________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮ ત્રણ, ચાર પરમાણુનો સ્કંધ એ સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છેઃ (૧) સમાનજાતીય - જેમ કે દ્વિઅણુક, ત્રિઅણુક વગેરે સ્કંધ, (૨) અસમાનજાતીય - જેમ કે મનુષ્ય, દેવ વગેરે...'
અસમાનજાતીય - મનુષ્ય અને દેવ (વગેરે) એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. ગુણપર્યાયના પણ બે ભેદ (છે) સ્વભાવપર્યાય – જેમ કે સિદ્ધપર્યાયો એ સ્વભાવપર્યાય. વિભાવપર્યાય -જેમ કે સ્વ-પર હેતુક. મતિજ્ઞાનને પણ સ્વ-પર હેતુક કહ્યું કેમ કે જ્ઞાનાવરણીય (કર્મ) નો ક્ષયોપશમ નિમિત્ત છે, મતિજ્ઞાન ઉત્પન્ન થયું તે પોતાના ઉપાદાનથી સ્વતંત્ર છે. આહા..હા..હા..! જ્ઞાનાવરણીયથી પરિણમવું પડયું?! ગોખ્ખટારમાં આવે છે કે જ્ઞાનાવરણીય જ્ઞાનને આવરણ કરે ! તો (તેમાં) આવરણ બીજી ચીજ છે. જ્ઞાન બીજી ચીજ છે. (જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરે) એ વાત સાચી છે જ નહીં, એ તો નિમિત્તનું કથન ત્યાં કર્યું છે. (શ્રોતા ) પરદ્રવ્ય આવરણ કરે? (ઉત્તર) પર દ્રવ્ય આવરણ કરે પોતાની પર્યાયને? એ પરદ્રવ્ય સ્પર્શ કરતું નથી તો આવરણ શી રીતે કરે ? (કદી ન કરે) પોતાની પર્યાયમાં, વિપરીત (પણા ) ની પર્યાય કરીએ, એ આવરણ છે. આહા.... હા !
ગુણપર્યાયો પણ બે પ્રકારના છે: (૧) સ્વભાવપર્યાય -જેમ કે સિદ્ધ પર્યાયો; (૨) વિભાવપર્યાય – જેમ કે મતિજ્ઞાન.” લ્યો, ગુણપર્યાયના બે ભેદ છે. સ્વભાવપર્યાય- જેમ કે સિદ્ધ પર્યાયો. વિભાવપર્યાય-જેમ કે સ્વ-પર હેતુક મતિજ્ઞાન. સ્વ. પરહેતુક કહીને નિમિત્ત છે એટલું કહ્યું. નિમિત્ત છે પણ એનાથી (નિમિત્તથી) થતું નથી. નિમિત્તથી થાય છે કે નથી થતું તે વ્યવહારનું કથન છે. અભૂતાર્થનયે કહેવામાં આવે છે.
“આવું જિનેંદ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય - ગુણપર્યાય સ્વરૂપ જ યથાર્થ છે.” ભગવાને જે આ (વસ્તુસ્વરૂપ ) કહ્યું તે જ યથાર્થ છે. “જે જીવો દ્રવ્ય-ગુણને નહિ જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે.” – એક સમયની અવલંબન પર્યાયનું લે છે (આધાર લે છે). દ્રવ્ય-ગુણ ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ, ધ્રુવ છે. એનો આશ્રય લેતા નથી અને પર્યાયનો (જ) આશ્રય લે છે તો મિથ્યાદષ્ટિ છે. આહા.... હા! (ધ્રુવનો આશ્રય લેવાનું) આકરું કામ છે !!
તેઓ નિજસ્વભાવને નહિ જાણતા થકા પરસમય છે.” આહા... હા! શું કહે છે? કેઃ જે જીવ, દ્રવ્ય-ગુણને જાણતા નથી. પોતાનું (આત્મ) દ્રવ્ય, અનંત ગુણનું પિંડ, અને તે અનંતગુણ સ્વતંત્ર, એનો તો આશ્રય નહીં ને માત્ર પર્યાયનું જ આલંબન લે છે. એક સમયની પર્યાયનું - અસમાનજાતીય દ્રવ્યપર્યાયનું આલંબન લે છે. એ નિજસ્વભાવને નહિ જાણતા થકા – એક સમયની પર્યાયમાં જ દષ્ટિ રાખી છે. – પરસમય, મિથ્યાદષ્ટિ છે. આત્મા આનંદસ્વરૂપ, ભગવાન જ્ઞાયક જેનો સ્વભાવ ત્રિકાળ આનંદ (સ્વરૂપ છે). એને ન જાણતા, એક સમયની પર્યાયમાં માત્ર, દષ્ટિ રાખી છે પરસમય – મિથ્યાદષ્ટિ છે! આહા! પરસમય એટલે મિથ્યાષ્ટિ. એની જૈનની ખબર નથી ! એ જૈન નહીં. પોતાની પર્યાયમાં રાગ થાય છે અને પરના જ્ઞાનનો ક્ષયોપશમ (છે). એનો આશ્રય લે છે અને (આત્મ) દ્રવ્યનો આશ્રય લેતા નથી એ જૈન નથી. ફરીને. પરનો આશ્રય તો નહીં, પણ પોતાના આત્મામાં જે પર્યાય છે ક્ષણિક, એનો આશ્રય લે છે અને દ્રવ્ય-ગુણ ત્રિકાળીનો, આશ્રય લેતા નથી – એ પરસમય મિથ્યાષ્ટિઅજૈન છે. આહ...હા.હા..!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com