SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨] વિજ્ઞાન અને ધર્મ અને વિચેાગનાં જ પરિણામે છે.''+ડેમોક્રેટસ ઈ.પૂ. ૪૬૦ માં જન્મ્યા અને ઈ. પૂ. ૩૭૦ સુધી જીવ્યેા. પરમાણુની પરિભાષા કરતાં ભગવાન મહાવીર કહે છે કે પરમાણુ પુદ્ગલ અવિભાજય, અચ્છેદ્ય, અભેદ્ય, અાહ્ય અને અગ્રાહ્ય છે. કોઈ પણ તીક્ષ્ણાતિતીક્ષ્ણ શસ્ત્રોથી પણ તેના બે કટકા થઈ શકતા જ નથી. આમ ડેમોક્રેટસ પરમાણુનું જે સ્વરૂપ બતાવે છે તે જ ભગવાન મહાવીર બતાવી ચૂકયા છે. ભગવાન મહાવીરે પણ તે જ વાતો કહી છે જે ભગવાન પાર્શ્વનાથ કે ભગવાન આદિનાથે કહી છે, અને એ અન્ને ય ડેમોક્રેટસની પૂર્વે થઇ ગયા છે એ વાત પૂર્વે જણાવી દ્વીધી છે. પણ ડેમેક્રેટસે બતાવેલા પરમાણુ તા આજે તૂટી ગયા છે. જૈનદનના પરમાણુ અખણ્ડ હતા, આજે પણ તેમ જ છે. વૈજ્ઞાનિકોના પરમાણુ દૃષ્ટિગોચર થતા હતા, તેની ઉપર પ્રયાગ પણુ કરી શકાતા હતા. જૈન દાનિકો તે એ વાત જોરશેારથી કહી રહ્યા છે કે જે દ્રષ્ટિગાચર થાય, જેની ઉપર પ્રયાગ થાય એ પરમાણુ જ નથી. એ તા અનંતપરમાણુના એક સ્કન્ધમાત્ર છે. જે પરમાણુ હાય તેમાં મનુષ્ય કોઈ ક્રિયા કે ગતિ ઉત્પન્ન કરી શકતા જ નથી. હવે તા જેને પરમાણુ માનીને વૈજ્ઞાનિકા પાછળ પડ્યા હતા તે પરમાણુ જૈનદાનિકોના કહેવા મુજબ એક સ્કન્ધ જ સાબિત થયા છે. કેમકે તે પરમાણુ હવે અચ્છેદ્ય, અભેદ્ય રહ્યો નથી. પહેલાં તા તેમાં ઇલેકટ્રાન, પ્રટેન જણાયા. તેમણે તેને પરમ અણુ માન્યા, પણ તેમાં ય ખોટા પડયા, કેમકે પ્રેટોનમાં પણ એમને ન્યૂટ્રોન અને પ્રેટોન જણાયા. બેશક આજે તેમની દૃષ્ટિમાં અંતિમ ઇલેક્ટ્રોન જણાયા છે; પરન્તુ + : The world consists ef empty space and an infinite number of indivisible invisibly small atoms and that the appearance and disappearance of bodies was due to the union and separation of atoms. —Cosmology, old and new. P. B. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy