________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૫ સની પર્યાય, સતના અન્વયથી થઈ એમ કહેવાય, દ્રવ્યની મુખ્યતાથી. અને ઈ પર્યાય નો' તી ને થઈ એથી અસત્ ઉત્પન્ન થઈ એમ પણ કહેવાય. આહાહા.. હા! “એમાં છે” એમાંથી થઈ, એથી “છે તે થઈ ' એમ કહેવાય. અન્વયશક્તિને સંબદ્ધને લઈને. ગુણને લઈને. અને પહેલી નહોતી ને થઈ, પર્યાયદષ્ટિથી જુઓ, વસ્તુતઃ નહોતી ને થઈ છે. એનો સંબંધ અન્વય હારે નો રહ્યો. ઈ તો આંહી પર્યાયને જ (માત્ર) જોઈએ તો એ પર્યાય નહોતી અને થઈ એ અસઉત્પાદ, પર્યાય-દષ્ટિથી કહેવામાં આવે છે. દ્રવ્યદૃષ્ટિથી અન્વયશક્તિ (ઓ) ના સંબદ્ધમાંથી ઉત્પન્ન થઈ માટે તે “છતી આવી છે” “છે તે આવી છે', હતી તે આવી છે” હતી તે થઈ છે' આહા.... હા! (શ્રોતાઃ) આમાં કાંઈ સમજાણું નહીં.. (ઉત્તર) હે? કો' આમાં સમજાતું નથી એ.. દેવીલાલજી! આહા.. હા! વસ્તુ તો વસ્તુ છે. હવે વસ્તુમાં દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ છે. પરની હારે કાંઈ સંબંધ નહીં. વસ્તુ છે આત્મા, પરમાણુપરમાણુ છે અને એક કોર રાખો, અત્યારે આત્માની (વાત) લઈએ. આત્મા વસ્તુ છે તેમાં ત્રણ પ્રકાર-કે દ્રવ્ય, ગુણ ને પર્યાય (એ ત્રણ પ્રકાર છે.) હવે એ દ્રવ્યની સાથે અન્વયશક્તિઓ –ગુણ જે રહેલ છે. અન્વય છે ઈ. (એટલે) સાથે રહેનારા. છછછછછછછે. હવે એમાંથી થયેલી પર્યાય - ઈ અન્વયમાંથી થયેલી પર્યાય માટે તે છતીમાંથી થયેલી પર્યાય એમ કહેવામાં આવે છે. “હતી તે થઈ '
છે તે થઈ ” આહા..! કો” ચેતનજી ભઈ આ પ્રવચનસાર છે! ઘણા વખતે વંચાય છે. ચાર વરસ પહેલાં (વંચાયું હતું.) આહા.... હા !
અહીંયાં તો પર્યાય ઉત્પન્ન થાય છે. થાય છે એના બે પ્રકાર. અંતરંગમાં અન્વય (રૂપ) જે શક્તિઓ છે. વસ્તુ અન્વય છે અને શક્તિઓ (પણ) અન્વય છે. અન્વય એટલે કાયમ રહેનારી. છછછછછે. ઈ છછછે એમાંથી થઈ, એને દ્રવ્યદૃષ્ટિએ કહેવું હોય ત્યારે છે એમાંથી થઈ, હુતી એમાંથી થઈ, એથી (સદ્ભાવસંબદ્ધ ) કહેવામાં આવે છે. કો” આ તો સમજાય છે કે નહીં? પરને લઈને નહીં. પરનો સંયોગ એકદમ આવ્યો ને થઈ (છતાં) પરને લઈને નહીં. દષ્ટાંતઃ- કે જેમ આત્મામાં મતિજ્ઞાન છે અને એકદમ બીજે સમયે કેવળજ્ઞાન થયું, હવે કેવળજ્ઞાન જે થયું એ અન્વયશક્તિઓના સંબદ્ધ થયું એટલે છતું તે થયું છે. અંદર-અંદર અન્વયશક્તિના સંબદ્ધ થયું માટે છતું તે થયું છે કેવળજ્ઞાન એ સદ્ભાવસંબદ્ધ (છે.) સદ્દભાવસંબદ્ધ ઉત્પાદ છે. આહા... હા! હીરાભાઈ નથી? ગયા ક્યાંય ગયા? (શ્રોતા ) રાજકોટ ગયા છે. (ઉત્તર) રાજકોટ? ઠીક!
(અહીંયાં કહે છે કે:) “સુવર્ણની જેમ”. તે આ પ્રમાણે જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે.” સોનું જ કહેવામાં આવે છે. “-બાજુબંધ વગેરે પર્યાયો નહિ”. કુંડળ, કડાં આદિ પર્યાયો નહીં. “ત્યારે સુવર્ણ જેટલું ટકનારી.” ત્યારે સોના જેટલું ટકનારી “યુગપદ્ પ્રવર્તતી” અન્વય (શક્તિઓ) હો અંદર. “સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિ.” એટલે ગુણ-સોનાના ગુણો – અન્વયશક્તિઓ. એ અન્વયશક્તિઓ “વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી” ક્રમે પ્રવર્તતી બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com