SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ આત્મા : ષટ્રસ્થાન વિચાર [૪૭ ચુંબકીયત્વ બળ વિનાના બનીને સિદ્ધ પરમાત્મા બને છે તેઓને જ આ ભયાનક રજકણે ચૅટતા નથી. આ રજકણો આત્માને લાગે છે ત્યારે પછી તેને કેમ કહેવાય છે. દરેક રજકણ “ટાઇમ-ઍમ્બ છે. જ્યારે જ્યારે એ ટાઈમ બોમ્બ ફાટે છે ત્યારે તે આત્માને સુખ કે દુઃખ આપે છે, જીવન કે મૃત્યુ આપે છે, પુરુષપણું કે સ્ત્રીપણું, માનવજીવન કે પશુ જીવન, શ્રીમંતાઈ કે ગરીબાઈ આપે છે. જેવા રાગાદિ ભાવથી રજકણે આત્મા ઉપર ચૅટ્યા હોય તેવાં ફળો સમય પાકતાં તે રજકણે, અવશ્ય બતાવે છે. કોઈ એ રેષ કરીને કીડી જેટલા જન્તની હત્યા કરી, કેઈએ ચેરી કરી, કેઈએ મિત્ર સાથે માયા-કપટ કર્યા તે વખતે જે રજકણે આત્માને ચૂંટ્યા, તે રજકણે પિતાને સમય પાતાં જ એ આત્માને દુઃખ આપે, મૃત્યુ આપે, સ્ત્રીપણું આપે, પશુ જીવન વગેરે આપે. એ જ રીતે સારું કામ કરતાં જે રજકણે આત્મા ઉપર ચૂંટે છે તે રજકણે સુખ, જીવન, શ્રીમંતાઈ વગેરે આપે છે. જડ એવા રજકણેને પણ આ સ્વભાવ છે. દરેક જડ વસ્તુને પિતાને આગ સ્વભાવ હોય છે. સ્વભાવ સામે દલીલ કામ કરતી નથી. અગ્નિને સ્વભાવ છે દઝાડવાને, પાણને સ્વભાવ છે ઠારવાને. અહીં એ પ્રશ્ન થઈ શકતું નથી કે પાણીને દઝાડવાનો સ્વભાવ કેમ નહિ? અગ્નિને દઝાડવાને જ સ્વભાવ શા માટે? આ ઉપરથી એ વાત સમજાઈ જશે કે આત્મા કમીને (રજકોને) પિતાની ઉપર ચૂંટાડવાની ક્રિયા કરતે હેવાથી કમને કર્તા છે અને જ્યારે જ્યારે એ રજકણો પિતાનાં ફળે બતાવે છે ત્યારે તેને આત્મા ભગવે પણ છે જ; માટે આત્મા કર્મને ભક્તા પણ છે. આવાં કર્મોથી આત્મા સર્વથા છૂટો થઈ જાય તેનું નામ આત્માને મોક્ષ છે. ભલે અનાદિ કાળથી આત્મા અને કમને સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy