SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માસ્તિકાય [૨૦૭ જેમ અનુમાન અને આગમ પણ પ્રમાણભૂત ગણાય છે. એટલે “ધમ ' નામનું દ્રવ્ય પણ આગમ પ્રમાણથી મુખ્યત્વે તે માનવું પડશે. પરંતુ તે સાથે તેને માનવામાં યુક્તિ પણ છે જ. સર્વ જેમાં અને પરમાણ વગેરે જડતમાં જ્યારે ક્યારે પણ જે ગતિ જોવા મળે છે તે ગતિઓ પ્રતિ એક સાધારણ બાહ્ય નિમિત્ત તે માનવું જ પડશે કેમકે બધા ય યુગપત્ પણ ગતિમાન દેખાય છે. જેમાં અનેક માછલીએની યુગવત્ ગતિના બાહ્ય સાધારણ નિમિત્ત તરીકે તળાવનું પાણી માનવામાં આવે છે તેમ અહીં પણ તેવું કેઈ ગતિસહાયક દ્રવ્ય માનવું જ પડશે એનું જ નામ “ધર્મ” છે.* વળી જે “ધર્મ” જેવું મર્યાદાવાળું ગતિસૂચક દ્રવ્ય ન હેત તે વિશ્વનું જે સંગઠન જોવા મળે છે તે ન મળત કેમકે પરમાણુઓ સતત ગતિ કરતાં કરતાં ય અનંત આકાશમાં ચાલ્યા જ કરત; સ્ક પણ એ જ રીતે ગતિ કર્યા જ કરત, આમ થતાં પરમાણુ આદિનું જે સંગઠન થાય છે અને તેમાંથી જે વિશ્વ બને છે તે બધું ય ન બનત. એટલે પરિમિત અને સંગઠિત વિશ્વને ઘટમાન બનાવવા માટે જ અમુક મર્યાદામાં રહેનારું એવું “ધર્મ” દ્રવ્ય માનવું જ રહ્યું. જેથી તે મર્યાદાની બહારના આકાશમાં ધર્મદ્રવ્યની સહાયકતા ન મળવાને કારણે પરમાણુ કે જીવ ગતિ કરી શકે જ નહિ. આમ જીવ પુદ્ગલની ગતિના નિયમન માટે પણ આ “ધર્મ'. દ્રવ્યની કલ્પના અનિવાર્ય બની રહે છે. આમ યુક્તિથી પણ ધર્માસ્તિકાય દ્રવ્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન થઈ શકે છે ખરે. પરંતુ હવે તે વૈજ્ઞાનિકો પણ આ દ્રવ્યના જેવા જ–લગભગ આ જ દ્રવ્યને–માનવા લાગ્યા છે. એમણે આ દ્રવ્યને “ઈથર” એવું + : विवादपदापन्नसकलजीवपुद्गलाश्रया असकृद्गतयः, __ साधारण बाह्यनिमित्तापेक्षा, युगपद्भाविगतिमत्वात् । gવાસઃ સક્રિાઝયાનેવામચતિત // -પ્રમેય કમલ માર્તણ્ડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy