SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ-અંધકાર-છાયા [૨૪૫ પ્રતિબિ’બનાં લાખા રૂપકા અને છે, તે આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય પણ છે અને છેવટે અસલી પ્રતિબિંબરૂપે રજૂ થાય છે. એની વચ્ચે તે અનેક સૉંસ્કારોમાંથી પસાર થાય છે. આ રીતે પ્રતિબિંબ એ પુદ્ગલ પરમાણુઓની જ એક અવસ્થા હાવાનું સિદ્ધ થાય છે. કેમેરાની પ્લેટ ઉપર ફોટો ખે ́ચાવનારનુ છાયા–પ્રતિબિબ જ સંગૃહીત અને છે ને ? એક જગાએ બેઠેલે માણસ તે જગાએથી ખસી જાય ત્યાર પછી પણ અડધા કલાક સુધીમાં તે જગાને કૅમેરાનું લક્ષ બનાવીને તે માણસ વિના તેની બેઠેલી મુદ્રાના ફોટો લેવાતા હેાવાનુ સાંભળ્યું છે. આ વસ્તુ પણ એ જ વાત સાબિત કરે છે કે માણસના ઊઠી ગયા પછી પણ તેના શરીરમાંથી છૂટેલા છાયા-પુદ્ગલા ત્યાં જ સૉંગૃહીત થઈને રહ્યા હતા તે જ છાયા-પુદ્ગલેા કેમેરાની ઉપર પ્રતિબિંબિત થયા. જૈનદાનિકો કહે છે કે ખારપરિણામી પુદ્ગલકામાં પ્રતિસમય જળના ફુવારાની માફક આસ્પર્શી પુદ્ગલસ્ક ધાનુ વહન ચાલુ જ રહે છે. તે એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તે પણ તે પુદ્ગલસ્કધના સમુદાય, પ્રકાશ વગેરેના નિમિત્ત દ્વારા, અગર કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિંડિત થઈ જાય છે ત્યારે જ તેને જોઈ શકીએ છીએ; અને તેને છાયા-પ્રતિબિબના નામે આળખીએ છીએ. આ પુદ્ગલસ્કને અંગ્રેજીમાં ‘ મેગ્નેટિક ફલ્યુ ' કહેવાય છે. વિશ્વના સ્થૂલ પરિણામી પદાર્થમાંથી નજરે ન દેખાય તેવું પ્રવાહી જેવું એ સૂક્ષ્મ દ્રવ્ય છે. આયુર્વેદમાં અમુક ચેપી રોગથી દૂર રહેવાનુ' જે કહેવામાં આવ્યું છે તેનુ પશુ આ જ રહસ્ય છે કે રાગીના શરીરમાંથી નીકળતી છાયાના અણુઓ, પાસે બેસેલાની ઉપર અસર કરે છે. મહાપુરુષના ચરણાદિના સ્પર્શ કરવા કે તેની પાસે બેસવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy