________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૯
પ્રવચન : તા. ૧૯-૬-૭૯.
‘પ્રવચનસાર” ૧OO ગાથા. ઉત્પાદનો બોલ આવી ગ્યો છે. શું કહે છે? કે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે છે. આ સિદ્ધાંત એક. પરદ્રવ્યને એને કાંઈ સંબંધ નહીં. આહા.... હા! (શ્રોતા ) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને....! (ઉત્તર) નિમિત્ત-નૈમિત્તિકનો અર્થ જ (છે) એ નહીં. એ જ્ઞાન કરાવવા બીજી વાત કહે. બાકી દરેક દ્રવ્ય, આત્મા-નિગોદનો હો કે સિદ્ધનો હો કે નરકની ગતિનો જીવ હો, દરેક પોતાના ઉત્પાદવ્યયબ્રોવ્ય એવો સ્વભાવ-એમાં ઈ વર્તે છે. તેથી એનો ઈ ઉત્પાદવ્યયબ્રોવ્ય સ્વભાવ છે. અહીંયાં કહે છે કે એકલો ઉત્પાદ ગોતવા જાય-જેમ કે એકલું સમકિતને ગોતવા જાય, તો મિથ્યાત્વના નાશ વિના અને સમકિતની ઉત્પત્તિ જ ન દેખાય. સમજાય છે? ઘટની ઉત્પત્તિને શોધવા જાય, ઘડો છે તેને (એકલો) શોધવા જાય, તો ઘડો છે તે પહેલાં માટીનો પિંડ (હતો) તેના અભાવે, ઘડાની પર્યાય સિદ્ધ જ નહીં થાય. ઘડો (બન્યા) વિના માટી કાયમ રહેલી છે એનાથી (પર્યાય ) ઉત્પન્ન થયેલી એ ઘડો છે. આહા...! કુંભારથી નહીં. આહા.. હા! આવું છે!
કેવળ સર્ગ (એટલે) ઉત્પત્તિ શોધવા જાય તો, વિરુદ્ધ થાય છે. પછી “વળી કેવળ સંહાર આરંભનાર.” બે ય ભાષામાં ફેર છે. ઓલામાં – ઉત્પાદમાં વોવનં સ કૃ િયમાગશ્ય એમ હતું. મૃયમાર્ચ એટલે કેવળ ઉત્પત્તિ શોધનાર એમ (અર્થ છે.) “મૃય' એટલે શોધવું. આહા.... હા!
એકલો પર્યાય ઉત્પાદનો જોવા જાય તો પણ સિદ્ધ નહીં થાય. અહીંયાં પૂર્વકારણ ઉપાદાન (ના) ક્ષય વિના, એ ઉત્પાદ સિદ્ધ નહીં થાય. હવે સંહાર - વ્યય (ની વાત છે.) “વળી કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો (-ઉત્પાદ એ ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડના સંહાર કારણના અભાવને લીધે.” મૃત્તિકાપિંડની ધ્રુવતા અને ઉત્પાદ વિના એકલો વ્યય કરવા જનાર, મૃત્તિકાપિંડના સંહારકારણના અભાવને લીધે, માટીના પિંડમાં સંહારકારણના અભાવને લીધે, એટલે ઉત્પત્તિના કારણના અભાવને લીધે. (અર્થાત્ ) ધટની ઉત્પત્તિના કારણના અભાવને લીધે, એનો સંહાર જ સિદ્ધ નહીં થાય. આહા...! છે? (પાઠમાં) “કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાંપિંડના સંહારકારણના અભાવને લીધે.” એટલે કે ઉત્પત્તિ છે એ સંહારકારણનો અભાવ છે. ભાવ તો સંહાર છે. ભાવ વ્યય તરીકે છે. ઉત્પત્તિની અપેક્ષાએ સંહારકારણનો અભાવ છે. આહા...હા...હા! “ભાવ” તો ત્રણેય કીધા. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ત્રણે ય સ્વભાવ કીધા ને...! આહા... હા! પણ અહીંયાં વ્યય એકલો ગોતવા જાય, મિથ્યાત્વનો નાશભ એકલો ગોતવા જાય, તો સમકિતની ઉત્પત્તિને એનો આધાર ધ્રુવ આત્મા એના વિના એકલો મિથ્યાત્વનો નાશ ( સિદ્ધ ) નહીં થાય. આહા... હા !
(કહે છે કે :) આ શરીરના પરમાણુંઓ) અન્વય હારે જુઓ! હવે એમાં ઈ ઉત્પત્તિ આમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com