________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૦ હવે * આનુષંગિક એવી આ જ સ્વસમય-પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય અને પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે છે:
जे पज्जयेसु णिरदा जीवा परसमयिग त्ति णिद्धिठ्ठा । आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा ।।९४ ।। ये पर्यायेषु निरता जीवाः परसमयिका इति निर्दिष्टाः । आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः ।। ९४ ।।
પર્યાયમાં રત જીવ જે તે “પરસમય' નિર્દિષ્ટ છે; આત્મસ્વભાવે સ્થિત જે તે “સ્વકસમય' જ્ઞાતવ્ય છે. ૯૪.
ગાથા-૯૪ અન્વયાર્થ:- [૨ નીવડ] જે જીવો [પર્યાયેષુ નિરHI: ] પર્યાયોમાં લીન છે [પરસમયિT: તિ નિર્વિ:] તેમને પરસમય કહેવામાં આવ્યા છે; [ માત્મસ્વભાવે સ્થિતી:] જે જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે [તે] તે [સ્વસમય: જ્ઞાતવ્ય:] સ્વસમય જાણવા.
ટીકા- જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો – કે જે સકળ અવિધાઓનું એક મૂળ છે તેનો – આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે), તેઓ – જેમને નિરર્ગળ એકાંતદષ્ટિ ઊછળે છે એવા – “આ હું મનુષ્ય જ છું, મારું જ મનુષ્ય શરીર છે' એમ અહંકાર – મમકાર વડે ઠગાતા થકા, અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી ટ્યુત થઈને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને છાતી – સરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી અને હૃષી થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે (-પરદ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને લીધે) ખરેખર પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે.
અને જેઓ અસંકીર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના સ્વભાવનો – કે જે સકળ વિદ્યાઓનું મૂળ છે તેનો - આશ્રય કરીને યથોકત આત્મસ્વભાવની સંભાવનામાં સમર્થ હોવાને લીધે પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જોર) દૂર કરીને આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (– લીન થાય છે),
------ ૧. યથોકત- (પૂર્વ ગાથામાં) જેવો કહ્યો તેવો. ૨ સંભાવના – સંચેતન; અનુભવ; માન્યતા; આદર. ૩. નિર્ગળ – અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેહુદ એકાંતદષ્ટિ ઊછળે છે.) ૪. અહંકાર- “હું” પણું. ૫. મમકાર- “મારા” પણું. ૬. આત્મવ્યવહાર-આત્મારૂપ વર્તન, આત્મારૂપ કાર્ય આત્મારૂપ વ્યાપાર. ૭. મનુષ્યવ્યવહાર-મનુષ્યરૂપ વર્તન ( અર્થાત્ “હું મનુષ્ય જ છું” એવી માન્યતાપૂર્વકનું વર્તન) ૮. જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે. ૯. અસંકીર્ણ = ભેળસેળ નહિ એવા સ્પષ્ટપણે ભિન્ન (ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ – ભિન્ન (પર સાથે ભેળસેળ નહિ એવા) દ્રવ્યગુણ-પર્યાયો વડે સુસ્થિત છે.) * આનુષંગિક-પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
––
–
––
–
–
––
––
–
––