SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] વિજ્ઞાન અને ધર્મ ડેડી, આ તે મારી દેરી છે.” ખરી રીતે એ દેરી જેઆનાની હતી. જેનીફર પણ ત્યાં હતી, પેટીમાંથી બે ઢગલી મળી હતી તેમાંથી એક જેકલીનની હતી. ઢીંગલી પર નજર પડતાં જ જેનીફરે બૂમ પાડવા માંડી, “આ મારી મેરી મને આપ!” ખૂબીની વાત એ છે કે જેકવેલીને આ ઢીંગલીનું નામ મેરી પાડયું હતું અને જેનીફરે તે એને પહેલી વખત જ જોઈ છતાં તેણે બે ઢીંગલીમાંથી પિતાની ઢીંગલી ઓળખી લીધી અને તેનું નામ સુદ્ધાં તે બોલી ઊઠી. ચકિત કરી દેતા આવા અનેક પ્રસંગોનું વર્ણન કરતાં શ્રી પુલેક કહે છે, “એકવાર ઘરનું રંગકામ કરતી વખતે મેં પત્નીને જૂને સફેદ લીનનને કેટ પહેર્યો. અકસ્માત થયા પછી કેઈ વખત આ કોટ વાપરવામાં આવ્યું ન હતું. જેનીફરે આ કોટ છે કે તરત પૂછ્યું, “અરે ડેડી! મમ્મી જે કેટ, શાળાએ પહેરીને આવતી એ તમે કેમ પહેર્યો?” હું આ સાંભળીને વિચારમાં પડી ગયે, કારણ આ એ જ કેટ હતું, જે મારી પત્ની, જેકવેલનને શાળાએ લેવા જતી ત્યારે પહેરી જતી!” અકસ્માતમાં અમે બે પુત્રી બેઈ છે એમ અમને કદી લાગ્યું ' જ નથી. કદાચ એ વાત તમને માનવામાં નહિ આવે, પણ મારે તે જે હેય તે પ્રામાણિકપણે કહેવું જોઈએ. હું એ હળવી રીતે નથી કહેતે. અમે એ છેકરીઓની કબર પર પણ નથી જતાં કારણ કે અમને નથી લાગતું કે અમારી પુત્રીઓ હવે ત્યાં પોઢેલી છે. અમને એમ લાગે છે કે તે બંને જોડિયા બહેનના સ્વરૂપે અમારી પાસે જ છે. હું ઘણી વખત આ વિષે ઊંડે વિચાર કરવા ધારું છું પણ તમે જે તમારી આંખેની સામે જુએ છે, કાનેથી સાંભળો છે તેને કેવી રીતે નકારી શકે આ જોડિયા બહેનના પુનર્જન્મના અદ્ભુત કિસ્સા વિષે સંશોધન કરનાર ડે. બેનરજી એકલા જ નથી. અમેરિકાની વરછનિયા યુનિવર્સિટીના પ્રેફેસર ડે. ઈયાન સ્ટીવનસન, જેઓ માનસશાસ્ત્ર અને જ્ઞાનતંતુઓના અભ્યાસી છે, તેઓ પણ આ વિષે વધુ સંશોધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy