારોથી દુનિયાભરની સરકારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલી. પરંતુ કોવ વિદાય થશે એ વાતની આગાહી જેનીએ ઘણું લાંબા સમય પહેલાંથી કરેલી. ૧૯૬૪ના નવા વર્ષના વર્તારામાં જેનીએ લખ્યું છે કે ૧૯૬૪૬૭ના સમય દરમિયાન અમેરિકામાં ઘરઆંગણાની તેમજ વિદેશી બાબતમાં મહાન ભય ઊભો થશે. આગામી ૧૮ મહિનાઓ દરમિયાન કૃaોવના સ્થાને આવનાર નવા આગેવાનથી આ ભય વધી જશે. માણસનું નામ “એસથી શરૂ થાય છે. આ માણસ સાથે કામ પાર પાડવું કૃaોવ કરતાં પણ વધુ મુશ્કેલ બનશે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે કૃવિ રશિયન આગેવાનમાં સૌથી વધુ બુદ્ધિશાળી દેખાય છે, જ્યારે રશિયન નેતાગીરીમાં ફેરફાર થયા ત્યારે કુચોવે જ મુખ્ય ફેરફારો અંગેનું ભાષણ સેન્ટ્રલ કમિટી સમક્ષ કરેલું. હવે “એસ અક્ષરથી શરૂ થતા નામવાળે બીજે કઈ વધુ શક્તિશાળી પુરુષ બહાર આવે છે કે કેમ તે જોવાનું રહે છે. જેનીએ હવે પછી લાંબા સમય બાદ બનનારા બનાવ અંગેની નીચે મુજબની કેટલીક આગાહીઓ કરેલી છે? (૧) અમેરિકા માટે રંગભેદની નીતિ અને ચીન એ બન્ને ભારે મુશ્કેલ પ્રશ્ન બની રહેશે. ૧૯૬૦ અને ૧૯૭૦માં અમેરિકાને રંગભેદના પ્રશ્નમાં ગળાબૂડ રહેવું પડશે. ચીનની ખટપટ અને ઘૂસણખોરીના પરિણામે સંખ્યાબંધ આફ્રિકનએશિયન દેશે ૧૯૮૦માં વિશ્વયુદ્ધ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] વિજ્ઞાન અને ધર્મ ભભૂકાવી મૂકશે. વિયેટનામ અને કેરિયામાંની મુશ્કેલીઓના પરિણામે ચીન સાથે આ અનિવાર્ય યુદ્ધ ખેલવું પડશે. (૨) ઇતિહાસ બતાવી આપશે કે અણુબોમ્બના પ્રો પર પ્રતિબંધ મૂકતી સંધિ અમેરિકા માટેની હિતકર્તા પુરવાર થશે અને એ જ સંધિ એની સામે વપરાશે. (૩) ચીન રશિયન વિસ્તાર પર હુમલે કરશે, પણ એ અથડામણ સરહદ પૂરતી મર્યાદિત રહેશે અને ભવિષ્યમાં થનારું યુદ્ધ કે જેમાં રશિયા અને અમેરિકા અને એકબીજા સાથે ચીન સામે જોડાયેલાં હશે, એ યુદ્ધની આ સરહદી અથડામણથી શરૂઆત થશે નહિ. આ સમયમાં સદીના અંતમાં ડેવીસ સ્ટ્રીટ (કેનેડા અને ગ્રીનલેન્ડ વચ્ચે) અમેરિકા માટે જીવાદોરી બની રહેશે. (૪) ૧૯૬૪ થી ૬૭ વચ્ચેનાં વર્ષો અમેરિકા માટે વિદેશી તેમ જ ઘરઆંગણાની બાબતે માટે ખૂબ જ આતજનક બનશે. આ ગાળામાં અમેરિકા જે ભૂલે કરશે એને એક દાયકા સુધી અમેરિકાને ખ્યાલ નહિ આવે. ૧૯૬૧ થી ૧૯૬૯ વચ્ચે અમેરિકામાં ત્રણ પ્રમુખે થશે. (૫) ચાલુ સૈકામાં કોઈ એક પિપને ઈજા થશે. (૬) ૧૯૬૮ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ વિજયી નીવડશે. (૭) ૧૯૮૦માં વિશ્વ પર જે આફત ઊતરશે એના પરિણામે માનવજાતને કારમે આઘાત લાગશે અને એ અધ્યાત્મ તરફ વળશે. ૧૯૬૨ની પાંચમી ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં જન્મેલું એક બાળક વિશ્વમાં ક્રાંતિ આણશે અને અંતે પરસ્પર વિરોધી સંપ્રદાય અને ધર્મોને એક કરીને સર્વધર્મસમન્વય સાધશે. આ બાળક અંગેનું જેનીનું દર્શન ખૂબ સ્પષ્ટ અને ચક્કસ છે. આ બાળકને જન્મ એક ગરીબ ખેડૂતને ત્યાં થયું છે. જેની કહે છે કે ૧૯૮૦ના વર્ષથી આ પુરુષની મહાન શક્તિ માનવજાતને અનુભવવા મળશે અને એની શક્તિ ૧૯૯૯માં ખૂબ જ પ્રચંડ બની રહેશે ત્યાં સુધીમાં જગતમાં શાંતિ અને સદાચાર સ્થપાઈ ચૂક્યાં હશે. Page #344 -------------------------------------------------------------------------- ________________ જેની ડિકશન [૩૨૯ આ બધી વાતો પરથી સમજી શકાશે કે આવા વિર્ભાગજ્ઞાનની ઊંડી સમજણ આપતું જિનાગમ એ જ પૂર્ણ તત્ત્વજ્ઞાન છે, વિજ્ઞાન તે હજી ઘણું અપૂર્ણ છે. પૂર્ણ તત્ત્વજ્ઞાનસ્વરૂપ જિનાગમને કહેનારા પરમાત્મા આજના જેવા કોઈ વૈજ્ઞાનિક ન હતા કે જેમણે પ્રગશાળાઓ ઊભી કરીને વર્ષો સુધી સંશોધન કરીને બધી શેધને અહેવાલ તૈયાર કરીને આગમગ્રંથમાં રજૂ કર્યો હોય. - ના, એ પ્રયેગી ન હતા, એ તે યોગી હતા. વિશુદ્ધ આત્મા હતા. એ વિશુદ્ધના પ્રકાશમાં જ એમને પ્રત્યેક પરમાણુ પણ સ્પષ્ટરૂપે દેખાય હતે. સાંભળવા મુજબ ભગવાન મહાવીરના સમકાલીન ગૌતમ બુદ્ધ પણ કહ્યું હતું કે નિન્ય, આયુષ્યમાન એ જ્ઞાનપુત્ર (ભગવાન મહાવીર) સાચે જ સર્વજ્ઞ અને સર્વદશ છે. કેમ કે એ તમામ વાતને સંપૂર્ણ પણે જાણે છે. મારી પણ બેસવાની, ઊઠવાની, ચાલવાની તમામ ક્રિયા વગેરેને એ ત્યાં બેઠા બેઠા જાણે છે! ભગવાન જિન સર્વજ્ઞ હતા એ વાતની સિદ્ધિ માટે આ ગ્રન્થ લખવાનો પ્રયત્ન કર્યો છે. જે સર્વજ્ઞ હોય તે અવશ્ય વીતરાગ હોય અને વીતરાગ સર્વજ્ઞ અવશ્ય સત્યવાદી હોય એ વાત આપણે આરંભમાં જ જોઈ ગયા છીએ. “આપણે સહુ એ વીતરાગ–સર્વજ્ઞ, સત્યવાદી ભગવાન જિનને આજે અંતરથી નમીએ. એમણે જણાવેલી તમામ વાતને હૃદયથી સ્વીકારીએ. એમણે બતાવેલા સુખના રાહે કદમ માંડીએ. Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ–૧ જાણીતા ભવિષ્યવેત્તાઓની ભવિષ્યવાણી [સાભાર-ઉદ્દધૃત ] (૧) ડે. જુલેવન યૂબામાં રશિયાનાં ક્ષેપકનાં મથકે બની ગયાં હતાં. અમેરિકા અને રશિયાના સંબંધે ક્યૂબામાં અત્યંત ખરાબ થઈ ગયા હતા. યુદ્ધ આજકાલમાં શરૂ થઈ જ જશે, એ જ વાત બધાના મેં એ ચર્ચાતી હતી. બંને પક્ષની સેનાઓ એકબીજાની સામે ખડી થઈ ગઈ. એક તરફ રશિયાના સૈનિકેથી ભરેલાં જહાજે ક્યૂબા તરફ દેડી રહ્યાં હતાં અને બીજી તરફ અમેરિકાનાં વિનાશકારી બેમ્બરે અને આણુઓથી સજજ મિસાઈલે ઝઘડવા લાગ્યાં. યુદ્ધને માટે બસ “સ્વિચ દબાવવાનું જ બાકી રહ્યું હતું. યૂબામાં–રશિયન મિસાઈલ્સને કારણે કેનેડીએ રશિયાને અલ્ટીમેટમ આપ્યું તે સમયે ક્રાંસના નેતાઓએ જાણીતા ફ્રેન્ચ ભવિષ્યવક્તા જુલે વર્નને પૂછયું, “આ યુદ્ધમાં વિજય કેને થશે? Page #346 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૩૧ જુલેવને તરત જ જવાબ આપે કેઈને નહીં, કારણ કે યુદ્ધ થશે જ નહીં, રશિયા પીછેહઠ કરશે.” એ સમયે તે આ વાત કોઈએ માની નહીં પરંતુ થોડા જ કલાક પછી જ્યારે આકાશવાણીએ જાહેરાત કરી, “રશિયા પાછું હઠી ગયું, યુદ્ધની શક્યતાઓ ખલાસ થઈ ગઈ.” ત્યારે લોકે જુલેવર્નની ભવિષ્યવાણી પર આશ્ચર્યચકિત થઈ ગયા. ડે. જુલેવર્ન જાણીતા ફ્રેન્ચ લેખક છે, પરંતુ તેમની સૌથી વધારે ખ્યાતિ એક ભવિષ્યવક્તા રૂપે થઈ, આંતરરાષ્ટ્રીય જગતમાં તેમને ભવિષ્યવેત્તા રૂપે જેની ડિકસન, પ્રે. હરાર, સીરે એન્ડરસન અને ચાર્લ્સ કલાક કરતાં ઓછું મહત્વ આપવામાં નથી આવતું. તેમના કેટલાક પૂર્વાભાસ એટલા સાચા નીવડ્યા કે જાણે કે એ ઘટનાઓ તેમણે જ રચી ન હોય! જાપાન, મંચુરિયા અને ઈટાલી આબેનિયા અને ઈથિયેપિયા પર કબજો જમાવશે એવી તેમની. આગાહીને કેઈએ માની ન હતી. પરંતુ સન ૧૯૩૯ થી ૧૯૪ર. સુધીમાં આ બધી ઘટનાઓ સાચી નીવડી ચૂકી. હિટલરની સેનાએ ડેનમાર્ક, બેલ્જિયમ, લકસેમ્બર્ગ જીતી ચૂકી હતી ત્યારે કેઈએ તેમને પૂછ્યું “શું હિટલરની વિરુદ્ધ કાંસને પણ પરાજય થશે?” ત્યારે શ્રી. વને જણાવ્યું કે સન ૧૯૪૦ના જૂનની ૨૦ મી તારીખે કાંસ હાર કબૂલ કરી લેશે. ૨૦ મીએ તે નહી પરંતુ તારીખ ૨૨ મીએ ફ્રેન્ચાએ આત્મસમર્પણ કરી દીધું હતું. ચીન અણુબોમ્બ બનાવી લેશે, મધ્યપૂર્વમાં આગ ભભૂકશે અને આરબેને ઘણે પ્રદેશ ઇઝરાયલ પાસે જ રહેશે એ કથને પણ અક્ષરશઃ સત્ય નીવડતાં લોકોએ જોયાં. ભવિષ્યવાણીઓના પ્રભાવને લીધે જ એક સમયે કાંસ અને યુરોપના મોટા ભાગના નેતાએ ગ્રહ-નક્ષત્રોનું પૂરું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ કેઈ જોખમવાળું કામ કરતા હતા. ભારતના વાઈસરોય લેડ માઉન્ટબેટન સુદ્ધાંએ માન્યું હતું કે “કેઈ અદશ્ય સત્તા સંસારમાં વિચારપૂર્વક કામ કરી રહી છે. તેની જનાઓને મનુષ્ય સમજી શકતા નથી પરંતુ જેમની પાસે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] વિજ્ઞાન અને ધર્મ સૂક્ષ્મ બુદ્ધિ છે એ લેકે તેન ભાવિ વિધાને પણ જાણી લે છે. આ પ્રસંગે મનુષ્યના અહંકારને ઓછું કરે છે અને જીવનના સત્ય પ્રત્યે આગ્રહશીલ થવાની પ્રેરણા પણ આપે છે.” નવ યુગના અવતરણના સંદર્ભમાં જુલેન કહે છે– “મને આભાસ થાય છે કે આ અધ્યાત્મિક ક્રાંતિ ભારતવર્ષમાંથી ઊઠશે. એના સંચાલનના સંબંધમાં મારા વિચારે જેની ડિકસનથી એ રીતે ભિન્ન છે કે, એ વ્યક્તિ (સંચાલક) જન્મ લઈ ચૂકી છે. આ સમયે તે ભારતવર્ષમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં પરોવાયેલી હોવી જોઈએ. આ વ્યક્તિએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધેલ હેવો જોઈએ અને તેના અનુયાયીઓની મોટી પણ છે. તેના અનુયાયીઓ એક સમર્થ સંસ્થા રૂપે પ્રગટ થશે અને જોતજોતામાં આખા વિશ્વમાં પિતાને પ્રભાવ જમાવી લેશે તથા અસંભવિત જણાતાં પરિવર્તનને આત્મશક્તિના માધ્યમથી સરળતા અને સફળતાપૂર્વક સંપન્ન કરશે.” (૨) કરાર ઈઝરાયેલના એક ધર્મનિષ્ઠ યહૂદી કુટુંબમાં જન્મેલા છે. હારાર મધ્યપૂર્વ, આફ્રિકા તથા યુરેપના બહુ મોટા ક્ષેત્રમાં એક વિખ્યાત દિવ્ય દશ” રૂપે પ્રખ્યાત છે, નાના માણસોથી માંડીને રાજકર્તાઓ સુદ્ધાંએ તેમને સાચા પુરવાર થતા જોયા છે અને તેમની પ્રશંસા કરી છે. અરબસ્તાનના શાહ મુહમ્મદ કે ઈ મુસાફરીએ જવાના હતા. તૈયારી થઈ રહી હતી. હરારે કહ્યું કે આ દોડધામ નકામી છે. કારણ કે શાહ જઈ શકશે નહિ. આશ્ચર્યની બાબત એ બની કે મુસાફરીના એક દિવસ પહેલાં શાહ ઘેડા પરથી પડી ગયા અને જવાનું અટકી ગયું. થોડા સમય પછી ફરીથી મુસાફરીને કાર્યક્રમ બન્યું. હરારે ફરીથી કહ્યું હજી તેમના મુસાફરી એ જવાની કઈ આશા નથી. તૈયારીઓ ચાલતી રહી પરંતુ ચક્કસ કરેલી તિથિથી છેડા જ સમય પહેલાં એક ભારે ધરતીકંપ થયો. એ નુકસાનને વાનું અકા થી કરી રહી છે. એ Page #348 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૩૩ પહોંચી વળવાના અતિશય કામને લીધે ફરીથી તેમને કાઈ જવું પડ્યું. એક વર્ષ પછી ફરીથી મુસાફરીને સરંજામ તૈયાર કરવામાં આવ્યું. ફરીથી પણ હરારે કહ્યું કે આ વખતે પણ શાહ જઈ શકશે નહીં. મુસાફરી શરૂ થઈને ચેડા જ માઈલ પહોંચી હતી એટલામાં જ કોઈ પડોશી દેશના આક્રમણની સૂચના ગુપ્તચરેએ આપી અને તેમને તરત પાછા ફરવું પડયું. શાહ છે. હરારની અદ્દભુત શક્તિથી ઘણા પ્રભાવિત થયા. અને તેમને પિતાના મુખ્ય સલાહકાર બનાવ્યા. ઈજિપ્ત-ઈઝરાયેલ યુદ્ધથી માંડીને તેમણે અનેક ભવિષ્યવાણીએ કરી એ બધી સાચી નીવડી. આગામી દિવસો માટે પણ તેમણે ઘણું : મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. યુગ૫રિવર્તનના સંબંધમાં તેમના વિચારો આ પ્રમાણે છે : “એવા કઈ દિવ્ય પુરુષને જન્મ ભારતવર્ષમાં થયો છે કે જે સન ૧૯૭૦ સુધી આધ્યાત્મિક ક્રાંતિનાં મૂળ કેઈ પણ જાતની લેકકીર્તની આશા વિના, અંદર ને અંદર જમાવતો રહેશે પરંતુ ત્યાર બાદ તેનું પ્રભુત્વ આખા એશિયા અને વિશ્વમાં છવાઈ જશે. તેના વિચારે એટલા બધા માનવતાવાદી અને દીર્ધદષ્ટિપૂર્ણ હશે કે સમસ્ત વિશ્વ તેનાં કથને અને વિચારો સાંભળવા લાચાર થશે. જ્યારે વિજ્ઞાન આખા વિશ્વમાંથી ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરીને ખતમ કરી દેશે, ત્યારે તે ધાર્મિક ક્રાંતિની શરૂઆત કરશે અને ભારતવર્ષ એ બધાનું આગેવાન થશે. યુ.એન.ઓ. (સંયુક્ત રાષ્ટ્રસંઘ) અમેરિકામાંથી તૂટીને ભારતવર્ષમાં જતી રહેશે. ત્યાં તેનું નવેસરથી સંગઠન થશે. ભારતવર્ષ લાંબા સમય સુધી તેનું આગેવાન અને અધ્યક્ષ રહ્યા કરશે. સાંપ્રદાયિક ખેંચતાણે બિલકુલ બંધ થઈ જશે. જોકે શાસનસૂત્રે કેટલીક બીજી વ્યક્તિઓના હાંથમાં હશે પરંતુ એ બધા એક ધાર્મિક સંગઠનના આશ્રિત હશે. ભારતવર્ષમાં કેટલાંક વિલક્ષણ શાનું નિર્માણ કરશે. વિસાલચમાંથી કોઈ ગુપ્ત ખજાનો અને કીમતી સાંસ્કૃતિક જ્ઞાનને ગુપ્ત Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] વિજ્ઞાન અને ધર્મ ભંડાર મળશે. ઈઝરાયલ અને ભારતવર્ષના મૈત્રીસંબંધે ઘણા ગાઢ થશે. રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની જેવા દેશો ભેગા મળીને પણ આજે જે વૈજ્ઞાનિક, ખગોળિય સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી, એ ભારતવર્ષ એકલું જ પ્રાપ્ત કરી લેશે. સન ૧૯૮૦ થી ૨૦૦૦ સુધીનો સમય ભારતવર્ષની ઝડપી પ્રગતિને છે. આ અવધિમાં તેની ઉન્નતિને જોઈને લેકે દાંતે તળે આંગળીઓ દબાવશે. સૌથી વધારે આશ્ચર્યની વાત એ હશે કે, આ બધું ધાર્મિક વિચારવાળા લેકે જ કરશે. આખી દુનિયાના કે ભારતીની માફક શાકાહારી થશે. દુનિયામાં એક એવી ભાષાને વિસ્તાર થશે કે જે આજે સૌથી ઓછી બોલવામાં અને ભણવામાં આવે છે.” છે. હરારે નવયુગના નિર્માતાના સંબંધમાં એક મહત્વપૂર્ણ સ્વપ્ન જોયું. એનાથી તે ઘણા પ્રભાવિત થયા અને નિરંતર અનેક લેકેને સંભળાવતા રહ્યા. એ સ્વપ્નને સારાંશ આ પ્રમાણે છે : રાત્રિના પહેલા પહેરે જ્યારે હું ગાઢ નિદ્રામાં હોઉં છું ત્યારે સ્વપ્નમાં એક દિવસ પુરુષનાં હું દર્શન કરું છું, કેઈ જળાશયની નજીક બેઠેલા આ મેગીના મસ્તકમાં, જ્યાં બને ભમરે મળે છે એ જગ્યાએ મને ચંદ્રનાં દર્શન થાય છે. તેના વાળ વિનાનાં જતાં અથવા પાવડીઓ હોય છે. તેની આસપાસ ઘણું સંત અને સર્જન વ્યક્તિઓની ભીડ જણાય છે. તેમની વચ્ચે બળતી નાની-મોટી - વાળાઓને હું જોઉં છું. આ લકે કશુંક બેલે છે અને અગ્નિમાં કંઈ નાંખે છે. એના ધુમાડાથી આકાશ છવાઈ રહ્યું છે. આખી દુનિયાના લે કે ત્યાં જ દેડતા આવી રહ્યા છે. તેમાંના કેટલાય કષ્ટપીડિત, અપંગ અને મંગળ હોય છે. તે દિવ્ય દેહધારી પુરૂષ એ બધાને ઉપદેશ આપી રહ્યો છે. એનાથી બધાના મનમાં પ્રસન્નતા વ્યાપી રહી છે, અને કેનાં કષ્ટ દૂર થઈ રહ્યાં છે. લોકો એકબીજાના રાગદ્વેષ ભૂલીને પરસ્પર મળી રહ્યાં છે. સ્વર્ગીય વૃષ્ટિ થઈ રહી છે. ધીરે ધીરે આ પ્રકાશ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે અને કેઈ પર્વત પર દિવ્ય સૂર્યની માફક ચમકવા Page #350 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૩૫ લાગે છે. ત્યાંથી પ્રકાશનાં કિરણે વરસાદના જળની માફક ફેલાય છે. અને આખી પૃથ્વીમડળને આચ્છાદિત કરી લે છે. બસ આટલે આવીને સ્વપ્નને અંત આવી જાય છે.” (૩) છે. સી ઈંગલેન્ડના વતની પ્રે. સીરો, જેમને પશ્ચિમની દુનિયામાં જ્યોતિષના જાદુગર કહેવામાં આવતા હતા, તેમની ભવિષ્યવાણુઓએ લેકેને ઘણીવાર એંકાવ્યા રે! વ્યક્તિઓ, સંપ્રદાયે તથા રાષ્ટ્રના સંબંધમાં તેમણે એવી એવી વાતે જાહેર કરી હતી કે જે એકદમ અસંગત લાગતી હતી, પરંતુ ભવિષ્યનાં ઘટનાચક્ર તેમણે સાચાં પુરવાર કરી દીધાં. તેમણે દક્ષિણ આફ્રિકાની લડાઈના, મહાન વિકટોરિયાના મૃત્યુના તથા એડવર્ડ સાતમાના મૃત્યુના બરાબર માસ અને દિવસ જાહેર કરીને લોકોને કુતૂહલના અંતિમ બિંદુ સુધી પહોંચાડી દીધા હતા. ઈટાલીના શાસક હર્બર્ટનું ખૂન, રશિયાના ઝારનું પતન અને તેના પરિવારના દરેક સભ્યની કતલ થવી, જર્મનીના પહેલા યુદ્ધને બરાબર સમય વગેરે બાબતે તેમણે વર્ષો પહેલાં જણાવી દીધી હતી. તે સમયે ભલે કેને શંકાઓ થઈ પરંતુ જ્યારે એ ઘટનાઓ હકીકત બનીને સામે આવી, ત્યાં છે. સીરાની અતીન્દ્રિય ક્ષમતાઓથી તેમને હાર માનવી પડી. લેર્ડ કિચનર અંગેની તેમની ભવિષ્યવાણીને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું. સન. ૧૮૮૭માં જ્યારે કિચનર લશ્કરમાં એદ સાધારણ કર્નલ હતા ત્યારે છે. સીએ તેમને જણાવ્યું હતું: આપ પર સન ૧૯૪૧ માં એક મહાયુદ્ધની જવાબદારી આવી પડશે. એ દરમ્યાન આપનું મૃત્યુ ૬૬ વર્ષની ઉંમરે યુદ્ધના મેદાનમાં નહી પરંતુ સમુદ્રની કઈ દુર્ઘટનામાં થશે.” આ ભવિષ્યવાણી સોએ સે ટકા સાચી નીકળી. લોર્ડ કિચનર જ્યારે યુગ–મંત્રણ માટે અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે જર્મનની એક સબમરીને તેમને સમુદ્રમાં ડુબાડી દીધા. સીરાએ ઈઝરાયેલ, આરબ રાષ્ટ્રો તથા ભારતના સંબંધમાં પણ મહત્ત્વપૂર્ણ ઘેષણ કરી હતી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] વિજ્ઞાન અને ધર્મ 66 પ્રોફેસર સીરાએ આગાહી કરી હતી, “ --સુરાપની ખ્રિસ્તી જાતિએ ફરીથી એક વાર યહૂદીઓને પેલેસ્ટાઈનમાં વસાવશે. જેને કારણે આરખ રાષ્ટ્રો તથા તેમના ઇસ્લામી મિત્રા ભડકી ઊઠશે. તે વારવાર ઈંગ્લેન્ડ તથા અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારા જગાવશે. યહૂદીઓની શક્તિ વધશે. એછી સખ્યામાં હોવા છતાં પણ ઈશ્વરીય ચમત્કારની મદદથી યહૂદી આરબાને પીટશે અને તેમને ઘણા પ્રદેશ પોતાના કબજામાં કરી લેશે. ૧૯૭૦ પછી કોઈ સમયે એક વાર ફરીથી ઘણી જ ભયાનક લડાઈ થશે. જેમાં આરબ રાષ્ટ્રા બૂરી રીતે ખેદાનમેદાન થશે. આ વિનાશ પૂરા થયા પછી એક નવી સનાતન સભ્યતાને ઉદય આખા વિશ્વમાં થશે. આ બધું સન ૨૦૦૦ પહેલાં થશે.” ૮ ઇંગ્લેન્ડ ભારતને સ્વતંતંત્ર કરી દેશે, પરંતુ ધાર્મિ ક ટ ટાથી ભારત બરબાદ થઈ જશે. એટલે સુધી કે દેશ હિન્દુ, બૌદ્ધ અને મુસલમાનામાં વિભક્ત થઈ જશે. ” જે દિવસેામાં આ આગાહી છવાઈ હતી એ દિવસે બ્રિટનના દમનચક્રના દિવસો હતા. કેાઈ કલ્પના પણ કરી શકતું ન હતું કે ભારત સ્વતંત્ર થશે. પરંતુ પ્રેા. સીરાનું કથન હતું—“ ભારતવના સૂ` બળવાન છે અને કુંભ રાશિ પર છે, તેની ઉન્નતિને સંસારની કોઈ તાકાત અટકાવી શકશે નહીં.” એ પ્રમાણે સાચું થઈને રહ્યું પરંતુ બીજી આગાહી કે જેમાં દેશના ભાગલાની વાત હતી એને તે કોઈ બિલકુલ માનતું જ ન હતું પરંતુ આખી દુનિયાએ જોયું કે ભારતમાંથી લંકા, બ્રહ્મદેશ, તિબેટ વગેરે બૌદ્ધ રાજ્યે અલગ થઇ ગયાં અને મુસલમાનાનું પાકિસ્તાન બન્યું. પરંતુ ભારતના અતિઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી. સીરા ઘણા જ આશાવાન હતા. તેમનું કથન છે—“એક શુદ્ધ, ધાર્મિક સશક્ત વ્યક્તિ ભારતવમાં જન્મ લેશે એવા ચેાગ છે. એ વ્યક્તિ આખા દેશને જગાડી દેશે. તેની આધ્યાત્મિક શક્તિ દુનિયાભરની તમાસ ભૌતિક શક્તિઓ કરતાં વધારે સમર્થ હશે. બહુસ્પતિના યોગ હોવાને કારણે જ્ઞાન—ક્રાંતિની સંભાવના છે, તેની અસર આખી દુનિયામાં પચા વિના નહીં રહે.” Page #352 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૩૭ ફ્રાન્સના સુવિખ્યાત આત્મવેત્તા નાસ્ટ્રાડમે ૧૫મી સદીથી ૨૦મી સદ્દી સુધીની લગભગ ૧૦૦૦ આગાહી કરી છે તેમની આગાહીઓ પાછલાં ૫૦૦ વર્ષોથી આખા સંસારને પ્રભાવિત કરતી રહી છે. નેાસ્ટ્રાડમના જન્મ ફ્રાન્સના સેંટ રેમી નામના સ્થાનમાં ૧૩ ડિસેમ્બર, ૧૫૦૩માં થયા હતા. તે એ યુગના શ્રેષ્ઠ જ્યાતિષી અને અતીન્દ્રિય દ્રષ્ટા મનાવા લાગ્યા. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ૨૦મી સદીમાં જમનીમાં એક એવા સરમુખત્યાર અસ્તિત્વમાં આવશે, કે જે આખા યુરોપમાં પ્રલયકારી તાંડવ–દૃશ્ય ઉપસ્થિત કરી દેશે. તેનુ નામ વ્હિટલર.” હશે. અને ખરેખર ફક્ત એક અક્ષરના તફાવતથી હિટલર” આજ રૂપે જ નમાં અસ્તિત્વમાં આવ્યો. એ જ પ્રકારની તેમની બીજી આગાહી કાસી`કા (ફ્રાન્સ)માં જન્મ લેનાર એક વીર સિપાહીની હતી કે જેના સંબંધમાં તેમણે કહ્યું હતું. આ વ્યક્તિ એક અજોડ ઐતિહાસિક પુરુષ થશે. તેની વીરતા આગળ અંગ્રેજો કંપી જશે. પરંતુ એક દિવસ તે ગિરફતાર થઈ જશે અને તેની પડતી થઈ જશે.” તેનું નામ શ્રી. નેાસ્ટ્રાડમે “નેપેલિયન' જ જણાવ્યું હતું અને ખરેખર નેપોલિયન ખાનાપાર્ટ નાસ્ટ્રાડમે આગાહી કરી હતી એવા જ થયા. તેમની ભવિષ્યવાણીઓના વિસ્તારપૂર્વક ઉલ્લેખ “માઈકેલ ડી. નાસ્ટ્ર!ડમની સદીએ અને સાચી ભવિષ્યવાણીઓ” (સેન્ચુરીઝ એન્ડ ટુ પ્રેાફેસીજ એફ ધી માઇકેલ ડી નેસ્ટ્રાડમ) પુસ્તકમાં મળે છે. શ્રી ન્યુસ રિવ્યુ” નામનું માસિક વખતે વખત આ ભવિષ્યવાણીઓને છાપે છે અને એમની સત્યતાનું પ્રતિપાદન કરતું રહે છે. ૨૦મી સદીને સૌથી વધારે ઉલ્લેખ કરનાર આ મહાન ભવિષ્યદ્રષ્ટાએ લખ્યું છે–૨૦મી સદીના ઉત્તરામાં વિજ્ઞાનના વિકાસ એટલે બધા થશે કે દુનિયા નાસ્તિક થઇ જશે. સામાજીક આચારવિચારો ભૂંસાઇ જશે. ચારિત્ર્ય નામની કોઇ વસ્તુ રહેશે નહીં. ફેશનની ધૂમ મચશે. આ પરિસ્થિતિમાં પોતાની રીતે અનાખી વિ. ૪. ૨૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] વિજ્ઞાન અને ધર્મ એક વિશ્વવિખ્યાત વ્યક્તિ કઈ મહાન ધર્મનિષ્ઠ પૂર્વના દેશોમાં જન્મ લેશે. આ વ્યક્તિ એકલી જ પિતાના નાના સહગીઓ દ્વારા આખા સંસારમાં ખળભળાટ મચાવી દેશે. આ ક્રાંતિઓને સમય ૨૦મી સદીના અંત અને ૨૧મી સદીની શરૂઆતને છે. ત્યાર બાદ સંસારમાં સર્વત્ર માનવતાનું આધિપત્ય સ્થપાશે. જોકે આસુરી વૃત્તિઓને ત્યાગ કરી દેશે અને સંસાર સ્વર્ગતુલ્ય સુખમય બની જશે. નોસ્ટ્રાડમની આ ભવિષ્યવાણી પણ સાચી નીવડશે. એનાં પ્રમાણે (૧) એકવાર તેમણે આગાહી કરી-“ત્રણ મહિના પછી સંસમાં ભયંકર પ્લેગ ફેલાશે, જેમાં લાખો લોકો મૃત્યુ પામશે.” ત્રણ મહિના સુધી એક પણ એ બનાવ બન્યો નહીં. એકાણુમે દિવસે પહેલીવાર પિરિસમાં લેગ હવાની નાનીશી સૂચના મળી ત્યાર પછી જ પ્લેગે એટલું બધું જોર પકડ્યું કે, આખા ક્રાંસમાં ખળભળાટ મચી ગયે અને આ ખળભળાટની સાથે નેસ્ટ્રાડમની ખ્યાતિ પણ આખા યુરોપમાં ફેલાઈ ગઈ. (૨) પ્લેગ પૂરો થઈ ગયે ત્યારે કેઈએ તેમને પૂછયું, “આગળ બીજી મેટી ઘટના શું બનશે?” તેમણે કહ્યું, સમ્રાટનું મૃત્યુ.” લઈને સિંહાસન પર આરૂઢ થયે ભાગ્યે ૩ અથવા ૪ વર્ષ થયાં હશે. તેમનું શારીરિક આરોગ્ય પણ સારું હતું. એક માસની અંદર જ સાધારણ “મધુમેહની બીમારીને કારણે તેમનું ઓચિંતુ મૃત્યુ થઈ ગયું. આ વાતની લેકને બિલકુલ સંભાવના જણાતી ન હતી. (૩) આના પછી તેમણે ક્રાંસની મેગીનેટ લાઈન નષ્ટ થવાની આગાહી કરી હતી કે જે સાચી પડી. - (૪) જર્મનીના ભાગલા થવાની તેમની ભવિષ્યવાણુ સાચી નીવડી. અમેરિકાના એક પછી એક કેટલાય રાષ્ટ્રપતિએને મારી નાંખવામાં આવ્યા. એની ચેતવણી નેસ્ટ્રાડમે બહુ આગળથી આપી હતી. Page #354 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૩૯ ૨૦મી સદીના સંબંધમાં તેમનું કથન હતું, “પ્રકૃતિને એટલી કે પાયમાન પહેલાં કદી જોવામાં નહીં આવી હોય કે જેટલી તેને ૨૦મી સદીના અંતમાં જોવામાં આવશે. ઠેર ઠેર સૈનિક-કાંતિઓ થશે.” ત્યારે સંસારને બદલનારી એક અદ્દભુત શક્તિ સક્રિય થશે, તે ન તે કોઈ દેશની રાજસત્તા હશે અથવા ન તે કઈ વાદ કે પંથ હશે. પરંતુ એક એવી વ્યક્તિ હશે કે જે પિતાના સૌજન્ય દ્વારા સમસ્ત સંસારને એક્તાના સૂત્રમાં બાંધી દેશે. ત્યાર પછી દુનિયામાં એ પ્રકારનાં સુખ–શાંતિ સ્થપાશે કે જેવાં આજ સુધી સંસારમાં કદી પણ આવ્યાં નહીં હોય.” સન ૧૯૫૬ના જુલાઈ માસમાં સૌથી વધારે ભવિષ્યવાણીઓ કરનાર જાણતા ભવિષ્યદ્રષ્ટા એક દિવસ સાંજના પિતાના ઓરડામાં બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. એકાએક કંઈક વિચારીને તેમણે ઘરનાં બધાં માણસોને બેલાવ્યાં, અને કહ્યું, “જુઓ! આજની રાત મારા જીવનની છેલ્લી રાત છે. હું સવારમાં હઈશ નહીં, પરંતુ તમે મારા મૃત્યુથી દુઃખી થશે નહીં. હું ભગવાનના કામમાં મદદ કરવા જઈ રહ્યો છું.” નહીં ખાંસી કે નહીં તાવ. નેસ્ટ્રાડમના આ કથને બધાને વિસ્મિત તે કરી દીધા પરંતુ કેઈએ વાત માની નહીં. નેસ્ટ્રાડમ દરરોજની માફક જ ઊંઘી ગયા. જે જીવનભર બીજાઓની આગાહીઓ કરતા રહ્યા તેમની પોતાના માટેની ભવિષ્યવાણુ ખાટી કેવી રીતે હિય? તે રાત્રે ઊંઘી ગયા પછી ખરેખર તેમની નિદ્રા તૂટી જ નહીં. (૪) આર્થર ચાસે કલાક વિજ્ઞાની અને ભવિષ્યવક્તા એ બંનેની ભૂમિકા નિભાવનાર આર્થર ચાર્સ કલાક, આંતરરાષ્ટ્રીય કલિંગ ઈનામના વિજેતા તરીકે વિશ્વવિખ્યાત છે. તેમની દિવ્યદર્શનની શક્તિથી આખું વિજ્ઞાન જગત આશ્ચર્યચક્તિ થયેલું છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] વિજ્ઞાન અને ધર્મ સન ૧લ્પલ્સા એક ભજન-સમારંભમાં તેમણે જાહેર કર્યું હતું કે, “૩૦મી જૂન, ૧૬ને દિવસ પૃથ્વીના ઈતિહાસને સૌથી વધારે માંચકારી દિવસ હશે. હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે, પૃથ્વીને કેઈ રહેવાસી તે દિવસે ચંદ્રમા પર ઊતરશે.” આ ભવિષ્યવાણી સાચી પડવામાં માત્ર ૨૦ દિવસને તફાવત પડ્યો. એનું કારણ એ હતું કે એક “એપલે કેપ કેનેડીમાં જ બળી ગયું. એ જે ન બન્યું હોત તો કદાચ આ ૨૦ દિવસને તફાવત પણ ન પડત. આ ઉપરાંત તેમની ચીન અને પાકિસ્તાન વચ્ચેની મૈત્રીની, રશિયા અને ચીન વચ્ચેના સંઘર્ષની, ઈજિપ્ત અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની આગાહીઓ પણ સમયની સેટી પર સાચી પુરવાર થઈ ચૂકી છે. ડે. કલાકે “૨૦૦૧ સ્પેસ એડોસી” નામની આંરરાષ્ટ્રીય ખ્યાતિવાળી ફિલ્મ બનાવી, કે જેમાં ૨૦મી સદી પૂરી થતાં ૨૧મી સદીની શરૂઆતમાં દુનિયાનું બદલાયેલું ચિત્ર કેવું હશે એ બતાવવામાં આવ્યું છે. ડે. આર્થર ચાલસ કલાર્કનું નવયુગ અવતરણ સંબંધી કથન આ પ્રમાણે છેઃ “એ સમય આવી ગયું છે કે જ્યારે સંસારમાંથી વર્ણભેદ, જાતિભેદ, લિંગભેદ તથા રાષ્ટ્રે વચ્ચેના ભેદભાવ નાબૂદ થઈ જશે. આખી દુનિયાના લેકે ભાઈભાઈની માફક રહેશે. “કેઈ દેશમાં કેઈ એકાદ મુકદ્દમે ઉપસ્થિત થશે તે લેકેને આશ્ચર્ય થયા કરશે, કે પૃથ્વીમાં એવો કણ માણસ છે કે જેના મનમાં દ્વેષ, છળ અથવા વેરઝેર છે? આખી પૃથ્વી પર એક જ ધર્મ–માનવધર્મની સ્થાપના થશે. માનવતાનાં વતુ અત્યારે જેવાં મર્યાદિત છે તેવા આગળ ઉપર નહીં રહે. એશિયાના કેઈ દેશ (ભા સ્તવર્ષ તરફ સંકેત) માંથી છેડા જ Page #356 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૪? દિવસમાં એક પ્રચંડ વિચારક્રાંતિ ઊઠવાની છે. તે ૧૯૭૧ સુધી એ દેશમાં અને એનાં ૧૦ વર્ષ પછી આખા વિશ્વમાં એવી રીતે ગૂંજી ઊઠશે કે માનવીના ઊંઘતા અંતઃકરણને જાગવાની ફરજ પડશે. આજે જે શક્તિઓ તરફ લેકેનું ધ્યાન પણ નથી જતું, તે શક્તિઓ ત્યારે જન-જનની શોધ અને અનુભવને વિષય બની જશે. વિજ્ઞાન એક ન વળાંક લેશે, કે જેમાં આધ્યાત્મિક તત્ત્વોની અધિક્તા હશે. આખા વિશ્વને એક સૂત્રમાં બાંધવામાં આધાર આ આધ્યાત્મિક સિદ્ધિઓ અને સામ જ હશે.” (૫) પ્રો. બેઝ લેટિન સ્પેનના સમાચારપત્ર “સાયન્સ વેસ્ટ-મિનિસ્ટર”માં સન ૧૯૨૬માં એક દિવ્યદર્શી પ્રો. બેઝ લેટિનની ભવિષ્યવાણીઓ છપાઈ - હતી. એમાંથી ઘણીખરી આ લાંબી અવધિમાં સાચી નવડી છે. એટલે તેમની આગામી ભવિષ્યવાણીઓ સાચી પુરવાર થવાની વાત પર પણ સંસારભરમાં ભરી રાખવામાં આવે છે. તેમણે લખ્યું છે. મશીન યુગ સંસારમાં વાયુની અશુદ્ધિને એટલી બધી વધારી દેશે કે સન ૧૯૮૧ સુધીમાં પ્રકૃતિનું સંતુલન બગડી જશે. એનાથી આખા સંસારમાં પ્રકૃતિના કેપથી લેકને ભારે કષ્ટ ઉઠાવવા પડશે. અને પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જશે. ત્યાર પછી પૂર્વમાં નવી સભ્યતાનો ઉદય થશે. ભારતને કિસાન આગળ વધીને વાયુમંડળને શુદ્ધ કરશે, અને સંસારમાં વ્યાપેલા કલહ અને અનાચારને શાંત કરવામાં પણ તેને જ પ્રભાવ અસરકારક નીવડશે. સન ૧૯૩૦થી સન ૨૦૦૦ સુધીને સમય વિશ્વ પરિવર્તનને કાર્યકાળ છે. આ સમય દરમિયાન એક એવી શક્તિ પ્રગટ થશે કે જેના પ્રભાવથી ત્રણ ચતુર્થાશ નાસ્તિકો આસ્તિક બની જશે. નવા યુગમાં લેકે ભાઈ-ભાઈની માફક પ્રેમપૂર્વક રહેશે. દેશ, ધર્મ અને જાતિની સીમાઓ તૂટીને વિશ્વવ્યાપી ઉત્પન્ન થશે.” Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] વિજ્ઞાન અને ધર્મ (૬) શ્રીમતી બરિકા હંગેરીનાં દિવ્યદર્શી મહિલા બેરિસ્કાએ રાજનૈતિક ભવિષ્યવાણુઓ સંબધી ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સંસારના મોટા રાજનીતિ પતે ગૂંચવાયા હોય એવા પ્રસંગ પર ઘણું કરીને તેમની સલાહ મેળવતા હતા કારણ કે તેમનાં કથને સામાન્ય રીતે સાચાં નીવડતાં હતાં. એક અંગ્રેજ રાજનેતાઓ બેરિસ્કાને ભારત અને ઈંગ્લેન્ડના સંબંધે વિષે પૂછયું. સ્વતંત્રતા આપવાના સંબંધમાં તે દિવસોમાં ઈંગ્લેન્ડને કોઈ પણ રાજનૈતિક પક્ષ તૈયાર ન હતું. એ વાત પણ પેલા રાજનેતાએ કહી. બેરિસ્કાએ હસતાં હસતાં કહ્યું—સને ૧૯૪૪ પછી ભારતની સ્વતંત્રતાને દુનિયાની કઈ શક્તિ અટકાવી શકશે નહીં. એટલું જ નહીં, ભારત સંસારમાં શાંતિ સ્થાપનાની નેતાગીરી પણ કરશે.” શ્રીમતી બેરિસ્કાએ ભારતની આઝાદી ૧૯૪૪ પછી થવાનું ભાખેલું. ભારતના ભાવિનું ચિત્ર તેમણે આ પ્રમાણે આપ્યું છે – “ભારતની એક સર્વોચ્ચ શક્તિરૂપે ઉન્નતિ થઈ જશે, પરંતુ એને માટે તેને ઘણું કઠોર સંઘર્ષો કરવા પડશે. એ દેશમાં એક દેવદૂત આવશે. તે હજારો નાના નાના લોકોને એકઠા કરીને તેઓમાં એટલી બધી હિંમત ઉત્પન્ન કરી દેશે, કે એ જ નાના નાના લેકે પ્રબળ જણાતા ભૌતિકવાદીઓ સાથે ભિડાઈ જશે અને તેમની માન્યતાઓને મિથ્યા પુરવાર કરી બતાવશે. સખત સંઘર્ષ વચ્ચે જ માનવીય સદ્ગુણેને વિકાસ ચિરસ્થાયી બનશે. એનાં લક્ષણે સન ૨૦૦૦ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ત્યાર પછીને સંસાર પ્રેમ, દયા, કરૂણા, ઈમાનદારી, પરોપકાર અને ભાઈચારાને. સંસાર હશે.” પરમહંસ રાજનારાયણ શ્રી. પટશાસ્ત્રીએ જાહેર કર્યું છે - નજીકના ભવિષ્યમાં એક ભારે ધાર્મિક ક્રાંતિ થશે અને એનાથી, Page #358 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૪૩ "" સંસારને નવા ષ્ટિકોણ મળશે. જીવનપદ્ધતિમાં આજે ભૌતિકવાદી માન્યતાઓને જે સ્થાન મળ્યું છે એ મૂળમાંથી ઊખડી જ રહેશે. પટણાની “ખુદાબક્ષ આરિએન્ટલ લાયબ્રેરી ” માં ફારસી કવિતાનું ઘણું જૂનું પુસ્તક છે, કે જે મુખારાના સુપ્રસિદ્ધ સંત શાહ નિયામત ઉલ્લા વલી સાહેબનું લખેલું છે. શ્રી. વલી સાહેબની ખ્યાતિ જેટલી એક સંત અને ઈશ્વર-ભક્તરૂપે છે, એનાથી વધારે એક ભવિષ્યવક્તા રૂપે છે. આ પુસ્તકમાં તેમણે લખ્યું- જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થશે. ’ (૧૯૦૪માં જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું પણ ખરું) • જાપાનમાં ભયકર ધરતીક પ થશે. (૧૯૨૩માં ધરતીકંપ થયેા ) પહેલા વિશ્વયુદ્ધમાં અલક (અંગ્રેજો ) અને જીમ (જની) લડશે. એમાં અગ્રેજો જીતશે પરંતુ યુદ્ધમાં એક કરોડ એકત્રીસ લાખ વ્યક્તિએ મરી જશે. ' ( બ્રિટિશ કમિશનના રિપોર્ટ પ્રમાણે ખરેખર એ યુદ્ધમાં એક કરાડ અને ત્રીસ લાખ માણસાનાં મૃત્યુનું વર્ણન આપવામાં આવ્યું છે, ) ‘ એજીમ (જની બે ભાગમાં વહે’ચાઈ ગયું) પરસ્પર તંગ પરિસ્થિતિમાં આવી જશે. ' બીજા વિશ્વયુદ્ધમાં બેમ્બ ફાટવાની તેમની વાત પણ સાચી નીકળી. આ રીતે તેમની એક પણ આગાહી ખાટી ન પડી. ભારતના સંબંધમાં વલી સાહેબ લખે છે-મુસલમાનેાના હાથમાંથી આ દેશ વિદેશીઓના હાથમાં જતા રહેશે. પછી હિન્દુએ અને મુસલમાના ભેગા મળીને વિદેશીઓની વિરૂદ્ધમાં લડાઈ લડશે; વિદેશીઓ અહીંથી ચાલ્યા તે જશે, પરતુ હિન્દુસ્તાનને એ ટુકડાઆમાં વહેંચતા જશે. અને એ દેશ બની જશે અને તેમની વચ્ચે શત્રુતા એટલી બધી વધી જશે કે બંને વચ્ચે યુદ્ધનુ' તંગ વાતાવરણ રહ્યા કરશે. આ પ્રમાણે જ્યાં સુધી હિન્દુસ્તાનને મુસલમાની ભૂભાગ પૂરી રીતે પરાજય નહીં મેળવે ત્યાં સુધી રહ્યા કરશે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] વિજ્ઞાન અને ધર્મ રામન સ્વામી અય્યર કલ્કિ પુરાણ અને મહાભારત વગેરેમાં નિષ્કલંક અથવા કલિક અવતારને જે સમય આપવામાં આવ્યું છે, એ પણ અત્યારના સમયને જ લાગુ પડે છે. આ બંને સંભાવનાઓને એક જ સ્થાન પર મળતી જોઈને અમેરિકન અધ્યાત્મવાદીઓની આ સંદર્ભમાં રૂચિ વધી એને પરિણામે ત્યાં “કલ્કિ અવતારની શોધને માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે. એક અમેરિકન છાત્રએ એને પિતાની શોધને વિષય બનાવ્યું છે. ઈંગ્લેન્ડ વગેરેમાં હિન્દુ ધર્મ. ગ્રંથની જે પ્રમાણસિદ્ધ નકલે મળી છે એમના પ્રમાણે આ સમિતિ માને છે કે “કલ્કિ” જન્મ લઈ ચૂક્યા છે. ૮ ઓકટોબરના “અમેરિકન રિપોર્ટર” પ્રમાણે આ સમિતિ ભારતવર્ષમાં રહીને કલ્કિ અવતારની વિસ્તૃત શોધ કરવાના અને જાણકારી પ્રાપ્ત કરવાના કાર્યમાં જેડાઈ ગઈ છે. “આ યુગના દેવદૂત નિષ્કલંક અવતાર' નામના પુસ્તકના લેખક, દક્ષિણ ભારતના જાણીતા સંત શ્રી. રામન સ્વામી અય્યરે પણ એવી જ સંભાવના વ્યક્ત કરી છે, શક્તિરૂપી ઘેડા પર સવાર થયેલા કકિ પિતાના તપની તલવારથી અગ્ય અસુરોનાં માથાં કાપવામાં લાગેલા છે, જ્યારે તેમનું રૌદ્ર સ્વરૂપે પ્રગટ થશે ત્યારે સંસાર કાંપવા લાગશે. યુગ બદલાતાં ભારતવર્ષ વિપુલ ઉન્નતિ કરશે. તેના માર્ગદર્શનમાં સમસ્ત વિશ્વ કલ્યાણમાગે ચાલશે. (૭) ગોપીનાથ ચુલેટ બરારના એક દિવ્યદશી વિદ્વાન ગેપીનાથ શાસ્ત્રી ચુલેટે ઘણું સમય પહેલાં કેટલીક ભવિષ્યવાણી કરી હતી, એમાંની મુખ્ય આ હતી: (૧) ભારતવર્ષ સને ૧૯૪૫ અને ૧૫૦ વચ્ચે સ્વતંત્ર થઈ જશે. (૨) ગાંધીજીનું મૃત્યુ શસ્ત્ર પ્રહારથી થશે. (૩) સન ૧૯૭૦ માં કેઈ અમેરિકાના રહીશ ચંદ્રમાં પર ઊતરશે. (૪) ઉત્તર ભારત પર ચીન આક્રમણ કરશે. આ ચારે ઘટનાઓ સાચી પડી. જ્યારે Page #360 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણું [૩૪૫ આ આગાહીઓ કરવામાં આવી તે સમયે એવી કઈ પરિસ્થિતિઓ જણાતી ન હતી. શ્રી. શાસ્ત્રીજીએ યુગ૫રિવર્તન પુસ્તક પ્રકાશિત કર્યું, એમાં તેમણે લખ્યું, “હાલમાં યુગ૫રિવર્તનની સંધિવેળા શરૂ થઈ છે. યુગ ' પરિવર્તનની પ્રત્યક્ષ નિશાનીઓ થોડા સમય પછી પિષ વદી અમાસ, સંવત ૨૦૧૮માં પ્રત્યક્ષ થશે, ત્યાર પછી અજ્ઞનાંધકારને અંત ઝડપથી થશે અને નવયુગને પ્રકાશ વધતું જશે. એ સમય ભારતમાં તીવ્ર ખળભળાટને સમય છે. સાથે સાથે અનેક સફળતાઓ સાથે તેને વિશ્વની નેતાગીરી કરવાનો અવસર મળશે. આગામી સમયમાં ભારત જ્ઞાન અને વિજ્ઞાન એ બંને દૃષ્ટિબિંદુએ વિશ્વનું સર્વોપરી રાષ્ટ્ર થશે. શ્રી. શાસ્ત્રીએ યુગ પરિવર્તન સાથે બદલાતી પરિસ્થિતિઓની રૂપરેખા આ પ્રમાણે બતાવી છેઃ “આ દેશમાં એક જબરદસ્ત વિચાર-કાંતિ થવાની છે. આ વિચાર-ક્રાંતિને પરિણામે (૧) શિક્ષણ પદ્ધતિ બદલાઈ જશે. અત્યારે લેકે કરીને માટે ભણે છે. થોડા દિવસમાં જ એક એવી શિક્ષણ પદ્ધતિ પ્રગટ થશે કે જેમાં ભણેલા લેકેને નેકરીની નહિ પણ નોકરની જરૂર પડશે. (૨) ઈશ્વરભક્તનું સ્વરૂપ માળા જપવા સુધી મર્યાદિત ન રહેતાં માનવસમાજના પછાત વર્ગની સેવારૂપે બહાર આવશે. (૩) લેકેને મેક્ષની નહિ પણ સેવાની કામના થશે. (૪) કહેવાતા હલકટ હૃદયના બુદ્ધિવાદીઓ પ્રત્યે લેકેને ધૃણા ઉત્પન્ન થશે. ભૂગર્ભ વિદ્યા, પૈસાયણશાસ્ત્ર, યંત્રવિદ્યા, ખનિજવિદ્યા, ચુંબક -વિદ્યુત વગેરેનાં નવાં ક્ષેત્રે વિકાસ થશે. અને એની નેતાગીરી ભારતવર્ષ કરશે. (૫) બેહદ ફેલાયેલી કેમ સમેટાઈ જશે. ને ચાર વર્ણમાં મર્યાદિત થઈ જશે. કેમી સંકુચિતતાઓ નાશ પામશે, અને એને પ્રભાવ ખાવા-પીવા, રહેણી-કરણ, અને રીતરિવાજો પર પડશે. (૬) વેદવિજ્ઞાનને વિસ્તાર આખા વિશ્વમાં થશે. (૭) લેકે સંઘશક્તિ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] વિજ્ઞાન અને ધર્મ પર વિશ્વાસ કરશે. (૮) નવાં મંદિરે બનાવવા કરતાં જીર્ણ થયેલાં મંદિરને પુનરુદ્ધાર કરવાનું પુણ્યદાયક માનવામાં આવશે. મંદિરે જન-જાગૃતિનાં કેન્દ્રો બનીને કામ કરશે. સદ્દભાવ વધશે. લખનૌમાંથી પ્રકાશિત થતા “જ્ઞાનભારતી' માસિકના ફેબ્રુઆરી ૧૯૬૩ના અંકમાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા દિવ્યદશી શ્રી. રાવલની ભવિષ્યવાણી છપાઈ હતી. એમાં એવી વાતે આવી હતી કે જેમની તે દિવસોમાં સહેજ પણ સંભાવના હતી નહીં. વાંચનારાઓએ તે દિવસોમાં એ વાતને અસંબદ્ધ જણાવી હતી પરંતુ સમયે એ બધી વાતને સાચી પુરવાર કરી દીધી એટલે હવે એ આગાહીઓમાંની કેટલીક બીજી વાત પર વિશ્વાસ કરવામાં આવે છે. આ ભવિષ્ય-કથનમાં કહેવામાં આવ્યું હતું “સન ૧૯૬૫ના અંત સુધીમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે. એમાં ભારત પોતાની પાકિસ્તાનના કબજામાં ગયેલી ઘણી હદ પાછી મેળવી લેશે અને વાતચીત દ્વારા સમજૂતી થઈ જશે.... પાકિસ્તાન તાકંદ સમજૂતીનું પાલન કરશે નહિ. બંગાળમાં હિંસક ઘટનાઓ વધશે. બેકેનું રાષ્ટ્રીયકરણ થશે. કોંગ્રસ બે જૂથમાં વહેંચાઈ જશે. નાણાપ્રધાન મોરારજી દેસાઈ રાજીનામું આપશે. પૂર્વ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ થશે અને ભાગલા પણ પડશે. સન ૧૯૭૦માં ઈજિપ્તના નાસરનું મરણ થશે. ઈઝરાયલ જીતેલો પ્રદેશ છેડશે નહીં. બંધારણમાં ફેરફાર થશે. રાજાઓની પ્રીવિયસ છિનવાઈ જશે. મેઘવારી અને ટેક્સ વધશે.” ઉપરોક્ત બધી વાત સાચી પડવાથી તેમના નવયુગના આગમન સંબંધીના કથન પર પણ વિશ્વાસ કરવાનું દિલ થાય છે. તેમનું કહેવું છે કે ભારત દરેક ક્ષેત્રમાં ઉન્નતિ કરશે. સારી જાતિનું સન્માન ઘણું વધશે. માનવી–માનવી વચ્ચે ભાઈચારાને વિકાસ થશે. સંસાર એકતાના કેન્દ્ર તરફ આગળ વધશે. મહાયુદ્ધને સમાંતર એક વિશ્વવ્યાપી બૌદ્ધિક ક્રાંતિ થશે. એની નેતાગીરી ભારત કરશે. ધર્મ અને Page #362 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૪૭ સંસ્કૃતિને ઝડપથી વિકાસ થશે. મૂડીવાદ અને સમાજવાદ ટકરાશે અને સમાજવાદ જીતશે.” સાચા અધ્યાત્મવાદીની શક્તિ સચ્ચાઈમાં જ અમર્યાદિત હોય છે. અદ્ધિ-સિદ્ધિઓનું જે વર્ણન ભૂતકાળમાં થતું આવ્યું છે એનાથી આત્મવિજ્ઞાનની ક્ષમતા ઓછી નહીં, પણ વધારે જ થાય છે. એનાં પ્રત્યક્ષ પ્રમાણે કદી જોવા મળે છે. આધ્યાત્મિક સિદ્ધિઓમાં એક સિદ્ધિ પરોક્ષ જ્ઞાનની છે. જેનાથી ભૂત અને ભવિષ્યને પણ જાણી શકાય છે. વર્તમાન દશ્ય હોય એ તે ઈન્દ્રિયથી જોઈ–જાણી શકાય છે. પરંતુ જ્યાં સંચારનાં સાધન નથી, જે અપ્રત્યક્ષ છે એવા વર્તમાન પણ ઈન્દ્રિથી જાણી શકાતા નથી. જે ઘટના હજી બની નથી, વર્તમાન સ્થિતિને આધારે જેની સંભવના પણ જણાતી નથી, એને સંબંધી આત્મ-વિજ્ઞાનીઓ કેટલીક વાર આગાહીઓ કરતા રહે છે, તે સમયે એ આગાહીઓને માત્ર કુતૂહલ જ સમજવામાં આવે છે પરંતુ જ્યારે ગ્ય સમયે એ સાચી પુરવાર થાય છે ત્યારે ભૌતિકવિજ્ઞાનની શક્તિઓ કરતાં પણ આત્મવિજ્ઞાનની ક્ષમતા વધારે છે એ જાણીને આશ્ચર્ય થાય છે. આમ તે જોતિષને આધારે પણ ભવિષ્યકથન કરવાને ધંધે કેટલાક માણસે કરે છે; પરંતુ એ કથાને તુક્કા જ કહેવા જોઈએ. સાચાં ભવિષ્ય-કથને કહેવાનું આત્મબળ સંપન્ન લોકોને માટે જ સંભવિત છે. સાધનાની અનેક સિદ્ધિઓમાં જ ભવિષ્યકથન પણ એક સિદ્ધિ જ છે. આ દિવ્યદર્શનની ક્ષમતા ધરાવતા આત્મબળસંપન્ન લેકને માટે જ સંભવિત છે. કેઈ આ આત્મબળને આ જન્મમાં એકત્રિત કરે છે, તે કેઈની પાસે એ પૂર્વજન્મનું સંઘરેલું હોય છે. બીજા પ્રકારની સુખ-સગવડે સંસારને પહોંચાડવાની માફક આ લેકે કદી કદી લેકહિતની દષ્ટિએ એવી ભવિષ્યવાણુઓ પણ કરી દે છે કે જેમને આધારે ભાવી શક્યતાઓથી સાવચેત રહી. શકાય છે. વધારે અને બિનજરૂરી નુકસાનથી બચી શકાય છે. શક્ય. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] વિજ્ઞાન અને ધર્મ હેય તે તે રીતે એમાં ફેરફારને માટે પ્રયત્ન કરીને પિતાને માગ નકકી કરવામાં આવે તે એમાં સફળતાનું વધારે શ્રેય પણ સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. આ દૃષ્ટિએ કેટલીય વાર આ ભવિષ્યવાણીઓ અસંખ્ય વ્યક્તિએને માટે ઘણું ઉપયેગી પણ પુરવાર થાય છે. યુગ–પરિવર્તન સંબંધી પાછલા દિવસોમાં કેટલીય ભવિષ્યવાણુઓ એવા લેકેએ કરી છે કે જે જોતિષના ધંધાવાળા કરી શકે નહીં એવા જ્યોતિષીઓ પાસે એવું સામર્થ્ય હેતું નથી. આ કથને એવા લે કેનાં છે કે જેમની પાસે આત્મબળની મૂડી ખૂબ પ્રમાણમાં રહી છે. તેમણે પિતાની દિવ્યદૃષ્ટિથી જે કહ્યું તે અક્ષરશઃ સાચું પડ્યું છે. જેમનાં અનેક ભવિષ્યકથને લગાતાર સાચાં પડતાં રહ્યાં છે તેમની જ સૂચનાઓ પર દષ્ટિપાત કરવાથી ખબર પડે છે કે યુગ-પરિવર્તનને સમય નજીક આવી પહોંચ્યું છે. એની પાછળ દિવ્યયશક્તિની પ્રેરણા છે, શ્રેય - ભલે મનુષ્યને મળી જાય પરંતુ સાચી રીતે તે એને, પહેલાંથી નકકી થયેલી એક દિવ્ય પ્રક્રિયા જ કહેવી એ વધારે ચગ્ય ગણાશે. નીચે કેટલીક એવા જ દિવ્યદર્શીઓની ભવિષ્યવાણીએ આપ વામાં આવી છે, કે જેમની અત્યાર સુધીની બીજી આગાહીઓ સમય પ્રમાણે સાચી પુરવાર થતી રહી છે. તેમના કથને પ્રમાણે નજીકના ભવિષ્યમાં નવયુગનું આગમન નિશ્ચત છે. નિર્ધારિત નિયમિત પ્રમાણે આ પરિવર્તન આવશ્યક થવાનું છે. એ પ્રવાહમાં જે લોકો સાથ આપશે તેઓ શ્રેય અને સંતોષ પ્રાપ્ત કરશે. જે તરફ ઉપેક્ષા, ઉદાસીનતા રાખશે તેઓ પાછળથી એ પશ્ચાત્તાપ કરતા રહેશે કે એક ઐતિહાસિક અવસર તેમના જીવનમાં એ આવ્યું હતું કે જે એને તેમણેગ ઉપ કર્યો હોત તે અલ્પપરિશ્રમથી વધારે મહત્વપૂર્ણ શ્રેય તેઓ પ્રાપ્ત કરી શક્યા હોત. આ પ્રકારની અનેક ભવિષ્યવાણીઓમાંની કેટલીક અહીં રજૂ કરવામાં આવી છે : Page #364 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૪૯ (૮) એન્ડરસન આવા (અમેરિકા)માં જન્મેલા શ્રી એન્ડરસન પિતાના સમયના શારીરિક રીતે મહાબળવાનેમાંના એક હતા. તેમણે બળવાન અને પહેલવાનમાં પિતાની ગણતરી તે નથી કરાવી પરંતુ તાકાતની દષ્ટિએ તે બીજા કેઈથી ઊતરતા ન હતા. જ્યારે લોકે તેમને એક લેખંડની લાઠી પર ૨૦ વ્યક્તિઓને લટકાવી તેમને ઉઠાવીને ફરતા જેતા. મેટરકારને તે દડાની માફક ઉઠાવી લેતા અને મદોન્મત્ત સાંઢને પડકાર આપીને એમને મલયુદ્ધમાં પછાડતા ત્યારે લેકે આશ્ચર્યચકિત થઈ જતા. એમાં પણ મેટી વિશેષતા હતી તેમની અતીન્દ્રિય ચેતના, કે જેને આધારે તેમણે કેટલીય આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી અને એ બધી ૯૭ ટકા સાચી પુરવાર થતી રહી. આ જન્મજાત પ્રતિભાને તેમણે ગાભ્યાસની સાધના અને સંયમ-નિયમનું પાલન કરીને વધારી. એન્ડરસન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે એક દિવસ પિતાની માને ખેંચતા ખેંચતા પિતાના મોટાભાઈ નેલ્સનના ઓરડામાં ટાંગેલી તસવીર નજીક લઈ ગયા અને બેલ્યા, “તી નથી, ભાઈના ચહેરા પર ગોળી વાગેલી છે અને તે જમીન પર પડીને મરી ગયા છે.” માએ એન્ડરસનને ધમકાવ્યા અને કહ્યું, “મૂખ, ફરીથી આવી ખરાબ વાત મેંમાંથી કાઢીશ નહીં. બાળક ચૂપ ન રહ્યો અને કહે જ રહ્યો, “તું મારી વાત સાચી કેમ નથી માનતી? જે હું જોઈ રહ્યો છું એ શું ખોટું છે?” ત્રણ દિવસ પછી કેનેડાથી તાર આવ્યું. એમાં નેલ્સનના ચહેરા પર ગોળી વાગવાના અને એનાથી તેનું મૃત્યુ થયાના સમાચાર હતા. એન્ડરસને વખતોવખત અનેક ભવિષ્યવાણી કરી છે. એમાંની કેટલીક આંતરરાષ્ટ્રીય રીતે મહત્વની પણ છે. જે દિવસમાં રશિયા અને જર્મની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી અને મિત્રરાષ્ટ્ર એ બંનેનાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] વિજ્ઞાન અને ધર્મ શત્રુ હતાં, તે દિવસોમાં તેમણે અશક્ય કહી શકાય એવી ભવિષ્ય- વાણી કરી હતી. તેમણે કહ્યું કે જર્મની અને રશિયા એકબીજાના શત્રુ બની જશે અને અમેરિકા તથા રશિયા ભેગા મળીને જર્મનીને હરાવશે. સમય આવ્યે એ જ પ્રમાણે ઊલટો ઘટનાક્રમ બન્યું. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર થશે એવી આગાહી પણ તેમણે કેટલાય વર્ષ પહેલાં કરી હતી. વેકર કાઉન્ટીના “મેસેન્જર અખબારના સંપાદકને તે મળ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ૮મી ઓગસ્ટને દિવસે એમેરિકા જાપાન પર આ મ્બ ફેકશે અને ૮૧મી ઓગસ્ટને દિવસે યુદ્ધવિરામની જાહેરાત થશે. તે દિવસોમાં ન તે એટમ બોમ્બની ક્યાંય કેઈ ચર્ચા કરતું હતું અને ન તો આ પ્રકારની યુદ્ધસંબંધી ખબર છાપી શકાતી હતી. તે પણ સંપાદકેએ સૂચના નેંધી લીધી. વાત અક્ષરશઃ સાચી પુરવાર થઈ. એક પત્રકાર, “વેરન રિમથને એન્ડરસને લેખિત સમાચાર આપ્યા હતા કે નીચે નેતા માટિન લ્યુથર કિંગનું ખૂન થશે અને ત્યાર પછી બીજા મોટા ની નેતાનું પણ ખૂન થશે. શ્રી કિંગ અને તેમના ભાઈને ખરેખર મારી નાંખવામાં આવ્યા. અમેરિકામાં અંદર ને અંદર છૂપી રીતે ચાલી રહેલાં ચીની કાવતરાંની સૂચના એન્ડરસને જ અમેરિકાની સરકારને આપી હતી. આ જ સૂચનાને આધારે સરકારે નિર્દેશક સુવરના અધ્યક્ષપણ નીચે એક તપાસ કમિટિ નીમી. તેમના તપાસ-રિપોર્ટમાં એ બધી બાબતેનાં પ્રમાણ મળ્યાં કે જેમને દિવ્યદષ્ટિને આધારે જણાવવામાં આવી હતી. ભારત સંબંધી તેમણે લખ્યું છે, “આ દરમિયાન ભારતવર્ષમાં એક નાના ગામમાં જન્મેલી એક વ્યક્તિને ધાર્મિક પ્રભાવ એકલા ભારતવર્ષમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ વધવા લાગશે. એ વ્યક્તિ ઈતિહાસને સર્વશ્રેષ્ઠ દેવદૂત બનશે. તેની પાસે પિતે એકલાએ Page #366 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૫૧ જ સંપન્ન કરેલી બધી સંગઠનશક્તિ હશે કે જેથી વિશ્વના કેઈ પણ રાષ્ટ્રની સરકાર પાસે પણ નહીં હોય. તે એક માનવીય બંધારણનું નિર્માણ કરશે કે જેમાં આખા સંસારની એક ભાષા, એકસથી રાજ્ય, એક સર્વોચ્ચ અદાલત અને એક ઝંડાની રૂપરેખા હશે. આ પ્રયત્નના પ્રભાવથી મનુષ્યમાં સંયમ, સદાચાર, ન્યાય, નીતિ, ત્યાગ અને ઉદારતાની સ્પર્ધા થશે. સન ૧૯૯૯ સુધીમાં આ આખા સંસારનું સ્વરૂપ બદલાઈ જશે અને પછી હજારો વર્ષો સુધી લેકે સુખશાંતિનું જીવન વ્યતીત કરશે. આજે સંસાર ધર્મ અને સંસ્કૃતિના જે સ્વરૂપની કલ્પના પણ નથી કરતે એ ધમને ઝડપથી વિસ્તાર થશે અને તે આખા સંસાર પર છવાઈ જશે.” (૯) ગેરાર્ડ કાઈસે હોલેન્ડના દિવ્યદશી ગેરાર્ડ ક્રાઈસેએ એકલા પોતાના દેશને જ નહીં પરંતુ આખા યુરોપને આશ્ચર્યચકિત કર્યું છે. વિજ્ઞાન પર વિશ્વાસ કરનારી આજની ભૌતિકવાદી દુનિયા હજી પણ એ સમજવા શક્તિમાન બની નથી કે મનુષ્ય અદીઠ અને અજાણું ભૂત તથા ભવિષ્યની વાતને કેવી રીતે જાણી શકે છે અને છતાં પણ જે ત સામે સ્પષ્ટ રહે છે એમને જૂઠાં પણ શી રીતે કરાવી શકાય? ગુમ થઈ ગયેલાં ડઝને બાળકના વાલીઓ લગભગ દરરોજ કાઈસને પૂછવા આવે છે અને સાચી સ્થિતિની ખબર મેળવીને સંતુષ્ટ ચિત્તે પાછા ફરે છે. અમેરિકાથી પાંચ હજાર માઈલ દૂરથી એક પ્રોફેસરે પિતાની ગુમ થયેલી છોકરીના સંબંધમાં પૂછયું. એના જવાબમાં ક્રાઈસેએ જણાવ્યું કે, “કરી સ્કૂલ જતી હતી ત્યારે અકસ્માતને ભેગ બની ગઈ. પોલીસે તેને બેભાન સ્થિતિમાં દવાખાને પહોંચાડી. આજે તેની હાલત સારી છે, ઘરને પત્તે તે સારી રીતે જાણે છે. એટલે આજે જ તેને દવાખાનાવાળા ઘેર પહોંચાડી જશે.” તે જ દિવસે આ ઘટનાક્રમ કહ્યા પ્રમાણે બની ગઈ. છોકરી મલમપટા સાથે દવાખાનાની ગાડીમાં છ દિવસ પછી ઘેર પહોંચી ગઈ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨] વિજ્ઞાન અને ધર્મ . કાસમે નિ સાઇનલ આગળની કતાં તે એક મહિલાએ પૂછયું: “મારા જીવનની કોઈ જૂની ઘટના આપ જણાવી શકે છે? કાઈએ કહ્યું: ‘જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે એક સાહેલીએ તને ધક્કો માર્યો તેથી તે પડી ગઈ અને ત્યાં પડેલી એક ખીલી તારા પેઢામાં ઘૂસી ગઈ. હજી પણ એ જગાએ પેલા ઘાનું નિશાન મોજૂદ છે. ૨૭ વર્ષ જૂની આ ઘટના તે વખતે કેઈને પણ માલુમ ન હતી. આ પ્રત્યક્ષ કથનથી એ મહિલા ચકિત થઈ ગઈ. એક માણસ પિતાના ખવાઈ ગયેલા છોકરા સંબંધી પૂછવા ગયે. ક્રાઈસેએ કહેવા માંડયું, “તે જંગલમાં સાયકલ પર ઝડપથી જઈ રહ્યો છે. એક બીજે સાઈકલ-સવાર તેને પીછો કરી રહ્યો છે.” એમ કહેતાં કહેતાં તે ચૂપ થઈ ગયા. આગળની વાત તેમણે ઘણી વાર સુધી જણાવી નહીં. પછી પિતાનું મૌન તેડતાં તે બોલ્યા, “હવે જણાવવાનું કશું બાકી રહેતું નથી. પીછો કરનારાઓએ છોકરાનું ખૂન કર્યું અને તેને ત્યાં જ દાટી દીધે.” દાટવાની જગાની પૂરી માહિતી કાઈસેએ આપી દીધી. એ માણસ પોલીસને લઈને એ જગ્યાએ પહેએ ત્યારે ખરેખર એ જ સ્થિતિમાં છોકરો મરાયેલ અને દટાયેલે મળી આવ્યું. પરામવિજ્ઞાની ડગ તન હેફે ગેરાર્ડની અતીન્દ્રિય શક્તિની પરીક્ષા લેવાને માટે એક સંમેલનમાં પડેલી ખુરશી તરફ ઇશારે કરીને પૂછ્યું, “આવતી કાલે આ ખુરશી પર કોણે બેસશે ? જવાબમાં કાઈસેએ એક અજાણી મહિલાનું નામ જણાવ્યું. ખરેખર બીજે દિવસે એ જ નામની કઈ મહિલા એ ખુરશી પર બેઠી. આવી ઘટનાએથી ગેરાર્ડ કોઈએ આખા યુરોપમાં ખ્યાતિ મેળવી. અતીન્દ્રિય ચેતના પર અવિશ્વાસ કરનારાઓને પડકાર ઝીલીને તેમને તેમણે વિશ્વાસુ બનાવ્યા. આ જ ગેરાર્ડ કાઈસેએ વિશ્વના બવિષ્ય પર પ્રકાશ પાડતાં હોલેન્ડના બુદ્ધિજીવી શિષ્ટમંડળની આગળ કહ્યું: Page #368 -------------------------------------------------------------------------- ________________ ભા વષ્યવાણી [૩૫૩ દશમાં “હું જોઈ રહ્યો છું પૂર્વના એક અતિપ્રાચીન દેશમાં એક મહાપુરુષનો જન્મ થયો છે. તે વિશ્વકલ્યાણની યેજનાઓ બનાવી રહ્યો છે. અસંખ્ય લેકો તેની પાછળ ચાલશે, એક એવા પ્રકાશનો ઉદય થશે કે જે વાતાવરણને પણ શુદ્ધ કરશે અને લેકોનાં અંતઃ કરણોને પણ.” વિજય થશે કે કેક તેના વિકલ્યાણની (૧૦) કેટલાંક પ્રમાણુસિદ્ધ અને વિશ્વાસપાત્ર ભવિષ્યદર્શનો સંત સૂરદાસ મહાત્મા સૂરદાસે કલિયુગની વચ્ચે ૧૯મી સદી પૂરી થતાં અને વિસમી શરૂ થતાં એક હજાર વર્ષને માટે કલિયુગમાં સતયુગની અંતઈશાને પ્રારંભકાળ છે એમ કહ્યું. તેમનું કથન છે – “અરે મન ધીરજ ક્યોં ન ધરે ! એક સહસ્ત્ર વર્ષ ન સૌ સે ઉપર અસા વેગ પરે ! સહસ વર્ષ લે સતયુગ વરતે, ધર્મકી બેલ બહે! સ્વર્ણકૂલ પૃથ્વી પર ફલે, જગકી દિશા ફિરે ? સૂરદાસ યહ હરિ કી લીલા હારે નહિ કરે !” યેગી અરવિન્દ ઘોષ યેગી અરવિન્દ ઘોષે ભવિષ્યવાણી કરી હતીઃ “નવો યુગ હવે બહુ દૂર નથી. હાલની મુશ્કેલીએ; પ્રભાત થતા પહેલાં રાત્રિને અંધકાર વધારે ગાઢ થવાની માફક છે. નવો સંસાર વસ્તુપ્રધાન નહીં હોય. એમાં એટલી બધી વસ્તુઓની જરૂર નહીં પડે કે જેટલીનો આજે અનુભવ થઈ રહ્યો છે. લેકે ગુજરાન પૂરતાં સાધનોથી સંતુષ્ટ રહીને પોતાનું ધ્યાન ભાવનાઓના સ્તરને ઊંચું ઉઠાવનારાં કાર્યો પર કેન્દ્રિત કરશે.” વિ. ધ. ૨૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ “મારા અંતઃકરણમાં દૈવી સ્ફુરણાએ હેલારા મારી રહી છે, અને કહી રહી છે કે ભારતના ઉદય ઘણા નજીક છે. કેટલાક લોકો તેને પશ્ચિમી સભ્યતાનું અનુયાયી મનાવવાના પ્રયત્ન કરશે પરંતુ મને વિશ્વાસ છે ભારતવર્ષમાં એક આંદાલન શરૂ થશે કે જે અહીંની સુરતાને નાશ કરીને ફરીથી ધર્માંને એક નવી દિશા આપશે અને આ દેશની પ્રતિષ્ઠાને, અહીંના ગૌરવને વધારશે. આ આંદોલન સંસારમાં ફરીથી સતયુગના જેવી સુખ-સૌમ્યતા લાવશે.” ૩૫૪] (૧૬) મેહુર બાબા ભારનના વિશ્વવિખ્યાત સત શ્રી. મેહુર ખાબાની ભવિષ્યવાણી હતી : માનવ જાતિ પર આજે જે સ'કટો છવાયેલાં છે, એ માનવસમાજના આધ્યામિક પુનર્જીવનની પ્રસવવેદનાની નિશાનીએ છે. આ દિવસોમાં આસુરી શક્તિએ પ્રબળ જણાય છે પરંતુ આગામી દિવસામાં દિવ્ય શક્તિના જ વિજય થશે. આ દિવ્ય શક્તિ આ દિવસેામાં ચૂપચાપ પોતાના કામમાં લાગેલી છે, તે જલદીથી જુદાં જુદાં પરિવત ના સાથે પ્રચડતાથી પ્રગટ થશે. (૧૩) ભૃગુ સંહિતાના જાણકાર અસીમાન દ ભૃગુ સ'હિતાના જાણીતા મજ્ઞ સ્વામી અસીમાનંદે લખ્યુ છે કે, “આગામી દિવસોમાં મનુષ્યજાતિ એક સૂત્રમાં બધાશે. ધની ભાવનાના ઊભરા દરેક વ્યક્તિમાં જોવામાં આવશે. વિશ્વમાં શાંતિની સ્થાપનાની નેતાગીરી ભારતવષ કરશે. ભારતમાંથી એક એવી ક્રાંતિ ઊઠશે કે જેના લપેટામાં આખા સસાર આવશે અને સંસારમાં નવા યુગ પ્રગટશે.' રાધાસ્વામી સંપ્રદાયના મુખ્ય ગુરુ શ્રી. સ્વામી બ્રહ્મશંકરે (હરજુજી મહારાજ) કહ્યું છે કે ‘નજીકના ભવિષ્યમાં જ આધ્યાત્મિકતાની લહેરો ઊભરાતી આવી રહી છે અને તે આપણી પૃથ્વી પર Page #370 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૫૫ અધિકાર જમાવશે. આ સમયે આપણે જે આપત્તિઓ અનુભવી રહ્યા છીએ એમાંની એક પણ બાકી નહીં રહે. સતયુગ જેવાં પ્રેમ, આનંદ અને કલ્યાણ સર્વત્ર વ્યાપેલાં જણાશે. આજની ગુપ્ત આધ્યાત્મિક શક્તિઓ જલદી પ્રગટ થશે અને પ્રકાશમાં આવશે.” દિવ્યદશી ડેનિયલ - શ્રી. ડેનિયલનું કથન છે “આગામી દિવસોમાં આખા વિશ્વનું શાસનસૂત્ર એક જગાએથી ચાલશે. માનવજાતિની એક ભાષા અને એક સંસ્કૃતિ હશે. શહેરની વસ્તી ઘટી જશે. લેકેને નાનાં ગામોમાં રહેવાનું વધારે સગવડભર્યું લાગશે.” શ્રી પિરા સેસલ્સનું કહેવું છે. “નવયુગને પ્રકાશ નવયુવકેથી શરૂ થશે. વૃદ્ધ લોકો સાથે તેમને ઝઘડવું પડશે. નવી પેઢી આવશે. આ બધું સન ૨૦૦૦ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.” યોગવેત્તા અહારી અમાયા મેકિસકના અહારી અમાયાએ સન ૧૯૭૦થી ૨૦૦૦ સુધીને સમય યુગ–પરિવર્તનને સંધિકાળ જણાવ્યું છે. “આ સમય દરમિયાન જુની દુનિયા તૂટી જશે અને નવા પ્રકાશની શરૂઆત થશે. આ દિવસોમાં સંસારમાં અનેક કષ્ટો, ઉપદ્ર અને સંઘર્ષો ખડાં થશે. છેવટે ઈશ્વરીય શક્તિઓ પ્રખર થશે અને દુનિયાને ભલાઈ તથા શાંતિના રસ પર ચાલવાને માટે લાચાર બનાવી દેશે.” જજ બાબેરી ઇજિપ્તની ગુપ્તવિદ્યાઓના પ્રખર પંડિત તથા તંત્રવિજ્ઞાનના ગહન અભ્યાસી જોર્જ બાબેરીએ કહ્યું છે, “ભારતમાં એક એવો આત્મા જન્મ લઈ ચૂક્યો છે કે જે નવા યુગનું વિધાન બનાવશે. અને સંસારને સુખ-શાંતિને માર્ગ બતાવશે. સ્વામી આનંદાચાય એક ભારતીય ગીને સમસ્ત સંસારમાં દિવ્યદર્શરૂપે અસાધારણ ખ્યાતિ મળી. તે સમસ્ત વિશ્વમાં ઘૂમ્યા અને દર્શનને પ્રચાર Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬] વિજ્ઞાન અને ધર્મ કર્યો. એની સાથે જ ગશક્તિને આધારે તેમણે એવી ભવિષ્યવાણીએ કરી કે જે સાચી પુરવાર થતાં તેમની અદ્ભુત શક્તિ આગળ અવિશ્વાસુ માણસોને પણ પિતાની હાર માનવી પડી. આ યોગીનું નામ હતું સ્વામી આનંદાચાર્ય. તે સન ૧૮૮૩માં બંગાળામાં જન્મ્યા. જન્મસમયનું તેમનું નામ હતું સુરેન્દ્રનાથ બરાલ. કલકત્તા વિશ્વ વિદ્યાલયમાંથી તે ભારતીય દશનશાસ્ત્રમાં એમ. એ. થયા અને ત્યાં જ લેકચરર તરીકે પણ રહ્યા. પાછળથી તેમણે એ નોકરી છોડી દીધી અને ગાભ્યાસમાં પ્રવૃત્ત થઈ ગયા. તેમણે પિતાનું કાર્યક્ષેત્ર ભારત સુધી જ મર્યાદિત ન રાખતાં સમસ્ત વિશ્વને પિતાનું ઘર માન્યું. તે નેવેમાં જઈને વસ્યા. ત્યાં તેમણે એગ તથા દર્શન પર ૨૯ ગ્રંથ લખ્યા અને અધ્યાત્મને પ્રચાર કરવા માટે સમસ્ત વિશ્વમાં ઘૂમ્યા. આ દરમિયાન તેમણે યોગશક્તિને બળે એવી ભવિષ્યવાણી કરી કે જે સમયની કસોટીએ સેએ સે ટકા સાચી પડી. તેમને પૂછતાછ કરવાને માટે વિશ્વશ્રેષ્ઠ માણસો આવવા લાગ્યા. સન ૧૯૧૦માં સ્વામીજીએ સંસારનાં બધાં મુખ્ય અખબારમાં પિતાની એવી ભવિષ્યવાણુ છપાવી હતી કે, “અત્યારથી ૪ વર્ષ પછી જુલાઈની આખર તારીખેમાં સામાન્ય કારણોને લીધે વિશ્વયુદ્ધ શરૂ થશે. તે ૧૯૧૮ના નવેમ્બર સુધી ચાલશે. એને પછી એક વિશ્વસંસ્થા બનશે, પરંતુ તેના નિર્ણયે ઘણું ઓછા દેશો સ્વીકારશે.” એ દિવસોમાં આ ભવિષ્યવાણી તે કરવામાં આવી પરંતુ એના પર કોઈને વિશ્વાસ બેઠે નહીં. પરંતુ સમયાનુસાર બધું સાચું પડ્યું. એસ્ટ્રિયાના યુવરાજને સીનિયાના કેઈ યુવકે ગોળી મારી દીધી. આટલી જ વાત પર વિશ્વયુદ્ધ શરૂ થયું. અને બરાબર એટલા જ દિવસ ચાલ્યું. રાષ્ટ્રસંઘ (લિગ એફ નેશન્સ)ની પણ સ્થાપના થઈ. બંને વાત સાચી પુરવાર થઈ. એટલું જ નહીં, તેમની બીજી કેટલીય રાજનૈતિક ભવિષ્યવાણીઓએ સંસારના શ્રેષ્ઠ લેકોનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું. Page #372 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૫૭ ઇંગ્લેન્ડના પત્રકારનું એક મંડળ સ્વામીજીને મળવા નાવે ગયું અને તેમને વિશ્વના ભવિષ્ય સંબંધી કેટલાય પ્રશ્નો પૂછ્યા. સ્વામીજીએ કહ્યું—‘હવે જલદીથી એક ખીજા વિશ્વયુદ્ધને માટે પણ તૈયાર રહેજો. આ વિશ્વયુદ્ધમાં જર્મની અને રશિયા એકખીજા સાથે લડશે. એગસ્ટ ૧૯૪૫માં સંસારમાં પહેલીવાર એક ભયંકર ધડાકા થશે. એમાં લાખા વ્યક્તિએ એક ક્ષણમાં માર્યાં જશે. ત્યારે કંઇક શાંતિ-સમજૂતિ થશે. ઇટાલીના મુસોલિની બળવાખારા દ્વારા માર્યાં જશે. આઇઝન હોવર અમેરિકાને અને ખ્રુશ્ચેવ રશિયાના શાસનાધ્યક્ષ મનશે. મનુષ્ય ચંદ્રમા પર સફળતાપૂર્વક પહેાંચી જશે. લંકા અને ભારત પર મહિલાએ રાજ્ય કરશે.” કેનેડી અને લ્યુથર કિંગની હત્યાઓની પણ તેમણે ઘણા સમય પહેલાં જાણકારી કરાવી હતી. તેમણે પોતાના સંબંધમાં એટલું જ કહ્યું—“મને ભારત સ્વતંત્ર થાય એ જોવાની ઇચ્છા છે. ત્યાર પછી હું શરીરનો ત્યાગ કરીશ.” બરાબર એ જ પ્રમાણે થયું, સ્વરાજય મળ્યા પછી થોડા જ સમય બાદ તેમના સ્વર્ગવાસ થઇ ગયે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય તથા નવયુગના આગમનના સંબંધમાં તેમની ભવિષ્યવાણીઓના સાર આ પ્રમાણે છે : ધર્મ ભારતમાં એક સંગઠિત સંસ્થા રૂપે વિકસશે. તેના જન્મ તા સ્વતંત્રતાની સાથે જ થઇ જશે; પરંતુ ૨૪ વષ પછી ૧૯૭૧માં તે એક શક્તિશાળી સંગઠન રૂપે આખા ભારતવષ માં પ્રકાશમાં આવશે. એક બાજુ વિશ્વમાં વ્યાપક ઊથલપાથલ થતી રહેશે અને એમાં ભારતીય રાજનીતિ મુખ્ય રીતે ક્રિયાશીલ થતી જણાશે. એ સંગઠન કે જે ધાર્મિક ઉદ્ધારના રૂપમાં પ્રગટ થશે તે આ દરમિયાન વિશ્વકલ્યાણના એક નવા નકશે। તૈયાર કરશે. આ સંગઠન-સંચાલક કોઈ ગૃહસ્થ વ્યક્તિ હશે અને અત્યાર સુધીના દુનિયાના સૌથી મોટા વિચારક તરીકે ખ્યાતિ મેળવશે. સંસારના બધા કરશે. એ દેશ ધાર્મિક દેશોનાં બાળકે ક્ષેત્રમાં જ નહીં ભારતવર્ષમાં જઈને ભણ્યા પરંતુ ભૌતિક ક્ષેત્રમાં પશુ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] વિજ્ઞાન અને ધર્મ વિશ્વની એવી રીતે નેતાગીરી કરશે કે જેવી રીતે તે મહાભારત પહેલાં કરી રહ્યો હતો.” ભારતમાં અત્યારે પણ એવા દિવ્યદર્શીએ મળી આવે છે કે જેઓ સૂક્ષમ જગતમાં ચાલી રહેલી હિલચાલને આધારે નિકટ ભવિષ્યની સંભાવનાઓને પ્રકટ કરી દે છે અને તેમનું કથન સાચું પણું હોય છે. જ્યારે સ્વર્ગવાસી નહેરુના મૃત્યુની, શ્રી. લાલબહાદુર શાસ્ત્રીના. વડાપ્રધાન બનવાની અને પાકિસ્તાનના કાશ્મીર પરના આક્રમણની કેઈ કલ્પના પણ કરતું ન હતું ત્યારે ઉપરોક્ત ત્રણે બાબતોની ભવિષ્યવાણી મહાત્મા વિશ્વરંજન બ્રહ્મચારીએ કરી હતી. તે સમયે આ કથનને સર્વ રીતે અવિશ્વાસપાત્ર અને બકવાદ માનવામાં આવ્યું હતું, પરંતુ સમય આવ્યે ત્રણે ઘટનાઓ સાચી પુરવાર થઈ. એ જ બ્રહ્મચારીજીએ નવયુગના આગમન સંબંધી સાર્વજનિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુંઃ “શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી થોડા જ સમય માટે વડાપ્રધાન રહેશે. તેમનું મૃત્યુ ભારતવર્ષની બહાર થશે. ત્યાર પછી એક મહિલા વડાપ્રધાન બનશે. આ દિવસોમાં વ્યાપક ઉતાર-ચઢાવ આવશે પરંતુ એ બધામાં નોંધપાત્ર ઘટના હશે–દેશમાં એક મહન આધ્યાત્મિક કાંતિ. આ કાંતિનું સંચાલન જે કે મધ્ય ભારતમાંથી થશે, તે તેને સંબંધ ભારતવર્ષના દરેક પ્રાંત સાથે હશે. ઉત્તર અને દક્ષિણ ભારતને એક સાંસ્કૃતિક સૂત્રમાં બાંધવાનું શ્રેય આ નવી ક્રાંતિના સંચાલક જ પ્રાપ્ત કરશે. થોડા જ દિવસમાં ભારત નવા આદર્શોની સ્થાપના કરશે કે જેમને આખી દુનિયાના લોકે માનશે. લેકે સ્વેચ્છાથી પિતાની બૂરાઈઓને છેડીને ઉત્તમતાના માર્ગ પર ચાલી નીકળશે. આગળ ઉપર હરીફાઈ રૂપિયા, પૈસા કે પદપ્રતિષ્ઠા માટે નહીં હોય, પરંતુ એ બાબતની હશે કે કયે મનુષ્ય કેટલે સત્ય. નિષ્ઠ, કેટલે ઈમાનદાર, અને કેટલે દાની તથા કેટલે સેવાભાવી.. પરિશ્રમી અને સાહસિક છે.” Page #374 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૫૯ કેટલાક સમય સુધી સંસારમાં રાજનૈતિક અને સામાજિક વિગ્રહ થતા રહેશે. પરંતુ સન ૨૦૦૦ની આસપાસ નવા સંસારનું માળખું એક ચેકસ સિકલમાં આવી જશે. આજની રાજનૈતિક, આર્થિક, સામાજિક અને નૈતિક પરિસ્થિતિઓમાં એવું પરિવર્તન થશે કે જેની આજે કલ્પના કરવાનું પણ મુશ્કેલ જણાશે. સમાનતા અને ન્યાયને આધારે સંસારભરના દેશોનું શાસન એક જ સ્થાનેથી કરવામાં આવશે. આ દિવસના પ્રચલિત ભેદભાવાનું ક્યાંય નામનિશાન પણ નહીં રહે. તે દિવસની બદલાયેલી પરિસ્થિતિઓમાં ઘડાઈને જે મનુષ્યનું નિર્માણ થશે તેઓ આજના કલ્પિત દેવતાઓ જેવા સુવિકસિત હશે. ત્યારે કોઈને સંપત્તિ એકઠી કરવાની જરૂર જણાશે નહીં, કારણ કે દરેક જગાએ મનુષ્ય પિતાનું ઘર અનુભવશે અને ત્યાં જ જરૂરી સગવડ પ્રાપ્ત કરશે. એ પરિસ્થિતિમાં કેઈને ન તે ભેજનની ચિંતા કરવી પડશે કે પરિવારની. મનુ કામ કરશે અને સગવડની જવાબદારી રાજ્ય ઉઠાવશે. આ રીતે સમસ્યાઓમાંથી છૂટેલે મનુષ્ય દૈવી જીવનના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.” પરિશિષ્ટ રિ] અવકાશજથી આત્મખેજ સુધી અમેરિકામાં પ્રગટ થતા “સેટરડે રિવ્યુ' નામના પાક્ષિકે તેના ફેબ્રુઆરી ૧૯૭૫ના અંકમાં “મન અને દિવ્યમન” વિષે ભારે રસપ્રદ ચર્ચા કરી છે. શ્રી જ્યોર્જ લિઓનાર્ડ નામના કેળવણશાસ્ત્રાએ તેમના લેખમાં વિજ્ઞાન અને કોમ્યુટર યંત્રની મર્યાદાઓને ઉલ્લેખ કર્યો છે. ડાં જ વર્ષ પહેલાં વિજ્ઞાનથી અંજાઈ ગયેલા ભવિષ્યવેત્તાઓએ ભવિષ્યવાણી ભાખી હતી કે ૧૯૮૦ને દાયકે કેપ્યુટરનો સુવર્ણ યુગને દરવાજો બતાવશે. હડસન ઈન્સિટટ્યુટના ડે. હરમન કાહને Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ વિજ્ઞાન અને ધર્મ ત્યારે કહ્યું હતું કે, થોડા જ વરસમાં ગૃહિણના કામને બે કેપ્યુટરે ઉકેલી આપશે. ૬૦ લાખ ડેલરને ખર્ચે તૈયાર થઈ રહેલે અમેરિકન યંત્રમાનવ, માનવને છક્ક કરી દે તેવાં કામ કરશે. શ્રી ર્જ લિઓનાર્ડ તેમના લેખમાં કહ્યું છે કે, શરૂમાં આવી છે દેનારી ભવિષ્યવાણીઓ પછી આપણે જોયું કે અત્યારે ૪ વર્ષનું બાળક જે પ્રકારે ગણિત સમજે છે તે કેપ્યુટર સમજતું નથી. અમેરિકાનું અવકાશ સંશોધન કેન્દ્ર જે “નાસા'ના ટૂંકા નામે ઓળખાય છે તેણે એક યંત્ર-માનવ દ્વારા સાઈકલ ચલાવવા પ્રયાગ કર્યો. શ્રી ર્જ લિયેનાઈ કહે છે, બાર વર્ષને બાળક જે સાઈકલ ચલાવી શકે તે રીતે ૬૦ લાખ ડોલરને ‘નાસાને યંત્ર-માનવ સાયક્લ ચલાવી શક્યો નહિ અને ભેંય ભેગો થયે! વિજ્ઞાન અને કેપ્યુટરની નિષ્ફળતાના આ દાખલા આપીને શ્રી જે લિયેનાર્ડ કહે છે કે, We frnd it easy to imagine supern man robots, cut now science is showig us that our own abilities are even more remarkable' આમ, માણસ યંત્રોને ભવ્યતા બક્ષવા મથે છે તે ભવ્યતા તેના પિતાનામાં જ છે, તેમ શ્રી લિયેનારું કહેવા માગે છે. દા. ત.. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ડો. બાબા સાકીટે કરેલા પ્રયોગ ઉપરથી માલુમ પડ્યું કે માનવની આંખ કઈ પણ વિજ્ઞાનનાં સાધનને ઉપગ કર્યા વગર પ્રકાશના ભિન્ન પાડેલા એક એકમને (કણને જોઈ શકે છે. માનવીમાં અદ્ભુત શક્તિઓ રહેલી છે તેમ કહેવાની સાથે શ્રી લિયેનાઈ કહે છે કે, આ તમામ દિવ્ય શક્તિઓ આપણે સર્જન અને ક્રાંતિ માટે વાપરી શકતા નથી. આપણા શરીરની અંદરની અને મગજની સૂતેલી શક્તિઓ નકામી પણ જતી હોય છે. કેટલીક શક્તિ વપરાયા પછીની જે સૂક્ષ્મ શક્તિ બાકી રહે છે તે વાપરવી કે ન વાપરવી તે આપણા હાથની વાત રહે છે. સેટરડે રિવ્યુ ના અંકમાં ૧૯૭૧ની સાલમાં એપલે ૧૪ નામના ચંદ્રયાનમાં ચંદ્ર ઉપર પગ મૂકી આવેલા અવકાશયાત્રી શ્રી Page #376 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૬ એડગર ડી. માયકલે પણ એક સ્વાનુભવના લેખ લખ્યા છે. ‘આઉટર સ્પેસ ટુ ઇન્ટર સ્પેસ' નામના લેખમાં તેમણે એક વિપ્લવકારી જાહેરાત કરી છે. તેમણે જે કહ્યું છે તેના સાર આમ છેઃ મારી અવકાશયાત્રા દરમિયાન મેં પૃથ્વી ઉપરના મારા ચાર સાથીદાર વિજ્ઞાનીઓને ટેલિપથી (માનસિક સંદેશા) દ્વારા મારા માનવ–મનની શક્તિ કેટલી છે તેના ખ્યાલ મને આ અખતરા દ્વારા થયા હતા. એ પ્રકારે મનેાવિજ્ઞાનના સશોધનમાં અવકાશયાત્રીએ શું કામ રસ લેવા જોઇએ તેમ મને પૂછવામાં આવે છે. મને અવકાશયાત્રામાં તો રસ હતા જ પણ હવે મને મારા અતરમનની અન્નુરના અવકાશની શોધ કરવામાં વધુ રસ છે, બાહ્ય અવકાશને તે ઢ ંઢોળી આવ્યા, જોકે મને જ્યારે ચદ્ર ઉપર મેાકલ્યા ત્યારે હું એક વ્યવઙારુ વિજ્ઞાની ઇજનેર તરીકે ગયા હતા. વિશ્વનાં રહસ્ય શોધવામાં જે વિજ્ઞાનના હેતુએ હતા, તેને અનુલક્ષીને મે ૨૫ વર્ષી અવકાશ વિજ્ઞાનને લગતા અભ્યાસ કર્યો ખરા, પણ એપાલા-૧૪ના અનુભવ વખતે મને થયું કે, વિજ્ઞાન અને ટેકનોલેજીની કેટલીક મર્યાદ એ છે. વિજ્ઞાનની આ મર્યાદાના ભાસ તે યાત્રાના પ્રારભમાં જ થયા. પૃથ્વી જેવા ગ્રહને વિશાળ અવકાશમાં મૈં તરતા જોયા. વાદળી અને શ્વેત ર*ગને! આ પાસાદાર હીરા જેવા સુંદર ઘાટ જોયા ત્યારે હું કુદરત ઉપર આફરીન થઇ ગયેા. એ સમયે હું થાડે! ધર્મિષ્ઠ બન્યા અને જાડ઼ે હું ઉન્મત્ત આધ્યાત્મિક અવસ્થામાં ગરકાવ થઇ ગયેા. તે સમયે દિવ્ય શક્તિનું અસ્તિત્વ મને જણાવા લાગ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે, આ વિશ્વમાં માનવના જન્મ અકસ્માત નથી. મને સ્પષ્ટ રીતે ભાસ થયા કે, આ વિશ્ર્વની રચનાને કેાઈ હેતુ છે, કોઈ સ્પષ્ટ ક્રિશા છે, આ દશ્યમાન થયેલા સર્જનની પાછળ કોઈ અદૃશ્યમાન શક્તિના હાથ છે. આ બધી સુંદરતા હું જોતા હતા ત્યારે જ મને યાદ આવ્યું કે પૃથ્વી ઉપરના માનવબધુ પત્ની, જરઝવેરાત, જમીન અને મિલકત માટે ઝઘડા કરે છે, યુધ્ધે ચઢે છે, એક બીજાને છેતરે છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] વિજ્ઞાન અને ધર્મ હવા અને પાણીને હેષિત કરે છે. સત્તાની સાઠમારી ચાલે છે. વિજ્ઞાને જે ખૂબ પ્રગતિ કરી હોય તો ભૂખ-તરસની અને આ બધી સામાજિક ઝઘડાની સમસ્યા કેમ વિજ્ઞાને ઉકેલી નથી. માનવી સ્વાથી બન્યું છે, તે માનવીને તેની સંકુચિતતામાંથી વિજ્ઞાન કેમ છોડાવી શકતું નથી.....આ બધી સમસ્યાને ઉકેલવા કઈ શક્તિ કામ લાગે. ત્યારે મને લાગ્યું કે, વિજ્ઞાન આમાં કાંઈ ન કરી શકે.” I see only one answea: a transformation of consciousness, man Must rise from his present egocentered consciousess of find universal harmony starting within himself..." આમ ચંદ્રયાત્રીને પણ લાગ્યું છે કે, કોઈ પણ સમસ્યાને ઉકેલ બાહ્ય સંયેગો ઉપર નહિ પણ આંતર શક્તિની ખેજ દ્વારા થાય છે. માનવે તેના આંતર–મનને ઢઢળવું જોઈએ, તેના અહમને ત્યાગીને બહાર આવવું જોઈએ. જો આમ થશે તે જ માનવીની સમસ્યાઓ ઉકેલાશે. વિજ્ઞાને બક્ષેલી સમસ્યા નહિ ઊકલે. પરિશિષ્ટ [૩] વિજ્ઞાને સજેલી ભૂતાવળ ઔદ્યોગિક યુગના આરંભકાળમાં જ અનેક ચિતએ પશ્ચિમને એ ચીમકી આપી હતી કે વિજ્ઞાન અને ટેકનોલેજી પશ્ચિમની સંસકૃ તિને દિશાહીન બનાવી દેશે. હેનરી ડેવીડ ઘરે આવી આર્ષવાણું ઊચ્ચારનારાઓમાં અગ્રગણ્ય હતા. તેઓએ જણાવ્યું હતું કે, “તમે વિચારે છે કે તમે સુખેથી ટ્રેનની સવારી માણી રહ્યા છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે, ટ્રેન તમારી ઉપર સવારી કરી રહી છે” વિજ્ઞાન અને ટેકનોલેજી આજે પિતાની સીમાઓ અતિકમી ગયાં છે. અને તેમણે એવી એવી ભૂતાવળ સઈ છે કે જેને સંહાર કરવાનું સામર્થ્ય તેમની પાસે રહ્યું નથી. આ ભૂતાવળ એટલે બળ Page #378 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણું તણની વિશ્વવ્યાપી કટોકટી, પ્રદૂષણની ભયાનક સમસ્યા અને આર્થિક અવદશા તથા અવ્યવસ્થા. આપણા યુગમાં આ બધી ભૂતાવળ સર્જાઈ છે. તેનાં મૂળ મધ્યકાલીન યુગમાં પડેલાં છે. તે સમયે યુરોપની વિચારપરંપરાએ વળાંક લીધે અને વિજ્ઞાન તથા ટેકનોલેજીના ક્ષેત્રે નવી દિશાઓ ખૂલવાની સાથે માત્ર ભૌતિક અને વસ્તુગત જગતનાં સત્ય શોધવાનું શરૂ કર્યું. પરંતુ માનવી માત્ર ભૌતિક અને પદાર્થ જગતનાં સોથી જીવી શો નથી. એને તે આધ્યાત્મિક સત્ય અને એ પામવાની વિદ્યાઓની પણ જરૂર રહે છે. આ આધ્યાત્મિક વિઘાઓ એશિયાની સંસ્કૃતિમાં અતિ વિકસિત છે. વિજ્ઞાન અને ટેકનોલેજીની હરણફાળ પછી પશ્ચિમને પણ પ્રતીતિ થઈ કે તેના વિકાસમાં ઊણપ અને અધૂરપ રહી ગઈ છે. આ પ્રતીતિ થયા પછી પશ્ચિમની આજની પેઢીએ એશિયાના ધર્મો અને આધ્યાત્મિક પરંપરાની બેજ કરવા માંડી છે, પરંતુ એશિયાના કેટલાય દેશે દ્રાવિડી પ્રાણાયામ કરી રહ્યા છે; પણ તે માર્ગે જવાથી અંતિમ પ્રશ્નોનું સમાધાન મળવાનું નથી. એશિયાની પરંપરાએ માનવીને પ્રકૃતિ સાથે સંવાદી જીવન ગાળવાનું શીખવ્યું છે. માનવી અને માનવી વચ્ચેના નહીં, માનવી અને પ્રાણીજગત તથા માનવી અને અન્ય મહાભૂતે વચ્ચેના સંબંધને પણ એશિયાઈ પરંપરાએ સુશવાદી ક૯યા છે. આમ પશુ, પંખી, પહાડ, નદી, વૃક્ષે અને સવારે સૌ સાથે માનવીએ સંવાદ સ્થાપીને જ જીવનને ભર્યું ભર્યું કે પૂર્ણ બનાવવાનું છે. પરંતુ આજે સંવાદને સેતુ તૂટી રહ્યો છે. જ્યારે માનવીમાં એ પ્રતીતિ નથી રહેતી કે પૃથ્વી તેની માતા છે ત્યારે પૃથ્વી પણ પિષણ આપવાનું કદાચ છોડી દે તેવી પૂરી સંભાવના છે. સાંપ્રત પરિસ્થિતિમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સુસંવાદ સ્થાપવાની જરૂર છે. આ સંવાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી કે વિજ્ઞાનના વિભ્રમથી નહીં સ્થાપી શકાય, એશિયાની જીવનદષ્ટિને એ વિલક્ષણતા રહી છે કે તે. Page #379 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને ધર્મ સમગ્ર માનવને લક્ષમાં લે છે. અન્ય વૈજ્ઞાનિક સત્યે સમગ્ર માનવને લક્ષમાં લેતા નથી અને માનવીની આંતરિક જરૂરિયાતને પણ લક્ષમાં લેતા નથી. વૈજ્ઞાનિક સત્યથી જ સુખ-શાંતિ નહીં આવે અને આજના વિકરાળ પ્રશ્નોનું સમાધાન નહીં જડે તે મત પશ્ચિમના વિજ્ઞાનીએમાં પણ બંધાઈ રહ્યો છે. પશ્ચિમના વિજ્ઞાનીઓ હવે વિજ્ઞાનની દેણે વિષે સાશંક બની ગયા છે. અને વિજ્ઞાન પરની શ્રદ્ધા તેમનામાં ઘટી રહી છે. સૌ જાણે છે કે જે ખનિજ તેલના સર્જનમાં ચાલીસ કરોડ વર્ષો વીતી ગયાં તેને પશ્ચિમના માનવીએ ઉદ્યોગીકરણને નામે માત્ર ચારસો વર્ષમાં જ વ્યર્થ બનાવી દીધું. ઉદ્યોગીકરણને નામે પશ્ચિમે એ વાયુમંડળ જ દૂષિત કરી નાખ્યું. જેમાંથી એ શ્વસન કરતું હતું. ગની પરંપરામાં વાયુમંડળના પ્રદૂષણ સામે રક્ષણ મળે છે અને એશિયાની સંસ્કૃતિની આ જ વિશેષતા છે કે તે શક્તિને વેડફી દેવાનું નથી શીખવતું પણ તેને સંગ્રહીત કરવાનું શીખવે છે. પશ્ચિમની અવદશાનું મૂળ તેની વિચારપ્રણાલીમાં કે વિચારરીતિમાં પડેલું છે, તે જ્ઞાનને વિખંડિત કરીને જુએ છે. આજે આપણી પાસે ભૌતિકશાસ્ત્ર છે, અને નવું પણ ભૌતિકશાસ્ત્ર છે. જીવવિજ્ઞાન અને નવું જીવવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્ર અને નવું રસાયણશાસ્ત્ર પણ છે. આ બધા ખંડવિખંડ છે. એશિયાઈ વિચારરીતિ સમગ્રને જુએ છે અને સુસંકલિત જીવનદષ્ટિ આપે છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે સમગ્ર જ્ઞાન વેદમાં, કુરાનમાં કે અવેસ્તામાં પડેલું છે ત્યારે તત્વતઃ તે માનવ દ્વારા ઉપાજિત જ્ઞાનને સંકલિત કરવા પ્રયાસ જ બેલતા હોય છે. આજને આપણે યુગધર્મ એ છે કે વિજ્ઞાન અને ટેફનોલેજીનાં નૈતિક પાસાંઓનું મૂલ્યાંકન કરતું આજનું પશ્ચિમનું નીતિશાસ્ત્ર ગૂંચવાયેલું છે. દરેક વધુ ને વધુ સમૃદ્ધ થવા ઝંખે છે અને ઓછામાં ઓછું કામ કરવા માગે છે, પરંતુ એશિયાના કહો કે બિનઔદ્યોગિક દેશના આ લેકનું નૈતિક વલણ પૂરેપૂરું પશ્ચિમના વાદે બદલાયેલું Page #380 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૬૫ નથી. પશ્ચિમની કઈ વ્યક્તિ કહેશે કે ઘડિયાળના કાંટા પાછા ફરી શકતા નથી, પરંતુ પ્રશ્ન એ છે કે કઈવાર તેમ ન કરવામાં આવે તે કાંટા સાવ થંભી જાય છે. # પરિશિષ્ટ [૪] સમસ્ત માનવજાતિને પ્રશ્નઃ વળાંક લઈ શકશે? હવે દુનિયા એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. વિશ્વપરિષદ, ૧૯૪૭માં ત્રણ વિશ્વપરિષદો મળી. વસતીનો પ્રશ્ન બુખારેસ્ટમાં ઓગસ્ટ મહિનામાં ચર્ચા. ખેરાકને પ્રશ્ન ત્રણ મહિના પછી રેમમાં ચર્ચાયે. અને તે બંનેની પહેલાં વેનેઝુએલાના કાકાસમાં સમુદ્રોની ચર્ચા થઈ. આ પરિષદમાં રાજદ્વારી પ્રતિનિધિઓ ઉપરાંત ટેકનિકલ નિષ્ણાતોએ ભાગ લીધે. સમુદ્રોની પરિષદમાં દેઢસો દેશોના પાંચ હજાર પ્રતિનિધિઓ દસ અઠવાડિડ્યાં સુધી મળ્યા. એમાં જે દસ્તાવેજો રજૂ થયા તેની યાદી પણ એકસો સાઠ પાનાંના થઈ. ભાષણે, ટેકનિકલ હવાલે અને બીજી માહિતીનાં અઢી લાખ પાનાં દરરોજ તૈયાર થતાં. ચીની લિપિની મુશ્કેલી હોવાથી હાથે નક્કે થતી. એનું શું પરિણામ આવ્યું? તે કહે વાટાઘાટોની શરૂઆત પણ થઈ નથી, દરેક પ્રતિનિધિ પિતાને કક્કો ફરી ફરી ઘૂંટતો જાય છે. છેવટે જે નક્કી થયું તે એટલું કે પરિષદ ફરી બેલાવવી. વિશ્વપરિષદમાં જેમ જેમ દેશની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ રાજકીય ને સાંસ્કૃતિક મતભેદો વધતા જાય છે. પરિણામ આવશે એવી આશા પડતી નથી. દેશદેશનાં રાષ્ટ્રિય હિતની રક્ષા માટે પવિત્ર સિદ્ધાંત જોરશોરથી ખડકાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૬] વિજ્ઞાન અને ધર્મ એક સમયે એવી આશા ઉગેલી કે રાષ્ટ્રસંઘમાંથી વિશ્વરાજ્યની સ્થાપના થઈ શકશે અને એના કાયદા આખા વિશ્વમાં ચાલશે. ૧૯૭૪માં આ સ્વપ્ન ખંડિત થયું. બહુમતીના જોરે ઈઝરાયેલ અને દક્ષિણ આફ્રિકા એ બે દેશોને રાષ્ટ્રસંઘમાંથી હાંકી કાઢવામાં આવ્યાં અને બીજી તરફ અત્યંત જુલમી શાસન કરનારા યુગાન્ડા વિષે કશી ચિંતા થઈ નહિ. પછી જ્યાં લાખ માણસને રાજદ્વારી કારણ માટે જેલમાં પૂરી રાખે કે મેતના ઘાટ ઉતારે તેવા રશિયા સામે કેઈ શું કહી શકે? “સેટરડે રિવ્યુ” અને “વર્ડ'ના તંત્રી શ્રી નેમિન કઝીન્સ કહે છે કે, “આજે દેઢસો દેશ પિતાનું ધાર્યું કરતા રહે છે, કોઈ મધ્યવતી સરકાર નથી, જેનું પાલન થઈ શકે એવા કાયદા નથી, પિલીસ નથી, અને પરસ્પરને વ્યવહાર સંભાળવા કેઈ વ્યવસ્થા નથી. કસના પ્રમુખ માને છે. વિશ્વ દુઃખી બન્યું છે કેમ કે એ કયાં જઈ રહ્યું છે તેનું ભાન નથી. એ આક્ત તરફ જ વધી રહ્યું છે. રાજકીય વિજ્ઞાની શ્રી મેગે - સાફ જણાવે છે કે, વિશ્વ સરકાર વિના આંતરરાષ્ટ્રીય શાંતિ સંભવી ન શકે, અને હાલની નૈતિક, સામાજિક કે રાજકીય પરિસ્થિતિ જોતાં વિશ્વશાસન થઈ ન શકે. –ડો. સૈયદ હુસેન નસ ઈરાનના સુપ્રસિદ્ધ ચિંતક અને વૈજ્ઞાનિક પરિશિષ્ટ [૫] ત્રીજુ વિશ્વયુદ્ધ તે પૂરું થયું, હવે ચોથા વિશ્વયુદ્ધમાં હારવું ન જોઈએ... નબેલ પારિતોષક વિજેતા શ્રી. એલેક્ઝાન્ડર સોલ્જનિન્સીનને રશિયાએ એક વરસ પહેલાં દેશનિકાલ કર્યા ત્યારે આખા જગતે તેનું નામ જાણ્યું હતું. અત્યારે સોલ્વેનિન્જીન છેડા ચેડા ભુલાઈ ગયા છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૬૭ તેઓ સ્વિલ્ઝરલેન્ડમાં અત્યારે રહે છે. તેમણે ત્યાં બેઠાં આંતરરાષ્ટ્રીય રાજકારણનું જે પૃથક્કરણ કર્યું છે તે માટે ભારતના ઘણું લેકને વિચારમાં પાડી દે તેવું છે. - જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે સૌને એક પ્રશ્ન મૂંઝવતું હતું. હવે પાછું ત્રીજુ વિશ્વયુદ્ધ થશે ખરું? આવું અણુસંહારવાળું યુદ્ધ રોકવા માટે આપણે કેટકેટલાં બલિદાન આપવા પડશે? એવે પ્રશ્ન પણ ઘણા વિચારવંતને થતું હતું. શ્રી સેઝેનિન્સીનને આ પ્રશ્નને ભડકાવે તેવે ઉત્તર આપે છે. શ્રી. સેઝેનિન્સીન કહે છે કે ત્રીજુ વિશ્વયુદ્ધ તે ક્યારનું પતી જવા આવ્યું છે. હવે ત્રીજુ વિશ્વયુદ્ધ એ લગભગ ભૂતકાળની વાત બની ગઈ છે. આ વર્ષે જ ત્રીજી લડાઈની પૂર્ણાહુતિ થઈ હતી. અરે આ મુક્ત જગતે તે યુદ્ધમાં હાર ખાધી છે. બીજા શબ્દોમાં કહીએ તે પૂર્ણ સ્વાતંત્ર્યમાં માનનારા જગતના તમામ લેકેને પૂરા થયેલા ત્રીજા વિશ્વયુદ્ધમાં કરુણ પરાભવ થયે છે અને તે વાતને અમુક મુક્તિના ચાહકોને ખ્યાલ પણ આવ્યો નથી. ત્રીજુ વિશ્વયુદ્ધ આવશે એવી વાત કરનારાને ખબર નહોતી કે એ તે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી તરત શરૂ થઈ ગયું હતું. ૧૯૪પના વરસની સવારથી જ યાલ્ટા ખાતે તે શરૂ થયું હતું. ઈતિહાસ વાંચનારને ખબર હશે કે યાટા ખાતે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલે શાંતિના કરાર કરવાની સાથે રશિયાને ઘણું કલેશને આપ્યાં હતાં. ઈસ્ટોનિયા, લેટવિયા, લિથુઆનિયા, મેલડાવિયા અને મેંગેલિયા જેવા પ્રદેશ અને લાખે રશિયન નાગરિકને કૂરપણે રશિયાને તલ અને લેબર કેમ્પ માટે સેંપી દેવાયા હતા. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય લાચારી ભેગવતા સંયુક્ત રાષ્ટ્રસંઘને જન્મ થયો હતે. એની સાથે યુગોસ્લાવિયા, આબાનિયા, પિલાન્ડ, બલગેરિયા, રૂમાનિયા, ચેલેકિયા, હંગેરી અને પૂર્વ જર્મની જેવા દેશને મુક્ત જગતની પંગતમાંથી છોડાવીને તે બધા દેશોને ૧૯૪૫-૪૬માં હિંસાની પકડમાં લઈ લીધા હતા. Page #383 -------------------------------------------------------------------------- ________________ કશાહી એ હતું કે લોકોના આ શારડી અથ આવતું હતું, ૩૬૮] વિજ્ઞાન અને ધર્મ એક નવાઈની વાત એ હતી કે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ આ ત્રીજું યુદ્ધ ખતરનાક હતું. તેની કેઈને ખબર પણ ન પડી. નવાઈ એટલા માટે કે હુમલો કરનારા દેશે બીજા દેશ સાથે રાજકીય સંબંધે તેડ્યા વગર કે હજારો લડાયક વિમાનના હુમલા વગર એક લુચ્ચા વરુની માફક પાછલે બારણેથી છાપ મારવા માંડ્યો હતે. જગતના સુંવાળા શરીર ઉપર આ ત્રીજા વિશ્વયુદ્ધની શારડી અદ્રશ્ય રીતે ચાલતી હતી અને કહેવાનું હતું કે લોકોના સંપૂર્ણ સહકાર સાથે અને ૨૦૦ ટકા “લેકશાહી ઢબે અમુક દેશમાં રાજકીય પરિવર્તન આવતું હતું, “કેલ્ડર” (ઠંડું યુદ્ધ) “પીસ કુલ કે-એકઝીસ્ટન્સ (શાંતિમય સહઅસ્તિત્વ) અને ડેટાન્ટ” (Datente) (સુંવાળા સંબંધને નામે મુક્ત વિશ્વને ભરડે લેવાતે ગયે. ગમે તે ભેગે ત્રીજુ વિશ્વયુદ્ધ ટાળવાની તલપમાં પશ્ચિમના દેશોએ તે હકીક્તમાં મુક્ત વિશ્વને રગદોળાવા દીધું અને સંખ્યાબંધ દેશે એક અવર્ણનીય ગુલામીની દશામાં આવી પડ્યા. આપણે જ્યારે ૩૦ વષન પાછલા ઈતિહાસને પાછું વાળીને જોઈએ છીએ તે લાગે છે કે ઘણું રાષ્ટ્ર ચૂં કે ચાં કર્યા વગર નરમ પેંશ બનીને પરાજિત થઈ ચૂક્યાં છે. અમેરિકા, ક્રાંસ અને બ્રિટન જેવા પશ્ચિમના દેશે; જે આગલાં બે વિશ્વયુદ્ધમાં વિજેતા બનીને મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ આવ્યાં હતાં તેઓએ ત્રીજા વિશ્વયુદ્ધમાં એક પછી એક મિત્રે ગુમાવ્યા અને દુશ્મન દેશને ઉત્તરોત્તર ઘણું દેશ જાણે આખા ને આખા ભેટ ધરી દીધા. ચીન જે દેશ, જે બીજા વિશ્વયુદ્ધમાં પશ્ચિમને મિત્ર દેશ હતા તે ગયે. ઉત્તર કોરિયા, કયુબા, ઉત્તર વિયેટનામ, (અને હવે દક્ષિણ વિયેટનામ પણ) કંબોડિયા અને લાઓસ તે હાથથી ગયાં છે. અને હવે કદાચ, થાઈલેન્ડ, દક્ષિણ કેરિયા અને ઈઝરાયલને વારો છે. પિટુગલ એવી જ ડાબેરી અંધાધૂધીમાં પડ્યો છે. ફીનલેન્ડ અને એસ્ટ્રિયા પેલાં ઘેટાંઓની માફક પિતાની કતલ થવાની જાણે રાહ જતાં હેય તેમ ઊભાં છે. કારણ કે રક્ષણ માટે તેમની પાસે સાધન Page #384 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણું [૩૬૯ નથી. કેઈ પક્ષ તરફથી સહાયની આશા નથી. આફ્રિકાના ઘણા નાના દેશે તેમ જ અમુક આરબ દેશે તે સામ્યવાદનાં બચ્ચાં હોય તેમ માને ધાવવા તલપાપડ હોય તેવાં દેખાય છે. બીજા કેટલાક દેશોને તમે આ પ્રકારની ધાવવાની તાલાવેલી દેખાડતાં જોવા માગે છે? આ પ્રશ્ન કરીને શ્રી. સેલ્જીનિન્સીન તરત આપણું ધ્યાન સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફ દોરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અત્યારે શું કરે છે? કદાચ કહીએ કે તે નિષ્ફળ નથી ગયું. પણ જગતમાં કનિષમાં કનિષ્ઠ લેકશાહીને દાખલો પૂરો પાડતે આ સંઘ બળવાન અને બેજવાબદાર રાષ્ટ્રના હાથા જેવો બની ગયું છે. રાષ્ટ્રસંઘ એક એ તખ્ત બની ગયે છે, જ્યાં મુક્તિની હાંસી ઊડે છે. પશ્ચિમનાં રાષ્ટ્રની ઠેકડી ઊડે છે. અને મહાન રાષ્ટ્ર તરીકે ગણતા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના ગઢના કાંગરા ખરતા હોય તેવાં દૃશ્ય સર્જાય છે. હવે જ્યારે લાખે લોકોની કતલ પછી અને હજારો લોકોને ગુલામેની છાવણીમાં ધકેલ્યા પછી જગતના લાંબામાં લાંબા યુદ્ધ વિયેતનામના યુદ્ધને અંત આવ્યો છે, ત્યારે આપણે ૩૦ વર્ષને ઈતિહાસ જોઈશું તે માલૂમ પડશે કે પશ્ચિમના દેશે તેમની મજબૂત સ્થિતિ જાળવી જ શક્યા નથી. તેમના પગ નીચેથી રેતી સરતી જ ગઈ છે. આશ્વાસન માટે આપણે ત્રણેક દાખલા લઈએ. ૧૯૪૭માં વિયેતનામ, ઈ. સ. ૧૯૪૮માં પશ્ચિમ બર્લિન અને ૧૯૫૦માં દક્ષિણ કેરિયા. માનો કે આ ત્રણેય દેશે કે પ્રદેશના કિસ્સામાં પશ્ચિમના દેશેએ રશિયાને ભૂ પાયું હતું ત્યારે આશા જન્મી હતી કે, ત્રીજા વિશ્વયુદ્ધમાં જીત થશે. પણ ફરીથી આ ત્રણેય દેશોનાં નામ લઈ જુઓ. આ ત્રણ દેશમાંથી કોની તાકાત છે કે તે ગુલામીની તરાપ સામે સામને કરી શકે? જે આ ત્રણેય પ્રદેશ ઉપર આક્રમણ થાય તે તેનું કેણ રક્ષણ કરી શકશે? કઈ સેનેટ કે કયું પ્રધાનમંડળ તે દેશની મદદ માટે લશ્કર કે યુદ્ધસામગ્રી મોકલશે? આ ત્રણે દેશની વિ. ધ. ૨૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ 0] વિજ્ઞાન અને ધર્મ સલામતી કે આઝાદીને બદલે કદાચ અમેરિકના પેાતાના મનની શાંતિને વધુ પ્રિય ગણશે. અત્યારે જગતના તમામ લોકોના મનમાં અંગત સલામતી અને મનની શાંતિ મહત્ત્વની ચીજ બની ગઈ છે! જ્યારે ઈઝરાયલ બહાદુરીપૂર્વક આક્રમણને સામનેા કરતું હતું ત્યારે યુરે।પના દેશે! એક પછી એક પેટ્રોલ અચાવવા અને કટોકટી પાર કરવા રવિવારના મોટર ડ્રાઇવિંગને બંધ કરવામાં લાગી ગયા હતા. મજબૂત પહેલવાન હજી કુસ્તી માટે હાથ લખાવે તે પહેલાં જાણે ચુરાપનાં રાષ્ટ્રો ચકિત થઈ ગયાં હતાં! જો આવી જ સલામતી અને અંગત શાંતિની મનેાદશા રહેશે તે છેલ્લા ત્રણ દાયકામાં જે ‘ઉજ્જવળ સહઅસ્તિત્વ” જોવામાં આવ્યુ હતુ. તેમાં સહઅસ્તિત્વ જેવું કઈ નહિ રહે, પણ અમુક દાદાગીરીનું અસ્તિત્વ રહેશે અને પશ્ચિમના દેશે!નું નામનિશાન આ પૃથ્વી ઉપર નહિ રહે. บ પશ્ચિમના બહુ આખા પ્રદેશ ઉપર ત્રીજુ વિશ્વયુદ્ધ ત્રાટકયુ છે. આ આખા પ્રદેશ શું છે તે બુદ્ધિશાળી માણુસ અહીં સમજી લે. પશ્ચિમના દેશે! સમૃદ્ધિ વિસ્તારવા માંગે છે. જ્યારે માનવી ગમે તે ભાગે અને ગમે તેટલી છૂટછાટ આપીને અંગત સમૃદ્ધિ વધારવા માગતા હાય ત્યારે તેના ચારિત્ર્યને હાસ થાય છે, અત્યારે પશ્ચિમના ચારિત્ર્યનું આ એક આગવું લક્ષણ છે. જાણે ગુલામી ભાગવાને પણ અંગત સમૃદ્ધિ વધારવાની સ્પર્ધા જાગી છે. એટલે જ રશિયા સાથે કેાઈ કરાર થાય એટલે અમેરિકા ગેલમાં આવી જાય છે. કેવા ઘાતક ભ્રમ! રશિયાને ઉપયાગી ન હેાય તેવા કરાર તે રાતેારાત ફગાવી દઈ શકે છે. તે વાતના પણ અમેરિકાને ખ્યાલ નથી. પૂર્વના ગુલામી અંધુઓની ગુલામીને મંજૂરીની મહેાર મારવાની ધૃષ્ટતા પણ પશ્ચિમનાં રાષ્ટ્રા કરી રહ્યાં છે. એમને કદાચ ખ્યાલ છે કે આમ કરીને તેએ શાંતિને આગળ વધારી રહ્યા છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૭૧ પેઝનાનથી કેન્ટાન સુધીના તમામ પૂર્વના દેશેાના એક સરેરાશ માનવીને ચે ચેાખ્ખું દેખાય તેવું ચિત્ર ઉપર આપ્યું છે. તેમાં કોઈ અતિશયક્તિ નથી. છેલ્લાં ૬૦ વર્ષથી વિશ્વના એક જ કેન્દ્રથી આ પ્રકારની ગુલામી માટેની જોહુકમી ઊઠે છે અને પછી દેશેને ગુલામ બનાવાતા જાય છે. હવે મલયેશિયા, ઇન્ડોનેશિયા, ફાર્માંસા કે ફિલિપાઇન્સને કદાચ પશ્ચિમના દેશો ઉપર બહુ મદાર ન રહે તે સ્વાભાવિક છે. કારણ કે, ઘણાંને પ્રતીત થઇ ગયું છે કે ત્રીજું' વિશ્વયુદ્ધ કેમ દૂર ઠેલવું તે પ્રશ્ન હવે રહ્યો નથી. હવે તે તેવા પ્રશ્ન કરવામાં મોડું થઇ ચૂકયું છે. હવે તેા ચેાથા વિશ્વયુદ્ધને અટકાવવા માટેની કિંમતની જરૂર છે. હવે એ યુદ્ધમાં ઘૂંટણીએ પડીને તાબે થઈ શકાય તેમ નથી. પરિશિષ્ટ [૬] વનસ્પતિનું રહસ્યમય જીવન [ઓગસ્ટ-૭૬ના પ્રમુદ્દે જીવનામાંથી સાભાર] [જૈન દર્શન પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ બધાં સજીવ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરને આ દઈન થયું ત્યારે, અત્યારે છે તેવાં વિજ્ઞાનનાં સાધના ન હતાં. આવું અદ્ભુત દન આત્મજ્ઞાન અને અંતરષ્ટિનું પરિણામ માનવું જોઈએ. વિજ્ઞાન હવે આ હકીકત સ્વીકારે છે. વનસ્પતિ સજીવ છે તે શ્રી જગદીશચંદ્ર બેઝે પ્રથમ પૂરવાર કર્યું. ત્યાર પછી વનસ્પતિ સંબંધે ઘણા પ્રયાગે થયા છે. આ બાબતમાં આ લેખ ધણી રસપ્રદ હકીકતા પૂરી પાડે છે. જૈન દનનું જીવશાસ્ત્ર-ખાયલાજી-અતિ ગહન છે. કોઈ પ્રખર વૈજ્ઞાનિક ખાયેલેજિસ્ટ–તેને અભ્યાસ કરે તો વિજ્ઞાનને તેમાંથી ઘણું જાણવાનું મળે તેમ છે. જૈનદર્શનના અભ્યાસ કરે છે તેને વૈજ્ઞાનિક માહિતી નથી, એટલે જૂની પરિભાષામાં રટણ થયા કરે છે. જીવના અનતા ભેદ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] વિજ્ઞાન અને ધર્મ' -એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અને નિગોદ અને સમૃદ્ધિ સુધીના ગેખાયે જાય છે. એનો તુલનાત્મક અભ્યાસ થાય તે ઘણું ઉપકારક થશે. –ચીમનલાલ - કેનેડાના શ્રી ક્રિસ્ટોફર બડે તથા શ્રી પીટર થોમ્પકિન્સ ૧૯૭૪ના ઓકટોબરમાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. બધી સિક્રેટ લાઈફ ઓફ પ્લાંટ્સ” “વનસ્પતિનું રહસ્યમય જીવન, આ રોમાંચક કથા વનસ્પતિવિજ્ઞાનના અસંખ્ય પ્રવેગ અને ફળશ્રુતિઓનું વર્ણન છે. યુરોપ, અમેરિકા અને ખાસ કરીને રશિયામાં આ વિશે જે ભારે તપશ્ચર્યા કરાઈ છે, એનું આ પુસ્તક જાણે બૃહદારણ્યક ઉપનિષદ છે. પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં છેડ શું શું કરી શકે છે એનું મનોરંજક વર્ણન છે. શ્રી બેફસ્ટર નામને છૂપે જાસૂસ પિતાની પાસે ‘ગાલવેનેમિટર” રાખતે હતે. મનુષ્યના શરીરના વિદ્યુતસંચાર પર એમના મનની પ્રસન્નતા કે તાણની જે અસર થાય છે તે આ યંત્ર માપે છે. એક દિવસ તેણે યંત્રના તાર પિતાના ખંડમાંના છેડનાં પાંદડાંને જોડી દીધા. જોયું તે પાંદડાંના સંવેદનને નકશે પણ યંત્રમાં ઊપસવા લાગ્યો. તેણે વિચાર્યું : “જરા એક પાંદડાને દીવાસળી ચાંપીને જોઉં તે ખરો, શું થાય છે??” મનમાં આ વિચાર આવ્યું કે તરત યંત્ર પર ભયનું ચિહ્ન આવ્યું. બેકસ્ટરને દયા આવી, છતાં કેવળ ડરાવવા ખાતર તેણે દીવાસળી સળગાવી ત્યારે પેલે છોડ સાવ નફકરો હતે ! આ જોઈ બેસ્ટર આનંદવિભેર થઈ ગયે. જાહેર માર્ગ પર દેડી જઈને એલાન કરવાનું તેને મન થઈ આવ્યું. “અરે નાના છોડ પણ વિચારી શકે છે, સમજી શકે છે.” એક વાર કેનેડાના એક ભૌતિક વિજ્ઞાની બેકસ્ટરના પ્રયોગો જેવા આવ્યા, એ આવ્યા એવા પાંચ છેડ બેહોશ થઈ ગયા, અને યંત્ર કશુંયે બતાવી શકતું નહોતું. છઠ્ઠો છોડ કંઈક કામ આવ્યે, એ જોઈ બેકસ્ટર તે અવાક્ જ થઈ ગયો. પેલા આવેલા મિત્રે સંકોચસહ Page #388 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૭૩ કહ્યું, હું છોડે વિશે સંશોધન કરું છું. ભઠ્ઠીમાં તેમને તપાવું છું. સૂકવ્યા પછી વજન નૈધું છું....” એ મિત્ર છેક વિમાનઘરે પહોંચે એ પછી પૂરા પિણા કલાકે પેલા છોડવાઓમાં જીવ આવ્યા. છોડ આપણે પ્રેમ પહેચાની શકે છે. આપણી ભાવનાઓને જવાબ વાળવાની ઉત્સુક્તા પણ એનામાં છે. જેમ મનુષ્ય પોતાનું ઊર્ધ્વીકરણ ઈચ્છે છે તેમ વનસ્પતિ પણ ઈચ્છે છે. વનસ્પતિ પણ અન્ય જીવસૃષ્ટિની સેવા કરવા તત્પર હોય છે. આ સેવા પરસ્પર પ્રભાવથી લેવાય, આક્રમણથી નહીં. એક વાર બેફસ્ટર કેનેડાથી ન્યૂયોર્ક જવા નીકળ્યા ત્યારે કેટલાક વેપાઓ સાથે સંવેદન–યંત્ર જોડીને ગયા. ૧૫ દિવસ પછી ન્યૂયોર્કમાં કેનેડા પાછા જવાની ટિકિટ તે ખરીદતા હતા તે દિવસે પેલા છોડેએ આનંદ વ્યક્ત કરેલો યંત્રમાં નોંધાયે હો! એક બીજા વિજ્ઞાની શ્રી ગલે વધુ સઘન પ્રયોગ કર્યો. એની શિવા વિવિયને બે પાંદડાં તોડયાં. એક પાંદડું પિતાના ખંડમાં મૂકી રાયું અને રોજ એને માટે શુભેચ્છાઓ વ્યક્ત કરતી રહી, “ઘણું જીવોને સંક૯૫-મંત્ર રટતી રહી. બીજા પાંદડાને પણ એટલું જ પિષણ આપતી હતી, પણ એને બહાર રાખ્યું હતું. બીજી બાબતમાં પણ ઉપેક્ષા કરી હતી. એક માસ પછી બન્ને પાંદડાંના પ્રાગપેથી પર ફેટા ઉતાર્યા ત્યારે પહેલું પાંદડું સુંદર વિકસેલું હતું. બીજું મુરઝાયેલું હતું ! શ્રી જ લેરેન્સે સિદ્ધ કર્યું કે વિદ્યુત ચુંબકીય યંત્ર કરતાં છેડનાં પાંદડાં વધારે તીવ્રતાથી પ્રતિબિંબ–સંવેદનનાં આદેલને દેખાડે છે! જીવંત માનવના ભાવનું શ્રેષ્ઠ પ્રતિબિંબ જીવંત માધ્યમમાં જ પડી શકે છે, એમ તેરે સાબિત કર્યું. પાંદડાની મદદથી તેણે બાયડાયનેમિક (આંતરતારિકા-ચિહ્ન સંગ્રાહક) સ્ટેશન બનાવ્યું અને એપ્રિલ ૧૯૭૫માં “ઊજા મેઝરથી સંદેશા સેંધ્યા. રશિયન વિજ્ઞાનીઓ શ્રી યર્ગોહે તથા શ્રી પાણિક્કીને જાહેર કર્યું કે લાંબા દિવસના પ્રકાશના પાઓ થાકી જાય છે. રાત્રે તેમને Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] વિજ્ઞાન અને ધર્મ અંધકાર તથા આરામ જોઈએ છે. રશિયન પ્રવેગકારોએ એક જવના છેડનાં મૂળિયાને ગરમ પાણીમાં ઝબેન્યાં ત્યારે એનાં પાંદડાં ચીસ પાડી ઊઠયાં હતાં. પાગલ પેઠે છોડ અત્યંત બકવાટ કરવા લાગે અને આખરે મૃત્યુની વેદનાથી તે છોડે ચિત્કાર કર્યો, “આ છોડનાં પાંદડાં લીલાં હોવા છતાં એ એનાં મૂળિયાં જવી રહ્યાં હતાં અને એની અંદરને કઈ મસ્તિષ્કકેશ (બર્નરસેલ) આપણને એની વેદના બતાવી રહ્યો હતે.” માણસની જેમ રોપાઓ પણ અજવાળું–અંધારું, ગરમી-ઠંડી, પિતાની સુવિધા પ્રમાણે તેઓ લઈ શકે એ માટેની સ્વિચ ચાલુ કે બંધ કરવાનાં સાધનો તૈયાર થઈ રહ્યાં છે. એક સાધારણ વાળના છેડે આ સાધનને લાભ લેવા માટે ખાસ હાથ પણ બનાવી લીધું છે. મનુષ્યની માંસપેશીઓ પડે છોડના મૂળમાં વિકસવાનીસંકેચાવાની નસે છે અને એની ઉપર વિદ્યુતીય તંત્રિકા કેન્દ્ર (નર્વસ સેન્ટર) જેવાથી મનુષ્યની સૂમ જીવ-જગતની ઘણી બધી : ગુપ્ત વાતેની નોંધ કરી શકાય છે, તેમજ ચકાસણી કરવા માટે, કેઈક દૂરના કેન્દ્ર સુધી પણ પહોંચાડી શકાય છે. છે. અને મનુષ્ય વચ્ચે બે પ્રેમીઓ જે ભાવનાતુ નિર્માણ થઈ શકે છે. છોડ રિસાય છે. હસે છે. સોળમી સદીને એક જર્મને તત્વજ્ઞાની વનસ્પતિના જીવનમાં પ્રવેશ કરતા હતા. ગેલની શિષ્યા પણ એ પ્રવેશ કરતી હતી. બેસ્ટરના પ્રાગે વાંચીને જાપાનના શ્રી હોશિમોટો તથા એમનાં પત્નીએ છેડો ઉપર પ્રયાગ કરીને બતાવ્યું કે છોડે વાત કરી શકે છે, મનુષ્યને જન્મદિવસ બતાવી શકે છે, સરવાળા કરી શકે છે યાને એમને ગણિત શીખવી શકાય છે. એક છેડને ઉપવાસની સજા કરીએ તે એને આસપાસના બીજા છેડે છૂપી પ્રક્રિયાથી પોષણ પહોંચાડે છે. કેલસા, પટેલ કે ગેસની તુલનામાં પાંદડામાં સંગ્રહાયેલી સૂર્ય Page #390 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૭૫ કિરણાની શક્તિના સીધા ઉપયાગ કરી શકાય છે એવા અનુભવ પણ કરવામાં આવ્યા છે. શ્રી લારેન્સ બીજી એક મહત્ત્વની વાત કહે છે કે છેાડવા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ સામાન્ય વિદ્યુતપ્રયાગ જેવું નથી. એને માટે પ્રયાગકારે કેટલાક ગુણ્ણા, સંયમ અને સહૃદયતા હાંસલ કરવાં જોઈશે. છોડ તમામ જીવ-સૃષ્ટિ સાથે એકરૂપ રહે છે. વૌશ બેસિનમાં ગરમ પાણી રેડવામાં આવ્યુ. એથી નળમાં રહેતા બેરિયાઓને બહુ કષ્ટ થયું. એમનું એ દુઃખ પાસેના છેડાએ વ્યક્ત કર્યું. એ રશિયન વિજ્ઞાનીએએ હિંદુ શાસ્ત્રમાં વાંચ્યુ` હતુ` કે જોરથી બગાસુ ખાવાથી શક્તિ પુનઃ આવિર્ભાવ (રિચા) થાય છે. આ રીતે એમણે છેડાને શક્તિ આપી પણ ખરી. પુસ્તકના બીજા વિભાગમાં ભારતીય વિજ્ઞાની શ્રી જગદીશચ'દ્ર બાઝના જીવન અને કાર્યના વિસ્તૃત પરિચય આપવામાં આવ્યે છે. ૧૯૫૮માં રશિયાના શ્રી શિયાખિને ભારે પ્રકોપ વ્યક્ત કરતાં લખ્યુ હતુ : ‘શ્રી બેઝે ૧૯૦૨માં જે પ્રયેગા કર્યાં એ વિશે પશ્ચિમનું જગત ૫૦ વર્ષી સુધી સૂતું રહ્યું. શ્રી બેઝે પૂર્વના પ્રાચીન જ્ઞાનના તથા પશ્ચિમના આધુનિક શાસ્ત્ર અને પરિભાષાના સુમેળ કર્યાં છે.’ વૈજ્ઞાનિક પ્રયોગકારોનું સમેલન યાજીને રશિયન વિજ્ઞાનીએએ શ્રી બેઝની શતાબ્દી ઊજવી. આજના કેટલાયે પ્રયેગેાની પશ્ચાદ્ ભૂમિકારૂપે અસખ્ય વિચારા આ પુસ્તકમાં જોવા મળે છે. પરીકથા કરતાં યે ધારે આશ્ચય જનક શ્રી જગદીશચંદ્ર બેઝની અગાઉ સદીઓથી એવી માન્યતા હતી કે છેડમાં નાડીપ્રણાલી (નર્વસ સિસ્ટમ) નથી. એથી સર્વ પ્રકારની ઉત્તેજનાઓ માટે તે જવાબદાર (રિસ્પોન્સિવ) નથી. શ્રી બાઝે છેડને એક જગ્યાએથી ઉખેડીને બીજે રાખ્યા ત્યારે એમને કાંઈ કષ્ટ ન થયું. સંશાધન અને પ્રયાગાના આધારે શ્રી એઝે વિસ્મિત શ્રેાતાને કહ્યું કે ‘સ્થાવર અને જંગમ વચ્ચેની ખાઇ કાંઇ અધિક ગણનાપાત્ર છે નહીં, Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] વિજ્ઞાન અને ધર્મ ભૌતિક ફિઝિકલ) અને શારીરિક (ફિઝિલેજિકલ) ઘટનાઓ વચ્ચે સીમારેખા બતાવવાનું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે પશુઓની ખાલ અને શાકભાજી-ફળની છાલ, સમાન રીતે કામ કરે છે. “પિંજરસેલ્યુશન’ નામના રસાયણમાં પ્રાણીનું હૃદય મૂકવાથી ધબકવા લાગે છે તેમ પાંદડાને પાણીમાં મૂકવાથી તેને ધબકાર ચાલુ રહે છે. છોડ મરે છે ત્યારે વિદ્યુતશક્તિને એક જોરદાર ધડાકે થાય છે. વટાણાના ૫૦૦ દાણું, ૫૦૦ વેટ્સ પેદા કરે છે. શરાબ સીંચવાથી છેડે પાગલ બન્યા, ખૂબ હાલ્યા–ડેલ્યા. કાબન ડાયેકસાઈડ આપવાથી તે મૃતવત્ થયા અને પુનઃ પ્રાણવાયુ આપવાથી ઠીક થયા. છોડને વિકાસ સંગીતની જેમ લયમાં થાય છે. પ્રત્યેક તરંગ વેળા એક આરોહણ, પછી થોડે વિરામ અને છેવટે અવરોધ. મોટાં વૃક્ષે પિતાની પ્રતિક્રિયા બાદશાહી ઠાઠથી બતાવે છે. જ્યારે નાના છોડ જલદી ઉત્સાહી થઈ જાય છે. શ્રી હેન્રી બર્કસને કહ્યું છે, “બાપડાં મૂગાં વૃક્ષેને શ્રી બે પ્રભાવ પૂર્ણ ભાષા આપી.” શ્રી બેઝ સ્વયં કહેતા હતા, “આ બધું પરીકથા કરતાં યે વધારે અજબ છે, છતાં સત્ય છે.” વનસ્પતિનું પણ પિતાનું અસ્તિત્વ છે. ૧૯૬૪માં જન વિજ્ઞાની શ્રી રૂડેલ્ફ જેકબ કેમેરારિયસે શોધ કરી કે ફૂલવાળા છેડોની વિવિધ જાતે છે અને પુષ્પરજની ક્રિયાથી એમની ફત્પતિ થાય છે. શ્રી ગુસ્તાવ ફેરનર નામના તબીબે અંધારા ઓરડામાં પ્રાર્થના કરતી વેળા ફૂલને અવાજ સાંભળ્યું અને એની ઉપર એક પતિમંય દેહ જે. પછી અનેક પ્રયોગ દ્વારા તેમણે સિદ્ધ કર્યું કે મનુષ્યની પેઠે છેડને પણ સૂક્ષ્મ દેહ, કારણ-શરીર અને પ્રભામંડળ છે. કેંદ અવેસ્તા અને ગટેનાં કાવ્યમાં એને પ્રાથમિક-ઉલ્લેખ છે. એ જ રીતે ૧૮૯૨માં પણ શ્રી ભૂથર બરબેંકે અમેરિકામાં ઉત્સાહનું મોજું ફેલાવી દીધું હતું. પરિણામે વેબસ્ટરના નવા શબ્દકેશમાં એમના નામ પરથી એક ન ધાતુ ઉમેરવામાં આવ્યું Page #392 -------------------------------------------------------------------------- ________________ Fભવિષ્યવાણી [૩૭૭ –ટુ બકા કોઈ ચીજને ખાસ કરીને છેડેને દેશવિહીન અને ઉન્નત બનાવવા માટે ‘ટુ બરબેંકી ધાતુ વપરાવા લાગ્યું. ૧૯૦૬ની ૧૮મી એપ્રિલે એક આશ્ચર્યજનક ઘટના બની. સાનફ્રાન્સિસ્કમાં સાંતરોઝા નામનું આખું ગામડું નાશ પામ્યું, પરંતુ ત્યાં આવેલ બરબેંકને બગીચે સુરક્ષિત રહ્યો. એ જોઈ બરબેંકે કહ્યું, “મેં વૃક્ષોને પ્યાર કર્યો છે, એ પ્રકૃતિ–તાદાગ્યે જ મારા પ્રયાગક્ષેત્રનું રક્ષણ કર્યું છે. તેમણે લખ્યું છે, અનાદિકાળથી પૃથ્વીતળ ઉપર વૃક્ષરાજી ટકેલી છે. તે તેનું પતીકું વ્યક્તિત્વ તથા એની જોરદાર સંકલ્પશક્તિ નહીં હોય એવું તમે ધારો છે? શ્રી જયેજ વૈશિંગ્ટન કાર્વર ન હોવા છતાંયે બહુમાન્ય બન્યા હતા. બાળપણથી તે વનસ્પતિની સંગતમાં મેટા થયા હતા. તેમણે “છેડોનું દવાખાનું શરૂ કર્યું હતું. ગામેગામથી બીમાર છોડવા એની પાસે આવવા લાગ્યા અને પુનઃ પ્રફલિત થવા લાગ્યા. એમના એક પ્રોફેસર કહે છે, “દેશને કૃષિપ્રેમ જીવતા હોય છે ત્યાં સુધી જ દેશ જીવંત રહી શકે છે.” મોટો થઈને કાર્વર મહાન કૃષિવિજ્ઞાની બને. પિતાના વિદ્યાર્થીઓ માટે તે ખૂબ પરિશ્રમ કરતે હતે. રેજ વહેલી સવારે ચાર વાગે ઊઠીને જંગલમાં જતો અને ઘણા છોડ લઈને કાર્વર પાછો આવતે. તે કહેઃ “પ્રકૃતિ સર્વોત્તમ શિક્ષિકા છે અને બીજાઓ ઊંઘતા હોય છે ત્યારે હું પ્રકૃતિ પાસેથી ઘણું બધું શીખી લઉં છું. ઢળતી રાતના અંધારામાં ઈશ્વર મને બતાવે છે કે મારે કઈ કઈ જનાઓ પૂરી કરવાની છે. એક દિવસ તેણે મગફળીના છેડને પૂછયું, “તારું રહસ્ય શું છે?” પટ દઈને છેડે જવાબ દીધે, “વ્યવસ્થા, ઉષ્ણતામાન અને હવાનું દબાણ.” સાત દિવસ અને સાત રાત એમના પર પ્રયોગ કરીને કાર્વરે મગફળીના ૨૧ પ્રકાર તૈયાર કર્યા. મરતાં પહેલાં પોતાના એક મિત્રને એક ફૂલ બતાવીને કાર્વરે કહ્યું, આ ફૂલને સ્પર્શ કરતાં જ હું અનંતમાં પહોંચી જઉં છું. એ સ્પર્શ પાર્થિવ નથી.... અદશ્ય જગતમાંથી જાણે એક નાજુક અવાજ આવતે ન હોય !” Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] વિજ્ઞાન અને ધર્મ કલ્યાણકારી વનસ્પતિ પુસ્તકના ત્રીજ વિભાગમાં વનસ્પતિને સંગીત કેટલું પ્રિય છે એના પ્રયોગની નોંધ છે. વનસ્પતિને પ્રાચીન સંગીત ગમે છે, રેક સંગીતથી તે મેં ફેરવી લે છે. પ્રિય સંગીતથી વનસ્પતિ ઝટ વધે છે. પ્રત્યેક જીવંત વસ્તુમાંથી એક પ્રકારનાં શક્તિ-કિરણો નીકળે છે. ૧૮૪૫માં જર્મનીના શ્રી કાલે અને પાછળથી શ્રી વિલિયમ શે જાહેર કર્યું કે પ્રાચીન ગ્રીક “ઓરગન” અને સાહિત્યમાં ઈથરને ઉલ્લેખ આવે છે. તે કેઈ ભૌતિક શક્તિ નહતી. ૧૯૬૦ સુધીમાં તે એ વાત સર્વમાન્ય થઈ ગઈ કે સમસ્ત જીવસૃષ્ટિ પાછળ ઈલેટેન (વિદ્યુતપરમાણુ) ને મૂળભૂત પ્રવાહ વહે છે. હવે તે વાતાવરણમાં રહેલા વિદ્યતરંગને ઉપગ વનસ્પતિ વિકાસ અર્થે કરાઈ રહ્યો છે. પાંદડાની તીણ શિરાઓ વિઘતને આકર્ષે છે. ઠંડે પ્રકાશ છેડેને નુકસાન કરે છે, ટેલિવિઝન પણ નુકસાન કરે છે. ભારતમાં “મેહન, મારણ, ઉચ્ચાટન (મંત્રતંત્રથી ઉચાટ કરાવ તે) ની વાત આપણે સાંભળતાં આવ્યાં છીએ. રશિયન વિજ્ઞાનીઓએ સંવેગમાપક યંત્ર મૂકીને વનસ્પતિ પર સંમેલનને પ્રયોગ કર્યો પછી છોડને હસવાને આદેશ આપે, છેડેએ કળીએ ખિલાવીને હાસ્ય પ્રગટ કર્યું. પછી તેમને કહેવામાં આવ્યું, ‘તમને હવે ઠંડી લાગે છે.” ત્યારે એ છોડે ઠંડીથી થથરવા લાગ્યા. શ્રી કિલિયાન અને એમનાં પત્નીએ તે કમાલ કરી દીધી છેડે-પાંદડાની અંદરની શક્તિને તિમય ફેટો ખેંચી શકાય એ કેમેરા તેમણે નિર્માણ કર્યો ! - દર્દથી ચીસ પાડતાં દર્દીઓ વચ્ચે કેટલાક છેડેને એક વિજ્ઞાનીએ મૂક્યા ત્યારે એ ફટાઓમાં એ છોડેની ઉર્જા શક્તિ ઓછી થયેલી દેખાઈ. ઉજશક્તિને પ્રવાહ માણસના મધ્યભાગમાંથી નીકળીને સ્વસ્તિક આકારે વહે છે. જગતની લગભગ બધી સંસ્કૃતિઓમાં આ સંસ્કૃત શબ્દસ્વતિક પ્રચલિત છે, જેને અર્થ થાય છે–કલ્યાણ, આરોગ્ય ! Page #394 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી વનસ્પતિનુ રસાયણુશાસ્ત્ર પુસ્તકના ચાથા વિભાગમાં વનસ્પતિનું રસાયણુશાસ્ત્ર આપવામાં આવ્યું છે. આહારશાસ્ત્રના નિયમા એ આધાર પર સાંપડયા છે. આ વિજ્ઞાનમાં શ્રેષ્ઠ ફાળા આપનાર છે શ્રી નિકેલસ, એમણે રજૂ કરેલાં તથ્યા નીચે પ્રમાણે છે. [૩૭ (૧) તદુરસ્ત છોડો પોતે જ જ'તુરક્ષક હાય છે. (ર) અપ્રાપ્ય વિટામીન ‘ખી' અને બેરિયમ ઘઉંના લેટના ચળામણમાં હોય છે. (૩) કૃત્રિમ માખણુ (મારિન), સફેદ સાકર, સફેદ રિફાઈન્ડ મીઠુ અને કૃત્રિમ ખાતર ખતરનાક છે. શ્રી રૂડોલ્ફ હાશિકાએ પ્રમાણે આપીને પુરવાર કર્યું છે કે ચદ્રની કળા ખીલે છે તેની સાથે વનસ્પતિ સુકુમાર (ઇથીરિયલાઈજડ) બને છે અને વિકસે છે. જો કે સન્નીએથી પશ્ચિમી જગતમાં વનસ્પતિ વાસ્તે સૂર્યની ગરમી અને પાણી જ આવશ્યક ગણાયાં છે. ત્યારે ભારતીય ઔષધ વિજ્ઞાનમાં ચંદ્રને ઔષધીશ અથવા અમૃતવપુઃ કહ્યો છે, એ સાચું છે. સમસ્ત સજીવ સૃષ્ટિના વિકાસ માટે ચંદ્ર બહુ ઉપયાગી છે એવા દાવા શ્રી ડાશિકાના છે. શ્રી સ્ટીનરે આધ્યાત્મિક વિજ્ઞાન વિશે ઘણું લખ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણે છેડ-પાન પાસેથી પ્રાણવાયુ, હાઇડ્રોજન કે કાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એ ચીજોનું કોઈપણ રીતે સંયેાજન કરીને આપણે ઘેડ પેદા નથી કરી શકતા. જે જીવંત છે તે મરે છે. પરંતુ એ મરેલામાંથી વળી પાછું સજીવ આપણે પેદા નથી કરી શકતા. સજીવ-સૃષ્ટિનું જ્ઞાન કેવળ ભૌતિક તત્ત્વાતી નથી થતું. વનસ્પતિ અને આહાર ખાદ્ય-પદાર્થોની ઊર્જા માપવાના પ્રયાગનું વર્ણન પાંચમા વિભાગમાં છે. શ્રી એવિસે એક હલકું લેાલક બનાવ્યું. એની નીચે એક Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] વિજ્ઞાન અને ધર્મ ફૂટપટ્ટી મૂકી. તપાસવા મૂકેલી ખાદ્યવસ્તુની જીવનશક્તિની માહિતી પેલા લાલકના હાલવાથી મળે છે. એના પરથી શ્રી એવિસે પદ્યાર્થીની નૈતિમ યતા (રેડિયન્સ) માપવાનું યંત્ર બનાવ્યું. એનાથી એક દ્રવ્યની માહિતી મળી, એનુ નામ છે, ‘એન્ગેસ્ટ્રામ’. બીજા એક વિજ્ઞાની શ્રી સીમાનેટને સાબિત કર્યું' કે, પાષણ (ન્યુટ્રીશન)ના ઉષ્માંક (કેલરી) ની ગણતરી કરવાનું જેટલું વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે એટલું જ એન્ગેસ્ટ્રામની ગણતરી કરવાનું. કેલરીની જેમ ‘એન્ગસ્ટ્રીમ’ પણ ઉપયેગી છે. સીમાનેટને કઇ ચીજમાં કેટલુ· ‘એન્ગેસ્ટ્રામ’ છે તેની લાંખી યાદી પેાતાના પુસ્તકમાં આપી છે. આ યાદી આપીને શ્રી સીમાનેટને ચેતવણી આપી છે કે જે ચીજમાં ૬૫૦૦ કરતાં એછા પ્રમાણમાં ‘એન્ગલ્ટ્રામ છે તે પદાર્થો ખાવાથી ખાનારાની ન્યાતિમયતા ચાલી જાય છે. તેમણે એ શેાધ્યું છે કે વનસ્પતિના વિવિધ અવયવમાં જ ઔષધીય ગુણ રહેલા છે તે કેવળ એમની રાસાયણિક પ્રકૃતિ પર અવલંબતા નથી પરંતુ એમની જ્યેાતિયતા પર પણ નિર્ભીર છે. આજે બધા પદાર્થોની રાસાયણિક સ’રચના પૂર્વવત્ હાવા છતાંયે એમના ગુણામાં એછપ આવી છે એનુ આ જ કારણ છે. પ્રદુષણને કારણે તે મૃત્યુવત્ થઈ ગયા છે. વનસ્પતિ ઔષધીઓમાં મનુષ્યની ગતિમાનતા વધવાની શક્તિ છે, જેના દ્વારા મનુષ્ય આધ્યાત્મિક તાકાત ખેચી શકે છે. [સિક્રેટ લાઈફ એફ પ્લાન્ટસ પુસ્તકમાંથી ‘સમર્પણુ’ દ્વારા સાભાર ] Page #396 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૮૧ લીનાબહેન અનુ: અમૃત મેદી પરિશિષ્ટ [૭] પૃમાં જીવ છે.” જૈનદશનની માન્યતાને સચોટ પુરા [ ઊગતા પથ્થરોનું ગામ વીરાવાડા ]. આપણા ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં ધાન પાકતું નથી, વનસ્પતિ ઊગતી નથી, ઊગે છે કેવળ પથ્થરો. અને ઊગ્યા પછી. વૃક્ષેની જેમ એ ધીરે ધીરે વધે છે. છે ને અચરજની વાત! માની ન શકીએ એવી પણ વાત નથી ? અને છતાંય સાવ સાચી વાત છે. પથ્થર ઊગવાની આ વાતની વિચિત્રતા તે એવી છે કે પાકા બાંધેલા રૂડા-રૂપાળા મકાનના રસોડામાં, શયનખંડમાં કે મુખ્ય ખંડમાં પણ એકાએક પથ્થર ફૂટી નીકળે છે અને પછી વધવા માંડે છે ! કેવળ સુરંગે ચાંપીને જ એને તેડી ફેડી ખસેડી શકાય છે. અને આવી તોડફેડથી મકાનને થતા નુકસાનનુ ખર્ચ ગ્રામપંચાયત ભોગવે છે! આ ગામનું નામ છે વીરાવાડા. સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગરથી માત્ર ૧૫ કિલ્લેમિટર ઉપર જ આવેલું છે. ખૂબીની વાત એ છે કે ગામની બહાર પગ મૂકો એટલે ઝાડ, પાન, વનસ્પતિ અને ધાનનાં ખેતરે લહેરાતાં હોય. એક માત્ર ગામમાં જ એમાંનું કશું જ હોતું નથી. પથ્થરનું જંગલ આવા અજબગજબ ગામની મેં જિલ્લા માહિતી અધિકારી મનેજ આહવા અને અમારા જુવાન તસવીરકાર કરણ સોલંકી સાથે મુલાકાત લીધી અને આ બધું જોઈ-જાણી વધુ પૂછપરછ કરવા અને પાકી ખાત્રી કરવા ગામના સરપંચ મહમદમિયાં છેટુમિયાં મલેકની મુલાકાત લીધી, ચુમ્મતેર વર્ષના જેફ જમાલભાઈ ઈડરિયાની મુલાકાત લીધી, એકધાર્યા ૪૫ વર્ષથી એ ગામમાં ઉછરેલા કરીમભાઈ મનસૂરીને Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] વિજ્ઞાન અને ધર્મ પણ મળે. આ સૌનું કહેવું હતું કે જમ્યા ત્યારથી અમે તે આ ગામમાં ગમે ત્યારે ઊગી નીકળતા અને પછી ધીરે ધીરે વધતા કાળમીંઢ પથ્થરના ટીંબા અને ખડકે જ જોયા છે. પેલા ૭૪ વર્ષની જૈફ જમાલભાઈએ આંખે નેજવું કરી ગામ ફરતા ઊભેલા તોતિંગ કાળમીંઢ પથ્થરના ખડકે ભણી આંગળી ચીંધતાં કહ્યું : હું નાનું હતું ત્યારે આ વીસ વીસ હાથ ઊંચાં પાણું માંડ એકાદ ફૂટના પણ નહોતા. અને જુઓને આજે કેવા ફાલીક્લી વધી ગાયા છે? વીરાવાડાને ઈતિહાસ એમણે આ ગામનો ઈતિહાસ પણ કહ્યો. એમણે કહ્યું: “આજે આ ગામ અમારા મલેકેનું જ છે. એમાં આંગળીને વેઢે ગણાય એવા હિન્દુ પરિવારને બાદ કરતાં ગામની અઢીથી ત્રણ હજારની વસ્તી અમારા મલેકેની છે. ગામનું નામ ભલે વીરાવાડા હોય, પણ આસપાસની વસ્તી એને પથ્થરિયા ગામ તરીકે જ ઓળખે છે.” આટલી પ્રસ્તાવના કર્યા પછી એમણે ગામને ઇતિહાસ કહેવા માંડ્યો: “મૂળ આ ગામ, આજથી ત્રણ વર્ષ ઉપર વીરાજી નામના એક બળિયા અને ખૂંખાર ઠાકરની ઠકરાત હતું. એ માથાભારે અને વકરેલા માણસથી આસપાસના મુલક થરથરતાં હતાં.” “એકવાર એની નજર બાજુના બ્રહ્મક્ષત્રિય ગામના ઠાકરની ખૂબસૂરત જુવાન રાજકુંવરી પર ઠરી. એને થયું આ રૂપને કટકે તે વીરાવાડામાં જ શોભે. એણે પળનીય વાટ જોયા વગર માંગુ મોકલ્યું: “તમારી દીકરીને મારી સાથે પરણાવે. નહિ તે તમારું ગામ ભાંગીને, એને રેળી–ટોળીને એને ઉપાડી જઈશ. વીરાજી હણાયે “વીરાજની આ માગણી અને એની પાછળની આકરી ધમકી સાંભળી પિલે બ્રહ્મક્ષત્રિય રાજવી તે ધ્રુજી ગયે. રક્ષણ માટે એણે વકરેલા કાર ની નજર . એને થ Page #398 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૮૩ રાત ઈિતી પર પાસેથી આ પણ અને આ અતી આસપાસ નજર નાખી. છેવટે એની નજર અમારા મલકના દૂર દૂર આવેલા ગામ પર પડી. એણે ત્યાં પહોંચી જઈ પનાહ માગતાં કહ્યું. તમે જે વીરાજીથી મને, મારા ગામને અને મારી પારેવડી જેવી દીકરીને બચાવવા વીરાવાડા ઉપર ચડાઈ કરીને વીરાજને ઠાર કરશે તે એ ગામ તે તમારી ઠકરાત ઠરશે, પણ ઉપરથી મારી ઠકરાતનું એક ગામ પણ સરપાવ આપીશ.” મલેકને કશું ગુમાવવાનું હતું જ નહિ. એમને ઠરીઠામ થવા ઠકરાત જોઈતી જ હતી એટલે એમણે એ શરત કબૂલ રાખી. વીરાજીના આ વીરાવાડા ઉપર ચપાસથી હુમલો કરી એને બરાબરને ઘેર્યો. વીરાજ બળિયે હતો એટલે લડ્યો પણ પૂરા ઝનૂન અને તાકાતથી પણ બૂરી નૈયત કદી ફળે ખરી ? એ ઠાર થયે અને આ વીરાવાડા અમારા હાથમાં આવ્યું. બસ ત્યારથી અમારી કેમ અહી રહેતી આવી છે.” ગામ પથ્થરીયું છે, એમાં પાણી જ પાકે છે. છતાં એ અમને કોઠે પડી ગયું છે, એટલું જ નહિ પણ એને છોડી જવાને બદલે એના પર અમારું મમત્વ ઉપજયું છે.” શીળી બિછાત અને સાહેબ, આ કાળકરાળ પથ્થરના અડાબીડ જંગલમાં અમે સુખી થયા છીએ. ગમે તે ધમધખતે હોય તેમ આ ડુંગરેની શીળી બિછાત ઉપર બેસીને અમે જયાફત માણતા હોઈએ છીએ કારણ કે આ કાળમીંઢ પથ્થરે એવા આકરા તાપમાં પણ તપતા નથી, ધીખતા નથી. શરૂઆતમાં તે આ ગામમાં રસ્તે પણ નહતો. પણ રસ્તે કરવા માટે સુરંગે ફેડવામાં નિષ્ણાત એવા રાજસ્થાની કારીગરોને તેડાવી એમના પાસે સુરંગ મૂકાવીને પથ્થરે સાફ કરાવી આ રસ્તે બનાવ્યું છે.” Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] વિજ્ઞાન અને ધર્મ ગામના સરપંચ મહમદમીયાંએ અમને એક જગાએ સુગ ધરબી પથ્થરે–ખડકેના અવરોધે કેવી રીતે દૂર કરાય છે એ પ્રયોગ કરીને દેખાડયું, તે ગામના ઘરમાં ફેરવીને ઘરમાં ફૂટી નીકળેલા પથ્થર પણ નજરે નજર દેખાડ્યા. પાકા બંધાયેલા ઘરમાં ફૂટી નીકળેલા પથ્થરો જોઈ અમે તે આભા જ બની ગયા. સંશોધનનો વિષય અને એથી ગુજરાતને એના એક અજબગજબ ગામને પરિચય કરાવવા વેઠેલે શ્રમ અમને સાર્થક લાગે. ભૂસ્તરશાસ્ત્રીઓને રસ હોય અને ફૂટતા પથ્થરો અંગે સંશોધન કરી એ રહસ્ય છતું કરવું હોય તે એમના માટે પણ એક સરસ સંશોધનને વિષય બને એવા આ વિરાવાળાની મુલાકાત લેવા જેવી છે. –અવિનાશ ગાંધી “સૌરસ તા. ૬-૩-૭૭ માંથી સાભાર. સંઘે ધનનો ય છતું કરવું કલાકાત લેવા પરિશિષ્ટ [૮] શ વૈજ્ઞાનિકોની શક્તિ અગૌર પ્રજાની પાયમાલી કરવા માટે કામે લાગી છે? પારથેનીઅમ કૃષિ અને માનવી માટે ખતરનાક ઘાસ * પરદેશી અનાજ સાથે ભારતમાં આવેલી ઝેરી વનપતિઃ એક છેડમાં ૫૦ હજાર બી! વડવાનલની જેમ થયેલે ફેલાવેઃ હવે શું? ભારનીય કૃષિ સંશોધન કાઉન્સિલ (આઈ. એ. આર. સી.)ના એલેન પ્રમાણે દેશમાં ૨૨ મી ઓગસ્ટે “ગજર ઘાસ ઉમૂલ દિન પાળવામાં આવ્યું. આ ભયંકર પ્રકારના ઘાસે ભારતના ખેતી જગતમાં મોટી આપત્તિ ઉભી કરી છે. એ બેફામ ઉગે એટલું જ નહિ પણ Page #400 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૮૫ પાક તેમજ પ્રાણીઓને નુકસાન કરે છે. અંગ્રેજીમાં એ ઘાસને “પારથે નિયમ” કહે છે. કોંગ્રેસ ઘાસ’ પાર્થનિયમ થ્રો ની જેમ ઊગતું હરિયાળી ફેલાવતું ઘાસ હાય તા એને ઉખેડી નાંખવાની હાકલ કરવી ન પડે. એ ઘાસ દ્વિ ખીજપત્રી સૂરજમુખી પરિવારના એક છોડ છે, જેનું જીવન એક વર્ષીનું હાય છે. એનાં પાંદડાં ગાજરના જેવાં હોય છે. ફૂલ ઝીણાં તથા આક ક ગુચ્છમાં છેક ટોચ પર ખીલેલાં હોય છે. તેના રગ સફેદ અને માથે સફેદ ફુમતાં જેવાં હોવાથી તેને “કોંગ્રેસ ઘાસ ’”, “ સફેદ ટોપી’ અથવા ચટક ચાંદની” શ્વાસ કહે છે. પશ્ચિમથી આયાત પારથેનિયમ ઘાસની માતૃભૂમિ વેસ્ટ ઇન્ડિઝ તેમજ ઉત્તર અમેરિકા છે. ભારતમાં પહેલીવાર તેના ઉલ્લેખ ૧૯૫૬ માં પૂનાની આસપાસનાં ખેડાયા વિના પડી રહેલાં ખેતીની હાલત વિષેના રિપોર્ટ માં થયા. એ પછી તેના ફેલાવા વટાળની જેમ થયા અને થોડાં જ વર્ષોમાં એની હાજરી ધારવાડ, ખેંગલેાર, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, કેરલ, જમ્મુ, કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ચારે કોર જોવા મળી છે. ભારતમાં આ આક્ત પી. એલ. ૪૮૦ના મેકસીકન ઘઉંની સાથે આવી. શરૂઆતમાં એની ભયંકરતાનેા ખ્યાલ ન હોવાથી મળતણુ માટેની કરાંઠી તરીકે એને આવકાર પણ મળ્યા. અને તેના ફૂલે સુશાભન તરીકે જ્યાં ત્યાં ઉપયોગમાં લેવાતાં હતાં, અને બજારમાં વેચાતાં પણ હતાં. ચેપી રેગાની જેમ ફેલાવા “કાંગ્રેસ ઘાસ”ના છેાડ ૪ થી ૬ ફીટ ઊંચા અને પાંદડાં છૂટાં છૂટાં રહે છે. મેાટી ડાળીઓમાંથી અનેક નાની ડાળીઓ ફૂટે છે વિ. ધ. ૨૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] વિજ્ઞાન અને ધર્મ અને તે દરેક નાની ડાળીને છેડે સફેદ ફૂલને ગુછ હેય છે. જેમાં બી ભરેલાં હોય છે. એક પૂરા કદના છેડમાં ૫૦ હજાર જેટલાં બી ઉત્પન્ન થતાં હોવાથી આ ઘાસ ચેપી રોગની જેમ ફેલાય છે. બીજ બહુ હલકાં હોવાથી વાયરામાં એકદમ ઊડે છે અને પથરાઈ જાય છે. તળાવના કાંઠે એનાં ઝુંડના ઝુંડ ઊગી જાય છે. પડતર જમીન, રેલવે લાઈનની બે બે બાજુએ અને જંગલી ઝાડીમાં એને ગીચ ઉછેર થાય છે. ગુજરાતમાં આ બલાએ હજી દેખાવ દીધો નથી, પણ મધ્યપ્રદેશમાં છેક ઈન્દોર અને મહારાષ્ટ્રમાં પૂના સુધી ફેલાયું છે એટલે ગુજરાત પર તેની ચઢાઈ અશક્ય નથી. જુવાર, મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, બટાકા તથા ભાજીપલાના વાવેતરમાં આ ઘાસ એકદમ ખીલે છે. જંગલમાં ય સહેલાઈથી ફૂટી નીકળતા ઘાસને ખેતરના પાકની માવજત મળે પછી શું બાકી રહે? એકદમ ઊગે છે આ ઘાસની વિશેષ ભયંકરતા એના બીજની કેટલીક લાક્ષણિકતામાં રહેલી છે. બીજ ખૂબ હલકાં હોવા ઉપરાંત જમીન પર પડવા સાથે તરત જ ઊગી નીકળે છે; અને જેટલાં ખરે એટલાં બધાં જ ઊગે છે! ઊગ્યા પછી છેડ થોડા સમયમાં હૃષ્ટપુષ્ટ થઈને ૪-૫ ફીટ ઊંચા થાય છે અને બરાબર એક વર્ષ સુધી ટકીને લહેરાય છે. એક વર્ષના આયુષ્યમાં એ સેંકડો ને સેંકડો બીજ જમીન પર વેરે છે, જેને હવા દૂર દૂર સુધી પાથરી દે છે. સૂકામાં સૂકી તુમાં પણ આ છેડ સૂકાઈ મરતું નથી. એટલે ઊગ્યા પછી તેને નાશનું પ્રમાણ નહિવત હોય છે. પારથેનિયમની ઘાસની ૨૦ જાત વનસ્પતિશાસ્ત્રીઓએ નેંધી છે, પણ ભારતમાં એક જ, અને જે વધુમાં વધુ ખતરનાક જાત આવી છે તેનું નામ પારથેનિયમ હિસ્ટેરફેરસ છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૮૭ ઝેરી અસર એની અસરની તપાસમાં જણાયું છે કે એના સંસર્ગમાં આવનાર માનવીઓમાંથી લગભગ બે ટકાને એની બીમારી જરૂર લાગુ પડે છે. પૂનાના એક પ્રસિદ્ધ ચામડી-નિષ્ણાત ડેકટરના જણાવ્યા પ્રમાણે પારથેનિયમ ઘાસમાં એક ઝેરી રસાયણ છે તે ચામડીને અડતાં ચર્મરોગ થાય છે, જેથી ચહેરે, હાથ અને ગરદન પર મગરની ચામડી જેવાં બરછટ ચકામાં પડી જાય છે, જે જૂની દાદરના જેવા લાગે છે. વળી આ ઘાસથી ચિત્રવિચિત્ર પ્રકારની “એલજી થવાથી કેટલીકવાર દરદીનું મૃત્યુ પણ થાય છે. એ ગીચ ઝાડીની જેમ પથરાય છે અને પુષ્કળ ફૂલ ઝમતાં હોવાથી તેની ઝેરી પરાગની અસર હવાના માધ્યમ દ્વારા પણ ફેલાય છે. આવા ઘાસને નાશ કેવી રીતે કરે એ પણ મોટી સમસ્યા છે. સારામાં સારો માર્ગ છોડ નાનકડા હોય ત્યારે જ મૂળમાંથી ઉખેડી નાંખવાને છે. સરકારનું કૃષિખાતું એ કામ મશીન વડે કરવામાં માને છે. અત્યારે વરસાદથી જમીન પોચી છે, અને છેડ હજી ઊભા રહ્યા છે ત્યારે તેને જડમાંથી ઉખેડવાની ઝુંબેશ સામૂહિક ધોરણે ઉપડવામાં આવે તે પરિણામ આવે. હાથ વડે ઉખેડીને એક બાજુ ખડકીને સૂકા થતાં સળગાવી મૂકવાથી જેમ તેને નાશ થાય છે, તેમ રસાયણના છંટકારથી પણ તેને ખાતમે થઈ શકે છે. કર્ણાટકમાં “બેમેસલ” નામનું રસાયણ કામિયાબ નીવડ્યું છે. ૨-કડી તથા પેરાકટરનું મિશ્રણ પણું કામ આપે છે. કેપર સ્વફટથી પણ આ છોડની વૃદ્ધિ અટકે છે. [ગુજરાત સમાચાર તા. ૩૧-૮-૭૬ માંથી સાભાર) | Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] વિજ્ઞાન અને ધર્મ પરિશિષ્ટ [૯] ઓ, વિજ્ઞાન ! તારા પાપે પ્રદૂષણથી મરી રહેલ હજારે ગાચો લાખે મરઘા-બતકાં અને કરડે માછલાં ! રસાયણનાં અને બીજા ઉદ્યોગના કારખાનાંઓમાંથી જે ઝેરી રસાયણે કચરા રૂપે ફેકાઈને ધરતી, હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે તેથી હાથીથી હંસ સુધી અને ગાયેથી માછલાં સુધી હજારો ઢેર અને લાખે પક્ષીઓ મરી રહ્યાં છે એટલું જ નહીં પણ આ રાસાયણિક ઝેરે માણસનો પણ ભાગ લઈ રહ્યાં છે. ઈ. સ. ૧૯૨૯ પહેલાં પિલિકલેરિનેટેડ બાઈ ફેનીલ્સ નામનાં રસાયણની શધ થઈ ત્યારે કેઈને ખબર ન હતી કે રસાયણ વિજ્ઞાનની દષ્ટિએ આ એક અજાયબી છે. અને બીજી બાજુ જીવસૃષ્ટિ માટે ગંભીર જોખમરૂપ પણ છે. વરસે જતાં તેમના ઉપગ ઉદ્યોગમાં વધવા લાગ્યા. પ્લાસ્ટિકને નરમ બનાવવા, ઈમારતી રંગને સુંદર બનાવવા, રમ્બરને વધુ સ્થિતિસ્થાપક બનાવવા, લખવાની શાહીમાં ચળકાટ લાવવા અને બીજા ઘણાં કામમાં તેમને ઉપગ ધાવા લાગ્યું. આ રસાયણે રંગ, સ્વાદ કે ગંધ ધરાવતાં નથી. તેઓ વીજળી અને આગને પ્રતિકાર કરે છે અને ઉષ્ણતાના સારા વાહક છે. આથી વીજળીનાં સાધન બનાવતા કારખાનામાં તેમને ઉપગ વધવા લાગે. અહીં તેમને ઉપગ સીલ કરેલાં સાધનમાં જડબેસલાક પૂરી રાખેલી દશામાં થાય છે. તેથી તેમાં તે ભયરૂપ નથી. પરંતુ બીજા અનેક ઉદ્યોગમાં તેમનો ઉપયોગ ઉઘાડી દશામાં થતું હોવાથી અને કારખાનાંના કચરા સાથે તેમને પણ નિકાલ થતું હોવાથી તેઓ વનસ્પતિસૃષ્ટિ અને જીવસૃષ્ટિ માટે બહુ જોખમી છે. અમેરિકાની હડસન નદીને કાંઠે આ રસાયણોને ઉપયોગ કરનાર ઘણું કારખાનાઓ છે અને તેમને કચરો આ વિશાળ નદીમાં જાય છે. મચ્છીમારે તેમાંથી મોટા પ્રમાણમાં માછલાં પકડતા હતા. પરંતુ Page #404 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૮૯ આ વર્ષે ન્યૂયેક રાજ્યના સત્તાવાળાઓએ તેમાંથી માછલાં પકડવાની મનાઈ કરી છે, કારણ કે તેમાં પડી રહેલા પિલિકરિનેટેડ બાઈ ફેનીલ્સના કારણે માછલાં ઝેરી બની ગયાં છે. ૪૫ વર્ષ પહેલાં આ રસાયણની શોધ થઈ ત્યારે મર્યાદિત ઉપગના કારણે તેઓ પ્રદૂષણ ફેલાવતાં ન હતાં. પરંતુ ૧૯૯૮ માં ૧૬૦૦ જાપાનીઓ તેમના ઝેરના સપાટામાં આવી ગયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. તેમના શરીરે ત્રણ થયાં હતાં, તેઓ ઊલટી કરતા હતા અને તેમની આંખે સૂજી આવી હતી. તેમણે આ રસાયણેથી પ્રદૂષિત થયેલું તેલ ખાધું હતું. આ ઘટનાથી જાપાની સરકાર ચેતી ગઈ અને તેણે તેમના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો. ત્યારથી આ રસાયણના જોખમ પ્રત્યે સુધરેલી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. ૧૯૭૦માં કેમ્પબેલ સુપ કર્યો. રેશને જોયું કે તેના કારખાનામાં ખેરાકની વાનગીઓ બનાવવા માટે દોઢ લાખ કૂકડાના શરીરમાં આ પ્રદૂષણનું ઝેર પહોંચ્યું છે. જે કુકડાની તપાસ કર્યા વિના વાપરી નાખવામાં આવ્યા હોત તો આ ઝેર કેટલા લાખ માણસના શરીરમાં આવી ગયું હેત ! આ રસાયણે ઊડીને કે છેવાઈને ધરતીમાં ગયાં હતાં. ત્યાંથી કૂકડાના ખેરાકમાં ગયાં હતાં અને ખોરાક વાટે કૂકડાના શરીરમાં ગયાં હતાં. કોર્પોરેશને તત્કાળ આ બધા કૂકડાને નાશ કરી નાખ્યો. જાપાને જે સાવચેતી વાપરી એ અમેરિકાએ ન દાખવી, કારણ કે ત્યાં રાક્ષસી કદનાં કર્પોરેશને પ્રદૂષણ કરતાં પિતાની આવકની વધુ કાળજી રાખે છે. આથી ૧૯૭૨ સુધીમાં અમેરિકાની લગભગ બધી મોટી નદીઓ દૂષિત થઈ ગઈ. કેઈ કેર્પોરેશને પિતાને દૂષિત કચરો પરભાર નદીઓમાં ઠાલવતા હતા, તે કોઈ કોર્પોરેશનને કચરો વરસાદમાં ધોવાઈને નદીઓમાં જતું હતું. પ્રદૂષણનું સૌથી વધુ પ્રમાણ હડસન નદીમાં છે. અહીં-કેપેસીટર બનાવનાર બે કદાવર કારખાનાં રોજના ત્રીસ રતલના હિસાબે ૧૯૫૦થી દૂષિત કચરો ઠાલવતાં આવ્યાં છે. જે ખેરાકના દસ લાખ ભાગે પાંચ ભાગ સુધી ટી. સી. બી. (પાલિકલેરિનેટેડ બાઈ ફેનિલ્સ) હોય તે ત્યાં સુધી Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] વિજ્ઞાન અને ધ સરકારી ધારાધેારણા છૂટ આપે છે. પરંતુ હડસન નદીની એક વાય માછલીનું શરીર તપાસતાં તેમાં ૫ ભાગને બદલે ૫૬૦ ભાગ આ રસાયણાના મળી આવ્યાં. તેના અર્થ એ કે કોઈ માણસ આવી માલી છ ઔ'સ જેટલી ખાય તે આખી જિંદગીમાં તેના શરીરમાં પ્રદૂષણ પહોંચે. તેના ૫૦ ટકા એક જ ભાજનમાં પહોંચી જાય. આમ હડસન જેવી નદીના માછલાં એવા જોખમી થઈ ગયા છે કે એક લેખકે લખ્યું છે કે “મચ્છીબજારમાં માછલા ખરીઢવા જવું એ જ્યાં અસંખ્ય સુરગેા દાટેલી હાય એવી ધરતી પર ચાલવા ખરાખર છે” આ રસાયણેા કેન્સર પણ ઉત્પન્ન કરે છે. ન્યૂયોર્ક રાજ્યના સત્તાવાળાએએ જનરલ ઇલેક્ટ્રિક કોર્પોરેશનને નેટિસ આપી છે કે આવતા સપ્ટેબર સુધીમાં તમારાં કારખાનાંમાંથી આ પ્રદુષણના ફેલાવા સંપૂર્ણ રીતે અટ્ઠી જવા જોઈએ. ર્પોરેશનને જવાબદાર ઠરાવવામાં આવેલ છે. તેણે હવે પ્રમાણ તે ઘટાડ્યુ છે. રાજનું ત્રીસ રતલ પ્રદૂષણ નદીમાં જતું હતું તે ઘટાડીને હુવે આશરે એ રતલ જેટલું નાખવામાં આવે છે, સત્તાવાળાએ આ પ્રમાણ ઘટાડીને આશરે ન રતલ પર લાવવા માગે છે. કોર્પોરેશને નદીને શુદ્ધ કરવા માટે ૨૦ લાખ ડાલર આપવાની તૈયારી બતાવી છે. ટી. સી. મી. ના કુળનું એક ખીજુ` રસાયણ અમેરિકામાં પશુપક્ષીઓના ભાગ લઈ રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં ૩૨,૦૦૦ ગાયેા, ૬૦૦૦ જેટલા ભૂંડ, ૧૪૦૦ જેટલાં ઘેટાં, ૧૫ લાખ જેટલાં મરઘા બતકાં અને અસંખ્યાત ઈંડાં આ રસાયણના પ્રદૂષણથી માર્યા ગયા છે. ઉપરાંત પુષ્કળ પ્રમાણુમાં ચીઝ, માખણ અને દૂધની ભુક્કીને નાશ કરવા પડયો છે. આ રસાયણનું નામ છે પાલી બ્રોમિનેટેડ ખાઈ ફેનિલ્સ અથવા ટૂંકામાં P. B. B. આથી ઘણા અમેરિકન ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ૧૯૭૩માં ક્રેડિક હેલ્મટ નામના એક ગોસંવ ક રસાયણવિજ્ઞાનીએ જોયું કે તેની ગાયાની ભૂખ મરી ગઈ છે. તેની ગાયા રાજ ૧૩૦૦૦ રતલ દૂધ આપતી હતી તે ઘટીને ૭૬૦૦ રતલ થઇ ગયું. પશુચિકિત્સકો તેનું કારણ શેાધી શકયા નહીં આથી હેલ્પને Page #406 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી [૩૯૧ પોતે સંશોધન શરૂ કર્યું. જુદે જુદે ઠેકાણેથી ખેરાક લાવીને જુદી જુદી વાછડીઓને ખવરાવવાથી જાણી શકાયું કે ક્યાંથી લાવેલે ખેરાક વાછડીએની ભૂખને મારી નાખે છે. સંશોધન ઉપર ખીસામાંથી પાંચ હજાર ડોલરનો ખર્ચ કર્યા પછી તેણે શોધી કાઢયું કે એ ખોરાક P. B. B. રસાયણ વડે દૂષિત થયેલ છે. ૧૯૭૪માં તેણે પિતાની બધી ગાયને કરેન્ટાઈનમાં મૂકવી પડી અને તેને પિતાની ૮૦૦ ગાયને નાશ કરી નાખ પડ્યો. પ્રદૂષણ કર્યું કોર્પોરેશન ફેલાવે છે તે જાણ થયા પછી જેટલા ખેડૂતોએ તેનાથી સહન કરવું પડયું હતું તેમણે મિશિગન કેમીકલ કોર્પોરેશન સામે દાવા માંડ્યાં, અત્યાર સુધી એ કેર્પોરેશને ત્રણ કરોડ ડોલર ખેડૂતોને નુકસાની તરીકે ચૂકવ્યા છે. હજુ ત્રણ દાવા ઊભા છે અને હજી વધુ દાવા થશે. વિજ્ઞાન અને ઉદ્યોગોની પ્રગતિ માટે કોઈ વાર કેવી ભારે કિંમત ચૂકવવી પડે છે તેનાં આ દષ્ટાંત છે. ખેડૂતે એવો દાવો કરે છે કે આ પ્રદુષણથી અમને પિતાને માથું દુખે છે, ચક્કર આવે છે અને સાંધા દુખે છે. એક ખેડૂતે પિતાની ૬૦૦ ગાયે ગુમાવી. મરેલી ગયેને ખાઈને બીજા પ્રાણીઓ પ્રદૂષણને ભેગ ન બને તે માટે અત્યાર સુધી ૩૨,૦૦૦ કરતાં વધુ ગાયને ઊંડા ખાડા કરીને દાટી દેવામાં આવી છે. માંદી પડેલી ગાયે પીડાયા કરે તે કરતાં તેમને ગોળીથી ઠાર કરીને મારી નાખવામાં આવે છે અને દાટી દેવામાં આવે છે. પશ્ચિમી દેશમાં અમુક ઓલાદની ગાયે વધુમાં વધુ દૂધ આપે એવી રીતે ઉછેરવામાં આવે છે અને અમુક ઓલાદની ગાયે વધુમાં વધુ માંસ માટે ઉછેરવામાં આવે છે. તેમના ખોરાકમાં પ્રદૂષણ જાય એટલે માંસ અને દૂધ દ્વારા માણસના શરીરમાં પણ જાય આથી તેમને મારી નાખીને દાટ દીધા સિવાય બીજો રસ્તો નથી. એક ખેડૂતે ગયા નવેંબરમાં પિતાની ૧૫૦ ગાયે મારી નાખી. જાપાને અને અમેરિકાએ જે સહન કર્યું તે આપણા માટે આંખ ઉઘાડનારે ભૂતકાળ હવે જોઈએ. રસાયણે, પેટ્રેલ કેમિકલ્સ, કાગળ, તેલની રિફાઈનરીઓ, વગેરે, રંગ વગેરેનાં કારખાનાં વધુમાં વધુ પ્રદ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨] વિજ્ઞાન અને ધર્મો ષણ ફેલાવે છે. તેમનું પ્રદૂષણ હવા, પાણી ને જમીન ઉપર ફેલાય છે. મુંબઈમાં ચેંબુરની આસપાસના વિસ્તારા પ્રદુષણના ભાગ બન્યા છે. ઘણું પ્રદૂષણ સમુદ્રમાં ફેલાય છે. પાણી સાથેના રાસાયણિક પ્રક્રિયામાં પાણીમાંના એક્સિજન વાયુ વપરાઈ જાય છે આથી આવા પાણીમાં જો માછલાનું ટોળું આવી ચડે તે તેએ ગૂગળાઈને મરી જાય. મુંબઈના દરિયાકાંઠે કોઈ વાર લાખા સડેલાં માછલાં આવે છે તેનું કારણ આ જ છે. થાડાં વર્ષો પહેલાં વડાદરા પાસે એક તળાવડીમાં સરકસના હાથીએ પાણી પીવા ગયા. તે પીને રિમાઈને મરી ગયા કારણ કે તે તળાવમાં એક રાસાયણિક કારખાનાનું પ્રદૂષણુ પડતું હતું. યુરોપ, અમેરિકા અને જાપાનની સરખામણીમાં આપણાં રાસાયણિક અને બીજા ઉદ્યોગા કશી વિસાતમાં નથી એમ કહીને એ બામતમાં આંખ આડા કાન કરવા જેવુ' નથી, કેમ કે આપણા દેશમાં પણ રાસાયણિક ઉદ્યોગે દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આ વિકસિત દેશના અનુભવમાંથી આપણે બધપાઠ લેવા જોઈએ. લે. વિક્રમાદિત્ય [ ક્લેશમાંથી સાભાર ] Page #408 -------------------------------------------------------------------------- ________________ 9s {" তা সুখে, ইs/-)