SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્યવાણી [૩૫૫ અધિકાર જમાવશે. આ સમયે આપણે જે આપત્તિઓ અનુભવી રહ્યા છીએ એમાંની એક પણ બાકી નહીં રહે. સતયુગ જેવાં પ્રેમ, આનંદ અને કલ્યાણ સર્વત્ર વ્યાપેલાં જણાશે. આજની ગુપ્ત આધ્યાત્મિક શક્તિઓ જલદી પ્રગટ થશે અને પ્રકાશમાં આવશે.” દિવ્યદશી ડેનિયલ - શ્રી. ડેનિયલનું કથન છે “આગામી દિવસોમાં આખા વિશ્વનું શાસનસૂત્ર એક જગાએથી ચાલશે. માનવજાતિની એક ભાષા અને એક સંસ્કૃતિ હશે. શહેરની વસ્તી ઘટી જશે. લેકેને નાનાં ગામોમાં રહેવાનું વધારે સગવડભર્યું લાગશે.” શ્રી પિરા સેસલ્સનું કહેવું છે. “નવયુગને પ્રકાશ નવયુવકેથી શરૂ થશે. વૃદ્ધ લોકો સાથે તેમને ઝઘડવું પડશે. નવી પેઢી આવશે. આ બધું સન ૨૦૦૦ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.” યોગવેત્તા અહારી અમાયા મેકિસકના અહારી અમાયાએ સન ૧૯૭૦થી ૨૦૦૦ સુધીને સમય યુગ–પરિવર્તનને સંધિકાળ જણાવ્યું છે. “આ સમય દરમિયાન જુની દુનિયા તૂટી જશે અને નવા પ્રકાશની શરૂઆત થશે. આ દિવસોમાં સંસારમાં અનેક કષ્ટો, ઉપદ્ર અને સંઘર્ષો ખડાં થશે. છેવટે ઈશ્વરીય શક્તિઓ પ્રખર થશે અને દુનિયાને ભલાઈ તથા શાંતિના રસ પર ચાલવાને માટે લાચાર બનાવી દેશે.” જજ બાબેરી ઇજિપ્તની ગુપ્તવિદ્યાઓના પ્રખર પંડિત તથા તંત્રવિજ્ઞાનના ગહન અભ્યાસી જોર્જ બાબેરીએ કહ્યું છે, “ભારતમાં એક એવો આત્મા જન્મ લઈ ચૂક્યો છે કે જે નવા યુગનું વિધાન બનાવશે. અને સંસારને સુખ-શાંતિને માર્ગ બતાવશે. સ્વામી આનંદાચાય એક ભારતીય ગીને સમસ્ત સંસારમાં દિવ્યદર્શરૂપે અસાધારણ ખ્યાતિ મળી. તે સમસ્ત વિશ્વમાં ઘૂમ્યા અને દર્શનને પ્રચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy