________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૨
પ્રવચનસાર પ્રવચનો ૩૨૫ દોરી) થી પણ ઘડો થતો નથી. આહા... હા... હા! ઘડો તો માટીની પર્યાયથી થાય છે. આહા... હા... હા! માટીની પર્યાય છે ઘડો ! માટીથી ઘડો થ્યો છે. માટીની પર્યાય છે ઈ (ઘડો), ઈ પર્યાય, દ્રવ્યથી પર્યાય થઈ છે. કુંભાર (માટી) દ્રવ્ય છે કે એની પર્યાય થાય ઈ (ઘડો.) શું કીધું? સમજાણું? કુંભાર (પરમાણુ ) દ્રવ્ય છે કે એની પર્યાય આ ઘડો છે? આહા.... હા !
(કહે છે) દંડ, ચક્ર આદિ હોય, ઈ વસ્તુ છે. માટીના ઘડાની પર્યાય માટીની છે કે ઈ વસ્તુની છે? આહા... હા! થોડા ફેરે ફેર ઘણો ! આહા હા હા હા !
(અહીંયાં કહે છે કે:) “દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં”. એ (નમિત્તસાધન) વિના ન થાય એમ કહે છે. “જે રામપાત્રની જન્મક્ષણ હોય છે.” રામપાત્ર ઊપજયું માટીથી
તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે.” રામપાત્ર ઊપજયું તે જ ક્ષણમાં માટીના પિંડનો વ્યય હોય. માટીના પિંડનો વ્યય-નાશ થઈ અને રામપાત્રની પર્યાય થાય. ઈ દંડને ચકકરને ચાકડો (ઘડાની) રામપાત્રની પર્યાયને ઊપજાવે નહીં. પણ તેની હાજરી હોય. આહા... હા! “અને તે જ બન્ને કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે.” જે રામપાત્રની જન્મક્ષણ તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ અને “તે જ બન્ને કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે.” (નીચે ફૂટનોટમાં જુઓ) કોટિ = પ્રકાર ઓલો (શિષ્ય) કહેતો' તો કે ઉત્પાદ ને વ્યય વચ્ચે ધ્રૌવ્ય હોય. ઊપજે, કંઈક ટકે પછી નાશ થાય ને...! અહીંયાં કહે છે તે વાત કરે છે દ્રવ્યની ને અહીંયાં તો પર્યાયની વાત છે. ત્રણ પર્યાય છે ઈ. (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય). આહા... હા! ઈ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. વ્યય વિનાનું દ્રવ્ય ન હોય, ધ્રૌવ્ય વિનાનું દ્રવ્ય ન હોય, (ઉત્પાદ વિનાનું દ્રવ્ય ન હોય) ઈ ત્રણની ક્ષણ ત એક જ છે. આહા.. હા! (લોકો બોલે છે ને.) આમાં ધરમ શું આવ્યો પણ? બાપુ! જેણે આવું (વસ્તુસ્વરૂપ) જાણું એને આત્માનો ધરમ એટલે સમ્યગ્દર્શનની પર્યાય, સ્વના લક્ષ, ઉત્પન્ન થાય છે (એ) પર્યાય, એ પર્યાય, પર્યાય સ્વતંત્ર છે! એ પર્યાય ઉત્પન્ન થઈ એ ક્ષણે મિથ્યાત્વનો વ્યય છે, અને તે જ સમયે આત્માની-ધ્રૌવ્ય-યાતી છે એમાં લક્ષ થયું એનાથી ચ્યું નહીં પણ એના લક્ષે થયું! આહા.... હા... હા! (શ્રોતા:) ધ્રુવનું લક્ષ હતું ત્યારે થયું ને? (ઉત્તર) ઈ તો એની જન્મક્ષણ હતી. તેથી ધ્રુવમાંથી યું? આત્મામાંથી (યું.) ને પૂર્વનો મિથ્યાત્વનો વ્યય થયો. આવું અહીંયાં હાલે! બહારમાં....! આહા.. હા! વાણિયાને નવરાશ ન મળે એકલા પાપ આડે આખો દિ' ધંધો... ધંધો... ધંધો... ધંધો... એકલા પાપના પોટલા બાંધે અને નવરો થાય તો બાયડી-છોકરાં હારે.. રમતું કરે ને પછી છ-સાત કલાક ઊંઘે. આ મજુર જેવી દશા છે! આહા... હા! ભગવાન શું કહે છે ને કયું તત્ત્વ છે? એને નિર્ણય કરવાનો વખત ન મળે ! સાંભળવા મળે નહીં ને નિર્ણય ક્યારે કરે! આહા... હા! આ તો દયા પાળો ને... વ્રત કરો વ્રત કરો, બ્રહ્મચર્ય લઈ લ્યો! પણ બ્રહ્મચર્ય લ્ય ઈ એ ય શુભભાવ છે. ધરમ ક્યાં હતો. કાયાથી જાવજજીવ બ્રહ્મચર્ય પાળવું એતો શુભભાવ – પુણ્યભાવ છે. એ કાંઈ ધરમ નથી. આહા...! આકરું પડે જગતને! “અપૂર્વ વાત છે” અનંત - અનંત કાળમાં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com