SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેતાત્મા સાથે વાતચીત [૧૫૩ પ્રભુત્વ મેળવી પોતાનામાં મહાન આધ્યાત્મિક શક્તિ છે એમ કેને મનાવવાની ઈચ્છા હોય છે. તેમને ઈરાદે માત્ર ભેળા અને છેતરી શકાય તેવા લેકેને બનાવવાને જ હોય છે. (આ વિચાર ખૂબ ગંભીર છે. અવસરે આપણે “પ્લેન્ચેટ’ વગેરેથી પ્રેતેની પાસેથી ઉત્તરો મેળવવા સંબંધમાં વિસ્તારથી વિચારણા કરવી છે. આ આધુનિક તરકીબ છે એટલે એને નામ સાથે જિનાગમમાં નિર્દેશ ન મળે એ સ્વાભાવિક છે. પરંતુ જિનાગમના-સિદ્ધાન્ત આ વિષેની સત્યાસત્યતા માટે શું કહી શકે તે આપણે જરૂર વિચારી શકીએ. અહીં એ વાતને ખ્યાલ રાખવો કે આ પ્રેતાત્માઓએ પ્લેન્ચેટ વગેરે બધી બાબતમાં ભૂવા વગેરેની યુક્તિઓ અને છળપ્રપંચની વાત કરી, તથા એ રીતે દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવવાનું કહ્યું તે બધું ઘણે અંશે તે બરાબર જ છે; કેમકે આજે આવા ઘણું પ્રપંચે દુનિયામાં ચાલી રહ્યા છે, પરંતુ પ્રેતામાત્માનું આ સંપૂર્ણ સત્ય છે એમ નહિ કહેવાય. કેમકે જેમ ભમતા ભૂવાઓને કુતૂહલ કરવાની અને પ્રભુત્વ જમાવવાની વૃત્તિ હોય છે, તેમ કેટલાક હલકી કોટિના પ્રેતાત્માઓને પણ આવી વૃત્તિ હોય જ છે. એ સિવાય જેમને આ જગતના કેટલાક સંબધમાં હજી આસક્તિ રહી ગઈ હોય તેવા પ્રેતાત્માઓ પણ આ દુનિયામાં આકર્ષાય છે. આમ કેટલીક વાર એવું પણ બની જાય છે કે જે ઘણું અસત્યેની વચ્ચે સત્ય સ્વરૂપે દેખા દઈ દે છે. હવે અહીં સહજ રીતે એક પ્રશ્ન ઊઠશે કે તે શું પ્લેન્ચેટ વગેરેમાં પ્રેતાત્માઓ પ્રવેશ કરે છે? આનું સમાધાન એ છે કે હા, જરૂર. કેટલીક વાર પ્રેતાત્માઓ પ્રવેશ કરીને જ મનુષ્ય દ્વારા જવાબ આપે છે. આ વિષયમાં જેન દાર્શનિકનું એવું મંતવ્ય છે કે કેટલાક કુતૂહલપ્રિય પ્રેતાત્માઓ, કે જેમને આત્મા આ પૃથ્વી ઉપર જ્યાં ત્યાં ભમતે જ રહે છે, તેઓ જ્યારે આવી કઈ પ્લેન્ચેટ વગેરેની ક્રિયા થતી હોય ત્યારે ત્યાં આવી જાય છે. જે તેને તોફાન જ કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy