________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૧૫ ચડી ગયેલા છે. આહા.... હા. હા! આવી વાત છે.
(અહીંયાં કહે છે કેઃ ) “-એમ વિસ્તારી શકાય છે-અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે. છતાં સંજ્ઞા-લક્ષણ-પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને અને આત્મદ્રવ્યને.” આહા. હા! એ વીર્યગુણ અને એના આત્મદ્રવ્યને, વીર્યગુણને અને જ્ઞાનાદિ અનંતગુણને “જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને.” પુરુષાર્થગુણ છે એની જોડે જ્ઞાનદર્શન-આનંદ ગુણ છે. છતાં તેને, અન્યગુણને કે સિદ્ધત્વ આદિપર્યાયને (એટલે) એ ગુણની પર્યાયને “અતભાવ છે.” ત્રણ વચ્ચે અતભાવ છે. “તે-આ નહીં, તે-આ નહીં, તે-આ નહીં, આહા.. હા ! પર્યાય, તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં ને દ્રવ્ય તે પર્યાય નહીં આહા.... હા. હા! “અતર્ભાવ છે કે જે અતર્ભાવ.” કે જે ત્રણ્યમાં અતભાવ કીધો. પર્યાય તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે અન્ય ગુણ નહીં. એવો જે અતભાવ કયો (એ અતભાવ) “તેમનામાં અન્યત્વનું કારણ છે.” એ અતભાવમાં ભિન્ન-ભિન્ન ચીજ (દ્રવ્ય-ગુણપર્યાય) ભિન્ન છે એ અન્યત્વનું એ કારણ (અતભાવ) છે. અને અન્યત્વ છે ઈ. પૃથકપ્રદેશ છે ઈ અન્યત્વ તો તદ્દન જુદું (પ્રદેશ જુદા માટે ચીજ જુદી.) એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને પ્રદેશ જુદા છે. તો અન્યત્વ જુદું. પણ આ રીતે અતભાવની અપેક્ષાએ તેને અન્યપણું છે. પ્રદેશ પૃથક નહિ હોવા છતાં. આહા.... હા... હા! આવો જૈન ધરમ હશે? આવો ! જૈનપણું બધું ઊડાડી દીધું લોકોએ તો! આહા... હા !
કહે છે કે આ એકબીજાનાં ભાવરૂપે ઈ નહીં. તેથી અતદભાવ થયો. એ જ અન્યત્વ છે બસ ! એ અન્યત્વ છે. ઓલું પરનું અન્યત્વ તો પ્રદેશભેદે છે. આ અતભાવની અપેક્ષાએ (એટલો) અન્યત્વભાવ છે. આહા... હા! બહું ઝીણું લખાણ આવ્યું.
વિશેષ આવશે........
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com