SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બગાડવું; દેહાવ્યું; બાળ્યું. લેક્શાસન લાવીને સંતશાસન દૂર હડસેલ્યું બહુમતીવાદનું એકઠું ગોઠવીને શાસ્ત્રમતીના વિચારને દેશવટો દેવડા -નારીની ગુલામીની વાતો કરીને ઉઘાડે છોગ, ઊભી બજારે અને બે દહાડે નારીનાં શીલ તૂટતા લાખો દુઃશાસને પકવી દીધા. નિરાધ, ગર્ભપાત, છૂટાછેડા, સિનેમા, સહશિક્ષણ, બ્લ–બુક, ખુફિલમ, રેડિયે, ટેલિવિઝન, મેગેઝીને, કલબ, જીમખાનાંઓ, હોટલે અને પરિસંવાદની જનાઓના વિવિધ સાણસામાં ખમીરવંતી અને પવિત્રતાના પંજ સમી હિન્દુ પ્રજાને આબાદ જકડી લીધી. બસ...હવે એનાં પરિણામો જાહેર થતાં જ રહ્યાં છે. શ્વેત પ્રજાને પણ કલ્પનાતીત–એવા ઝડપી વેગથી પરિણામો આવી રહ્યાં છે. નારીનું શીલ લૂંટાયું છે. યુવાનનું મીઠું વેરાઈ ચૂકયું છે, ક્ષત્રિયોનું ક્ષાત્રવટ રહે સાઈ–પિસાઈ ચૂક્યું છે. વેપારીઓનું તેજ સ્થાયું છે, સંતોનું બળ તૂટયું છે, ધર્મોનું અસ્તિત્વ પૂર્ણ પણે જોખમાયું છે, જોર વધ્યું છે ગુંડાશાહીનું, તકવાદીઓનું, અનાચાર અને અનીતિનું, આંધી અને અંધાધૂધીનું, અસ્થિરતા અને અરાજકતાનું, કામના ઉન્માદ અને અર્થની મલિનતાનું. હજી એ યુદ્ધ નવાં નવાં શસ્ત્રો સાથે આગળ વધી જ રહ્યું છે. બધાયને ભારતીય બનાવી દઈને-સહુને જૈન, બ્રાહ્મણ, વૈષ્ણવ, બૌદ્ધ તરીકે મીટાવી દેવા માટે “ભારતીયકરણનું ભયાનક શસ્ત્ર કયારનું ફેકાઈ ચૂક્યું છે. સંતોની સંતશાહીના બળને હતપ્રત કરી નાખવા માટે હિપીઓનાં ટોળાં છુટી ગયાં છે. ગામડે ગામડે તેઓ ફેલાઈ જશે. અફલાતુન ધ્યાન ધરશે અને માળાના મણકે મણકે ભારતીય ધર્મપ્રણેતાઓનાં મનગમતાં નામ જ પશે. હરેકૃષ્ણની ધૂન મચાવતી મંડળીઓએ મુંબઈમાં પ્રવેશ કરી દીધો છે. દરેક ધર્મના પુણ્યશાલી ગણાતા સંતેમાંના એકાદ બેને ઉચ્ચ કક્ષાનું માન આપીને ભેળવી દઈને, તેમની પાસે અનેક ગેરાઓ સમૂહમાં -દીક્ષા લે અને એ સાધુસંસ્થામાં પ્રવેશ કરી પગ પહોળા કરે એવી અનેક તબક્કાઓ સાથેની એજના ખૂબ જ ટૂંકા સમયમાં અમલી બનશે. આમાંને પહેલે તબક્કો પૂર્ણ થયો હોવાથી દરેક ધર્મના આગેવાનોમાં એક, બે કે પાંચ અમીચંદે તૈયાર પણ થઈ ચૂક્યા છે. કામચલાઉ દીક્ષા, ફાવે તેને દીક્ષા, સબ ભૂમિ ગોપાલકી, સબ સમાનતાનો વાદ, વગેરે વગેરે શસ્ત્રો અત્યંત ઘાતકી પુરવાર થવાનાં છે. હિંદુ પ્રજા સાથે હજારો વર્ષોથી અવિભક્ત રહેલા જૈનધર્મ પાળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy