Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 543
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૪ પ્રભુ ! તું ક્યાં ગયો? ક્યાં ખોવાઈ ગયો તું? પરમાં – અટવાઈ ને ખોવાઈ ગયો પ્રભુ તું! પર્યાયથી ખોવાઈ ગયો, દ્રવ્ય તો ઠીક! (શ્રોતા:) ખોવાઈ તો પર્યાયથી જ હોય ને..? (ઉત્તર) હા, આહા.. હા! ગાથા દીઠ તે અમૃત ભર્યા છે. વારતા નથી પ્રભુ આ! આ તો ભગવત્ – કથા છે. એ અબજો રૂપિયા ને કરોડો રૂપિયા ને મહેલ અને મકાન, આ તો હજી સાધારણ મકાન છે. અબજોના મકાન (હોય) આ તો કોઈ કહે પડ્યું ઈ ગયા ભવનું હતું, આ પડ્યું ને...? ગયા ભવનું હતું. કાંઈક પડ્યું છે આ બાજુ કહે છે નો હોય. એ તો જે પ્રકારે, જે ક્ષેત્રે જે હોય થવાનું એમાં કાંઈ નહીં. પ્રભુ! તને ડર લાગ્યો એટલું! લોકોને (ભય થાય છે કે અહીંયાં પડશે કે (આપણે) પડશે. પરદ્રવ્યની અવસ્થા તો તને અડતી ય નથી ને...! આહાહા! એને શેની તને ચિંતા છે? ફકત દ્રવ્યના સ્વભાવને જોઈને, પર્યાયમાં – અસ્તિત્વમાં પાંચ ગતિ છે પાંચ (ગતિ) છે ને ઈ...? ચાર ગતિ અને અને સિદ્ધગતિ – પાંચ ગતિ છે. એ પર્યાય તન્મયપણે છે તારામાં તે તે કાળે.. આહા.. હા ! સિદ્ધને. વખતે સિદ્ધની પર્યાય તારામાં તન્મયપણે છે. ત્યારે બીજી ગતિ છે જ નહીં. અને જયારે બીજી ગતિમાં તન્મય છે ત્યારે સિદ્ધગતિ અને બીજી ગતિ નથી. આહા.... હા ! (કહે છે કે, મનુષ્યગતિને કાળે તારી પર્યાયમાં મનુષ્યગતિ તન્મય છે. તારું દ્રવ્ય તેમાં તન્મય છે. તે વખતે દેવગતિ કે સિદ્ધગતિ કે (મનુષ્ય ગતિ સિવાય) બીજી ગતિ તારામાં છે જ નહીં. આહા.. હા ! સમજાણું કાંઈ ? “તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે - મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે - જુદું નથી.” એ પર્યાયને જોવાની વાત કરી. પણ ઈ પર્યાય એટલે ગતિ. આહા.... હા ! એમાં ક્રોધ – માન, રાગ – વૈષની વાતે ય કરી નથી. આ તો ગતિ છે, ઈ ગતિ છે જ. અને ઈ ગતિ પણ આયુષ્ય હોય ત્યાં સુધી રહે છે. છતાં સમય – સમયમાં તન્મયપણું ભિન્નભિન્ન છે. આહા. હા! ઈ પચાસ- સાઠ વરસ મનુષ્યપણું રહે, માટે ઈ ને ઈ પર્યાય તે – પણે રહી છે એ વરસમાં એમ નથી. તે તે પર્યાય એ અવસ્થામાં તે દ્રવ્ય તે કાળે તન્મય છે. અગ્નિ લાકડામાં ને છાણામાં જેમ તન્મય છે એમ (દ્રવ્ય પર્યાયમાં તન્મય છે.) આહા.. હા ! હવે ત્રીજી વાત કરે છે. આ તો (અહીંયાં) તો એક આંખ બંધ કરીને બીજી (ખોલીને) એમ કહ્યું હતું. (હવે એક હારેની વાત- પ્રમાણની વાત કરે છે.) (અહીંયાં કહે છે કે, “અને જયારે તે બન્ને ચક્ષુઓ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - તુલ્યકાળ (એકસાથે) ખુલ્લાં કરીને પ્રમાણે છે. તુલ્યકાળે પાછું એક સમયમાં (ખુલ્લાં કરીને કીધું.) સામાન્યને જાણે. જાણવાની વાત ને અહીંયાં...! સામાન્યનો આદર છે ઈ તો એક જ પ્રકારનો છે. એમાં વિશેષનો આદર એમ નથી (કહ્યું.) પણ અહીંયાં તો જ્ઞાનમાં જેમ સામાન્યને જાણે છે તેમ વિશેષને જાણે છે. વિશેષ ભલે આદરણીય નથી. આશ્રય કરવા લાયક નથી. આહાહા! ક્ષાયિકભાવ પણ આશ્રય કરવા લાયક નથી છતાં ઉદયભાવ અત્યારે ગતિની હારે તન્મય છે કહે છે. સમજાણું કાંઈ ? સમય – સમયનું અસ્તિત્વ, દ્રવ્ય અને પર્યાયનું કઈ રીતે છે? તેની સંધિ કરે છે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549