SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને ધર્મ પાછળ પણ તેમના છાયા-પુદ્ગલેની પવિત્રતાની સ્પશના જ કારણ હશે ને? જે સ્ત્રીને અટકાવ (M. C) આવે છે તેને ભારતની આર્યસંસ્કૃતિ મુજબ ત્રણ દિવસ સુધી બધી પ્રવૃત્તિથી દૂર થઈને કોઈને પણ સ્પર્શ સુદ્ધાં કર્યા વગર એક ખૂણે બેસી રહેવાનું હોય છે એનું પણ આ જ કારણ છે કે તેવી સ્ત્રીમાંથી નીકળતા દ્રવ્યને ગુણ તામસ ભાવ ઉત્પન્ન કરે છે. જે તે લેટ બાંધે તે તેના અંગે માંથી વહેતું દ્રવ્ય લેટને તામસગુણ બનાવે. તે લેટ ખાનાર વ્યક્તિ પણ તામસભાવવાળી બને. એવી સ્ત્રીના પડછાયાથી વડી, પાપડ વગેરેમાં વિકૃતિ આવી ગયાના દાખલાઓ તે ઘણાને પ્રત્યક્ષ થયા છે. પ્રાચીન લેખક “પ્લીની” કહે છે કે માસિક ધર્મવાળી સ્ત્રીની હાજરીથી દારૂ પણ બગડી જતો હત; ઝાડ ઉપરનાં ફળ ખરી પડતાં હતાં. કાચાં ફળ સુકાઈ જતાં હતાં; ઝાડ વાંઝિયાં થઈ જતાં બુઠ્ઠાં થતાં પિત્તળ ઉપર કાટ ચડી જતો. વીએના યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડે. સીકીએ મેડિકલ રિબૂમાં એક નેંધ આપતાં કહ્યું છે કે “રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ જીવંત સૃષ્ટિ ઉપર ખૂબ જ માઠી અસર કરે છે. આત્તર્વદર્શનનું ઝેર રજસ્વલાના શ્વાસોશ્વાસમાં નથી પરંતુ એના પરસેવામાં છે, જે લેહીના લાલ રજકણમાં જોવા મળે છે. પસીને અને રક્તકણો દ્વારા આ ઝેર બહાર આવે છે. એની વિશિષ્ટ સ્થિતિ તે એ છે કે એ ઝેર શરીરમાં ૧૦૦ ડીગ્રીએ ઊકળતા પાણીમાં પણ નાશ પામતું નથી. ગરમીમાં રાખ્યા પછી કે પાણીમાં ઉકાળ્યા પછી પણ એની વનસ્પતિ સૃષ્ટિ ઉપર ઉગ્ર અસર કરવાની તાકાત જેમની તેમ જ જેવા મળે છે. શરીર–સ્વાથ્ય માટે આ ઝેર હાનિકારક છે. તેના સ્પર્શથી જીવનશક્તિને ક્ષય થાય છે.” આ વિધાન પ્રાચીન આર્યસંસ્કારને ભારે બળ આપી જાય છે. સપ્ટેમ્બર ૧૯૬રના નવનીત અંકમાં “મક્કા અને કાળા શીર્ષક હેઠળ એક લેખ આવ્યું હતું. તેમાં લેખકે જણાવ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy