________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) સૂરિ ગીતાર્થ હતા. તેમણે પણ અંતરકિયાનું આ પ્રમાણે સ્વરૂપ દર્શાવ્યું છે, અનેક ગ્રંથમાં એમ બે પ્રકારની ક્રિયાને પુરાવા મળી આવે છે. જે મુનિ દ્રવ્યાનુગના જ્ઞાની હોય, અને આવી અંતરક્રિયામાં વિશેષ પ્રવૃત્તિવાળા હોય, અને તેથી બાાકિયામાં વિશેષ લીન ન હોય, તે પણ તે અંતરક્રિયા કરવાથી સર્વ કરતાં મોટામાં મોટા ધર્મારાધક સમજવા. કારણ કે, મનને જીતવું એ અંતરકિયા છે, તે ક્રિયાના કર્તા જે હોય છે તે પૂજ્ય, આરાધ્ય, સેવ્ય જાણવા. બાહ્યકિયા કંઈ નિષેધ નથી. પ્રથમ માર્ગમાં તેની
જરૂર છે, પણ જ્યારે આત્મજ્ઞાનથી ધ્યાનમાં પ્રવેશ થાય છે, ત્યારે તે અંતરક્રિયાની મહત્ત્વતા જાણવી. આત્મધ્યાનીઓ પરકાર્યપ્રપંચમાં પ્રસંગે આવી પડે તેપણ અન્તરથી ન્યારા વર્તી શકે છે. કારણ કે તેઓ જ્ઞાનદ્રષ્ટિથી વિવેકદ્વારા સ્વ પરની વહેચણ કરે છે, તેથી તેમાં રાગદ્વેષે કરી લીન થતા નથી. ગૃહસ્થાવાસમાં કુપૂત્ર તથા ભરત ચક્રવતિ વિગેરેને કેવલજ્ઞાન થયું તેનું કારણ પણ તેમના આત્માએ અંતરથી સેવેલી ધ્યાનકિયા છે. ચાલતાં, હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, પણ અન્તરથી પિતાના સ્વરૂપને ઉપગ ક્ષણે ક્ષણે વર્તે, અને બાહ્ય કાર્ય કરતાં છતાં પણ ચિત્ત બાહ્યભાવમાં રંગાય નહી, અને આત્માના સ્વરૂપમાં રમણ કરે, એવી આત્માની સ્થિ
For Private And Personal Use Only