________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૭૪ (અહીંયાં) તો પરમાત્મા (કહે છે) સત્તા નામનો ગુણ છે અસ્તિત્વ, આત્મામાં (ને) પરમાણુમાં (એમ છે એ દ્રવ્યોમાં) જે ગુણ ને ગુણીના પ્રદેશો જુદા નથી. છતાં ગુણ ને ગુણી બે અન્યત્વપણે છે. એ ય પણ પ્રદેશપણાની અપેક્ષાએ એકપણે છે. પણ ભાવ ને આ ભાવવાન, આ ગુણ ને ગુણી, એ અપેક્ષાએ અન્યપણું પણ છે. જુઓ આ સિદ્ધાંત !! (વીતરાગનાં સિદ્ધાંતની સૂક્ષ્મતા !) આહા.. હાં.. હા !
(અહીંયાં કહે છે કે, “આમ હોવા છતાં” આમ હોવા છતાં એટલે? કે વસ્તુ જે છે, ઈ સત્તાથી છે. સત્તાથી ટકી રહી છે ધ્રુવપણે. જો સત્તાથી એને ભિન્ન ઠરાવો, (તો) ધ્રુવપણે ટકવું કોને લઈને? સત્તાનું પ્રયોજન તો એટલું જ છે કે “કાયમ રહેવું' હવે જો સત્તા ભિન્ન ઠરાવો તો “કાયમ રહેવું રહેતું નથી. આહા..! માટે તે સત્તા, અને આત્મા પૃથક નથી, છતાં એમ નકકી કર્યા છતાં –બે વચ્ચે અન્યપણું છે જ. આ.. રે! આહા...હા...હા! ભઈ ! ધ્યાન રાખે તો, પકડાય તેવું છે. આહાહા ! મીઠાલાલજી! પકડાય એવું છે કે નહીં? આહા.... હા !
(કહે છે કેઃ) આ શરીર છે, જુઓ, ઈ શરીરના, એના પરમાણુમાં (જો) અસ્તિત્વગુણ ન હોય, (એટલે) સત્તા ન હોય) તો ઈ પરમાણુ ટકી શી રીતે શકે? સત્તા વિના ટકી શી રીતે શકે? માટે તે સત્તા ને ઈ પરમાણુના પ્રદેશ એક છે. અભેદ છે, એમ આત્મા એનામાં સત્તા નામનો એક ગુણ છે. એ ગુણ વિનાનું ધ્રુવપણું (આત્માનું) ટકી શી રીતે શકે? સત્તા નથી, હોવાપણાની શક્તિ નથી, તો હોવાપણે રહેવું ક્યાંથી બને? (ન બને.) આહા... હા... હા! એ અપેક્ષાએ, ગુણીને ગુણ વચ્ચે, પૃથકપણું નથી, પણ અન્યપણું છે. આહા.... હા... હા... હા ! ઈ કહે છે જુઓ!
(અહીંયાં કહે છે કે:) “આમ હોવા છતાં તેમને (-સત્તા અને દ્રવ્યને) અન્યત્વ છે.” કારણ કે (તેમને) અન્યત્વના લક્ષણનો અભાવ છે. છતાં ગુણી (એટલે) ભગવાન આત્મા, (એનો) સત્તાગુણ બે વચ્ચે અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. બે જુદા છે, અનેરા છે એવું અન્યત્વલક્ષણ તેમાં છે. આહા.. હા! ગુણ અને ગુણી ભિન્ન છે એવું અન્યત્વ લક્ષણ છે. ગુણ કંઈ ગુણી થઈ જતો નથી ને ગુણી તે કંઈ ગુણ થઈ જતો નથી. આહા.... હા. હા! મુનિઓએ આવું કર્યું છે. આહા.. હા ! દિગંબર સંતોએ આવી ટીકા કરી હશે! આનંદમાં રહેતા અતીન્દ્રિયઆનંદમાં ઝૂલતાં ! એકલવિહારીને આવી ટીકા થઈ ગઈ ! આહાહા! છતાં પ્રભુ કહે છે. અમે તો અમારા જ્ઞાનમાં છીએ, એ ટીકામાંકરવામાં-પરમાં અમે આવ્યા જ નથી. આહા..! ટીકાનો વિકલ્પ છે એમાં ય આવ્યા નથી ને! આહા... હા ! ત્યારે કોઈ કહે છે કે ( એ તો) નિર્માનપણાનું કથન છે. (પણ એમ નથી) એ વસ્તુના સ્વરૂપનું કથન છે. આહા.. હા!
(મુનિરાજ કહે છે) ટીકા કરવામાં અમે નથી, અમે તો સ્વરૂપમાં ગુપ્ત છીએ. અમારું (લક્ષ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com