________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮૨. હવે અસત્-ઉત્પાદને અન્યપણા વડે (અન્યપણા દ્રારા) નક્કી કરે છે :
मणुवो ण होदि देवो वा माणुसो व सिद्धो वा । एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ।। ११३।।
मनुजो न भवति देवो देवो वा मानुषो वा सिद्धो वा । एवमभवन्ननन्यभावं कथं लभते ।। ११३।।
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતો થકો કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
ગાથા - ૧૧૩
અન્વયાર્થ- [ મનુન:] મનુષ્ય તે [ લેવડ ન મવતિ] દેવ નથી. [ વા] અથવા [ વેવઃ] દેવ તે [માનુષ: વા સિદ્ધ: વા] મનુષ્ય કે સિદ્ધ નથી; [gવમ ભવન] એમ નહિ હોતો થકો [ અનન્યભાવ વથ નમ7] અનન્ય કેમ હોય?
ટીકાઃ- પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યકિતના કાળે જ સત્ (હયાત) હોવાને લીધે તેનાથી અન્ય કાળોમાં અસત્ જ (-અદ્યાત જ) છે. અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (-એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) સ્વકાળે ઉત્પાદ થાય છે તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યકિતનું પૂર્વે અસત્પણું હોવાથી, પર્યાયો અન્ય જ છે. માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો – કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક છે તેનો-અસત્ ઉત્પાદ નકકી થાય છે.
આ વાતને (ઉદાહરણ વડે) સ્પષ્ટ કરવામાં આવે છે:
મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એ રીતે નહિ હોતો થકો અનન્ય (તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય અને જેથી મનુષ્યાદિ પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણ વલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને ઊપજે છે એવા સુવર્ણની જેમ-પદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાય ) અન્ય ન હોય? જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (-ભિન્નભિન્ન છે, તેના તે જ નથી, તેથી તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે, તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો અન્ય છે તેથી તે પર્યાયે કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય-અપેક્ષાએ અન્ય છે.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com