SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞોએ અણુઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા? [૨૫૭ પાકા મિત્ર છે.) અણુબોમ્બને ઉપયોગ કરનાર ત્રણે ય વિમાનીએ કદાચ ગાંડા બની જાય અને એકાદ બમ્બ ફેકી દે તે અમેરિકા માફી માગવા પણ તૈયાર છે. કેમકે આ રીતે “દિલગીરી વ્યક્ત કરવી એ સભ્યતાની નિશાની ગણાય છે! રશિયાનું પણ આ વખતે એ જ સૌજન્ય ગણાય કે આવી સ્થિતિમાં પડી ગયેલા અણુબોમ્બની તેણે માફી આપવી. ભલે પછી દસ વીસ લાખ રશિયને મૃત્યુ પામ્યા હોય. રશિયને અને અમેરિકાએ શસ્ત્રોની સ્પર્ધા માંડી છે. નિત્ય નવાં ભયાનક શસ્ત્રો શોધાતાં જ જાય છે. જેની બુદ્ધિમાં જે પ્રલયકારી વિસ્ફોટ થયો તેણે તે શસ્ત્ર બનાવ્યું જ સમજે. પ્રલયકારી શાની સ્પર્ધાના અને શાના થઈ રહેલા ગંજાવર ઉત્પાદનના કારણે લશ્કરી માનસશાસ્ત્રીઓ હવે વિચારમાં પડ્યા છે. મૂઠીભર માનવેના હાથમાં રહેલાં આ શ જગતની સલામતીને જોખમી તે નહિ બનાવે ને એ વિચાર તેમને ભય પમાડી રહ્યો છે. મહિનાઓ સુધી એ અણશની સારસંભાળ અને મરામત કરતે માણસ કઈ દી કંટાળો ન અનુભવે? અને જે મગજની સમતુલા ગુમાવી દે તે તે વખતે શું થાય? આણુવિજ્ઞાનના પિતા કહેવાતા આલબર્ટ આઈન્સ્ટાઈન પણ હવે દુખી થયા છે. હિરોશિમા, નાગાસાકી ઉપર અણુબેખ્ખ પડ્યા અને એમને જે સંહારલીલા સાંભળવા મળી એથી એમનું અંતર રડી ઊઠયું હતું! જગતના વિકાસમાં મદદગાર બનવાની શક્યતાવાળી અણુશક્તિ જગતને વિનાશ કરવા લાગી ! આ વિચારે એમને જીવનભર ખૂબ બેચેન બનાવી દીધા હતા! પિતે જે કર્યું તે ખૂબ જ ખોટું કર્યું એમ તેમને લાગ્યું હતું. ભગવાન જિન તે સર્વજ્ઞ હતા. અણુવિજ્ઞાનના રહસ્યનાં આવિકરણને નતીજે જેના વિકાસમાં નહિ પરિણમતાં વિનાશમાં જ વિ. ધ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy