________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧/૬
પ્રવચનસાર પ્રવચનો ૩૭૮
પ્રવચન : તા. ૨૬-૬-૭૯.
પ્રવચનસાર' ૧૦૬ ગાથા. બીજો પેરેગ્રાફ. ઝીણું છે આ.
(કહે છે કે અહીંયાં) “આમ હોવા છતાં” એટલે કે આત્મા છે (એમાં) સત્તા ગુણ છે. પરમાણુ છે એમાં વર્ણ, ગંધ, રસ, (સ્પર્શ) ગુણ છે. એમાં ઈ સત્તા છે. પણ સત્તા ગુણ છે ઈ દ્રવ્ય નથી. અને દ્રવ્ય છે તે એક ગુણરૂપ નથી. એવો બે વચ્ચે “અતભાવ અન્યત્વ' છે. “તે નહીં' એ રીતે અતભાવ અન્યત્વ છે. પૃથકત્વ અન્યત્વ નથી. એટલે શું? શરીર, વાણી કર્મ આદિ, સ્ત્રી-કુટુંબપરિવાર લક્ષ્મી આદિ, એ તો પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે તેથી અન્ય છે. અહીંયાં આત્મામાં છે અસ્તિત્વગુણ, એ ગુણ અને આત્માને પ્રદેશભેદ નથી. છતાં ગુણ દ્રવ્ય નહીં, દ્રવ્ય તે ગુણ નહીં. ગુણ દ્રવ્યને આશ્રયે રહે છે. તેથી બે વચ્ચે અતભાવ છે. આહા. હા! અને અતભાવને લઈને, દ્રવ્યને અને ગુણને અન્યત્વ કહેવામાં આવે છે. અનેરાપણું છે એમ કહેવામાં આવે છે. કો” સાંભળ્યું?
(કહે છે કે:) આ શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો મકાન એ તો આત્માના પ્રદેશથી ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. અને તેથી અન્યત્વ છે જ. એમાં નથી આ આત્મા, આત્મામાં નથી એ. આહા.... હા ! પણ આત્મામાં એક સત્તા નામનો ગુણ છે. “અસ્તિત્વ' . (આ) અસ્તિત્વ ન હોય તો તેનું “છે-પણું' રહી શકે નહીં. અસ્તિત્વ “છે' ઈ સત્તાગુણને લઈને છે. છતાં સત્તાગુણની ને દ્રવ્યની વચ્ચે “અતભાવ” છે. (એટલે ) જે દ્રવ્ય છે તે ગુણ નહીં ને ગુણ છે તે દ્રવ્ય નહીં. કેમ કે ગુણ છે તે આત્માના-દ્રવ્યના આશ્રયે રહે છે. આહા. હા! આવી વાતું હવે ધરમની નામની ! ક્યાં પડી છે, દુનિયાને! આહા... હા! ક્યાં મરીને જશું ક્યાં આહા.. હા! દેહની સ્થિતિ ક્ષણમાં છૂટી જાય, ફડાક દઈને! જાય.. રખડવા (ચાર ગતિમાં !) આ તત્ત્વ જ અંદર છે, એ કઈ રીતે છે, એનું યથાર્થ (પણે ) પદાર્થનું જ્ઞાન કરાવે છે (આ.) એટલે ખરેખર તો “ભેદજ્ઞાન કરાવે છે.”
(શું કહે છે? કે.) પહોળો-પૃથક છે, તે અન્ય છે તેથી એનાથી જુદો ઠરાવ્યો, અને આમાં (એટલે) આત્મામાં ગુણ છે સત્તા, છતાં પ્રદેશભેદ નથી, પણ તે અન્ય છે. એટલે (અનુભવ માટે) ગુણભેદ ઉપર દૃષ્ટિ રાખવાની નથી. આહા... હા.. હા! ઈ શૈલી કહેવા માગે છે. ગુણી જે છે “વસ્તુ' અનંતગુણો જેને આશ્રયે રહેલ છે. તેની દષ્ટિ કરતાં, બધેથી (દષ્ટિને) સંકેલીને (એકાગ્ર થતાં) તેને સમ્યગ્દર્શન થાય. તેને ધરમની શરૂઆત થાય. આહા. હા... હા! “આમ હોવા છતાં એટલે? કે આત્મા એની સત્તા (બંનેને) પ્રદેશભેદ નથી. એમ હોવા છતાં, પ્રદેશભેદ નથી એમ હોવા છતાં “તેમને (સત્તા અને દ્રવ્યને) અન્યત્વ છે.” આહા.... હા ! સત્તા નામનો ગુણ છે અસ્તિત્વ, અસ્તિત્વ. અને આત્મા અનંતગુણનો ધરનાર છે, તો બે વચ્ચે પ્રદેશભેદ નથી. બેના ક્ષેત્ર જુદા નથી. એનું રહેઠાણ-રહેવું એ જુદું નથી, પણ એના “ભાવ” ભિન્ન છે. આહા... હા.. હા ! ધરમ કરવામાં આવું શું કામ હશે? આહા... હા... હું... હા! આ ભેદજ્ઞાન કરાવે છે બાપુ ! જેમ પરથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com