SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮] વિજ્ઞાન અને ધર્મ “જે તમે બધા સાંજથી સવાર સુધી મંદિરની પ્રદક્ષિણા નહિ કરે તે પ્રભુને કેપ તમારી ઉપર ઊતરશે.” બધાએ તેને દેવવાણી માનીને સાંજથી સવાર સુધી મંદિરની પરિકમ્મા કરી. (આ અને ઉપર વર્ણવેલી ઘટનાઓ ઉપર તમે જોઈ શકશે કે તમારી માનવીની માન્યતાઓ કેટલી બેટી છે અને તમારું અજ્ઞાન કેટલું ગજબનાક છે. તમે બધા તે ઘટનાઓમાં ઈશ્વરી શક્તિના ચમત્યારે જુઓ છો તે તદ્દન ભૂલ ભરેલું છે,) ભારતીય દર્શનમાં જૈન દર્શન સિવાયના બીજા બધા પ્રચલિત ધર્મોને અનુયાયી વર્ગ આ પ્રેતાત્માએ કહ્યું તેવી ભ્રાન્તિમાં આબાદ અટવાઈ ચૂકેલ જોવા મળે છે. જ્યાં ક્યાં ય કોઈ ચમત્કાર જોવા મળે છે ત્યાં તેને ઈશ્વરદત્ત ચમત્કાર તરીકે જ સ્વીકાર લઈને સ્થાનને કે એ વ્યક્તિને ખૂબ જ વધુ પડતે મહિમા વધારી મૂકતા હોય છે. પ્રેતાત્માઓની કુતૂહલભરી તેફાની વૃત્તિમાંથી જ આવી પ્રવૃત્તિઓનું સર્જન થાય છે એ વાતની ગંભીરપણે જે કોઈએ નોંધ લીધી હોય તે માત્ર જૈનદર્શને જ લીધી છે. જેન જગતના કઈ અનુયાયીને આ ચમત્કાર થાય કે જેવા મળે તે પણ તે તેને ઈશ્વરદત્ત કહેવા તે કદી તૈયાર ન થાય પરંતુ દૈવી ચમત્કાર જ કહે. કેમકે એના અંતરમાં ઈશ્વર (પરમાત્મા) અને દેવ (પ્રેત વગેરે) વચ્ચેની મેટી ભેદરેખા બરાબર ઉપસી આવેલી હોય છે.) [૧૮] પ્ર. તમે તમારી અત્યારની અવસ્થાને માનવ-જીવન કરતાં ચડિયાતી માને છે? ઉ. તમને–પૃથ્વી પરના માનવને – પ્રેતાત્મા સૃષ્ટિનું સાચું જ્ઞાન નથી માટે તમે બધા અમને હીન ગણે છે અને અમારાથી ડરે છે...પણ તમને ખબર નથી કે કુદરતી ઉત્ક્રાંતિના વિકાસના ક્રમમાં દરેક જીવને પ્રેતાત્માની સૃષ્ટિની અનુભૂતિમાં પસાર થવું પડે છે. આ વિષયમાં મારું એમ માનવું છે કે જેમ સેનાને અલંકારસ્વરૂપ આપવા પહેલાં વિવિધ કિયાઓથી પસાર થવું પડે છે, તે જ રીતે આધ્યાત્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy