SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર અને જગત્ક ત્વ [૧૮ ૩ અથવા તે! ઈશ્વર એટલે પરમ અવયવાળા આત્મા, દરેક સંસારી આત્મા પરમ અવથી યુક્ત જ છે, માટે દરેક આત્મા સ્વરૂપથી તેા ઈશ્વર જ છે અને તે કથી આચ્છાદિત છે એટલું જ. આવા ઈશ્વર—આત્મા સૉંસારનું નિર્માણ કરે છે માટે સૃષ્ટિકર્તા બન્યા અને એવું સ’સાર-નિર્માણ કરવામાં એને પોતાના કની સામે જોવું જ પડે છે, એટલે કની અપેક્ષા રાખીને સુખદુઃખાદિ આપતા જગન્નિર્માતા ઇશ્વર આપણા પોતાના આત્મા જ સિદ્ધ થાય છે. * આ રીતે ઇશ્વરનું જગતૃત્વ જરૂર સિદ્ધ થઈ શકે. પરન્તુ અનાદિ શુદ્ધે જગત્કર્તો ઇશ્વરની સ્વચ્છ કલ્પના કરવાનું તા શકય જ નથી; કેમકે જગતની તમામ ઘટમાળા તેની કલ્પના વિના પણ ઘટી શકે છે. હવે એક જ પ્રશ્ન અહીં કદાચ થઇ શકે કે જો જીવાને સુખાદિ પ્રાપ્ત થવામાં કોઈ સ્વતંત્ર ચેતન-તત્ત્વની પ્રેરણા ન હેાય અને એ સુખાદિ જીવાને કર્યું જ આપી દેતા હોય તા તે કર્યું તેા જડ છે તે શી રીતે જીવને સુખ કે દુઃખ અથવા તેની સામગ્રી આપી શકે? આ પ્રશ્ન બહુ સુંદર છે; અને આનું સમાધાન પણ બહુ સરળ છે; કેમકે આજનું વિજ્ઞાન આ સમાધાન આપવા વહારે ધાયું છે. શું જડમાં કોઈ શક્તિ જ નથી ? એમ માનીને જ આ પ્રશ્ન ઉદ્ભવ્યા હશે ને? પણુ વસ્તુસ્થિતિ તે એ છે કે જડમાં તે અચિન્ત્ય શક્તિએ ભરપૂર પડેલી છે. મરચું જડ છે છતાં જીભ ઉપર મૂકતાં જ આંખમાંથી પાણી નીકળી જાય છે અને આત્મા અકળાઈ જાય છે; ચપ્પુ જડ છે છતાં એને સ્પર્શ થતાં જ આત્મા અરેકારા એલાવી દે છે. હરડે જડ છે છતાં એને રેચ લાગતાં જ આત્મા ઢીલે થઈ જાય છે. + परमैश्वर्य युक्तत्वान्मत आत्मैव वेश्वर; स च कर्तेति निर्दोषः कर्तु वादो व्यवस्थितः Jain Education International For Private & Personal Use Only શા. વા. સમુ www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy