________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૬૫ હવે (સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે અર્થાત્ તેનું તે જ છે માટે તેને સત્-ઉત્પાદ છે– એમ) સત્-ઉત્પાદને અનન્યપણા વડે નકકી કરે છે :
जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो। किं दव्वंत णजहदि ण जहं अण्णो कहं होदि ।। ११२ ।।
जीवो भवन भविष्यति नरोऽमरो वा परो भूत्वा पुनः । किं द्रव्यत्वं प्रजहाति न जहदन्यः कथं भवति ।।११२।।
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો કયમ અન્ય એ? ૧૧૨.
ગાથા – ૧૧૨
અન્વયાર્થઃ- [ નીવ] જીવ [મન] પરિણમતો હોવાથી [૧૨:] મનુષ્ય, [ સમર:] દેવ [વા] અથવા [પર:] બીજું કાંઈ (-તિર્યંચ, નારક કે સિદ્ધ ) [ ભવિષ્યતિ] થશે. [પુનઃ] પરંતુ [મૂત્વા] મનુષ્યદેવાદિક થઈને [$] શું તે [દ્રવ્યત્વે પ્રદતિ] દ્રવ્યપણાને છોડે છે? [નંદ] નહિ છોડતો થકો તે [ સન્ય: શું ભવતિ] અન્ય કેમ હોય ? ( અર્થાત્ તે અન્ય નથી, તેનો તે જ છે.)
ટીકા- પ્રથમ તો દ્રવ્ય દ્રવ્યભૂત અન્વયશક્તિને સદાય છોડતું થયું સત્ જ (હયાત જ) છે. અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યકિતનો ઉત્પાદ થાય છે તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અશ્રુતપણું હોવાથી દ્રવ્ય અનન્ય જ છે (અર્થાત તે ઉત્પાદમાં પણ અન્વયશક્તિ તો અપતિત – અવિનષ્ટ-નિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય નથી.) માટે અનન્યપણા વડે દ્રવ્યનો સત્-ઉત્પાદ નક્કી થાય છે (અર્થાત્ ઉપર કહ્યું તેમ દ્રવ્યનું દ્રવ્ય-અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને સત્-ઉત્પાદ છે-એમ અનન્યપણા દ્વારા સિદ્ધ થાય છે.)
આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છે:
જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી જીવ નારકત્વ, તીર્યચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશે- પરિણમશે. પરંતુ તે જીવ તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? નથી છોડતો. જો નથી છોડતો તો તે અન્ય કઈ રીતે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com