Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 533
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૪ તો (જોવાની) વાત જ બંધ કરી દે. એમ કહે છે (ઉપરાંત) પોતાનામાં જોવામાં પણ (તારી) પર્યાયને જોવાનું બંધ કરી દે. (દ્રવ્યાર્થિક નયની આંખથી તને જો.) “આ વસ્તુ” “આ સિદ્ધાંત” (ત્રિકાળાબાધિત છે.) આહા..! “બધુંય જીવદ્રવ્ય છે” આ બધું ય જીવદ્રવ્ય છે એમ ભાસે છે. કહે છે (ક) ભાસે છે. એમ કીધું છે ને ? ઘણા જીવોને ને..? ઉઘડેલી આંખથી ને...? બંધ કરી આંખ એક ( પર્યાયની ને?) એ બંધ કરી અને (બીજી) ઉઘડેલી આંખથી (જુએ છે એને ને?) “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.” આના પછી સપ્તભંગી આવશે. એકસો પંદરમાં. આ તો અહીંથી.. આ તો કુંદકુંદાચાર્યની વાણી ! સાક્ષાત્ ભગવાન પાસે ગયા હતા. આહા..હા! અને એની ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્ય ! ઈ ભગવાન પાસે ગયા” તા. ભગવાન (પોતાનો ) કુંદકુંદાચાર્યદવ પણ પોતાના અને સીમંધરદેવ પાસે ગયા 'તા. આહા..હા! એ અમૃતચંદ્રાચાર્ય આ કહે છે. શ્લોકમાં તો (મૂળ ગાથામાં તો ) આટલું જ છે. વ્યMિ સવૅ વળ્યું તે પmયgિણ પુણો પર્યાયથી પર્યાય સિદ્ધ થઈ છે. દક્તિ ય પણમ[[ પર્યાયથી અન્ય છે, અન્ય છે. (તવાને તન્મયત્તાવો) દ્રવ્યથી અનન્ય છે. પર્યાય અપેક્ષાએ અન્ય-અન્ય છે, વસ્તુથી અનન્ય છે. અનેરો-અનેરો નથી. આહા..હા! આવી વાતું પર્યાય અપેક્ષાએ અન્ય-અન્ય છે, વસ્તુથી અનન્ય છે. અનેરો-અનેરો નથી. આહા....હા ! આવી વાતું તવાને તન્મયત્તાવો તે કાળે તે તે પર્યાયમાં વિશેષમાં છે. પણ વિશેષને ન જોતાં સામાન્યને જોવા જા તું બાપુ! - જેમાં અતીન્દ્રિય સુખનો સાગર ઊછળે છે. જે ઇન્દ્રિયગમ્ય નથી. વિકલ્પગમ્ય નથી. પર્યાયચક્ષુથી ગમ્ય નથી. આહા.... હા ! જે દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ જણાય (એવું) તત્ત્વ છે. આહા.... હા! (કહે છે કે:) (પેલામાં આવ્યું ને...! (ગાથા) એકસો તેરમાં. “અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (-એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) અકાળે ઉત્પાદ થાય છે.” છે એકસો તેરની ટીકા (માં). “જે ક્રમાનુપાતી – ક્રમાનુસાર ને તે કાળે (સ્વકાળ) ઉત્પાદ થાય છે એ વિશેષને જોવાની આંખ્યું બંધ કરી દે. આહા... હા.. હા! અકાળે તે તેની પર્યાય થશે જ. એ “કાળ' તે નકકી થઈ ગયેલો જ છે. તેની “જન્મક્ષણ' છે. આહા. હા! પણ તે પર્યાયને જોવાનું બંધ કર. આહા... હા ! સ્વકાળે પર્યાય ઉત્પન્ન થશે જ. છતાં તેને જોવાનું બંધ કરી, બંધ કરી એટલે બંધ જ થઈ ગઈ – જોવાનું બંધ થઈ ગયું) એમ નહીં. પર્યાયનયને જોવાનું તે સર્વથા બંધ કર્યું એવી હવે એને પર્યાયમાં કંઈ જાણવાનું રહ્યું નહીં એમ નહીં. આહા... હા! પર્યાયને જોવાનું જ્યાં સર્વથા બંધ કર્યું ત્યારે દ્રવ્યાર્થિક નયથી ઉઘડેલું જ્ઞાન, એ જ્ઞાન વડે તે જાણવામાં આવ્યો. આરે......! આવી વાતું કયા છે? બહારની વાતું – ક્રિયાકાંડ અને પ્રભુ! તારો જ્યાં ભવનો અંત ન આવે એ વાતમાં શું સાર છે કે તું ત્યાં રોકાણો!) આહા..! ચોરાશીના અવતાર! નરકના દુઃખોનું વર્ણન સાંભળ્યું ન જાય! બાપુ! તને જોતાં આનંદની વ્યાખ્યા એ કહી ન જાય એવો આનંદ આવશે તને. આહા. હા! ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને! જોતાં – પહેલું એ જ્ઞાન બંધ હતું પર્યાયદ્રષ્ટિમાં (બંધ હતું ઉઘડતુ નહોતું) પરની દષ્ટિમાં નહી આહાહા! અવસ્થાને જોનારી તારી દષ્ટિ તને જોતી નહોતી ( તારા દ્રવ્યને જોતી નહોતી.) આહા. હા! ઈ અવસ્થા (ને જોવાની દષ્ટિ) બંધ કરીને - તો પછી કંઈ (જવાનું) રહ્યું કે નહીં? ભગવાન જ્ઞાનમૂર્તિ પ્રભુ! કેવળજ્ઞાનનો કંદ છે ને...! આ (પર્યાયને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549