SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અગણિત વંદન, ખિનાગમોને કરવા એ કાયર બને છે, સત્યના પ્રયોગ કરવા એ ઉદાસ બન્ય છે; સત્યને પચાવવાની આરાધના કરતા સાધકને સત્સંગ કરવાથી, છતાં આશાનું એક કિરણ દૂરસુદૂરના અંતરિક્ષમાં લિસોટો પાડતું દેખાય છે કે આ આ પણ છે તે માનવને? જડ તે નથી જ ને? તે ચાલે, ચાલે એક પ્રયત્ન કરીએ એને સમજાવવાને. મહાઅભિમાની હરિભદ્રનાં અરમાનને પણ જેણે ચૂર ચૂર કરી નાંખ્યાં તે આજના માનવની મલિનતાને જિનાગમનાં એ સત્યે નહિ પખાળી. શકે શું? વિષયવાસનાઓની એની આગને બુઝાવવાનું નાનકડું કામ. નહિ કરી શકે શું? જે આજના માનવને સત્ય જ ગમે છેઃ ખોટી કટ્ટરતા અણુ-- ગમતી બની છે તે જિનાગમના સત્યની મહોબ્બત કરાવવાનું કામ ઘણું સહેલું બની જાય છે. જે આજના માનવને વિજ્ઞાન જ ગમે છે તે જિનાગમની સત્યતા એ વિજ્ઞાનના જ આધારે પ્રગટ કરી દઈને એના અંતરમાં ઠસાવી દેવાનું કામ રમત વાત બની જાય છે. જે આધુનિક માનવ આજના પ્રગતિવાદમાં આંધળી દોટ મૂકીને. હવે કાંઈક થાક્યો જણાય છે તે આ મંગળ તકે એના અંતરમાં જિનાગમનાં સત્ય ઠસાવવાનું કામ જ બહુ શેડી મિનિટો માંગે છે. જિનાગમના અણપ્રીછક્યા મને જેણે ભેડાઘણુ પણ સ્પર્ધો છે એ માનવ તે આજના યુગને પ્રેમથી સાદ દેતે કહેશે કે, આ સહ, અહીં આવે. થાક્યા પાક્યા બધા અહીં આવે, સત્યના પ્રેમીઓ, તમે સહું અહીં આવે. જીવન શું છે? જગત શું છે? આત્મા શું છે? જડ શું છે? તે બધું હું તમને. સમજાવીશ. તમારે અણુ-પરમાણુ અંગે વાત કરવી હશે તે તેની પણ વાત કરીશ. આ લોકેના સુખની વાત કરવામાં તમારી દિલચસ્પી. હશે તે તે પણ કરીશ. વૈજ્ઞાનિકની શેહેની પણ વાત કરીશ. અને આજનાં વ્યસનેએ સજેલી હોનારતની પણ વાત કરીશ. તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy