SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨] વિજ્ઞાન અને ધર્મ એ ભય વગેરેની ગ્રન્થિની પીડાનાં કારણે ઉકેલી શક્તા નથી કેમકે તેમને તેમના વર્તમાન જીવનમાં તેનાં કારણે મળતાં જ નથી, પણ જે વશીકરણવિદ્યાને આશ્રય લેવામાં આવે અને છઠ્ઠા નંબરનું સૌથી વધુ ઊંડું વશીકરણ તેમની ઉપર થાય તે તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ ખડી થાય અને તેમાંથી વર્તમાનકાળની ભય-ગ્રન્થિની પીડાનાં કારણે પકડી શકાય. આજને બુદ્ધિવાદી માનવ માને કે ન માને પણ આ સિદ્ધાંત ઉપર એ લેકેએ અનેક માનવેને ભયાદિની ગ્રન્થિથી મુક્ત કર્યા છે અને એમને સુખી કર્યા છે. અહીં તે આપણે બે જ દાખલા વિચારશું: એક માણસ હતે. તે કઈ દિવસ “લિફટમાં ઊતરતે નહિ, કેમકે તેને પડી જવાને ખૂબ ભય હતે. એક વખત એક હીને ટિસ્ટની પાસે ગયે. પિતાની સઘળી વાત કરી. તપાસ કરતાં આ જીવનમાં તે તેવા ભયનું કોઈ કારણ ન જણાયું, તરત તેને સુવડાવી દેવામાં આવ્યું. અને ઊંડું વશીકરણ (deepest hypnotism) કરવામાં આવ્યું. અને તે વખતે માણસે પોતાને “ચાઈનીઝ જનરલ તરીકે ઓળખાવ્યું અને તેણે કહ્યું “હું ખૂબ ઊંચા મકાન ઉપરથી અકસ્માત પડી ગયે અને મારી ખેપરી ફાટી ગઈ. મારું મૃત્યુ થયું. ત્યાર બાદ તેને ટેબલ ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યું, અને હીગ્નેટિસ્ટે તેને બધી વાત જણાવતાં કહ્યું કે, “જે અકસ્માત થયે તે વખતે તમારા મગજમાં ઉપરથી નીચે પડવાના ભયની લાગણીઓ સર્વત્ર પ્રસરી ગઈ. એ સંસ્કારે આજે પણ “લિફટ'માં નીચે ઊતરવા જાગૃત થઈ જાય છે. આ જ એક બીજે કિસ્સે બન્યું છે. એક બાઈ હતી. તે પાણીથી ખૂબ ગભરાતી હતી. કદી પણ નદી, તળાવ, સમુદ્ર વગેરે પાસે જતી નહિ. આ બાઈ પણ એક હીગ્નેટિટની પાસે ગઈ. પિતાની ભયગ્રન્થિની વાત કરી. વર્તમાન જીવનમાં આવા ભયનું કોઈ કારણ ન મળતાં તેની ઉપર પણ પૂર્વજોની સ્મૃતિ તાજી કરતું ઊંડું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy