________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮૩ ભાવાર્થ- જીવ અનાદિ-અનંત હોવા છતાં, મનુષ્યપર્યાય કાળે દેવપર્યાયની કે સ્વાસ્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે પર્યાયો અન્ય -અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, સાધાન અને આધાર એવો જીવ પણ પર્યાય-અપેક્ષાએ અન્યપણાને પામે છે. આરીતે, જીવની માફક, દરેક દ્રવ્યને પર્યાય અપેક્ષાએ અન્યપણું છે. આમ દ્રવ્યને અન્યપણું હોવાથી દ્રવ્યને અસત્-ઉત્પાદ છે એમ નિશ્ચિત થાય છે. ૧૧૩.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com