________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૫ (કહે છે કે, દરેક પદાર્થ પોતાના સ્વભાવમાં વર્તે છે અને એ સ્વભાવ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ છે. તેમાં જ તે વર્તે છે. પર પદાર્થમાં વર્તે છે કે પર પદાર્થથી વર્તે છે એમ નથી. કારણ કે દ્રવ્યનો સ્વભાવ જ આવો છે. આહા.... હા... હા! (પ્રશ્ન) આવું કહેશો તો પછી કોઈ પુસ્તક નહીં બનાવે (છપાવે.) મંદિર નહીં બનાવે. (ઉત્તર) કે 'દી બનાવે છે? બનાવે છે (તો) નહીં બનાવે (પણ કે” દી બનાવે છે !) આહા. હા! ભગવાનની પૂજા વખતે' સ્વાહા' (ઉચ્ચારે છે) એ “સ્વાહા' ની પર્યાય જડમાં (પુદ્ગલમાં) ઉત્પન્ન થઈ છે. અને પૂર્વે (આ) “સ્વાહા' ની પર્યાય નો'તી. પૂર્વે બીજી પર્યાય ( હતી) એ પર્યાયનો સંહાર થઈને “સ્વાહા” ની (પર્યાયની) ઉત્પત્તિ થઈ છે. અને એ સ્વાહાની ઉત્પત્તિ ને પૂર્વની પર્યાયનો વ્યય, ધ્રુવને અન્વયને અવલંબે છે. વ્યતિરેકો, અન્વય વિના–ધ્રુવ વિના હોતા નથી. ધ્રુવ, વ્યતિરેકો વિના હોતા નથી. અને આ (માને કે) “સ્વાહા' મારા વિના હોતું નથી. (જોરથી બોલે કે, “સ્વાહા' આહા....હા! આવી વાતું! (દુનિયાથી ઊંધી) કો' વીરચંદભાઈ ! આ નાઈરોબીમાં આવું હાલશે?! આહા...હા !
(કહે છે) (શ્રોતા:) ઉત્પાદ-વ્યય-ધ્રુવ સમજાવો છો કે ભેદજ્ઞાન સમજાવો છો ? (ઉત્તર:) ઉત્પાદ-વ્યય-ધ્રુવ છે એનો અર્થ: કે એક એક તત્ત્વ સ્વતંત્ર છે. બીજાથી ત ન જુદું છે. આહા. હા ! એ ભેદજ્ઞાન છે. ભેદ (જ્ઞાન) માં તો હજી પરથી જુદો એટલી અપેક્ષા છે, અહીંયા તો છે જ આવું. આ. હા. હા. હા. હા. હા..! આહા... હા! ઈ તો ભેદજ્ઞાનને અભેદ કીધું છે (એક ઠેકાણે) વિકલ્પ પણ કહ્યું છે, (“સમયસાર નાટકમાં” ને “કળશ ટીકા” સમયસાર) જયસેન આચાર્યની ટીકામાં ભેદજ્ઞાન અભેદ પણ કીધું છે. અહીંથી જુદું પડયું એટલે અભેદ મ્યું ત્યાં એમ (અભેદ ). અપેક્ષા જુદી જુદી. “અહીંયાં તો આ જ વસ્તુ છે તે પરથી જુદો એ વાતે ય નહીં. કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે છે ઈ તો પહેલાં આવ્યું. ગાથા-૯૯ ભાવાર્થમાં આવ્યું તું. (જુઓ!) ૯૯ ગાથાનો ભાવાર્થ. “દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી “સત્ ” છે. તે સ્વભાવ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ પરિણામ છે.” છે ભાવાર્થ (માં ) ? દરેક દ્રવ્ય એટલે આત્મા, નિગોદજીનો જીવ, સિદ્ધનો જીવ, પરમાણું કે કંઈ (ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાળ.) દરેક દ્રવ્ય સ્વભાવમાં રહે છે તેથી સત” છે અને તે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપપરિણામ છે. આહા.. હા !
(કહે છે કે:) બીજાનું બીજામાં ને બીજાનું બીજામાં એમ સૌને -કોઈને કાંઈ લેવા દેવાનું ન મળે કહે છે. આ કહે છે કે બાયડી-છોકરાં સાચવીએ, ધ્યાન રાખીને સાચવીએ (તો) રાજી થાય. બધી (માન્યતા) ગપે–ગપ્પ છે, મિથ્યાત્વ છે.
(અહીંયા કહે છે કે, “અથવા તો અસનો જ ઉત્પાદ થાય” એક વાત આવી. (હવે બીજી વાત) “ત્યાં, જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય.” એ સિદ્ધાંત લીધો બધાનો. (શું કહે છે? ) જ્યારે કુંભની ઉત્પત્તિ, વ્યયને ધ્રુવથી જુદી ન થાય તો બધા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com