________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો ૪૩૯ દેવીલાલજી! આવી વાત છે. બેસવી કઠણ પડે! (શ્રોતા ) બેસે તો સમાધાન થાય... (ઉત્તર) વસ્તુસ્થિતિ આમ છે.
(કહે છે) અહીંયાં બતાવવામાં એટલો ભાવ છે કે કોઈપણ તત્ત્વને એકદમ બદલતી અવસ્થા દેખીને, સંયોગ આવ્યો માટે બદલતી અવસ્થા (એકદમ ) થઈ એમ નથી. પહેલાં આમ હતું ને પછી કેમ આમ થયું? પહેલાં આ રીતે, આ પર્યાય નહોતી ત્યાં બેઠો ત્યારે અહીંયાં (બેઠો ત્યારે) આ જ્ઞાનની પર્યાય આવી થઈ આંહી. સાંભળવામાંથી થઈ તો એનું કારણ શું? આહા... હા! કહે છે કે એનો જ્ઞાનગુણ ને સત્તાગુણ જ. ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ (પરિણમે) છે. એથી તેના ગુણનું ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય કરીને જ એ (જ્ઞાન) થયું છે. અને એ ગુણ ગુણીનો એટલે દ્રવ્યનું જ એ પરિણમન છે. બીજાનું છે નહીં' . દેવીલાલજી! આહા... હા! હવે આમાં પરની દયા ને પરની હિંસા.... મંદિર બનાવવા ને... રથયાત્રા બનાવવા ને... આહા..! ભારે વાત ભઈ !
કોઈ પણ દ્રવ્ય, તે તે કાળે સંયોગો ભલે વિવિધ પ્રકારના આવે- એથી અહીંયાં વિવિધ પ્રકારની પર્યાયો થઈ એમ નથી. તે ક્ષણે જ તેના ઉત્પાદનો, વ્યયનો, ધ્રૌવ્યનો- સત્તાગુણનું પરિણમન છે. માટે થાય છે. તે ગુણ છે ગુણીનો તે, ગુણી તો ધ્રુવપણે પડ્યું છે. સંયોગોરૂપે પરિણમ્યા'તા માટે સંયોગોને લઈને પરિણમ્યા છે એમ નથી. આહા. હા! આ તો બેસે એવું છે.
(અહીંયાં કહે છે કેઃ) ગુણ જ છે. - આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ થાય છે.”
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com