SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિષ્યવાણી [૩૪૭ સંસ્કૃતિને ઝડપથી વિકાસ થશે. મૂડીવાદ અને સમાજવાદ ટકરાશે અને સમાજવાદ જીતશે.” સાચા અધ્યાત્મવાદીની શક્તિ સચ્ચાઈમાં જ અમર્યાદિત હોય છે. અદ્ધિ-સિદ્ધિઓનું જે વર્ણન ભૂતકાળમાં થતું આવ્યું છે એનાથી આત્મવિજ્ઞાનની ક્ષમતા ઓછી નહીં, પણ વધારે જ થાય છે. એનાં પ્રત્યક્ષ પ્રમાણે કદી જોવા મળે છે. આધ્યાત્મિક સિદ્ધિઓમાં એક સિદ્ધિ પરોક્ષ જ્ઞાનની છે. જેનાથી ભૂત અને ભવિષ્યને પણ જાણી શકાય છે. વર્તમાન દશ્ય હોય એ તે ઈન્દ્રિયથી જોઈ–જાણી શકાય છે. પરંતુ જ્યાં સંચારનાં સાધન નથી, જે અપ્રત્યક્ષ છે એવા વર્તમાન પણ ઈન્દ્રિથી જાણી શકાતા નથી. જે ઘટના હજી બની નથી, વર્તમાન સ્થિતિને આધારે જેની સંભવના પણ જણાતી નથી, એને સંબંધી આત્મ-વિજ્ઞાનીઓ કેટલીક વાર આગાહીઓ કરતા રહે છે, તે સમયે એ આગાહીઓને માત્ર કુતૂહલ જ સમજવામાં આવે છે પરંતુ જ્યારે ગ્ય સમયે એ સાચી પુરવાર થાય છે ત્યારે ભૌતિકવિજ્ઞાનની શક્તિઓ કરતાં પણ આત્મવિજ્ઞાનની ક્ષમતા વધારે છે એ જાણીને આશ્ચર્ય થાય છે. આમ તે જોતિષને આધારે પણ ભવિષ્યકથન કરવાને ધંધે કેટલાક માણસે કરે છે; પરંતુ એ કથાને તુક્કા જ કહેવા જોઈએ. સાચાં ભવિષ્ય-કથને કહેવાનું આત્મબળ સંપન્ન લોકોને માટે જ સંભવિત છે. સાધનાની અનેક સિદ્ધિઓમાં જ ભવિષ્યકથન પણ એક સિદ્ધિ જ છે. આ દિવ્યદર્શનની ક્ષમતા ધરાવતા આત્મબળસંપન્ન લેકને માટે જ સંભવિત છે. કેઈ આ આત્મબળને આ જન્મમાં એકત્રિત કરે છે, તે કેઈની પાસે એ પૂર્વજન્મનું સંઘરેલું હોય છે. બીજા પ્રકારની સુખ-સગવડે સંસારને પહોંચાડવાની માફક આ લેકે કદી કદી લેકહિતની દષ્ટિએ એવી ભવિષ્યવાણુઓ પણ કરી દે છે કે જેમને આધારે ભાવી શક્યતાઓથી સાવચેત રહી. શકાય છે. વધારે અને બિનજરૂરી નુકસાનથી બચી શકાય છે. શક્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy