SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર અને જગત્યત્વ [૧૮૧ સુખને સાચે રસ્તે ત્યાગમાં છે ભેગમાં નથી!” એ ખૂબ જ મહત્ત્વની વાત કેણ સમજાવત? એ સમજણ વિના ભેગમાં જ સાચું સુખ માની લઈને એની પાછળ શક્તિ, સમય, જીવનને વ્યય કરી નાખીને અશુભ કર્મોના રજકણેને આત્મા ઉપર ચૂંટાડીને મરણ બાદ કેવા ભયંકર દુઃખમાં પટકાઈ પડત? આ બધી દુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેનારા એ સદેહમુક્ત ઈવરો છે. હવે રહી વિદેહમુક્ત ઈકવરની વાત. એઓ પણ ત્યાં રહ્યા રહ્યા અસીમ ઉપકાર કરી રહ્યા છે. ભીમભયંકર સંસારમાં રખડતા આપણામાં એમના જેવી અપૂર્વ સાધનાનું બળ તે નથી જ પરતુ એવી થંડી પળે, થેડી શક્તિ, ડો પ્રયત્ન તે આપણે આ સ્થિતિમાં પણ જરૂર કરી શકીએ છીએ કે જેમાં એ વિદેહમુક્ત ઈશ્વરોને પણ હાથ જોડીને મસ્તકથી ઝૂકી પડીએ, મનથી બોલી દઈએ કે, આપ પરમકૃપાલુ પરમાત્માને હું લાખ લાખ નમસ્કાર કરું છું. આપના દર્શાવેલા માર્ગને જ સત્ય માનું છું. મારા સ્વીકારેલા ઉન્માર્ગથી મારી જ હત્યા કરનારે હું મારી જાતને અસત્ય ભરપૂર માનું છું. આ રીતે એક પણ નમસ્કાર જે અપે છે એની એક જ ક્ષણમાં અશુભ કર્મોના અગણિત રજકણે એક જ ધડાકે આત્માથી જુદા પડીને આકાશમાં વેરાઈ જાય છે, એ રીતે આત્મા વધુ ને વધુ નમસ્કારે અપતે વધુ ને વધુ વિશુદ્ધ બનતે એકવાર પરમાત્મા બની જાય છે. આ સિદ્ધિ પામવામાં એ વિદેહમુક્ત પરમાત્માને જ ઉપકાર નથી? એમણે એવી ઉગ્ર સાધન જ ન કરી હોત તે પરમાત્મા કેણ હોત? પરમાત્મા જ ન હતા તે એ નમસ્કાર કેને હતો? નમસ્કાર ન હોત તો અહંકાર શી રીતે તૂટત? કર્મોનાં જાળાં શી રીતે ફેકાત ? વિશુદ્ધિ શું મળત? બુઝાયેલા દીપમાં ભલે તેલ છે, કેડિયું છે, દિવેલ પણ છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy