SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૯ વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ અહીં એ અંગેની શાસ્ત્રીય યુક્તિઓ આપવાને બદલે આજે જે રીતે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ થઈ છે એ જ વિચાર રજૂ કરે છે. લેકમાનસ આજે વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થયેલું છે તે તેને જ લાભ ઉઠાવીને સહુને તત્વજ્ઞાનના પ્રેમી કેમ ન બનાવી દેવા? વનસ્પતિ-વિજ્ઞાનના વિચારમાં આપણે બે વાત વિચારશું. (૧) વનસ્પતિ જીના ભેદ. (૨) વનસ્પતિ જેમાં સંજ્ઞાઓ. (૧) વનસ્પતિ જીવોના ભેદઃ વનસ્પતિના તમામ પ્રકારના છ એક ઇન્દ્રિયવાળા જ હોય . છે. કયા જીવને કેટલી ઈન્દ્રિય હોય છે તેનું ભગવાન જિનેશ્વરોએ હેરત પમાડે તેવું અદ્ભુત વર્ગીકરણ જણાવ્યું છે એ વાત આપણે આગળ વિચારીશું. અહીં તે એટલે જ વિચાર કરે છે કે જે વનસ્પતિના જીવે છે તે બધાયને તેમણે એક ઈન્દ્રિયવાળા કહ્યા છે. સામાન્યતઃ ઈન્દ્રિયે પાંચ છેઃ કમળ, ખરબચડે વગેરે ૧. | સ્પર્શનેન્દ્રિય કે ચામડી | સ્પર્શ જાણવાની શક્તિ વાળી ઈન્દ્રિય. ૨. | રસનેન્દ્રિય | જીભ | તીખ, મીઠે વગેરે સ્વાદ જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. ૩. | ધ્રાણેન્દ્રિય નાક | સુગંધ, દુર્ગધને જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. ૪. ચક્ષુરિન્દ્રિય| આંખ જેવાની શક્તિ ધરાવતી ઇન્દ્રિય. ૫. | શ્રોત્રેન્દ્રિય | કાન સાંભળવાની શક્તિ ધરાવતી ઇન્દ્રિય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy