________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૨૨૦ (અહીંયા કે છે કે:) “એકલા ઉઘાડેલા” આ (પર્યાયચક્ષુ) બંધ છે ત્યારે એકા ઉઘડેલા છે. આહા.... હા! કાલ કહેવાઈ ગયું છેઆ બધું. (શ્રોતા:) જમાવટ થાય છે આજ. (ઉત્તર) આ તો ફરીવાર લીધું કે બે જણ આવ્યા છે ને.! આહા! આ તો ભગવાનની વાણી ! ગમે ત્યારે લો એ કાંઈ ફરીને છે જ નહીં, તેનો પાર નથી. “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી ” દઈને જયારે સર્વથા બંધ કરી દઈને (એટલે શું કે ) ઈ તો પર્યાયને જોવાની ચક્ષુ સર્વથા બંધ કરી, પણ દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડેલું છે. આહા.. હા! એક લીટી! (સમજે તો બેડો પાર !) આહા.... હા! જો તો ખરો પ્રભુ! તું કોણ છો? આહા. હા! સામાન્ય – વિશેષમાં પણ. વિશેષની આંખ્યું સર્વથા બંધ કરી દીધી. એટલે કે વિશેષને જોનારી આંખને સર્વથા બંધ કરી. પણ વિશેષમાં સ્વને જોનારી આંખ તો ઊઘડી ગઈ (છે.) આહા.... હા... હા! સમજાય છે કાંઈ ? તે (પર્યાયચક્ષુ ) બંધ થઈ પણ “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” અને જોવાનો ભાવ - એકલા દ્રવ્યને જોવાનો ભાવ ઉઘડી ગયો છે. વસ્તુ છે તેને જોવાનો ભાવ રહી ગયો છે. થઈ ગયો છે. આહા... હા! પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું. ત્યાં દ્રવ્યને જોવાનું (જ્ઞાન) ઉઘડી ગયું છે. આહા.... હા ! જાણનારો છે ઈ જાણનારો – એને પર્યાયમાંથી અંધારું થઈ જાય એમ તો છે નહીં. હું? ભલે કહે છે કે પર્યાયને (જોવાની ચક્ષુ) સર્વથા તે બંધ કરી - તારી પર્યાયને જોવાની સર્વથા બંધ કરી – પરની વાત તો છે જ નહીં. આહા..! પરની ચીજ કે પર્યાયને જોવાની તો વાત જ નથી. અહીંયા તો પોતાની પર્યાય (સહિત) પાંચ પર્યાય લેશે. નારકી –તિર્યંચ – મનુષ્ય – દેવ અને સિદ્ધ પર્યાય - એ પાંચ પર્યાયો. ( પોતાની ) પરની નહીં. પણ એ (જીવદ્રવ્ય) પોતાની પાંચ પર્યાયમાં વર્તે છે તેને જોવાનું બંધ કરી દઈને.... આહા.... હા! ભગવાન! વાત બીજી છે! આહા.... હા!
(અહીંયાં કહે છે કે, “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” જોયું? ઈ ટાણે દ્રવ્યાર્થિક ચુક્ષ છે. છે તો ઈ એ પર્યાય. સમજાય છે કાંઈ ? હવે આ કહું કે અમે પ્રવચનસાર વાંચી ગયા! તો એક જણો વળી કહે મહારાજ સમયસારના (બહુ વખાણ કરે છે તો હું તો) પંદર દિ' માં વાંચી ગયો ! પણ બાપુ ! એ એક કડીનો કે એક શબ્દનો પાર ન મળે ભાઈ ! (ભાવો બ્રહ્માંડના ભર્યા) આહા..! ઈ પરમાત્માની આ વાણી છે! દિગંબર સંતોની વાણી છે આ. કેવળીના કડાયતોની આ વાણી છે! આહી... હા!
(અહીંયાં કહે છે કે, “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે.” પર્યાયાર્થિક (ચક્ષુને) સર્વથા બંધ કરી – પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી અને દ્રવ્યને જોનારી પર્યાય દ્વારા જયારે દ્રવ્યને અવલોકવામાં આવે છે. સમજાય છે કાંઈ? આમાં તો ભાઈ ! અમે જાણીએ છીએ (પણ) બાપા પાર ન મળે! આહા... હા! પ્રભુની વાણી અને સંતો દિગંબર મુનિ! એટલે કે કેવળીના કેડાયતો! જેને કેવળજ્ઞાન પ્રગટશે. પણ કહે છે કે પર્યાયને જોવાનું (સર્વથા બંધ કરી દઈને) આહા.... હા ! અમારે તો દ્રવ્યને જ જોવું છે – એમ કહે છે. અને તે પર્યાયને જોવાની (સર્વથા) બંધ કરી દઈને કીધું તો જોવાની પર્યાય રહી કે નહીં? પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com