Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 499
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૯૦ એ તને પ્રતીતમાં આવશે, તને વેદનમાં આનંદ આવશે. અને તેય (તેને) ખબર પડશે કે આ આખી ચીજ આનંદમય છે. જેનો (આ) નમૂનો આવવાથી...!! સમજાણું કાઈ ? આહા.... હા ! (કહે છે) સાદી ગાથા લાગે આજે (પણ) સાદીમાં કેટલું ભર્યું છે! આહા... હા! આ તમારે ન્યાં પાંચ-પચાસ હજાર પેદા થાય મહિના-મહિનામાં બે દિવસમાં ને ગણતરો ક્યાં હતો ધૂળમાં ન્યાં! દશ-દશ લાખ પેદા કરે છે મહિને! આમ દુકાને બેસે, તો નોકરી વીસ-પચીસ. ભાઈ ! ન્યાં છે ને શાંતિભાઈને ત્યાં, શાંતિ (ભાઈ) ઝવેરી ! શું કહેવાય ઈ ? ઝવેરાત, ઝવેરાત. આ હીરા ઘસે છે ને...! બધા હુશિયાર માણસ! એક-એકને મહિને ચારસે-પાંચસે-છસે મળતા હશે! (શ્રોતા) વધારે મળતા હશે... (ઉત્તર) હજાર લો ને..! અમને કો” ક વાત કરે અમે. એમાં ઈ કોઈ નવીન ચીજ નથી બાપુ! આહા.... હા ! એ કંઈ વિસ્મયકારી નથી. આહા... હા! (વિસ્મયકારી ચીજ તો) પ્રભુ! તારું (આત્મ) દ્રવ્ય ને દ્રવ્યત્વપણું અને તેની ક્રમાનુપાતી-ક્રમાનુસાર (ક્રમબદ્ધ) સ્વકાળે પરિણમન થાય તેવું તારું સ્વરૂપ-સ્વભાવ છે !! આહા.... હા ! કો” સમજાણું આમાં? આહા... હા! આ તો મારગ બાપા! ત્રણ લોકના નાથ, તીર્થંકરદેવ (ની) વાણીમાં આવ્યું (ઈ) અલૌકિક વાતું છે. (શ્રોતા:) દ્રવ્યમાં હતી તે આવી, એ વાત દ્રવ્યદૃષ્ટિવાળા જ કહે ને..! (ઉત્તર) ઈ તો દ્રવ્યદૃષ્ટિ છે. પણ નહોતી ને થઈ (ઈ) ઉત્પાદન અન્વય સાથે સંબંધ છે. આહા.... હા! દેવીલાલજી! અધ્ધરથી – આમ અધ્ધરથી (શું ) થઈ છે! (ના.) એ તો હારે જ રાખ્યું છે. આહા... હા ! ઓલી સત્ છે ઈ ઉત્પન્ન થાય છે એ દ્રવ્યનું દ્રવ્યતત્ત્વપણું – અન્વયશક્તિઓના સંબંધમાં હતી – છે ઈ આવી છે પણ અહીંયા પર્યાય તરીકે જુઓ કે (પહેલી) નહોતી ને આવી તો પણ અન્વય સાથે સંબંધ છે. આહા.... હા ! (અહીંયા કહે છે કે, “જે ક્રમાનુપાતી-ક્રમાનુસાર સ્વકાળે ઉત્પાદ છે.” હવે આટલો તો શબ્દ છે! હું? ભલે! ઈ અન્વયશક્તિની હારે સંબંધ (કીધો) પણ સ્વકાળે ઈ પર્યાયો ઉત્પન્ન થાય છે. આહા... હા ! જેમ અન્વયશક્તિનું દ્રવ્ય, એકરૂપ સ્વકાળે છે, ત્રિકાળ એકરૂપ છે. અને આમાં (પર્યાયમાં) એક સમયનો કાળ, તે સમયનો તે જ કાળ છે. આહા... હા! સ્વકાળે તે પર્યાય ઉત્પન્ન થાય છે. કેટલી ભાષા વાપરી છે. (જુઓ !) “ક્રમાનુપાતી” છે? (પાઠમાં) “સ્વકાળે ” “ઉત્પાદ” થાય છે. “તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેક વ્યક્તિનું પૂર્વે અસત્પણું હોવાથી ” એ પર્યાયભૂત – નવી થઈ, પૂર્વે નહોતી, એથી એને અસપણું હોવાથી “પર્યાયો અન્ય છે.” એ અપેક્ષાએ પર્યાય અન્ય છે. આહા. હા! પર્યાય-અન્ય હોવા છતાં – નહોતી ને થઈ માટે “છે' છતાં અન્વય વિનાની- તેના સંબંધ વિનાની (થઈ છે ) એમ નહીં. આહા.... હા! આવી વાતું!! ઓલું તો કહે કે દયા પાળો.. ને છ– કાયની દયા પાળો.... ને વ્રત કરો ને... ઉપવાસ કરો... ને આ કરો ... ને ધૂળમાં ય એ તો અજ્ઞાન છે. આહા. હા! અહીંયા કહે છે (ક) તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યકિતનું પૂર્વે અસત્પણું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549