________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પ૨૮ આહા.... હા ! એને જોવાને ઉઘડેલું જ્ઞાન છે. કીધું ને? “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે.” પર્યાયનું અસ્તિત્વ જોવા માટે અને જોયું છે તે જ્ઞાન પર્યાય જોવાને ઉઘડેલું છે. આહા.... હા! આવી બધી વાતું ઝીણી ! લોકોને બહારથી (સુખ મેળવવું છે.) પણ એ બહાર છે જ નહીં ને..! બહારમાં તો પરનું કંઈ તો કરતો નથી, પણ બહારમાં ઈ વિષય - કપાય -શુભભાવ એ પણ એને પરમાર્થે પરશરીર કીધું છે એને. આહા. હા! પણ અહીંયાં કહે છે કે તારી પર્યાયનું અસ્તિત્વ છે એને જોવાની ઉઘડેલી આંખ્યથી જો – જાણ. આહા.... હા ! છે? (પાઠમાં.)
(કહે છે કે, “એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા” “જીવદ્રવ્યોમાં રહેલા છે? (પાઠમાં.) ઓલામાં તો એક અંશે ય રહેલો નથી. કરમને શરીર આદિ (પરમાં તો રહેલો જ નથી.) આહા.... હા! અરે. અરે! ક્યારે ફુરસદ લે ને ક્યારે નિર્ણય કરે! ચોરાશીના અવતાર કરી – કરીને સૌથી નીકળી ગયા છે ને હજી એને દરકાર નથી. કે હું કોણ છું? ક્યાં છું? ક્યાં (શું કરી રહ્યો છું?) અહીંયાં ગતિ છે ઈ પણ પર્યાયના અંશમાં છે. તે ત્રિકાળી ચીજમાં નથી. આહા... હા! કપાયશુભ દયા –દાન વ્રત-ભક્તિના પરિણામ પણ મારી પર્યાયમાં, પર્યાયમાં, પર્યાયમાં વર્તે છે જરી. એમાં વર્તે છે વસ્તુમાં તો ઈ નથી. પણ વસ્તુનું જ્ઞાન થયા પછી એના અસ્તિત્વમાં છે (પર્યાય) એને જે. પરને જવાની વાત જ નથી. પરને જુવે છે ઈ તો પોતાની પર્યાયને જુવે છે. આહા. હા! ખરેખર તો રાગ – વૈષને જુવે છે એ પણ જ્ઞાનની પર્યાય છે અને એને જોવે છે. આહા.. હાં.. હા !
(કહે છે કે:) પણ, એની પર્યાયમાં ગતિ છે. એ પર્યાયને જોતાં “જીવદ્રવ્યમાં રહેલા” એમ છે ને...? (અહીં પાઠમાં) કર્મ-શરીર કે (બીજું કંઈ ) જીવદ્રવ્યમાં રહેલ નથી. આ શરીર જે છે એ જીવદ્રવ્યમાં રહ્યું નથી. આહા. હા! જીવદ્રવ્યની પર્યાયમાં (જે) રહેલું છે. એના સામાન્ય (દ્રવ્યમાં) એ રહેલ નથી. હવે એના વિશેષમાં રહેલું જે – એ જીવદ્રવ્યમાં રહેલા છે? (પાઠમાં) જીવદ્રવ્યમાં રહેલા (નારકપણું – તિર્યચપણું – મનુષ્યપણું – દેવપણું કે સિદ્ધપણું ) એમ કીધું છે ત્યાં. આહા... હા! એ તો પહેલાં આવી ગયું કે જીવદ્રવ્યમાં રહેલા એટલે ત્રિકાળીમાં રહેલા એમ નહીં. આહા.. હા! “જીવદ્રવ્યમાં રહેલા” જીવદ્રવ્ય ભગવાન ચૈતન્ય પરમાત્મસ્વરૂપ એનું જ્યાં જ્ઞાન ઉઘડયું ત્યારે ત્યાં જીવ (ની) પર્યાયને જોવાનું. ઈ ભણતરથી ઉઘડયું કે ઈ પ્રશ્ન અહીંયાં છે જ નહીં. ઈ શું કહ્યું? શાસ્ત્રથી – ભણતરથી પર્યાયને જોવાની ઈ વાત અહીંયાં લીધી નથી. આહા. હા!
અહીંયાં તો જીવ ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ પ્રભુ! એને જોતાં પર્યાયને જોવાનું ઉઘડેલું જ્ઞાન (છે તેનાથી પર્યાયનું જ્ઞાન છે) સમજાય છે આમાં કાંઈ ? અરે! આ તો ત્રણ લોકના નાથ, જિનેશ્વરદેવ ! પરમેશ્વર એટલે કોણ? આહા..! જેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયા- બચ્ચાંની જેમ બેસે! આહા.... હા! એવા ત્રિલોકનાથ! જિનેશ્વરદેવની વાણી છે “આ”. એ વાણીની ગંભીરતાનો પાર ન મળે! આહા.. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com