________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫
શ્લોક-૩ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા” પરમ છે ને? એટલે ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ. ભલે ટીકા વખતે પૂરણ નિર્મળતા થઈ નથી પણ એ ટીકાના કાળમાં મારું ધ્યેય તો સર્વજ્ઞ શક્તિ સ્વભાવ ઉપર જ છે. એથી મારી શુદ્ધિ મારા ધ્યેયને કારણે, શુદ્ધિ વધતી જાય છે. ધ્યેયમાંથી મારી દૃષ્ટિ ખસતી નથી. આહાહા! તેથી તેને ટીકા કરતાં મારી વિશુદ્ધિ થાઓ એમ હું કહું છું. પણ એનો અર્થ એ કે ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ થાઓ. પંડિતજી, આવી વાતો. આહાહા ! દિગંબર સંતોના કળશો શ્લોકો ગજબ વાત છે. આહાહા ! એક એક વાતમાં કેટલી વાત સમાડી દે છે. આહાહા! અને પાછી મારી કીધી, મારી અનુભૂતિ પર્યાય પરિણતિ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું– એ પછી કહેશે. મારી અનુભૂતિમાં અશુદ્ધિ છે એ પછી કહેશે. અહીં તો પહેલું અનુભૂતિ, પરમ વિશુદ્ધિ પરમ શુદ્ધિ, રાગ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ. આહાહા!
- સંતો (ને) અંતરના ત્રણ કષાયના અભાવની અનુભૂતિ તો વર્તે છે, અને તેના ધ્યેયમાં પૂર્ણ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ એ તો દૃષ્ટિમાં વર્તે જ છે. આહાહા ! મારું ધ્યેય તો એ છે. પણ આ ટીકા કરવાની વૃત્તિ થઈ છે કે આ શાસ્ત્રના ભાવો છે, એ વિશેષ સ્પષ્ટ થાય એવો ભાવ- વિકલ્પ આવ્યા કરે છે, એથી ટીકાના કાળમાં, અહીં પાઠ તો એવો છે. ટીકા એવ, વ્યાખ્યા એવ, ટીકાથી જ, તો ટીકાથી જ, તો ટીકા તો શબ્દ છે. પણ શૈલીનો આશય એમ છે, એ વખતે મારું આ સ્પષ્ટ કરવાની જે ટીકા થશે એમાં મારું જોર તો અંદરના શુદ્ધ દ્રવ્ય ઉપર જોર વર્તે છે, એથી મને વિશુદ્ધિ તો છે મને, વિશુદ્ધિ નથી એમ નહીં પણ પરમ વિશુદ્ધિ થાઓ. આહાહા ! એમ કહીને પોતાનો સાધક સ્વભાવ, ટીકાના કાળમાં વધશે, નિશ્ચયથી વધશે એમ કહે છે. આહાહાહા!
ભગવાનને પૂછયું નથી કે ટીકા કરતી વખતે મને પરમ વિશુદ્ધિ વધશે કે નહીં? આહાહા ! (પોતે પોતાના ભગવાનને પૂછયું) એ આત્માનો જે સ્વભાવ “શ” સ્વભાવ અને જેણે બીજા બધા ગુણોને પ્રસિદ્ધ કર્યા છે, એવો જે જ્ઞાન સ્વભાવ, બીજા ગુણોને પ્રસિદ્ધ કર્યા છે, પ્રગટ કર્યા છે એમ નહીં. છે તેમ જણાવ્યા છે. આહાહા ! એવો જે મારો જ્ઞાન ભાવ, એ પછી કહેશે. એ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ તે હું છું. વસ્તુ તો આ હું છું. પણ મારી વિશુદ્ધિ નિર્મળ છે પર્યાય, એમાં પરમ વિશુદ્ધિ પર્યાયમાં થાવ એવો મારો નિશ્ચય ભાવ છે. અને એમ થાય જ છે એમ. આહાહાહા !
બીજી રીતે કહીએ તો પરમ વિશુદ્ધિ થાઓ! મારી શુદ્ધિ અપ્રતિહત છે. આહાહા! મારી અનુભૂતિ છે એથી વધશે જ. આહાહા ! શું ચૈતન્યની અનુભવની બલિહારી ! અને ચૈતન્યના પૂરણતાના સ્વભાવના સામર્થ્યની ચમત્કૃતિ !! આહાહા ! આરે પ્રભુ! આમાં ક્યાં તકરાર, ઓલા કહે કે નહીં ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધ માનનારા એકાંત ઝેર છે, અરે પ્રભુ! સાંભળ ભાઈ ! પ્રભુ! તું સર્વજ્ઞ સ્વરૂપી છો કે નહીં નાથ ! આહાહા ! તું કોણ છો? તું કેટલો છો? કેવડો છો? તું જો, જેવડો છો એવડો તને ખ્યાલમાં આવે, તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય છે એમાં. આહાહા!
નિયતવાદ થઈ જાય છે આમાં. પણ નિયતવાદ છે એની સાથે પાંચેય વાદ છે, પાંચેય સમવાય છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્યતા ને કાળલબ્ધિ ને (નિમિત્તનો અભાવ) બધું છે. અહીંયાં તો જે વસ્તુ હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું, એવું જે મને ધ્યેયમાં ભાસ્યું છે વસ્તુ, (દ્રવ્ય) એ તો એમ જ રહેવાનું, પણ શુદ્ધિ જે છે એ શુદ્ધિ પણ મારા ટીકાના કાળ વખતે શુદ્ધિની વૃદ્ધિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com