________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૬
જુઓ ન્યાં ઉઘડેલું તો છે જાણવાનું પર્યાયમાં. પર્યાયને જોનારું જ્ઞાન છે ને...! દ્રવ્યને જોનારું જેમ જ્ઞાન છે એમ પર્યાયને જોનારું જ્ઞાન છે ને... આહા... હા! “ ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યમાં ૨હેલા ના૨કપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું - એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા.” જીવદ્રવ્યમાં રહેલા આ પાંચેય પર્યાયો પાછી જીવદ્રવ્યમાં ( રહેલી ) આહા... હા! કાંઈ પ૨માં નથી ઈ કાંઈ. હવે આવો ઉપદેશ એટલે અજાણ્યા માણસને– ક્રિયાકાંડવાળાને એવું લાગે કે આ, શું માંડી છે? બાપા! પ્રભુ! તારા ઘરની વાત માંડી છે ભાઈ ! આહા... હા ! તારું ઘર એવડું મોટું છે તેં સાંભળ્યું નથી પ્રભુ! પર્યાયથી વાત આવશે.
વિશેષ કહેશે.....
& Go f
8 8 8
–
–
Please inform us of any errors on rajesh@Atma Dharma.com