SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ વિભગજ્ઞાન અને પીટર હરકાશ ૨૯૯ એવુ' કહેનાર વ્યક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે એવા સત્યના કટ્ટર પક્ષપાતી આત્માઓને આ પાંચ જ્ઞાનેા પૈકી એક, એ યાવતુ ચાર જ્ઞાન પણ હાઈ શકે છે. જે વીતરાગ બને છે તેમને જ પાંચમું જ્ઞાન હાય છે. પણ જગતમાં એવા પણ માનવા છે, જેએ હિંસા, જૂઠ વગેરે છેાડવા જેવાને પ્રેમથી ચાહે છે, સત્ય-ક્રયા વગેરેને સ્વીકારવા જેવા છે, તેમને તિરસ્કારે છે. આવા માણસો સ્કૂલના શિક્ષક હોય, કાલેજનાં પ્રેાફેસર હાય, રે! સમર્થ ચિંતકો હાય તા પણ તેમને ઉપરના પાંચ પૈકી એક પણ જ્ઞાન સંભવતું નથી. ઊલટું, તેઓ પાસે જે જ્ઞાન છે તે તેમના રાગ-રાષને વધારનારું હાવાથી તેમને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. જે ચિંતન-મનનથી રાગ વગેરે દાષા ટળે નહીં તે મનન (મતિ) વસ્તુત: અજ્ઞાન છે, જે સાંભળેલુ (શ્રુત) રાગાદિ દેષોની સામે લાલ આંખ કરવા ન દે તે શ્રુત પણ વસ્તુતઃ અજ્ઞાન છે. એ જ રીતે આવા આત્માઓને પણ વિશિષ્ટ મર્યાદાનું જે જ્ઞાન થઈ જાય છે તેને વિભગજ્ઞાન કહેવાય છે. જગતનું સત્યદર્શન કરનારા આત્માના જે જ્ઞાનને અવિધજ્ઞાન કહેવાય છે, તે જ જ્ઞાન અપાત્રે જાય તા વિભાગજ્ઞાન કહેવાય છે. ફરક માત્ર એટલે કે વિલ ગજ્ઞાનવાળા આત્મા સત્યના ક્ટર પક્ષપાતી ન હોય. ટૂંકમાં, અવધિજ્ઞાન અને વિભગજ્ઞાન આમ તે એ ય એક જ છે પરંતુ તેના સ્વામીના ભેદથી તેનામાં કેટલેક ભેદ પડી જાય છે. આ જ્ઞાનને અવધિજ્ઞાન કહેવામાં આવે છે તે તદ્દન યથા છે. કેમકે અહીં જ્ઞાન હાય છે તે અવિધ (limited) વાળું હાય છે. જે આત્માને આ સાન થાય છે તેને પાંચ માઈલ, પચ્ચીસ માઇલ કે હજારો-લાખો માઇલની અવધિ સુધીમાં જેટલા રૂપી પદાર્થો હોય તે બધાનું જ્ઞાન થાય છે. આપણે તે આંખેથી દેખાય તેટલુ જ જાણી શકીએ, જ્યારે આ આત્માએ પામાના જ્ઞાનની અવધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy