________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૭ વજન (આદિ) છે. તેમાંથી કડાંની, કુંડળની પર્યાયો થઈ, તે કડાંની કુંડળની પર્યાય હથોડાથી ને એરણથી ને સોનીથી (કદી થાય) નહીં, ઈ એમ નથી કહ્યું: (એનાથી તે પર્યાયો થઈ નથી) પણ અહીંયા તો આનાથી (સોનાથી) આ આમ થઈ છે એ અતિ સિદ્ધ કરવું છે. આહા.. હા ! વાણિયાને વખત મળે નહીં. અને વખત મળે તો આ સંસારમાં...! આહા..! પુસ્તકો આપે છે (પણ) પુસ્તકો વાંચતા નથી માળા... કે આ શું કહે છે? વાંચ તો ખરો ! ઈ વાંચે તો અર્ધો કલાક વાંચે.. કહે કે...! અહીંયાં આવે છે કેટલી” ક બાઈયું! ઈ પુસ્તક પડયું હોય ઈ લઈ, બે મિનિટ વાંચી ને એક સૂત્ર વાંચે ! ઈ વાંચ્યું કહેવાય! આહા... હા.... હા !
અરે! બાપુ મારગ જુદા ભાઈ ! અહીંયાં તો દ્રવ્યની પર્યાયના બે પ્રકાર પાડવા છે. એક તો સસંબંધે પ્રગટી છે માટે સત્ હતી તે થઈ. એક વાત કીધી. (બીજી વાત હવે.)
(અહીંયાં કહે છે કે , “અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે.” અને જયારે (પર્યાયો ) જ કહ્યું. ઓલામાં શું હતું? “જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે.” એમ હતું. પેરેગ્રાફનો પહેલો શબ્દ ! આહા.... હા ! બીજા પેરેગ્રાફનો પહેલો શબ્દ (વાક્ય છે.) “જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે - પર્યાયો નહિ.” અને અહીંયા (કહ્યું છે) “જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે. દ્રવ્ય નહિ.” આહા..! “ત્યારે ઉત્પત્તિ-વિનાશ જેમનું લક્ષણ છે પર્યાયનું (લક્ષણ ઉત્પત્તિ વિનાશ છે.) “એવી, દમે પ્રવર્તતી.” ક્રમે-ક્રમે પ્રવર્તે છે આ ક્રમે પ્રવર્તતી, ક્રમબદ્ધ આવી ગયું કે નહીં ? (આવ્યું) આહા.... હા! અરે ! ભાઈ, આવો વખત ક્યારે મળે ! માંડ માણસ (થયો) નીકળવાનો વખત આવે, એ વખતે બફમમાં બફમ કાઢી નાખે! અરે ઈ પાછો નિગોદમાં જાય, મિથ્યાત્વના જોરે! આહ.... હા.. હા! કુંદકુંદાચાર્ય તો એમ કહે: એક વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માનશે, મનાવશે આહા.... હા! પ્રભુ એણે નવે તત્ત્વનો વિરોધ કર્યો છે. ઈ નિગોદમાં જાશે. આહા..! ઈ, ઈ શું કહેવાય? (શ્રોતા:) કાકડીના ચોર ને... (ઉત્તર) કાકડીના ચોરને ઘો ફાંસો! એમ હશે? એમ નથી ભાઈ ! એણે તત્ત્વનો પૂરો- પૂરો વિરોધ કર્યો છે. તત્ત્વનો પૂરો વિરોધ કર્યો છે. આહા. હા! એક પણ વસ્ત્રનો ટૂકડો રાખીને (પોતાને) મુનિ માને, મનાવે, માનતાને ગુરુ જાણે નિગોદમાંથી કીધો છે બાપા! કેમ કે ઈ રાગનો ટુકડો- (વસ્ત્ર) નો ટુકડો રાખ્યો છે માટે રાગ છે, તીવ્ર રાગ છે ત્યાં મુનિપણું હોય નહીં. વસ્ત્ર રાખવાનો ભાવ છે ત્યાં તીવ્ર રાગ છે, તેને મુનિપણું હોય નહિ. ત્યાં મુનિપણું નથી ને મુનિપણું મનાવે છે આહા.... હા! સાધુને કુસાધુ માને કુસાધુને સાધુ માને-પચીસ મિથ્યાત્વ કહેવામાં આવ્યા છે ને.! વિચાર ક્યાં છે? પોતાના સંપ્રદાયમાં માનેલો સાધુ! અરે! જે નારાયણ “આહારદાન'.
(અહીંયાં કહે છે કે, “અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે. દ્રવ્ય નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ જેમનું લક્ષણ છે” પર્યાયોનું “એવી ક્રમે પ્રવર્તતી.” ક્રમે પ્રવર્તનારી પર્યાયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com