SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] વિજ્ઞાન અને ધર્મ જૈનષ્ટિએ તા જગતના તમામ જીવેા ત્રણ વિભાગમાં વહેં'ચાયેલા છે. જેએ વધુ પડતા જગતના રંગરાગમાં આસક્ત છે એવા જગતના જીવા બહિરાત્મા કહેવાય છે. બીજા નબરના જીવા તે છે કે જેઓ જગતમાં રહેવા છતાં જગતના એ રગરાગામાં વધુ પડતી આસક્તિ ધરાવતા નથી; એમને અન્તરાત્મા કહેવાય છે; જ્યારે ત્રીજા પ્રકારના જીવા જગતના તમામ રંગરાગથી સર્વથા મુક્ત થઈ ગયેલા હાય છે, આ ત્રીજા પ્રકારના જીવા એ જ પરમાત્મા કહેવાય છે અને એ પરમાત્મા તે જ ઈશ્વર છે. આજ સુધીમાં અણિત સંખ્યાના આત્માએ સદાને માટે અહિરાત્મદશામાં જ રહ્યા છે અને કદાચ અગણિત કાળ સુધી એ દશામાં જ રહેશે; કેટલાક વળી એવા અહિરાત્મભાવથી મુક્ત થઈને અન્તરાત્મા પણ બન્યા છે; જ્યારે કેટલાક એવા અન્તરાત્મભાવમાંથી પરમાત્મભાવ પણ પામ્યા છે અને બીજા ઘણા ય એ પરમાત્મભાવ પામશે. આમ ઈશ્વર એક નથી. જે કાર્ય આપણા જેવા બહિરામા કે અન્તરાત્મા, પરમાત્મભાવને પ્રગટાવે તે બધા ય ઈશ્વરસ્વરૂપ છે એવું જૈન દાનકાનું સ્પષ્ટ મંતવ્ય છે. પરમાત્મભાવ પામ્યા પછી જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થતું નથી ત્યાં સુધી સદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ કહેવાય છે; અને આયુષ્ય પૂર્ણ થયા બાદ વિદેહમુક્ત અવસ્થાનું ઈશ્વરત્વ કહેવાય છે. આવા વિદેહમુક્ત ઇશ્વરા મોક્ષપદ પામેલા કહેવાય છે. આમ એક જ જીવદ્રવ્ય હિરાત્મદશાને, અન્તરાત્મદશાને અને છેવટે પરમાત્મદશાના પર્યાય પ્રાપ્ત કરી શકે છે. આમાં મુખ્યત્વે જીવના પોતાના જ પુરુષાર્થ કારણ બને છે. ઇશ્વર જેવું કોઇ સ્વતંત્ર તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી, જે પેાતાની ઇચ્છાથી જીવનાં આ રૂપાંતરા કરતું હોય. જીવની જે કે સર્વકર્મથી મુક્ત સર્વજ્ઞ અને છે, રાગદ્વેષ વિનાના For Private & Personal Use Only Jain Education International પરમાત્મદશા છે તે કર્મમુક્તદશા છે. ઘાતીકર્મથી વિતરાગ અને www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy