________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૦૯ છ દ્રવ્યો) એને જોવાની દષ્ટિ એ કોઈ પર્યાયાર્થિક દષ્ટિ કે દ્રવ્યાર્થિક દષ્ટિ નથી હું? આહા.... હા.... હા ! ફકત તારામાં બે પ્રકાર છે. સામાન્યપણું (એટલે) કાયમ રહેવાપણું અને બદલવાપણું – વિશેષપણું (છે.) ઈ બદલવાપણાની આંખ્યુંને બંધ કરી જઈ (ઉપરાંત) પરને જોવાની આંખ્યુંને બંધ કરી દઈ તો નહીં જ તે (ઈ તો વસ્તુમાં છે જ નહીં.) આહા.... હા.... હા! ગજબ વાત છે!! પરને જોવાનું તો બંધ જ કરી દે. આહા.... હા.. હા! થોડે શબ્દ ઘણું છે હો પ્રભુ! આહા... હા! (શ્રોતા:) ખરેખર વસ્તુ છે.! (ઉત્તર) બહુ વસ્તુ “આ છે! આહા.... હા ! પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દઈ, એમ ન કહ્યું કે પરદ્રવ્યને જોવાનું બંધ કરી દઈ. આહા... હા... હા... હા! પ્રભુ! તારામાં જ ક્યાં છે બે (પડખાં) સામાન્ય ને વિશેષ. ઈ બે છે એમાં ઈ વિશેષને જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દઈને – કથંચિત્ બંધ કરીને ને (કથંચિત્ ) ઉઘાડીને અથવા ગૌણ કરીને ઈ (પણ) અહીંયાં તો નથી ( કીધું) આહા... હા! (શ્રોતાઓ) આપ તો હમણાં જ સમ્યગ્દર્શન થવાની વાત કરો છો....! (ઉત્તર) હું? વસ્તુ ઈ છે. ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ છે. આહા....! જગતના ભાગ્ય છે, (આ) વાણી રહી ગઈ છે! કુંદકુંદાચાર્ય તો નિમિત્ત છે! આહા... હા! એને સાંભળવાનો ને વિચારવાનો અવસર લેવો નહીં. પ્રભુ! તારે ક્યાં જાવું છે? ક્યાં રહેવું છે?
અહીંયાં તો (કહે છે) પર્યાયની આંખ્યું પણ સર્વથા બંધ કરી દઈને (એકલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ.) આહા. હા! બાયડી-છોકરાં જોવાનું બંધ કરીને એ તો વાત જ (આચાર્યદેવ કરતા નથી.) એ તો તારામાં નથી (તેથી) તેની તો વાત જ અમે નથી કરતા. આહા...સમજાણું કાંઈ....?
આહા.... હા! “પર્યાયાર્થિક ચક્ષુએ સર્વથા બંધ કરીને, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” ઉઘડેલું હો પણ ઈ જ્ઞાન પાછું, છે તો પર્યાય. એને (દ્રવ્યને) જોનારી પણ ઈ ઉઘડેલું જ્ઞાન કે (જયારે) પર્યાયને જોવાની ( આં ખ્યું) બંધ કરી દીધી એટલે સ્વને જોવાનું ઉઘડયું જ્ઞાન. આહા.... હા.... હા ! સમજાણું કાંઈ...? આહા...! શું ટીકા ! આવી વાત ક્યાં છે? ભરતક્ષેત્રમાં! આહા.. હા! દિગંબર સંતોએ તો અમૃતના સાગર રેલ્યાં છે! થોડા શબ્દમાં ઘણું છે!! શું કહીએ એની ગંભીરતા!! આહા !
(અહીંયાં) એમ ઈ કહે છે. પહેલી વાત કીધી, કે સર્વ વસ્તુઓ સામાન્ય-વિશેષાત્મક છે, હવે ત્યારે વસ્તુને તારી, તને (તારે) જોવી હોય તો... આહા... હા! “ઉધાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે.” “જયારે અવલોકવામાં આવે છે.” જુઓ, એમાં પરની વાત નથી લીધી. કે પર્યાયન ને બંધ કરીને પરને જોવું. આહા... હા.... હા! પર્યાયાર્થિક નયને બંધ કરી દઈને. ઓહોહોહો ! અમૃત રેડ્યાં છે પ્રભુએ! અરે... રે! જગતને (પોતાની ખબર નથી !) કહે છે કે તારામાં બે પ્રકાર – સામાન્ય અને વિશેષ. જીવમાં ઊતારે છે હોં? સામાન્ય વાત તો બધાની (બધા દ્રવ્યોની) કરે છે. પણ ઉતારે છે જીવમાં. જીવમાં ઉતારીને કહે છે કે સર્વ દ્રવ્યોમાં એમ સમજી લેવું. આહા... હા! જયસેનાચાર્યની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com