SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૮૭ અને પુનર્જન્મ વચ્ચે જે તૂટેલી કડી છે તેનું રહસ્ય જયાં સુધી વૈજ્ઞાનિકો નહીં પામી શકે ત્યાં સુધી પુનર્જન્મનાં બધાં પાસાં સ્પષ્ટ નહિ થાય. "" ' એક પ્રશ્ન પૂર્વે કરવામાં આવ્યા હતા કે વશીકરણથી બધાના પુનઃ ન્માની સ્મૃતિ તાજી કરાવી શકાય કે નહિ ? એવા જ પ્રકારના અહીં પણ પ્રશ્ન થઈ શકે કે જો માણસ ફરી ફરીને જન્મે છે તે એ દરેક માણુસને પેાતાનું પાછલું જીવન કેમ યાદ આવતું નથી ? આ પ્રશ્નનું તર્કશુદ્ધ સમાધાન તા જૈનાગમામાં આપેલુ જ છે, પણ તેના નિર્દેશ કરવા પૂર્વે અર્વાચીન સમયમાં સર્વોત્તમ ! માનસશાસ્ત્રી ગણાતા ક્રોઈડ શું કહે છે તે જોઇએ. તેઓ કહે છે કે, સમયની વ્યથા અને યત્રણા એટલી બધી તીવ્ર હોય છે કે એને કારણે માનસપટ હંમેશને માટે શૂન્ય થઈ જાય છે. જન્મવેળાની આ વેદના માનસશાસ્ત્રીય વિશ્લેષણમાં ઘણીવાર ઉપર આવે છે. આ જ રીતે યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થામાં થતા પ્રવેશ પણ અતિ કપરો હાય છે. કેટલાક એવા આઘાત-પ્રત્યાધાતા આવે છે, જેના કારણે પહેલાંની ઘણી વાતા સ્મૃતિમાંથી સરી પડે છે.'' જન્મ ડો. ફ્રોઇડનું કહેવું છે કે જન્મવેળાએ બાળકનું મગજ કીડાપરંતગિયા જેવું હાય છે. એ વખતે બાળક માત્ર શારિરીક કાર્યો જ કરી શકે છે. દા. ત., શ્વાસ લેવે, ગળી જવું, ચૂસવું વગેરે. વિચાર અને સ્મૃતિએ તા ત્યારે એની શક્તિની બહાર જ હાય છે.” પરંતુ ડો. વાર તા, ક્રોઈડના આ વિધાનને સંમત થતા નથી. તેમનું કહેવું છે કે, “ચયન કરવું એ પ્રકૃતિના સનાતન ગુણુ છે. એટલે એ માત્ર આવશ્યક એટલી જ અનુભૂતિએ અને સાધનસામગ્રીને રહેવા દઈને બાકીનાના નાશ (તિરાભાવ) કરે છે.” આમ એ પરસ્પર વિરોધી વિધાના આ માનસશાસ્ત્રીએ કરે છે, ગમે તેમ હાય, પણ આ વિધાનામાંથી એટલું તા જરૂર નિશ્ચિત થાય છે કે શરીરની સાથે સાથે આત્મા નાશ પામતા નથી. એ અમર છે અને પેાતાનું શરીર બદલતા રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy