SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭] પૃથ્વી અને તેનુ પરિભ્રમણ પૃથ્વી ચર કે સ્થિર છે ? થાળી જેવી ગોળ છે કે દડા જેવી ગાળ છે? એ વિચાર આજે ખૂબ વ્યાપક રૂપમાં ચર્ચાના વિષય મનેલ છે, લગભગ તમામ ધર્મો-પૂર્વીના કે પશ્ચિમના–પૃથ્વીને સ્થિર માને છે, જ્યારે તમામ વૈજ્ઞાનિકો પૃથ્વીને ચર માનતા નથી. એમનામાં બે મત પ્રવર્તે છે. કેટલાક પૃથ્વીને સ્થિર માને છે, તે કેટલાક ચર માને છે. પ્રથમ તે આપણે ધર્મોનાં મન્તવ્યો જોઈ એ. સૂર્ય પ્રાપ્તિમાં ભગવાન મહાવીરસ્વામીજીએ ગૌતમગણધરના પ્રશ્નોના ઉત્તરમાં સૂર્યને જ ચર બતાવ્યા છે. સૌથી મહારના મંડલમાંથી અંદરના મડલમાં આવતાં અને અંદરમાંથી બહારના મ`ડલમાં જતાં વધુ મળીને સૂર્ય કેટલેા સમય લે ? એના પ્રશ્નના ઉત્તરમાં ૩૬૬ રાત્રિ-દિવસ જણાવવામાં આવ્યા છે. તેમાં સામાન્ય રીતે ‘૮૪ મ’ડલમાં સૂર્યની ગતિનું અને તેમાં ય ૧૮૨ મડલમાં તેની બે વારની ગતિનું અને પ્રથમના તથા છેલ્લા મ`ડલમાં એક વારની ગતિનું વિધાન કર્યુ છે. + + : ता जया णं ते सूरिए सव्वब्यंतरातो मंडलातो सव्वबाहिर मंडल उवसंकमित्ता चार चरति, सव्वव्बाहिरातो मंडलातो सव्वब्भंतर मंडल' उपसंकमित्ता चार चरति, एस णं अद्ध केवतियं रातिदियग्गेणं आहितेत्ति वदेज्जा ? ता तिण्णि छायट्टे रात्तिदियस रातिं दियग्गेणं आहितेति वदेज्जा | —સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ્રથમ પ્રાભૃત સૂ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy