________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૩ કરે છે. એ કોઈ પંથ ને પક્ષ નથી. આહા... હા! કઠણ પડે પ્રભુ પણ છે તો આ. દુનિયા ભલે માને ન માને.. આહા... હા !
( અહીંયાં કહે છે કેઃ ) “પહેલાં પહેલાંના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બેય ૫૨સ્પ૨ અનુસ્મૃતિ ૨ચનારો પ્રવાહ.” ઓલામાં દોરો હતો, આમાં અનુસ્મૃતિ રચનારો પ્રવાહ એક પછી એક (છતાં ) સળંગ “ અવસ્થિત (-ટકતો ) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.” ભગવાન આત્મા ને દરેક પરમાણુ (માં ત્રિલક્ષણપણું છે) દરેકમાં છે પણ તેનું જાણપણું તો જ્ઞાનમાં થાય છે. તેના ત્રણ લક્ષણ પરમાણુના પણ છે તેની તે સમયની પર્યાય છે. પછીપછીનું ને પહેલાંપહેલાંનું પણ એ જ્ઞાન કોને છે? જડને છે? (ના. જીવને છે.) બધેયથી પરસ્પર અનુસ્મૃત રચનારો પ્રવાહ– પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ એમ (પરિણામોનો ) પ્રવાહ! પ્રવાહ ક્રમ વિસ્તા૨ ક્રમનો – તો દષ્ટાંત દીધો' તો પ્રવાક્રમઃ પણ પરિણામ એક પછી એક, એક પછી એક, એક પછી એક જે થવાના તે થવાના ગ્યા તે ગ્યા એ પણ એમાં અવસ્થિત. આખો પ્રવાહ ગણો તો તે ટકતો હોવાથી પ્રવાહપણે પણ દરેક પરિણામને ટકતું દેખીને ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે. ઉત્પાદ પણ છે, વ્યય પણ છે, ધ્રૌવ્ય પણ છે. એક પરિણામમાં ત્રણપણું છે. આહા... હા..! સમજાણું કાંઈ ? આવી વાત બહુ આકરી પડે માણસને. લોકોમાં તો સામાયિક કરો. પોષા કરો... પડિમા લઈ લ્યો, સાધુ થાવ. આ છોડો, રસ છોડો (કહે છે ને) રસ છોડયા સાધુ સાધુએ અરે પણ પહેલું મિથ્યાત્વ છોડયું નથી ને ૨સ ક્યાંથી છોડયો ! આત્માનો રસ આવ્યા વિના, રાગનો રસ છૂટે નહીં. આહા... હા! અને એ આત્માનો ૨સ ત્યારે આવે કે તે તે સમયના પરિણામ ત્યાં ત્યાં થાય, થઈ ગ્યા તે હવે ન થાય, નથી થ્યા તે તે સમયે થાય. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના તે તે ગુણનાં પરિણામોનો છેછેછેછેછે પ્રવાહ એ દ્રવ્ય. એક જ પર્યાયમાં ત્રણ લાગુ કર્યાં. એ તો પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય સમયસાર ’ ( ગાથા-૭૬, ૭૭, ૭૮ ૭૯) માં કહ્યું છે ને...! આ ‘પ્રવચનસાર’ માં (આ કહ્યું) જે સમયના જે પરિણામ થાય તે પ્રાપ્ય છે. અને પૂર્વની અપેક્ષાએ અને બદલીને શ્યું માટે વિકાર્ય છે તો એનું એ. અને ઊપજયું તે અપેક્ષાએ નિર્વર્ય તેને કહ્યું આહા... હા! ગજબ વાત છે!! સત્યનું જાહેર૫ણું – પ્રસિદ્ધિપણું ઓહોહોહો !! અહીંયાં પણ એ કહ્યું “ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.” આહા... હા !
=
( કહે છે કેઃ ) જ્યાં આ પર્યાય ઉત્પન્નનો કાળ છે. અને પછી પણ ઉત્પન્નનો કાળ થશે તેને કાળ થશે. અને ઉત્પન્નકાળ થઈ ગયો તે સમય તો ગયો. અને છેછે એની અપેક્ષાએ ધ્રૌવ્ય. એમાં વર્તતું દ્રવ્ય એ દ્રવ્યની દષ્ટિ થતાં તેને તે લક્ષણપણાનો નિર્ણય સાચો થાય છે. આહા.. હા ! આવું છે.
17
ભાવાર્થ:- ભાવાર્થ (છે) જે ઓલી ભાષા આકરી હોય ને ટીકાની. ભાવાર્થમાં સાદી ભાષા હોય. ભાવાર્થ:- “દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે. ” દરેક દ્રવ્ય એટલે વસ્તુ સ્વભાવમાં જ સદાય સ્વભાવમાં રહે છે. “તેથી તે સત્ છે. ” દ્રવ્ય છે. “તે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” આહા ! તે સત્ દ્રવ્ય ઉત્પાવવ્યયૌવ્યયુક્તમ્ સત્ (-તત્ત્વાર્થ સૂત્ર અ. ૫. સૂ.
,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com