________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૧૦૩ હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ) :
दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो । हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ।। ११४ ।।
द्रव्यार्थिकेन सर्व द्रव्यं तत्पर्यायार्थिकेन पुनः । भवति चान्यदनन्यत्तत्काले तन्मयत्वात् ।।११४ ।।
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિક છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. ૧૧૪.
ગાથા - ૧૧૪
અન્વયાર્થ:- (દ્રવ્યાર્થિન) દ્રવ્યાર્થિક (નય) વડે (સર્વ) સઘળું (દ્રવ્ય) દ્રવ્ય છે; (પુન: ) અને વળી (પર્યાયાર્થિવન) પર્યાયાર્થિક (નય) વડે (ત) તે (દ્રવ્ય) (અન્ય) અન્યઅન્ય છે, (તત્વાને તન્મયત્વાત) કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (અનન્યત) (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.
ટીકા- ખરેખર સર્વ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે – (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક,
તેમાં, પર્યાયાર્થિક અક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડ જયારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયોસ્વરૂપવિશેષોમાં રહેલા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધું ય જીવદ્રવ્ય છે' એમ ભાસે છે. અને જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું – એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે - છાણાં, તૃણ, પર્ણ - અને કાષ્ઠમય અગ્નિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ, વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com