________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૯૨ છે અંદર. પણ ઈ જુદું પાડીને જાણે કે આ તભાવ ને અતભાવ ને એમ ખ્યાલ ન આવે પણ વસ્તુ પોતાના ગુણથી-અભેદ છે, અને ગુણથી અભેદ-એક છે એમ દષ્ટિ કરતાં તિર્યંચને પણ સમ્યગ્દર્શન થયું. આહા...હા...હા! આમ છે.
(અહીંયા કહે છે કે, દ્રવ્યને અને ગુણને પૃથકપણું નથી.” પ્રદેશથી-ક્ષેત્રથી જુદાપણું નથી. છે? (પાઠમાં) “છતાં અન્યપણું છે.” બે લીટીમાં સમાવી દીધું બધું! “છતાં અન્યપણું છે.” આહા.... હા.. હા! શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર (અને) દેશ, ગામ એ તો ક્યાંય રહી ગ્યા કહે છે એ તો અન્ય છે, એના પ્રદેશ પૃથક છે તેથી તેને અન્યપણું છે, એની હારે કાંઈ-કાંઈ સંબંધ નથી. આહા.... હા ! ફક્ત તારામાં, ગુણ અને ગુણી – અનંતગુણ ભર્યા છે (એટલે ધ્રુવ છે જ.) અને આત્મા અનંતગુણનો ધરનાર દ્રવ્ય છે. એટલો અતભાવ (બે વચ્ચે છે. ) ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. અને એટલો અતદ્દભાવ (છે તેથી) અન્યપણું છે. એ પણ છોડી દઈને (દષ્ટિમાંથી) આહા... હા ! (શ્રોતા.) બહુ મજા આવી..! (ઉત્તરઃ) આવી વાત છે. લોકોને તો શું ! બિચારા, ખબર ન પડે, ઝીણી વાત!! બહારમાં ચડાવી દીધા. કહે કે જિનબિંબ દર્શન કરીએ કલાક! જાવ...! પ્રભુ! આવો વખત કં' યે (ક્યારે) મળે! સંસારનો અભાવ કર્યા વિના, એને-એને ચોરાશીના અવતાર મટે એમ નથી ભાઈ ! આહા... હા!
(અહીંયા કહે છે કે:) “પ્રશ્ન:- જેઓ અપૃથક હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?” શું પ્રશ્ન છે? કે જે અપૃથક હોય – આત્મા ને આત્માનો ગુણ. એ અપૃથક્ક છે. (ગુણ-ગુણી ) પૃથક્ર નથી. આત્મા અને (એનો) જ્ઞાનગુણ આત્મા અને સત્તાગુણ. આત્મા અને આનંદગુણ એને ( આત્માથી ) અપૃથપણું છે. પૃથક નથી. જુદાપણું નથી, પૃથપણું નથી. તો “જેઓ અપૃથફ હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?” જેના પ્રદેશો ભિન્ન છે, પૃથફ છે એમાં (તો) ભિન્નપણું સંભવે, આ તો તમે આત્માની અંદર (પ્રદેશ એક હોવા છતાં) ભિન્નપણું ઠરાવ્યું ! બીજાથી ભિન્નપણું ઠરાવ્યું હોય તો તે ભલે.... કહો. આહા...હા...હા...હા! દેવ-ગુરુ ને શાસ્ત્ર, એ પણ પૃથપણે અન્ય છે. આહા...! એ તો ભલે ! પણ, આત્માના ગુણ અને ગુણીમાં પૃથક્રપણું નથી, છતાં તમે એને અન્યપણું ઠરાવો છો. એ શું છે? એમ પ્રશ્ન છે! આહા...હાહા !
(કહે છે કે, “જેઓ અપૃથક હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?” આત્મા અને ગુણના જુદા પ્રદેશ નથી. જ્ઞાન, દર્શન, આનંદના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ-ક્ષેત્ર (કાંઈ ) જુદા નથી.
અપૃથકપણું હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે? જે જુદા જ નથી, પ્રદેશ-ક્ષેત્ર જુદા જ નથી. એમાં અન્યપણું કેમ સંભવે? એવો પ્રશ્ન શિષ્યનો છે.
(અહીંયા કહે છે કે ) “ઉત્તર- વસ્ત્ર અને સફેદપણાની માફક તેમનામાં અન્યપણું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com