SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્યવાણી [૩૩૯ ૨૦મી સદીના સંબંધમાં તેમનું કથન હતું, “પ્રકૃતિને એટલી કે પાયમાન પહેલાં કદી જોવામાં નહીં આવી હોય કે જેટલી તેને ૨૦મી સદીના અંતમાં જોવામાં આવશે. ઠેર ઠેર સૈનિક-કાંતિઓ થશે.” ત્યારે સંસારને બદલનારી એક અદ્દભુત શક્તિ સક્રિય થશે, તે ન તે કોઈ દેશની રાજસત્તા હશે અથવા ન તે કઈ વાદ કે પંથ હશે. પરંતુ એક એવી વ્યક્તિ હશે કે જે પિતાના સૌજન્ય દ્વારા સમસ્ત સંસારને એક્તાના સૂત્રમાં બાંધી દેશે. ત્યાર પછી દુનિયામાં એ પ્રકારનાં સુખ–શાંતિ સ્થપાશે કે જેવાં આજ સુધી સંસારમાં કદી પણ આવ્યાં નહીં હોય.” સન ૧૯૫૬ના જુલાઈ માસમાં સૌથી વધારે ભવિષ્યવાણીઓ કરનાર જાણતા ભવિષ્યદ્રષ્ટા એક દિવસ સાંજના પિતાના ઓરડામાં બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. એકાએક કંઈક વિચારીને તેમણે ઘરનાં બધાં માણસોને બેલાવ્યાં, અને કહ્યું, “જુઓ! આજની રાત મારા જીવનની છેલ્લી રાત છે. હું સવારમાં હઈશ નહીં, પરંતુ તમે મારા મૃત્યુથી દુઃખી થશે નહીં. હું ભગવાનના કામમાં મદદ કરવા જઈ રહ્યો છું.” નહીં ખાંસી કે નહીં તાવ. નેસ્ટ્રાડમના આ કથને બધાને વિસ્મિત તે કરી દીધા પરંતુ કેઈએ વાત માની નહીં. નેસ્ટ્રાડમ દરરોજની માફક જ ઊંઘી ગયા. જે જીવનભર બીજાઓની આગાહીઓ કરતા રહ્યા તેમની પોતાના માટેની ભવિષ્યવાણુ ખાટી કેવી રીતે હિય? તે રાત્રે ઊંઘી ગયા પછી ખરેખર તેમની નિદ્રા તૂટી જ નહીં. (૪) આર્થર ચાસે કલાક વિજ્ઞાની અને ભવિષ્યવક્તા એ બંનેની ભૂમિકા નિભાવનાર આર્થર ચાર્સ કલાક, આંતરરાષ્ટ્રીય કલિંગ ઈનામના વિજેતા તરીકે વિશ્વવિખ્યાત છે. તેમની દિવ્યદર્શનની શક્તિથી આખું વિજ્ઞાન જગત આશ્ચર્યચક્તિ થયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy