SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪] વિજ્ઞાન અને ધર્મ એને આત્મા કઈ વિશુદ્ધ સ્થળે જવાનું હતું, પણ હકીકતમાં તેમ બન્યું ન હતું. છેવટે ઈ. સ. ૧૮૩માં આવામાં તેને જન્મ થયે. આ સ્ત્રી આયરિશ ભાષાનું લેશ પણ જ્ઞાન ધરાવતી ન હોવા છતાં તેણે સંમેહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી. લોકેએ એ વખતે આશંકા પણ કરી હતી કે કદાચ “બ્રાઈડે. મફી' નામનું કઈ પુસ્તક લખાયું હશે; જે આ રૂથ સાયમન્સ વાંચ્યું હોય અને તેથી તેવી બધી વાત કરતી હોય પરંતુ તપાસ કરતાં જણાયું કે એવું કે ઈ પુસ્તક લખાયું જ ન હતું, વળી તે બાઈ કદી આયલેન્ડ ગઈ ન હતી છતાં તેણે, કેટલા ઓરડા? રસોડું ક્યાં? ઘર સામે વૃક્ષો ક્યાં? વગેરે પુસ્તકમાં પણ ન સંભવે તેવી ઝીણવટભરી વાત પણ કરી હતી. બ્રિટિશ ઇન્ફર્મેશન સમિતિએ પણ આ વાતને પુષ્ટિ આપી. સ્ત્રીના આ નામ ઉપરથી જ મેરી બર્નસ્ટેઈને પિતાના એ. વિષયના પુસ્તકનું નામ “ધ સર્ચ ફેર બ્રાઈડે મફી” રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચે ય ટેઈપ–રેડિ"ગનું અવતરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી લેખકે એ પાંચે ય રેકેડે સારા સારા બુદ્ધિશાળી માણસને, વૈજ્ઞાનિકો વગેરેને સંભળાવી હતી અને તેમના અંગત અભિપ્રાય માંગ્યા હતા. એ બધી વાત લેખકે પિતાના તે પુસ્તકમાં જણાવી છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચે જ પશ્ચિમના વિદ્વાને માટે આઘાતજનક બાબત છે, કેમકે બાઈબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદ્દ્ર સહજ છે કે આવી કોઈ સિદ્ધિ થાય તે તેની સામે બહુ મોટે ઊહાહિ થાય; ભારે માટે વિરોધ પણ જાગે. શ્રી મેરી બર્નસ્ટેઈનને, બધી પરિસ્થિતિને સામને કરે પડ્યો હતો. તેમની સામે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તે તેમને પૂછ્યું હતું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy